

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે,’ સીબીએસઈ સાથે નવી શાળાઓની સંલગ્નતા પ્રક્રિયામાં સુધારો કર્યો છે. એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે અહીં એક પત્રકાર પરિષદમાં આ વિશે જાહેરાત કરી હતી.

‘શાળાઓને સંલગ્નતા આપવાની પ્રક્રિયામાં સીબીએસઈએ અનેક ફેરફાર કર્યા છે, રાજ્ય અને કેન્દ્ર-એમ બેઉ સ્તરે એનઓસી લેવાનું બિનજરૂરી ડુપ્લિકેશન (બેવડાપણું) અમે નિવાર્યું છે,’ એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે હાલ દેશમાં 20,700 શાળાઓ સીબીએસઈ સાથે સંલગ્ન છે અને દર વર્ષે નવી શાળા ખોલવા બેથી અઢી હજાર અરજીઓ બોર્ડને મળે છે.
અગાઉ રાજ્ય સ્તરે એનઓસી ઇન્સ્પેક્શન સંકળાયું હોય તેવી સંલગ્નતા પ્રક્રિયા રહેતી અને તે પછી એ જ એનઓસી ઈન્સ્પેક્શન સીબીએસઈ દ્વારા કરાતું એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે મંત્રાલયે આ પ્રક્રિયા દૂર કરી છે.’ ઝડપ, પારદર્શકતા અને સીબીએસઈ સાથે કામ પાડવાની સરળતા અંકે કરવા સીબીએસઈ સંલગ્નતાના બાયલોઝ સુધારવામાં આવ્યાની છણાવટ જાવડેકરે કરી હતી. હવે જિલ્લા શિક્ષણ અધિકારી સીબીએસઈ સંલગ્નતાનું ફોર્મ ચકાસશે.
News in English
Establishing a school in India was never easy. Besides building the infrastructure such as classrooms, laboratories and libraries, the paperwork and long process involved was a damper. However, getting an approval for setting up a school affiliated to the Central Board of Secondary Education (CBSE) may just be a cake walk, if the Union government walk the talk on reducing paperwork and other formalities by 75%, and taking the process online.
Union human resource development minister Prakash Javadekar on Thursday said school reforms will speed up the approval process, reduce pendency and curb duplicity of work between central and state governments.
All processes will be online to bring in transparency in the school sector, which caters to millions of students across India, added school education secretary Rina Ray.
Instead of physical verification, CBSE will focus on learning outcome while granting approval. “The inspection will focus on academic excellence and progress of students over time, innovations and quality of pedagogy, capacity of teachers and teacher training, inclusive practices in school, and quality of co-scholastic activities. This will not only help the board and the school to track students’ progress over time, but will also identify areas that would need further effort,” the central board said.
Schools affiliated to the CBSE will have to make full fee disclosures on their websites. In a way, the reform move liberalized the school affiliation system under the CBSE, authorities in the ministry said.
From now on schools will be required to provide two documents instead of 14, while seeking CBSE affiliation, according to the plan. Most physical inspections will be conducted by the district education officer.
Javadekar said the new rules reflect a “shift from the highly complex procedure followed earlier to a simplified system based on preventing duplication of processes”.
“As a result of this major change, the board shall not revisit any of the aspects vetted by the state during inspection and the delay because of scrutiny and non-compliance of deficiencies in these documents shall be drastically curtailed.”
CBSE has more than 20,783 schools under its jurisdiction, catering to over 20 million students. As it is the central board, it works as a model for nearly 28 state school boards in terms school reforms, change in inspection and approval system.
The entire school sector caters to nearly 250 million students and the country spends more than 2.5% of the gross domestic product on the sector.
Instead of school management waiting for years, the affiliation process can be completed in a few months and there will be no pendency, CBSE said.
Javadekar said that in 2018 the government cleared about 8,000 applications, some of which were seven or eight years old.
CBSE will inspect the learning outcome in affiliated schools every five years.

સ્કુલ માટેનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આંગળીના વેઢે ગણી શકાય તેટલી સુરત શહેરમાં ઉપલબ્ધ શાળાઓની યાદીમાં આગવું સ્થાન ધરાવતી ઉમરા વિસ્તારમાં આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીને આખરે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું સત્તાવાર એફિલયેશન પ્રાપ્ત થઇ ગયું છે. ઉમરાના ડી.આર. ઉમરીગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના સંચાલક મંડળે છેલ્લા સવા વર્ષ દરમિયાન પરીણામલક્ષી પ્રયાસો કરીને હાલ પ્રાઇમરી સેગમેન્ટ કાર્યરત હોવા છતાં શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઇ એફિલિયેશન વેલ ઇન એડવાન્સ પ્રાપ્ત કરી લેતા શાળાના સેંકડો વાલીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

વધુ માહિતી આપતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું કે શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ મિડીયમ શાળા સીબીએસઇ બેઝ્ડ રાખવા અંગેનું પ્લાનિંગ હતું. દરેક કાર્યવાહીનો એક તબક્કો હોય છે. શાળા શરૂ થઇ ત્યારે સંજોગોવસાત એફિલિયેશન અંગે કેટલીક ભ્રામક વાતો ઉડી હતી. મેનેજમેન્ટએ આવી અફવાઓ પર સહેજ પણ દરકાર કર્યા વગર સીધા જ સેન્ટ્રલ બોર્ડ સાથે સંવાદ કર્યા. સીબીએસઇને એફિલિયેશન આપવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કર્યા અને એક પ્રોપર પ્રોસેસમાં અમે બધા જ પ્રોસિડિંગ્સ પૂરા કરીને એફિલિયેશન મેળવ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાએ કશું ખોટું કરવું ન હતું, પણ દરેક પ્રક્રિયાનો એક નિર્ધારિત સમય હોય છે, એ સમયે જ એ કામ થતું હોય છે.
શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું હાલમાં ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં સેન્ટ્રલ બોર્ડના સિલેબસ અનુસાર ધો.1થી 8 સુધીના વર્ગો ચાલી રહ્યા છે. વર્ષ 2019-20 માટે પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓએ નીચે મુજબની જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી.

ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં યુવાનો અને માબાપમાં સૌથી પ્રચલિત શૈક્ષણિક સંસ્થા શંકર આઇ.એ.એસ. એકેડેમીના સ્થાપક શંકર સર એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. શંકર IAS એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને 45 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર સ્થિત ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો. એવું માનવામાં આવે છે કે શંકર સર એ 500થી વધુ સનદી અધિકારીઓ ભારતને આપ્યા છે. તેમના ક્લાસીમાં અાપવામાં આવતી કોચિંગથી વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થતા હતા. જે વિદ્યાર્થીઓ શંકર એકેડેમીનું કોચિંગ લઇને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા હોય એ ફરીથી શંકર એકેડેમીમાં ક્લાસ લેવા સ્વેચ્છાએ આવતા હોય છે.

પ્રોફેસર શંકર દેવરાજન તમિલનાડુ દક્ષિણ ભારતમાં જ નહીં બલ્કે ભારતભરમાં ‘શંકર IAS એકેડમી’ થી જાણીતા હતા, જેની સ્થાપના 2004માં ચેન્નાઈમાં થઈ હતી. ત્યારથી આજ સુધી એમની એકેડમીમાં તૈયારી કરીને 900 યુવાનો IAS, IPS કે રાજ્ય સરકારની ક્લાસ-1-2 અધિકારી બનવામાં સફળ રહ્યાં છે.
આ રાજ્યની પ્રથમ એકેડમી હતી, જેનું લક્ષ્ય IAS અને IPS બનવા ઈચ્છતા યુવાનો તૈયારીની ટ્રેનિંગ આપતી હતી. આ એકેડમી ખાસ કરીને પછાત સમુદાયના યુવાનો પર ખાસ ધ્યાન આપતી હતી, જેથી એ ભવિષ્યમાં સફળતા હાંસલ કરી શકે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.
તમિલનાડુના કૃષ્ણગિરીમાં રહેતા શંકરનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો હતો, તેમના પિતા બાળપણમાં અવસાન પામ્યા હતાં.
શંકર દેવરાજને એગ્રી કલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
શાળા-કૉલેજોમાં રેગિંગના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતની સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં બન્યો હતો. જ્યાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.
![]()

ડાયમંડ સિટી સુરતમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓર્થોપેડિકના બે ડૉક્ટરોએ ફરિયાદ નોંધાવી હતી. હૉસ્પિટલના ૬ રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડૉક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ઓર્થો વિભાગના બે ડૉક્ટરોએ આ અંગે હૉસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જો કે, હૉસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાને એન્ટી રેગિંગ સમિતિને સોંપી હતી.
આ સમગ્ર મામલામાં એવી પણ વિગતો ચર્ચાય રહી છે કે રેગિંગની ફરીયાદ પૂર્વે બે તબીબો અને એ પછી એના જૂથો વચ્ચે પેશન્ટ ચકાસણીના મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા મામલો બિચક્યો હતો અને તે પૈકી જાણકારોના એક ગ્રુપ દ્વારા રેગિંગની ફરીયાદ નોંધાવવામાં આવી છે. જોકે, સાચુ ખોટું હવે ડીન દ્વારા હાથ ધરાયેલી તપાસ સમિતિ જ બહાર લાવી શક્શે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કોઇ સજ્જડ કારણ વિના, કોઇ તાર્કિક દલીલ વગર આજથી શરૂ થયેલા ગુજરાતના અસ્મિતા પર્વ નવરાત્રીમાં તા.10થી તા.18 ઓક્ટોબર 2018 સુધી શિક્ષણ કાર્ય બંધ રાખીને વેકેશન પાડવાના ગુજરાતની ભાજપા સરકારના ફતવા વિરુદ્ધ (www.cialive.in) આજે સુરતમાં પ્રાઇવેટ, સેલ્ફફાઇનાન્સ, અધર ધેન ગુજરાત બોર્ડની શાળાઓ ધરાર ચાલુ રહી હતી. પ્રાઇવેટની એકેય શાળાઓએ નવરાત્રીના વેકેશનની કોઇ અસર થવા ન દીધી.

550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના (www.cialive.in) બિનજરૂરી વેકેશનને ફગાવીને આજે ધરાર ભણ્યા
ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી 550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના બિનજરૂરી વેકેશનને ફગાવીને (www.cialive.in) આજે ધરાર ભણ્યા હતા. શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પહેલી વખત એક મુદ્દા પર સંમત દેખાયા. રાજ્ય સરકારનો આનાથી મોટો વિરોધ કયો હોઇ શકે?
રાજ્ય સરકારના નવરાત્રી વેકેશનના આદેશનું અક્ષરસઃ પાલન જો કોઇએ કર્યું હોય તો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી www.cialive.in ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ આપીને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આ તમામ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને શિક્ષકોએ કચવાતા મને વેકેશન લેવું પડ્યું છે. www.cialive.in રાજ્ય સરકાર પગાર કાપી લેશે, ગ્રાન્ટ કાપી લેશે અથવા તો અન્ય કોઇ શિક્ષાત્મક પગલાં ભરશે એવી બીકના માર્યા આ સ્કુલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ www.cialive.in આપીને નવરાત્રી વેકેશન
હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન નહીં આપનાર સ્કુલોના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું, www.cialive.in એ નિવેદનના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે.
બીજી તરફ શાળા સંચાલકો આ મુદ્દે રાજ્ય સરકાર સામે ન્યાયીક રીતે લડવા માટે તૈયારી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવે, એટલે તુરત જ નવરાત્રી વેકેશનના જબરદસ્તીના સોદા સંદર્ભે ખાનગી સ્કુલોના સંચાલકો કાયદેસરની લડત આપશે.
નવરાત્રિમાં વેકેશના મુદ્દે રાજ્ય સરકાર પાસે કોઇ સજ્જડ કે તાર્કિક દલીલ નથી રહી. સરકારે આ મુદ્દે કોઇ ફોડ પણ પાડ્યો નથી. નવરાત્રી પર્વ એટલે નૃત્યોત્સવ એટલે ગરબા જે રાત્રે 9 વાગ્યા પછી જ આયોજિત થાય છે. 12 વાગ્યે સરકાર અને પોલીસ માઇક લાઉડ સ્પીકર બંધ કરાવી દે છે www.cialive.in એટલે ગરબામાં ઉજાગરા થાય તેવી શક્યતા નથી. દિવસ દરમિયાન નવરાત્રીમાં કોઇ ઉજવણી થતી નથી. એટલે વેકેશનનો કોઇ અર્થ સરતો નથી. પરીણામે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સંચાલકો આમ રાજ્ય સરકારના ફતવાની વિરુદ્ધ બધા જ એક થઇને ઉભા છે.
સામે પક્ષે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો www.cialive.in તમામ એક સૂરે તાર્કિક દલીલ એ કરી રહ્યા છે કે દિવાળી વેકેશનના ભોગે નવરાત્રિનું વેકેશન તો નહીં જ જોઇએ. દિવાળી પર્વે સુરત આવીને વસેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ, તેમજ પરપ્રાંતનો પરિવારો તેમના વતન જતા હોય છે, જો દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવે તો તેમનું આખા વર્ષનું સમયપત્રક ખોરવાય જાય તેમ છે.

ડૉલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.
અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહ્યા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્કિન યુનિવર્સિટી-કેમ્બ્રિજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદલાતા જતા સંજોગને સ્વીકારી તેમણે કાર ખરીદવાનો વિચાર પડતો મૂક્યો, ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જોબ કરી રહ્યો છે.
અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મનોજ ગુપ્તાનો જ કેસ ચકાસીએ તો તેઓ ભારતની ઓઈલ એન્ડ ગેસ કંપનીના એક્ઝિક્યુટિવ છે. જે પ્રતિ વર્ષ આશરે 30,000 ડૉલર્સ પુત્રના અભ્યાસ તથા અન્ય ખર્ચ પાછળ ખર્ચે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર યુએસ વધુ અભ્યાસ અર્થે ગયો ત્યારે 1 ડૉલરનો ભાવ 64 રૂ. હતો જે હાલ 74 રૂ. પહોંચ્યો છે. ભારતીય મા-બાપ માટે આ 10 રૂ.નો તફાવત વિકટ સમસ્યા થઈ પડી છે એ સર્વાનુવિદીત છે.
ઘણા માતા-પિતાએ વધુ અભ્યાસ અર્થે સંતાનોને વિદેશ મોકલવા જંગી રકમની લોન લીધી છે અથવા તો તેમની મિલકત પણ ગીરવે મૂકી છે, ત્યારે એક બાજુ રૂપિયાના વધતા જતા ભાવ અને ટ્રમ્પ પ્રશાસન તરફથી બદલાઈ રહેલી વીઝા નીતિને કારણે ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ડામોડોળ થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ બ્રિટન, યુકે ખાતે પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે સર્વે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે.
હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે છે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે છે. મળતા અહેવાલ મુજબ રૂપિયાના વધતા જતા ભાવને પરિણામે એર ફેર મોંઘું થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ વેકેશનમાં કે પ્રસંગો પર પણ દેશ જવું કે નહીં તે અંગે પણ અવઢવમાં છે.
પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો 85.5 થી 96.7ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડૉલરની સામે 65.2થી 74.2ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો 76.3 થી વધીને 84.8ના ભાવે પહોંચી ચૂક્યો છે.
જમન રાણાએ જણાવ્યું હતું કે તેના પ્રવેશ સમયે તેની અભ્યાસ ફી રૂપિયામાં 19.5 લાખ હતી, ત્યારે પાઉન્ડ સામે રૂપિયાની કિંમત 85.5 રૂ. હતી, જ્યારે આજે પાઉન્ડ સામે રૂપિયો 96.7 રૂ.ના ભાવે નીચે ગયો છે. જેને પરિણામે તેની અભ્યાસ ફીમાં આશરે 2.5 લાખનો વધારો થઈ ચૂક્યો છે. જેને પરિણામે તેના માતા-પિતાનો બોજ હળવો કરવા તે અભ્યાસ સાથે કામ પણ કરી રહ્યો છે.
બ્રિટિશ યુનિવર્સિટીના ક્ધસલટન્ટ નાગપુર સ્થિત વિજય નાયડુના મત મુજબ હાલ રૂપિયાનું અવમૂલ્યન વિદ્યાર્થીઓને એટલું નુકસાનકારક નથી કારણ તેઓ એડવાન્સ ફી ભરી ચૂક્યા છે જેથી ફીનું ધારાધોરણ જળવાઈ રહ્યું છે, પરંતુ તેમના જીવનનિર્વાહના ખર્ચમાં ચોક્કસ વધારો નોંધાયો છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે છે તો આગામી વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનની વિદ્યાર્થીઓની અભ્યાસ ફી પર ગંભીર અસરો પડી શકે છે.
અમેરિકામાં 50% ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેક્સિબલ પેમેન્ટ માટે વિનંતી કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ પોતે જ કામ કરી તેમાંથી તેમના અભ્યાસનો ખર્ચ કાઢી શકે.
આ તે કેવી સરકાર, નવરાત્રીમાં ફરજિયાત વેકેશન પડાવવા માટે રાજ્ય સરકારે હુકમો છોડ્યા છે અને સામે સ્કુલો, વાલીઓએ બાંયો ચઢાવી છે કે અમારે નવરાત્રીમાં સ્કુલોમાં વેકેશન લેવું નથી.
જાણકારો કહે છે કે નવરાત્રીના ફરજિયાત વેકેશનના મુદ્દે રાજ્ય સરકાર ખોટો દાખલો બેસાડી રહી છે. અત્યાર સુધી સરકાર અને સ્કુલો વચ્ચે ઘર્ષણ એ બાબતે રહેતું કે સ્કુલો કારણ વગર રજા આપી દેતી અને સરકારે પગલાં લેવા પડ્યા. નવરાત્રી વેકેશનનો મુદ્દો એવો છે કે જેમાં સરકાર વેકેશન આપવાનું કહે છે અને જેમણે વેકેશન ભોગવવાનું છે એ સ્કુલ સંચાલકો, શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધા જ નવરાત્રીમાં વેકેશન લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. રાજ્ય સરકારની જોહુકમી ચોમેર ટીકા પાત્ર થઇ રહી છે. રાજ્ય સરકાર કોઇ રચનાત્મક કે શૈક્ષણિક બાબતમાં જોરજુલ્મી, જબરદસ્તી કરે, કરાવે એ માની શકાય પણ શાળાઓમાં શિક્ષણનો ભોગ લઇને વેકેશન આપે એ બાબત તમામને અજુગતી લાગી રહી છે.
કદાચ પહેલી વખત એ પણ ઇતિહાસ સર્જાશે કે વેકેશન નહીં લેવા માટે સ્કુલો, વાલીઓ, વિદ્યાર્થીઓ આંદોલન કરશે અને વેકેશન પડાવવા માટે સરકાર જોરજુલ્મી કરશે.
રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઇન્કાર કરીને શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી ચૂકી છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના આપવામાં આવતા ખાનગી શાળાના સંચાલકોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણપ્રધાને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.
પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ ૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા. ૫થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં ૧૯મીથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.
Jayesh Brahmbhatt 98253 44944
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે કે બેટી પઢાવો બેટી બચાવો પછી આખું ગામ તો બૂમો પાડી ને કહે જ ને કે બેટી પઢાવો. પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ માટે કહે છે ખબરદાર બેટીઓ (કન્યાઓ)ને પ્રવેશ આપ્યા છે. વ્યારાની હોમિયોપેથી કોલેજ એવી છે કે જ્યાં 65 ટકા જેટલા પ્રવેશાર્થીઓ મહિલા હોય છે. હોમિયોપેથી કાઉન્સિલએ કોલેજને મંજૂરી આપી અને ગુજરાત સરકારની પ્રવેશ સમિતિએ 47 કન્યાઓ સમેત 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ આપ્યું હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજને જાણે બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ પાણીમાંથી પોરા કાઢીને ચાલુ વર્ષે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ વર્તી રહી છે.
હકીકતમાં ધો.12 પછી બાયોલોજી વિષય સાથે પાસ થયેલી કન્યાઓ માટે આમેય વિકલ્પો ઓછા હોય અને તેમાં પણ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ ન મળે તો કન્યાઓ માટે પેરામેડિકલમાં નીટ બેઝડ બે જ અભ્યાસક્રમ છે. એક આયુર્વેદિક અને બીજો કોર્સ હોમિયોપેથી. દક્ષિણ ગુજરાતની કન્યાઓ માટે વ્યારા ખાતે જ્યાં 65 ટકાથી વધુ મહિલાઓ અભ્યાસ કરે છે. આ વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશ અને ખાસ કરીને શિવેન્દ્ર સરકારને ગુપ્તતામાં શું વાંકુ પડ્યું એ તો હવે પછી ખબર પડશે પણ વ્યારા હોમિયોપેથી કોલેજના પ્રવેશને અમાન્ય કરવાની ધમકીઓ કોલેજને મળી રહી છે.
હકીકતમાં હોમિયોપેથી કાઉન્સિલ અને રાજ્ય સરકારની એડમિશન કમિટી બન્નેએ વ્યારાની કોલેજને એપ્રુવલ આપીને 47 કન્યાઓ અને 28 કુમાર મળને 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ પણ ફાળવી આપ્યું છે. આમેય 2018-19ના વર્ષના શૈક્ષણિક વર્ષના પહેલા સત્રમાં 50 ટકા સમય વેડફાઇ ચૂક્યા છે, ત્યારે સત્વરે કન્યાઓનું શિક્ષણ શરૂ થાય તેમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારને રસ નથી પણ વ્યારા કોલેજ બંધ થઇ જાય એવું બતાવી દેવાની હોડમાં કોલેજમાં શિક્ષણ શરૂ થવા દેતા નથી.
આ મુજબના પ્રવેશાર્થીઓને પ્રવેશ ફાળવવા માટે રાજ્ય સરકારની પ્રવેશ કમિટીએ સૂચના આપી છે પણ વીર નર્મદ યુનિ.માં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર હઠાગ્રહ લઇને બેઠી છે કે કોલેજ શરૂ નહીં જ થવા દઇએ


વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની સરકાર કહે છે કે વ્યારા હોમીયોપેથી કોલેજમાં સુવિધાઓ નથી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી આ કોલેજ યોગ્ય રીતે ચાલી, યુનિવર્સિટીની કમિટીઓએ જ આપેલા રિપોર્ટને આધારે તેને જોડાણો અપાયા ત્યારે આ વર્ષે જ સવાલો કેમ ઉપસ્થિત થયા. શિવેન્દ્ર સરકારની આ પોલીસીથી શિક્ષણશાસ્ત્રીઓ એટલા માટે પણ હેરાન થઇ રહ્યા છે કે વ્યારાની કોલેજ કોઇ સામાન્ય બીએ, બીકોમ બીએસસી જેવા કોર્સની નથી કે જે સંખ્યાબંધ હોય, દક્ષિણ ગુજરાતમાં બે જ કોલેજ હોમિયોપેથીની છે, આખા રાજ્યમાં જ્યારે પેરામેડીકલ કોલેજોની સંખ્યાનો અભાવ વર્તાતો હોય ત્યારે કોલેજના જોડાણના મુદ્દે વાટાઘાટોથી અમલ લાવવાને બદલે કોલેજ બંધ કરી દેવાના પેંતરા કેટલે અંશે વ્યાજબી છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગે અને ગુજરાત સરકારે જ્યારે લીલીઝંડી આપી હોય ત્યારે આ યુનિવર્સિટીની ભૂમિકા તો તેને એન્ડોર્સ કરવાની હોય છે તેની જગ્યાએ રોડાં નાંખવાનું કામ શિવેન્દ્ર સરકાર દ્વારા થઇ રહ્યું છે.
હવે આ શિવેન્દ્ર ભાઇની સરકારને જ્યારે ગુપ્તતામાં કોઇ સમજાવશે ત્યારે જ આ ગૂંચવાયેલો મામલો સૂલઝાય તેમ જણાય છે. અગાઉ પ્રોફેસર ડો. ઘનશ્યામ રાવલ ના મુદ્દે હાઇકોર્ટમાં પછડાટ ખાઇ ચૂકેલી વીર નર્મદ યુનિ.ની શિવેન્દ્ર સરકારને એ પણ યાદ દેવડાવવું પડે છે કે પ્રો.ડો. કિર્તી માટલીવાલાની પી.એચડી. ડિગ્રી હોય કે એવા અગણિત કેસ હોય જેમની સામે શિવેન્દ્ર સરકારે ધૂળ ઉડાડવાનો પ્રયાસ કર્યો તો તેમની આંખમાં જ કચરું પડ્યું હતું. આ મામલે પણ કચરું પડે એ પહેલા સમજી જાય તો સારું, કેમકે યુનિર્વસિટીના કેન્દ્રમાં વિદ્યાર્થી હિતથી સર્વોપરી કશું હોતું નથી.
RTEને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. RTE મામલે ગુજરાત સરકારને ટકોરતા હાઈકોર્ટે કહ્યું છે, ‘એક બાજુ શાળાઓમાં સીટ ખાલી રહે છે, બીજી બાજુ ગરીબ બાળકો અભ્યાસથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે. આ મુદ્દો ગંભીર અને સંવેદનશીલ છે.’ સાથે જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને RTE અંગે વધુ પ્રચાર પ્રસાર કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. સાથે જ આગામી વર્ષે બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પ આપવા પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટે પહેલાં પણ કડક વલણ અપનાવીને જણાવ્યું હતું કે, દરેક શાળાએ આરટીઈ અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહીં આવે. ગરીબ બાળકોને ફાળવવામાં આવતી 25 ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું હતુ કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે આ મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા આરટીઈ એક્ટનો અમલ થયો નથી.