CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 13 of 48 - CIA Live

April 16, 2021
corona-gujarat.jpg
1min320

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min464

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.

April 5, 2021
CIA_Live_Logo_New2.jpg
1min330

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે કોરોનાના વધતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં બઢતી આપવામાં આવશે. ધો.૧થી ૮માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોઇપણ પ્રકારે વાર્ષિક પરીક્ષા નહીં લેવાય.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધો.૯થી ૧૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઇને જાણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શું કહ્યું સાંભળો

April 1, 2021
kvs.jpg
14min692

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.

કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.

દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://kvsonlineadmission.kvs.gov.in/instruction.html

ગુજરાતમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોની નામાવલિ અને તેની સત્તાવાર વેબસાઇટની લિંક

Link of Gujarat State’s Kendriya Vidyalayas

Sr. No.School NameLinks
1KENDRIYA VIDYALAYA NO. I M.R. CAMPUS AHMEDABADhttps://mrcahmedabad.kvs.ac.in/
2KENDRIYA VIDYALAYA SABARMATIhttps://sabarmati.kvs.ac.in/
3KENDRIYA VIDYLAYA NO.I BARODAhttps://no1baroda.kvs.ac.in/
4KENDRIYA VIDYALAYA BHAVNAGAR PARAhttps://bhavnagarpara.kvs.ac.in/
5KENDRIYA VIDYALAYA BSF DANTIWADAhttps://bsfdantiwada.kvs.ac.in/
6KENDRIYA VIDYALAYA DIUhttps://diu.kvs.ac.in/
7KENDRIYA VIDYALAYA DWARKAhttps://dwarkagujarat.kvs.ac.in/
8KENDRIYA VIDYALAYA RLY. COLONY GANDHIDHAMhttps://gandhidham.kvs.ac.in/
9KENDRIYA VIDYALAYA CRPF GANDHINAGARhttps://crpfgandhinagar.kvs.ac.in/
10KENDRIYA VIDYALAYA NO. I GANDHINAGARhttps://no1gandhinagar.kvs.ac.in/
11KENDRIYA VIDYALAYA HIMMAT NAGARhttps://himmatnagar.kvs.ac.in/
12KENDRIYA VIDYALAYA JETPURhttps://jetpur.kvs.ac.in/
13KENRIYA VIDYALAYA JUNAGARHhttps://junagarh.kvs.ac.in/
14KENDRIYA VIDYALAYA PORBANDERhttps://porbander.kvs.ac.in/
15KENDRIYA VIDYALAYA RAJKOThttps://rajkot.kvs.ac.in/
16KENDRIYA VIDYALAYA SILVASSAhttps://silvassa.kvs.ac.in/
17KENRIYA VIDYALAYA NO.I SURAThttps://no1surat.kvs.ac.in/
18KENDRIYA VIDYALAYA VIRAMGAONhttps://viramgaon.kvs.ac.in/
19KENDRIYA VIDYALAYA GODHRAhttps://godhra.kvs.ac.in/
20KENDRIYA VIDYALAYA DAHODhttps://dahod.kvs.ac.in/
21KENDRIYA VIDYALAYA AHMEDABAD CANTThttps://ahmedabadcantt.kvs.ac.in/
22KENDRIYA VIDYALAYA NO.II BARODAhttps://no2baroda.kvs.ac.in/
23KENDRIYA VIDYALAYA NO.III (AFS) BARODAhttps://no3baroda.kvs.ac.in/
24KENDRIYA VIDYLAYA AFS NO.I BHUJhttps://no1afsbhuj.kvs.ac.in/
25KENDRIYA VIDYALAYA NO.II BHUJ CANTT.https://no2bhujcantt.kvs.ac.in/
26KENDRIYA VIDYALAYA DHARANGANDHRAhttps://dharangandhra.kvs.ac.in/
27KENDRIYA VIDYALAYA NO. III GANDHINAGAR CANTT.https://no3gandhinagarcantt.kvs.ac.in/
28KENDRIYA VIDYALAYA NO.I AFS JAMNAGARhttps://no1jamnagar.kvs.ac.in/
29KENDRIYA VIDYALAYA NO.II JAMNAGARhttps://no2jamnagar.kvs.ac.in/
30KENDRIYA VIDYALAYA NO.III (AF) JAMNAGARhttps://no3afjamnagar.kvs.ac.in/
31KENDRIYA VIDYALAYA AFS SAMANAhttps://samanaafs.kvs.ac.in/
32KENDRIYA VIDYALAYA INS VALSURAhttps://insvalsura.kvs.ac.in/
33KENDRIYA VIDYALAYA AFS NALIYAhttps://afsnaliya.kvs.ac.in/
34KENDRIYA VIDYALAYA OKHAhttps://okha.kvs.ac.in/
35KENDRIYA VIDYALAYA AFS WADSARhttps://afswadsar.kvs.ac.in/
36KENDRIYA VIDYALAYA AFS DARJEEPURAhttps://afsdarjeepura.kvs.ac.in/
37KENDRIYA VIDYALAYA V V NAGARhttps://vvnagar.kvs.ac.in/
38KENDRIYA VIDYALAYA SAC AHMEDABADhttps://sacahmedabad.kvs.ac.in/
39KENDRIYA VIDYALAYA ONGC CHANDKHEDAhttps://ongcchandkheda.kvs.ac.in/
40KENDRIYA VIDYALAYA ONGC ANKLESHWARhttps://ongcankleshwar.kvs.ac.in/
41KENDRIYA VIDYALAYA NO. IV BARODAhttps://no4baroda.kvs.ac.in/
42KENDRIYA VIDYALAYA ONGC CAMBEYhttps://ongccambey.kvs.ac.in/
43KENDRIYA VIDYALAYA IFFCO GANDHIDHAMhttps://iffcogandhidham.kvs.ac.in/
44KENDRIYA VIDYALAYA ONGC MEHSANAhttps://ongcmehsana.kvs.ac.in/
45KENDRIYA VIDYALAYA HAJIRA NO.II SURAThttps://no2hajirasurat.kvs.ac.in/
46KENDRIYA VIDYALAYA ONGC NO.III SURAThttps://ongcno3surat.kvs.ac.in/
47KENDRIYA VIDYALAYA PATANhttps://patan.kvs.ac.in/

In English

KV Admissions 2021: Documents Needed

  • Self Declaration distance between school and residence
  • Service Certificate Central Govt
  • Service Certificate State Govt
  • Affidavit for single girl child
  • Died in harness certificate
  • Transfer certificate
  • Date of Birth

Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.

Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5.
In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.

March 30, 2021
iima.jpg
1min300

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કેમ્પસમાંથી મળી આવેલા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦ને પાર કરી ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (IIM-A) કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને અહીં કામ કરતા, અભ્યાસ કરતા તમામનું સ્ક્રિનિંગ કર્યું છે.

Corona blast in IIM Ahmedabad IIT Gandhinagar 65 students professors  infected | Corona Outbreaks: IIM अहमदाबाद और IIT गांधीनगर में कोरोना  विस्फोट, 65 स्टूडेंट्स-प्रोफेसर संक्रमित ।

સૌથી ચોંકાવનારી વિગત તો એ પણ છે કે 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે. જ્યારે IIM-A દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM-Aમાં 28 માર્ચે પણ 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે. હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

 

March 18, 2021
Schoolsclosed4.jpg
1min368

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

March 16, 2021
CIA_Live_Logo_New2.jpg
2min526

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

ભારતમાં યુનિવર્સિટીઓનું સંચાલન કરી રહેલી એપેક્ષ બોડી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અત્યાાર સુધી સર્ટિફિકેશન કોર્સ ગણાતા ચાર્ટર્ડ અકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, આઇ.સી.ડબલ્યુ.એ. જેવા અભ્યાસક્રમોને પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર) ડિગ્રીને સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી આઇ.સી.એ.આઇ. દ્વારા ટ્વીટ કરીને જારી કરવામાં આવી છે.

CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારો હવેથી ભારત તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ચાલતા પી.જી. અભ્યાસક્રમો કે તેનાથી ઉપર ડોક્ટરેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ પામી શકશે.

આ સાથે જ CA/CS જેવા અભ્યાસક્રમો હવે વધુ પાવરફુલ બન્યા છે. અત્યાર સુધી જેનેે સર્ટિફિકેશન્સ માનવામાં આવતા હતા તે હવે ઘરે બેસીને ભણી શકાય તેવા સૌથી પાવરફુલ કોર્સ બન્યા છે જે નોકરી, વ્યવસાય કે બિઝનેસ એક્સપર્ટસ બનાવી શકે તેટલા સક્ષમ હોવા ઉપરાંત પી.એચડી. સુધીની ડિગ્રી માટેની લાયકાત મેળવી આપશે.

હાલમાં કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ નહીં બદલાય

CA/CS/ICWA અભ્યાસ કરતાા ઉમેદવારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમકે બી.કોમ. વીથ સીએ, બીબીએ વીથ સીએ, બીબીએ વીથ સી.એસ., બી.કોમ.વીથ સી.એસ. વગેરે. વિદ્યાર્થીઓ બેકઅપ પ્લાનના ભાગરૂપે આ પ્રકારે સ્ટડી કરે છે. સી.એ. સી.એસ. જેવા કોર્સનું પરીણામ ખૂબ ઓછું આવતું હોય, અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે કોમ્બિનેશનમાં CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ કરવાનો ટ્રેન્ડ હાલ તુરત નહીં બદલાય એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Dhiraj Khandelwal, CCM of ICAI tweeted “Based on representation made by ICAI, UGC approved CA/CS/ ICWA qualification equivalent to postgraduate degree. (PDG) . Wow.. it’s a great recognition to our profession.”

The University Grants Commission (UGC) has resolved that the Chartered Accountant (CA), Company Secretary (CS), or Cost and Works Accountant (ICWA) exams will be treated equivalent to a postgraduate degree.

The Institute of Chartered Accountants of India (ICAI) on Monday informed that the UGC has resolved that CA Qualification will be treated equivalent to PG Degree. Candidates who qualify the CA, CS, ICWA exams will now be equivalent to PG holders.

This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally.” tweeted ICAI on Monday, 15 March 2021.

March 13, 2021
NEET-1.png
1min635

Jayesh Brahmbhatt 98253 44944

દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.

એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.

March 3, 2021
jeemain.png
4min317

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી માર્ચ 2021માં લેવામાં આવનારી જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ઇજનેરી એન્ટ્રન્સ એકઝામ માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જો આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમણે સત્વરે પોતાની એપ્લિકેશન સબમિટ કરી દેવી જોઇએ.

જેઇઇ મેઇન્સ 2021ના વર્ષથી વર્ષમાં 4 વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી 2021ની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે. હવે માર્ચમાં તા.15, 16, 17 અને 18 માર્ચ 2021ના રોજ મેઇન્સ -2 લેવામાં આવશે. એ પછી એપ્રિલ અને મે એમ વધુ બે ચાન્સ વિદ્યાર્થીઓ પાસે બાકી રહેશે. વિદ્યાર્થીઓ ચારમાંથી ગમે તેટલી પરીક્ષા આપી શકશે અને જે બેસ્ટ સ્કોર હશે તેના આધારે વિદ્યાર્થીઓનું મેરીટ ગણવામાં આવશે.

The National Testing Agency (NTA) on Tuesday commenced the online application process for the JEE Main March session. The interested candidates can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to submit their application form.

JEE Main March 21 ઓનલાઇન એપ્લિકેશન માટે નીચેની લિંક ક્લીક કરો

https://testservices.nic.in/examsys21/root/home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFVj34FesvYg1WX45sPjGXBoodsCAPgItCPvwv6bGBGio

NTA will conduct the JEE Main 2021 second session on March 15, 16, 17, and 18. The exams will be held in two shifts — the first shift from 9.00 am to 12.00 pm and the second shift from 3.00 pm to 6.00 pm.

How to apply online for JEE Main 2021 March session

Candidates can follow the steps given below to apply online for JEE Main 2021 March session.

Step 1: Apply for online registration using your email ID and mobile number.
Step 2: Fill in the online application form and note down the system-generated application number.
Step 3: Upload scanned images of the following:

  • Recent photograph (file size 10Kb – 200Kb) should be either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background
  • Candidate’s signature (file size: 4kb – 30kb)
  • Duly verified result awaited attestation form (file size: 50kb to 500kb)
  • Category certificate (SC/ST/OBC/EWS etc.) (file size: 50kb to 300KB)
  • PwD certificate (file size: 50kb to 300kb) in jpg/jpeg format.

Step 4: Pay the JEE main application fee using SBI/Canara Bank/HDFC Bank/ICICI Bank/Paytm Payment Gateway through Debit Card/Credit Card / Net Banking/UPI and keep proof of fee paid.

Candidates are advised to download, save and print a copy of the confirmation page of the application form (which would be downloadable only after successful remittance of fee) for future reference.

February 25, 2021
educationpolicyjpg.jpg
1min402

Gujarat Govt. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.