CIA ALERT

વાયરલ Archives - Page 50 of 67 - CIA Live

April 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min3290

કોરોના સુપર સ્પ્રેડરથી બચો, સુપર સ્પ્રેડરમાં દૂધ-શાક-કરીયાણા વિક્રેતાઓ

હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.

શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.

April 29, 2020
coronaguj-1280x875.jpg
1min2850

ગુજરાતમાં તા.28મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય એવા નવા 226 કેસ મળી આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા આ સાથે જ 3774એ પહોંચી ગઇ છે. તા.28મી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાથી પીડીત હોય તેવા વધુ 19 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાતનો મૃત્યુઆંક 181  થયો છે.

નવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

April 28, 2020
corona-1.jpg
1min3280

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
curfew.jpeg
1min3520

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલો કર્ફયુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા હતા તે ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં તારીખ 15 એપ્રિલના રોજ એક અઠવાડિયાનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો જેની મુદત વધારીને તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવી હતી.

બાદમાં સુરત અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. હવે, આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્ચો હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે અને હવે આ વિસ્તારો દેશના અન્ય વિસ્તારોની જેમ લૉકડાઉન હેઠળ રહેશે.

April 23, 2020
coronaguj-1280x875.jpg
2min6810

પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તે પૈકી ૮૯ ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, એવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

ડૉ. રવિએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના ૬૫ ટકા, સુરતના ૧૬ ટકા અને વડોદરાના ૮ ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૨૭ જિલ્લામાં ૧૧ ટકા પોઝિટિવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫ સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. 

Reported on 23 April 2020

ગુજરાતમાં તા.23 એપ્રિલે નવા 217 પોઝિટિવ 11ના મોત

24 કલાકમાં જ રાજ્યમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 11 લોકોના મોત થયા છે. આ 271માંથી 151 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે કુલ 3,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજથી દિવસમાં એક જ વખત કોરોનાના આંકડા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હવેથી દરરોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવશે. આ પહેલા દિવસમાં બે વખત આંકડા જાહેર કરવામાં આવતા હતા.

નવા કેસમાં અમદાવાદમાં 151 ઉપરાંત સુરતમાં 41, વડોદરામાં 7, ભરૂચમાં 5, આણંદમાં 3, બોટાદમાં 2, ખેડામાં 2 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન (કોટા) થી ૪૦૦ વિદ્યાર્થીઓને ૧૫ બસ સાથે ગુજરાતમાં લવાયાં

સમગ્ર દેશમાં રાજસ્થાનનું કોટા શહેર કેરિયર સિટી તરીકે ખુબ જ જાણીતું છે. કોટામાં મોટી સંખ્યામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવેલા વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે કપરી સ્થિતિમાં મુકાયા હતા. કોટા શહેરમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓને પોતપોતાના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારે કોટામાં ફસાયેલા રાજ્યના વિવિધ વિસ્તારોના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરત લાવવા ૧૫ બસ મોકલી આપતા ગુરૂવારે ૧૫ બસમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ શામળાજીથી ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વિદ્યાર્થીઓના ચહેરાઓ તણાવમુક્ત બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં શારીરિક ચકાસણી બાદ તેમના વતનમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવશે. કોટાની એક ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ લોકડાઉન લંબાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજસ્થાન સરકાર, કોટા જિલ્લા વહીવટી તંત્ર અને એલન ઇન્સ્ટિટ્યૂટે અન્ય રાજ્ય સાથે મળીને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી હતી.

ગુરૂવારે વહેલી સવારે રતનપુર ચેકપોસ્ટથી શામળાજી થઈ ૧૫ બસ અમદાવાદ સોલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં થર્મલ સ્ક્રીનિંગ અને પ્રાથમિક શારીરિક તપાસ કર્યા બાદ તેમના વતન મોકલી આપવામાં આવશે.

અમદાવાદમાં ૧૦ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાશે

અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૯ માંથી ૭ સ્થળને કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. ૨૦૦૦થી વધુ ઘર, ૧૦૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ અમદાવાદમાં વધુ ૯૫ પોઝિટિવ કેસ નોંધાયાં હતા. શહેરમાં કોરોના કહેર હજી પણ યથાવત છે.

