મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાની સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફુટે છે જે સંભવતઃ આગામી દિવસોમાં વધીને 318 ફુટ સુધી પહોંચી શકે છે.
હથનુર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી હળવાથી ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર નોંધાવા પામી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજા ખોલવાની સાથે જ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદી થકી ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં પહોંચશે. અલબત્ત, ઉકાઈ ડેમના અધિકારીઓ પણ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થશે તે મહત્તમ 318 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હાલ ઉકાઈ ડેમની સપાટી 314.81 ફુટ નોંધાઈ છે અને રૂલ લેવલ 333 ફુટ છે. અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં થનાર વૃદ્ધિ દર વર્ષે જુલાઈ મહિનાથી વહીવટી તંત્ર સહિત શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી ઉકાઈ ડેમની સપાટીમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી નહિવત વરસાદ નોંધાતા સપાટી છેલ્લા એક મહિનામાં એક ફુટ પણ વધી નથી.
સુરત સમેત સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે ત્યાં ત્યાં ફેબ્રિક મેન્યુફેક્ચર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ અને વિક્રેતાઓ વચ્ચે સીધો સેતુ નથી પણ વચ્ચે દલાલ, આડતિયાઓ વગેરેની પણ એક કડી ઉમેરાય રહી છે. પરીણામે ફેબ્રિક કોસ્ટથી લઇને ઇચ્છિત ક્વોલિટી, માગ, જરૂરીયાત બધી જ બાબતો અસરગ્રસ્ત થાય છે. પણ જો ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ જેમાં મોટા ભાગે વીવર્સ, નીટર્સ, પ્રોસેસર્સ સામેલ છે આ કડી તેમજ ફેબ્રિકના વિક્રેતાઓ, ફેશન મેકર્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, સ્ટીચર્સ વગેરે વચ્ચે સીધો સેતુ જો સધાય તો અનેક પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવે તેમ છે અને આ પ્લેટફોર્મ સૌથી પહેલી વખત સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પૂરું પાડવા જઇ રહી છે. વીવનીટ એક્ષ્પો એક એવું પ્રદર્શન હશે જે ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ તેમજ વિક્રેતા, ફેશન મેકર્સ વચ્ચે સીધો સેતુ કાયમ કરશે. જે સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગેમ ચેન્જર બની રહેશે.
સુરતનો વણાટ ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે, તેમાં પણ સોને પે સુહાગા કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે કેમકે વણાટ ઉદ્યોગને સ્પર્શતો પહેલો બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) એક્સપોનું આયોજન સુરત ખાતે થઇ રહ્યું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.11થી 12 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વીવનીટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વીવનીટ એક્સ્પો સ્થાનિગ વણાટ ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સમાન નિવડશે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત યોજાઇ રહેલા વિવનીટ એક્સ્પો વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
ભારતના 10થી વધુ શહેરોના મોટાગજાના બાયર્સ આવશે
વીવનીટ એક્સ્પોમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.
હેડિંગ બોક્સમેન્યુફેક્ચરર્સ માટે વન સ્ટોપ શોપનું પ્લેટફોર્મ
વિવનીટ એકઝીબીશન થકી વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.
સુરતના રોકાણકારો તેમજ ઉદ્યોગ-ધંધા માટે અગરતલામાં છે તકોની ભરમાર : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા
ચેમ્બરના નેજા હેઠળ વિવિધ ઈન્ડસ્ટ્રી પ્રતિનિધિઓની ત્રિપુરા મુલાકાતે ખોલ્યા નવી દિશાના દ્વાર
સુરતના ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા માટે ત્રિપુરા રાજ્યમાં સારામાં સારી તક હોવાની માહિતી સાથે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વાંસમાંથી બનતું લાકડું, પાઇનેપલ, લિચી અને ચ્હાના તમામ પ્રકારના કારોબાર માટે ત્રિપુરા ઉત્તમ હોવાનું સુરતથી ત્રિપુરા ગયેલા પ્રતિનિધિ મંડળને જણાયું છે. પ્રતિનિધિમંડળે ત્રિપુરાની મુલાકાત સાથે ત્યાં રાજ્ય સરકાર તરફથી અનેક પ્રકારના પ્રોત્સાહન પણ આપવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે જે ઉદ્યોગ સાહસિકોએ ત્રિપુરા ખાતે ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે ઇચ્છુક હોય તેમણે ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરવો.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા સમેત સુરતના 8 ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મન્સુખ માંડવીયાની આગેવાની હેઠળ તાજેતરમાં અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે અનેક મિટીંગો યોજીને સુરત કે ગુજરાતથી ઉદ્યોગ સાહસિકો જો ત્રિપુરા આવે તો તેમને કેવી રીતે પ્રોત્સાહન મળે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન ત્રિપુરાના ઈન્ડસ્ટ્રીઝ સેકે્રટરી ડો. પી. કે. ગોયલ, ઈન્ડસ્ટ્રીઝ ડાયરેકટર તરીત ચકમા, એડીશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રવિણ અગ્રવાલ, હોર્ટીકલ્ચર એન્ડ સોઈલ કન્ઝર્વેશન ડાયરેકટર ડો. પી. બી. જમાતીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડાયરેકટર પી. એલ. ચકમા, મેનેજિંગ ડાયરેકટર, ત્રિપુરા રીહેબીલીટેશન પ્લાન્ટેશન કોર્પોરેશન પ્રસાદ રાવ વદરાપુ, ત્રિપુરા ફોરેસ્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્લાન્ટેશન સેકટરના એકિઝકયુટીવ ડાયરેકટર બી. દેબરામના, મેડીકલ પ્લાન્ટ બોર્ડ, ત્રિપુરાના ડી.સી.એફ વાંગડુપ ભુતીયા, ત્રિપુરા ટી–બોર્ડના ચેરમેન સંતોષ સાહા સાથે મિટીંગ કરી હતી. આ ઉપરાંત ડેલીગેશને ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.
ધુપ,ઓઇલ અને પરફ્યુમમાં અત્યંત ઉપયોગી અગર વૃક્ષની ચીપ્સ
ડેલીગેશનના સભ્ય અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેલજી શેટા જણાવે છે કે, ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને ૩–૪ વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે. તદુપરાંત બામ્બુ ફર્નિચર, રબરવુડ જેવી આઈટમો રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં લાકડાના સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જે વધુ ટકાઉ છે અને તેમાં પાણી/ઉધઈથી કોઈ સમસ્યા ઉભી થતી નથી. આ તમામ ક્ષેત્રમાં ખુબજ સારી તકો રહેલી છે. આ ઉપરાત, સભ્યો દ્વારા ટી માર્કેટીંગ, એકઝોટિક ફુ્રટનું વાવેતર, રબરની પ્રોડકટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ તથા બામ્બુ પ્રોડકટમાં રહેલી તકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પાઇનેપલ, લિચી અને જેકફ્રુટનો વિપુલ જથ્થો અનેક બિઝનેસ ખેંચી લાવે
ડેલીગેશન સભ્ય અને ફુડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનહર સાંસપરા જણાવે છે કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબજ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. જો પલ્પીંગ પ્લાન્ટ, ફ્રુટ પાવડર મેકિંગ પ્લાન્ટ, કેન ફુડ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તેનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે અને માત્ર ભારતની ફુડ ઈન્ડસ્ટ્રી જ નહીં વિદેશમાં એક્ષ્પોર્ટ પણ કરી શકાય તે માટેની તકો રહેલી છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસ પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વધુ પાંચ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. શહેર પોલીસ માટે માનવબળમાં વધારો કરવામાં આવ્યો હોવાનું આ બેઠકમાં જણાવાયું હતું અને શહેરમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સુરત શહેરમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. શહેરના પોલીસ મહેકમમાં વધારો કરીને નવા 1956 જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓનો વધારો કરાયો છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. અહીં સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈને ગત વર્ષોમાં સાંસદો અને ધારાસભ્યોએ નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરતમાં સેફ સીટી હેઠળ 631 અને સ્માર્ટ સિટીમાં 155 મળી કુલ 986 સીસીટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-2 પ્રોજેક્ટ હેઠળ નવા 590 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સીસીટીવીના નેટવર્ક વર્ષ 2020-21 અને 2021-22 માટે 21.16 કરોડ મંજૂર કરાયા છે. વાહનો માટે ત્રણ કરોડ અને 1.23 કરોડના ઈક્વિટમેન્ટ મંજૂર કરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પ બને અને તેની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજ્યભરમાં 71 કરોડના ખર્ચે 10 હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા મહેકમમાં હજુ વધારો કરવાની જરૂર હોવાનું જણાવ્યું. સુરત પોલીસ કમિશનર અજય તોમરે વિગતો આપતા કહ્યું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઈએસ્ટ ગુનાઓમાંથી 80 ટકા ડિટેક્ટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે.
ગત ફેબ્રુઆરી 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી એ પૂર્વે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર અશોક રાંદેરીયા, વ્રજેશ ઉનડકડ અને તેમની પેનલને અઠવાગેટ પર રહેતા લોકોએ બબ્બે વખત તેડાવીને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો તેઓ અઠવા ગેટ પર જતા નાનપુરાના રોડની હાલમાં બંધ એન્ટ્રી તાત્કાલિક નહીં ખોલાવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એ સમયે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરી હતી. એ પછી ઇલેકશન યોજાઇ ગયું અને વોર્ડ નં.21ની ભાજપાની આખી પેનલ ચૂંટાઇ આવી.
વાત હવે શરૂ થાય છે. વોર્ડ નં.21ના ભાજપાના કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટ બન્ને કોર્પોરેટરો પોતે અઠવાગેટના સ્થાનિક રહેવાસીઓને આપેલી જુબાનના સાર્થક કરવા મંડેલા રહ્યા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલિસ અને શહેર પોલીસ તમામ સાથે અનેકો વખત મિટીંગો કરી. સ્થાનિક લોકોનું પ્રેશર પણ ખરું.
આખરે આજે તા.15મી જુલાઇ 2021ના રોજ અઠવા ગેટ પર રહેતા લોકો માટે સોનાનો દિવસ ઉગ્યો. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે નાનપુરા, ટીમલિયાવાડ, ટીએન્ડ ટીવી સ્કુલ તરફથી અઠવાગેટ સર્કલ પર આવતા રોડની બંધ એન્ટ્રીને ખોલી નાંખવાની કાર્યવાહી હાથ ધરી અને રોડ ખુલ્લો કરતા કમસે કમ ત્રણેક લાખ લોકોને રોજબરોજ અવરજવરનમાં નડતો પ્રશ્ન ઉકેલાય ગયો છે.
ટ્રાફિક પોલીસ અને પાલિકાનું કહેવું હતું કે ટ્રાફિકની અવરજવર સરળ રહે એ માટે નાનપુરાથી અઠવા સર્કલની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી, પરંતુ, તેની બીજી તરફ અઠવાગેટ દેરાસરથી લઇને નાનપુરા, ટીમલિયાવાડથી કાદરશાની નાળ સુધી રહેતા લાખો લોકોને પારાવાર અને રોજિંદી મુશ્કેલી થઇ પડી હતી, રોજ સવાર પડેને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવી પડતી, હવે આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાય ગયો છે
આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે ભલભલા અધિકારીઓ એવું જ કહેતા કે નાનપુરાથી અઠવાગેટ જતા બંધ રોડને ખુલ્લો કરવો એ અશક્ય કામ છે, આવું થઇ શકે જ નહીં પરંતુ, સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટે લોકોને કનડતો પ્રશ્ન હોઇ, તેને ગમે તે ભોગે ખુલ્લો કરવાની નેમ લીધી હતી અને એ પૂર્ણ કરી બતાવી.
છેલ્લા 80 વર્ષથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, રોજગાર, વેપારને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હવે એક કંપની તરીકે અસ્તિત્વ પામશે. અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે, ઓન પેપર કોઇ જ વજૂદ ન હતું, જેને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથેના વ્યવહારોમાં અનેક ટેકનિકલ મુશ્કેલીઓ પડી રહી હતી, એ સમસ્યાઓ કાયમી રીતે દૂર થાય અને એસ.જી.સી.સી.આઇ.નું સંચાલન પદ્ધતિસર થાય તે માટે કંપની એક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વહીવટ હાલમાં પાંચ હોદ્દેદારોથી ચાલી રહ્યો છે. જેમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સનું 9ની સભ્ય સંખ્યા ધરાવતું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અસ્તિત્વમાં આવશે. જેમાં 3 મેમ્બર્સ ચૂંટાયેલા (1) પ્રેસિડેન્ટ (2) વાઇસ પ્રેસિડેન્ટ અને (3) ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટ, બીજા ત્રણ ડિરેક્ટર્સ અનુક્રમે (4) સેક્રેટરી (5) જોઇન્ટ સેક્રેટરી અને (6) ટ્રેઝરર તથા બાકીના ત્રણ સભ્યો (7), (8) અને (9)ની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દ્વારા નિયુક્તિ કરવામાં આવશે.
ચેમ્બરને કાયદેસરતા મળે તે માટે દિનેશ નાવડીયાનો કાર્યકાળ હંમેશને માટે યાદગાર રહેશે
ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે સ્વરૂપ એસોસીએશન ઓફ પર્સન્સ હતું. ચેમ્બર ઓફ કોમર્સ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે અનેક રીતે પ્રવૃતિમય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે સતત કામગીરી કરવાની હોય છે, પરંતુ, ચેમ્બર પાસે કોઇ કાયદાકીય રીતે નોંધણીનું સર્ટિફિકેટ ન હોય અનેક કિસ્સામાં વહીવટી ગૂંચ અને ટેકનિકલ સમસ્યાઓ નડતી હતી. ડગલેને પગલે આ ક્ષતિ ચેમ્બર ઓફ કોમર્સને નડી રહી હતી. પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ નોંધણી થવાની સાથે જ ચેમ્બર ઓફ કોમર્સને નડતી કાયદાકીય વજૂદની સમસ્યા કાયમ માટે દૂર થશે.
બીએસ અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળાની મહેનત રંગ લાવી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવી શકાય તે માટે તૈયાર કરવામાં આવેલા મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ અને રૂલ્સ રેગ્યુલેશન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળા અને તેમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સની એક કંપની એક્ટ હેઠળ નોંધણી થઇ શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી ચેમ્બરને કોઇપણ પ્રકારે કાયદેસર રીતે અસ્તિત્વ મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ, આખરે વર્તમાન પ્રમુખ દિનેશ નાવડીયાના કાર્યકાળમાં આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટેનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે.
ચેમ્બરની ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભલે એક કંપની તરીકે રજિસ્ટર્ડ થાય અને બોર્ડ ડિરેક્ટર્સ અમલમાં આવે, પણ સૂત્રો જણાવે છે કે ચેમ્બરમાં ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે. જેમાં મેનેજિંગ કમિટી, વાઇસ પ્રેસિડેન્ટ માટે યોજાતી ચૂંટણીઓ પર કોઇ અસર નહીં થાય.
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર બદલી પામેલા સનદી અધિકારી ડૉ. ધવલ પટેલને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમારોહમાં ફૂલડે ફૂલડે વધાવ્યા
લૉકડાઉનમાં 3 કરોડ ફૂડ પેકેટ્સ અમૂક રાજ્ય સરકારો પણ મેનેજ કરી શકી નથી સુરતના લોકો કોઇપણ ક્રાઇસીસમાં સહાયભૂત થવામાં વહીવટીતંત્રો માટે બેમિસાલ
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી પામેલા સનદી અધિકારી ડો.ધવલ પટેલને વિદાયમાન આપવા માટે ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ડો. ધવલ પટેલે એકરાર કર્યો હતો કે સુરતમાં ફરજકાળ દરમિયાન કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સીજન ક્રાઇસીસ અત્યંત મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે એ તરફ ઓક્સીજનની માગ વધતી અને બીજી તરફ ઉત્પાદન વધે તેવી કોઇ શક્યતા નહીં, આપણે વિતરણ વ્યવસ્થા દુરસ્ત કરી શકીએ પણ માગમાં વધારો ઉત્પાદન વગર શક્ય ન હતો અને એ સમય મુશ્કેલી ભર્યો રહ્યો.
ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક પરંપરા છેકે શહેરમાં કોઇપણ સનદી અધિકારીની બદલી થાય અને નવા આવે ત્યારે તેમના માનમાં બન્ને અધિકારીઓને એક મંચ પર તેડાવીને એકને વિદાયમાન અને એકને આવકાર આપવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ શનિવારે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત કલેક્ટર પદે નવનિયુક્ત આયુષ ઑક વ્યસ્તતાના કારણોસર પધારી શક્યા ન હતા જ્યારે ડો.ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ એસોસીએશન, ક્રેડાઇ, પાંડેસરા વિવર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસીએશન, વેડરોડ વીવર્સ એસોસીએશન સમેત અનેક સંસ્થાઓને પ્રતિનિધિઓએ ડો. ધવલ પટેલની સુરતમા વિદાય પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અનેક અગ્રગણ્ય મહાનુભાવોએ ડો.ધવલ પટેલ સાથેના યાદગાર સંભારણાઓ વ્યક્ત કર્યા હતા.
સમારોહના અંતમાં પોતાનો પ્રતિસાદ આપતા ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતના લોકો સતત હેલ્પિંગ હેન્ડ સમાન છે. કોરોનાકાળમાં સુરતના લોકોએ વહીવટીતંત્રોને જે સાથ આપ્યો તે બેમિસાલ છે. તેમણે કોરોનાકાળમાં પરપ્રાંતિય કામદારો માટે વિતરીત કરાયેલા 3 કરોડ નંગ ફૂડ પેકેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂડ પેકેટના આંકડાનું રિપોર્ટિંગ સરકારમાં કરતા ત્યારે સરકારી ઉપરી અધિકારીઓના પણ વાત માન્યામાં નહતી આવતી, તેઓ કહેતા કે કોઇ રાજ્ય આટલા ફૂડ પેકેટ મેનેજ કરી શક્તી ન હોય ત્યારે એકલા સુરતમાં આ કેવી રીતે શક્ય છે. ડો. પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુરતના લોકો કોઇપણ કાર્યમાં સહભાગી થતાં. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ તથા સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો ઉલ્લેખ કરતા ખાસ કહ્યું કે આવી સંસ્થાઓને કારણે જ સુરત હંમેશા દરેક કટોકટીમાંથી બહાર આવી જાય છે.
પોતાની ફરજ કાળ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતમાં વિતાવેલો સમય સાચે જ અવિસ્મરણીય છે. સાર્વજનિક સોસાયટીમાં ઉલબ્ધ હસ્તલિપી સાહિત્યનો ઉલ્લેક કરતા કહ્યું કે આ એક અદભૂત ખજાનો છે, સુરતના લોકો તેનો ઉપયોગ કરે.
સુરતના સૌથી મુશ્કેલ સમય અંગે ડો.ધવલ પટેલે નિખાલસતાથી કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સીજન ક્રાઇસીસ સૌથી મુશ્કેલ અને મૂઝવણભર્યો સમય હતો. એક તરફ સુરતમાં માગ વધુ હતી અને બીજી તરફ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હતી. અમે વિતરણ વ્યવસ્થા અને વેસ્ટેજ ઝીરો કર્યા પછી પણ વધતી માગ સામે ઓક્સીજન ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ તેમ ન હતા. એવો સમય હતો કે શું કરવું તેની સમજ નહીં પડે. પણ સદનસીબે ક્રાઇસીસ થોડા દિવસમાં ઓવર થઇ ગઇ.
લૉકડાઉન પીરીયડ દરમિયાન સુરતથી 10 લાખથી વધુ લોકોને તેમના વતન ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા. ક્યાંય કોઇ અનિચ્છનિય ઘટના કે ટોળાશાહી કે ગેરવ્યવસ્થા જોવા મળી નહીં. બીજી શહેરોનો ઉલ્લેખ કરતા ડો.ધવલ પટેલે કહ્યું કે ટ્રેનની જાણકારી મળતા જ ટોળેટોળા ઉમટી પડતા હતા, પણ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓની અદભૂત સહાયને પગલે સૌથી વધુ 450 કરતા વધુ ટ્રેનો બિલકુલ નિયમબદ્ધતા સાથે રવાના કરી શક્યા હતા.
તાપીના કિનારે કોઇ ભૂખ્યુ ન સૂઇ શકે
સુરતમાંથી પોતાના વિદાય સમારોહને સંબોધતા સુરતના પૂર્વ કલેક્ટર ડો.ધવલ પટેલે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સુરતમાં કોઇ રાજ્ય નહીં કરી શકે તેટલી સંખ્યામાં લોકો માટે ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરાયું. આની પાછળ કદાચ સરકારી ખર્ચ અને મશીનરી 5થી 10 ટકા હશે, બાકી બધું સુરતના લોકોએ કર્યું, ઉચ્ચ સરકારી અધિકારીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓને માટે આ વાત માન્યામાં આવે તેવી ન હોવાનું જણાવતા ડો. ધવલ પટેલ સાહજિકતાથી એવું બોલી ઉઠ્યા કે તાપી કિનારે કોઇ ભૂખ્યું ન સૂઇ શકે. તેમના આ નિવેદનની સાથે જ ચેમ્બરના મિલેનિયમ હોલમાં ઉપસ્થિત સુરતી મહાજનોએ તાળીઓના ગડગડાટ સાથે પોતાને મળેલું વિશેષણ વધાવી લીધું હતું. સુરતના લોકો સહાયભૂત થવામાં બેમિસાલ હોય છે. એમ તેમણે કહ્યુ હતું.
CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने MSME के बारे में विस्तृत जानकारी दी
सूरत मर्कनटाइल ऐसोसिएशन की आज दिनांक 04/07/2021 वार रविवार की साप्ताहिक व्यापारी समस्या समाधान मिटिंग का आयोजन बहुत ही शानदार रहा । दि. 4 जुलाई की बैठक में लगभग 185 कपडा व्यापारियों उपस्थित थे। विशेष उस मिटिंग को SMA की आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने 30 मिनट का उदबोधन कर भारत सरकार द्वारा टेक्सटाइल व्यापारियों को MSME में शामिल किये जाने के बाद कपडा व्यापारियों को इस नियम से क्या क्या लाभ मिलेगा उसकी पुरी जानकारी उदाहरण सहित बहुत ही सरल भाषा में विस्तार पूर्वक वर्णन किया था।
CiA Live वैब पोर्टल में अपने न्युझ-इवेन्टस प्रकाशित करने के लिए संपर्क कर शक्ते है ::: 98253 44944
सभी व्यापारी भाईयों ने बहुत ही उत्साह से CA आकाश अग्रवाल की बातों को सुना एवम् समझा है ओर कई व्यापारियों ने अपनी जिज्ञासा से बहुत सारे प्रश्न किये जिनका सन्तोष पूर्वक जबाब भी CA साहब ने दिया।MSME में आने से कपडा व्यापारियों को अपने व्यापार मे काफी लाभ मिलेगा।
गौरव भसीनने आनलाईन कारोबार के बारे में विस्तृत जानकारी दी
इसके बाद कोर कमेटी के सदस्य श्री गौरव भसीन ने आज की कोरोना महामारी के बाद नयी परिस्थितियों में आनलाइन व्यापार की जरुरत पर तथा कैसे करना चाहिए सभी व्यापारी भाईयों को आनलाइन व्यापार की जानकारीया साझा की है।।
आज की परिस्थितियों में व्यापार में बदलाव की सख्त जरुरत है अतः हमें आफ लाइन व्यापार से आनलाइन व्यापार में अग्रसर होना चाहिए क्योंकि आफलाइन व्यापार की समय सीमा निश्चित है जबकि आनलाइन व्यापार 24×7×365 दिन चलता है।। आज की जरुरत आन लाइन व्यापार की है।।
आज समय सीमा कम होने के बाद भी लगभग 58 व्यापारियों ने अपनी अपनी समस्याएं दर्ज कराई है जिनमें से 5 समस्याओं का समाधान हाथो हाथ किया गया है तथा कुछ मामलें समय लेकर हल हो जायेंगे तथा कुछ मामलें कानुनी कार्यवाही के लिए लीगल टीम को ट्रांसफर कर दिया है।।
रविवार की सभा का संचालन श्री दुर्गेश टिबडेवाल जी ने किया तथा समस्याओं का विवरण श्री आत्माराम बाजारी जी ने दिया एवं समस्या समाधान SMA प्रमुख श्री नरेन्द्र साबू जी ने किया है।। सूरत मर्कनटाइल ऐसोसिएशन समय समय पर व्यापारियों के हितार्थ समस्याओ को उठाते हैं तथा निस्वार्थ भाव से व्यापारी की सहायता करतें हैं यही SMA का लक्ष्य है।
विशेष सूचना सूरत मर्कनटाइल ऐसोसिएशन अपने रजिस्टर्ड सदस्य व्यापारियों को MSME में रजिस्ट्रेशन के लिए SMA आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल जी के सहयोग से मुफ्त बगैर किसी भी चार्ज के निस्वार्थ सेवा प्रदान करेंगे।।
કોરોના કાળમાં છેલ્લા પાંચેક મહિનાથી સ્પાઇશ જેટ એરવેઝએ સુરતના તમામ ઓપરેશન્સ બંધ કરી દીધા હતા સુરત એરપોર્ટને બખ્ખાં જુલાઇમાં સુરતથી 6 શહેરોની સ્પાઇશ જેટની ડાયરેક્ટ ફ્લાઇટ પોસ્ટ કોવીડ ઓપરેશન્સમાં સુરત-પટણાની પહેલી ફ્લાઇટ 16મી જુલાઇથી શરૂ, સુરત એરપોર્ટ ધમધમી ઉઠશે
કોરોના પેન્ડેમિકને કારણે એક સમયે દર પોણો કલાકે જ્યાં ફ્લાઇટની આવનજાવન રહેતી હતી એ સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા બિલકુલ ઘટી ગઇ હતી. સ્પાઇશ જેટ દ્વારા તો સુરત એરપોર્ટ પર આવતી અને ઉપડતી તમામ ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાનું જોર ઘટતા સ્પાઇશ જેટ દ્વારા ચાલુ જુલાઇ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 6 શહેરોની ડાયરેક્ટ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફ્લાઇટ તા.16મી જુલાઇથી શરૂ થશે જે સુરતથી પટણા એરપોર્ટની છે. આ ફ્લાઇટ માટેના બુકિંગ પણ શરૂ થઇ ચૂક્યા છે.
સુરતને એર કનેક્ટિવીટી મળે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ.એ.) ગ્રુપ અને મુવમેન્ટ ચલાવતા સંજય શાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ફ્લાઇટની આવનજાવનથી બિઝી રહે એ દિવસો હવે દૂર નથી. કોરોનાના કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત બે નવા શહેરોની એરકનેક્ટિવીટી પણ સુરતને મળી રહી છે. તેમણે કહ્યું કે સુરત એરપોર્ટથી સ્પાઇશ જેટ દ્વારા પોતાના ઓપરેશન્સ પોસ્ટ કોવીડ પરિસ્થિતિમાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.
સ્પાઇશ જેટ ચાલુ જુલાઇ મહિનામાં જે પાંચ શહેરોની ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે તેમાં (1) સુરતથી પટણા, વીકમાં 4 દિવસ (2) સુરતથી જયપૂર ડેઇલી ફ્લાઇટ (3) સુરતથી હૈદરાબાદ, વીકમાં 4 દિવસ (4) સુરતથી પૂના વીકમાં 4 દિવસ અને (5) સુરતથી જબલપુર, વીકમાં 3 દિવસનું શિડ્યુલ બની રહ્યું છે અને આ તમામનું બુકિંગ પણ શરૂ થઇ જશે ગયું છે, એમ સંજય શાહે જણાવ્યું હતું.
પૂના અને જબલપુર સાથે પહેલી એક કનેક્ટિવીટી
વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ મૂવમેન્ટના આગેવાન સંજય શાહે જણાવ્યું હતું કે સુરતથી પૂનાની ફ્લાઇટ માટે ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ ફુલફ્લેજ ધમધમવા માંડ્યું હતું, પરંતુ, કમનસીબે સુરતથી પૂનાની ફ્લાઇટ મળી શકી ન હતી. પરંતુ, આ વખતે જુલાઇ મહિનો સુરત એરપોર્ટ માટે અનેક ગુડ ન્યુઝ સાથે આવ્યો છે. સુરતથી પૂના અને સુરતથી જબલપુર બન્ને શહેરોની એરકનેક્ટિવીટી સુરત એરપોર્ટ પરથી પહેલી વાર મળી રહી છે. સુરતથી પૂના સુરતના ખાસ્સા લોકોની અવરજવર રહે છે, સુરત અને પૂના વચ્ચે અનેક વ્યાપાર-ધંધાનું પણ જોડાણ છે તેમજ સુરતથી પૂના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. હજારો સુરતીઓ પૂના અને આસપાસ નોકરી પણ કરી રહ્યા હોઇ, આ ફ્લાઇટ માટે વર્ષોથી ડિમાંડ કરવામાં આવી રહી હતી.
ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓને જયપૂર ફ્લાઇટની રાહ
સુરતના ટેક્ષટાઇલ ઉધોગપતિઓ સમેત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લોકો જયપૂરથી સુરત આવીને વસ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો સુરત જયપૂરની ડેઇલી ફ્લાઇટ માટે વખતોવખત રજૂઆતો પણ કરતા આવ્યા છે. કોરોનાના કારણે સુરત જયપુર ફ્લાઇટ સદંતર બંધ રહેતા અનેક પરિવારોએ ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. પરંતુ, હવે સ્પાઇશ જેટ દ્વારા સુરત જયપુર ફ્લાઇટ ડેઇલી બેઝીસ પર શરૂ કરવામાં આવી રહી હોઇ, સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમજ રાજસ્થાનથી અહીં આવીને વસેલા લોકોમાં ખુશાલી પ્રસરી ગઇ છે.
आज सूरत मर्कनटाइल ऐसोसिएशन के एक प्रतिनिधिमंडल में SMA प्रमुख श्री नरेन्द्र साबू जी तथा SMA कोर कमेटी के संजय अग्रवाल तथा SMA वर्किंग कमेटी के कमलेश जी बलार, सुनील जी गुप्ता,अरविंद जैन तथा केवल जी असीजा के साथ सूरत महानगर के नव नियुक्त कलेक्टर महोदय श्री संजय जी ओक से शुभेच्छा मुलाकात की है।।
उपरोक्त मुलाकात के दौरान केलैक्टर महोदय से मार्केट विस्तार में अशान्त धारा का नियम के बाबत चर्चा हुई है तथा उन्होंने हमारी पुरी बात को समझा है तथा उन्होंने सहमति जताई कि मार्केट विस्तार में अशान्त धारा का नियम लागू करना उचित नहीं है तथा इस समस्या पर गम्भीरता से विचार करने का आश्वासन दिया है।।
दुसरे सूरत मर्कनटाइल ऐसोसिएशन sma प्रतिनिधि मण्डल ने मार्केट विस्तार में वैक्सीनेशन की प्रक्रिया को तेज गति से चलाने तथा समय सीमा 31 जुलाई तक करनें के लिए निवेदन किया है।। इस सन्दर्भ में भी केलैक्टर महोदय जी ने पूर्ण विश्वास दिलाया है कि मार्केट विस्तार में वैक्सीनेशन को लेकर किसी भी व्यापारी या कर्मचारी को किसी भी प्रकार की तकलीफ नहि आयेंगी तथा वैक्सीनेशन की गति भी बढाई जायेंगी।।
केलैक्टरने बहुत आत्मीयता से हमारी सबकी बातें सुनी तथा समस्या समाधान हेतू सहयोग का आश्वासन दिया है।।आपके मृदु व्यवहार के लिए सुरत मर्कनटाइल ऐसोसिएशन तथा सभी कपडा व्यापारी ह्रदय से आभार व्यक्त करते हैं।
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.