CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 12 of 41 - CIA Live

April 10, 2020
coronaindia-1-1280x1044.jpg
10min3420

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

Cases : 10,363

Deaths : 339

Recovered : 1,036

Active Cases : 8,988

STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

Update on 12 April 11 Am

  • Confirmed Cases : 8,356
  • Total Deaths : 273
  • Total Recovered : 716
  • Active Cases : 7,367
STATECasesDeath
MAHARASHTRA1761127
DELHI106919
TAMIL NADU96910
RAJASTHAN7003
M.P.53236
TELANGANA5049
U.P.4525
GUJARAT49522
A.P.3816
KERALA3642
KARNATAKA2146
J.K.2074
HARYANA1773
PUNJAB15111
WEST BENGAL1345
BIHAR631
ODISHA501
UTTARAKHAND350
HIMACHAL321
ASSAM291
CHANDIGARH190
CHHATTISGARH180
JHARKHAND171
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું કોરોનાનું હૉટસ્પૉટ

મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર એક સમયે વ્યાપારી તેમ જ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ગણાતું હતું, પરંતુ અત્યારે આ શહેર કોરોના વાઇરસના ચેપની ચપેટમાં આવી ગયું છે અને કોવિડ-૧૯ના હૉટસ્પૉટ બની ગયું છે.

ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત ઇન્દોર પખવાડિયાથી કર્ફ્યુ હેઠળ છે. ઇન્દોરની મહાનગર પાલિકાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન શહેરભરમાંથી કચરો નાબૂદ કર્યો છે અને દરેક ઘર દ્વારા સૂકો તથા લીલો, એમ અલગ કચરો જમા કરવામાં આવે એવી યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવી છે. ઇન્દોરમાં કોવિડ-૧૯ના ૧૭૩ કેસ નોંધાયા છે અને ૧૬ જણના મૃત્યુ નીપજ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં શરૂઆતના તબક્કાઓમાં જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી એ બદલ ઇન્દોરના સ્થાનિક વહીવટીતંત્રની ટીકા થઈ રહી છે.

આરોગ્ય ક્ષેત્રના કાર્યકર અમૂલ્ય નિધિએ જણાવ્યું હતું કે ‘ઇન્દોર કમર્શિયલ શહેર છે અને હજારો લોકો રેલવે તથા રોડ માર્ગે શહેરમાં આવતા તથા જતા હોય છે. જોકે, આવા બધા જ મુલાકાતીઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ નહોતું થયું એ વહીવટીતંત્રની મોટી ભૂલ હતી.’ ૩૦ લાખ લોકોની વસતિ ધરાવતા ઇન્દોરમાં જિલ્લા વહીવટીતંત્રએ ૨૩મી માર્ચે શહેરમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.

દેશમાં સંખ્યા વધીને છ હજારને આંબી ગઈ

ભારતમાં કોરોના ચેપના દરદીઓની સંખ્યા વધીને છ હજારની નજીક પહોંચી ગઇ છે અને તેમાં સૌથી વધુ માઠી અસર મહારાષ્ટ્રમાં જ થઇ છે તેમ જ ગુજરાતમાં પણ આવા દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

દેશમાં ગુરુવારે કોરોના વાઇરસના રોગચાળામાં ઓછામાં ઓછા ૧૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેમાં મહારાષ્ટ્રમાંના ૯, ગુજરાતના ૩, જમ્મુ અને કાશ્મીરના બે, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુના એક-એક દરદીનો સમાવેશ થતો હતો.

ઓડિશાએ લોકડાઉનને મહિનાના અંત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને દેશના અનેક રાજ્ય પણ આવું પગલું ભરે એવી શક્યતા છે.

વિશ્ર્વભરમાં આ રોગચાળો ૧૯૨ દેશમાં ફેલાઇ ગયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૭,૩૨૦ લોકો મૃત્યુ પામ્યા છે.

ચીન ઉપરાંત અમેરિકા, ઇટલી, સ્પેન, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે રોગચાળાને વિશ્ર્વભરમાં મંદી આવવાનો અને તેને લીધે દુનિયાના અંદાજે લાખો લોકો ગરીબ થઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.

ચીનના વુહાન શહેરમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાનો ચેપ લાખો લોકોને લાગ્યો છે અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વિવિધ સરકાર લૉકડાઉન સહિત આરોગ્ય સુવિધા વધારવા પગલાં લઇ રહી છે.

કોરોના ઇન્ડીયા અપડેટ તા.10 એપ્રિલ

  • Confirmed Cases : 6,412
  • Total Deaths : 199
  • Total Recovered : 504
  • Active Cases : 5,709
STATECasesDeath
MAHARASHTRA136497
TAMIL NADU8348
DELHI72012
RAJASTHAN4633
TELANGANA4427
U.P.4104
KERALA3572
A.P.3484
M.P.25916
GUJARAT24117
KARNATAKA1815
HARYANA1693
J.K.1584
WEST BENGAL1165
PUNJAB1018
ODISHA441
BIHAR391
UTTARAKHAND350
ASSAM290
CHANDIGARH180
HIMACHAL181
LADAKH150
JHARKHAND131
ANDAMAN110
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10
April 10, 2020
coronaguj-1280x875.jpg
10min10200

આજે લૉકડાઉન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે : PM મોદી અને રાજ્યોના CM વચ્ચે વિડીયો મીટ : ગુજરાતે પોતાની રણનીતિ કેન્દ્રને મોકલી

ગુજરાત અપડેટ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 એ પહોંચી છે. કુલ 34 વ્યક્તિઓ રિકવર થઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે કુલ 228 નોંધાયા છે. એ પછી વડોદરામાંથી કુલ 77 કેસો મળ્યા છે. જ્યારે સૂરતમાં આજે તા.11 એપ્રિલે સવારે વધુ એક કેસ મળતા કુલ આંકડો 28 પર પહોંચ્યો છે. જેમાં સૂરત શહેર વિસ્તારમાંથી 26 તથા જિલ્લા વિસ્તારમાંથી 2 કેસ મળ્યા છે. ભાવનગરમાં કુલ કેસ સંખ્યા 23ની થઇ છે.

  • રાજ્યમાં તા.11 એપ્રિલે સવારે 10 વાગ્યે
  • નવા 54 કોરોના + ve કેસ
  • રાજ્યમાં કુલ કોરોના + ve – 432
  • કોરોનાથી કુલ મોત – 19
  • રિકવરી – 34
  • અમદાવાદ 228 ( 7 )
  • વડોદરા 77 ( 2 )
  • સુરત 28 ( 4 )
  • ભાવનગર 23 ( 2
  • રાજકોટ 18
  • ગાંધીનગર 14 ( 1 )
  • પાટણ 14
  • પોરબંદર 3
  • ગીર સોમનાથ 2
  • ભરૂચ 7
  • કચ્છ 4
  • મહેસાણા 2 ( 1 )
  • સાબરકાંઠા 1
  • આણંદ 5
  • મોરબી 1
  • છોટાઉદેપુર 2
  • પંચમહાલ 1 ( 1 )
  • જામનગર 3 ( 1 )

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં કોરોનાનું સંકટ ઘેરું દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વડોદરામાં તા.10મી એપ્રિલને શુક્રવાર બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. કોરોનાના વધુ 20 કેસ નોંધાતા વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 59એ પહોંચી ગઇ હતી.

વડોદરાના ક્લસ્ટર ઝોન જાહેર કરાયેલા વિસ્તાર નાગરવાડા અને સૈયદપુરામાંથી વધુ 20 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 11 પુરુષ અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે નાગરવાડા અને સૈયદપુરાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ મળ્યાં છે. જેમાં 36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ શુક્રવારે દિવસ દરમિયાન ભરૂચમાં 3, સુરતમાં 3 મળીને રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી કુલ આંકડો 378એ પહોંચી ગયો હતો.

કોરોનાના વધતા કહેરની સાથે જ આજે ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ એમ વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ દર એક લાખે 102 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16000 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી ગુજરાતે 1540 ટેસ્ટ કર્યાં છે.

પીએમ મોદી ગઇ તા.2જી એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટીંગ કરી ચૂક્યા છે : આજે 11 એપ્રિલે પુન વિડીયો મીટીંગ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ તા.11મી એપ્રિલને શનિવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લૉકડાઉન તેમજ કોરોના વિરુદ્ધના યુદ્ધની રણનીતિના અગત્યના મુદ્દા પર દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે. અગાઉ ગઇ તા.2જી એપ્રિલે પણ વડાપ્રધાન મુખ્યમંત્રીઓની સાથે વિડીયો મીટિંગ કરી ચૂકયા છે. ગઇ તા.8મી એપ્રિલે વડાપ્રધાન શ્રી મોદીએ સંસદ અને રાજ્યસભાના તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગ કરી હતી. આ મિટીંગમાં શ્રી મોદીએ હિંટ આપીને કહ્યું હતું કે તેઓ દેશભરમાં લાગૂ લોકડાઉનની સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે.

અગાઉ ભાજપાના સ્થાપના દિવસે પણ વડાપ્રધાન એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે આવનાર 14મી એપ્રિલના રોજ લોકડાઉન સંપૂર્ણપણે હટાવવું મુશ્કેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક જીવની સુરક્ષા છે. લોકડાઉનના વિસ્તારના મુદ્દા પર તેમણે કેટલાંય જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી અને તમામને એકમત થઇ લોકડાઉનની સમય મર્યાદાને આગળ વધારવા પર સહમતિ વ્યકત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં એક સાથે લોકડાઉન હટાવું શકય નથી.

ઓરિસ્સા બાદ પંજાબમાં પણ લોકડાઉનની અવધિ વધી

પંજાબના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોનાના મળી રહેલા કેસોને પગલે લૉકડાઉન પિરીયડ લંબાવવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ નવીન પટનાયક સરકારે રાજ્યમાં લોકડાઉનને 30મી એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. જે બાદ તા.10મી એપ્રિલે પંજાબ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન આગળ વધારીને 30 એપ્રિલ અંતિમ તારીખ જાહેર કરી છે.

ગુજરાત સરકારે લૉકડાઉન સંભવિત રણનીતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલી 21 દિવસના ડેડલાઇન પૂરી થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે લૉકડાઉન લિફ્ટીંગ અંગે ગુજરાતની સંભવિત રણનીતિનો એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને 14મી એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત સરકાર લૉકડાઉન ઉઠવવા અંગે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરશે.

ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર ઢીલ આપવા વિશે એક રિપોર્ટ હાઇલેવલના અધિકારીઓ પાસે તૈયાર કરાવ્યો છે અને એ હાઈ-લેવલ કમિટીએ કોવિડ-19ના કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન, યેલો અને રેડ ઝોનમાં દઇને લૉકડાઉન ઉઠાવવા અંગેની રણનીતિ તૈયાર કરી છે.

રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા ફેઝમાં જરૂરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે. અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે.

  • લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક માટે માસ્ક ફરજિયાત
  • દરેક પ્રકારનું સામૂહિક પરિવહન લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ બંધ
  • ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે મિટીંગ મેળાવડા પર પ્રતિબંધ
  • બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
  • રેસ્ટોરન્ટ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ જારી રાખશે અને બાદમાં પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે.

India Update 11 April 2020 @ 10 am

  • Confirmed Cases : 7,447
  • Total Deaths : 239
  • Total Recovered : 643
  • Active Cases : 6,565
STATECasesDeath
MAHARASHTRA1574110
TAMIL NADU9118
DELHI90313
RAJASTHAN5533
TELANGANA4737
M.P.43533
U.P.4314
KERALA3642
A.K.3636
GUJARAT30819
KARNATAKA2076
J.K.2074
HARYANA1773
PUNJAB13211
WEST BENGAL1165
BIHAR601
ODISHA481
UTTARAKHAND350
ASSAM291
HIMACHAL281
CHHATTISGARH180
CHANDIGARH180
LADAKH150
JHARKHAND141
ANDAMAN110
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10

Reported on 10 April 2020

શુક્રવાર સવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો ન હતો ત્યાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના  આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન  મળ્યું છે.

ભરૂચમાં મળેલા ચારેય દર્દીઓનું દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જમાત સાથે કનેકશન ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે.  

ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા 17 માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ  દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.

ગુજરાતમાં કોરોનાના 76 નવા કેસ: કુલ આંકડો 262 પર પહોંચ્યો, બે-ચાર દિવસ હજુ કેસ વધશે

ગુરુવારે સવારે ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા બાદ ગુરુવારે સાંજ સુધીમાં વધુ 21 નવા કેસ કન્ફર્મ થયા છે. આરોગ્ય ખાતાના સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં રહ્યા છે, જેથી કન્ફર્મ કેસનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાંથી કોરોનાનો ચેપ બહાર ના જાય તે માટે મોટાપાયે કામગીરી કરાઈ રહી છે.

ગુજરાત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • અમદાવાદ- 153
  • વડોદરા 39
  • સુરત- 24
  • રાજકોટ- 18
  • ગાંધીનગર-14
  • ભાવનગર- 22
  • પાટણ-14 (એક જ પરિવારના સંપર્કથી)
  • ભરૂચ 4
  • કચ્છ 2
  • મહેસાણ 2
  • ગીરસોમનાથ 2
  • પોરબંદર- 3
  • પંચમહાલ-1
  • છોટાઉદેપુર-2
  • સાબરકાંઠા 1
  • મોરબી 1
  • દાહોદ 1
  • સાબરકાંઠામાં 1
  • આણંદ -2

વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં વધુ 17 પોઝિટીવ કેસ મળતા ખળભળાટ

વડોદરામાં રેડ ઝોન જાહેર થયેલા નાગરવાડા વિસ્તારમાંથી માસ સેમ્પલ લઇને ચકાસણી કરવાના પ્રક્રિયા દરમિયાન ૧૭ વ્યક્તિઓમાં કોરોનો પોઝિટીવ આવ્યો હતો. આ જ વિસ્તારમાંથી આજે સવારે ત્રણ કેસ પોઝિટીવ આવ્યા હતા. આમ વડોદરાના કોરોના પોઝિટીવની સંખ્યા ૩૯ પર પહોચી ગઇ હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી ૧૭ નવા કોરોના પોઝિટીવ કેસો જણાયા છે. 

રાજકોટના જંગલેશ્વરમાંથી વધુ પાંચ પોઝિટિવ

કોરોના વાયરસનું સંક્રમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધી રહ્યું હોવાનું જણાય છે. રાજકોટના કોરોના વાયરસ માટેના હોટ સ્પોટ જંગલેશ્વરના એક જ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એ જ વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર ક્લસ્ટરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે.

ગુરુવારથી 16 સેમ્પલ જંગલેશ્વરમાંથી લેવાયા જેમાં વધુ 5 લોકોના સેમ્પલ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પાંચ દર્દીઓ ત્રણ દિવસ પેહલા આવેલ યુવાનનાં પરિવારજનો અને સંપર્કમાં આવેલ હોવાથી લોકસ ટ્રાન્સમિશન થયું હોવાનું હાલ જણાય રહ્યું છે. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 18 થયો છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરનાનો ક્લસ્ટર બોમ્બ વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આજ સાંજ સુધીની સ્થિતિ અનુસાર, રાજ્યમાં કુલ 215 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 212 દર્દીઓ સ્ટેબલ તેમજ ત્રણ વેન્ટિલેટર પર છે અને ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 358ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

રાજ્યમાં સેમ્પલ ટેસ્ટિંગ વધતા પોઝિટિવ કેસોમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ

ગુજરાતમાં એકસાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.

જુદા જુદા વિસ્તારોમાંથી જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૪૧ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે ૧૭૬ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૨ પોઝિટિવ, જ્યારે ૧૬૨૪ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી ૧૦૨ ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૫૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧ પોઝિટિવ અને ૫૪૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વોરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોવિડ-૧૯નું સંકટ હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે. બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીના ૨૪ કલાકમાં એક સાથે ૬૨ કેસનો ચિંતાજનક વધારો થયો છે. ગુરુવારે સાંજે વડોદરાથી પણ ગંભીર સમાચાર આવ્યા હતા. વડોદરામાં એક સાથે 11 નવા કેસ અને પાટણમાં એક જ પરિવારમાં 9 કેસ મળી આવ્યા હતા.

