CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 40 of 48 - CIA Live

November 26, 2018
School-kids-with-heavy-bags.jpg
1min18960

વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.

માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

  • પરિપત્રમાં જણાવાયું છે કે

  • ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
  • ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
  • ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
  • ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં

  • ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
  • પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
  • શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.

November 24, 2018
gst.jpg
1min5290

દેશભરમાં જીએસટી લાગુ થયાના સવા વર્ષ બાદ ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવાનો નિર્ણય છે.

ગુજરાતના શિક્ષણ વિભાગે જીએસટી વિષયને ઉચ્ચતર માધ્યમિક વાણિજ્ય વિભાગના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આમ હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે.

જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે.

November 22, 2018
CIA_Live_Logo_New2.jpg
1min50100

કેન્દ્રના નાણાંમંત્રી અરુણ જેટલીએ આજરોજ તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે એક કલાકે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મંજૂરી આપતા જણાવ્યું હતું કે ગુજરાત નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ-દાદરાનગર હવેલી ખાતે મેડીકલ એજ્યુકેશનની સુવિધા સાથે જાહેર આરોગ્યની લગતી સેવાઓ લોકોને મળી શકે તે માટે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને સેલવાસ ખાતે શરૂ થનારી આ નવી મેડીકલ કોલેજને પહેલા વર્ષે એમ.બી.બી.એસ.ની કુલ 150 સીટ્સ પર પ્રવેશ ફાળવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસ ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવા માટેની માળખાગત સુવિધાઓ બિલકુલ તૈયાર છે. અને કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરીની રાહ જોવાતી હતી. આજરોજ કેન્દ્રીય કેબિનેટે સેલવાસ મેડીકલ કોલેજની ફાઇલ મંજૂર કરતા હવે દક્ષિણ ગુજરાતમાં વધુ એક મેડીકલ કોલેજ આગામી શૈક્ષણિક વર્ષ 2019-20ના વર્ષ માટે શરૂ થશે.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરીષદમાં કરેલી જાહેરાત. જુઓ વિડીયોમાં.

LIVE: Arun Jaitley

LIVE: Arun Jaitley

Posted by ABP Live on Wednesday, 21 November 2018

 

VNSGU Affiliation letter

November 19, 2018
aiims_mbbs_2019.png
1min5660

નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ AIMS સમેત દેશભરમાં અન્ય 14 શહેરોમાં વિકસાવાયેલી AIMS મેડીકલ કોલેજોમાં ચાલતા MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા AIMS 2019 માટેના રજિસ્ટ્રેશન તા.30મી નવેમ્બર 2018થી શરૂ કરવા અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધો.12 બાયોલોજી વિષય સાથે હાલમાં ભણી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે લાયક છે.

એઇમ્સ 2019 પ્રવેશ પરીક્ષા માટે તા.25 અને તા.26મી મે, 2019 મુકરર કરવામાં આવી છે.

એઇમ્સ પ્રવેશ પરીક્ષા 2019ના રજિસ્ટ્રેશન 30 નવેમ્બરથી 3 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓ હાલમાં ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન માટે લાયક છે.

વધુ માહિતી ઉપરોક્ત જાહેરાત પરથી અગર તો એઇમ્સની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

November 15, 2018
bhulka1.jpg
1min35110

કોઇ સ્કુલ તમને એવું કહી શકે કે તમે પહેલા એ બાબત ચકાસી લો કે અમે કેવી પદ્ધતિથી ભણાવીએ છીએ, અમે કેવું ભણાવીએ છીએ ?, અમારે ત્યાં કેવા પ્રકારની ફેસેલિટી છે?, આ બધી બાબતોની ખરાઇ કરવા માટે કોઇ શાળા 6-8 મહિનાનો સમય તમને આપી શકે આવા સવાલો અને તેના જવાબો આપવાની તસ્દી લે એવી સ્કુલ અને વળી એ પણ મોસ્ટ ડિમાન્ડેડ શાળા આવું કરી શકે… ?

 

કદાચ આવા પ્રશ્નોના મોટા ભાગે મળતા જવાબો ના માં હોય. પણ અમે અહીં સુરતના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલની વાત કરી રહ્યા છે. આઘુનિકતા સાથે પરંપરાગત શૈલીથી શિક્ષણ આપવા માટે જાણીતી અને સતત રચનાત્મક પ્રયોગ કરતી ભૂલકા વિહાર સ્કુલના સંચાલકોએ 2019-20માં શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે નીચે મુજબની નોટિસ જારી કરી છે જેના પરથી આખી વાતનો મર્મ સમજાશે.

હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહેલા અને આગામી વર્ષે ધો.11 સાયન્સમાં ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે આગામી તા.25મી નવેમ્બર 2018ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે શાળામાં એક ખાસ મિટીંગ રાખવામાં આવી છે. આ મિટીંગનો આશય વાલીઓને માહિતગાર કરવાનો છે એવી બાબતોથી કે જે ભૂલકા વિહાર શાળાની સક્સેસ સ્ટોરીના પીલર્સ છે. આ મિટીંગમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીઓએ આપવાની થતી જે.ઇ.ઇ. મેઇન્સ, જે.ઇ.ઇ. એડવાન્સ્ડ, નીટ, ગુજકેટ વગેરે જેવી બાહ્ય પ્રવેશ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી બન્ને માધ્યમમાં શાળામાં કયા ફેકલ્ટી શું શીખવશે, શાળાના શિક્ષકો, તેમના સહાયકો, શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓ વગેરે મળીને બે વર્ષમાં કેવી રીતે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે તેની આખી રેસીપી રજૂ કરશે. ધો.11-12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ શાળા, શિક્ષકો, સહાયકો, શાળા દ્વારા નિમવામાં આવતા એક્સપર્ટસ વગેરે કેવા પ્રકારની મહેનત, કયા સમયગાળામાં કરતા હોય છે, કેવી રીતે અભ્યાસક્રમનું સમયસર સંચાલન, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન થાય છે વગેરે બાબતોથી ઝીણવટપૂર્વક માહિતગાર આજે કોણ કરવા તૈયાર હોય, આ બધું જ ભૂલકા વિહાર શાળામાં યોજાનારી મિટીંગમાં જાણવા મળશે.

2019 જૂન માસથી ગુજરાત બોર્ડ ધો.11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી અગત્યની મિટીંગ બની શકે. ખાસ નોંધ એ પણ લેવાની કે આ મિટીંગ ભૂલકા વિહાર શાળાના વાલીઓ માટે નથી. ભૂલકા વિહાર શાળામાં ધો.10માં અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મિટીંગ યોજવામાં આવી છે.

ભૂલકા વિહાર શાળાએ આવું કરવાની કશી જરૂર નથી. આ શાળા ઇચ્છે તો એક નહીં ચાર-ચાર વર્ગોની સંખ્યા બેઠા બેઠા ભરી શકાય. પરંતુ, એવું નહીં જે રીતે વાલીઓની શાળા પ્રત્યે અપેક્ષા હોય છે તેવી જ રીતે શાળા પણ વાલીઓ પાસે કેટલીક ચોક્કસ અપેક્ષા રાખે છે, સૌથી મોટી અપેક્ષા એ જ હોય કે વાલી તેના બાળકને પૂરતો સમય આપે, શાળા જ્યારે બોલાવે ત્યારે સમયસર મિટીંગ એટેન્ડ કરે. સંચાલકો એવું સ્પષ્ટ રીતે સમજે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એકલી સ્કુલથી સંભવ નથી. વાલીઓ પણ એટલું જ યોગદાન કરે કે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ભવિષ્યના પડકારો સામે લડવા માટે સજ્જ કરી શકાય.

 

November 7, 2018
government_gujarat.jpg
1min3980

સામાન્યતઃ કાળી ચૌદશે લોકો કશું અઘટિત થાય તેવું માનતા હોય છે પણ આ જ દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને બ્લોકબસ્ટર ન્યુઝ આપ્યા છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમા પગારપંચ પ્રમાણે તફાવતના રકમનો પહેલો હપ્તો ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ રકમ નવેમ્બરમાં જ ચૂકવી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે,’જ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

November 5, 2018
gseb-1280x720.jpg
1min4590

ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવાઈ છે, પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ, 2017ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ 2018માં લેવાઈ હતી, જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ગાંધીનગર ખાતે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પ્રથાને સારો પ્રતિસાદ ન મળતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર011થી ર017 દરમિયાન ધોરણ 1ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધો.11-12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ 2018થી રદ કરી દેવાઈ છે અને ગત માર્ચ 2017માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-4 પરીક્ષા લેવાઈ હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન 2018થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરી દેવાઈ છે. જેની પ્રથમવારની ધો.12 સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે 19 એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.

November 2, 2018
iitmadra.jpg
1min12260

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

October 29, 2018
mobile.jpg
1min12670

રાજકોટ સહિત રાજ્યભરમાં ચાર જિલ્લા મથકે આજે ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે લાયકાત મેળવવા માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ)નું આયોજન કરાયું હતું. જેમાં એક ઉમેદવાર મોબાઇલ ફોન સાથે કસોટી આપતા હોવાનું જણાતા તેની સામે કોપીકેસ નોંધી વીજાણું ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કસોટી દરમિયાન વર્ગખંડમાં મોબાઈલ સહિતના વિજાણું ઉપકરણ લઈ જવાની મનાઈ હતી દરમિયાન રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલયમાં ચેકિંગ વખતે મોબાઈલ સાથે કસોટી આપતા ઉમેદવાર ઝડપાતા ઉત્તરવહી સીલ કરી, તેનો મોબાઈલ જપ્ત કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોપીકેસ નોંધવામા આવ્યો હતો.

 

October 27, 2018
The-Institute-of-Cost-Accountants-of-India.jpg
1min10170
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ તાજેતરમાં મુંબઈમાં થયું હતું. જેમાં મૂળ રાજકોટના જસ્મીન કુબાવતને ઓએનજીસીમાં રૂ. ૧૮ લાખનું પેકેજ મળ્યું હતું. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. ૬થી ૮.૫૦ લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-૨૦૧૮માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે ૬ કંપનીઓ આવી છે.

CMA પ્લેસમેન્ટમાં ઓએનજીસી દ્વારા આંશિક રીતે દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને 18 લાખના પેકેજની ઓફર

મુંબઈમાં થયેલા પ્લેસમેન્ટમાં ૧૮ લાખનું પેકેજ મેળવનારા જસ્મીન તુલશીભાઈ કુબાવતે જણાવ્યું હતુ કે, મારું CMA ક્વોલિફીકેશન જૂન-૧૮માં પૂર્ણ થયું છે અને મારું સિલેક્શન ONGCમાં વાર્ષિક રૂ. ૧૮ લાખના પેકેજથી થયું છે. CMAના આ અભ્યાસક્રમ દરમિયાન મને અમદાવાદ ચેપ્ટરે ખૂબ જ મદદ કરી છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા મોક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જે મને ખૂબ જ મદદરૂપ થયા હતા.
CMA કોણ કરી શકે કેવી રીતે કરી શકાય
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અકાઉન્ટસ કોર્સ ધો.12 પાસ કોઇપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરી શકે. સી.એ., સી.એસ. ની જેમ સીએમએ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ આધારિત કોર્સ છે. સી.એમ.એ. સાથે અન્ય રેગ્યુલર ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સર્ફ કરવી.