CIA ALERT

યંગિસ્તાન Archives - Page 30 of 34 - CIA Live

January 9, 2019
pubg.jpg
1min15630

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

January 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15870

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી રાજ્યમાં 18 હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રાજ્યમાં હાલ ચાલી રહી છે. આ શાળાઓમાં ધો.9થી ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના વર્ગો ચાલી રહ્યા છે. રાજ્યની આ 18 હજારથી વધુ સ્કુલ્સમાં ટોપ ફાઇવ સ્કુલમાં જો કોઇ શાળા સામેલ હોય તો એ છે સુરતના અડાજણ રોડ પર આવેલી ભૂલકાંભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી. (વાડીવાળા) દેસાઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ભૂલકાંભવન રાજ્યની એકમાત્ર એવી શાળા છે જેણે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં સૌથી વધુ રેન્કર્સ સ્ટુડન્ટસ આપ્યા છે, અને હાલમાં એ-વન ગ્રેડસ પણ એટલા જ આપી રહી છે.

પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ જ્યારે બાળકને યોગ્ય રીતે મળે ત્યારે જ બાળકનો કારકિર્દી ઘડતરનો પાયો મજબૂત બની શકે છે. ભૂલકાંભવન ટ્રસ્ટની શાળામાં ત્રણ વર્ષે દાખલ થતું બાળક આ જ પ્રકારે ઘડાય છે. પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીમાં તો ભૂલકાંભવનનું બાળક સર્વાંગી રીતે જીવન અને તેનો દ્રષ્ટિકોણ જોવા-જાણવા-માણવા માટે બિલકુલ સજ્જ બની જતું હોય છે. માધ્યમિક શિક્ષણમાં ધો.9 અને 10માં વિદ્યાર્થીમાં ધરબાયેલી પ્રતિભાને શોધીને યોગ્ય દિશા આપવાનું કામ થાય છે.

વ્યવસાયિક કારકિર્દીનો મજબૂત પાયો ઘડે છે ભૂલકાંભવન

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયન્સ હોય કે કોમર્સ અહીં વિદ્યાર્થીઓની વ્યવસાયિક કારકિર્દી કઇ દિશા તરફ જશે તેનું મજબૂત ફાઉન્ડેશન થાય છે. ખાસ કરીને અહીં વાત કરવી છે ભૂલકાંભવન શાળામાં ચાલતા ધો.11-12 સાયન્સ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ અને તેની કાર્યપદ્ધતિ અંગે. ધો.11-12 સાયન્સના અભ્યાસની વાત આવે એટલે તેની સાથે જોડાયેલી જેઇઇ મેઇન્સ, એડવાન્સ્ડ અને નીટ-ગુજકેટ જેવી પરીક્ષાનો હાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સાહજિક રીતે તરી આવે. પણ અહીં ભૂલકાંભવનમાં આ હાઉને દૂર કરવા માટે સિસ્ટમેટિક સ્ટડી મેથડ અમલી બનાવવામાં આવી છે.

ભૂલકાંભવનમાં ધો.11-12 સાયન્સ ભણનારા વિદ્યાર્થીઓને જેઇઇ-નીટ-ગુજકેટના કે અન્ય ટ્યુશનની જરૂર રહેતી નથી

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટ્યુશન, ક્રેશ કોર્સ કે જેઇઇ નીટ જેવી પરીક્ષા માટે લાખો રૂપિયાના પેકેજવાળા ધંધાદારી કોચિંગ ક્લાસીસની જરૂર રહેતી નથી. કેમકે અહીં ધો.11માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ ઉપરાંત તેના માટે જરૂર પડ્યે સ્પેશ્યલ ક્લાસીસ અને તેની સાથે જ જેઇઇ, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી પણ શાળા દ્વારા શાળામાં જ કરાવવામાં આવે છે. એક ફુલ ડે સ્કુલ સિસ્ટમથી અહીં ઉ.મા. વિભાગમાં સાયન્સનું શિક્ષણ આપવામાં આવે છે. સવારે 7 વાગ્યે શાળામાં આવતું બાળક બપોરે 3 વાગ્યા સુધીમાં સંપૂર્ણ અભ્યાસ બાદ ફ્રી થઇ જાય છે અને ઘરે વાંચન, લેખન કે અન્ય રચનાત્મક પ્રવૃતિ કરી શકે છે.

વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી જ ફુલ-ડે સ્કુલ કન્સેપ્ટ અપનાવ્યો

જ્યારે આ સિસ્ટમ સિવાયના ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની લાઇફ જોઇએ તો સ્કુલ ટાઇમ પછી સ્કુલના ટ્યુશન અને એની સાથે જેઇઇ, નીટ, ગુજકેટના ટ્યુશન એમ રાત્રે 9.30થી 10 વાગ્યે ફ્રી થાય અને બીજા દિવસથી ફરીથી એ જ રૂટિન શરૂ. ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની આવી હાડમારી નિહાળીને ખાસ ભૂલકાંભવન ટ્રસ્ટના મેનેજમેન્ટએ વિદ્યાર્થીઓ માટે ફુલ ડે કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે.

