CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 15 of 48 - CIA Live

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min765

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
mbbs.jpg
1min434

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.

નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ઓપન કેટગરીના કટઓફની ડિટેઇલ

ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.

2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ

November 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min382

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે.

કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે.

કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે.

કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે.

જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ

November 9, 2020
carlos-g-valls.jpeg
1min831

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.

મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય

ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.

ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min9810

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.
October 28, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4460

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યના શિક્ષણ વિભાગથી ખાસ્સા નારાજ ગુજરાતના ખાનગી સ્કુલોના સંચાલકોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થાય તેમ છે. આમેય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સામે શાળા સંચાલકો મૂંગા મોઢે 25 ટકા બેઠકો પર બાળકોને સમાવી રહ્યા છે, હવે એ બાળકોના અભ્યાસની વાર્ષિક રૂ.10 હજાર ફીમાં પણ ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ 25 ટકા રાહત શાળાઓએ સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિએ તાજેતરમાં જારી કરેલા એક પરિપત્રમાં આ મતલબનો એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે જેમાં ચાલુ વર્ષે કોવીડ-19ની સ્થિતિમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ હોઇ, વાલીઓની માગણી અનુસાર ગુજરાત સરકારે શાળાઓને 25 ટકા ફી માફી આપવા જણાવ્યું છે. વાલીઓને ભલે સરકારની 25 ટકા ફી માફી નથી જોઇતી પરંતુ, સરકાર એટલે કે સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિના પરિપત્ર અનુસાર ત્યાંની સ્કુલોએ આર.ટી.ઇ.માં પ્રવેશાર્થી બાળકોની ચૂકવવાની થતી રૂ.10 હજારની વાર્ષિક ફીમાં 25 ટકા રાહત આપીને માગણું તૈયાર કરવું પડે એમ છે. આમ, આ રેલો જે સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે તો શાળા સંચાલકોની સ્થિતિ વધુ કફોડી બને તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિએ પરિપત્ર કર્યો છે. જેમાં આરટીઈ સંદર્ભની તમામ માહિતી ખાનગી શાળાઓ પાસેથી માગવામાં આવી છે. આ પરિપત્રમાં એક મુદ્દામાં જણાવ્યું છે કે ‘ગત વર્ષે ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલી ફીના વાર્ષિક 75 ટકા લેખે બે સત્રમાં ચૂકવવાની થતી હોય તે મજુબ શાળા ફી અંગેની માહિતી તૈયાર કરવાની રહેશે’.આ મુદ્દાનું અર્થઘટન સરકારે આરટીઈ હેઠળ ખાનગી શાળાને ચુકવવાની થતી ટયુશન ફીમાં 25 ટકા રાહત લીધી હોવાનું થઈ રહ્યું છે.

અગ્રણી શાળા સંચાલકો કહે છે સરકારની ક્લેરિટી જરૂરી

સુરતના અગ્રણી પ્રાઇવેટ સ્કુલના ટ્રસ્ટી કહે છે કે આ મુદ્દો હજુ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ઉપસ્થિત થયો છે. પરંતુ, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને રાજ્ય સરકારે આ વિષયમાં સ્પષ્ટતા કરવી જોઇએ. આમેય શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ચૂકી છે ત્યારે જો સરકાર તરફથી 25 ટકા ફી કાપી લેવામાં આવશે તો વધુ ફટકો શાળા સંચાલકોએ સહન કરવો પડશે.

ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું કે..

મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ અંગે મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે આ પરિપત્ર મુજબ સરકારને પણ વાલીઓની જેમ રપ ટકા રાહત જોઈએ છે. અમને દર વર્ષે આરટીઈના વિદ્યાર્થીની ટોકન દરે માત્ર 10 હજાર રૂપિયા ફી ચુકવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે 25 ટકા ફી કાપીને આપવાનો પરિપત્ર થયો છે. જે અમને ખુબ અન્યાયકર્તા છે. આ મામલે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી મહામંડળે દર્શાવી છે.

October 24, 2020
mbbs.jpg
4min9260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ સૌથી પહેલા એડમિશન પ્રક્રિયા 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો માટે www.mcc.nic.in વેબસાઇટ પર હાથ ધરવામાં આવી છે. 15 ટકા નેશનલ ક્વોટામાં સમગ્ર દેશમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોની 15 ટકા સીટો ઉપરાંત અનેક સેન્ટ્રલ યુનિવર્સિટીઓ સંચાલિત મેડીકલ કોલેજો, દેશની તમામ એઇમ્સ, ઇએસઆઇસી મેડીકલ કોલેજ વગેરેમાં પ્રવેશ આપવામાં આવે છે. આથી નીટ-2020માં હાઇસ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ 15 ટકા નેશનલ ક્વોટામાં રજિસ્ટ્રેશન કરાવવાની તકને નજરઅંદાજ કરવી ન જોઇએ.

15 ટકા નેશનલ ક્વોટામાં આટલી બેઠકો સમાવિષ્ટ

AIQ includes: (All India Quota)

  • i) 15% MBBS/ BDS Seats of States
  • ii) 100% MBBS/ BDS Seats of BHU
  • iii) 100% MBBS Seats of AIIMS across India
  • iv) All India Quota of JIPMER (Puducherry/ Karaikal)
  • v) All India Quota seats of AMU/ DU/ VMMC/ ABVIMS
  • vi) All India Quota Seats of Faculty of Dentistry (Jamia Milia Islamia)
  • vii)All India Quota Seats of ESIC

આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન www.mcc.nic.in/UGCounselling/

15 ટકા નેશનલ ક્વોટા માટેની પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

NEET UG 2020 Counselling Schedule (Round 1)

EventDate
Registration/Payment &
Choice Filling
27.10.2020 to 02.11.2020
Choice Filling/ Locking28.10.2020 to 02.11.2020
Processing of Seat Allotment03.11.2020 to 04.11.2020
Result05.11.2020
Reporting06.11.2020 to 12.11.2020

MCC CALL CENTRE : Phone No. : 0120-4073500
TOLL FREE NUMBER : 1800 102 7637


Please contact the above numbers for Queries related to Counseling.
Please note that all queries will be answered during Call centre timings
only i.e 9:00 AM to 8:30 PM

MCC : Emails

 E-mail : adgme@nic.in (Only for Administrative Queries)
 E-mail : financemcc2019@lifecarehll.com (Only for Queries regarding
Finance / Accounts / Refund related matters of online counselling NEET UG)
Note: All the emails must be sent to the respective email IDs for
respective queries / grievances only and any email sent to any other email
ID other than the concerned email IDs would not be considered in any
case. Also, mails will be answered during office hours only i.e 10:00 AM
to 6:00 PM.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
3min19940

પ્રવેશ કાર્યવાહીની બુકલેટ મેળવવા માટે Medical શબ્દ 98253 44944 પર વ્હોટ્સએપ કરો. આ બુકલેટ નીચેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ…..

આ વેબસાઇટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે : www.medadmgujarat.org/ug/home.aspx

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા નીટના સ્કોરથી પ્રવેશ મળી શકે તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સિસ દ્વારા 2020ના વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી અંગેની કામગીરીની જાહેરાત કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રૂ.200 ઓનલાઇન ભરીને પીન નંબર મેળવવાનો રહેશે.

6 સ્ટેપમાં હાથ ધરાશે પ્રવેશ કાર્યવાહી, સ્ટેપ બાય સ્ટેપ સમજો : : સમયપત્રક ટૂંક સમયમાં

આ પ્રકારે કામગીરી હાથ ધરવી

આ રહ્યા પ્રવેશ કાર્યવાહીના હેલ્પ સેન્ટર્સની માહિતી, કશું સમજ ના પડે તો અહીં પહોંચી જવું

2020 માટેની મેડીકલ કોલેજો, એક નવી કોલેજનો ઉમેરો

2020 માટેની ડેન્ટલ કોલેજો

2020 માટેની આયુર્વેદિક કોલેજો

2020 માટે હોમિયોપેથી કોલેજો

October 21, 2020
icai_logo.jpeg
1min3950

આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.

October 20, 2020
CIA_Live_Logo_New2.jpg
3min7290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ તમામ સ્તરે ચર્ચાઓ ફક્ત એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ અંગેની જ ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓના નીટમાં સ્કોર ઓછા આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ કમનસીબે નીટ ક્લીયર (ક્વોલિફાય) નથી કરી શક્યા તેમના અંગે કોઇ વિચારતું જ નથી પરીણામ લેખકે અહીં એવા વિદ્યાર્થીઓનું વિચારને વિકલ્પો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ફિઝિયોથેરાપી

વિશ્વભરમાં હાલ ફિઝિયોથેરાપી સૌથી વધુ વ્યાવસાયિક અને ધંધાકીય અભ્યાસક્રમ મનાય રહ્યો છે. ભારતમાં ફિઝિયોથેરાપી કાઉન્સિલ બનાવવામાં આવે ત્યાં સુધી લોકો એ કોર્સને ક્રેડિબલ નથી સમજતા પરંતુ, લોકોની વાત સાંભળ્યા વગર આ કોર્સમાં જવું જોઇએ જે સ્વતંત્ર વ્યવસાયથી લઇને બિઝનેસ અને જોબ ત્રણેયમાં અર્થોપાર્જન કરાવી શકે તેવી ક્ષમતા છે. ગુજરાતમાં ફિઝિયોથેરાપી માટે ફ્કત ધો.12 બી ગ્રુપના માર્કસ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઇ પ્રવેશ પરીક્ષાનો સ્કોર અનિવાર્ય નથી.