એ પૂર્વે બુધવારની સાંજથી ગુરુવારે સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ બપોરે વડોદરામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૫ દર્દીઓ થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતાં હવે રાજ્યમાં કોરોનાનો મોતનો આંકજો ૧૭ પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં ૧૩૩ ઉપર પહોંચી ચૂકી છે.

ભારત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Confirmed Cases : 6,412
  • Total Deaths : 199
  • Total Recovered : 504
  • Active Cases : 5,709
STATECasesDeath
MAHARASHTRA136497
TAMIL NADU8348
DELHI72012
RAJASTHAN4633
TELANGANA4427
U.P.4104
KERALA3572
A.P.3484
M.P.25916
GUJARAT24117
KARNATAKA1815
HARYANA1693
J.K.1584
WEST BENGAL1165
PUNJAB1018
ODISHA441
BIHAR391
UTTARAKHAND350
ASSAM290
CHANDIGARH180
HIMACHAL181
LADAKH150
JHARKHAND131
ANDAMAN110
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
MANIPUR20
MIZORAM10
TRIPURA10
ARUNACHAL10
April 8, 2020
slownet.jpg
1min3400

લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક

કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.

લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.

જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.

યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.

  • ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
  • કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
  • રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
  • જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
  • બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
  • શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
  • માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
  • મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
  • ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
  • કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
  • ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.

લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.

April 7, 2020
coronaindia-1-1280x1044.jpg
8min3910

  • Confirmed Cases : 5,194
  • Total Deaths : 149
  • Total Recovered : 402
  • Active Cases : 4,643

STATECasesDeath
MAHARASHTRA101864
TAMIL NADU6907
DELHI5769
TELANGANA3647
KERALA3362
RAJASTHAN3283
U.P.3263
A.P.3054
M.P.22913
KARNATAKA1754
GUJARAT16513
HARYANA1473
J.K.1162
WEST BENGAL995
PUNJAB917
ODISHA421
BIHAR381
UTTARAKHAND310
ASSAM270
H.P.181
CHANDIGARH180
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.

કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.

લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા

દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.

તિલંગાણા

તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.

છત્તીસગઢની માગણી

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.

મધ્યપ્રદેશની તૈયારી

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.

આસામની પ્રતિક્રિયા

આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.

મહારાષ્ટ્રનો અભિગમ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.

ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.

મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.

દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.

India update 7 April 2020 1 pm

  • Confirmed Cases : 4,421
  • Total Deaths : 114
  • Total Recovered : 326
  • Active Cases : 3,981
STATECasesDeath
MAHARASHTRA74845
TAMIL NADU6215
DELHI5237
KERALA3272
TELANGANA3217
U.P.3053
RAJASTHAN2883
A.P.2663
M.P.1659
KARNATAKA1514
GUJARAT16512
J. K.1092
WEST BENGAL913
HARYANA901
PUNJAB766
BIHAR321
UTTARAKHAND310
ASSAM260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ

મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.

હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.

તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.

ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.

મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.

તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.

મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.

April 4, 2020
CIA_Live_Logo_New2.jpg
13min14710

વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ

વાહન પ્રતિબંધ પરીણામદાયી

અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.

સૂરતમાં એક કેસ ઉમેરાયો

સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.

સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.

  • સૂરત અપડેટ્સ.
  • કુલ સેમ્પલ્સ 205
  • પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
  • પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
  • નેગેટીવ 188
  • મૃત્યુ 02
  • રિકવર 04
  • રિપોટર્ વેઇટિંગ 07

ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા

ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.

રવિવારે રાત્રે 9 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રવિવાર તા.5મી એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે અને 21 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.

રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 20 નવા દર્દીઓ સામે આવ્યા, જે એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા અમદાવાદમાં કોરોનાના નવા 8 સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.

મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે

એથી વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે.

ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી 9 જેટલા કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. ગુજરાત પોલીસે એવા 126 લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.

India Update

  • Confirmed Cases 4,067
  • Total Deaths 109
  • Total Recovered 292
  • Active Cases 3,666
STATE/UTCaseDeath
MAHARASHTRA69045
TAMIL NADU5715
DELHI5037
TELANGANA3217
KERALA3142
RAJASTHAN2530
U.P.2272
A.P.2263
M.P.1659
KARNATAKA1514
GUJARAT12811
JAMMU1062
HARYANA841
WEST BENGAL803
PUNJAB686
BIHAR301
ASSAM260
UTTARAKHAND260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH90
GOA70
PUDUCHERRY50
JHARKHAND30
MANIPUR20

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Reported on 5 April

Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ

સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.

સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

  • એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
  • એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
  • 2 ના મોત
  • 3 પેશન્ટ રિકવર
  • રિપોર્ટ પેન્ડીંગ 05

Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા

રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારના નવા 14 કન્ફર્મ કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો છે.

અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા છે, અને લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવના 108માંથી 64 કેસ લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના

કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.

લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા

જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે. કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.

દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.

સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.” ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના ઘડવાનું કામ કરી રહ્યું છે.

સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.

  • વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
  • વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
  • સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
  • સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
  • બેન્કોમાં ભીડને ટાળી શકાય
  • તબીબોની ઉપલબ્ધતા વધારવા
  • રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
  • ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
  • પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ

મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો નિર્દેશ અપાયો હતો.

દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન

કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે

કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.

આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે. લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને સારવાર મળી શકશે.

એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે. હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે.

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Reported Earlier on 4 April 2020

ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે

Gujarat Update 4 April 2020

ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12

  • અમદાવાદમાં 43
  • સુરતમાં 12
  • ગાંધીનગરમાં 13
  • રાજકોટમાં 10
  • વડોદરામાં 9
  • ભાવનગરમાં 9
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણા 1
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણ 1

World Update in Single Frame

India Update 4 April

Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838

સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ

  • સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
  • શહેર એક્ટીવ કેસ 06
  • જિલ્લા એક્ટીવ કેસ 02
  • નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
  • રીકવર 03
  • મૃત્યુ 01
  • 19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ

સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

India State Wise Cases on 4 April

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ

રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.

ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે

આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.

ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

દવાની અછત નથી: સરકાર

કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.

તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.

April 1, 2020
chloroquine-corona.jpg
1min3660

કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.

અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.

આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

April 1, 2020
banking-services-1.jpg
1min3870

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને ૨૧ દિવસના લૉકડાઉનના સમયગાળા દરમિયાન બૅન્કોના કામકાજ રાબેતામુજબ રહે અને તમામ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સામાન્ય સ્થિતિમાં રહે એની તકેદારી રાખવાનો આદેશ મંગળવારે આપ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનમાંથી બૅન્કોને, એટીએમને, બૅન્કોના કામકાજ સંબંધિત આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) વેન્ડર્સને, બૅન્ક કૉરસપૉન્ડ્ન્ટસને તેમ જ કૅશ મૅનેજમેન્ટ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ ૨૭,૫૦૦ કરોડ રૂપિયાના જે આર્થિક પૅકેજની જાહેરાત કરાઈ છે એ સંબંધિત વહેંચણી આવનારા દિવસોમાં થવાની હોવાથી બૅન્કો તથા બધા એટીએમને સામાન્ય સ્થિતિમાં લાવવાની કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે.

વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-’૨૦) નિર્ધારિત સમય મુજબ ગઈ કાલે (મંગળવારે) પૂરું થયું હતું. સામાન્ય રીતે ઘણી કંપનીઓ તેમ જ પેઢીઓ દ્વારા એમના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર-વેતનની ચૂકવણી થતી હોય છે અને એ બાબતમાં તેમ જ એટીએમમાંથી પૈસા ઉપાડવા સંદર્ભમાં સામાન્ય પ્રજાને ૨૧ દિવસના લૉકડાઉનના વર્તમાન સમયગાળામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ હેતુથી પણ કેન્દ્ર સરકારે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના સામાન્ય કામકાજ વિશેની સૂચના આપી છે.

કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે ‘ઘણી રાજ્ય સરકારોએ બૅન્કોના કામકાજના ઘટાડેલા કલાકો વિશે, મર્યાદિત સંખ્યામાં શાખાઓ કાર્યરત્ રાખવા સંબંધમાં, એટીએમમાં રોકડા ભરવા સંબંધિત કર્મચારીઓની અવરજવર પર નિયંત્રણ અંગે તેમ જ અન્ય કેટલાક કારણો બાબતમાં સૂચનાઓ બહાર પાડી છે.’

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ૨૭,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક યોજનાની જાહેરાત કરાઈ છે એ હેઠળ વહેંચણી આ અઠવાડિયા અને આવનારા અઠવાડિયાઓમાં બૅન્કો તથા એટીએમ અને બિઝનેસ કૉરસપૉન્ડન્ટ્સ (બીસીએસ) મારફત થવાની છે. આ સમગ્ર બાબતને લક્ષમાં રાખીને જ ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના કામકાજ રાબેતામુજબના રહે એની તકેદારી રાખવાની સૂચના આપી છે.

તેમણે સોમવારે એક પત્રમાં જણાવ્યું હતું કે ‘પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્વયે જે લોકોને આવરી લેવામાં આવ્યા છે તેમને રકમની થનારી વહેંચણી દરમિયાન બૅન્કો સાથે સંકલન જાળવવાની તૈયારી સ્થાનિક જિલ્લા/રાજ્ય/પોલીસ તંત્રએ બતાવી છે.’

March 30, 2020
recovery.jpg
1min4630

કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા

વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.

Symbolic photo of recovery

દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.

  • અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
  • વિશ્વમાં કુલ 155,965
  • ભારતમાં કુલ 1000
  • ગુજરાતમાં કુલ 02

કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ

વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.

હાલના એક્ટીવ કેસ

હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

March 30, 2020
coronaworld-1280x1023.jpg
27min11160

Coronavirus Cases : 722,088

Deaths : 33,976

Recovered : 151,766

નવા જીવલેણ કોરોના વાઇરસ ને કારણે રવિવાર સુધીમાં વિશ્વભરમાં કુલ ૩૧૪૧૨ જણ માં મોત નીપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ચીનમાં સૌપ્રથવાર ડિસેમ્બર મહિનામાં કોરોના કેસ નોંધાયા બાદ વિશ્વના ૧૮૩ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૬,૬૭,૦૯૦ કેસ નોંધાય હોવાનું તેમણે કહ્યું હતું. અત્યાર સુધીમાં તેમાંથી ૧,૩૪,૭૦૦ જણ સજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.

ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ના ૮૧,૩૯૪ કેસ નોંધાયા છે જેમાંથી ૭૪,૯૭૧ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય વહીવટકર્તાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા પાસેથી સમાચાર સંસ્થા દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડાઓ ખરેખર કોરોના ના ચેપનો ભોગ બનેલા લોકોના વાસ્તવિક આંકડાનું આંશિક પ્રતિબિંબ પાડે તેવી શકયતા હોવાનું તેમણે કહ્યું હતું. અનેક દેશોમાં જ દરદી ઓને ખરેખર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેમનું માત્ર પરીક્ષણ કરીને ઘરે મોકલી આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોના વાઇરસ ને કારણે દેશમાં ફેબ્રઆરી મહિનામાં પ્રથમ મૃત્યુની જાહેરાત કરનાર ઇટલીમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે ૧૦૦૨૩ લોકોનાં મોત નીપજ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ઇટલીમાં અત્યાર સુધીમાં ૯૨,૪૭૨ જણને કોરોના નો ચેપ લાગ્યો છે તો ૧૨,૩૮૪ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ઈટલી જેમ જ સ્પેનમાં પણ કોરોના કારણે ચીન કરતા વધુ લોકોનાં મોત થયા છે. સ્પેનમાં કોરોના ને કારણે અત્યાર સુધીમાં ૬,૫૨૮ જણ નાં મોત થયા છે તો ૭૮,૭૪૭ લોકો કોરોનાથી પ્રભાવિત છે, એમ તેમણે કહ્યું હતું.

હોંગકોંગ અને મકાઉ ને બાદ કરતા ચીને અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે દેશમાં ૩,૨૯૫ લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાર જાહેરાત કરી છે.

કોરોના વાઇરસ થી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ઈરાનમાં કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકો નો આંક ૨૬૪૦ પર પહોંચ્યો છે.

અમેરિકામાં કોરોના ના ચેપનો ભોગ બનેલા સૌથી વધુ ૧,૨૪,૬૮૬ કેસ નોંધાયા છે જેમાંથી ૨૧૯૧ લોકોનાં મોત થયાં છે તો ૨૬૧૨ સજા થઈ ગયા છે. 

સ્પેનમાં રોગચાળાથી ૨૪ કલાકમાં ૮૩૮નાં મોત

સ્પેનમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે છેલ્લાં ૨૪ કલાકમાં ૮૩૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેથી સ્પેનમાંનો મરણાંક વધીને ૬,૫૨૮ થયો હતો. દરમિયાન, ઇરાનમાં આ રોગચાળાને લીધે વધુ ૧૨૩ જણનાં મૃત્યુ થતાં ત્યાં મરણાંક વધીને ૨,૬૪૦ થયો હતો.

સ્પેનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં એક જ દિવસમાં ૯.૧ ટકાનો વધારો થતાં ત્યાં આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૭૮,૭૯૭ થઇ હતી. સ્પેનમાં આવા દરદીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે.

સ્પેનની સરકારે પોતાને ત્યાંના આવા ૧૪,૭૦૯ દરદી સાજા થયા હોવાનો રવિવારે દાવો કર્યો હતો. અહીંના વહીવટી તંત્રે ઇટલી સહિતના અન્ય દેશોની જેમ રોગચાળાને નાથવા જનતા પર અનેક નિયંત્રણ લાદ્યા છે અને અત્યાવશ્યક ન હોય એવી બધી સાર્વજનિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ અપાયો હતો.

સ્પેનમાં અત્યાવશ્યક ન હોય એવી આર્થિક પ્રવૃત્તિ કરનારા નોકરિયાતો અને અન્ય શ્રમિકોને બે અઠવાડિયાં ઘેર રહેવાનો હુકમ કરાયો હતો.

વડા પ્રધાન પેન્ડ્રો સેન્ચેઝે જણાવ્યું હતું કે આરોગ્ય, અન્ન પુરવઠા અને ઊર્જા ક્ષેત્રને અત્યાવશ્યક સેવા ગણીને હાલમાં ચાલુ રખાશે.

ઇરાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨,૯૦૧ દરદી મળતા આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૩૮,૩૦૯ થઇ હતી અને ૩,૪૬૭ દરદીની હાલત ગંભીર હોવાનો દાવો કરાયો હતો.

લૉકડાઉનની સારી અસર: પૃથ્વી પરના ઓઝોનના આવરણમાં સુધારો

ચીનમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારત સહિતના અનેક દેશમાં લોકડાઉન છે અને તેની વ્યાપાર, ધંધા તેમ જ ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. આમ છતાં, જેમ સિક્કાની બે બાજુ હોય છે, એમ લોકડાઉનની પોઝિટિવ અસર પણ થઇ છે. તેને લીધે વાતાવરણનું પ્રદૂષણ ઘટ્યું છે અને પૃથ્વી પરની સજીવસૃષ્ટિને સૂર્યના હાનિકારક પારજાબંલી (અલ્ટ્રા વાયોલેટ) કિરણથી બચાવતા ઓઝોનના આવરણમાં સુધારો થયો છે.

ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના ઓર્ગેનિક કેમિસ્ટ ઇયાન રેએ પણ લોકડાઉનને લીધે હવાનું પ્રદૂષણ ઘટ્યું હોવાનું તેમ જ દક્ષિણ ધ્રુવ અને ઓસ્ટ્રેલિયા પરના ઓઝોનના આવરણમાંનું ગાબડું નાનું થઇ રહ્યું હોવાનું કબૂલ કર્યું હતું. ઓઝોનનું આવરણ (થર) પૃથ્વીથી અંદાજે ૨૦થી ૩૦ કિલોમીટર (આશરે ૧૨થી ૧૯ માઇલ)ની ઊંચાઇએ આવેલું છે અને તે સૂર્યના પારજાંબલી કિરણ સામે પૃથ્વીની ઢાલનું કામ કરે છે.

ઓઝોનનું આવરણ સૂર્યના પારજાંબલી કિરણને શોષી લઇને તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવતું હોવાથી તેને સજીવસૃષ્ટિ માટેનું કુદરતી સનસ્ક્રીન પણ કહી શકાય. પૃથ્વીને ફરતું ઓઝોનનું આવરણ ન હોય તો અલ્ટ્રા વાયોલેટ કિરણ પૃથ્વી પર પહોંચીને મનુષ્ય સહિતના પ્રાણીઓ અને વનસ્પતિના ડીએનએ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને પણ નુકસાન પહોંચાડી શકે છે અને થોડા સમયમાં અનેક વનસ્પતિ નાશ પામી શકે છે તેમ જ પ્રાણીઓનું મૃત્યુ શકે છે.

ઓઝોન (ઓ-થ્રી) ઓક્સિજન (પ્રાણવાયુ)ના ત્રણ અણુનો બનેલો હોય છે અને તેથી તેને સ્પેશલ (ખાસ) ઓક્સિજન પણ કહી શકાય. પૃથ્વી પરના ઓઝોનના આવરણની ઘટ્ટતામાં મોસમ, ભૌગોલિક વિસ્તાર અને પ્રદૂષણને લીધે વધ-ઘટ થતી રહે છે. પૃથ્વી, ખાસ કરીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરના ઓઝોનના આવરણમાં વસંત દરમિયાન ગાબડું (કાણું) વધેલું જોવા મળે છે અને તેને લીધે ઘણી વખત ઉનાળો લાંબો બને છે અને તેની માઠી અસર દુનિયાભરના પર્યાવરણ પર જોવા મળે છે. ઘણી જગ્યાએ દુષ્કાળ પડે છે તો કેટલાક સ્થળે ભારે વરસાદ થાય છે અને પૂર આવે છે.

કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના સંશોધનકારોએ જણાવ્યું હતું કે પૃથ્વી પરના ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ગેસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અથવા તેનો ઉપયોગ ઘટાડવા ૧૯૮૦ના દાયકામાં નક્કી કરાયું હતું. ૧૯૮૭ની મોન્ટ્રિયલ ઘોષણા – કરારમાં વાતાવરણ, ખાસ કરીને ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું અથવા તેનો ઉપયોગ ઘટાડવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેનો અમલ ૧૯૮૯થી શરૂ કરાયો હતો.

ઓઝોન સામાન્ય રીતે શ્ર્વાસમાં લેવાય તો ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ઓઝોન જનરેટર્સ હવાને શુદ્ધ કરતા એર ક્લિનર તરીકે પણ વપરાય છે.

ઓઝોનના આવરણનું જતન કરવા આપણે નીચે મુજબના પગલાં લઇ શકીએ છીએ:

(૧) ઓઝોનને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ સહિતના ગેસ કે રસાયણનો ઉપયોગ ઘટાડવો અથવા ન કરવો.

(૨) વાહનોનો ઉપયોગ ઘટાડીને હવાનું પ્રદૂષણ ઓછું કરો. કારપુલ (સાથે મળીને કારમાં કામધંધે જવું)નો વધુ ઉપયોગ કરો.

(૩) વિનેગર કે બાયોકાર્બોનેટ જેવા નોન-ટોક્સિક (બિનઝેરી) રસાયણનો વધુ ઉપયોગ કરો.

(૪) સ્થાનિક ઉત્પાદનો વધુ વાપરવાથી નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકાય છે.

(૫) જૂના એર કન્ડિશનર (એસી), રેફ્રિજરેટર બરાબર કામ કરતા ન હોય એટલે કે તેમાંથી ગેસનું ગળતર થતું હોય અથવા એરોઝોલ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ થતો હોય તો વાતાવરણમાં નુકસાનકારક ક્લોરોફ્લોરો કાર્બન્સ ફેલાઇ શકે છે અને તેથી એસી તેમ જ રેફ્રિજરેટરની યોગ્ય જાળવણી કરવી.

World Cases as on 30/03 @ 9 a.m. IST

CountryCasesDeathsRecoveredCases
World722,08833,976151,766536,346
USA142,0702,4844,559135,027
Italy97,68910,77913,03073,880
China81,4703,30475,7002,466
Spain80,1106,80314,70958,598
Germany62,4355419,21152,683
France40,1742,6067,20230,366
Iran38,3092,64012,39123,278
UK19,5221,22813518,159
Switzerland14,8293001,59512,934
Netherlands10,8667712509,845
Belgium10,8364311,3599,046
S. Korea9,6611585,2284,275
Turkey9,2171311058,981
Austria8,788864798,223
Canada6,320655735,682
Portugal5,962119435,800
Norway4,2842674,251
Brazil4,25613664,114
Israel4,247151324,100
Australia4,163172443,902
Sweden3,700110163,574
Czechia2,81716112,790
Ireland2,6154652,564
Malaysia2,470353882,047
Denmark2,3957212,322
Chile2,1397752,057
Luxembourg1,95021401,889
Ecuador1,9245831,863
Japan1,866544241,388
Poland1,8622271,833
Romania1,815432061,566
Pakistan1,59714291,554
Russia1,5348641,462
Philippines1,41871421,305
Thailand1,38872291,152
Saudi Arabia1,2998661,225
Indonesia1,285114641,107
South Africa1,2802311,247
Finland1,24011101,219
Greece1,15639521,065
India1,0242795902
Iceland1,0202135883
Panama989244961
Dominican Republic859393817
Peru8521816818
Mexico8481635797
Singapore8443212629
Argentina8202091709
Serbia7411342686
Slovenia7301110709
Croatia713655652
Diamond Princess7121060399
Colombia7021010682
Estonia679320656
Hong Kong6424118520
Qatar634148585
Egypt60940132437
UAE570358509
Iraq54742143362
New Zealand514163450
Algeria5113131449
Bahrain4994272223
Morocco4792613440
Ukraine475106459
Lithuania46071452
Lebanon4381030398
Armenia424330391
Hungary4081334361
Latvia347 1346
Bulgaria346814324
Andorra33461327
Bosnia and Herzegovina32368309
Costa Rica31423309
Slovakia314 2312
Tunisia31282302
Uruguay3041 303
Taiwan298339256
Kazakhstan284120263
Moldova26322259
North Macedonia25963250
Jordan259318238
Kuwait255 67188
San Marino224226196
Burkina Faso2221223187
Cyprus214615193
Albania2121033169
Azerbaijan209415190
Vietnam194 25169
Réunion183 1182
Oman167 23144
Ivory Coast16514160
Faeroe Islands159 7089
Ghana15252145
Malta151 2149
Uzbekistan14427135
Senegal142 27115
Cameroon13965128
Cuba13934132
Brunei12613491
Afghanistan12042114
Venezuela11933977
Sri Lanka117111105
Nigeria11113107
Honduras11033104
Palestine10911890
Channel Islands1082 106
Mauritius1073 104
Guadeloupe10641785
Cambodia103 2182
Belarus94 3262
Martinique931 92
Georgia91 1873
Montenegro851 84
Kyrgyzstan84  84
DRC818271
Bolivia811 80
Trinidad and Tobago783174
Rwanda70  70
Gibraltar65 1451
Paraguay643160
Mayotte63  63
Liechtenstein56  56
Aruba50 149
Bangladesh4851528
Monaco461144
French Guiana43 637
Kenya421140
Isle of Man42  42
Madagascar39  39
Macao37 1027
Guatemala3411023
Barbados33  33
Uganda33  33
Jamaica321229
Togo301128
French Polynesia30  30
Zambia29  29
El Salvador24  24
Bermuda22 220
Ethiopia21 120
Congo19  19
Mali181 17
Niger181 17
Djibouti18  18
Maldives17 134
Guinea16  16
Haiti15 114
New Caledonia15  15
Bahamas14 113
Tanzania14 113
Cayman Islands121 11
Equatorial Guinea12  12
Eritrea12  12
Mongolia12  12
Dominica11  11
Namibia11 29
Saint Martin11  11
Greenland10 28
Myanmar10  10
Syria91 8
Grenada9  9
Saint Lucia9 18
Eswatini9  9
Curaçao8125
Guyana81 7
Laos8  8
Libya8  8
Mozambique8  8
Seychelles8  8
Suriname8  8
Angola72 5
Gabon71 6
Zimbabwe71 6
Antigua and Barbuda7  7
Cabo Verde61 5
Sudan61 5
Benin6  6
Vatican City6  6
Sint Maarten6  6
Nepal5 14
Fiji5  5
Mauritania5 23
Montserrat5  5
St. Barth5  5
Gambia41 3
Nicaragua41 3
Bhutan4  4
Turks and Caicos4  4
CAR3  3
Chad3  3
Liberia3  3
Somalia3  3
MS Zaandam2  2
Anguilla2  2
Belize2  2
British Virgin Islands2  2
Guinea-Bissau2  2
Saint Kitts and Nevis2  2
Papua New Guinea1  1
St. Vincent Grenadines1 10
Timor-Leste1  1
Total:######33,976151,766536,346
March 27, 2020
coronaguj-1280x875.jpg
15min26310

અમદાવાદની કોરોના પોઝીટીવ યુવતિ રિકવર થઇને ઘરે પરત ફરી

સૂરતની યુવતિનો એક ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો હવે 24 કલાકમાં બીજા નેગેટીવ ટેસ્ટની રાહ

ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.

અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક

https://www.facebook.com/AhmedabadAMC/photos/a.254934717900092/2930996543627216/?type=3&theater

24 કલાકમાં સૂરતમાં એક પણ પોઝીટવ નહીં : સૂરતમાં 6 શંકાસ્પદ રિપોર્ટ નેગેટિવ : 9 રિપોર્ટની રાહ જોવાય રહી છે

કોરોના અપડેટ 29/3 @ 11am : ભારત-979 (મોત-25) : ગુજરાત-58 (મોત-5) : સૂરત-6 (મોત-1)

આજે સવારે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ કોરોનાના વધુ ત્રણ કેસો પોઝીટીવ મળી આવ્યા છે. આ ત્રણેય કેસો અમદાવાદ વિસ્તારના હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં વધુ એક પેશન્ટ કે જે કોરોના પોઝીટીવ અને ડાયાબિટીસથી પીડાતા હતા એનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 58 થઇ છે. ગુજરાતમાં કોરોનાથી કુલ 5 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે.

સૂરત માટે રાહતના સમાચાર

  • સૂરતમાં પહેલો કેસ રિકવર સ્ટેજમાં, કોરોના મુક્તિ માટે 24 કલાકમાં બે રિપોર્ટ નેગેટિવ આવવા જોઇએ. સૂરતના પહેલા કેસના દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. હવે આગામી 24 કલાકમાં દ્વિતિય રિપોર્ટ નેગેટીવ આવશે એટલે એમને રજા આપીને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના અપાશે
  • સૂરતના શંકાસ્પદ દર્દીઓના વધુ 6 પેન્ડીંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
  • સૂરતમાં છેલ્લા 24 કલાકમાં કોઇ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
  • હવે તા.29મી માર્ચે 11 વાગ્યાની સ્થિતિ અનુસાર કુલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે.

ગુજરાતમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ: ૨૪ કલાકમાં કોરોનાના 9 નવા કેસ નોંધાયા

લોકલ ટ્રાન્સમિશન સામે મિશન ગુજરાતમાં નોવેલ કોરોનાના કુલ 58 પોઝિટિવ દર્દીઓમાંથી 38 જેટલા દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને ગુજરાત પરત આવેલા છે, જ્યારે 16 જેટલા દર્દીઓ એવા છે કે જેઓ વિદેશ પ્રવાસે ગયાં નહોતા, પરંતુ તેમને વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકોનો ચેપ લાગ્યો છે. હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોના સંપર્કથી હવે રાજ્યમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ થતા લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 18 કેસ સાથે અમદાવાદ કોરોનાના પોઝિટિવ કેસમાં અવ્વલ રહ્યું છે ત્યારે શહેરમાં આરએએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે.

  • અમદાવાદમાં 21
  • સુરતમાં ૦૭
  • રાજકોટમાં ૦૮
  • વડોદરામાં ૦૯
  • ગાંધીનગરમાં ૦૮
  • ભાવનગરમાં ૦૧
  • મહેસાણામાં ૦૧ કેસ
  • ગીર 1 કેસ

ગુજરાતમાં શુક્રવારથી શનિવાર બપોર સુધીના છેલ્લા ૧૨ કલાકમાં નોવેલ કોરોના વાઈરસનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો. શુક્રવારે રાત્રે રાજકોટમાં ત્રણ અને શનિવારે નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર કેસ લોકલ ટ્રાન્સમિશનથી થયા છે. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ૫૩ પર પહોંચ્યો છે. જોકે મહેસાણા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. છ નવાં કેસમાં અમદાવાદમાં ત્રણ અને મહેસાણા, ગાંધીનગર, વડોદરામાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં નોવેલ કોરોનાથી સુરત, અમદાવાદ અને ભાવનગરમાં એક- એક મળીને કુલ ત્રણના મોત થઇ ચૂક્યાં છે.

India Tally as on 29 March @ 11am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP550
RAJASTHAN540
GUJARAT534
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K311
MADHYA PRADESH302
WEST BENGAL171
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
ODISHA30
HIMACHAL 31
GOA30
PUDUCHERRY10

ભારત કોરોનાનાં સકંજામાં: શનિવારના એક જ દિવસમાં ૨૩૦ કેસ

દેશમાં કોરોના વાયરસના 979 કેસ નોંધાયા છે, જ્યારે 25થી વધુના મોત થઈ ગયા છે. દેશમાં કુલ 87 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. હાલ દેશમાં કુલ 867 એક્ટિવ કેસ છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે શનિવારે આપેલી જાણકારી મુજબ દેશમાં એક જ દિવસમાં (છેલ્લા ૨૪ કલાકમાં) કોરોના વાઇરસના પૉઝિટિવ રિપોર્ટવાળા નવા ૨૩૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. એ સાથે, કોવિડ-૧૯ની મહામારીના ભારતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા ૯૫૩ થઈ ગઈ છે. આ મહારોગને લીધે ભારતમાં વધુ બે જણના મૃત્યુ થતાં મૃતકોનો આંકડો શનિવારે ૧૯ ઉપર પહોંચ્યો હતો. જોકે, ૯૫૩માંથી ૮૦ જેટલા લોકોને કોરોનામાંથી મુક્તિ મળી છે.

ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાએ જે હાહાકાર મચાવ્યો છે અને વાઇરસના ચેપવાળા તેમ જ મૃત્યુના જે આંકડા બહાર આવ્યા છે એ જોતાં ૧૩૦ કરોડ કરતાં વધુ લોકોની વસતિ ધરાવતા ભારતમાં ૯૦૦+ કેસનો આંકડો મોટો ન કહેવાય, પરંતુ સમગ્ર દેશ માટે અત્યારે સ્થિતિ ગંભીર તો કહી જ શકાય અને લોકોએ વર્તમાન લૉકડાઉનના સમયગાળાના આવનારા દિવસોમાં વધુ સતર્ક રહેવું પડશે.

પહેલા ૧૫૦ કેસ ૪૯ દિવસમાં, 29મી માર્ચના એક દિવસે ૨૩૦થી વધુ કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસનાં પહેલા ૧૫૦ કેસ વર્ષ ૨૦૨૦ની ૩૦ જાન્યુઆરીથી ૧૮મી માર્ચ સુધીમાં (૪૯ દિવસમાં) નોંધાયા હતા અને ચોંકાવનારી બાબત એ છે કે એ પછીના ૧૦ દિવસમાં (એટલે કે ૧૮ માર્ચથી ૨૮ માર્ચ સુધીના છેલ્લા ૧૦ દિવસમાં) બીજા ૭૬૮ કેસ દેશમાં નોંધવામાં આવ્યા છે. વધુ આંચકાજનક વાત એ છે કે કોરોનાનાં પહેલા ૧૫૦ પૉઝિટિવ કેસ ૪૯ દિવસમાં નોંધાયા, પણ ગઈ કાલના (શનિવારના) એક જ દિવસમાં ૨૩૦ કરતાં વધુ પૉઝિટિવ કેસ બન્યા હતા. શનિવારે સાંજ સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૯૫૩ કેસ બનતાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન વિપરીત વળાંક લઈ રહી હોવાનું જણાયું છે. ભારતમાં આ મહામારીથી ગઈ કાલ સાંજ સુધીમાં ૧૯ મૃત્યુ થયા હતા.

ગુજરાતમાંથી દોઢ લાખ રાજસ્થાનીઓ વતન ગયાં

કોરોનાના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ઉદયપુર ખાતે દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સેનેટાઇઝેશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી.

રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પરથી સીલ હટાવી દઈ ગુજરાતમાંથી પરત ફરતા લોકોને પ્રવેશ આપવા માટે કામગીરી હાથ ધરી લોકોનું રજીસ્ટ્રેશન અને સેનેટાઇઝેશન કરીને જે ગામના હોય તે ગામનું નામ સરનામું લખીને રાજસ્થાનની બસો મારફતે તેમના વતન મોકલવા કામગીરી હાથ ધરી હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર દ્વારા ખડે પગે સરહદ પર ઉભા રહીને તપાસ હાથ ધરી બીમાર અને તાવ શરદી ઉધરસ, ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને ડુંગરપુર સારવાર અર્થે અને આઈસોલેશન માટે ખસેડવાની કામગીરી રાઉન્ડ ધી ક્લોક ચાલી રહી છે.

કોરોના અપડેટ 28/3 @ 12 Noon :

એક્ટીવ કેસ ભારત-775 ગુજરાત-53 સૂરત-06

ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં, 5 એપ્રિલ સુધી કેસ વધવાની શક્યતા

ગુરુથી શુક્રવારના સમયગાળામાં એકપણ પોઝીટીવ દર્દી જ્યાં મળ્યો ન હતો એ ગુજરાતમાં શુક્રવારે બપોર બાદ મોકલાયેલા સેમ્પલ્સમાં કોરોના વાયરસના પોઝિટિવ હોય એવા વધુ 6 દર્દીઓનો ઉમેરો થતાં આંકડો વધીને 53 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના મળેલા વધુ નવા છ કેસમાં સૂરત શહેર કે દક્ષિણ ગુજરાતમાં એક પણ કેસ નહીં હોવાનું જાણવા મળ્યું છે જે નવા કેસો છે એ ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાથી મળ્યા હોવાનું જણાવાયું છે.

  • 6 નવા કેસ પોઝીટીવ
  • વડોદરા 1, UKથી આવેલ પુરૂષ 66 વર્ષ
  • ગાંધીનગર 1 લોકલ, પુરૂષ 81 વર્ષ
  • મહેસાણા 1 લોકલ પુરુષ 52 વર્ષ
  • અમદાવાદ 1 ઈંદોરથી આવેલ 70 વર્ષ
  • અમદાવાદ 1 લોકલ પુરુષ 33 વર્ષીય
  • અમદાવાદ 1 લોકલ મહિલા 45 વર્ષ

રાજ્યમાં અત્યારસુધી 934 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સરકારના આંકડા અનુસાર, કોરોનાનો ભોગ બનેલા ત્રણ લોકો સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

ત્રણ કેસમાં વાયરલ લોડ ક્લિયર થયો 

રાજ્યમાં ત્રણ પોઝિટિવ કેસ સુધારા પર છે. નિર્ધારીત સમય બાદ બે વાર ટેસ્ટ કરતા તેમા વાયરલ લોડ ઘટ્યો અને વાયરલ લોડ ક્લિયર થયો હોવાના સારા સમાચાર છે. વડોદરાના જ એક પુરુષ અને બે મહિલાના કેસ સુધારા પર જેમને ધીમે ધીમે ડિસ્ચાર્જ પણ કરાશે. જો કે આ લોકોને પણ 14 દિવસ સુધી હમો ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.

ડૉ. રવિએ ઉમેર્યું હતું કે, ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી કોરોન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે. 

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આરોગ્ય ખાતાના અગ્ર સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, વધુ છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં હાલ 20,103 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.

ભારતમાં 886 કેસ

Confirmed 873, Deaths 19, Recovered 79, Active 775

લોકડાઉનના ચોથા દિવસે દેશમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંક 886 પર પહોંચ્યો છે, જેમાં 21 લોોકના મોત થયા છે. વિશ્વમાં 5.97 લાખ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાં ઈટાલીમાં 9 હજારથી પણ વધુ લોકોના તેના કારણે મોત થયા છે.

ગુજરાતમાં ગુરુવારની રાતથી શુક્રવારની બપોર સુધીના છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. ગુરૂવારે ૧૧ દર્દીઓના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કો-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વોરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

ડૉ. શ્રીમતી જયંતી રવિ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના ૪૪ પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૪ પોઝિટિવ દર્દીઓ પૈકી ના ૩૬ દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય ૧૮ દર્દીઓ પૈકીના ૧૬ દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે.

India update on 28/03/2020 @ 11 am

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1805
KERALA1730
KARNATAKA552
RAJASTHAN480
TELANGANA480
UP450
GUJARAT453
DELHI391
TAMIL NADU381
PUNJAB381
HARYANA330
MADHYA PRADESH302
J&K181
WEST BENGAL151
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
CHANDIGARH70
CHHATTISGARH60
UTTARAKHAND50
ODISHA30
HIMACHAL 31
GOA30

ગુજરાતમાં ૩.૫૦ કરોડ લોકોનો સર્વે: ૩૭ હજારથી વધારે લોકોએ રાજ્યબહાર પ્રવાસ કર્યો હતો

ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ કરોડ, ૫૦ લાખ, ૬૯, ૯૨૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, ૩૭,૮૮૫ વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને ૮,૨૬૫ જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૮ જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડૉક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

હોમ કોરોન્ટાઇન પરિવારો પર હવે પોલીસ નજર રાખી રહી છે

રાજ્યમાં વિદેશથી આવેલા ૨૭ હજારથી વધારે લોકોમાંથી મોટાભાગના લોકોને ઘર અને હોસ્પિટલોમાં કોરોનાન્ટાઇન કરવામાં આવ્યા છે, સરકારી કોરોન્ટાઇનમાં કરતા માં રખાયેલાં શંકાસ્પદ દર્દીઓ પર પહેરો રાખવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકોને તેમના ઘર પર જ હોમ કોરોનેટાઇન રાખવામાં આવ્યાં છે તેમના પર પહેરેદારી ન હોવાથી બહાર નિકળે છે. જેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી જવાની ભીતિ ને પગલે હવેથી આવાં હોમ કોરોન્ટાઇન પરિવારો પર પણ પહેરો ગોઠવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં આ માટે ખાસ ટીમની કરવામાં આવી છે. પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે.

જાહેરનામા ભંગના ૨૫૦ ગુના થયા છે અને ક્વોરોન્ટાઇન ભંગના ૨૩૬ ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.રાજકોટ શહેરમાં ૫૧૫ જેટલા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો માટે ૧૦૦ જેટલા સરકારી કર્મીઓની ટીમ બનાવી છે. આ ટીમ કોઈ હોમ ક્વોરન્ટીનનો નિયમ ન તોડો તો તેમની સામે ગૂનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફર્ક સમજો આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન વચ્ચેનો

હવે કોઇને શહેર બહાર જવા નહીં દેવાય : શહેરોમાં શ્રમજીવીઓ માટે ૫૪ રાહત કેમ્પો શરૂ કરાયા

રાજ્યમાં લોકડાઉનનો અમલ હોવાછતાં શાક માર્કેટ, કરીયાણાંની દુકાનો પર લોકોની ભીડ અને શ્રમજીવીઓ તથા શહેરોમાં રહેતા ગામડાનો પરિવારોની હિજરત ને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ સામે હવે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. હવેથી કોઇને પોતાનું સ્થળ છોડવા માટે પ્રતિબંધ સુધીના પગલા અને છુટક શાકભાજી માર્કેટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. શ્રમજીવીઓ માટે રાહત કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘેર બેઠાં મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રાજ્યમાં બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનોઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી ૫૪ રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યાછે. ગુજરાત બહાર જતા ૧૮ હજાર લોકોને રોકવામાં આવ્યા છે એવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, હોમક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓનીસંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

ગુજરાતના મહાનગરોમાંથી ૫૦,૦૦૦ શ્રમિકોને વતન પહોંચાડ્યા

અપડેટ 27/3/20 @ 10 am : ગુજરાતમાં હવે ક્લાઇમેટ ચેન્જ : કોરોના-લૉકડાઉન વચ્ચે થંભી રહ્યું છે જનજીવન : 55 લાખ લિટર દૂધ ખપી રહ્યું છે ગુજરાતમાં

એક્ટીવ કેસ ભારત-640 : ગુજરાત 43 : સૂરત 6 : (76 રિકવર – 17 મોત)

ગુજરાતમાં એક તરફ કોરોનાનો ફફડાટ છે, લૉકડાઉનનો કડકાઇપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તા.26મી માર્ચ 2020ની સાંજથી ગુજરાતના ક્લાઇમેટમાં અસામાન્ય ફેરફારો જોવા મળ્યા. અમદાવાદ, ગાંધીનગર સમેત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા. સમગ્ર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા શિયાળા જેવો માહોલ વર્તાયો. તા.27મી માર્ચ 2020ની સવારે સૂરતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અનુભવાયા. ગુજરાતીઓ માટે આ એક વિચિત્ર અનૂભુતિ છે. આ તમામ પ્રતિકુળતાઓ વચ્ચે ધૈર્ય જ એકમાત્ર ઉપાય છે. કેમકે આ સમય પણ વહી જવાનો છે.

કેસોની સંખ્યા 43 પર સ્થિર

ગુજરાતમાં તા.26મી માર્ચ 2020ના રોજ કોરોના વાયરસથી વધુ બે દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં આ રોગથી મરનારાનો આંકડો 3 પર પહોંચ્યો છે જ્યારે વધુ ચાર કેસ નોંધાતા પોઝીટીવ દર્દીઓના આંકડો વધીને ૪૩ નો થયો છે. જોકે આ આંકડો સ્થિર થયો હોવાની વાતે રાહતની લાગણી જરૂર ફેલાય છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ તા.26મી માર્ચે જણાવ્યું હતું કે રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૪૩ કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ-૩ નાગરિકોના નિધન થયાં છે. આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે.

રવિએ ઉમેર્યું કે રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૪, વડોદરામાં ૦૮, ગાંધીનગરમાં ૦૭, ભાવનગરમાં ૦૧ અને કચ્છમાં ૦૧ મળી કુલ-૪૩ કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો ૧૦૪ અને ૧૦૮ની આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ નકરાયો છે.

તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે જે ત્રણ નિધન થયા છે એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.

ક્લાઇમેટ ચેન્જ

ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં ભારે પવન સાથે કેટલસાક ઠેકાણે સતત બીજા દિવસે વરસાદી ઝપટાં વરસ્યાં હતા. બુધવારે કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દિક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે વરસાદ થયાં બાદ આજે ગુરૂવારે પણ ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.

કચ્છમાં સામખિયાળી બાદ કેટલાક ઠેકાણે ગુરૂવારે પણ ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો મંગળવારથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. આજે બુધવારે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો.

ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. ગુરૂવારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ યથાવત રહ્યું હતું પરંતુ ભારે પવન પણ ફૂંકાયો હતો.

રાજ્યમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩૦થી ૪૦૯ કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

હાલ દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ રૂપી આફત આવવાની તૈયારી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમાં વરસાદ પડાવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગ તરફથી તા. ૨૫ માર્ચના રોજ પાંચ દિવસની આગાહી આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોના, લૉકડાઉન વચ્ચે ક્લાઇમેટ ચેન્જ : ફિઝિકલ દુનિયા નાની કરીને વર્ચ્યુઅલ દુનિયા મોટી કરવી એક જ ઉપાય

ગુજરાતમાં રોજ ૫૫ લાખ લીટર દૂધનું વિતરણ

ગુજરાતમાં કોરોનાના ૪૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી ત્રણના તો મોત પણ થયા છે. લોકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી અને ૨,૬૮૦ ક્વિન્ટલ ફ્રુટની આવક થઈ છે. તેમજ રાજ્યમાં દૈનિક ૫૫ લાખ લીટર દૂધના પાઉચનું વિતરણ થઇ રહ્યું છે.

૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી

રાજ્યના સીએમઓના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજીમાં ૧૩,૬૫૫ ક્વિન્ટલ બટાટા, ૪,૩૫૦ ક્વિન્ટલ ડુંગળી, ૬૯૦૦ ક્વિન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ૬૧૦ ક્વિન્ટલ કેળાં, ૯૭૦ ક્વિન્ટલ સફરજન અને ૧૧૦૦ ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત ૨૬૮૦ ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

પુંસરી ગામે મૃતકનું ડિજિટલ બેસણું યોજાયું

કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું. મૃતકનો મુંબઈ રહેતો પુત્રે પણ ભારે હૈયે કોરોનાની ગંભીરતા સમજી વિડીયો કોન્ફરન્સથી પિતાને શોકાંજલિ પાઠવી હતી.

દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ભારત-વિશ્વના ન્યુઝ, ભારતમાં કેસોની સંખ્યા 700 પ્લસ

કોરોના વાયરસથી ગુરુવારે દેશભરમાં કુલ 7 લોકોના મોત થયા છે. જે ભારતમાં આ વાયરસથી એક જ દિવસમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 20ને પાર પહોંચી ગઈ છે. તેમજ અહેવાલ અનુસાર નવા 71 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હીમાં 4 કેસ આવ્યા છે. રાજ્યોના અહેવાલ નુસાર ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700થી પાર થઈ ગઈ છે. જ્યારે દુનિયામાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખ 31 હજારથી વધારે થઈ ચૂકી છે. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 24 હજારથી વધુ થઈ ગઈ છે. તો 1 લાખ 23 હજારથી વધુ લોકોએ આ વાયરસ સામેની લડાઈ જીતીને નવજીવન મેળવ્યું છે

કેરળમાં 137 કેસો

કેરળમાં અત્યાર સુધીમાં કોઇનું કોવિડ-19થી મોત થયું નથી. જો કે રાજ્યમાં ગુરૂવારના રોજ વધુ 19 કેસ નવા નોંધાયા. અહીં અત્યાર સુધીમાં 137 દર્દી છે જે દેશના કોઇપણ રાજ્યમાં સૌથી વધુ છે. ગુજરાતમાં ગુરૂવારના રોજ એક 70 વર્ષના વ્યક્તિનું મોત અને પાંચ નવા પોઝીટીવ કેસ દાખલ થયા. રાજ્યમાં પોઝીટીવ લોકોની સંખ્યા 44 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. ભાવનગરના રહેવાસી પીડિત તાજેતરમાં જ દિલ્હીથી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેઓ કેન્સર, ડાયાબીટીસ અને હાર્ટના દર્દી હતા.

India Corona Status as on 27 March 2020 at 10 a.m.

Confirmed : 724, Deaths : 17, Recovered : 67, Active : 640

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1370
MAHARASHTRA1304
KARNATAKA552
TELANGANA450
GUJARAT433
RAJASTHAN410
UP410
DELHI361
PUNJAB331
HARYANA300
TAMIL NADU291
MADHYA PRADESH201
LADAKH130
J&K131
ANDHRA PRADESH120
WEST BENGAL101
CHANDIGARH70
CHHATTISGARH60
BIHAR61
UTTARAKHAND50
HIMACHAL PRADESH31
GOA30
ODISHA20
PUDUCHERRY10