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોવ તો

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે અડાજણ રોડ પર ભૂલકાંભવન સ્કુલના હોલમાં આગામી તા.10મી જાન્યુઆરી 2019ને ગુરુવારે સવારે 8 કલાકે ખાસ ગાઇડન્સ મિટીંગ રાખવામાં આવી છે. જેમાં ભૂલકાંભવન મેનેજમેન્ટ, શિક્ષકો આ શાળાની ધો.11-12 સાયન્સની ડે સ્કુલ કન્સેપ્ટ, ભણાવવાની પદ્ધિત, પ્રવેશ પરીક્ષાનું ગાઇડન્સ વગેરે આપશે.

ભૂલકાંભવન ક્યારે અને કેવી રીતે પાંગર્યું

1. Bhulka Bhavan Trust 15-03-1975
2. Pre-Primary Section 12-06-1975
3. Primary Section 06-06-1976
4. Secondary Section 01-09-1983
5. Higher Secondary Section Science Stream 01-07-1986
6. Commerce Stream 19-10-1989

 

 

January 7, 2019
main10.jpg
1min9390

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5050

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

December 28, 2018
surat_police.jpg
1min13270

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018

December 24, 2018
utu_logo-1280x1380.png
1min14900

સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો 6ઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ તા.23મી ડિસેમ્બર 2018ના રોજ યુનિવર્સિટી સંકુલમાં શાનદાર રીતે સંપન્ન થયો હતો. માલિબા કેમ્પસમાં ચાલતી વિવિધ ફેકલ્ટીઓની કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર સાથે દિક્ષા આપીને વ્યવહારુ દુનિયામાં પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(6th Convocation of Uka Tarsadia University)

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહના અધ્યક્ષ પદે સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના કમિશનર શ્રી ડો.હેમંતભાઇ જી. કોશીયા, શ્રી બળદેવભાઇ ઠાકોર અને શ્રી નારણભાઇ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની તેમના માતા-પિતા, પરિવારજનો, ફ્રેન્ડ્સ તેમજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Anthem of UTU)

Value based Education at Uka Tarsadia University

Posted by Uka Tarsadia University -Maliba Campus on Thursday, 18 December 2014

(Uka Tarsadia Univeristy Convocation held at the Maliba Campus on 23-12-2018)

 

 

December 23, 2018
gseb-1280x720.jpg
1min5140

લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.

આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

December 22, 2018
LRB-lokrakshak-constable-2018.jpg
1min3370

સમય બપોરના 3 વાગ્યાનો બદલીને સવારે 11નો કરાયો

પરીક્ષા પૂર્વે જ પેપર લીક થઇ જતા ગઇ તા.2જી ડિસેમ્બર 2018ના રોજ છેલ્લી ઘડીએ રદ કરાયેલી લોકરક્ષક (પોલીસ જવાન) ભરતીની પ્રવેશ પરીક્ષા હવે તા.6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. આ અંગેની હોલ ટિકીટ જારી કરી દેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો જે હવે સવારે 11નો કરી દેવામાં આવ્યો છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીક્ષા આપનારા ઉમેદવારોને મુસાફરી ભથ્થું આપવાની કરેલી જાહેરાતનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં હોલ ટિકીટમાં કરવામાં આવ્યો નથી.

સ્પર્ધકના રહેઠાણના જે તે જિલ્લામાં કે તાલુકામાંના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર હોય નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાના બદલે ભૂલનું પુનરાવર્તન કરી ફરીથી તેઓને અગાઉના સ્થળે જ 200 થી 400કિમી.દૂર  મોકલી પરીક્ષા આપવા મજબૂર કર્યા છે. જેઓને કોલ લેટરમાં અગાઉનો માથે પડેલો ભાડાખર્ચ કે હવે ચૂકવવા પડનારા બીજા ભાડાદર ચૂકવવાની ભરતી બોર્ડે કોઈ સૂચના આપી નથી કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ આવવા-જવાના બસભાડા આપવાનું કે તેઓએ ચુકવેલ ભાડું પરત આપવાની જાહેરાત કરેલી જેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. એટલે સ્પર્ધકોએ વહેલી સવારે નીકળી  ઠંડીભરી સવારમાં 8-30 કલાકે જે તે કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું છે અને 10:30 પછી પ્રવેશ પ્રતિબંધ છે.

પરીક્ષાર્થીઓનું એવું કહેવું છે કે અમને જે તે પરીક્ષા કેન્દ્રમાં જ ઓછામાં ઓછા 1000 રૂપિયાની તક્ષણ રાહત ચૂકવવાના આદેશ રાજ્ય સરકારે કરવા જોઈએ, નહીંતર પરીક્ષા પૂરી થયા બાદ સરકારી તંત્ર ટલ્લે ચડાવશે. બીજી ડિસેમ્બરના રોજ જે તે શાળા-કેન્દ્ર  આચાર્યને બે દિવસના મળી પંદરસો રૂપિયા સુપરવાઇઝરને 375 અને પાણી- પટાવાળાને  રૂ.225 લેખે ચુકવણું કરેલ જે ખર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ  ફરી ચૂકવવાના થશે.

December 21, 2018
icai_logo.jpeg
4min19170

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 18, 2018
nitin12.jpg
2min15550

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.