CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 30 of 48 - CIA Live

June 15, 2019
medical.jpg
1min14010

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 15, 2019
allen_akash.jpg
1min16200

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં જ નહીં દેશના મોટા શહેરોમાં ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનો દેશવ્યાપી ધંધો કરી રહેલા એલન ALLEN અને આકાશ AAKASH નામના કોચિંગ ક્લાસીસો નવા-નવા વિદ્યાર્થીઓ એટલે કે નવો ધંધો મેળવવા માટે કેવા કેવા પેંતરાઓ અજમાવતા હોય છે એની પ્રતીતિ કરાવવાનો પ્રયાસ અહીં કરાયો છે.

તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. આ પ્રવેશ પરીક્ષામાં સ્થાનિક ગુજ્જુ વિદ્યાર્થી વિશ્વ વડોદરીયાએ ટોપ રેન્કરમાં સ્થાન હાંસલ કર્યું છે.

akash & allen માટે છબી પરિણામ

રેન્કર્સનું નામ વટાવી ખાવાની મોડસ ઓપરેન્ડી

વિશ્વ વડોદરીયા ટોપ રેન્કર છે અને એ પોતાનો સ્ટુડન્ટ છે એવી જાહેરાતો અને દાવાઓ એલન ALLEN અને આકાશ AAKASH બન્નેએ કરવા માંડી છે. એલન અને આકાશ પૈકી એલન કહે છે કે વિશ્વ વડોદરીયાએ પોતાના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે અને આકાશ કહે છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સથી કોચિંગ લીધું છે. આ એક પ્રકારની શાબ્દિક રમતો છે જેની સાથે સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ કે લોકોનો ખબર હોતી નથી. કોઇ વિદ્યાર્થી આકાશ કે એલનના ટેસ્ટ પેપરની ડિમાંડ કરે એટલે તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય બસ એટલે એ સિસ્ટમમાં એન્ટર થઇ જાય અને પછી બન્ને ક્લાસીસ એ વિદ્યાર્થી પોતાનો હોવાનો દાવો કરીને તેની ઇમેજ એન્કેશ કરવા માડે છે. આવી પ્રવૃત્તિ પર સરકારનો કોઇ અંકુશ કે નિયમો નથી એટલે કોચિંગ ક્લાસીસો મનફાવે તેવી છટકબારીઓ શોધીને પોતાનો ધંધો રળવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓના નામ એન્કેશ કરવા માંડે છે.

અહીં આકાશ AAKASH કોચિંગ ક્લાસની વેબસાઇટ પર એઇમ્સમાં સેકન્ડ ટોપર વિશ્વ વડોદરીયાનું નામ અને ફોટો છાપીને એવી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ મેળવેલી સિદ્ધિમાં આકાશનો ફાળો છે. અહીં આકાશ AAKASH ક્લાસે એવો પેંતરો રચ્યો છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સ લર્નિંગથી આકાશનું કોચિંગ લીધું છે.

સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓને એવી ખબર હોતી નથી કે ડિસ્ટન્સ નો અર્થ શું અને ક્લાસરૂમનો અર્થ શું, આકાશ જેવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ રીતસર રેન્કર સ્ટુડન્ટના નામ વટાવી ખાવાની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દીધી છે.

અહીં એલન ALLEN ક્લાસીસે પણ ગુજરાત સમેત દેશભરના અખબારોમાં એઇમ્સના ટોપર્સ પોતાના હોવાની મોટી મોટી અખબારી જાહેરાતો છપાવી છે. એલનની જાહેરાતમાં પણ વિશ્વ વડોદરીયાનો ફોટો અને નામ સાથે એલન ક્લાસીસે ક્રેડીટ લેવાની કોશિશ કરી છે. એલન ALLEN ક્લાસીસની જાહેરાતમાં એવું દર્શાવાયું છે કે વિશ્વ વડોદરીયાએ તેના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે.

અહીં એલન ALLEN અને આકાશ AAKASHની આ પ્રવૃત્તિ એટલા માટે રજૂ કરવામાં આવી છે કે આવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોની નિયત ફક્ત રૂપિયા રળવાની છે. વિદ્યાર્થીઓ જેટલા વધુ મળશે એટલો ધંધો સારો ચાલશે એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરીને સમગ્ર ભારતમાં એક પ્રકારની જાળ બિછાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોઇને સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના રવાડે ચઢી જતા હોય છે.

June 15, 2019
mbbs.jpg
1min2940

ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

June 14, 2019
jeeadv.png
1min5670

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.

 

June 11, 2019
medical.jpg
1min13940

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આગામી તા.15મી જુન 2019 સુધીમાં શરૂ થઇ જશે એવી જાહેરાત મેડીકલ એજ્યુકેશન ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી છે.

પ્રવેશ પ્રક્રિયાની સઘળી માહિતી માટે હવે પછીના અખબારો જોતા રહેવું. પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હશે. પ્રવેશ પ્રક્રિયા માટેની બુકલેટમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેટલા ડોક્યુમેન્ટસ રજૂ કરવા સમેતની વિગતો, પ્રવેશ પ્રક્રિયાનું ડીટેઇલ્ડ સમયપત્રક વગેરે સમાવિષ્ટ હશે એટલે બુકલેટ ખાસ વાંચવી.

ધો.12 પીસીબીના બોર્ડના પરીણામો તેમજ નીટ 2019ના પરીણામો પણ ઘોષિત થઇ ચૂક્યા છે અને બી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નીટ પ્રવેશ પરીક્ષા આપી હોય તો ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

જે વિદ્યાર્થીઓ નીટમાં ક્વોલિફાઇડ નથી એવા વિદ્યાર્થીઓ અથવા જેમણે નીટ આપી નથી તેવા વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ગણાશે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની વેબસાઇટ દરરોજ સતત જોતા રહેવું હિતાવહ છે.

http://www.medadmgujarat.org/ug/home.aspx

મેડીકલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે.

નોંધ

મેડીકલ કોલેજોની બેઠકોમાં વધારો થઇ શકે છે.

 

ડેન્ટલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે

 

June 10, 2019
1min4680

શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.

વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.

June 9, 2019
tution.jpg
1min12230

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
ENGINEERNG-ADMISSION-BANNER.jpg
1min5040

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે. બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે

તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.

June 6, 2019
guj_gov_logo.png
1min7070

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 5, 2019
neet.jpeg
1min36240

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે તા.5મી જુન 2019ના રોજ સવારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019નું પરીણામ જાહેર કર્યું હતું.

નીટ 2019નું સરેરાશ રાષ્ટ્રીય પરીણામમાં પરીક્ષા આપનારા કુલ 100 ટકા પૈકી 56.27 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ ગયા છે. ક્વોલિફાય થવું એટલે મેડીકલ ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (નીચામાં નીચું પરીણામ) હાંસલ કરવું.

નીટ 2019માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરીણામ સરેરાશ રાષ્ટ્રીય પરીણામ કરતા પણ 11 ટકા નીચું આવ્યું છે. ગુજરાતમાંથી 75889 વિદ્યાર્થીઓએ નીટ 2019 પરીક્ષા આપી હતી, જેમાંથી 35177 પરીક્ષાર્થીઓ ક્વોલિફાય થવામાં સફળ થયા છે. 45.09 ટકા ગુજ્જુ વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત મેળવી શક્યા છે.

અનેક ગુજરાતીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાય ગયું, હજારો વિદ્યાર્થીઓ એક વર્ષ ડ્રોપ લઇને નીટ 2020 આપશે

  • રાજસ્થાન, દિલ્હી, હરીયાણાનું પરીણામ અવ્વલ દરજ્જાનું 
  • મહારાષ્ટ્રનું પરીણામ ગુજરાતથી પણ ઓછું ફક્ત 39 ટકા

નીટ 2019નું રાજ્યવાર પરીણામ આ મુજબ છે.

Details of NEET Results 2019

દેશભરના ટોપ 50 પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી