CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 44 of 48 - CIA Live

August 13, 2018
ugc.jpg
1min4100

રાજ્યની અને કેન્દ્રની યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનના અંતર્ગત દેશ અને રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમની માન્યતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ રદ્દ કરી દીધી છે, આ નિર્ણયને લીધે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. સ્પષ્ટીકરણ આપીને યુજીસીના આ નિર્ણયને બદલવા માટે ઇન્સ્ટ્ટ્યિૂટ પાસે એક મહિનાનો સમય છે.

ગઇ તા.9મી ઓગસ્ટના રોજ યુજીસી નવી દિલ્હીના ડિસ્ટન્સ એજ્યુકેશનના બ્યુરોએ જાહેરાત કરી હતી કે નિયમિત રીતે નિર્ધારિત અભ્યાસક્રમનું સંચાલન છેલ્લાં પાંચ વર્ષથી નહીં કરાયું હોય એવી યુનિવર્સિટીના અભ્યાસક્રમની માન્યતા રદ્દ થઇ શકે છે. એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમની સંબંધિત રૅગ્યુલેટરી ઑથોરિટીની મંજૂરી મળ્યા બાદ જ આ અભ્યાસક્રમને માન્યતા મળશે. ડીમ્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમની ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી છે.

એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, ડીમ્ડ, ડિસ્ટન્સ લર્નિંગની યુનિવર્સિટીઓ શિક્ષણને બદલે સીધેસીધી ડિગ્રીઓ જ વેચી દેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. કેટલાક સંગીન પુરાવા સાથે દાખલાઓ પણ મળતા યુજીસીએ આકરી કાર્યવાહી કરી છે. સમગ્ર દેશમાં આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે. ગઇ તા.8મી ઓગસ્ટના રોજ યુજીસીએ જે અભ્યાસક્રમોને માન્યતા આપી છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે. આ યાદી અનુસારના અભ્યાસક્રમોમાં જ પ્રવેશ લેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

https://www.ugc.ac.in/pdfnews/9969719_UGC-RECOGNITION-FOR-ODL-PROGRAMMES-2018-19-ONWARDS.pdf

UGC_distance_learning

August 12, 2018
mg.jpg
1min5950

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં

દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

યુનિવર્સિટીઓ રચનાત્મક કામગીરી કરવાની જગ્યાએ બિનજરૂરી કામગીરીઓમાં જોતરાયેલી રહેતી હોય છે અને જે કાર્ય ભારતની ભાવિ પેઢી માટે રચનાત્મક હોય તેમાં તો સાવ જ ઉદાશીન રહે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2017-18માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે 419 વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પૉસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે 796, 51 અને 78 રહ્યો હતો.

August 11, 2018
iits.jpg
1min3760

બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.

તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને  દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.

 

બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા

 

 

August 11, 2018
gseb-1280x720.jpg
1min15440

ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માર્ચ 2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાશે. અત્યાર સુઘી આ પરીક્ષા સ્કૂલ દ્વારા લેવાતી હતી, પરંતુ માર્ચ 2019 થી આ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલવામાં આવશે. ઉપરાત, પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના નિયત કરેલા પરીક્ષા કેન્દ્રોખાતે લેવામાં આવશે. આમ, સ્કૂલ દ્વારા લેવામાં આવતી આ પ્રાયોગિક પરીક્ષામાં ચાલતી ગેરરીતિઓ પર બ્રેક વાગશે.

રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ રદ કર્યા બાદ પરીક્ષા પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે સાયન્સની પ્રાયોગિક પરીક્ષામાં પણ બોર્ડ ફેરફાર કર્યા છે. ધોરણ 12 ની પરીક્ષા અત્યાર સુધી સ્કૂલ દ્વારા લેવામાં આવતી હતી. જોકે, સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષામાં પોલમપોલ ચાલતી હતી અને અમુક શાળાઓ પરીક્ષા લીધા વગર જ માર્ક મોકલી આપતી હતી. જોકે, હવે આ પોલમપોલ પર બ્રેક વાગે તે માટે બોર્ડ ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાનો નિર્ણય લીધોે છે.માર્ચ 2019 થી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે જેના માટે બોર્ડ દ્રારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલાવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાના 3 વિષયોના પરીક્ષકોની નિમણૂકો પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રોના પરીક્ષા સ્થળ ખાતે જ લેવાશે. પ્રાયોગિક કાર્યની જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા સમયે જે તે કેન્દ્ર ખાતે રજૂ કરવાની રહેશે. બોર્ડ દ્વારા સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે તે બેચ પ્રમાણે લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરહાજર રહેનાર વિઘાર્થીઓ માટે કોઇ પણ સંજોગોમાં ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં તેમ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવી દેવાયું છે.

August 8, 2018
gujcost.jpg
2min4270

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
norta-1280x720.jpg
1min4060
ગુજરાતી સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતિક ગણાતા ગરબા મહોત્સવ એટલે કે નવરાત્રી દરમિયાન સ્કુલ-કોલેજોથી લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવ દિવસનું વેકેશન જાહેર કરવાનો આરંભ આ વર્ષથી રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ, સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશન માત્ર નામનું વેકેશન અને તેમાં પણ ગરબા ઘૂમવાની જગ્યાએ વાંચનમય રહેવું પડે તેવી સ્થિતિ છે કેમકે નોરતાં પૂર્ણ થાય એટલે તરત જ શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે.
રાજ્યમાં ૧૦થી ૧૮ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો પર્વ ઉજવાશે  અને એ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને તા. ૧૮ ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગતા નવરાત્રી વેકેશન પરીક્ષા પહેલા સ્ટડી હોલીડે બની રહે તો નવાઇ નહીં. હવે રાજ્યના વાલીઓ તેમજ શિક્ષકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાં તો પરીક્ષાનું શિડ્યુલ બદલવાની મંજૂરી આપવામાં આવે અગર તો સત્રાંત કસોટી વહેલી યોજવામાં આવે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો શરૂ  થઈ ત્યારે જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે અને પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તે અંગેની તારીખો જાહેર કરી દેવાય છે. જેના પગલે રાજ્યની તમામ સ્કૂલોમાં એકસુત્રતા જળવાય.
August 7, 2018
gseb-1280x720.jpg
1min9660
– ધો.10ના 3 હજાર શિક્ષકો પાસેથી ભૂલ દીઠ રૂ.50નો દંડ, ધો.12 સામાન્ય પ્રવાહના 7875 શિક્ષકો પાસેથી પ્રતિભૂલ રૂ.50 અને ધો.12 સાયન્સના 2300 શિક્ષકો પાસેથી પ્રતિ ભૂલ રૂ.100નો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા માર્ચ-2018માં લેવામાં આવેલી SSC, HSC સામાન્ય પ્રવાહ અને HSC સાયન્સની પરીક્ષા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનમાં ભૂલો કરનારા શિક્ષકો સામે બોર્ડે આંખ લાલ કરી છે. SSC અને HSCના મળી 13 હજાર કરતા વધુ શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં ગંભીર પ્રકારની ભૂલો કરી છે અને એને અક્ષમ્ય ગણતા બોર્ડ દ્વારા આવી ભૂલો કરનારા શિક્ષક-પરિક્ષકો સામે દાખલો બેસે તેવા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરીક્ષકોને રૂબરૂ બોલાવી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
બોર્ડની પરીક્ષા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં  શિક્ષકોએ એવી ગંભીર ભૂલો કરી છે જેને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટા જોખમ ઉપસ્થિત થાય તેમ હતા. અનેક વિદ્યાર્થીઓએ પુન: ચકાસણી કરાવતા વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થયો હતો. ઉત્તરવહી તપાસતા શિક્ષકોએ કરેલી ભૂલના પગલે વિદ્યાર્થીઓને માર્ક ઓછા મળ્યા હોવાનું બહાર આવ્યા બાદ ગુજરાત બોર્ડ દ્વારા આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.
સાયન્સમાં 2300 શિક્ષકોના છબરડા
ધો.12 સાયન્સમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન 2300 શિક્ષકો પાસેથી એક ભૂલ દીઠ રૂ. 100નો દંડ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. સાયન્સમાં 600 વિદ્યાર્થીઓના માર્ક ગુણ ચકાસણી દરમિયાન સુધર્યા હતા.
કોમર્સમાં 7875  શિક્ષકોએ દાટ વાળ્યો
જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 7875 શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણી દરમિયાન ભૂલ કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ શિક્ષકો પાસેથી ભૂલ દીઠ રૂ. 50નો દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ચકાસણી માટે અરજી કરી હતી. જેમાં 305 વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થયો હતો.
ધો.10માં 3 હજાર  શિક્ષકોએ 10 કે તેથી વધુ માર્કની ભૂલો કરી હતી
આ ઉપરાંત ધો.10માં પણ ઉત્તરવહી મૂલ્યાંકન બાદ શિક્ષકોએ 40 હજાર ભૂલો કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, તેમાં 3 હજાર જેટલા શિક્ષકોએ ગંભીર કહી શકાય તેટલી 10 માર્ક કે તેનાથી વધુની ભૂલ કરી હોવાનું ધ્યાને આવતા તેમને દંડ કરવાનું નક્કી કરાયું હતું. જેથી આ શિક્ષકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને બોર્ડ દ્વારા દંડ વસૂલવાની કામગીરી ચાલી રહી છે. ધો.10માં એક ભૂલ દીઠ રૂ. 50નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
August 4, 2018
tv1-1280x853.jpg
1min3260

@ Jayesh Brahmbhatt 98253 44944

સુરત:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગ્લોબલ સમીટ ઓન પીસ (જીએસપી) યોજાઇ હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેમની પસંદગી પ્રમાણે ચોક્કસ સમૂહના પ્રતિનિધિની ભુમિકા ભજવી હતી. આ સમીટમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓ કોઇપણ એક દેશનો અભ્યાસ કરે છે તથા તેના રાજદ્વારીની ભુમિકા ભજવીને વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરે છે તેમજ સમસ્યાના ઉકેલ સૂચવે છે.

સુરતના જીપીએસ અને તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી યોજાયેલી સમીટ દ્વારા નવી પેઢીને નવી બાબતો વિશે શિક્ષિત કરવાનો હતો. આ બે દિવસીય કોન્ફરન્સ શાળાના કેમ્પસમાં યોજાઇ હતી, જેમાં ઉત્સુક વિદ્યાર્થીઓએ વિવિધ જટિલ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને સંતોષજનક ઉકેલો પણ રજૂ કર્યાં હતાં.

પ્રતિનિધિઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે તે માટેહ્યુમન ટ્રેફિકિંગ કમીશન, ડીઆઇએસઇસી, યુએન-હાઇ કમીશન ફોર રેફ્યુજી, કાઉન્ટર ટેરેરિઝમ કમીટી, કમીટી ઓન નાર્કોટિક્સ, લોક સભા, રાજ્ય સભા, મિનિસ્ટ્રી ઓફ મેજીક અને ઇન્ટરનેશનલ પાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એકંદરે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર સાબિત થયો હતો, જેમાં ગ્રેડ 7થી ઉપરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.

-x-x-x-x-

 

July 25, 2018
ICSI-875.jpg
1min6440

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગયા જુન 2018માં ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાયેલી સી.એસ. કોર્સની ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આઇ.સી.એસ.આઇ. સુરત ચેપ્ટરનું પરીણામ છપ્પર ફાડ રહ્યું હતું. સુરતના પહેલા પાંચ ક્રમ પર પાંચેય દિકરીઓએ સ્થાન હાંસલ કરીને વુમન્સ એમ્પાવરન્મેન્ટનો દાખલો બેસાડ્યો હતો. સુરત ચેપ્ટરમાંથી સી.એ. ફાઉન્ડેશન પ્રોગ્રામ જુન 2018ની પરીક્ષામાં કુલ 176 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 117 વિદ્યાર્થીઓનું પરીણામ આજે પાસમાં આવ્યું હતું.

સુરતની મનિષા સુરેન્દ્ર જૈનએ 86.5 ટકા માર્ક્સ સાથે સુરત ચેપ્ટરમાં સૌપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

 

 

 

 

સુરતની જ ફાતેમા કુરેશ કોઠારીએ 85.5 ટકા માર્ક્સ મેળવીને સમગ્ર સુરત ચેપ્ટરમાં દ્વિતીય ક્રમ હાંસલ કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

 

 

સાક્ષી નરેશ જૈન નામની વિદ્યાર્થિનીએ 80 ટકા માર્ક્સ મેળવીને કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.

 

 

 

July 24, 2018
pharmacy.jpg
1min4970

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ રાજ્યભરમાં આવેલી બી.ફાર્મ. કોર્સની કોલેજોમાં હાથ ધરેલી પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે ફાર્મસી કોલેજોમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની સઘળી માહિતી અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાલી પડેલી આ બેઠકોની માહિતી જોયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇશમાં સુધારો કરી શકે છે.