ફાર્મસી

કોવીડ-19 પછી વિશ્વભરમાં ફાર્મસી કોર્સની ડિમાન્ડ વધી છે. ફાર્મસીમાં આજે અનેક ફેક્ટર્સ છે જેમકે રિસર્ચ, એગ્રોફાર્મા, માર્કેટિંગ, એનાલિટીક્સ, સેલિંગ સેક્ટર વગેરે. ટૂંકમાં આ એવું ફિલ્ડ છે કે તેમાં ક્યારેય મંદી આવવાની નથી. બી.ફાર્મ. બાદ માસ્ટર્સ, સ્પેશિયલાઇઝેશન કે પી.જી. અનેક પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે.

બાયોટેક્નોલોજી

બાયોટેક્નોલોજી વિષય એ અત્યંત આધુનિક અને બાયોલોજીના પ્યોર સાયન્સનો સબ્જેક્ટ છે જેમાં રિસર્ચ પ્રાથમિક પેરામિટર્સ છે. બાયોટેક્નોલોજીનો ઉપયોગ જમીનથી આસમાન એટલે કે ખેતીથી લઇને એરોપ્લેન સુધીની પ્રક્રિયાઓમાં થઇ રહ્યો છે. બાયોટેક્નોલોજીમાં ફાઉન્ડેશન એટલે કે બી.એસસી. કે એમ.એસસી. કર્યા બાદ ફોરેન્સિક, જીનેટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રિકલ્ચર, એમ્બ્રિયોલોજી, સ્ટેમસેલ થેરાપી વગેરે અનેક પ્રકારના પી.જી. કોર્સ કરીને સારામાં સારી જોબ કે વ્યવસાયિક બની શકાય છે.

એન્વાયરન્મેન્ટલ સાયન્સ

એન્વાયરન્મેન્ટલ સાયન્સ એટલો વિશાળ વિષય છે કે જેમાં એ અને બી ગ્રુપ બન્ને માટે જુદા જુદા પ્રકારના ખાસ વોકેશનલ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. બી.એસસી. એન્વારન્મેન્ટલ સાયન્સ એ પર્યાવરણને સ્પર્શતો અને હાલમાં વૈશ્વિક સ્તરનો પેચિદો પ્રશ્ન હોઇ, આ કોર્સની ડિમાન્ડ આગામી દિવસોમાં જોવા મળશે.

વેટરનરી એક્સપર્ટ

પશુ ચિકિત્સા ક્ષેત્રને શરમજનક ગણતા લોકો એક ખાસ પ્રકારના વ્યવસાયથી વંચિત રહી જાય છે. કેમકે હાલમાં વેટરનરી એક્સપર્ટસની ડીમાંડ એકલા ભારતમાં જ નહીં વિશ્વભરમાં વર્તાય રહી છે. ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ છે અને વેટરનરી કોર્સીસ ફક્ત સરકારી યુનિવર્સિટીઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ઓછી ફીમાં સારામાં સારો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ આ કોર્સને નજર અંદાજ ન કરવો જોઇએ.

એગ્રિકલ્ચર સાયન્સ

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના નાતે અહીં બાયો અગ્રિકલ્ચરના નિષ્ણાંતોની સખત ડિમાન્ડ છે. બી.એસસી. બાયો એગ્રિકલ્ચર કોર્સમાં કરનારાઓને સારી જોબની તકો મળી રહે છે.

ઓપ્ટોમેટ્રી

ઓપ્થેલમોલોજિસ્ટના આસિસ્ટન્ટ કહો કે આખોના બાહ્યસ્ક્રિનીંગ જેવી પ્રક્રિયામાં ઓપ્ટોમેટ્રી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સને પણ ધ્યાનમાં લેવો જોઇએ.

  • ઇન્સ્ટ્રીયલ કેમેસ્ટ્રી
  • ઓર્ગેનિક કેમેસ્ટ્રી
  • મેડીકલ લેબ ટેકનોલોજી
  • નેચરોપેથી
  • ઓક્યુપેશનલ થેરાપી
  • બાયોમેડીકલ સાયન્સ
  • માઇક્રોબાયોલોજી
  • નર્સિંગ

Courses Run by Different Universities in India

  • Bachelors in Anesthesiology and Intensive Care Technology
  • Bachelors in Audiometric Technology
  • B.Sc Blood Banking Technology
  • B.Sc Blood Transfusion Technology
  • B.Sc Cardiac Technology
  • B.Sc Dialysis Technology
  • B.Sc Endoscopy and Gastrointestinal Imaging Technologies
  • B.Sc in Medical Laboratory Technology
  • B.Sc in Medical Imaging Technology
  • B.Sc in Orthopedic Technology
  • B.Sc in Paramedical Technology
  • B.Sc in Radiology and Imaging Technology
  • B.Sc Respiratory Care Technology
  • Bachelor in Speech Therphy
  • Bachelor in Prosthetics and Orthotics
  • Bachelors in Physician Assistantship Training

આવા અનેક પ્રકારના કોર્સમાં નીટ કે ગુજકેટ વગર ધો.12ના પરીણામના આધારે પ્રવેશ મળી રહે છે.