કરિયાણાના અને શાકભાજીના વેપારી પણ હવે વાઈરસના ઝપેટમાં આવી ગયા છે. મણિનગર, આંબલી, નરોડા અને ભાઇપુરાના વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંબલી અને ભાઇપુરાના શાકભાજી વેપારીનો કોરોના પોઝિટિવ નીકળ્યો છે. મણિનગર, પાલડી અને નરોડાના કરિયાણા વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એએમસી માટે કોરોના વાઈરસની ચેન તોડવા મથામણ કરાઈ રહી છે. સામાન્ય નાગરિક બાદ હવે વેપારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાના વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. એએમસી માટે સંપર્કમાં આવેલા લોકોને શોધવા હાલ અશક્ય બન્યું છે.

Reported on 23 April 2020

કોરોના : ગુજરાત હવે નંબર 2

કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે પહોંચ્યું છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હોટસ્પોટ વિસ્તારમાં જેમ જેમ ટેસ્ટ વધતાં જાય છે તેમ તેમ આંકડો વધતો જાય છે. કોરોનાના વધતા કેસની સાથે જ હવે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2407 એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે.

રાજ્યમાં બુધવારની સવાર સુધીમાં નવા ૯૪ કેસ નોંધાયા હતા જ્યારે વધુ પાંચ દર્દીઓના મોત થયા હતા. કુલ ૨૨૭૨ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો હતો. આમ મંગળવારે સવારે નવ વાગ્યાથી બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કુલ ૨૦૬ નવાં પોઝિટિવ કેસ અને વધુ ૧૮ દર્દીઓના મોત થયા હતા.

બુધવારે નોંધાયેલા કેસમાં અમદાવાદના ૬૧ કેસ, બોટાદના ૨૧, રાજકોટ જિલ્લાનો એક, સુરત ૧૭ કેસ, વડોદરા ૮ કેસ અને અરવલ્લીના પાંચ કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નવા ૬૧ કેસ સાથે કોરોના પીડિતોની સંખ્યા ૧૪૩૪ પર પહોંચી છે. અને વધુ ચાર દર્દીઓના મોત સાથે મોતનો આંકડો પણ વધીને ૫૭ પર પહોંચી ગયો હતો. જ્યારે સુરતમાં કુલ કેસોની સંખ્યા ૩૬૪ પર પહોંચી હતી અને મોતનો આંકડો પણ વધીને ૧૨ પર પહોંચ્યો છે એવી જ રીતે વડોદરામાં ૨૦૭ અને મોતનો આંકડો ૧૦ પર પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૧ પર પહોંચ્યો છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

દરિમયાન અમદાવાદમાં બુધવારે નોંધાયેલા ૬૧ કેસની વાત કરીએ તો, તમામ કેસ હોટસ્પોટ એરિયાના છે. જેમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ વિસ્તારના છે.

રાજ્યમાં જિલ્લાદીઠ કેસના આંકડા જોઇએ તો, અમદાવાદ-૧૪૩૪, વડોદરા-૨૦૭, સુરત-૩૬૪, રાજકોટ-૪૧, ભાવનગર-૩૨, આણંદ-૨૮, ગાંધીનગર-૧૭, પાટણ-૧૫, ભરૂચ-૨૪, નર્મદા-૧૨, બનાસકાંઠા-૧૫, પંચમહાલ-૧૧, છોટાઉદેપુર-૭, અરવલ્લી-૧૭, મહેસાણા-૭, કચ્છ-૬, બોટાદ-૯, પોરબંદર-૩ , ગીર-સોમનાથ-૩, દાહોદ-૪, ખેડા-૩, મહીસાગર-૩, સાબરકાંઠા-૩, વલસાડ-૩, જામનગર, મોરબી, તાપી, નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો છે.

