CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 31 of 48 - CIA Live

June 4, 2019
neet.jpeg
2min4520

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે કે મે 2019માં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવેલી મેડીકલ અને ડેન્ટલ માટેની ફરજિયાત એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) નું પરીણામ તા.5મી જુન 2019ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ક્વોલિફિકેશન ઉપરાંત એ.આઇ.આર. (ઓલ ઇન્ડિયા રેન્ક) પણ જાહેર કરશે. નેશનલ મેરિટ્સ રેન્કથી જ દરેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એ.આઇ.આર. કેટેગરીવાઇઝ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાને લગભગ એક મહિનો પૂરો થઇ રહ્યો છે ત્યારે બાયોલોજી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થાય એ પૂર્વે નીટ સ્કોરની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તેમની આતૂરતાનો અંત આવતીકાલ બુધવાર તા.5મી જુને આવી જશે.

5મી મે 2019ના રોજ ભારતમાં લેવામાં આવી હતી નીટ પરીક્ષા

13 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી નીટ પ્રવેશ પરીક્ષા

મેડીકલ, ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં (ગુજરાતમાં હોમિયોપેથી અને આયુર્વેદિક સમેત) પ્રવેશાર્થીઓ તા.5મી જુન 2019ના રોજ પોતાનું પરીણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ NTA- ntaneet.nic.in પરથી જાણી શકશે.

National Testing Agency (NTA) is going to release the National Eligibility Cum Entrance Test (UG) 2019 results tomorrow, i.e., June 5, 2019, on its official website. Once results are released, the candidates who have appeared for the NEET 2019 examination can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the
results.

NTA had conducted NEET examination on May 5, 2019, at various centres across the country. This year, around 13 lakh candidates had written NEET exam. The NEET 2019 was held at 154 centres from 2.00 pm to 5.00 pm in
pen and paper mode. The total duration of the NEET examination was three hours.

Candidates should note that NEET result and other NEET related information would be available only on the official website of NEET- ntaneet.nic.in.

As per the information bulletin, “Merely appearing and qualifying in NEET (UG) – 2019 does not confer any right to the candidate for admission to MBBS/BDS Courses. The selection and admission to MBBS/BDS seats in any Medical Institution recognized for offering MBBS/BDS Courses is subject to fulfilling the admission criteria, eligibility, rank in merit list, medical fitness and such other criteria as may be prescribed by the Government of India, respective States, Universities, Institutions and Medical/Dental Colleges.”

May 31, 2019
garba.jpg
1min8210

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 29, 2019
vnsgu_logo.jpg
1min8340

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
neet.jpeg
1min10580

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6420

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ

 

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10620

જયેશ બ્રહ્મભટ્ટ

આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ  294 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. એ-વન ગ્રેડ હાંસલ કરનારા કેટલા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એ અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા વહેલી સવારથી જ ગ્રાસરૂટ સરવે શરૂ કર્યા છે અને જેમ જેમ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની માર્કશીટની ઇમેજ સાથે અમને માહિતી મોકલવામાં આવી રહી છે તેમ તેમ અમે એ-વન ગ્રેડર્સની યાદી અપડેટ કરતા રહીએ છીએ.

એ-વન ગ્રેડ હાંસલ કરવો કે કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી

સુરત શહેર જિલ્લામાં અંદાજે 550થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે ધો.11-12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિવિધ પ્રવાહોનું શિક્ષણ આપી રહી છે, જેમાંથી વધુમાં વધુ 35 સ્કુલો હોય છે જેના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શકે છે. એ-વન ગ્રેડ હાંસલ કરવો અને કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ ટોચના એક ટકામાં આવતા હોય છે જેઓ સમગ્ર ગુજરાતના ટોપર્સ કહેવામાં આવે છે.

સ્કુલનું નામ                                                  વિસ્તાર                     એ-વન ગ્રેડ

આશાદીપ ગ્રુપ                                          નાના વરાછા                    64

આઇ.એન.ટેકરાવાળા શાળા                  પાલનપુર પાટીયા                14

તપોવન ગ્રુપ                                                    વરાછા                         12

ભૂલકાભવન સ્કુલ                                        અડાજણ રોડ                   11

મૌની ઇન્ટનરનેશનલ સ્કુલ                            ઉત્રાણ                           10

લુર્ડઝ કોન્વેન્ટ સ્કુલ                                અઠવાલાઇન્સ                       09

સંસ્કારભારતી વિદ્યાલય                                તાડવાડી                        08

અંકુર હાઇસ્કુલ                                              હીરાબાગ                       07

ભૂલકા વિહાર શાળા                                      પાલ                               06

જીવનભારતી વિદ્યાલય                                  નાનપુરા                         06

વનિતા વિશ્રામ                                               અઠવાગેટ                      05

એલ.પી.ડી.પૂણા હાઇસ્કુલ                         પૂણા ગામ                         05

પી. પી. સવાણી સ્કુલ                                     હીરાબાગ                      05

ડાયમંડ ગર્લ્સ સ્કુલ                                      વરાછા રોડ                        04

જ્ઞાનજ્યોત વિદ્યાલય                                 ગોદાડરા                              04

પીપી સવાણી સ્કુલ                                        અબ્રામા                          04

કેસી કોઠારી માધ્ય. શાળા                           હીરાબાગ                          03

વી.એન. ગોધાણી કન્યા વિદ્યાલય                 કતારગામ                        03

સિંધુ સેવા સમિતિ સ્કુલ                               અડાજણ                           03

લીલાબા કન્યા વિદ્યાલય                             લાલદરવાજા                       03

સીસી શાહ ઇંગ્લિશ મીડીયમ                     પાર્લે પોઇન્ટ                       03

નિલ માધવ વિદ્યાલય                               નાના વરાછા                         02

ઉમરીગર ઇંગ્લિશ મીડીયમ સ્કુલ                     ઉમરા                            02

સરસ્વતી વિદ્યાલય                                        અડાજણ                         02

લીયો સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ             ઉધના                           02

ડી.આર. રાણા વિદ્યાસંકુલ                        પાલનપુર પાટીયા                02

ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ                કતારગામ                     02

એલ.પી. સવાણી વિદ્યાભવન                            અડાજણ                     02

ભૂલકાસાગર વિદ્યાલય                                  વરાછા રોડ                       02

સ્વામીનારાયણ એચ.વી વિદ્યાલય                  અડાજણ                        02

ડીજીટલ શુભલક્ષ્મી હાઇસ્કુલ                           પૂણાગામ                      02

શિશુકુંજ હાઇસ્કુલ                                           પૂણાગામ                      02

ગુરુકૃપા વિદ્યાસંકુલ   હિન્દી મિડીયા ગુજ              ઉધના                      01

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ             પાર્લે પોઇન્ટ                     01

પ્રેસિડેન્સી સ્કુલ                                              અડાજણ                         01

ગજેરા વિદ્યાભવન ગુજ.મા.                             ઉત્રાણ                           01

સ્વામીનારાયણ ગુરુકુળ                              સિંગણપોર                        01

એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ                   પાલનપુર પાટીયા               01

વશિષ્ઠ વિદ્યાલય                                          વાવ-કામરેજ                      01

સંસ્કારદીપ વિદ્યાલય                                   મોટા વરાછા                      01

ટી.એન્ડ ટી.વી. સાર્વ. વિદ્યાલય                    ગોપીપુરા                         01

કેએલએસ બાલાજી ગર્લ્સ સ્કુલ                       ગોપીપુરા                        01

અક્ષરજ્યોતિ હાયર સ્કુલ                                કતારગામ                       01

પ્રેરણા હાઇસ્કુલ                                            પૂણાગામ                         01

ક્રિષ્ણા સ્કુલ                                                  પૂણાગામ                          01

હરેકૃષ્ણ વિદ્યાલય                                         યોગીચોક                          01

યુનિટી પબ્લિક સ્કુલ                                        કામરેજ                          01

ભક્તિ ઇન્ટરનેશનલ                                        પાસોદરા                       01

અંબાબા ગર્લ્સ સ્કુલ                                        હરીપુરા                          01

વશિષ્ઠ હાઇસ્કુલ                                              પૂણાગામ                       01

આર.કે. વિદ્યાભવન                                      પૂણાગામ                          01

સરસ્વતી વિદ્યાલય                                     અશ્વનિકુમાર રોડ                01

એસ્પાયર પબ્લિક સ્કુલ                                   મોટા વરાછા                   01

આપની શાળાના ધો.12 એ-વન ગ્રેડર્સની માહિતી અહીં ન હોય તો અમને સ્કુલનું નામ અને વિદ્યાર્થીની માર્કશીટની ઇમેજ 98253 44944 નંબર વ્હોટ્સએપ કરો

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min19660

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેરનું ધો.10નું પરીણામ આ વખતે અભૂતપૂર્વ રહ્યું છે. એ-વન ગ્રેડમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 1009 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યા છે જે નભૂતો ન ભવિષ્યતી જેવું છે. બોર્ડના ઇતિહાસમાં કોઇ જિલ્લાએ બોર્ડની કોઇપણ પરીક્ષામાં ચાર ડિજિટમાં એ-વન રેન્ક હાંસલ કરી શક્યા નથી.

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.10ના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ-વન રેન્ક હાંસલ કર્યા હતા.

સુરતના 1009 એ-રેન્કર્સમાં 99 તો એકલી નાના વરાછાની આશાદીપ ગ્રુપના હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓમાં પીપી સવાણી સ્કુલના 83 વિદ્યાર્થીઓ સાથે દ્વિતિય ક્રમે રહી છે.

સુરતમાં ધો.10માં એ ગ્રેડ મેળવનારી શાળાઓ અને એ-ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

નોંધ. જે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યાં અહીં અમને સત્તાવાર રીતે મળી છે તેમનો જ સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓએ તેમની માહિતી 098253 44944 પર મોકલી આપવી.

 

સ્કુલનું નામ                એ-વન ગ્રેડની સંખ્યા

આશાદીપ ગ્રુપ                   99

પીપી સવાણી ગ્રુપ              83

મૌની ગ્રુપ                           31

જે.બી. એન્ડ કાર્પ સ્કુલ        35

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સ       34

ભૂલકા વિહાલ સ્કુલ            30

કૌશલ વિદ્યાભવન              29

સંસ્કારભારતી વિદ્યાલય      27

એલ.પી. સવાણી સ્કુલ          27

તપોવન ગ્રુપ                        25

અંકુર-અર્ચના ગ્રુપ ઓફ સ્કુલ્સ   20

સ્વામીનારાયણ ગુરુકુળ      19

સુરત ડાયમંડ ગર્લ્સ              16

સદભાવના ગ્રુપ સ્કુલ્સ          16

ભૂલકા ભવન સ્કુલ                15

વશિષ્ઠ ગ્રુપ                           15

આઇ એન ટેકરાવાળા          13

યોગી પ્રવૃતિ વિદ્યાલય          12

સુમન હાઇસ્કુલ્સ                  12

એલપીડી પૂણા સ્કુલ             11

ડીઆર રાણા સ્કુલ               11

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ    11

સંસ્કારદીપ વિદ્યાલય            09

લિયો ગ્રુપ ઓફ સ્કુલ્સ          09

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ              09

વનિતા વિશ્રામ સ્કુલ સુરત    09

માધવબાગ વિદ્યાભવન        08

ઉત્તર ગુજરાત કેએસકે વિદ્યાલય  08

વીએન ગોધાણી કન્યા          07

શારદા વિદ્યાભવન               06

દીપદર્શન વિદ્યાસંકુલ           06

ગુરુકૃપા વિદ્યાસંકુલ              06

એસ્પાયર સ્કુલ                     06

શિશુવિહાર સ્કુલ                 05

જીવનભારતી કુમારભવન     05

બચકાણીવાલા વિદ્યામંદિર   04

દક્ષિણામૂર્તિ વિદ્યાલય          04

પ્રેસિડેન્સી સ્કુલ                    04

ધર્મજીવન સ્કુલ, એકેરોડ       04

સરસ્વતી વિદ્યાલય               04

બાયોનિક્સ સ્કુલ                 04

નોબલ ગ્રુપ                          04

લોકમાન્ય વિદ્યાલય              04

દિવ્યજીવન જોથાણ            03

માતૃભૂમિ વિદ્યાભવન           03

અંકુર સ્કુલ   કતારગામ        03

સાધના ગર્લ્સ સ્કુલ               03

આર.કે. વિદ્યાભવન             03

પ્રેરણા સ્કુલ                         02

વષિષ્ઠ જેનેસીસ                   02

વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ        02

સિવિલાઇજ્ડ મોડર્ન સ્કુલ     02

અક્ષરદીપ વિદ્યાલય,નાના વરાછા    02

વિદ્યાકુંજ                            02

લીલાબા સ્કુલ                      01

રાદડીયા સ્કુલ                      01

ઉમરીગર મેમો. સ્કુલ            01

મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ            01

કેટલાઇઝર સ્કુલ                    01

કેજી ભીંગરાડીયા શાળા          01

વિઝડમ સ્કુલ                          01

બાલાજી ગર્લ્સ સ્કુલ                 01

May 21, 2019
ssc.jpg
1min9130

જયેશ બ્રહ્મભટ્ટ

હોંશિયાર વિદ્યાર્થીઓને ખેંચી લાવવા માટે પહેલા ટ્યુશન ક્લાસીસો અને હવે સ્કુલોએ એ-વન વિદ્યાર્થીઓને સાવ મફતમાં ભણાવવા અંગે કરેલી જાહેરાતો 2019ના ધો.10ના પરીણામ સાથે જ ટ્યુશન અને સ્કુલોના સંચાલકોના ગળે ગાળીયાની જેમ ફીટ થઇ ગઇ છે. ઇનામી ફંડા આ વખતે ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકો માટે આર્થિક ફંદા બની જાય તેવી સ્થિતિ છે.

આજે સવારે જેમ જેમ સ્કુલોના પરીણામોમાં એ-વન ગ્રેડ નીકળતા જતા હતા તેમ તેમ ટ્યુશન ક્લાસીસો અને કેટલીક સ્કુલોના સંચાલકોના બ્લડ પ્રેશર વધતા ગયા હતા, કેમકે એ-વન વાળાને એકપણ રૂપિયો લીધા વગર ભણાવવાની જાહેરાતો અનેકે કરી છે.

સુરતમાંથી અભૂતપૂર્વ રીતે 1009 એ-વન ગ્રેડ આવ્યા છે. આવી ઘટના ગુજરાત બોર્ડ માટે પણ પહેલી વખતબની છે જેમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓની કોઇ એક જિલ્લાની સંખ્યા ચાર આંકડાને પાર કરી ગઇ હોય

સુરતમાંથી કુલ 1009 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. આ બધા જ વિદ્યાર્થીઓને જાણીતા અને જેમણે અગાઉથી જાહેરાતો કરી છે એ મુજબની સ્કુલ અને ટ્યુશનમાં બિલકુલ ફ્રી ભણાવવામાં આવશે. આ ગણતરી જોઇએ તો ટ્યુશન ક્લાસીસોમાં ધો.12ના ટ્યુશન તેમજ જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે પરીક્ષાના ટ્યુશન મળીને વાર્ષિક ફી વિદ્યાર્થી દીઠ રૂ.50 હજારથી એક લાખ સુધીની આવે છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો આ વખતે કરોડો રૂપિયાની ખોટ સ્કુલો અને ક્લાસીસોએ કરવી પડે તેમ છે.

શહેરના કેટલાક ધંધાદારી ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકોએ એ-વન ગ્રેડવાળાને ધો.11-12 સાયન્સ, કોમર્સમાં ફ્રી ભણાવવાની જાહેરાતો કરી છે, ધો.11-12ની સ્કુલ ટ્યુશનની એવરેજ ફી રૂ.1 લાખ જેટલી થાય છે ત્યારે 1009 એ-વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ભણાવવાનો ટોટલ ખર્ચો રૂ.10 કરોડને આંબી જશે

આમ સુરતના એ-વન ટોપર્સની વાત કરીએ તો તેમણે ઝળહળતું પરીણામ મેળવીને ધંધાદારી ટ્યુશન ક્લાસીસો, સંચાલકોને કુલ રૂ.10 કરોડ જેટલી જંગી રકમના ઇનામો જીતી લીધા છે અને હવે સંચાલકોએ અગાઉથી કરેલી જાહેરાતો મુજબ આ વિદ્યાર્થીઓેને મફતમાં ભણાવવા પડશે.

આમ સુરતના 1009 એ વન વિદ્યાર્થીઓએ કુલ રૂ.10 કરોડ ઉપરાંતની રકમ ઇનામ રૂપે જીતી લીધી છે અને મોટા ભાગના એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ અત્યાર સુધી જ્યાં ભણ્યા છે ત્યાં ફ્રીમાં જ ભણ્યા છે. હવે આ વખતે 1009ની ઉપર એવન ગ્રેડ આવ્યા હોઇ સંચાલકો આવતા વર્ષથી એવન ગ્રેડને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

એ-વન ગ્રેડવાળાને ફ્રીમાં ભણાવવાની ઇનામી યોજનાને પગલે ટ્યુશનો અને સ્કુલોમાં સંભવ છે કે આખેઆખા ક્લાસ ફ્રી ભણશે. બહુ મોટી અને અસામાન્ય સંખ્યામાં એ-વન ગ્રેડ આ વખતના ધો.10ના પરીણામમાં આપવામાં આવ્યા છે.

વાંચો અહીં ધો.10નું પરીણામની સઘળી વિગતો

આખા રાજ્યના પરીણામ પર નજર

સુરત સમેત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું પરીણામ

May 17, 2019
admission-1280x1360.jpg
1min13880

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે

May 17, 2019
agri-1280x1045.jpg
1min4380

રાજ્યની રાય, પારૂલ આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહિ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર. કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

આ સંદર્ભે વર્ષ ૨૦૧૬થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવ્યા ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવે છે.