CIA ALERT

વાયરલ Archives - Page 49 of 67 - CIA Live

May 9, 2020
evacution.jpg
1min3440

કોરોના લૉકડાઉનથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે શ્રમિકો વ્યાપક પ્રમાણમાં હિજરત કરીને પોતાના વતન પરત જઇ રહ્યાં છે, એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ પરપ્રાંતિય મજૂરો છેલ્લાં ૪૦ દિવસમાં ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં હિજરત કરી ગયાં છે. બીજી બાજુ લોકડાઉન ૦૩માં સરકારે રેડઝોન સિવાયના વિસ્તારોમાં કારખાનાં અને વેપાર ધંધાને શરતી પરમીશન સાથે શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ મજૂરો વગર આવાં મોટા ભાગના કારખાના ઠપ થઇ ગયાં છે.

હવે ગુજરાતના ઉદ્યોગોને પાટે ચડતા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના વીતી જશે એવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પાર પાડી છે, એવું જણાવીને રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીનીકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમિયાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તર પ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લા તંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

May 8, 2020
aurangabad.jpg
1min3780

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી એરેરાટીપૂર્ણ ઘટનામાં માલગાડી ટ્રેનના પાટા પર વિશ્રામ કરી રહેલા મજૂરો પર ફરી વળતા 16 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દુર્ઘટના તા.8મી મેએ શુક્રવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશનની નજીક બની છે.  

ઔરંગાબાદ ટ્રેન દુર્ધટના અંગે એસપી મોક્ષદા પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે જે પાટા પર બેઠા હતા. આ શ્રમિકો પગપાળા પોતાને વતન તરફ જઇ રહ્યા હતા. 

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ઝપટમાં આવી ગયા હતા. 

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min3080

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6290

ગઇ તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિને પગલે ભારતના બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરતમાં ધંધા રોજગારને પારાવાર નુકસાન પહોંચ્યું છે. અનેક ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. બિઝનેસ સિટીમાં હવે લોકો પાસે નવેસરથી કામકાજ શરૂ કરવા માટેની કાર્યશીલ મૂડી પણ રહી નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના પેકેજ જાહેર થઇ રહ્યા છે. પરંતુ, સાથોસાથ સુરતની પોતિકી બેંક વરાછા કો.ઓ. બેંક લિ. દ્વારા ખાસ કોરોના લૉકડાઉનમાં આર્થિક રીતે ભીંસમાં આવેલા ધંધા-રોજગાર કરતા લોકો માટે ફાસ્ટ લોન તેમજ બિઝનેસ લોનની બે હેસલ ફ્રી પેકેજ અમલમાં મૂકવામાં આવ્યા છે.

કોરોના ફાસ્ટ લોનમાં ઝીરો પ્રોસેસિંગ સાથે શક્ય એટલી ઝડપથી લોન પાસ કરાવવાનું આયોજન વરાછા બેંકનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે બિલકુલ નાના માણસોને પણ રૂ.50હજાર સુધીનું ધિરાણ ઝડપભેર આપવામાં આવશે. આ લોન સ્કીમમાં પરત ચૂકવણીની મુદત 36 હપ્તા છે અને વ્યાજનો દર 9 ટકા રાખવામાં આવ્યો છે.

વરાછા બેંક ફાસ્ટ લોન યોજનાની વિગત વાંચો અહીં

વરાછા બેંકની બિઝનેસ લોન સ્કીમની વિગત વાંચો અહીં

વેપારીઓને રૂ.5 લાખ સુધીનું ત્વરીત ધિરાણ વ્યાજનો દર 11 ટકા લોનની મુદત 60 મહિના

May 5, 2020
coronaguj-1280x875.jpg
2min2910

ગુજરાતમાં 15 May 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓના નવા 340 કેસ નોંધાતા હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9932 થઈ છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે 24 કલાકમાં કુલ 340 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 261, પાટણ અને ગીર સોમનાથમાં 1-1, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં નવા 12, ગાંધીનગરમાં 11, ખેડા અને જામનગરમાં 1-1, સાબરકાંઠામાં 2, અરવલી અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 લોકો મોતને ભેટ્યા છે.

24 કલાકમાં કુલ 282 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 4035 લોકો સ્વસ્થ થયા છે. જેથી હવે રાજ્યમાં 40.62 % ડિસ્ચાર્જ રેશિયો થયો છે. આ ઉપરાંત આરોગ્ય સચિવે જણાવ્યુ હતું કે, 24 કલાકમાં કુલ 3150 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 1,27,859 ટેસ્ટ થયા છે. આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કુલ 9932 પોઝિટિવ દર્દીઓમાંથી 5248 સ્ટેબલ છે જ્યારે 43 લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

12મી મે એ 362 નવા કેસ અને 24 મોત : કુલ 8904

ગુજરાત પણ દેશમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 કેસ સામે આવ્યા છે. જેથી હવે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8904 થઈ છે.

સમગ્ર રાજ્યમાં તા.12મી મે ને મંગળવારના દિવસ દરમિયાન કુલ 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, ભાવનગરમાં 2, ભરુચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટાઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં સાત, ગીર સોમનાથમાં 5, જામનગર અને સાંબરકાઠામાં 1-1, ખેડામાં 3, અરવલ્લી અને દ્વારકામાં 1-1, મહીસાગરમાં 2 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’સમગ્ર રાજ્યમાં કુલ 8904 પોઝિટિવ દર્દીઓ છે. જેમાં 5090 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 30ને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.’ છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યાં છે

શનિવારે ગુજરાતમાં 394 નવા કેસ, કુલ આંકડો 7797

ગુજરાતમાં શનિવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 394 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7797 થઇ છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ભારત સરકારની નવી ડિસ્ચાર્જ પોલિસી અંગે પણ માહિતી આપી હતી.

ગુજરાતમાં શનિવારે દિવસ દરમિયાન કુલ 394 કેસ સામે આવ્યા હતાં. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 280 કેસ, વડોદરા 28, સુરત 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ભરુચમાં 1, ગાંધીનગરમાં 22, પંચમહાલ અને બનાસકાંઠામાં 2-2, દાહોદમાં 1 તેમજ બોટાદ અને ખેડામાં 2-2, જામનગરમાં સાત, અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસનો સમાવેશ થાય છે.

હાલ કુલ 7797 પોઝિટિવ કેસમાંથી 5210 લોકો સ્ટેબલ છે અને 24 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2091 લોકો કોરોના સામે જીત મેળવવામાં સફળ રહ્યાં છે. ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં 83124 લોકો, સરકારી ફેસિલિટીમાં 5372 ક્વોરન્ટીન, પ્રાઈવેટ ફેસિલિટીમાં 368 એમ કુલ રાજ્યમાં 88864 લોકો ક્વોરન્ટીન હેઠળ છે.

Reported on 8 May

7 મે એ ગુજરાતમાં નવા 388 કેસ : કુલ 7 હજાર ઉપર

તા.7 મે 2020ને ગુરુવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 388 દર્દીઓ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 7013એ પહોંચી ગઈ છે. ગુરુવારે દિવસ દરમિયાન 29 લોકોના મોત થયા છે. જોકે, ગુજરાતમાં રિકવરી રેટ પણ વધ્યો હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચવિ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 દિવસ પહેલા રિકવરી રેટ 7.34 ટકા હતો, જે આજે 24.36 ટકા થયો છે. આમ, 15 દિવસમાં રિકવરી રેટ 326 ટકા વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે 388 કેસો નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરમાં 19, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડા,બનાસકાંઠા અને જામનગરમાં 3-3 અને રાજકોટમાં 2 અને ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

જે 29 મોત થયા છે તેમાં પ્રાથમિક રીતે કોવિડ 19ના કારણે 12 અને કોરોના ઉપરાંત અન્ય બીમારી હોય તેવા 17 લોકોના મોત થયા છે. તેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4, બનાસકાંઠામાં 1 અને મહેસાણામાં 1 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃતકોનો આંકડો 425એ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. તે સાથે રાજ્યમાં કુલ 1709 લોકો સાજા થઈને ઘર પાછા ગયા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.

Reported on 5 May

ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’

તા.4 મે સોમવારે દિવસ દરમિયાન પોઝીટીવ મળેલા 376 કેસોમાં અમદાવાદમાં 256, આણંદમાં 1, ભાવનગરમાં 21, બનાસકાંઠા તથા બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7, રાજકોટ અને મહિસાગરમાં 3-3, સુરતમાં 20 અને વડોદરામાં 35 કેસ તેમજ સાબરકાંઠાના 2 કેસનો સમાવેશ થાય છે. જેથી હવે રાજ્યમાં નવા 376 કેસ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804એ પહોંચી છે. જેમાંથી 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને 4265ની હાલત સ્થિર છે.

રાજ્યમાં 5804 પોઝિટિવ કેસમાંથી 4265 કેસ સ્ટેબલ છે જ્યારે 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં 16 લોકોનું મોત કોવિડ 19ના કારણે થયું છે. જ્યારે 13 અન્ય લોકો એવા હતાં જેમને ગંભીર બીમારીઓ લાગુ પડી હતી. જ્યારે 24 કલાકમાં 153 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 1195 લોકોએ કોરોના સામે જીત મેળવી છે.

May 2, 2020
coronaguj-1280x875.jpg
1min3110

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 326 નવા કેસ નોંધાયા છે. જેથી હવે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4721એ પહોંચી છે.

સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં કુલ 326 કેસ નોંધાયા છે. જેમાં નવા 326 કેસમાંથી અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, પાટણમાં 1 કેસ, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા તેમજ બોટાદમાં 1-1 અને ગાંધીનગર તથા કચ્છમાં પણ 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં 22 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી 16 મૃત્યુ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 326 કેસ નોંધાયા છે તો 24 કલાકમાં 22 લોકો કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને પણ ભેટ્યા છે. અમદાવાદમાં નવા 267 કેસ સાથે હવે કુલ પોઝિટિવ આંકડો 3293 પહોંચ્યો છે. નોંધનીય છે કે શહેરભરમાં અત્યાર સુધીમાં 165 મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં 644 પોઝિટિવ દર્દીઓ સાથે બીજા નંબર પર સુરત છે. જ્યાં કુલ 26 લોકો મોતને ભેટ્યા છે.

May 1, 2020
sensex_down.jpg
1min3360

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં ઘટાડા વચ્ચે ભારત વિશ્વના ટોચના ૧૦ શેર બજારોની સૂચિમાંથી બહાર નીકળી ગયું છે. વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. આને કારણે ભારતીય શેર બજાર બીયર માર્કેટના દાયરામાં આવી ગયું છે અને ડોલરની સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

શેરબજાર સર્વોચ્ચ સપાટીએથી ૨૦% કરતા વધુ નીચે આવી ગયું છે જેને બિયર માર્કેટના દાયરામાં માનવામાં આવે છે. વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૦ વર્ષમાં આ પાંચમો વખત છે જ્યારે ભારતીય બજારમાં ૪૦% થી વધુનો ઘટાડો થયો છે. અગાઉના ચાર પ્રસંગોમાં બજારને તળિયે સ્પર્શ કરવામાં ૧૦ થી ૨૭ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે બજાર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેના નીચા સ્તરે પહોંચ્યું છે.

કેટલાક નામાંકિત સૂચકાંકો મુજબ ભારતીય મંદી હજુ ઘટાડના નીચા સ્તરે પહોંચી નથી.આ વર્ષમાં ભારતીય બજારના માર્કેટ કેપમાં ૨૭.૩૧%નો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ, ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વર્ષની શરૂઆતની સ્થિતિની તુલનામાં ડોલરના મૂલ્યમાં ૨૭.૩૧ ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે બે લાખ કરોડ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન વાળા બજારોની યાદીમાં નથી. ૧.૫૭ લાખ કરોડ ડોલર સાથે ભારત હવે ૧૧માં સ્થાને છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતીય બજાર ૨.૧૬ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ૧૦માં સ્થાને રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં પણ, ૨.૦૮ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ભારત વિશ્વમાં સાતમાં સ્થાને રહ્યું હતું.

૨૩ માર્ચે ભારત ટોપ -૧૦ ક્લબમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે સેન્સેક્સમાં ૧૩.૧૫%નો ઘટાડો નોંધાયો હતો, જે સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે ભારતીય શેરોનો કુલ માર્કેટ કેપ ૧.૩૧ લાખ કરોડ ડોલર અથવા રૂ. ૧૦૧.૮૭ લાખ કરોડ હતું. ભારતીય બજારમાં સૂચિબદ્ધ તમામ કંપનીઓનો કુલ માર્કેટ કેપ આ વર્ષના ઉપરના સ્તર રૂ. ૧૫૫.૫૪ લાખ કરોડથી ઘટીને હાલમાં રૂ. ૧૨૧.૭૩ લાખ કરોડ પાર પહોંચ્યું છે. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે.

દેશના મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોના કુલ માર્કેટ કેપ (ડોલરમાં)માં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯.૧૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૧૯ માં ૧૧.૯૧ ટકા હતો. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે. ૨૦૧૯ની શરૂઆતમાં તે ૨.૯૭ ટકા હતો.

વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે પાછલા ૧૦૦થી વધુ વર્ષોમાં ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો છે. આવી ઘટના દર ૧૦ વર્ષે એકવાર થાય છે જયારે મુખ્ય શેર સૂચકાંકમાં ૩૫ ટકાનો ઘટાડો થાય છે.

આ પછી સામાન્ય રીતે આર્થિક મંદી આવે છે. બેરોજગારી મોટા પાયે વધે છે અને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. ઐતિહાસિક રીતે ભારતમાં આવી ઘટનાઓ પછી બજારને નીચા સ્તરે પહોંચવામાં સરેરાશ ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગે છે.

May 1, 2020
Zonation.jpg
1min4960
  • 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મોટા ભાગે મહાનગરોનો સમાવેશ
  • 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં જ્યાં 20થી ઓછા કેસ
  • 5 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં જ્યાં એક પણ કોરોના કેસ નથી

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશમાં 28 રાજ્યો તેમજ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નોંધાયેલા કેસોને આધારે રાજ્યોના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી એક વિસ્તૃત યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમજ 19 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં જ્યારે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદરન સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીના 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

April 30, 2020
ugc.jpeg
1min17390

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 29, 2020
cbse_logo.jpeg
2min7170

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf