CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 14 of 48 - CIA Live

February 24, 2021
jeemain.png
3min503
JEE Main 2021 Notification (Delayed) Exam Dates, Eligibility, Syllabus,

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.

The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.

The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.

This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.

Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.

According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.

Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.

February 12, 2021
cbse.jpg
1min319

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)એ પોતાના હેઠળની સ્કૂલોને આદેશ આપ્યો છે કે તમે ૯ અને ૧૧ વર્ગના વિદ્યાર્થીઓ વિશેનો લર્નિંગ ગૅપ (વિદ્યાર્થીઓ શું શીખ્યા અને તેમણે કેટલું શીખવું જોઈતું હતું) શોધી કાઢજો અને પછી એને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા બાદ જ કોવિડ-૧૯ને લગતા સલામતીના નિયમોના કડક પાલન સાથે આ બે વર્ગોની પરીક્ષા રાખજો. બોર્ડ દ્વારા માર્ગદર્શિકામાં એવી પણ ભલામણ કરાઈ છે કે નવું શૈક્ષણિક સત્ર પહેલી એપ્રિલે શરૂ થશે.

આ જાણકારી સીબીએસઇના ક્ધટ્રોલર ઑફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે સ્કૂલોના પ્રિન્સીપાલોને પત્રમાં આપી હતી. સ્કૂલોને નવું સત્ર વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના પણ અપાઈ છે. ગયા વર્ષે માર્ચમાં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસીસ તરફ વળ્યા હતા. જોકે, જૂન મહિનાથી નિયંત્રણો ધીમે-ધીમે દૂર થતાં અમુક રાજ્યોમાં સ્કૂલો આંશિક રીતે ફરી ખૂલવા લાગી હતી. સીબીએસઇએ આ મહિનાની શરૂઆતમાં ૧૦ તથા ૧૨મીના વર્ગો માટેની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું હતું.

January 27, 2021
backtoschool.png
1min403

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

January 8, 2021
breaking_CIA-1280x831.jpg
4min675

Jayesh Brahmbhatt 98253 44944

કોરોનાને કારણે 2020ના વર્ષ માટેના IITsમાં પ્રવેશ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફાર 2021ના વર્ષે પણ કન્ટીન્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે IITsમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (ઓછામાં ઓછા માર્ક) ધો.12માં 75 ટકા હતી. આ નિયમને 2021ના વર્ષ માટે પણ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 2020 બાદ 2021ના વર્ષ માટે (ફક્ત આ વર્ષ પૂરતું) જ ધો.12માં ઓછામાં ઓછા 75 ટકા હોય તો જ IITsમાં પ્રવેશ મળી શકે તેવો નિયમ હટાવવામાં આવ્યો છે.

વધુમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત લેવાની જાહેરાત બાદ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે IITsમાં પ્રવેશ માટે જેનું મેરીટ ગણવામાં આવે છે એ IITs એડવાન્સ્ડ પરીક્ષા તા.3 જુલાઇ 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન લેવાની કોઇ જોગવાઇ નથઈ. IITs ખડગપુર દ્વારા લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ લેવાશે.

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur in English and Hindi languages, Union Education Minister Ramesh Pokhriyal Nishank said.

In the wake of the coronavirus epidemic, 75 per cent eligibility criterion for admissions to Indian Institutes of Technology (IITs) will be waived this year, he added.

The criteria for admissions to any programme in the IITs includes performance in Class XII or equivalent board examinations, with physics, chemistry, mathematics, one language and any other subject other than the above four.

The CBSE examinations for Class X and XII will be held from May 4 to June 10 and the results announced by July 15. The Joint Entrance Examination Advanced will be taken up thereafter.

The JEE Advanced 2022 will be conducted by IIT-Bombay and JEE Advanced 2023 by IIT- Guwahati.

“The special eligibility criterion for JEE 2021 is for those eligible candidates who registered for JEE Advanced 2020 but could not sit in the exams,” said Nishank.

These students will however have to register again for the 2021 exams and pay the required fees.

The students can use an app developed by the National Testing Agency to take mock tests for practice in the run-up to the JEE exams.

Earlier, the Minister had announced that JEE Mains would be held in February, March, April, and May every year. The JEE Main is slated to be held between February 23 and 26 this year.

January 6, 2021
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min318

રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે. 

આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ 10 અને 12, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે. ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.

January 1, 2021
cbse.jpg
1min345

કેન્દ્રિય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે કે CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરુ થશે, જ્યારે પ્રેક્ટિલ માર્ચથી જ શરુ થઈ જશે. પરીક્ષાઓ 10મી જૂને સમાપ્ત થશે. 15 જુલાઈ સુધીમાં તેના પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષા પણ આ વખતે મે મહિનામાં જ યોજાય તેવી શક્યતા છે. સીબીએસઈની માફક ગુજરાત બોર્ડે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત ક્યારનીય કરી દીધી છે. રાજ્ય સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે, 2021માં યોજાનારી પરીક્ષાઓ લેવામાં આવશે જ, અને કોઈ ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય.

December 22, 2020
neetresults-1280x1168.jpg
1min496

ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.

પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.

સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.

December 21, 2020
vnsgu_logo.jpg
1min437

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે એ માટે વિજય રૂપાણી સરકારે વિદેશોમાં રોડ શૉ કર્યા, વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGUમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે VNSGUના શાસકો દરવાજા બંધ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિદેશી વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાં પ્રવેશ માટે અરજીઓ કરી છે. કોલેજોએ પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીના શાસકો પાસે જે તે વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટસ રજૂ કરીને તેઓ પ્રવેશ પાત્ર છે કે કેમ એ વેરીફાઇ કરાવતા યુનિવર્સિટીએ એવી સંસ્થાઓના વિદેશી વિદ્યાર્થીઓ માટે નન્નો ભણી દીધો છે કે જે સંસ્થાઓને એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એ.આઇ.યુ.) દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવી છે.

એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ માન્ય કરેલા બોર્ડ-સંસ્થાઓ આખા દેશમાં માન્ય હોય, પણ વીર નર્મદ યુનિવર્સિટીના શાસકો માટ અમાન્ય

વીર નર્મદ યુનિવર્સિટી કઇ કઇ સંસ્થાઓને માન્ય ગણે છે તેની યાદી બનાવવામાં આવી છે. આ યાદી જોતા કોઇ સામાન્ય વ્યક્તિ પણ કહી શકે કે યુનિવર્સિટીના શાસકોનો અભિગમ કૂવામા રહેલા દેડકો જેવો છે. કેટલીક ભારતીય સંસ્થાઓના નામો સિવાય વિદેશના એક પણ બોર્ડનું નામ યાદીમાં સામેલ નથી. બસ આ કારણથી વીર નર્મદ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કોલેજોના ના પાડી રહી છે.

વિદેશના કયા કયા બોર્ડ ગુજરાત બોર્ડને સમકક્ષ છે એની યાદી જ વીર નર્મદ યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી, એટલે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે

વીર નર્મદ યુનિવર્સિટીના કારભારીઓ માન્ય બોર્ડ, સંસ્થાઓ અંગે પોતાની યાદી અપડેટ ન કરી શકે તો કંઇ નહીં પણ એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઇડ સંસ્થાઓમાં પ્રવેશ આપવાનું તો ઠરાવી શકે કે નહીં. એ પણ હકીકત છે કે ખુદ વીર નર્મદ યુનિવર્સિટી એ.આઇ.યુ.ની મેમ્બર છે. આમ છતાં એના વહીવટકર્તાઓને એઆઇયુની યાદીને અપનાવતા પેટમાં ચૂક આવી રહી છે.

December 15, 2020
CIA_Live_Logo_New2.jpg
3min1598

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જેઇઇ મેઇન્સ 2021 ફર્સ્ટ ફેઝમાં જે ફેબ્રુઆરીમાં લેવામાં આવનાર છે, તેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજરોજ તા.15મી ડિસેમ્બર 2020થી જેઇઇ મેઇન્સ ફેબ્રુઆરી 2021ની પરીક્ષાના રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તા.15મી જાન્યુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તા.22થી 25 ફેબ્રુઆરી દરમિયાન જેઇઇ મેઇન્સ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ફેબ્રુઆર 2021ની પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ છે.

EE Main 2021 Exam Schedule for February cycle

EventDate
Application process begins15.12.2020
Last date to apply15.01.2021
Last date to pay fee16.01.2021
Correction in particulars18.01.2021 to
21.01.2021
Admit card releaseFebruary first
week 2021
Exam dateFebruary 22 to 25

વધુ માહિતી માટે નીચેની વેબસાઇટ પર ક્લીક કરો

jeemain.nta.nic.in

The National Testing Agency on Tuesday released the notification for the JEE Main 2021 on its official portal. The candidates who wish to apply for JEE Main 2021 can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to check and download the notification.

As per the schedule issued on the JEE Main’s website, the registration process for JEE Main 2021 will commence today i.e., December 15. The last date to apply for JEE main 2021 is January 15, 2021. Candidates can submit the application fee of JEE Main 2021 till January 16. Candidates can make the corrections in their particulars from January 18 to January 21.

December 3, 2020
CIA_Live_Logo_New2.jpg
1min350

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ જેવા ભારતના રાષ્ટ્રીય સ્તરના બોર્ડ The Council for the Indian School Certificate Examination (CISCE) એ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરતા કહ્યું છે કે અમને તા.4 જાન્યુઆરી 2021થી ઓછામાં ઓછું ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ સ્કુલ શરૂ કરવા દો. માર્ચ 2021માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી, તેમના ભણતરને અતિશય ગંભીર નુકસાન પહોંચ્યું છે, બને તેટલું ઓછું નુકસાન થાય તે માટે જાન્યુઆરી 2021થી આપના રાજ્યોમાં The Council for the Indian School Certificate Examination (CISCE) એફિલિયેટેડ સ્કુલો શરૂ કરવા દો. તેમણે કહ્યું કે ધો.10 ધો.12ના વિદ્યાર્થીઓ સ્કુલે આવશે ત્યારે કોવીડ-19ની તમામ નીતિ નિયમો, જોગવાઇઓનું પાલન શાળાઓ કરશે તેની પૂરેપૂરી જવાબદારી લઇએ છીએ

CISCE asks CMs to allow reopening of schools for class 10 & 12 from January 4

The Council for the Indian School Certificate Examination (CISCE) બોર્ડના સેક્રેટરી ગેરી આર્થૂને કહ્યું કે જાન્યુઆરીથી અમને સ્કુલ શરૂ કરવાની મંજૂરી અપાશે તો અમે વિદ્યાર્થીઓને થોડી ઘણી પણ બોર્ડની પરીક્ષાની મહત્વની તૈયારીઓ કરાવી શકીશું.

“With the students physically attending school, the time will be utilised for practical work, project work and for doubt clearing lessons. This will be extremely beneficial to the students who will now get the time to interact directly with their teachers,” Gerry Arathoon, chief executive and secretary of CISCE said in a release.

ISCE બોર્ડની વાત સમજવા જેવી છે

ISCE બોર્ડના સેક્રેટરીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કરેલી અપીલ પણ સમજવા જેવી વાત છે. કેમકે બોર્ડના વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી. તેમણે જેઇઇ, નીટ જેવી પરીક્ષાઓ આપવાની છે. કોલેજમાં પ્રવેશ માટે પરફોર્મન્સ (માર્કસ) લાવવાના છે. ઘરે બેસીને આ પ્રમાણે તૈયારીઓ કરવી અશક્ય છે.