CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 43 of 48 - CIA Live

August 26, 2018
RobotEvolution.jpg
1min4070

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સૌપ્રથમ વખત કૉલેજોને પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે. કૉલેજોમાંં સાઇબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) અને પ્રોડક્ટ ડિઝાઇન જેવા અભ્યાસક્રમનો સમાવેશ થશે.

સ્વાયત્ત કૉલેજોમાં આ વિષયને બીજા વિષયના વિકલ્પ તરીકે અપાશે અને અન્ય કૉલેજોમાં વૅલ્યુ ઍડેડ અભ્યાસક્રમ તરીકે ગણાશે. રાજ્ય સરકારની પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવાની યોજના છે. કૉલેજોમાં રોબોટિક્સ, એ.આઇ., સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્કિસ અને કેપિટલ માર્કેટ્સ જેવા અભ્યાસક્રમ શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે.

ગણતરીની કૉલેજોના કૅમ્પસ પ્લેસમેન્ટ પર રાજ્ય સરકાર નજર રાખશે. પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને મળતો સરેરાશ પગાર અને ઇન્ડસ્ટ્રીને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની નિપુણતા જોઇએ છે વગેરે માહિતીઓ પર રાજ્ય સરકાર બૅઝલાઇન સ્ટડી કરશે. છેલ્લે જ્યારે અભ્યાસક્રમમાં ફેરફાર થયો હતો તે વખતના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને અત્યારના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની રાજ્ય સરકાર સરખામણી કરશે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકારની યોજના છે કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવવાનો વિચાર છે તે માટે આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાત પાસેથી રોબોટિક્સ અને એ.આઇ.નો અભ્યાસક્રમ અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે. તે સિવાય સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્ક્સનો અને કૅપિટલ માર્કેટનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે આ માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

August 23, 2018
cbse1.jpg
1min11080

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 22, 2018
nta1.jpg
1min4810

Jayesh Brahmbhatt   98253 44944

 

જેમને સિસ્ટમની ખબર નથી એવા લોકો ઇજનેરી અને નીટ જેવી રાષ્ટ્રીય અને મહત્વની ગણાતી પ્રવેશ પરીક્ષાઓ અંગે નીતિ વિષયક નિર્ણયો લઈ રહ્યા છે અને આવું થવાને કારણે ગઇ તા.7મી જુલાઇ 2018ના રોજ ઉતાવળે કરવામાં આવેલી ઘોષણાઓને રદ કરીને નવેસરથી જાહેરાતો કરવી પડી હતી. તા.21મી ઓગસ્ટ 2018ના રોજ કરાયેલી તાજા જાહેરાતો અનુસાર જેઇઇ મેઇન પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવશે. ધો.12 મેથેમેટિક્સ સાથે હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું સત્ર, કોર્ષ, વર્ષ પૂરું થયા વગર કેવી રીતે આ પરીક્ષા આપી શક્શે એનો વિચાર કરાયો નથી. એથી વિશેષ જો હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2019માં જેઇઇ મેઇન પરીક્ષા નહીં આપશે તો તેમણે આઇઆઇટી, એનઆઇટીમાં પ્રવેશ માટે 2020 જાન્યુઆઆરી સુધી રાહ જોવી પડશે. જાન્યુઆરી 2020માં પરીક્ષા પાસ કર્યા પછી પણ છ મહિના એટલે કે જુલાઇ 2020 સુધી તેમને કોઇ એનઆઇટી કે આઇઆઇટી પ્રવેશ આપવાની નથી. આમ કેટલાક ભેજાગેપ અધિકારીઓ વગર વિચાર્યે આડેધડ નિર્ણયો લઇ રહ્યા હોવાની અનૂભુતિ થઇ રહી છે.

The change in NEET exam pattern (as against the statement released on 7th July, 2018), which will now be a single exam in pen-and-paper mode and in the same number of languages as been conducted last year. 

Here is the calender for NEET, JEE Main 2019 dates released by National Testing Agency:

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

બે વખત નીટ અને જેઇઇ પરીક્ષા લેવાની બાબતમાં કાંચુ કપાયું હોવાનું જણાતા એ નિર્ણય ફેરવી કાઢ્યો હવે તા.21મી ઓગસ્ટના રોજ નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલને જોતા કોઇ ભેજાગેપ અધિકારીએ ઓફિસમાં બેઠા બેઠા  નિર્ણય લીધો હોવાનું જણાય આવે છે.

જેઇઇ મેઇનની વાત કરીએ તો જેઇઇ મેઇન પરીક્ષા કે જે આઇઆઇટીમાં પ્રવેશ માટેનું પહેલું પગથીયું અને એનઆઇટીમાં પ્રવેશ માટેની એકમાત્ર પરીક્ષા છે. ઇજનેરીમાં ગુણવત્તાસભર અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો જેઇઇ મેઇન અતિ આવશ્યક છે. જેઇઇ મેઇન પરીક્ષા ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ પીસીએમ ગ્રુપ સાથે એપિયર થયેલા કે એપિયર્ડ થઇ ચૂકેલા વિદ્યાર્થીઓએ આપવાની હોય છે. જેઇઇ મેઇન્સ 2019ની પરીક્ષા જાન્યુઆરીની તા.6થી 20 દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત સાવ જ મનઘડંત રીતે અને કોઇપણ પ્રકારની વાસ્તવિક સ્થિતિ જોયા જાણ્યા વગર કરી દેવામાં આવી છે. હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું અભ્યાસકીય વર્ષ અને સત્ર પૂરું કર્યા વગર કેવી રીતે પરીક્ષા આપી શકશે. એક તરફ સરકાર એમ કહે છે કે બોર્ડના વિદ્યાર્થીઓ જો શાળામા 80 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપી શકે, આવા સંજોગોમાં જેઇઇ મેઇન 2018 પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની હોય તો કેવી રીતે 80 ટકા હાજરી થશે.

આ નિર્ણયનો બીજું ભયસ્થાન એ પણ છે કે શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જેઇઇ કવર થાય તે માટે ધો.11ને સાવ જ સાઇડ પર મૂકી દેશે અને ધો.11નો અભ્યાસક્રમ છ માસમાં જ પૂરો કરીને જેઇઇ મેઇનના એક વર્ષ અગાઉથી જ તૈયારી કરી દેશે.

બીજી તરફ જો વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા પાસ કર્યા પછી જેઇઇ મેઇન આપશે તો તેમની કારકિર્દીમાં એક વર્ષ વધું બગડશે. દર વર્ષે મે માસમાં ધો.12 સાયન્સના પરીણામો જાહેર થઇ જાય છે એ પછી જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનની તૈયારી કરવી પડશે. આ નિર્ણય સીધો જ વિદ્યાર્થીઓનું એક વર્ષ તો બગાડશે જ પરંતુ, સાથોસાથ કોચિંગ ક્લાસીસોવાળાને બખ્ખાં કરી આપનારો જણાય રહ્યો છે.

હાલની સિસ્ટમ યોગ્ય હતી કે એપ્રિલ માસમાં જેઇઇ લેવાય અને જૂન માસમાં એડવાન્સ્ડ લેવાય કે જેથી ધો.12 પછી વિદ્યાર્થીઓને તરત જ કોલેજમાં પ્રવેશ માટે કનેક્ટિવિટી મળી જતી હતી.

આમ જેઇઇ મેઇનનું કેલેન્ડર ગોઠવનારા અધિકારીઓએ મગજ ચલાવ્યા વગરનો નિર્ણય લીધો છે જેની સામે એકલા ગુજરાતમાંથી જ નહીં બલ્કે સમગ્ર દેશમાંથી ઉહાપોહ મચશે અને ફરીથી આ નિર્ણયને ફેરવી તોડવાની નોબત આવશે એમ હાલ તો જણાય રહ્યું છે.

August 21, 2018
mbbs_1.jpg
1min12540

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 20, 2018
iit-1.jpg
1min12670

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે આઇઆઇટી-બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર કરવામાં આવેલા સર્વે અનુસાર દર પાંચમાંથી ચાર વિદ્યાર્થીને ધૂમ્રપાનની અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત ઇન્સ્ટ્ટ્યિૂટના પહેલા વર્ષથી પડી ગઇ હતી.

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પ્સમાં રહેતા વિદ્યાર્થીઓની રહેણી-કરણી, અભ્યાસ યોજના અને કારકિર્દી માટે ભવિષ્યની યોજનાને જાણવા માટે ચાલુ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પર આવા અવનવા સર્વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, આઇઆઇટી-બૉમ્બેમાં પ્રવેશ કરનારા અનેક વિદ્યાર્થીઓને પહેલા વર્ષથી જ ખરાબ આદતોનું વ્યસન થયું હોવાનું જણાયું હતું.

આ વિશે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે વ્યસન કરવા પાછળ ઘણાં બધા કારણો હોઇ શકે છે, અમુક વિદ્યાર્થીઓને ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાને કારણે છૂટ મળી હોવાથી તેઓ મદ્યપાન કે ધૂમ્રપાન કરે છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, એમ જણાવાયું હતું. સર્વેમાં આશ્ર્ચર્યની વાત એ છે કે ફક્ત ૧૭.૮ ટકા વિદ્યાર્થી માટે તેમના અભ્યાસમાં સારો દેખાવ કરવો જરૂરી હોવાનું માન્યું હતું, જ્યારે ૨૯.૮ ટકા વિદ્યાર્થી તેમના માર્ક્સથી ખુશ હતા. ટેન્શનને દૂર કરવા માટે ૧૩.૫ ટકા વિદ્યાર્થીએ સલાહકારની મદદ લેવી પડી હતી. પહેલા વર્ષમાં પ્રવેશ કરનારા દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી ધૂમ્રપાનની આદત અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત પડી હતી.

August 19, 2018
ew2-1280x720.jpg
6min6740

Jayesh Brahmbhatt   98253 44944

નવી દિલ્હી સ્થિત કંપની ઇસ્ટ વેસ્ટ લિંક્સ દ્વારા પ્રોગ્રામ્સ સુરતની સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે પણ શરૂ કરાયો

નવી  દિલ્હી ખાતે ઓફિસ ધરાવતી ઇસ્ટ વેસ્ટ લિંક્સ નામની કંપની દ્વારા ભારતની સ્કુલમાં ભણતા 12થી 18 વર્ષની વયના સ્પોર્ટસ સ્ટુડન્ટ માટે ઇસ્ટ યુરોપમાં આવેલા સર્બિયા દેશમાં 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. રૂ.દોઢ લાખથી પોણા બે લાખની કિંમતના 12-12 દિવસના આ પેકેજીસમાં જોડાનારા સ્કુલના વિદ્યાર્થીઓને સર્બિયા ખાતે જુદી જુદી રમતો, સ્કીલ્સ ડેવલપમેન્ટ, મેન્ટલ ટ્રેનિંગ, એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન તેમજ ટુરીઝમનો લાભ આપવામાં આવશે. ઇડબલ્યુ લિંક્સ દ્વારા સુરત તેમજ અમદાવાદની ચુનંદા સ્કુલ્સમાં આ પ્રોગ્રામ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

સુરત ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઇડબલ્યુ લિંક્સના યશ તેમજ કરણએ જણાવ્યું હતું કે સર્બિયા દેશની વસતિ ફક્ત 75 લાખ છે, ભારતના અમદાવાદ શહેર કરતા પણ ઓછી વસતિ ધરાવતા સર્બિયા ખાતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટ્રેનિંગની સાયન્ટિફિક સિસ્ટમ ડેવલપ થઇ છે અને તેને કારણે જ સર્બિયા દેશ નાનકડો દેશ હોવા છતાં અનેક રમતોમાં તેના સ્પોર્ટસ પર્સન દેશ અને દુનિયા ગજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી દિલ્હી સ્થિત ઇડબલ્યુ લિંક્સ દ્વારા સર્બિયન સરકાર તેમજ ત્યાં ના સ્પોર્ટસ પર્સન સાથે મળીને ભારતના સ્કુલ ગોઇંગ સ્પોર્ટસ સ્ટુડન્ટસને એક્સપોઝર, ટ્રેનિગ તેમજ સ્કીલ્સ ડેવલપમેન્ટ થાય તે માટે 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી માર્ચ 2019થી જુન 2019 દરમિયાન આ સ્પેશયલ ટ્રેનિંગ ઇન સર્બિયા શિડ્યુલ કરવામાં આવશે.

ઇડબલ્યુ લિંક્સ આ પ્રોગ્રામમાં કયા બાળકોને સમાવી શકાય તે માટે હાલ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ તેમજ સુરતની કેટલીક સ્કુલ્સના મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

ઇડબલ્યુ  લિંક્સ આ બાબતને સ્પોર્ટસ ટુરિઝમ સાથે સાંકળે છે અને હાલમાં બાસ્કેટ બોલ, ફુટબોલ, શૂટિંગ, ટેનિસ અને વોલીબોલની રમતનું થોડું પણ જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્બિયા ખાતેનો આ 12 દિવસનો ટ્રેનિંગ કેમ્પ ખૂબ ઉપયોગી હોવાનો દાવો કરે છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

વધુ માહિતી માટે આ મુજબની વેબસાઇટનો સંપર્ક કરવા જણાવાય છે.

www.ewlinks.com

For English Readers

The Statement from The EW Links Management

Our motto is sports, our credo is excellence in sports!

Our company, EW Links Beograd, has been set-up with the explicit intent of promoting holistic sports tourism for Indian students. Based in Belgrade, Serbia, we seek to expose students to the world class sports infrastructure that Serbia has to offer and provide professional coaching under the tutelage of current and former International players and certified coaches.

Our programme helps participants improve their skills immensely, while allowing them to enjoy the culture and sights of our UNESCO protected medieval buildings.

Participating students and their chaperoning teachers are provided excellent hotel accommodation.

Belgrade | Sports

Belgrade offers numerous sporting facilities for majority of sports and activities. While football clearly reigns Serbia’s sports scene, Belgrade also offers plenty of great alternatives like basketball, tennis, badminton, volleyball, shooting and water sports.

Belgrade has hosted several major sporting events recently, including Eurobasket, the European Volleyball Championship, the European Water Polo Championship, and the European Youth Olympic Festival. Belgrade was the host city of the 2009 Summer Universiade chosen over the cities of Monterrey and Poznan. Belgrade Marathon Race is the largest and the most mass attended sporting event in Serbia.

Belgrade is also home to two football teams, Red Star (Crvena Zvezda) and Partizan, which have achieved remarkable success and have become famous all over the world.

Belgrade Sports

With more than 1,000 facilities offering sports including swimming, water polo, football, basket ball, tennis, etc., Belgrade is ready to meet any sports challenge.

Belgrade Arena, meeting the latest standards and technology became Belgrade’s trademark and one of the new symbols of the Serbian capital, as well as the place of interest for the visitors to the capital. Together with Prague Arena, it ranks as one of the best of its kind in Europe.

Belgrade has also given rise to several world class tennis players such as Novak Djokovic, the current Wimbledon champion, Jelena Jankovic and Ana Ivanovic.

It is also important to note that amongst the European countries, Serbia is one of the most peaceful and safe countries for visitors and tourists. It is ranked very highly by UN Peace Index.

EW Links Beograd is successfully organizing sports enhancement international camps in Serbia for students in the age group 12 to 18. During the camps, participants are given rigorous coaching in several verticals like football, tennis, volleyball, basketball and shooting. To ensure the safety of participants, their entire sojourn will be supervised by accompanying teachers and EWL team. All sports are played on internationally acclaimed and recognized grounds which include stadia certified for FIFA matches.

Standard Programme at Vrnjačka Banja

12 day training programme in all sports like football, basketball, volleyball and tennis.

Premium Programmes at Belgrade

a) 12 days training programme in football at UEFA and FIFA facility. b) 12 days training in shooting.

Exclusive Add-on at Abu Dhabi*

1 Day City Tour including visit to Ferrari World Theme Park.

Serbian National Squash Champion

Jelena is a seven-time Women’s Squash Champion of Serbia and also Balkans Champion. Currently, she is the highest ranked women’s squash player in the Balkans.

August 19, 2018
ox.jpg
1min11100

મીડિયા રિપોર્ટ પ્રમાણે 30 વર્ષના ગાળાં બાદ વિશ્ર્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કૉલેજ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.

ધ ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની પાંચ વર્ષની યોજનામાં 1000 ગ્રેજ્યુએટ રૂમ બાંધવાનો અને ઓછામાં ઓછી એક નવી કૉલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અગાઉ ઓક્સફર્ડે 1990માં ફક્ત ગ્રેજ્યુએટ્સ માટેની કેલોગ કૉલેજ શરૂ કરી હતી.

નવી કૉલેજ શરૂ કરવાની યોજનાને યુનિવર્સિટીની ગવર્નિંગ બોડીએ ટેકો આપ્યો છે, પણ એ શરૂ કરવા માટે ઓક્સફર્ડના શિક્ષણવિદોની મંજૂરી મળવી જરૂરી છે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અનુસ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા 2023 સુધીમાં વધીને વર્ષે 850 અને અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યા વર્ષે 200 જેટલી થશે. હાયર એજ્યુકેશન પોલિસી ઇંસ્ટિટયૂટના ડિરેક્ટર નિક હિલમેને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ પોતાની સરખામણી યુકેની અન્ય સંસ્થાઓ સાથે નહીં, પણ આઇવી લિગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરે છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ્સ કરતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

ઓક્સફર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોજનાની રૂપરેખા હજુ બની રહી છે તથા એને માટે સલાહ લેવામાં આવી રહી છે, જ્યારે એ યોજનાની મોટેપાયે સમીક્ષા કરવામાં આવશે અને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે ત્યારે યુનિવર્સિટી એ વિશે ટિપ્પણી કરશે.

August 16, 2018
kvpy1.jpg
5min5930

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર સંચાલિત કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના 2018માં તા.4 નવેમ્બરના રોજ લેવામાં આવશે. દેશભરમાં આવેલી ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને તેમણે આપી જ જોઇએ.

કેવીપીવાય પરીક્ષાથી અનેક ફાયદા છે. વિદ્યાર્થીઓમાં રિસર્ચની પ્રવૃતિને પ્રોત્સાહન તો મળે જ છે સાથોસાથ કેન્દ્ર સરકારની સ્કોલરશીપ પણ મળે છે અને સાથેસાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થામાં પ્રવેશ પણ પામી શકે છે.

કેવીપીવાય માટે એનરોલ કરાવવાની અંતિમ તા.31મી ઓગસ્ટ છે. કેવીપીવાય માટે રજીસ્ટ્રેશન ફક્તને ફક્ત ઓનલાઇન જ થઇ શકે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

Application for KVPY-2018 must be done online only.

  • There are three steps to complete your application successfully.
  • Step 1. Registration
  • Step 2. Filling personal and academic details, choosing test centres and uploading photo, signature and other certificates, as applicable.
  • Step 3. Payment of application fees. Please note that you must pay the fee only at the KVPY application portal. This can be done by using a Credit Card, ATM-Debit Card or Net Banking. No other means of payment will be accepted.  Once the payment is successful and application is submitted, no refund of application fee will be done.
  • The application fees for KVPY-2018 are as follows:

          For General/OBC Category: Rs. 1000,  For SC/ST/PWD: Rs. 500 (Bank Charges extra)

  • It is strongly recommended that the candidates read the instructions given on the KVPY website carefully before attempting to fill  the online application. These steps are described in detailhere.

KVPY Aptitude Test 2018 will be held online in the following cities across India:

East: 

Patna (Bihar), Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Bhubaneshwar, Rourkela(Orissa), Naharlagun (Arunachal Pradesh), Guwahati, Tezpur (Assam), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Kolkata, Siliguri (West Bengal)

North: 

Chandigarh (Chandigarh), Delhi (Delhi-NCR), Ambala, Faridabad, Gurgaon, Karnal, Kurukshetra (Haryana), Jammu (Jammu & Kashmir), Jalandhar, Ludhiana, Mohali, Patiala(Punjab), Ajmer, Jaipur, Jodhpur, Sikar (Rajasthan),  Agra, Allahabad, Ghaziabad, Greater Noida, Kanpur, Lucknow, Noida, Varanasi (Uttar Pradesh), Dehradun (Uttarakhand)

South:

 Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkamangaluru, Davanagere, Dharwad, Haliyal, Hassan, Hubballi, Kalburagi, Mandya, Mangaluru, Mysuru, Shivamogga, Udupi (Karnataka), Hyderabad(Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram, Palakkad, Pathanamthitta, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem(Tamil Nadu)

West:

Panaji (Goa), Ahamedabad, Anand, Rajkot, Vadodra (Gujarat), Amaravati, Aurangabad, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra), Bilaspur, Raipur  (Chhattisgarh), Bhopal, Indore (Madhya Pradesh)


PLEASE NOTE KVPY-2018 APTITUDE TEST WILL BE COMPLETELY ONLINE

Mock Computer Based Test of KVPY Aptitude Test – Click here

 

  • Note: As virtual calculators will be made available  at  the examination venue, as displayed in the mock link,  candidates are not allowed to carry calculators inside the examination hall.
Important Dates
Opening of online application portal : 11th July 2018 at 5.00 PM
Date for closing of online application : 31st  August 2018 at 5 PM
Download Admit card : Second week of October
Exam Date : 4th November 2018

Applications are invited from Indian Nationals. However, as per the Interim Order (Final Order awaited) of the Hon’ble High Court of Karnataka OCI/PIO students will be allowed to take up the KVPY Aptitude Test 2018.

Support Helpdesk Details
IF YOU REQUIRE ANY INFORMATION RELATED TO Application Form,

CALL ON 080 – 22932975/76, 080- 23601008 & 080 – 22933536

Email to applications.kvpy@iisc.ac.in

THE PHONE NUMBERS ARE AVAILABLE BETWEEN 10:00 AM AND 05:00 PM.

* Saturday and Sunday are Holidays.

August 13, 2018
vnsgu.jpg
1min10120

Jayesh Brahmbhatt   

Executive Editor CIA live.  98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી પડે એવું વ્યવસ્થા તંત્ર કદાચ આખા વિશ્વમાં પણ નહીં બન્યું હોય. એવું સાભળ્યું હતું કે ડો.શિવેન્દ્ર ગુપ્તાની VNSGUના કુલપતિ પદે  નિયુક્તિ RSSના નેતાના ઇશારે થઇ હતી. એ અંગે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.

RSS એક હિન્દુવાદી સંગઠન છે અને અનેક નેતાઓ ભૂતકાળમાં એન્ટી મુસ્લિમ સ્ટેટ્સમેન કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માઇનોરિટી વિરોધી એજન્ડા અખત્યાર કરવામાં આવ્યો હોવાની અનૂભુતિ થઇ રહી છે. વાત છે એક કેપેબલ, ક્વોલિફાઇડ મુસ્લિમ અધ્યાપકની છે કે જેઓ ગુજરાતનું જ નહીં બલ્કે દેશનું ગૌરવ ગણાય છે, એ છે ડો.મુનિર જી. ટીમોલ.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા પર ડો. મુનિર જી. ટીમોલને તા.15 જુન 2018ના રોજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા માટે તેઓ કાયદાકીય રીતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે અને યુનિ.નો નિયમ છે કે સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠક મળે એટલે ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપકને ફુલફ્લેજ ચાર્જ આપવાનો ઠરાવ કરવામાં આવે છે.

શું કહે છે યુનિવર્સિટીનો કાયદો

(1) The Statute 293, which is provided for appointment of HOD in a Department of our University, is as follows:

“There shall be a Head of the Department to be appointed by the Syndicate. The Syndicate shall appoint the senior most full time teacher not below the rank of a Reader from the staff of the Department to work as the Head of the Department. ….”

ફક્તને ફક્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકાર મંડળ પાસે જ પાવર્સ છે કે કોઇપણ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પદે સક્ષમ વ્યક્તિની  નિમણૂંક નિયમાનુસાર કરી શકે. આ માટે યુનિ.માં સ્ટેચ્યુટરી પ્રોવિઝન પણ ઉપલબ્ધ છે.

ડો.મુનિર જી. ટીમોલને ઇન્ચાર્જ એચ.ઓ.ડી. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ પદે તા.15 જુન 2018ના રોજ નિમણૂંક આપવામાં આવી એ પછીની વહેલી તકે એટલે કે એ પછીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં તેમને વિધિવત રીતે એચ.ઓ.ડી.નો ચાર્જ સોંપી દેવાનો ઠરાવ થવો જોઇતો હતો. પરંતુ, RSS સમર્થક કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં આ કામને ઇરાદાપૂર્વક વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે.

ડો. મુનિર જી. ટીમોલની હંગામી નિયુક્તિ થયા પછી સિન્ડીકેટ અધિકાર મંડળની બબ્બે સભાઓ યોજાઇ ગઇ. પહેલી મિટીંગ તા.25-06-2018 અને બીજી તા.15-07-2018ના રોજ મળી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકોના એજન્ડા પર એક સક્ષમ મુસ્લિમ અધ્યાપક ડો. મુનિર જી. ટીમોલની નિમણૂંકનું ઔપચારિક કામ નહીં મૂકવાના આદેશ કરવામાં આવ્યા. આવા આદેશ કોના ઇશારે થયા એ તપાસનો વિષય બન્યો છે પરંતુ, સૌથી મોટી ચર્ચાએ શરૂ થઇ છે કે RSS સમર્થક કુલપતિના રાજમાં માઇનોરિટી વર્ગના લોકો સાથે અન્યાય શરૂ થયો છે અને તેની નોંધ કોઇ લેતું નથી એટલે અન્યાયકર્તાઓને વધુ બળ મળી રહ્યું છે.

ડો.મુનિર જી. ટીમોલની નિમણૂંકના મુદ્દે કહેવાય છે કે ખુદ કુલપતિ ડો. ગુપ્તા યુનિ. કાર્યાલયને તેમની નિમણૂંકની દરખાસ્ત સિન્ડીકેટ અધિકારમંડળના એજન્ડા પર લાવવાથી અટકાવી રહ્યા છે. યુનિ.ના એક્સપર્ટ કહે છે કે આ સરાસર અન્યાયકર્તા છે ડો. મુનિર ટીમોલ ખરેખર તમામ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિત તમામ બાબતો પર અપ ટુ ધ માર્ક મેરિટ ધરાવે છે આમ છતાં તેમને હળાહળ અન્યાય તો થઇ રહ્યો છે પરંતુ, તેઓ પોતે પણ અપમાનિત થઇ રહ્યાની અનૂભુતિ ધરાવી રહ્યા છે.

ડો.ટીમોલને નિમણૂંક નહીં આપી ને આટલા હકોથી વંચિત રાખ્યા

ડો. મુનિર જી. ટીમોલને 15 જુન 2018 પછી વહેલી તકે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નિમણૂંક નહીં આપીને RSS સમર્થક કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ ડો. મુનિર જી. ટીમોલને સેનેટ મેમ્બર, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ જેવા અનેક પદોથી વંચિત રાખ્યા છે. હવે જ્યારે સિન્ડીકેટ અધિકાર મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે સેનેટ મેમ્બર તરીકે એક એક મત કિંમતી હોય છે ત્યારે તેમને કાયમી નિમણૂંક અપાશે કે હજુ પણ અન્યાય કરવાની નીતિ ચાલી રહેશે એ જોવું રહ્યું.

આગામી તા.24મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. કુલાધિપતિ એવા રાજ્યપાલ શ્રી કોહલીના હસ્તે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય ત્યારે સેનેટ મેમ્બર માટે આવા દિક્ષાંત સમારોહ જીવનભરનું સંભારણું બની રહેતા હોય છે. સેનેટ મેમ્બર માટે ગર્વની વાત હોય છે કે તેઓ સેનેટર તરીકે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહે. ત્યારે ડો. મુનિર જી. ટીમોલને  આ ગર્વથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.