April 21, 2020
Rashtrapati_Bhavan.jpg
1min4320

નવી દિલ્હી ખાતે સૌથી પ્રોટેક્ટેડ ગણાતા ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક પરિવારની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે અફરાતફરી મચી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. ઘટનાને પગલે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  

April 20, 2020
coronaguj-1280x875.jpg
7min8780

સોમવારે અમદાવાદના એક સાથે 20 રીકવર : સોસાયટી પ્રમુખો, ગામના સરપંચોને પણ સભ્યોની હેલ્થ પર દેખરેખ રાખવા અપીલ

રાજ્યમાં કોવીડ-19ના વધુને વધુ કેસો મળી રહ્યા છે અને ચિંતાજનક વાત એ પણ છે કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. અત્યાર સુધી કોરોના મુક્ત જિલ્લા તરીકે ગણના થતી હતી એ નવસારી અને વલસાડમાં પણ આજે કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

તા.21મી એપ્રિલે સવારે 11 વાગ્યે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધીને 2088 થઇ છે. સૂરતમાં કેસો વધીને કુલ 338 પર પહોંચી ગયા છે.

સૂરતમાં 338 કેસો થયા

જયંતિ રવિએ ખાસ જણાવ્યું હતું કે શહેરોમાં સોસાયયટીઓ, એપાર્ટમેન્ટસના પ્રમુખો, ગામમાં સરપંચોએ પોતાના રહેવાસી સભ્યોની દેખરેખ રાખતા રહેવું જોઇએ અને શરદી, ખાંસી, તાવ જો કોઇને જણાય તો નજીકના કોવીડ સેન્ટર ખાતે તપાસ કરાવવી જોઇએ જેથી બનતી ત્વરાએ નક્કી કરી શકાય કે જે તે સભ્ય કોરોના પોઝીટીવ છે કે નહીં. આ પ્રકારે કોરોનાને કાબૂમાં મેળવી શકાશે.

ગઇ કાલ તા.20મી એપ્રિલને સોમવારે એક જ દિવસમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. એક દિવસમાં કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ હોય તેવું અમદાવાદમાં પહેલીવાર બન્યું છે.

સોમવારે રાત સુધીની સ્થિતિ

તા.20મી એપ્રિલને સોમવારે રાત્રે 8 કલાકની ગુજરાતની સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 1939 પોઝિટિવ દર્દીઓ થયા છે. આ પૈકી 131 લોકો સારવાર લઈને ઘરે પરત ફરી ચૂક્યા છે, ક્રિટીકલ હેલ્થ ધરાવતા 19 લોકો વેન્ટિલેટર પર છે અને 1718ની સ્થિતિ સ્ટેબલ છે.

તા.20મીએ રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 4212 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 196 કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં કુલ 20199 તેમજ સરકારી ક્વોરન્ટીનમાં 3303 અને 247 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Reported on 20 April 2020

26 દિવસના લૉકડાઉન પછી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપારીક ગતિવિધી આંશિક શરૂ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1743એ પહોંચી છે. જેમાં 14 વેન્ટિલેટર પર છે જ્યારે 1561ની તબિયત સ્થિર છે. રાજ્યભરમાં કોરોનાના કારણે કુલ 63 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રવિવારે નોંધાયેલા કુલ કેસ પૈકી 239 કેસ એટલે કે 65 ટકા કોરોના પોઝિટિવ કેસ એકલા અમદાવાદમાંથી સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાતનું સુરત બીજા નંબરનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી રવિવારે 89 કેસ સામે આવ્યા છે. જે બાદ વડોદરા 22 કેસ સાથે ત્રીજા નંબરે છે. આ સાથે જ અમદવાદમાં અત્યાર સુધીમાં કુલ 1101 કેસ, સુરતમાં 242 અને વડોદરામાં કુલ કેસનો આંકડો 180 પર પહોંચ્યો છે.

કોરોના પોઝીટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં પહેલો કેસ જાહેર કરવામાં પાછળ રહ્યું હતું, પરંતુ, બાદમાં હવે પરિસ્થિતિ એક મહિનામાં બદલાઇ ગઇ છે અને ગુજરાત તા.20મી એપ્રિલ 2020ના રોજ પોઝીટીવ કેસોની સરખામણીમાં દેશના ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. રવિવારે એક જ દિવસમાં ગુજરાતમાં 367 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલ એક દિવસના કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1743 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસો છે અને ગુજરાતમાં પણ 75 ટકાથી વધુ કેસો એકલા અમદાવાદ અને સૂરતમાં છે.

