CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 35 of 48 - CIA Live

April 5, 2019
fugen_world.jpg
1min9710

11-12 સાયન્સમાં ફ્યુજન વર્લ્ડ અને 4 શાળાઓ 150 તેજસ્વી વિદ્યાર્થીઓને મફત ભણાવશે

કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વસિષ્ઠ જેનેસીસ સ્કુલ-બારડોલી, નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ અને હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ, પૂણાગામ, સુરત એમ ચાર શાળાઓએ અને પાંચમી સંસ્થા ફ્યુજન વર્લ્ડનું એક ગ્રુપ રચાયું છે જે  શહેરમાં ધો.11-12 સાયન્સનું ગુણવત્તાસભર એજ્યુકેશન પુરૂં પાડી રહ્યું છે. ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં ધો.11-12 સાયન્સનું શાળાકીય શિક્ષણ ઉપરાંત મેડીકલ તથા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની નીટ-જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ પૂરૂં પાડવામાં આવે છે.  જેમણે ધો.11-12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અદભૂત યોજના લોંચ કરી છે. જેમાં તેજસ્વી હોય અને જેમના માબાપ ધો.11-12 સાયન્સમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોય તેવા વિદ્યાર્થીઓને ધો.10ના મેરીટના આધારે પ્રવેશ આપીને બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી 4 શાળાઓમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કોઇ ટ્યુશન કે કોચિંગ નહીં લેવું પડે

  • ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓ
  • કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય,
  • બારડોલી સ્થિત વસિષ્ઠ જેનેસીસ સ્કુલ
  • નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ
  • પૂણાગામ સુરત સ્થિત હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ

ફ્યુજન વર્લ્ડ એ એવી શાળાઓનું સંગઠન છે જે ધો.11-12 સાયન્સ પછી આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બાયોલોજી ગ્રુપમાં નીટ (મેડીકલ-ડેન્ટલ-હોમિયોપેથી-આયુર્વેદિકમાં પ્રવેશ માટે) અને જેઇઇ મેઇન્સ તથા એડવાન્સ્ડ (આઇ.આઇ.ટી, એન.આઇ.ટી., ત્રિપલઆઇટી જેવી રાષ્ટ્રીય મહત્વતા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની) પરીક્ષાની તૈયારી કરાવે છે. ચારેય સંસ્થાઓમાં નિવડેલા શિક્ષકો, પોતાને સતત અપડેટ રાખતા શિક્ષકો, પોતાનું જ્ઞાન વધે તેવા સતત પ્રયાસો કરતા શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રવાહ તેમજ પ્રવેશ પરીક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાયેલી ચારેય સ્કુલો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત ધો.11-12 શાળાકીય શિક્ષણ તેમજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાની તૈયારી પણ કરાવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાનારા વિદ્યાર્થીઓએ ધો.11-12 સાયન્સમાં અભ્યાસ માટે કે કોઇપણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાનગી કે વધારાનું ટ્યુશન લેવાની કે કોચિંગ ક્લાસીસમાં જોડાવાની બિલકુલ જરૂર નહીં રહે.

તેજસ્વી હોય તેવા 150 ગરીબ વિદ્યાર્થીઓને કલ્પ 150 અન્વયે બિલકુલ ફ્રી ભણાવાશે પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ આર્થિક રીતે ધો.11-12 સાયન્સનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે કલ્પ 150 યોજના લોંચ કરી રહ્યા છે. ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલ્પ 150 યોજનામાં સામેલ થવું હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ યોજનામાં ધો.10માં ટોપ મેરિટ ધરાવતા પ્રથમ 150 વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવશે. ફ્યુજન વર્લ્ડ કલ્પ 150 યોજનામાં રજિસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે થઇ શકે છે.

કલ્પ 150 યોજના માટે અહીં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

કલ્પ 150 યોજનાનો લાભ લેવા ઇચ્છતા તેજસ્વી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ

ફોન નં. 9727 99 1009 તેમજ 9624 39 1009

Website for online Registration www.fugenworld.com

ફ્યુજન વર્લ્ડના નીચે મુજબના પોસ્ટરમાં કલ્પ 150 યોજના અંગેની સઘળી માહિતી દર્શાવવામાં આવી છે.

 

April 5, 2019
calogo1.jpg
2min11540

ધો.12 કોઇપણ પ્રવાહ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માટેનું પહેલું ચરણ ગણાતી સી.પી.ટી. (કોમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ) જુન 2019માં બેસવા માટેના રજિસ્ટ્રેશન તા.4 એપ્રિલ 2019થી શરૂ થઇ ચૂક્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સી.એ. કોર્સ કરવો હોય તો સી.પી.ટી. માટે રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપવી ફરજિયાત છે.

તા.30મી જૂન 2019ના રોજ લેવાનારી સી.પી.ટી. પ્રવેશ પરીક્ષાની સઘળી માહિતી નીચે મુજબ છે.

1. Last date for registration to CPT Course with BOS 30th June, 2017
2. Commencement of Online filling of CPT Examination Form 4th April, 2019 (10:00 A.M. IST)
3. Last date & time for Login Creation/New User Registration 02nd May, 2019 upto 5:30 P.M. (IST)
4. Last date & time for submitting the form and making payment without Late Fee through already created Login 24th April, 2019 upto 23:59 P.M. (IST)
5. Last date & time for filling the form and making payment with Late Fee through already created Login 02nd May, 2019 upto 23:59 P.M. (IST)
6. Last date for receipt of print out of online examination form duly filled up(PDF) 06th May, 2019
7. Date of CPT Examination 16th June, 2019 (Sunday)
8. Hosting of Correction Window -I [(without fee) will be available for one week from the date of hosting] 1st Week of May, 2019 (for one week) **
9. Hosting of Correction Window -II [(with fee) will be available upto 07th June, 2019] 4th Week of May, 2019 to 07th June, 2019. **
10. Likely date of declaration of result (icaiexam.icai.org) Around mid July 2019

સી.એ.ની એન્ટ્રન્સ એકઝામ સી.પી.ટી. જૂન 2019ની પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો

http://icaiexam.icai.org/Announcements/Guidance_Notes_CPT_June2019.pdf

સી.પી.ટી. 2019માં રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિંક ક્લીક કરો

http://icaiexam.icai.org/index1.php#

 

April 4, 2019
Gujarat-University.jpg
1min10130

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડૉ. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઇન્ટરનલ કમ્પેલન કમિટીએ બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરતાં આ રિપોર્ટના આધારે તેમની સામે એકશન લઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એક વિદ્યાર્થિનીએ ડૉ. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું આઈસીસીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈનકાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડી.ની વિદ્યાર્થિની સાથે ડૉ. વશિષ્ઠ ભટ્ટે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી. જાતીય સતામણીની ફરીયાદ બાદ ઇન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિધાર્રિત કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

March 27, 2019
amroli_logo.jpeg
1min50320

જયેશ બ્રહ્મભટ્ટ

હાલમાં ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે ધો.12 કોમર્સનું પરિણામ આવે અને કોલેજમાં પ્રવેશ કામગીરી શરૂ થાય ત્યારે સેંકડો નહીં હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચોઇશ ફિલિંગ કરવી એ સમજ પડતી નથી, ઘણાં વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીની કઇ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું તે સમજ પડતી નથી હોતી, પ્રવેશ રાઉન્ડનું પરીણામ કેવી રીતે જોવું વગેરે અનેક સવાલો ઉપસ્થિત થાય છે.

ધો.12 કોમર્સ B.com, B.C.A. B.B.A. ના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રવેશની દોડધામથી બચવું હોય તો હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવીને એડવાન્સમાં પ્રવેશનું આયોજન કરી શકશો

આવા સંજોગોમાં કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયા હોવા છતાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર કાફેના સંકજામાં સપડાય છે. ખાસ કરીને વરાછા, કતારગામ, વેડરોડ, સુમુલડેરી રોડ, પૂણા, કુંભારીયા, કોસાડ, અમરોલી, કોટ વિસ્તાર, ઓલપાડ વિસ્તાર વગેરે વિસ્તારમાં તો કેટલાક સાઇબર કાફેમાં માત્ર ફોર્મ ભરવાના રૂ.1500થી રૂ.2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.

ઓનલાઇન પ્રવેશ ફોર્મ જે કોલેજોના હેલ્પ સેન્ટર્સ પર બિલકુલ મફત ભરાય છે તેના પ્રવેશાર્થીઓ સાઇબર કાફેમાં રૂ.2-2 હજાર ચૂકવી આવતા હોય છે

જાણકારીના અભાવે માત્ર 15 મિનિટમાં જે ફોર્મ ઓનલાઇન ભરાય એ ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓ રૂ.2000 સુધીની રકમ બિનજરુરી ચૂકવી આવે છે.

શહેરના અમરોલી ખાતે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આ વખતના ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુક્લ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક ઓનલાઇન કાર્યરત છે. ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માત્ર તેમની 8 જાણકારીઓ આપીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અમરોલી કોલેજની હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી સંપૂર્ણપણે માહિતગાર કરશે, તેમના પ્રશ્નો, સમસ્યાઓ, ડાઉટ વગેરેનું પણ સમાધાન કરી આપશે. અને સૌથી મહત્વની વાત છે કે આ હેલ્પ ડેસ્કનો કોઇ જ ચાર્જ નથી.

અમરોલી કોલેજની આ હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવો અને કોલેજ પ્રવેશ માટે આગોતરી વ્યવસ્થા કરી નચિંત બનો

http://amrolicollege.org/admhelpdesk/

અમરોલી કોલેજના હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ, અમરોલી કોલેજની પરિચય પુસ્તિકા, કારકિર્દી માર્ગદર્શનની ગુજરાત સરકારની માહિતી પુસ્તિકા, બી.કોમ.માં શું ભણવાનું આવશે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વગેરે માહિતી કોઇપણ વિદ્યાર્થી જોઇ શકશે. આ હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓ તેના પર કોલ કરીને પણ માહિતી મેળવી શકશે.

ટૂંકમાં અમરોલી કોલેજે ધો.12 કોમર્સ પછી કોલેજના પ્રવેશાર્થીઓ માટે શરૂ કરેલી હેલ્પ લાઇન સેંકડો વિદ્યાર્થીઓના સાઇબર કાફેમાં ઘસડાઇ જતા બિનજરૂરી રૂપિયા તો બચાવશે જ પરંતુ કોલેજ પ્રવેશ કાર્યવાહીનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂં પાડશે.

March 23, 2019
IMG_0927-1280x853.jpg
1min4790

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. હોય કે પછી કોઇપણ સ્ટેટ બોર્ડમાંથી ધો.10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ એ જ થતી હોય છે કે ધો.11-12 કયા ક્ષેત્રમાંથી કરવું જોઇએ.

આ અંગે ઝીણવટભરી માહિતી સામાન્ય લોકોને મળે તે માટે ન્યુઝ પોર્ટલ ખબર છે ડોટ કોમ સાથે શિક્ષણ સર્વદાએ કારકિર્દી માર્ગદર્શનની સિરીઝ શરૂ કરી છે. અહીં પ્રસ્તુત છે ધો.10 પછી શું કરવું તે અંગેનું માર્ગદર્શન

ધોરણ 10ની પરીક્ષા આપ્યા પછી શું ભણવું?

ધોરણ 10ની પરીક્ષા આપ્યા પછી શું ભણવું?

Posted by Khabarchhe on Friday, 22 March 2019

March 22, 2019
nit-kurukshetra.jpg
1min5490

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.

 

March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4270

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
March 19, 2019
jeeadv.png
1min10110

ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.19મી મે 2019ના રોજ લેવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં મતદાનો 7મો અને આખરી તબક્કો તા.19મી મે 2019ના રોજ છે. ચૂંટણી મતદાનના કારણે સંભવે છેકે પરીક્ષાર્થીઓથી શરૂ કરીને સ્કુલ સ્ટાફ, સ્કુલ બિલ્ડીંગ વગેરેનો પ્રશ્નો ઉપસ્થિત થતો હતો. આથી આ વખતની આઇ.આઇ.ટી. જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 2019 લેવાની જવાબદારી જેના શિરે છે એ આઇ.આઇ.ટી. રૂરકીના સંચાલકોએ જે.ઇ.ઇ. એડવાન્સ્ડ પરીક્ષા તા.19મી મેની જગ્યાએ તા.27મી મે 2019ના રોજ લેવાની જાહેરાત કરી છે.

  • અગાઉ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા તા.19-05-2019ના રોજ લેવાની જાહેરાત થઇ હતી
  • લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન તા.19-05-2019ના રોજ હોઇ જેઇઇ એડવાન્સ્ડની તારીખ બદલવી પડી
  • હવે જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.27-05-2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે

The Indian Institute of Technology (IIT), Roorkee has shifted the Joint Entrance Examination (JEE) Advanced date to May 27, 2019. Earlier, the JEE (Advanced) examination was to be conducted on May 19, 2019. The JEE Advanced examination will be conducted on Monday (May 27) in two shifts – Paper 1 from 09:00 am to 12:00 noon and Paper 2 from 02:00 pm to 05:00 pm.

The JEE (Advanced) exam date has been changed as it was clashing with the seventh phase polls, to be conducted on 59 seats of the Lok Sabha elections at 1. Bihar: 8 seats, 2. Jharkhand: 3 seats, 3. Madhya Pradesh: 8 seats, 4. Punjab: 13 seats, 5. West Bengal: 9 seats, 6. Chandigarh: 1 seat, 7. Uttar Pradesh: 13 seats, and 8. Himachal Pradesh: 4 seats.

જેઇઇ મેઇન્સમાં ટોપ 2.24 લાખમાં સામેલ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે

 

March 19, 2019
utuimages.jpg
9min30380

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 17, 2019
fee.jpg
1min5740

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતી દ્વારા વર્ષ ર018-19થી વર્ષ ર019-ર0 માટે રાજકોટ સ્થિત ધોળકીયા ગ્રુપની જુદી જુદી શાળાઓની ફીનું માળખું જાહેર કરાયું હતું, ફી માળખાને જોયા બાદ ધોળકીયા ગ્રુપ ઓફ સ્કુલ્સના સંચાલકોના પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ફી નિર્ધારણ પહેલા જ મસમોટી રકમની ફી વસૂલી લેનાર ધોળકીયા ગ્રુપએ તેની તમામ સ્કુલો મળીને કુલ મળીને રૂ.પ કરોડ ર0 વીસ લાખની રકમ રીફંડ વાલીઓને  રિફંડ કરવી પડશે. ફી નિર્ધારણ કમિટીએ ફી રિફંડ અંગેનો આદેશ પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાએ વાલીઓને 400 રૂપિયાથી લઈને 8100 રૂપિયા સુધીનું અને કુલ પ.ર0 કરોડનું રીફંડ ચુકવવું પડશે. આ સાથે સમિતી દ્વારા નક્કી કરાયેલી ફીની પુરતી જાહેરાત કાયદાનુસાર શાળાએ કરવાની રહેશે તથા વાલીઓને ફી નક્કી કર્યાની જાણ કરવાની રહેશે તેમ ફી નિર્ધારણ સમિતીના અધ્યક્ષ દ્વારા તાકીદ કરાઈ છે.

ધોળકીયા ગ્રુપએ ધો. 1ર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 1.ર3 લાખની ફીની દરખાસ્ત સૌરાષ્ટ્ર એફઆરસી સમક્ષ રજૂ કરી હતી જેની સામે એફઆઇરસી દ્વારા 91 હજાર રૂપિયાની ફી નિર્ધારિત કરી આપવામાં આવી હતી.

રાજકોટમાં મોટું નામ ધરાવતા ધોળકીયા ગ્રુપની શાળાઓનું ફીનું માળખું જાહેર કરાયા બાદ વાલીઓમાં રાહત એટલા માટે થઇ છે કે તેમને ફી નું રિફંડ મળશે અને સંચાલકોએ મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ધોળકીયા ગ્રુપની સ્કુલ્સમાં કે કે ધોળકીયા, એલ જી ધોળકીયા, એસ જી ધોળકીયા, જી કે ધોળકીયા, કે જી ધોળકીયા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ, સીબીએસઈ બોર્ડ તેમજ ડીવાઈન સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું હતું.