
અન્ડરવર્લ્ડ ડૉનમાંથી રાજકારણી બનેલો અરુણ ગવળી ગાંધી વિચારોની પરીક્ષામાં પહેલા નંબરે પાસ
મુંબઈની દગડી ચાલ પર એક સમયે ગુંડાગીરી કરીને જીવતો અરુણ ગવળી હાલ નાગપુરની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં અરુણ ગવળી નાગપુરની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
દર વર્ષે નાગપુર જેલમાં સહયોગ ટ્રસ્ટ, સર્વોદય આશ્રમ અને મુંબઈ સર્વોદય મંડળ એમ ત્રણેય મળીને ગાંધી વિચારોની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષા સ્વૈચ્છિક હોય છે. જેલમાં એક મહિના પહેલાં ગાંધીના જીવન પરનાં અમુક પુસ્તકો આપવામાં આવે છે અને એના આધારે પરીક્ષા આપવાની હોય છે. અરુણ ગવળીને આ પરીક્ષા આપવાની ઇચ્છા થતાં તેણે પણ આ પરીક્ષા માટે નામ આપ્યું હતું.
અરુણ ગવળીને ગાંધી વિચારોના પેપરમાં કુલ ૮૦ માર્કમાંથી ૭૪ માર્ક મળ્યા છે. જેલમાં રહેલા હજારો કેદીમાંથી ૧૬૦ કેદીઓએ આ પરીક્ષા આપી હતી. એમાં અરુણ ગવળી પહેલા નંબરે પાસ થયો છે.
























































