CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 34 of 48 - CIA Live

April 24, 2019
msuni_logo.jpg
1min3980

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ છેલ્લા 3 વર્ષમાં 105 કરોડનું ભંડોળ મળ્યું છે. જ્યારે યુનિવર્સિટીએ 34 પેટન્ટ્સ પબ્લિશ કરી છે.

વડોદરાઃ 3 વર્ષમાં MSUને મળ્યું 105 કરોડનું ભંડોળ, મેળવી 19 પેટન્ટ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ આ આંકડાઓનો ખુલાસો સ્પોન્સર્ડ પ્રોજેક્ટ અને રીસર્ચ એક્ટિવિટીઝ વિશે માહિતી આપતા સમયે આપ્યા છે. આ આંકડાઓ નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક(NIRF)ને આપવામાં આવ્યા છે.

તાજેતરમાં જ્યારે NIRF વર્ષ 2019 માટે ઑલ ઈન્ડિયા રેન્કિંગ જાહેર કર્યા હતા ત્યારે MSUનું નામ યુનિવર્સિટીની કેટેગરીમાં 100 થી 150માં હતું. જ્યારે ઑવરઓલ કેટેગરીમાં 150 થી 200માં હતું. ગયા વર્ષે આ યુનિવર્સિટીનું નામ ટોચની 200 યુનિવર્સિટીઓમાં પણ નહોતું.

NIRFના અહેવાલ પ્રમાણે 2015 અને 2017માં યુનિવર્સિટીના રીસર્ચસે કુલ 34 પેટન્ટ્સ માટે એપ્લિકેશન કરી હતી જેમાંથી 19 મંજૂર થઈ હતી. વર્ષ 2017માં સૌથી વધારે 16 પેટન્ટ્સ પબ્લિશ થઈ હતી અને સૌથી વધારે 14 મંજૂર થઈ હતી.

વર્ષ 2015-16 અને 2017-18માં સ્પોન્સર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સની સંખ્યા 147 હતી. જ્યારે વર્ષ 2017-18માં યુનિવર્સિટીને સૌથી વધારે ફંડ મળ્યું હતું. આ સમયે 46 પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને 48 કરોડ 20 લાખનું ફંડિંગ મળ્યું હતું.

April 22, 2019
NEET-1.png
1min12410
  • 5મીએ લેવાનારી નીટમાં રાજ્યમાં 75 હજારથી વધારેનું રજિસ્ટ્રેશન

 

મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટે તા.૫મી મેના રોજ નીટ લેવાશે. આ વર્ષે નીટમાં ૧૫.૧૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે ૧૩.૨૮ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જેના કારણે મેડિકલમાં પ્રવેશ માટેનું કટ ઓફ પણ ઊંચુ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

નીટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨ લાખ ૧૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાંથી અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહત્વની વાત એ કે ગુજરાત બોર્ડમાં બી ગ્રૂપમાં માત્ર ૭૪ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થતા નથી. આ ઉપરાંત પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી ૭૫ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવ્યું?

ગુજરાત બોર્ડ ઉપરાંત ગુજરાતની સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ નીટ માટે રજિસ્ટ્રેશન કરે છે. આ સ્થિતિમાં ૭૫ હજાર વિદ્યાર્થી નીટ આપશે તે નક્કી છે. ગુજરાત બોર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૧૨ હજાર વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત નીટ આપનારા કુલ પૈકી ૫ હજાર વિદ્યાર્થી એવા છે કે જેઓ ૨૫ વર્ષ કરતાં વધુ વયના છે. અગાઉ ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ નીટ આપી શકે કે નહીં તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. છેવટે આ અંગેની છૂટ આપવામાં આવતાં આ વર્ષે પ્રથમ વખત ૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહેશે.

April 20, 2019
rahul_dalal.jpg
1min10400

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 16, 2019
gseb-1280x720.jpg
2min13350

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26મી માર્ચે લેવામાં આવનારી ગુજકેટ 2019 પરીક્ષા માટેની હોલટિકીટ આજે રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની હોલટિકીટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને તેની ડિટેઇલ ચેક કરી લે એ હિતાવહ છે.

ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, એગ્રિકલ્ચર, ફાર્મસી વગેરે જેવા બાયોલોજી બેઝ્ડ અભ્યાસ્ક્રમો તેમજ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસી, એગ્રિકલ્ચર જેવા મેથ્સ ગ્રુપ બેઝ્ડ અભ્યાસક્રમો માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજિયાત છે.

૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.

How to Download Hall Ticket?

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has released the admit card for Gujarat Common Entrance Test (GUJCET) 2019 on its official website. The candidates who have applied for the GUJCET 2019 can visit the official website of GSEB- gsebht.in- to check and download their admit card.

The GUJCET 2019 would be conducted on April 26, 2019. Candidates can obtain their GUJCET 2019 admit cards either from the official website or from the direct link provided below.

Direct link to download GUJCET 2019 admit cardHow to download the GUJCET 2019 admit card

1. Go to the official website of GSEB- gsebht.in

2. On homepage, click on the link which reads “GUJCET 2019 Admit Card”

3. A login based page will open on your browser

4. Enter your Roll number, Date of Birth, and password

5. Your admit card for GUJCET 2019 will be displayed on the screen

6. Download and take a print out of your GUJCET 2019 for the future needs

GUJCET is an entrance exam to get admission for the undergraduate course in various programmes in the field of Engineering Degree/Diploma & Pharmacy courses offered by the Government and Private colleges of Gujarat.

April 16, 2019
neet.jpg
4min834

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી તા.5મી જૂન 2019ના રોજ લેવામાં આવનારી ભારતમાં મેડીકલ, ડેન્ટલ હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019 માટેના એડમિટ કાર્ડ એન.ટી.એ.ની વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.

એન.ટી.એ. દ્વારા કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓએ સત્વરે તેમના એડમિટ કાર્ડ ડાઉલોડ કરીને તેમાં નામ, સરનામા, સેન્ટર વગેરે વિગતો ચેક કરી લેવી હિતાવહ છે.

તા.5મી મે 2019ના રોજ પરીક્ષા યોજાયા બાદ તા.5મી જૂન સુધીમાં નીટનું પરીણામ જાહેર કરી દેવામા આવશે.

National Testing Agency (NTA) has released the admit card for NEET 2019 on its official website today, i.e., April 15, 2019. Candidates who have registered for the NEET 2019 can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the answer key.

NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm

Candidates need to enter their application number and password to obtain the NEET 2019 admit card. NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm. Candidates are required
to bring NEET 2019 admit card on the day of examination. Candidates can download their NEET 2019 admit card either from the official website or from the direct link provided below.

Here is the direct link to download NEET 2019 admit card

The official notification reads ” The candidates (who have paid the fees as on the last date 08.12.2018) can download the eAdmit Cards of NEET (UG) – 2019 from NEET website www.ntaneet.nic.in w.e.f. 15.04.2019. The candidates are advised to download their e-admit card of NEET (UG) – 2019 using their Application Number and Password. In case, a candidate has misplaced or forgotten the Password, he/she may use the Date of Birth option given in the website.

Candidates should note that the NEET 2019 examination centre will be as same as indicated on the admit card.
It is to be noted that no candidate will be allowed to enter the examination centre without admit card. The information bulletin reads “The candidate must show, on demand, the Admit Card for admission in the Examination Hall. A candidate who does not possess the valid Admit Card shall not be admitted to the Examination Hall under any circumstances by the Centre Superintendent.”

If candidates find any issue while downloading the NEET 2019 admit card, they can send an email to neetug-nta@gov.in.

The notification further says “In case any candidate is not able to download his/her e-Admit card, he/she may send email to neetug-nta@gov.in. Such candidates must mention ‘NEET Admit Card’ in the subject line. The candidates may note that no eAdmit Card will be sent to them by post.”

How to download NEET 2019 admit card
Candidates can follow the step guide given below to download NTA NEET 2019 admit card.

1. Go to the official website of NTA- ntaneet.nic.in

2. On the homepage, click on the link which reads “NEET 2019 admit card”

3. It will direct to login based page

4. Enter your application number and password

5. Your NTA NEET 2019 admit card will be displayed on the screen

6. Download and take a print out of the NTA NEET admit card for the future use

As per the information given on the bulletin, NTA will declared NEET 2019 results by June 5, 2019.

April 16, 2019
diamond1.jpg
1min7440

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત એક સંક્ષિપ્ત વિવરણ અને જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય  મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?

આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.

શોર્ટ ટર્મ અભ્યાસક્રમો

ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં  પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.

ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે

IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.

હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ 

જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.

10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે

જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં  વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.

ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો

કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.

અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?

ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.

સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે  ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે

:: વધુ જાણકારી માટે સંપર્ક કરો ::

:: કતારગામ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,

સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,

ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮

:: વેસુ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭

ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯

ઈમેલ : admission@diamondinstitute.net

web : www.diamondinstitute.net

*-*-*-*-*-*-

April 15, 2019
GUJCET-2019-1280x720.jpg
1min6040

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.

બોર્ડ દ્વારા ગુજકેટની તારીખમાં ચાર વાર ફેરફાર કરાયો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષાના કાર્યક્રમને લઈને બે વાર ફેરફાર કરાયો હતો. છેલ્લે ૨૩ એપ્રિલે ગુજકેટ લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી બોર્ડને ફરીવાર ગુજકેટની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. હવે, રાજ્યમાં ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ લેવાશે.

April 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16200

ધો.10ની પરીક્ષા પૂર્ણ થયાના સપ્તાહમાં જ સુરતમાં ધો.11-12 સાયન્સની સ્કુલો ધમધમી ઉઠી હતી. ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની જેન્યુઇન રીતે ચાલતી સ્કુલો ઉપરાંત સુરતમાં સૌથી મોટો ઉપદ્રવ જો કોઇનો હોય તો એ ડમી સ્કુલોનો છે. જેઇઇ, નીટના નામે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો ચલાવતા હિન્દીભાષી ધંધાદારીઓએ સુરતના વાલીઓના ખીસ્સા ખંખેરવાના આશયથી સુરતમાં ડમી સ્કુલો શરૂ કરાવી છે અને આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ જાણતા હોવા છતાં ભેદી કારણોસર ડમી સ્કુલોને બેરોકટોક પણે ચાલવા દે છે.

જે.ઇ.ઇ. મેઇન્સ, નીટ, બિટ્સ પિલાની, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓના નામે હિન્દી ભાષીઓએ શહેરના કેટલાક શાળા સંચાલકોને સાધીને ડમી સ્કુલો શરૂ કરી છે. ચર્ચાસ્પદ ડમી સ્કુલો અંગે વાલીઓ પાસેથી મળેલી માહિતી મુજબ

  1. નાનપુરા સ્થિત આર.ડી. કોન્ટ્રાક્ટર સ્કુલ
  2. અડાજણ એલપી સવાણી રોડની રિવરડેલ સ્કુલ
  3. ઘોડદોડ રોડ પર આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ
  4. અડાજણની સિટીઝન સ્કુલ

માં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર શિક્ષણના નામે ડમી સ્કુલો ચાલી રહી હોવાની ફરીયાદો ઉઠી છે. જે વાલીઓ ભણી ચૂક્યા છે તેઓ પણ કહેવા માટે તૈયાર છે કે ઉપરોક્ત શાળાઓ ડમી સ્કુલ તરીકે કાર્ય કરી રહી છે. આ સ્કુલોમાં રેગ્યુલર સ્કુલ સ્ટડી કરતા ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની વધુ હાજરી હોય છે. દરેક સ્કુલોએ કોઇકને કોઇક ધંધાદારી કોચિંગ ક્લાસીસો સાથે સાંઠગાંઠ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને અનધિકૃત રીતે કેટલીક સગવડ કરી આપી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય તો પણ તેમની પૂરેપૂરી હાજરી પૂરી દેવામાં આવે છે. ડમી સ્કુલોની જો ઝીણવટભરી તપાસ કરાવવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને તો સુરતથી છેક રાજસ્થાનના કોટા કે પિલાનીમાં રહીને ત્યાં કોચિંગ ક્લાસીસના સાનિધ્યમાં પરીક્ષાની તૈયારી કરવાની છૂટ આપવામાં આવે છે.

સ્કુલમાં ગેરહાજરી છતાં હાજરી પૂરી દેવાય, પ્રેક્ટિકલ્સ બિલકુલ જ ન કરાવે

ડમી સ્કુલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ્સ કરાવવામાં આવતા નથી. આમ, હાજરીમાં છૂટછાટ, પ્રેક્ટિકલમાં છૂટ વગેરેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ ડમી સ્કુલો તરફ આકર્ષાય રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઇઇ અને નીટમાં મોટા સ્કોરની લ્હાયમાં રેગ્યુલર સ્કુલ કરતા ડમી સ્કુલોમાં એડમિશન લઇને ધંધાદારી કોચિંગ ક્લાસીસો મારફતે તૈયારી કરવાનું પસંદ કરે છે.

બોર્ડના માર્કસની જરૂર નથી એવો દુષ્પ્રચાર ડમી સ્કુલો અને કોચિંગ ક્લાસીસો કરે છે

ડમી સ્કુલોના સંચાલકો અને શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા હિન્દીભાષી ટ્યુશનીયા સંચાલકો વાલીઓમાં એવો દુષ્પ્રચાર ફેલાવે છે કે મેડીકલ-ડેન્ટલમાં નીટના સ્કોરથી જ પ્રવેશ મળે છે અને આઇ.આઇ.ટી. એનઆઇટી જેવી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડથી જ પ્રવેશ મળે છે, બોર્ડના માર્ક ગણતરીમાં લેવાતા નથી. આ બાબતમાં હકીકત દોષ હોય છે. અથવા તો આવા સંચાલકો અર્ધસત્ય જણાવાને વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષે છે.

જેન્યુઇન રીતે ચાલતી સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવે છે ડમી સ્કુલો

ડમી સ્કુલો ચલાવતા ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો જેન્યુઇન રીતે ચાલતી શહેરની વિજ્ઞાન પ્રવાહની સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવવાના ગોરખધંધામાં પડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળામાં મરજિયાત હાજરીની લાલચ, સ્કોલરશીપની લાલચ, રેડીમેડ સ્ટડી મટિરીયલની લાલચ, સ્પેશિયલ સ્કોલર બેચની લાલચ આપીને ડમી સ્કુલમાં એડમિશન લેવા માટે દુષ્પ્રેરણા આપી રહ્યા છે.

હંમેશા રેગ્યુલર ચાલતી સ્કુલોમાં જ ભણવું જોઇએ

શહેરમાં શિક્ષણ ક્ષેત્રમાં એક્સપર્ટસ પર્સનાલિટીઓને જ્યારે સી.આઇ.એ.એ પૂછ્યું કે ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ રેગ્યુલર સ્કુલમાં ભણવું જોઇએ કે ડમી સ્કુલમાં ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ડમી સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિ બાવાના બેઉ બગડ્યા જેવી થાય છે. ધો.11-12 સાયન્સ રેગ્યુલર ચાલતી સ્કુલમાં જ ભણવું જોઇએ. ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે જેટલી પ્રવેશ પરીક્ષાના માર્કસની જરૂર છે તેટલી જ જરૂર બોર્ડના પરીણામની પણ છે. આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે ધો.12ના પરીણામમાં 75 ટકા હોવા અનિવાર્ય છે. એવી રીતે મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટે ધો.12માં લઘુત્તમ 50 પર્સન્ટ અનિવાર્ય છે. શાળાઓ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શકે છે, ટ્યુશન ક્લાસીસોનો સહારો વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શક્તી નથી.

April 6, 2019
kartik-jivani1.jpg
1min96630

એકેય સુરતી સિવિલ સર્વિસીઝ પાસ થયો નથી તેવું મહેણું ભાંગતો મૂળ સુરતમાં જ જન્મેલો કાર્તિક જીવાણી, સુરત સમેત ગુજરાતમાં યુપીએસસી ફાઇનલ્સ 2018માં સર્વપ્રથમ ક્રમે પાસ થયો

તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.

આઇઆઇટી બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ બીજી ટ્રાયલે કાર્તિક જીવાણીએ યુપીએસસી ક્લીયર કરી દીધી

કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.

હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.

હજારો યંગસ્ટર્સ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવાના સપનાઓ જોતા હોય છે પણ તેને પૂરા કરવાની આવે ત્યારે તેમનું પાણી મપાઇ જતું હોય છે. કાર્તિક જીવાણીની જેમ એવા યુવાનો જ આઇ.એ.એસ. બની શકે છે જેઓ બાકીનું બધું પડતું મૂકીને ફક્ત સિવિલ સર્વિસીઝને જ પ્રાયોરિટી કામ તરીકે હાથ પર લે.

કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.

સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.

સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર

April 6, 2019
upsc1.jpg
1min12430

યુપીએસસીએ શુક્રવારે જાહેર કરેલા સિવિલ સર્વિસીસની 2018ની અંતિમ પરીક્ષાના પરિણામમાં આઇઆઇટી બૉમ્બેનો બીટેકનો વિદ્યાર્થી કનિષ્ક કટારિયા પ્રથમ આવ્યો હતો. યુપીએસસીએ જણાવ્યું હતું કે કમિશને વિવિધ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ વગેરે સેવા માટે કુલ 759 ઉમેદવાર (577 પુરુષ અને 182 મહિલા)ની ભલામણ કરી હતી. કટારિયા અનુસૂચિત જાતિનો છે અને ગણિતને વૈકલ્પિક વિષય રાખીને ક્વૉલિફાઇ થયો હતો. તે બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)નો વિદ્યાર્થી છે.

ગુજરાતનું રિઝલ્ટ શું

UPSCની કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિઝ એક્ઝામ (CCSE) 2018નું પરિણામ શુક્રવારે જાહેર થયું. ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે અને એક પરીક્ષાર્થીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. 2018માં ગુજરાતમાંથી 131 ઉમેદવારોએ યુપીએસસીની પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી જેમાંથી 43 ગુજરાતી ઉમેદવારોએ એ યુપીએસસી સિવીલ સર્વિસીઝ મેઈન્સ પરીક્ષા પાસ કરી છે. ફાઈનલ સિલેક્શન અને રેન્ક નક્કી કરવા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી એન્જિનયિરંગ સ્નાતક થયેલા કાર્તિક જીવાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પરીક્ષા પાસ કરી અને યુપીએસસી ફાઇનલ્સમાં દેશભરમાં 94મો ક્રમાંક મેળવ્યો છે. કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ છે.

583મો ક્રમ મેળવનાર અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. ઘાટલોડિયાનો રહેવાસી અને સુથારના દીકરા અલ્પેશે નોકરી કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી કરી. અલ્પેશે કહ્યું, “IIT બોમ્બેમાંથી મેં મિકેનિકલ એન્જિયરિંગની ડિગ્રી મેળવી અને બાદમાં સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. મને આશા છે કે હું IPS કે IRS કેડરમાં જોડાઉં.” બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવનાર ડૉ. મનોજ ભરતે 622મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો છે. ડૉ. મનોજે કહ્યું, ‘IPS કેડરમાં જોડાવાની આશા છે.’ શહેરના અન્ય એક ઉમેદવાર પિંકેશ પરમહંસે 685મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો.

પરિણામનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 3 ઉમેદવારોએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી, બીજા પ્રયાસમાં પાંચ ઉમેદવારો અને ત્રીજા પ્રયાસમાં બે ઉમેદવારો પાસ થયા. 6 સફળ પરીક્ષાર્થીઓ 20થી 25 વર્ષની વયના છે અને એક 30થી વધુની ઉંમરનો છે. સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના સૂત્રોના જણાવ્યા અનુસાર UPSCએ જાહેર કરેલી ખાલી જગ્યાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં ઈન્સ્ટીટ્યૂટનું પરિણામ ઊંચું આવ્યું છે. જાગૃતિ અને પરીક્ષાની ઉત્તમ તૈયારીના લીધે સારું પરિણામ પ્રાપ્ત થયું છે. 2017-18માં પાસ થનારા ઉમેદવારો 22 હતા. જ્યારે 2016-17માં આ આંકડો 19 હતો.”

Complete Results with name

https://upsc.gov.in/sites/default/files/FR-CSME-2018-Engl.pdf