ગ્રીન ઝોનમાં આજથી શું શું શરૂ થશે જાણો અહીં

કઈ સેવાઓની આપવામાં આવી છે છૂટ?

  • આયુષ સહિત દરેક સ્વાસ્થ્ય સુવિધાઓ
  • પસંદગીની કોમર્શિયલ અને પ્રાઈવેટ સંસ્થા
  • અનિવાર્ય વસ્તુઓની આપૂર્તિ
  • 50% સુધીની ક્ષમતા સાથે IT અને IT આધારિત સેવાઓ
  • ગ્રામીણ વિસ્તારમાં રહેલા ઉદ્યોગો
  • સમયના પ્રતિબંધ વગર જ કરિયાણાની દુકાનો
  • બ્રોડકાસ્ટિંગ, DTH અને કેબલ સર્વિસ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈલેક્ટ્રીશ્યિન, IT રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક અને સુથાર વગેરેની સેવાઓ
  • રેક કૃષિ અને બગીચાની ગતિવિધિઓ
  • માછલી પકડવાનો વ્યવસાય, એક્વાકલ્ચર ઈન્ડસ્ટ્રી
  • વધારામાં વધારે 50% મજૂર સાથે ચા, કોફી અને રબર જેવા કામ
  • પશુપાલન  
  • બેંક જેવી નાણાકિય સંસ્થા
  • સામાજિક ક્ષેત્ર
  • MNREGAના કામ
  • સાર્વજનિક ઉપયોગની સેવાઓ
  • રાજ્યની અંદર અને બહાર સામાનની દુકાનો
  • સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રના પસંદગીના ઉદ્યોગ/ઔદ્યોગિક સંસ્થા
  • કન્સ્ટ્રક્શનના કામ
  • મેડિકલ, પશુ ચિકિત્સા અને અનિવાર્ય વસ્તુઓ સહિત ઈમરજન્સી સેવાઓ માટે પ્રાઈવેટ વાહન
  • છૂટની શ્રેણી હેઠળ આવતા લોકોને કાર્યસ્થળ પર જવાની અનુમતિ
  • કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી કાર્યાલય

ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઉદ્યોગ ધંધા શરૂ થયા

ગુજરાતમાં આજે તા.20મી એપ્રિલ 2020ને સોમવારે શહેરી વિસ્તારોની બહાર આવેલા અને ઓર્ગેનાઇઝ સેક્ટરના ઉદ્યોગ ધંધાઓ આંશિક રીતે શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો અને ખેતમજૂરો કામ પર નીકળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે એવું મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ.

આજે સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના સચિવાલયના કર્મચારીઓએ પણ આંશિક રીતે કામકાજ શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, ફક્ત સ્થાનિક કર્મચારીઓ આજે સચિવાલય આવ્યા હતા જ્યારે અમદાવાદથી ગાંધીનગર બોલાવવામાં આવ્યા નથી.

શ્રમિકોની ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. ૬ કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે. આ નિયમ ૧૮ એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેઠળ ૬૬ લાખ કાર્ડધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. ૧૦૦૦ જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય અંતર્ગત ૨૦ એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થશે.

કચ્છમાં લોકડાઉનમાં લગ્નને લીલીઝંડી: ૨૦થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે

કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને ધીમો કરવા અપાયેલા દેશવ્યાપી લોકડાઉન પાર્ટ ટૂમાં વેપાર-ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે ત્યારે હવે જિલ્લા સમાહર્તાએ લગ્ન માટે પણ શરતી મંજૂરી આપી છે.

કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.એ તમામ તાલુકા મામલતદારોને લગ્નની મંજૂરી આપવા અંગેની સૂચના આપતો પરિપત્ર મોકલ્યો હતો જેના પ્રમાણે તાલુકા મામલતદારો લગ્નને મંજૂરી આપી શકશે. જોકે, લગ્નપ્રસંગે વીસથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ક્ધટેઈન્મેન્ટ કે હોટસ્પોટ તરીકે જાહેર થયેલાં વિસ્તારોમાં લગ્ન યોજાઈ નહીં શકે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ લગ્નપ્રસંગમાં ભાગ લઈ નહીં શકે. આ શરતોનું પાલન કરવા તત્પરતા દર્શાવનારાં લોકોને મામલતદારો મંજૂરી પાસ મંજૂર કરશે.

ગ્રીન ઝોનમાં આજથી કેટલીક છૂટછાટો

ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી કેટલીક છૂટો આપવામાં આવશે, પણ હોટસ્પોટવાળા વિસ્તારોમાં સખત પ્રતિબંધો કાયમ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે ૨૦મી એપ્રિલથી કેટલાક ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે અને એ પ્રમાણે રવિવારની મધ્યરાત્રીથી જે ઝોનમાં કોરોના વાઇરસ ફેલાયો નથી એ માટે અમુક સેવાઓ અને ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર ‘જાન ભી જહાન ભી’ સૂત્રને સફળ બનાવવા માટે ગ્રામિણ વિસ્તારોમાં કૃષિ અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવામાં આવશે.

જોકે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉન દરમિયાન જાહેર કરવામાં આવેલા નિર્દેશો અને પ્રતિબંધોનું સખતાઇથી પાલન કરવું પડશે.

૨૦મી એપ્રિલથી જે પ્રવૃત્તિઓ, ક્ષેત્રો અને વિસ્તારોને ખાસ સવલત આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ સિવાયની સિનેમા હૉલ, મૉલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, મનોરંજન માટેના પાર્કો, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક મેળાવડા અને કાર્યક્રમો વગેરે જેવી બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો ૩જી મે સુધી યથાવત રહેશે અને સ્વાસ્થ્ય સેવાઓ અને જીવનજરૂરિયાતની વસ્તુઓને લગતી સેવાઓ ઇત્યાદિ ચાલું રહેશે.

મજૂરોને એક રાજ્યમાંથી બીજામાં જવાની મંજૂરી નહિ મળે

કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાદેલા લોકડાઉનમાં ૨૦ એપ્રિલથી થોડી છૂટછાટ આપવાની અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ શ્રમ મંત્રાલયે આ સંબંધમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અટવાઇ ગયેલા શ્રમિકો (મજૂરો)ને માત્ર રાજ્યમાં કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ કોવિડ-૧૯ના રોગચાળાથી અસરગ્રસ્ત નહિ હોય એવા વિસ્તારોમાં ૨૦ એપ્રિલથી ચોક્કસ નિયમને આધીન રહીને અવરજવર કરવા દેવાશે. આમ છતાં, તેઓ એક રાજ્યમાંથી બીજામાં જઇ નહિ શકે.

ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉન છે ત્યાં સુધી એટલે કે ૩ એપ્રિલ સુધી શ્રમિકોને એક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી અપાય તો રોગચાળો વધુ ફેલાઇ શકે છે અને તેથી તેઓને નિયમને આધીન રહીને માત્ર રાજ્યમાં જ અવરજવર કરવાની પરવાનગી અપાશે.

India Update on 20 April 2020 at 10am

  • Cases : 17,265
  • Deaths : 543
  • Recovered : 2,547
  • Active Cases : 14,175

India Statwise cases 20 April at 10 am

StateCaseDeathRecover
MH4203223507
DL20034572
GJ174363105
RJ147814183
TN147715411
MP140770127
UP108417108
TG84418186
AP6461542
KL4023270
KA39016111
JK350556
WB3391266
HR233387
PB2191631
BR93242
OR68124
UK44011
JH4220
HP39116
CG36025
AS35117
CH26013
Leh18014
AN15011
ML1110
PY703
GA707
MN201
TR201
MZ100
AR100
NL000
April 19, 2020
unlogo.jpg
1min4350

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 18, 2020
coronaguj-1280x875.jpg
11min17600

ગુજરાતમાં મળી રહેલા કેસોમાં લક્ષણો દેખાતા નથી, ટેસ્ટીંગમાં કેસો મળ્યા : આરોગ્ય સચિવ

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવી એ તા.19મી એપ્રિલના રોજ ડેઇલી બ્રિફીંગમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં મળી રહેલા પોઝીટીવ કેસો પૈકી 80 ટકા કેસોમાં કોઇ લક્ષણો નહી હોય તેવા દર્દીઓ મળી આવ્યા છે. ગુજરાતમાં તા.19મી એપ્રિલે સવારે 10 વાગ્યે નવા વધુ 228 કેસો મળ્યા હતા. જેમાંથી 189 કેસ એકલા અમદાવાદના હોવાનું જાણવા મળે છે.

તા.19મી એપ્રિલે નવા કેસોની સ્થિતિ

તા.19મી એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની સ્થિતિ

સૂરતમાં પાલનપુર પાટીયા, લિંબાયત, સલાબતપુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, સરથાણા, ઉમરવાડા ખાતે કેસો મળી આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોના બેકાબુ બનીને બહાર આવી રહ્યો છે. એકલા અમદાવાદના મધ્યઝોન અને દક્ષિણ ઝોનમાં કોરોનાના દર્દીઓ વધતા જ જઈ રહ્યાં છે. અનેક વિસ્તારમાં કર્ફ્યૂ હોવા છતાં પણ શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં માત્ર અમદાવાદમાં જ 96 દર્દીઓ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 800 પાર થઈ હતી. ઉપરાંત કોરોનાનો પ્રકોપ વધતાં શનિવાર તા.18મી એપ્રિલે ગુજરાતમાં વધુ પાંચના મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 53 થયો છે. તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1376 નોંધાઇ હતી.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં કુલ 1376 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 1220 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 10 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 16925 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ સિવાય ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

શહેરી વિસ્તારમાં ઉદ્યોગોને કાર્યરત કરવા માટે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે, આ અંગેનો નિર્ણય પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ કરવામાં આવશે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

શહેરી વિસ્તારમાં બાંધકામ સાઇટ અંગે

શહેરી વિસ્તારમાં જ્યાં-જ્યાં બાંધકામ પ્રોજેક્ટ્સનું કામ ચાલે છે ત્યાં પણ કામદારો અને શ્રમિકોને પ્રોજેક્ટ ચાલુ હોય તે સ્થળે જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે તો જ ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામામાં દર્શાવ્યા મુજબની વ્યવસ્થાઓ પણ કરવાની રહેશે.

ગુજરાતમાં પ્લાઝમા ટ્રાન્સમિશનની મંજૂરી મળી

ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓની પ્લાઝમા ટ્રાન્સમિશન દ્વારા સારવાર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી હતી. કેન્દ્ર દ્વારા આ અંગેની મંજૂરી આપી દેવાઈ હોવાનું જણાવતા આરોગ્ય ખાતાના અગ્રસચિવે જણાવ્યું હતું કે સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં આજની ટ્રીટમેન્ટની શરુઆત કરી દેવામાં આવી છે. શનિવારે કોરોનામાંથી રિકવર થઇ ગયેલી એક મહિલા દર્દીનું બ્લેડ મેળવાયું હતું.

દર્દી મંજૂરી આપશે તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ અપાશે

હાલ કોરોનાના દર્દીઓની એલોપથીથી સારવાર કરાય છે. જો દર્દી મંજૂરી આપશે તો તેની આયુર્વેદિક સારવાર પણ કરાશે તેવી માહિતી આપતા જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોવા, કેરળ અને હરિયાણામાં આ અંગે પ્રયાસો શરુ કરાયા છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં કામ કરવાનું શરુ કર્યું છે. જામનગર આયુર્વેદ યુનિ.ને સાથે રાખી તેનો પ્રોટોકોલ તૈયાર કરાઈ રહ્યો છે, અને જો દર્દી સહમતિ આપે તો આયુર્વેદિક પદ્ધતિથી તેનો ઉપચાર કરાશે.

સોમવારથી ગુજરાતમાં ક્યાં ઔદ્યોગિક પ્રવૃતિઓ શરૂ થઇ શકશે

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાત રાજ્યમાં તારીખ 20 એપ્રિલ એટલે કે આગામી સોમવારથી નગરપાલિકા તથા મહાનગરપાલિકાના હદ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારમાં ઔધોગિક એકમો શરૂ કરી શકાશે. આ સાથે જ એવી સૂચના પણ આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોની રહેવાની વ્યવસ્થા ફેક્ટરીના પ્રીમાઈસિસમાં જ કરવી અને બને તેટલી ઓછી અવરજવર કરવી તેની તકેદારી પણ રાખવાની રહેશે.

ગુજરાતમાં ૨૦મીથી સરકારી કચેરીઓ ખૂલશે

ગુજરાતમાં કોરોના વાઈરસના વ્યાપક સંક્રમણ વચ્ચે પણ હવે કોરોનાગ્રસ્ત વિસ્તારો સિવાયમાં સરકારી કેટલાક નિયમો સાથે ૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તા ર૦ એપ્રિલથી તા. ૩ મે સુધી સરકારની કચેરીઓ સીમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહીં. કોરોનાગ્રસ્ત હોટસ્પોટ અને બફર ઝોન વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સીમિત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ મુખ્ય પ્રધાને આપી છે.

વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સૂચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

ભારત અપડેટ તા.19મી એપ્રિલ 2020

  • Cases : 15,707
  • Deaths : 488
  • Recovered : 2,015
  • Active Cases : 13,204

ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.19 એપ્રિલ સવારે 10 વાગ્યે

StateCaseDeathRecover
MH3651211365
DL18934272
MP140770127
GJ13765393
TN137215365
RJ135111183
UP9691486
TG80918186
AP6031542
KL4003257
KA38414104
JK341551
WB3101262
HR225343
PB2021327
BR86237
OR61124
UK4209
HP39116
CG36024
AS35112
JH3420
CH23010
Leh18014
AN14011
ML1110
PY703
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

અમદાવાદમાં હવે સવારના ચાર કલાક જ બહાર નીકળી શકાશે

ગુજરાતભરમાં પ્રતિ દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. જેથી અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ લોકોમાં વધુ ચેપ ના ફેલાય તે હેતુથી જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી માટે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધીની છૂટછાટ આપી છે. આ સમય બાદ કોઈ વ્યક્તિ સોસાયટી, સોસાયટીના કોમન પ્લોટ કે મકાનના ધાબા ઉપર પણ ડ્રોન કે સીસીટીવીમાં ફરતી દેખાશે તો તેની ધરપકડ કરવામાં આવશે તેવા આદેશ પણ આપવામાં આવ્યા છે.

શહેરમાં એક જ દિવસમાં ૧૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસ આવતા તંત્રએ કેટલાક કડક આદેશો લોકોની સુરક્ષા માટે કર્યા હતા. જેના ભાગરૂપે સમગ્ર અમદાવાદ શહેરમાં લોકો સવારે ચાક કલાક સુધી ખરીદી માટે બહાર જઈ શકશે. દવા લેવા કે ટ્રીટમેન્ટ માટે ૨૪ કલાકમાં કોઈ પ્રતિબંધ નથી. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. મહામારીમાં કોઈને ચેપ ના લાગે અને કેસની સંખ્યા ઘટે તે અમારો મુખ્ય હેતુ છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૧૪૩ કેસ નોંધાતા પોલીસે નિયમો થોડા વધારે કડક કર્યા છે.

Reported on 18 April 2020

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત : ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1272

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

18 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા કેસોની વિગત

ગુજરાતમાં તા.17મી એ રાત્રે 8 વાગ્યાથી તા.18મી એ એટલે કે આજે શનિવારે સવાર સુધીમાં કોરોનાના નવા કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ઉછાળો વર્તાયો છે. છેલ્લા 12 કલાકમાં જ રાજ્યમાં કુલ 176 નવા કેસ સામે આવ્યા છે અને એકલા માં જ 143 નવા કેસો મળી આવ્યા છે. અમદાવાદ સિવાય વડોદરા અને સુરતમાં 13-13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, પંચમહાલમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.

આ જ સમયગાળામાં ગુજરાતમાં વધુ 7 દર્દીઓના મરણ નોધાયા છે.

રાજ્યમા નોંધાયેલા આ સૌથી મોટા ઉછાળાથી કોરોનાના કુલ કેસનો આંકડો પણ સીધો 1200ને પાર થઈ ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1272 દર્દી નોંધાયા છે. જેમાંથી હાલ 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1129 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધી 88 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે, જ્યારે 48 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

18 એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની કુલ કેસોની સ્થિતિ

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000
April 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min3530

167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે

ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.

કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી