CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 13 of 41 - CIA Live

March 25, 2020
CIA_Live_Logo_New2.jpg
1min9720

લૉકડાઉનમાં ઘરની બહાર ગયા વગર મિટીંગ-સિટીંગ, પાર્ટી બધું થાય : લૉકડાઉનનો અફલાતૂન વિકલ્પ

જયેશ બ્રહ્મભટ્ટ 982563 44944

અમે આપના સુધી ઓથેન્ટિક સમાચારો પહોંચાડવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છીએ, કોઇપણ સંજોગોમાં અમે વાચકોને એજ્યુકેટ કરતા રહીશું.

ભારતમાં 21 દિવસનું લૉકડાઉનનો કડકાઇથી અમલ શરૂ થઇ ચૂક્યો છે. એક જવાબદાર નાગરીક તરીકે આપણે લૉકડાઉનને સન્માન આપીને ઘરે રહેવું જોઇએ. આ એક કઠીન કામ છે. આપણે મિત્રો સાથે, પારિવારીક સભ્યો સાથે, સોસાયટીઓ અડોશી-પાડોશીઓ સાથે કે બિઝનેસ ફર્મ હોય તો કર્મચારીઓ, કલીગ્સ, સહકર્મચારીઓ સાથે એવી રીતે સંકળાયેલા હોય છે કે દિવસમાં બે-પાંચ વખત ના મળીએ તો માનસિક સ્થિતિ ખરાબ થાય ત્યાં સુધીની અસર જોવા મળે છે.

વિકસિત દેશોના બુદ્ધિજીવીઓએ લૉકડાઉનમાં પણ મિત્રો, ફેમિલી મેમ્બસ, કર્મચારીઓ, સહ કર્મચારીઓ, ગ્રુપ્સ વગેરેને સતત મળતા રહેવાનો ઓનલાઇન તોડ શોધી કાઢ્યો છે. Zoom Cloud એપ એ વિડીયો કોન્ફરન્સિંગની એવી એપ છે કે જેને ડાઉનલોડ કરીને એક વ્યક્તિ પોતાના મનપસંદ કોન્ટેક્ટસના ઇમેલ થકી તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી લાઇવ વાતચીતો કરી શકે છે.

હાલમાં જ્યારે લૉકડાઉન છે અને લોકો પાસે સમય પાસ કરવા માટે કોઇ કામ નથી હોતું, ઘરે બેઠા બોર થતા હોય ત્યારે Zoom Cloud એપ એક વ્યક્તિને તેના મિત્રો, દૂર રહેતા પરિવારના સભ્યો, સાથી કર્મચારીઓ, એક જ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય મેમ્બર્સ સાથે ગમે તેટલી વખત મિટીંગ, સિટીંગ, કોન્ફરન્સ, ગપશપ, પાર્ટી વગેરે બધું જ કરી શકે છે.

Zoom Cloud એપ ડાઉનલોડ કર્યા પછી

Zoom Cloud એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કર્યા પછી યુઝરે સૌથી પહેલા તેમના ઇમેઇલ થકી રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેઓ બીજા યુઝર્સ, મિત્રો, ફેમિલી, ફ્રેન્ડસ્, કર્મચારીઓ વગેરેને ઇમેલ થકી ઇન્વાઇટ પણ કરી શકે છે અને તેમને જોઇન કરવા માટે લિંક પર મોકલી શકે છે. પોતાના કોન્ટેક્ટસને Zoom Cloud એપમાં આવ્યા બાદ મિટીંગ રૂમ્સમાં જઇને લાઇવ વિડીયો કોન્ફરન્સિંગથી સંપર્કમાં રહી શકાય છે.

કોરોનાથી બચવાનું છે ત્યારે વિશ્વના વિકસીત દેશોમાં આ એપ ધૂમ મચાવી રહી છે

હાલ કોરોના પેન્ડેમિકને આગળ વધતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે Zoom Cloud એપ એવું માધ્યમ બન્યું છે જે કોઇને પણ મળ્યા વગર એક સમૂહને, એક ગ્રુપને એક જ સ્ક્રીન પર ભેગા કરી આપે છે. મેમ્બર્સ ધારે ત્યારે તેની સાથે ગમે તેટલી વાતો કરી શકે છે.

March 24, 2020
lockdown-1.jpg
2min17100

21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.

ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ

તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.

આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે

  • હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
  • કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
  • બેંકો, વીમા કંપનીઓ, બેંક એટીએમ
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા
  • હોમ ડિલીવરીમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, મેડીકલ સાધનો વગેરે ઇ કોમર્સ થકી
  • પેટ્રોલ પંપ્સ, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસ બોટલ્સ, સ્ટોરેજ આઉટલેટ્સ
  • સ્મશાન પ્રસંગે ફક્ત 20 લોકોને સાથે જવા દેવાની મંજૂરી
  • લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાયેલા લોકો માટે હોટેલ, મોટેલ, લોજ વગેરે
  • ટેલિકોમ્યુનિકેશન, આઇ.ટી., ઇન્ટરનેટ રિલેટેડ, બ્રોડકાસ્ટ તથા કેબલ સર્વિસ

will remain open

  • Hospitals and other related medical establishments
  • Shops, including ration shops, dealing with food, groceries, fruits and vegetables, dairy and milk booths
  • Banks, insurance offices and ATMs
  • Print and electronic media
  • Delivery of all essential goods including food, medicine, medical equipment through e-commerce
  • Petrol pumps, LPG, petroleum and gas retail and storage outlets.
  • In case of funerals, congregation of not more than 20 persons will be permitted.
  • Hotels, lodges, motels and homestays accommodating tourists and people stranded due to lockdown
  • Telecommunications, internet services, broadcasting and cable services, IT and IT-enabled services will have to work from home as far as possible.

March 24, 2020
modi-1280x720.jpg
1min3390

પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.

ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું  અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.    

આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.

March 24, 2020
mask.jpg
2min4720

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

March 21, 2020
CIA_Live_Logo_New2.jpg
47min3820

યુરોપ બન્યું કોરોનું નવું એપી સેન્ટર, ઇટાલીમાં મૃત્યુઆંક 6000 ને પાર

21મી સદીમાં દુનિયા એક ભયાનક સંકટમાંથી પસાર થઈ રહી છે. માનવ સભ્યતા પર સંકટના એવા વાદળ છવાઈ રહ્યાં છે કે લોકો પોતાના બધા જ કામ છોડીને ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. સ્કૂલ, ઓફિસ, મૉલ, કોમ્યુનિટી હોલ, સાંસ્કૃતિક કેન્દ્ર, રેસ્ટોરાં અને દુકાનો પર પણ તાળા મારવામાં આવ્યાં. ચીનથી ફેલાયેલા વાયરસે જીવન પર એવી બ્રેક મારી છે કે સૌ કોઈ પરેશાન છે. અનેક દેશમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે લૉકડાઉનની સ્થિતિ છે. એક અનુમાન અનુસાર આશરે એક અબજ કરતાં પણ વધુ લોકોને ઘરમાં જ રહેવાનું કહ્યું છે. હવે જ્યારે ધરતી પરની માનવ વસ્તી 7.7 અબજ હોય ત્યારે એક અબજ લોકોને ઘરની અંદર જ રહેવું મોટી વાત છે.

AFPના અનુમાન અનુસાર દુનિયાના 50થી વધારે દેશ અને વિસ્તારોમાં પોત પોતાના લોકોને ઘરની અંદર રહેવાનું જ કહ્યું છે. જે સંખ્યા 120 કરોડ જેટલી થવા જાય છે. કેટલાક દેશમાં સમગ્ર રીતે લોકડાઉનની સ્થિતિ છે તો કેટલાક વિસ્તારોમાં સીમિત વિસ્તારમાં જ લોકડાઉન કરવામાં આવ્યું છે.

ચીન, ડેનમાર્ક, અલ-સાલ્વાડોર, ફ્રાંસ, આયર્લેન્ડ, ઈટલી, જર્મની, બ્રિટન, પોલેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના, વેટિકન સિટી, નોર્વે, ઈરાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ઈન્ડોનેશિયા સહિત 20 દેશોએ લોકડાઉન લાગુ કર્યું છે.

ભારત અને વિશ્વમાં કોરોનાની સરખામણી તા.24 માર્ચ 2020 સવારે 10 કલાકે

દુનિયાના 1,02,000 દર્દીઓ કોરોનાને પછડાટ આપી ચૂક્યા છે

તા.24મી માર્ચ 2020 સવારે 10 વાગ્યે વિશ્વમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases : 381,635

Deaths : 16,557

Recovered : 102,429

ચીનમાં અત્યારસુધીમાં 81093 કેસ નોંધાયા છે અને 3270ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 72703 લોકો રિકવર થયા છે. ઈરાનમાં 23049 કેસમાંથી મૃત્યુઆંક 1812 છે. જ્યારે 8376 લોકો કોરોના વાયરસની ચેપટમાંથી બહાર આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં 8961 કેસ નોંધાયા છે. જેમાંથી 111ના મૃત્યુ થયા છે અને 3166 લોકોનો બચાવ થયો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ હવે ઈટાલી સહિત યુરોપના દેશોમાં કોરોના વાયરસે ભીષણ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. જો કે સાવચેતી અને યોગ્ય તબીબી ઉપચાર એવા હથિયાર છે જેનાથી કોરોના વાયરસ પણ મહાત થઈ શકે છે.

અત્યારસુધીમાં દુનિયાભરમાંથી કોવિડ-19ના 3.5 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15296 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 1 લાખ લોકો કોરોનાની ચપેટમાંથી બહાર પણ નિકળી ચૂક્યા છે અને સાવચેતી સાથેનું સામાન્ય જીવન જીવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
કોરોના વાયરસની દહેશત’ વચ્ચે તબીબો અને સરકાર તરફથી વારંવાર તકેદારી રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસને પછાડનારા દર્દીઓની આપવિતી પણ સામે આવી ચૂકી છે. જેમાં દર્દીઓ કોરોના વાયરસની ગંભીરતાઓ અને તેને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચીન કોરોનાના મૃત્યુઆંકમાં દુનિયામાં બીજા ક્રમાંકે છે.

Corona World status on 24 March 10 a.m.

CountryCasesDeathsRecoveredCases
China81,1713,27773,1594,735
Italy63,9276,0777,43250,418
USA46,14558229545,268
Spain35,1362,3113,35529,470
Germany29,05612345328,480
Iran23,0491,8128,37612,861
France19,8568602,20016,796
S. Korea9,0371203,5075,410
Switzerland8,7951201318,544
UK6,6503351356,180
Netherlands4,74921324,534
Austria4,4742194,444
Belgium3,743884013,254
Norway2,6251062,609
Canada2,091243201,747
Portugal2,06023142,023
Sweden2,04627162,003
Brazil1,9243421,888
Australia1,89581181,769
Turkey1,52937 1,492
Malaysia1,518141591,345
Denmark1,4602411,435
Israel1,4421411,400
Czechia1,236171,228
Japan1,12842235851
Ireland1,125651,114
Ecuador981183960
Luxembourg87586861
Pakistan875613856
Thailand827452771
Poland749813728
Chile746211733
Diamond Princess7128567137
Finland700110689
Greece6951729649
Iceland588151536
Indonesia5794930500
Romania576773496
Saudi Arabia562 19543
Singapore5092152355
India5041037457
Philippines5013319449
Qatar501 33468
Slovenia4423 439
Russia438117420
South Africa402 4398
Peru39551389
Bahrain3772164211
Mexico36744359
Egypt3661968279
Hong Kong3574100253
Estonia352 4348
Panama34561338
Croatia31515309
Colombia30636297
Argentina301451246
Lebanon26748255
Iraq2662362181
Serbia24933243
Dominican Republic24533239
Armenia235 2233
Algeria2301765148
Bulgaria20133195
UAE198241155
Taiwan195228165
Kuwait189 30159
San Marino187204163
Slovakia186 7179
Latvia180 1179
Lithuania17911177
Hungary167821138
Uruguay162  162
Costa Rica15822154
New Zealand155 12143
Morocco14345134
North Macedonia13621133
Bosnia and Herzegovina13612133
Andorra13311131
Jordan127 1126
Vietnam123 17106
Faeroe Islands118 2395
Cyprus11613112
Moldova10912106
Malta107 2105
Albania1044298
Burkina Faso994590
Sri Lanka97 295
Brunei91 289
Tunisia893185
Cambodia87 285
Venezuela84 1569
Belarus81 2259
Senegal79 871
Ukraine733169
Azerbaijan7211061
Réunion71 170
Oman66 1749
Guadeloupe621 61
Kazakhstan62  62
Georgia61 853
Palestine59 1742
Cameroon56 254
Martinique531 52
Trinidad and Tobago52  52
Liechtenstein51  51
Uzbekistan46  46
Afghanistan421140
Cuba401 39
Nigeria401237
DRC362 34
Mauritius362 34
Channel Islands36  36
Rwanda36  36
Bangladesh333525
Puerto Rico312128
Honduras30  30
Guam291 28
Ghana272 25
Paraguay272 25
Montenegro271 26
Bolivia27  27
Macao25 1015
Ivory Coast25 223
Mayotte24  24
Monaco23 122
Guatemala201 19
Guyana201 19
French Guiana20 614
Jamaica191216
French Polynesia18  18
Togo18  18
Barbados17  17
U.S. Virgin Islands17  17
Kenya16  16
Kyrgyzstan16  16
Gibraltar15 510
Isle of Man13  13
Maldives13 58
Aruba12 111
Madagascar12  12
Tanzania12  12
Ethiopia11  11
Mongolia10  10
Equatorial Guinea9  9
Uganda9  9
New Caledonia8  8
Saint Martin8  8
Seychelles7  7
Gabon61 5
Benin6  6
Bermuda6  6
Haiti6  6
Suriname6  6
Cayman Islands51 4
El Salvador5  5
Curaçao41 3
Bahamas4  4
Congo4  4
Fiji4  4
Greenland4  4
Guinea4  4
Namibia4  4
Eswatini4  4
Zimbabwe31 2
Angola3  3
Antigua and Barbuda3  3
Cabo Verde3  3
CAR3  3
Djibouti3  3
Liberia3  3
Niger3  3
St. Barth3  3
Saint Lucia3  3
Zambia3  3
Gambia21 1
Sudan21 1
Nepal2 11
Bhutan2  2
Chad2  2
Dominica2  2
Mauritania2  2
Myanmar2  2
Nicaragua2  2
Sint Maarten2  2
Belize1  1
Eritrea1  1
Grenada1  1
Vatican City1  1
Montserrat1  1
Mozambique1  1
Papua New Guinea1  1
St. Vincent Grenadines1  1
Somalia1  1
Syria1  1
Timor-Leste1  1
Turks and Caicos1  1
Total:381,65316,558102,429262,666

Reported on 22nd March 2020

વિશ્વમાં કોરોનાના કેસો 2.67 લાખ, 11201ના મોત

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 267013 મામલા સામે આવી ચૂક્યા છે અને વિશ્વભરમાં 11201 લોકોના મોત થયા છે. આ વાયરસે 185 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. માત્ર ચીનમાં જ આ વાયરસથી 81416 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ઈટાલીમાં 47021 અને સ્પેનમાં 19980 લોકો સંક્રમિત થયા છે.

ઈટાલીમાં એક દિવસમાં 793 લોકોનાં મોત

ઈટાલી અને ફ્રાન્સમાં કોરોના વાયરસનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. ઈટાલીમાં શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત 793 લોકોના મોત થયા જ્યારે ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 112 લોકોનો મોત થયા. ઈટાલીમાં વાયરસની સ્થિતિ ગંભીર થઈ રહી છે. વાયરસના કારણે કુલ 4825 લોકોના મોત થયા છે. મિલાન પાસે ઉત્તર લોમબાર્ડીમાં મૃતકોની સંખ્યા ત્રણ હજારથી વધારે થઈ ગઈ છે. ઈટાલીમાં શુક્રવાર અને શનિવાર મળીને કુલ 1420 લોકોના મોત થયા છે. ઈટાલીની સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બધા પ્રયાસો કરી રહી છે. તેમ છતાં દેશમાં સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસની વ્યાપક અસરને જોતા આખું ઈઠાલી લોક ડાઉન કરી દેવાયુ છે.

વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો કોરોના

કોરોના વાયરસનો ભય દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ રહ્યો છે. આ વચ્ચે વ્હાઈટ હાઉસના એક કર્મચારીમાં પણ આ જીવલેણ વાયરસના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. આ કર્મચારી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઈક પેંસની ટીમનો સભ્ય છે. પેંસની પ્રેસ સચિવ કેટી મિલરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમને જાણકારી મળી છે કે ઉપરાષ્ટ્રપ્રમુખ કાર્યાલયના એક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત છે’.

પેંસની પ્રેસ સચિવ કેટી મિલરે આગળ તેમ પણ કહ્યું કે, ‘ન તો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કે ન તો ઉપરાષ્ટ્રપ્રમુખ પેંસ તેમના સંપર્કમાં હતા. સીડીસીના આદેશોના અનુપાલનમાં તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે’. ઉપરાષ્ટ્રપ્રમુખ પેંસે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. આ પહેલા વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગયા અઠવાડિયે કરાવેલો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

સ્પેન મરણાંક 1000થી ઉપર : કેસો 20,000

વિશ્ર્વના ૧૫૮ દેશમાં અત્યાર સુધીમાં કૉરોનાના ૨,૩૨,૬૫૦ કેસ નોંધાયા છે. જો આ વાઈરસ જંગલની આગની જેમ ફેલાશે તો લાખો લોકોનો ભોગ લેશે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગટર્સે આપી છે.

કૉરોનાની મહામારી અંગે અગાઉથી જાણ ન કરવા બદલ ચીન પર આકરાં પ્રહાર કરતા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કૉરોના વાઈરસની સારવાર માટે અમેરિકા મલેરિયાવિરોધી દવાનો ઉપયોગ કરવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

કૉરોના વાઈરસે વિશ્ર્વના લગભગ મોટાભાગના દેશને ભરડો લીધો છે.

એક તરફ કૉરોના વાઈરસને મામલે ચીનમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ અનેક દેશો સરહદ સીલ અને લૉકડાઉનની જાહેરાત કરી રહ્યા છે જેને કારણે લાખો લોકો ઘરમાં જ કેદ થઈ ગયા છે.

આ વાઈરસ વધુ ફેલાશે તો વિશ્ર્વભરમાં લાખો લોકોનાં મોત નીપજશે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘના વડાએ આપી છે.

SPAIN

સ્પેનમાં કોરોના વાઇરસના રોગચાળાથી મરનારા લોકોનો મરણાંક શુક્રવારે વધીને ૧,૦૦૨ થઇ ગયો હતો અને દરદીઓની સંખ્યા પણ વધીને અંદાજે વીસ હજાર થઇ ગઇ છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં મરનારા લોકોની સંખ્યામાં ૨૩૫નો વધારો થયો હતો.

સ્પેન કોરોના વાઇરસથી અસરગ્રસ્ત વિશ્ર્વના અગ્રણી ચાર દેશમાંનો એક છે. અહીં છેલ્લા સાત દિવસ દરમિયાન મરણાંક દસ ગણો વધી ગયો છે. સ્પેનમાં ગુરુવારે બપોરના મળેલા દરદીઓના આંકડા મુજબ વધુ ૨,૮૩૩ જણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. સ્પેનમાં કોરોના વાઇરસના કુલ દરદીમાંના અંદાજે બાવન ટકા લોકો હૉસ્પિટલમાં છે અને તેમાંના આશરે છ ટકા લોકોને ઇન્ટૅન્સિવ કૅર યુનિટમાં રખાયા છે. સ્પેનમાં સૌથી વધુ માઠી અસર મેડ્રિડમાં થઇ છે. આ શહેરમાં જ દેશના કુલ દરદીમાંના અંદાજે ૩૬ ટકા એટલે કે આશરે ૭,૧૬૫ દરદી છે. સ્પેનમાં સરકારે કોરોના વાઇરસના ૧,૫૮૫ દરદી સાજા થયા હોવાનો દાવો કર્યો હતો. મેડ્રિડ અને બાર્સેલોનામાં પ્રદર્શનના મોટા હૉલ ખાતે હૉસ્પિટલની જેમ દરદીઓને સારવાર આપવાની સુવિધા ઊભી કરાઇ છે.

ITALY :

ઈટલીમાં ચીન કરતા વધુ લોકોનાં મોત

કૉરોના વાઈરસને કારણે થયેલાં મૃત્યુને મામલે ઈટલીએ ચીનને પાછળ મૂકી દીધું હોવા વચ્ચે અમેરિકાએ આકરું પગલું લેતાં ૩.૯ કરોડ કરતા પણ વધુ વસતી ધરાવતા કૅલિફૉર્નિયામાં લૉકડાઉનની જાહેરાત કરી છે.

ઈટલીમાં ગુરુવારે કૉરોના વાઈરસને લીધે વધુ ૪૨૭ લોકોનાં મોત થતાં કુલ મરણાંક ૩૪૦૫ પર પહોંચ્યો હતો. આ સાથે જ ઈટલીએ કૉરોનાને કારણે ચીનમાં થયેલા ૩૨૪૫નાં મરણાંકને વટાવ્યો હતો.

China

કૉરોના વાઈરસને કારણે ૩૨૪૫ લોકોનાં મોત નીપજ્યાં હોવાની ચીને સત્તાવાર જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં વુહાનમાં કૉરોના વાઈરસ સૌપ્રથમ વાર દેખાયા બાદ શુક્રવારે ચીનમાં સતત બીજે દિવસે કૉરોનાનો નવો એક પણ કેસ નહોતો નોંધાયો.

France

છેલ્લાં ૨૪ કલાકમાં ફ્રાન્સમાં કૉરોનાને કારણે વધુ ૧૦૮ જણનાં મોત નીપજતાં ત્યાં કુલ મરણાંક ૩૭૨ પર પહોંચ્યો હતો.

Corona Virus World Status on 21 March 2020 at 11.45 a.m.

CountryCasesDeathsRecoveredActive cash
China81,0083,25571,7406,013
Italy47,0214,0325,12937,860
Spain21,5711,0931,58818,890
Germany19,8486818019,600
USA19,77327514719,351
Iran19,6441,4336,74511,466
France12,6124501,58710,575
S. Korea8,7991022,6126,085
Switzerland5,61556155,544
UK3,983177653,741
Netherlands2,99410622,886
Austria2,649692,634
Belgium2,257372042,016
Norway1,959711,951
Sweden1,63916161,607
Denmark1,255911,245
Canada1,08712141,061
Australia1,051746998
Malaysia1,030387940
Portugal1,020651,009
Japan1,00735215757
Brazil970112957
Czechia8334829
Diamond Princess7128567137
Israel705115689
Ireland68335675
Turkey6709661
Pakistan501313485
Greece4951019466
Luxembourg48456473
Qatar47010460
Finland45010440
Chile4346428
Ecuador42673416
Poland425513407
Thailand411142368
Iceland4095404
Singapore3852131252
Indonesia3693217320
Saudi Arabia3448336
Slovenia3411340
Romania30831277
Bahrain2981125172
Egypt285842235
Estonia2831282
India270523242
Peru26341258
Philippines262188236
Hong Kong256498154
Russia253112240
Iraq2081749142
Mexico20324197
South Africa202202
Panama20011198
Lebanon17744169
Kuwait15922137
Argentina15833152
Colombia1581157
San Marino151144133
UAE140231107
Slovakia137137
Armenia1361135
Taiwan135228105
Serbia13512132
Croatia13015124
Bulgaria12733121
Costa Rica11322109
Latvia1111110
Uruguay110110
Algeria94113251
Vietnam911774
Bosnia and Herzegovina89287
Morocco863281
Hungary854774
Jordan85184
Faeroe Islands80377
Brunei78177
North Macedonia76175
Andorra75174
Cyprus7575
Sri Lanka73370
Dominican Republic72270
Albania702266
Lithuania691167
Belarus691554
Moldova661164
Venezuela65164
Malta64262
Tunisia541152
Kazakhstan5252
New Zealand5252
Guadeloupe51150
Cambodia51150
Oman481335
Palestine481731
Senegal47542
Azerbaijan441736
Georgia44143
Ukraine413137
Burkina Faso401435
Réunion3838
Uzbekistan3333
Martinique32131
Liechtenstein2828
Cameroon27225
Afghanistan24123
Honduras2424
Cuba21120
Bangladesh201316
Jamaica191216
DRC1818
Paraguay1818
Macao17107
Rwanda1717
Bolivia1616
Ghana1616
Guyana15114
French Guiana1515
Guam1414
Montenegro1414
Puerto Rico1414
Maldives13211
Guatemala12111
Nigeria12111
Channel Islands1212
Mauritius1212
Monaco1111
French Polynesia1111
Gibraltar1028
Mongolia1010
Ivory Coast918
Ethiopia99
Togo99
Trinidad and Tobago99
Kenya77
Mayotte77
Seychelles77
Barbados66
Equatorial Guinea66
Kyrgyzstan66
Tanzania66
U.S. Virgin Islands66
Aruba514
Gabon413
Bahamas44
Saint Martin44
Suriname44
Cayman Islands312
Curaçao312
CAR33
Congo33
El Salvador33
Madagascar33
Namibia33
St. Barth33
Sudan211
Benin22
Bermuda22
Bhutan22
Fiji22
Greenland22
Guinea22
Haiti22
Isle of Man22
Liberia22
Mauritania22
New Caledonia22
Nicaragua22
Saint Lucia22
Zambia22
Nepal110
Angola11
Antigua and Barbuda11
Cabo Verde11
Chad11
Djibouti11
Gambia11
Vatican City11
Montserrat11
Niger11
Papua New Guinea11
St. Vincent Grenadines11
Sint Maarten11
Somalia11
Eswatini11
Zimbabwe11
Total:276,46211,41791,954173,091
March 20, 2020
maharashtra_map.jpg
1min3980

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.

શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.

દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ

દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.

March 20, 2020
CIA_Live_Logo_New2.jpg
12min39250

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય લોકો ઘરમાં બંધ રહે તો પ્રયાસો સફળ નિવડે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

Reported on 22 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 5 કેસો : કુલ 18 થયા

ગુજરાતમાં કોરોનાના આજે વધુ 5 કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 5 થવા પામી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નવા પાંચ કેસો પૈકી ત્રણ કેસ ગાંધીનગરના છે.

  • કયા શહેરોમાં કેટલા કેસ?
  • અમદાવાદ 07
  • સૂરત 03
  • વડોદરા 03
  • ગાંધીનગર 03
  • રાજકોટ 01
  • કચ્છ 01

કોરોના સૂરત ન્યુઝ :

તા.22મી માર્ચ 2020ને રવિવારે બપોરે 12 કલાકે સૂરતમાં કોરોનાનાના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાંથી કોરોના ટેસ્ટ માટે મોકલાયેલા વધુ 5 રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો વર્તાયો છે. સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 03 છે. 4 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાય રહી છે. જ્યારે 16 રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. સૂરતથી કુલ 23 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ અંગેની કાર્યવાહી અત્યાર હાથ ધરવામાં આવી છે.

22મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 341 થઇ

ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.

  • કોરોનાના કેસો છેલ્લા ત્રણ દિવસમાં
  • તા.18 માર્ચ 206 પોઝીટીવ કેસ, 13,486 સેમ્પલ ટેસ્ટ
  • તા.19 માર્ચ 271 પોઝીટીવ કેસ, 14,811 સેમ્પલ ટેસ્ટ
  • તા.20 માર્ચ 341 પોઝીટીવ કેસ, 16,109 સેમ્પલ ટેસ્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલું સૂત્ર Do the Five જોવા જાણવા નીચેની લિંક ક્લીક કરો

https://twitter.com/i/status/1239612650239254528

કોરોના સામેની લડાઇ ‘જનતા કર્ફયુ’ ને સૂરતીઓનો સજ્જડ રિસ્પોન્સ, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 327 થઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વ માટે વસતિથી ભરપૂર ભારત સમસ્યાઓથી ભરેલો દેશ મનાય છે, પણ આજે ભારતના નાગરીકોએ દર્શાવી દીધું કે આ દેશના નાગરીકો જ તેની મોટી તાકાત છે. વિશ્વમાં સૌથી વિકસિત, અમીર, ભણેલા-ગણેલા, અદ્યતન દેશો ગણાતા હતા ત્યાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં કોરોનાનું સ્ટેટસ સ્વયં એ વાતની અનૂભુતિ કરાવે છે કે ભારતના નાગરીકો જ ભારતની સૌથી મોટી તાકાત છે. આજે તા.22મી માર્ચ 2020ને રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનતા કર્ફયુની હાકલ હતી અને લોકોએ આ હાકલને જે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા અનુભવ્યું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એક પરિવાર છે.

જનતા કર્ફયુના પ્રારંભિક 2 કલાકમાં સૂરત અભૂતપૂર્વ સ્વયંભુ બંધ

વરાછા મેઇન રોડ સવારે 9 કલાકે

સૂરતમાં સૌથી ભરચક વિસ્તાર ગણાતા વરાછા રોડ પર તા.22મી માર્ચ 2020ને રવિવારે સવારે 9 કલાકે સૂરતના પત્રકાર ગૌતમ ધાંધલિયાએ લીધેલી તસ્વીર એ વાતની પ્રતીતિ કરાવે છે કે સૂરત કેટલું સજ્જડ જનતા કર્ફયુનું પાલન કરી રહ્યું છે

We the People of India : વિકસિત દેશોના નાગરીકો ન કરી શક્યા એ સ્વયં શિસ્ત આપણે સૌ એ અનુસરી

સૂરતની વાત કરીએ તો સૂરતના લોકોએ જનતા કર્ફયુને જે રિસપોન્સ આપ્યો છે કાબિલે તારીફ છે. કોરોનાના અટકાવી દેવા માટે આપણે સૌ સ્લો ડાઉન થયા, સોશ્યલ ડિસ્ટન્સીંગ કરી રહ્યા છે. ભલભલા વિકસિત દેશો આ કરી શક્યા ન હતા. ઇટલી, સ્પેન, ઇરાન જેવા દેશોમાં કોરોના મહામારીએ જે કેર વર્તાવ્યો એના પરથી ભારતે બોધપાઠ લીધો છે અને જે કેન્દ્ર અને રાજ્યની સરકારો જે પગલાં ભરી રહી છે એને સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનો રિસપોન્સ મળી રહ્યો છે એ દાદ આપવાને લાયક છે.

ભારત વિશ્વ માટે પ્રેરણાદાયી

જનતા કર્ફયુને જે રિસ્પોન્સ આપણે સૌ આપી રહ્યા છે એ જોતા કોરોનાને ભારત પછડાટ આપશે જ એ નક્કી છે, કોરોનાથી કદાચ આટલા મોટા દેશને બહુ ઓછું નુકસાન થશે જો આ જ પ્રકારે સરકારના નિર્ણયોને આપણે રિસ્પોન્સ આપતા રહીશું. આજે ભારતીય નાગરીકોએ દેખાડી દીધું કે વિશ્વ માટે ભલે સમસ્યાઓનો દેશ ગણાતો હોય ભારત, ઓછા ભણેલા, બિનઅદ્યતન, નોનહાઇજેનિક જેવા વિશેષણો જેને અપાઇ રહ્યા હતા એ ભારતના નાગરીકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કોરોના જેવી મહામારી માટે જે લડત ચલાવી રહ્યું છે એ સાચે જ વિશ્વભર માટે પ્રેરણાદાયી નિવડશે.

કોરોના સામેની પ્રારંભિક લડાઇ ભારત જીતી ચૂક્યું છે

આજે સ્પેન, ઇટલી, યુરોપ, અમેરીકા, કોરીયા વગેરે જેવા વિકસિત દેશો કે જ્યાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ ભારતના પેરામિટર્સની સરખામણીમાં ઉંચો આંક ધરાવે છે ત્યાં કોરોનાએ જે ખુંવારી કરી છે તેની સરખામણીમાં ભારતમાં કોરોનાને માઇલેજ મળ્યું નથી. વિશ્વભરમાં એ વાતની નોંધ લેવાય રહી છે જે રીતે ભારતની છાપ છે, જેટલી ભારતની વસતિ ગીચતા છે એ જોતા કોરોના વાઇરસ ભારતમાં પગપેસારો કરીને મોટી મહામારી બની ચૂક્યો હશે. પરંતુ, પ્રાથમિક લડાઇ એટલે કે સ્ટેજ એક અને સ્ટેજ બેમાં કોરોના ભારતમાં કશું ઝાઝું નુકસાન કરી શક્યો નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાંઓ ભર્યા એ સમયસરના હોવા કરતા પાણી પહેલા પાળ સમાન બની રહ્યા છે. કોરોના સામેની પહેલા બે સ્ટેજની લડાઇ ભારત જીતી ચૂક્યું છે.

PM Modi એ જનતા કર્ફયુ પહેલા કરેલી ટ્વીટ

તા.22મી માર્ચે સવારે 8 કલાકે ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ

 રાજ્યપોઝિટિવ કેસડિસ્ચાર્જમૃત્યુ
1દિલ્હી2621
2હરિયાણા18
3કેરળ523
4રાજસ્થાન233
5તેલંગણા211
6ઉત્તર પ્રદેશ269
7લદ્દાખ13
8જમ્મુ-કાશ્મીર4
9પંજાબ131
10કર્ણાટક1911
11મહારાષ્ટ્ર641
12આંધ્રપ્રદેશ5
13ઉત્તરાખંડ3
14ઓડિશા2
15પ.બાંગાળ4
16છત્તિસગઢ1
17ગુજરાત14
18પુડ્ડુચેરી1
19ચંડીગઢ5
20મધ્યપ્રદેશ4
21હિમાચલ પ્રદેશ2
22તામિલનાડુ61
23આસામ1  
  327234

સૂરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ 25 માર્ચ સુધી લોકડાઉન

ગુજરાતમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સમીક્ષા માટે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં એક બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિશ્વમાં જોવા મળેલા ટ્રેન્ડ પ્રમાણે કોરોના વાયરસનો વ્યાપ બીજા અને ત્રીજા સ્ટેજમાં વધારે હોય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે 25 માર્ચ બુધવાર સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં ફક્ત જીવન જરૂરિયાતની એટલે કે ખાદ્ય સામગ્રી, મેડિકલ તથા આરોગ્યલક્ષી દુકાનો જ ખુલ્લી રહેશે.

ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિણાયુ, પ્રોવિઝનલ સ્ટોર્સ તથા મેડિકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્ય લક્ષી સેવાઓ જ ચાલું રહેશે. આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ પણ ચાલું રહેશે.

શનિવારે રાત્રે 8 કલાકે : સુરતમાં 3 કેસ : 09 નો રિપોર્ટ પેન્ડીંગ

શનિવારે રાત્રે 8 વાગ્યે સૂરત શહેરમાં કોરોના અંગેના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાં કુલ 03 કેસ પોઝીટીવ થવા સાથે 09 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 11 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ આવ્યા છે. સૂરતમાં મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર અંદાજે 55000 મુસાફરો હોમ કોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે.

72 કલાકમાં સૂરતમાં 120 બેડની કોરોના હોસ્પિટલ કાર્યાન્વિત થશે

સૂરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૂરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના અંગેની પરિસ્થિતિ જો વકરે તો તેના માટે તૈયારીના ભાગરૂપે સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સંકુલમાં હાલમાં કાર્યાન્વિત થઇ રહેલા સ્ટેમસેલ સંકુલમાં કુલ 120 બેડની હોસ્પિટલ આગામી 72 કલાકમાં કાર્યરત કરી દેવા અંગેની તૈયારી આદરી દેવામાં આવી છે. આ કામનો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ શ્રીફળ વધેરીને કરાવ્યો હતો.

જનતા કર્ફયુ માટે સૂરતના ધંધા-ઉદ્યોગ, સંસ્થા-સંગઠનો બધા જ તૈયાર

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મહાનગરપાલિકામાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગના આગેવાનો સાથે મહત્વની મિટીંગ મળી સુરત મહાનગરપાલિકા ખાતે આજે સવારે સાડા દસ કલાકે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મેયરશ્રી ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નિરવ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, સુરતના કલેકટર રહી ચૂકેલા તેમજ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા ખાસ ડેપ્યુટ કરાયેલા શ્રી મહેન્દ્ર પટેલની આગેવાનીમાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગ જગતના આગેવાનો સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કોરોના વાયરસની આપત્તી સામે વેપાર – ઉદ્યોગ માટે શુ કરી શકાય તે માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં

  • ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇ અને
  • ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયા તથા
  • એપીએમસી,
  • ક્રેડાઇ,
  • સુરત ડાયમંડ એસોસિએશન,
  • ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન,
  • ફોસ્ટા,
  • ફોગવા,
  • સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ એસોસિએશન,
  • કેમિકલ સેકટર,
  • વેડરોડ વિવર્સ એસોસિએશન,
  • પાંડેસરા વિવર્સ એસોસિએશન,
  • જવેલરી મેન્યુફેકચરીંગ એસોસિએશન અને
  • સચિન જીઆઇડીસીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મંત્રીશ્રી, મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શ્રી મહેન્દ્ર પટેલ દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી તેની ગંભીરતા વિશે સર્વેને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ આગામી રર, ર૩ અને ર૪મી માર્ચ ર૦ર૦ સુધી ધંધો–રોજગારને બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. સાથે જ કારીગરોના પગાર ન કાપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

તદુપરાંત રવિવાર, રર માર્ચ ર૦ર૦ના રોજ સર્વેને જનતા કફર્યુનુ પાલન કરવાનું જણાવવામાં આવ્યુ હતુ. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ માર્ચ એન્ડીંગ હોવાથી ઉદ્યોગકારો અને વેપારીઓના જીએસટી, ઇન્કમટેક્ષ, વિવિધ પ્રકારના ટેક્ષો ઉપરાંત બેંકોના હપ્તા અને વ્યાજ વિગેરે બાબતમાં રાહત માટે જરૂરી રજૂઆત રાજય સરકાર અને કેન્દ્ર સરકારને કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. વિવિધ ક્ષેત્રના સર્વે ઉદ્યોગકારોએ તેમના એકમો તા. રર, ર૩ અને ર૪મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે તેમજ કારીગરોને કોઇ તકલીફ નહીં પડે તેની કાળજી રાખી તેઓને રૂપિયાની સવલત પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

એપીએમસીના પ્રમુખ શ્રી રમણ જાનીએ વર્તમાન પરિસ્થિતિમાં સરદાર માર્કેટમાં શાકભાજી અને ફળફળાદી માટેની તકલીફ નહીં પડે તેવી ખાતરી આપી હતી. સહરા દરવાજા ખાતે આવેલા કૃષી બજાર દ્વારા લોકોને ઘરબેઠા શાકભાજી અને કરીયાણું મળી રહે તે માટેની ફ્રી હોમ ડિલીવરીની સુવિધા કરવામાં આવી છે. એના માટે લેન્ડલાઇન નંબર (૦ર૬૧ – ર૪૯૦૧૭૦/૭૧) ઉપર ફોન કરી શકાશે. મિટીંગના અંતે સર્વે એસોસિએશનોના પ્રતિનિધીઓએ પોતપોતાના સભ્યોને ધંધો–રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

બપોરે દોઢ વાગ્યા સુધીના સમાચાર

તા.21મી માર્ચ 2020ના રોજ બપોરે દોઢ વાગ્યે મળેલી માહિત મુજબ સૂરત શહેરમાં કોરોના પોઝીટીવનો બીજા બે દર્દી મળી આવ્યા હોવાના બિનસત્તાવાર રિપોર્ટ મળ્યા છે.

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત બાબુ નિવાસની શેરી નજીક રહેતા એક 67 વર્ષિય પ્રૌઢ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

આ વ્યક્તિ જયપુર અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને છેલ્લા ત્રણેક દિવસથી મહાવીર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, બાદમાં તેમને મેડીકલ રિપોર્ટ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

સૂરત મહાનગરપાલિકાએ સમગ્ર વિસ્તારને હોમ કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ એ વ્યક્તિ જયપુર-દિલ્હીથી આવ્યા હતા. સૂરત મહાનગરપાલિકાએ એ રહેવાસી જ્યાં રહેતા હતા એને સંપૂર્ણપણે લોકડાઉન કરીને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે.

અઠવાઝોન વિસ્તારના એક યુવકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો

અઠવાઝોન વિસ્તારમાંથી 23 વર્ષિય એક યુવક કે જે તાજેતરમાં શ્રીલંકા અને દુબઇની ફોરેન ટ્રીપ હિસ્ટ્રી ધરાવે છે તેને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. એનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા છે

સૂરતમાં એક તરફ પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ આખા ગામને સલાહ આપતા સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. સૂરતમાં પાનના ગલ્લાઓ અને ગલીના નાકાઓ પર અડીંગો જમાવીને લોકો બેસી રહ્યા છે.

સૂરતમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : સી.આર. પાટીલ

નવસારીના સાંસદ અને સૂરતના નેતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સૂરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે સૂરતના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સને અમદાવાદ મોકલવા નહીં પડે. સૂરતમાં 24 કલાકમાં જ રિપોર્ટ આવતા થઇ જશે. સૂરત શહેર માટે આ સુવિધા ઉપયોગી થઇ પડશે.

ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 13 થયાના અહેવાલો

સત્તાવાર રીતે મળેલા સમાચારો મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 08 હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે બપોરે સવા વાગ્યાના અરસામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઇ છે. રાજ્ય સરકાર તેમજ રાજ્યની તમામ હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે સજ્જ છે.

સૂરતમાં બિનઆવશ્યક સેવાના ધંધાકીય એકમો ટૂંક સમયમાં બંધ થશે, કરીયાણુ, શાકભાજી, ફ્રુટ અને દવાઓની દુકાનો ચાલુ રહેશે : Surat મ્યુનિસિપલ કમિશનર

ગુજરાતમાં 08 કેસ : અમદાવાદ-વડોદરામાં 3-3 : સૂરત રાજકોટમાં 1-1

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા Vodadora તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

નિઝામપુરામાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ 14 માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ 19 માર્ચે તેઓ તપાસ માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માટે સેમ્પલ લેબમાં મોકલાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Surat : 50 હજારથી વધુ પેસેન્જરો સેલ્ફ કોરન્ટાઇન રહ્યાની SMC કમિશનરની ટ્વીટ

મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ આજે તા.21મી માર્ચે બપોરે બાર વાગ્યાના અરસામાં એક ટ્વટી કરીને જાણકારી આપી હતી કે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતમાં અંદાજે 50000થી વધુ વિદેશથી આવેલા પેસેન્જરો ઇન્ડોર એટલે કે પોતાના ઘરોમાં રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સીંગ કરવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.

ગુજરાત : ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી

ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.

રાજકોટમાં કોરોનાના એક દર્દીને પગલે ૨૫ હજાર લોકોનો સર્વે

જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળતાં આ વિસ્તારમાં ગુરુવારથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઈ હતી. અહીં અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઈ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો અહીં વસે છે, તેઓનો ઘરેઘરે જઈને આરોગ્ય સંબંધી સર્વે શરૂ કરાયો હતો. જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેઓ માટે મ્યુનિ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ ક્વોરન્ટાઇન સેન્ટરો બનાવાયા છે. 

ક્વૉરન્ટાઈનમાં રહેનારાને મફત દૂધ અને દવા

ગુજરાતમાં કોરોનાના સાત પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા જણાવ્યું હતું કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે ૧૪ દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મનપા દ્વારા મફતમાં ઘરે પહોંચાડશે. મનપા કમિશનરે અપીલ કરી છે કે વિદેશથી આવેલા તમામ લોકોના પરિવારજનોએ આ સુવિધાનો લાભ લેવો.

અમદાવાદમાં પાનના ગલ્લા પર પ્રતિબંધ

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિસિપાલિટી સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે. મનપા સિવિક સેન્ટર્સે ૩૧ માર્ચ સુધી આ બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આજથી અમદાવાદના પાનના તમામ ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.

૩૧ માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. ૫૦૦થી વધારીને રૂ. ૧૦૦૦ કરાશે અને દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેની અટક કરાશે. મનપાનો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.

માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રની ૨૫ ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ૩૫૫ જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી, જે પૈકી અમદાવાદમાં ૩૦, સુરતમાં ૧૮, રાજકોટમાં ૧૫ અને વડોદરામાં ૧૦ દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર થતા ધ્યાનમાં આવ્યા હતા. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.

વરિષ્ઠ નાગરિકો, બાળકોએ ઘરમાં રહેવું: આરોગ્ય મંત્રાલય

કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા વરિષ્ઠ નાગરિકો અને દશ વર્ષથી ઓછી વયના બાળકોને ઘરની અંદર રહેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચન કર્યું હતું. માસ્ક, સેનિરાઈઝર્સ અને આરોગ્ય સંબંધીત સામગ્રી માટે વધુ પડતી કિંમત લેનાાઓ સામે પગલાં ભરવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટીકલ્સ અને ક્ધઝયુમર અર્ફેસ મંત્રલાયને જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જાહેર સેવક/ સરકારી કર્મચારી/ તબીબી ક્ષેત્રના પ્રોફેસનલ્સ સિવાયના ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સને ઘરમાં રહેવાનુંં સૂચવ કરવામાં આવ્યું છે.

દરમ્યાન વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ડી. રવિએ કહ્યું કે બુધવારે ઈરાનથી ૨૦૧ ભારતીઓને પાછા લાવવામાં આવ્યા હતા. એવિયેશન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુબિના અલીએ કહ્યું કે “૨૧મી માર્ચે એર ઈન્ડિયા રોમમાં જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને ૨૨મી માર્ચે પાછું ફરશે.’

દર્દીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજન શ્રેણી સિવાય અન્ય રેલટિકિટો પર ૨૦ માર્ચ મધ્યરાત્રિથી ક્ધસેશન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

March 20, 2020
coronavirus.jpg
1min2930

કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે તો બાકીના કર્મચારીઓને દરરોજ ઑફિસમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપ કર્મચારીઓને કામ માટે જુદા જુદા કલાકો ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ગ્રુપ બી અને ગ્રુપ સીના પચાસ ટકા કર્મચારીઓએ ઑફિસમાં દરરોજ હાજર રહેવું ને બાકીના પચાસ ટકા લોકોએ ઘરેથી કામ કરવું.

ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે અઠવાડિક ધોરણે વારાફરતી આ આદેશનો અમલ કરવાનું વિભાગીય વડાને જણાવી દેવામાં આવ્યું છે.

નવું સમયપત્રક બનાવતી વખતે પહેલા અઠવાડિયામાં ઑફિસની નજીકના વિસ્તારમાં રહેતા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવાની વિભાગીય વડાઓને સલાહ આપવામાં આવી છે.

આદેશમાં કરવામાં આવેલા સૂચન મુજબ કર્મચારીઓને ત્રણ જૂથમાં વિભાજિત કરી દેવા અને તેમનો ઑફિસનો સમય અનુક્રમે સવારે ૯:૦૦થી સાંજે ૫:૩૦, સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦ અને સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૩૦નો રાખવો. ઘરેથી કામ કરતી વ્યક્તિ સંપૂર્ણ સમય ટેલિફોન તેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે સતત ઉપલબ્ધ રહેવી જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં જો તેમને બોલાવવામાં આવે તો તેમણે ઑફિસે હાજર થવાનું રહેશે.

તાકીદની તેમ જ જરૂરી સેવામાં રોકાયેલા તેમ જ કૉરોના વાઈરસને ફેલાતો અટકાવવાના કામમાં રોકાયેલા કર્મચારીઓને આ નિયમ લાગુ નહીં પડે એમ બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્સ સર્વિસ તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍન્ટરપ્રાઈસ પણ નાણાંકીય સંસ્થાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓને આ પ્રકારની સૂચના આપી શકે છે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

ઑફિસના પરિસરમાં ઓછામાં ઓછા મુલાકાતીઓ આવે કે પ્રવેશ લે તેની ખાતરી કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. વિઝિટર્સ કે ટૅમ્પરરી પાસ જારી કરવાનું પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું છે.

અધિકારીની યોગ્ય પરવાનગી બાદ મુલાકાતીની યોગ્ય ચકાસણી કરીને જ સંબંધિત વ્યક્તિને મળવાની પરવાનગી આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.

તમામ સરકારી વિભાગોને થર્મલ સ્કૅનર ગોઠવી દેવા જણાવી દેવામાં આવ્યું છે. બની શકે ત્યાં સુધી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જ મીટિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
19min8560

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

કોરોના વાઇરસને લઇને સોશ્યલ મિડીયામાં અનેક ગેરસમજો, ખોટા સમાચારો પ્રસરી રહ્યા છે. હરહંમેશ આપને ઓથેન્ટીક સમાચારો, નક્કર માહિતી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. તા.19મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 169 હોવાનું કેન્દ્ર સરકારની ઓથોરિટીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

ભારતની અપડેટેડ માહિતી

ભારતમાં મુંબઈમાં સૌથી વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબર પર 25 કેસ સાથે કેરળ છે અને આ પછી ઉત્તરપ્રદેશમાં 16, કર્ણાટકમાં 13, દિલ્હીમાં 10, તેલંગાણામાં 10, લદ્દાખમાં 8 કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 14 લોકો એકદમ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 5, કેરળ અને રાજસ્થાનમાં 3-3 અને દિલ્હીમાં 2 તથા તેલંગાણામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ છે. આ દર્દીઓ દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રના છે.

તા.19મી માર્ચની સ્થિતિએ કયા દેશમાંથી ભારત આવી ન શકાય

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

COVID-19 Case Definitions

Suspect Case:

A patient with acute respiratory illness (fever and at least one sign/ symptom of respiratory disease (e.g., cough, shortness of breath) AND a history of travel to of residence in a country/area or territory reporting local transmission (See NCDC website for updated list) of COVID-19 disease during the 14 days prior to symptom onset;

OR

A patient / Health care worker with any acute respiratory illness AND having been in contact with a confirmed COVID-19 case in the last 14 days prior to onset of symptoms;

OR

A patient with severe acute respiratory infection (fever and at least one sign/symptom of respiratory disease (e.g., cough, shortness breath) AND requiring hospitalization AND with no other etiology that fully explains the clinical presentation;

OR

A case for whom testing for COVID-19 is inconclusive

Laboratory Confirmed case:

A person with laboratory confirmation of COVID-19 infection, irrespective of clinical signs and symptoms.

Click below to download ICMR Guidelines on Covid19

https://www.mohfw.gov.in/pdf/GuidelinesfornotifyingCOVID-19affectedpersonsbyPrivateInstitutions.pdf

Reported on 18 March 4pm

2 લાખ પૈકી 82,813 દર્દીઓ સાજા થઇ ચૂક્યા : હાલમાં 1.09 લાખ એક્ટીવ કેસ એમાં પણ 94 ટકાને માઇલ્ડ ઇન્ફેકશન

વિશ્વમાં દર્દીઓની સંખ્યાનો આંક 2 લાખ : 90,823 કેસમાં અંતિમ પરિણામ મળી ચૂક્યા છે

તા.18મી માર્ચ બુધવારે બપોરે 3.45 કલાકે સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડીત લોકોની સંખ્યા 2 લાખના આંકને પાર કરી ગઇ હતી. હાલમાં વિશ્વમાં કુલ 2 લાખ 106 લોકો કોરોનાથી પીડીત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ એ સંખ્યા છે જેમાં કોરોનાથી મોતને ભેટેલા લોકો, કોરોનાથી બિલકુલ સાજા થઇ ચૂકેલા લોકો તેમજ હાલમાં ઇન્ફેકશન ધરાવતા હોય એવા તમામ લોકોનો સમાવેશ 2,00,016ની સંખ્યામાં થાય છે.

કુલ 8010 લોકોને કોરોના વાઇરસે યમસદન પહોંચાડી દીધા છે.

વિશેષ રાહતની વાત એ છે કે કોરોનાથી પીડીત કુલ 90,823 દર્દીઓનું છેવટનું પરીણામ આવી ચૂક્યું છે. આ સંખ્યા પૈકી 91 ટકા લોકો એટલે કે 82,813 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇને પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ પૈકી 9 ટકા લોકો એટલેકે 8010 દર્દી ના મોત નિપજી ચૂક્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે તા.18મી માર્ચ 2020ની સ્થિતિએ વિશ્વમાં કુલ 1,09,283 દર્દીઓનો એક્ટીવ કોરોનાથી પીડીત હોવાના અહેવાલો મળ્યા છે. જેમાંથી 94 ટકા એટલે કે 1,02,860 દર્દીઓનો કોરોનાનો માઇલ્ડ ચેપ લાગ્યો છે અને 6 ટકા એટલે કે 9,423 દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

Reported on 18/03/20 ભારતમાં નવા 9 કેસ મળતા સંખ્યા 152

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાઇરસ ભારતમાં હજુ સુધી ઝાઝું નુકસાન કરી શક્યો નથી. આમ છતાં તા.18મી માર્ચ 2020ની બપોરે 4 વાગ્યાની સ્થિતિ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી પીડીત દર્દીઓની સંખ્યા મંદ ગતિઓ આગળ વધતી 152 પર પહોંચી છે. કુલ 3 નો મોત નિપજ્યા છે. તેમજ 14 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. 18મી માર્ચે બપોરે 4 વાગ્યા સુધીમાં ભારતમાં કોરોનાના નવા 9 કન્ફર્મ કેસો મળતા ભારતમાં કુલ એક્ટીવ દર્દીઓની સંખ્યા 130 થઇ છે.

18 માર્ચ 2020 બપોરે 1 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોનું સ્ટેટસ

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA411
KERALA270
HARYANA160
UP160
KARNATAKA111
DELHI101
LADAKH80
TELANGANA50
RAJASTHAN40
J&K30
TAMIL NADU10
PUNJAB10
ANDHRA PRADESH10
UTTARAKHAND10

વિશ્વની સ્થિતિ તા.18મી માર્ચ બપોરે 1 વાગ્યે

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 1,97,168 પર પહોંચ્યો છે. કુલ Deaths 7,905, કુલ Recovered 80,840, કુલ Active 108,423 કેસો હોવાનું જાણવા મળે છે.

COUNTRYCONFIRMEDDEATHS
CHINA81,0583,230
ITALY31,5062,503
IRAN16,169988
SPAIN11,748533
GERMANY9,25724
SOUTH KOREA8,32081
FRANCE7,683148
UNITED STATES6,421108
SWITZERLAND2,70027
UNITED KINGDOM1,96056
NETHERLANDS1,70843
NORWAY1,4633
AUSTRIA1,3323
BELGIUM1,24310
SWEDEN1,1907
DENMARK1,0244
JAPAN87829
CRUISE SHIP6967
MALAYSIA6732
CANADA4785
AUSTRALIA4525
PORTUGAL4481
QATAR4390
CZECH REPUBLIC3960
GREECE3875
ISRAEL3370
BRAZIL3211
FINLAND3210
SLOVENIA2751
SINGAPORE2660
POLAND2385
PAKISTAN2360
BAHRAIN2281
ESTONIA2250
IRELAND2232
ICELAND2201
CHILE2010
EGYPT1964
PHILIPPINES18712
ROMANIA1840
THAILAND1771
INDONESIA1725
SAUDI ARABIA1710
IRAQ15411
INDIA1473
LUXEMBOURG1401
KUWAIT1300
LEBANON1203
PERU1170
RUSSIA1140
SAN MARINO1097
UNITED ARAB EMIRATES980
MEXICO820
ARMENIA780
TAIWAN771
SLOVAKIA720
PANAMA691
ARGENTINA682
BULGARIA672
VIETNAM660
COLOMBIA650
SERBIA650
CROATIA650
SOUTH AFRICA620
ALGERIA604
ECUADOR582
BRUNEI560
ALBANIA551
HUNGARY501
LATVIA490
TURKEY471
CYPRUS460
SRI LANKA440
COSTA RICA410
ANDORRA390
MOROCCO382
MALTA380
BELARUS360
JORDAN340
GEORGIA340
KAZAKHSTAN330
VENEZUELA330
CAMBODIA330
MOLDOVA300
URUGUAY290
AZERBAIJAN281
NORTH MACEDONIA260
BOSNIA AND HERZEGOVINA260
SENEGAL260
LITHUANIA250
OMAN240
TUNISIA240
AFGHANISTAN220
DOMINICAN REPUBLIC211
GUADELOUPE180
MARTINIQUE161
BURKINA FASO150
UKRAINE142
MALDIVES130
JAMAICA120
NEW ZEALAND120
FRENCH GUIANA110
BOLIVIA110
BANGLADESH100
UZBEKISTAN100
CAMEROON100
REUNION90
PARAGUAY90
HONDURAS80
LIECHTENSTEIN70
MONACO70
RWANDA70
GHANA70
GUYANA71
GUATEMALA61
CUBA50
COTE D’IVOIRE50
TRINIDAD AND TOBAGO50
MONGOLIA50
ETHIOPIA50
SEYCHELLES40
CONGO30
GUAM30
KENYA30
NIGERIA30
ARUBA30
KOSOVO20
SAINT LUCIA20
BARBADOS20
NAMIBIA20
MONTENEGRO20
CONGO (BRAZZAVILLE)10
TOGO10
GREENLAND10
GABON10
ESWATINI10
EQUATORIAL GUINEA10
SAINT VINCENT AND THE GRENADINES10
CENTRAL AFRICAN REPUBLIC10
THE GAMBIA10
BENIN10
VATICAN CITY10
ANTIGUA AND BARBUDA10
BHUTAN10
THE BAHAMAS10
GUINEA10
TANZANIA10
LIBERIA10
MAURITANIA10
SURINAME10
SUDAN11
MAYOTTE10
NEPAL10
SOMALIA10
GUERNSEY00
JERSEY00
PUERTO RICO00
REPUBLIC OF THE CONGO00
OCCUPIED PALESTINIAN TERRITORY00

તા.17મી માર્ચ 2020ના રોજની સ્થિતિ

તા.17મી માર્ચે રાત્રે 12 કલાકે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 137ની થઇ હતી. કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે જ્યારે 14 દર્દીઓ કોરોના વાઇરસથી બિલકુલ સાજા થઇ ગયા હોવાના અહેવાલો છે.

ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં કુલ 39 અને કેરેલામાં 26 કેસો નોંધાયા છે.

ભારતમાં સોમવારે કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને ૧૧૪ થઈ હતી. ઓડિશામાં પ્રથમ દર્દી નોંધાયો છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, કેરળમાં સોમવારે એક એક નવો કેસ નોંધાયો છે. કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા રાજ્યોએ ઘણાં ખરાં પગલાં ભર્યાં છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો, નર્સ અને હેલ્થકેર વર્કસની પ્રશંસા કરી હતી. મહારાષ્ટ્રમાં ચાર વધુ દર્દી નોંધાયા હતા.

ભુવનેશ્ર્વરના એક અધિકારીએ કહ્યું હતું કે ઈટલીથી પાછો આવેલો એક રિસર્ચરનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ૩૩ વર્ષીય વૈજ્ઞાનિક છઠ્ઠી માર્ચે ઈટલીથી દિલ્હી પહોંચ્યો હતો. તે પછી ટ્રેન દ્વારા ૧૨ માર્ચે ભુવનેશ્ર્વર પહોંચ્યો હતો. ઓડિશા સરકારના મુખ્ય પ્રવકતા સુબ્રતો બાગચીએ કહ્યું કે, “તેમની હાલત સ્થિર છે અને તેમને અન્ય કોઈ તકલીફ નથી. દર્દી દિલ્હીથી ભુવનેશ્ર્વર આવ્યો હતો આથી તે કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની તપાસ ઓડિશા સરકારે શરૂ કરી દીધી છે. દર્દીના પરિવારના સભ્યોને ‘ક્વોરન્ટાઈન’ કરવામાં આવ્યા છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

દરમ્યાન દેશભરમાં વિવિધ સ્થળે હજારો વિદ્યાર્થીઓએ ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. વહીવટીતંત્રો દ્વારા લેવાયેલા પગલાંને કારણે કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હતું. ઘણાં રાજ્યોમાં જિમખાનાઓ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલો વિગેરે બંધ જાહેર કરવામાં આવ્યા હતા. ૫૦ માણસથી વધુ લોકો ભેગા થઈ શકે તેવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાઓ પર દિલ્હીની ‘આપ’ સરકારે ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો છે.

દેશભરની જેલોમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વધુ પડતી ગીચ પરિસ્થિતિની સુપ્રીમ કોર્ટે ‘સુઓ મોટો’ (આપમેળે) નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં વકીલો, પક્ષકારો અને અન્યોનું થર્મલ સ્ક્રિનિંગ (તાવની તપાસ) કરવામાં આવ્યું હતું.

વિદેશમાં અટવાયેલા ભારતીયોનું એરલિફ્ટ કરવાનું સોમવારે પણ ચાલુ રહ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે, “બાવન વિદ્યાર્થીઓ અને એક શિક્ષક એમ ૫૩ ભારતીયોનો ચોથો બેચ ઈરાનના તહેરાન અને શિરાઝથી પાછો ફર્યો હતો. ઈરાનથી કુલ ૩૮૯ ભારતીયોને લાવવામાં આવ્યા છે.

દરમ્યાન કોચીમાં પોલીસે એક કાર્યક્રમ યોજનારા ૭૯ વ્યક્તિઓ સામે કેસ કર્યો હતો. આવા કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં આયોજકોએ એક રિયાલિટી શોના સ્ટારનો સત્કાર સમારંભ યોજ્યો હતો. કેરળમાં યુકેના નાગરિક સહિત બે જણ કોરોના વાઈરસ પોઝિટિવ મળી આવ્યા હતા. વાઈરસનો ફેલાવો અટકાવવા કેરળ સરકારે ‘બ્રેક ધ ચેઈન’ પહેલ શરૂ કરી છે.

March 12, 2020
SBI.jpg
1min4990

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.