ભારતમાં પણ કોરોના વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેરળ રાજ્યમાં વિદેશથી આવેલા એક ત્રણ વર્ષના બાળકનો COVID-19 ટેસ્ટ પોઝેટિવ હોવાના રિપોર્ટ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 41 પર પહોંચી છે.
કેરળના એર્નાકુલમમાં સોમવારે 3 વર્ષના બાળકને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. હાલમાં જ પરિવાર સાથે ઈટાલી ફરીને આવેલા બાળકનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. આ બાળકને સારવાર માટે એર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના સૌ પ્રથમ કેસ કેરળમાં નોંધાયા હતા. ચીનના વુહાનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા હતા, જોકે, તેઓ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. કેરળના ઘણાં સંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.
રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.
આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.
(શાકાહારીઓને સમાચાર નહીં ગમે) પણ, કોરોના અંગેની Myth ભાંગવી જરૂરી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગત જાન્યુઆરી 2020ના ત્રીજા સપ્તાહથી ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાઇરસ નોનવેજ માર્કેટમાંથી ફેલાયો હોવાના અહેવાલો બાદ વિશ્વભરમાં ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે કે નોનવેજમાંથી કોરોના ફેલાય રહ્યો છે અને તેને પગલે નોનવેજ ખાનારાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. શાકાહારીઓને કદાચ નહીં ગમે એવા સમાચાર છે પણ ભારતના ફૂડ વિભાગના અધિકારીથી લઇને કેન્દ્ર સરકારના મંત્રી ગિરીરાજ કિશોરે સ્પષ્ટતા કરી છે કે ઇંડા, ચીકન, મટન, ફીશ કે અન્ય સી ફૂડમાંથી કોરોના વાઇરસ ફેલાતો નથી.
ચીકન, મટન, સી ફૂડથી કોરોના વાઈરસ ફેલાતો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાનું ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ના વડા જીએસજી આયંગરે ગુરુવારે Date 5 March 2020 કહ્યું હતું. કોરોના વાઈરસ ઊંચા તાપમાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકતો હોવાનો દાવો તેમણે કર્યો હતો.
Coronavirus does not spread through chicken, mutton, seafood: FSSAI chief
મૂળભૂત રીતે તે પ્રાણીઓનો વાઈરસ છે. માનવમાં આ વાઈરસ કઈ રીતે ફેલાયો તે નક્કી કરવાનું વૈજ્ઞાનિકો પર છોડી દો, એમ તેમણે કહ્યું હતું. ભારત ઉષ્ણકટિબંધ પ્રદેશ છે અને એકવાર તાપમાન ૩૫-૩૬ ડિગ્રી પાર કરે પછી કોઈ વાઈરસ બચી ન શકે, એમ તેમણે કહ્યું હતું.
ભારતના કોરોના વાઈરસના ચેપના ૨૯ ક્ધફર્મ કેસ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરો, એમ તેમણે કહ્યું હતું. ચીકન, મટન અને સી ફૂડ ખાવાથી કોરોના વાઈરસ વધુ ફેલાય છે એ પ્રકારની અફવાઓ વચ્ચે એફએસએસએઆઈએ કહ્યું હતું કે આ અંગે કોઈ ગેરસમજ નથી. હું વૈજ્ઞાનિક છું અને હું એ દલીલ માન્ય નહીં રાખું, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે સંકળાયેલા આયંગરે કહ્યું હતું કે કોરોના વાઈરસને અંકુશમાં લેવાની દવા જલદી જ શોધી કાઢવામાં આવશે.
There is no scientific evidence to show that coronavirus spreads through eating chicken, mutton and seafood, FSSAI chief G S G Ayyangar said on Thursday and asserted that the virus would not survive in higher temperature. “It is basically an animal virus.
Let us leave it to scientists to figure out how it has been transmitted…however, ours is a tropical country and once the temperature crosses 35-36 degrees celsius, no virus will survive.
“Let us pray to God that winter ends and temperature rises,” he said. There are at least 29 confirmed cases of coronavirus infection in India. Amid apprehensions that the infection could spread through eating chicken, mutton and seafood, the Food Safety and Standards Authority of India (FSSAI) CEO said there is a misconception about it.
“There is a misconception that coronavirus will spread through chicken, mutton and seafood. There is nothing like that. It is scientifically not proven. “I am a scientist, I will not buy this argument,” Ayyangar told reporters here. Loan from 3000 to 3 lakhs on your fingertips.
Ayyangar, who was earlier with Indian Council of Medical Research (ICMR), said it is a matter of time that vaccine for coronavirus will be developed as India has a good track of handling viruses. “Whether it is Ebola virus or Avian flu, we have handled them very well. It is a matter of time. We have to take precaution. We have to be on our toes,” he said. Urging people to take precautions, he said coronavirus is like many other viruses and developing a vaccine will depend on the complexity of the virus. The government is making all efforts to isolate the virus. “Once we are able to isolate the virus, then it takes sometime to find a vaccine to counter the virus,” he said at an event organised by industry body Assocham.
Addressing the event on nutrition and functional foods, Hexagon Nutrition Managing Director Vikram Kelkar said prices of vitamin supplements have been volatile recently and spread of coronavirus has affected the supply across the world.
On March 2, poultry breeders demanded a relief package from the government claiming that the sector has incurred heavy losses of around Rs 1,750 crore in a month due to fake news that eating chicken could spread coronavirus. Poultry bird prices have plunged to Rs 10-30 per kg at farm gate level due to a slump in chicken demand while the average cost of production is Rs 80 per kg, the All India Poultry Breeders Association had said in a representation to the Ministry of Animal Husbandry.
છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ધોનીએ મેદાન પર આવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોની નવી હેરસ્ટાઈલ સાથે આવી ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પણ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એટલે કે હવે મહેન્દ્ર સિંહ ધોની IPL-2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે.
ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી
તેમણે સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી.
ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે.
ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે.
ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.
CSK vs MI વચ્ચે 29મી માર્ચે મેચ
હવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગમી IPL માટે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં અભ્યાસ સત્રનો ભાગ હશે.
આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે.
સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.
ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.
રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું.
આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.
સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.
ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.
ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.
રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.
આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.
રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.
નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે. એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.
Bhavnath Mahadev Mandir
પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.
બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે. મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.
18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.
મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.
આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.
કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ
Reported on 17 February 2020 : 8.30 a.m.
Infection Summary as of 8 am IST on February 17th, 2020: –
71,223 Confirmed Cases –
1,770 Deaths –
10,699 in Serious/Critical Condition –
10,559 Recovered –
29 Territories
ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.
ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.
Reported on 16 Feb.
ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું
છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન
તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ
જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.