
સુરત, 3 ઓગસ્ટ, 2018 – શેલ્બી હોસ્પિટલે સુરતની પ્રથમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડો. તૈયાબ લાકડાવાલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સાથે સ્કોલિયોસીસને કારણે લાંબા સમયથી ગંભીર કમરના દુઃખાવાની સમસ્યાથી પીડીતા હતાં અને આ બિમારીને કારણે તેમના પોશ્ચર વિકૃત થઇ જતાં તેમના ડાબા પગમાં તીક્ષ્ણ પીડાની સમસ્યા સર્જાઇ હતી, જેથી તેમના ડાબા પગમાં આંશિક લકવાની અસર સર્જાઇ હતી. 67 વર્ષની ઉંમરના ડો. તૈયબ લાકડાવાલા છેલ્લાં એક વર્ષથી આ સમસ્યાથી પીડીત હતાં અને તેના કારણે તેમની હલનચલન ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી અને પોતાના ક્લિનિકમાં પણ જવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ બાદ તેમણે સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં સિનિયર સ્પાઇન સર્જન ડો. ગૌરવ ખંડેલવાલની સલાહ લીધી હતી.
શેલ્બી હોસ્પિટલ ખાતે ડો. ગૌરવે દર્દીની વિકૃતિ અને નર્વ ડિકમ્પ્રેશનને સુધારવા માટે સ્પાઇન સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરીના માત્ર 24 જ કલાકમાં ડો. લાકડાવાલા ચાલતા થયાં અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો પણ આવ્યો. સર્જરીના એક મહિના બાદ તેમનું જીવન એકદમ સામાન્ય થયું અને ડો. લાકડાવાલ ફરીથી પોતાના ક્લિનક જવા લાગ્યાં. હવે તેમને કોઇપણ સમસ્યા નથી.
આ સર્જરી અંગે માહિતી આપતાં ડો. ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્પાઇન સર્જરી ટેકનીકમાં બદલાવ આવ્યો છે અને પરંપરાગત ઓપન સર્જરીની જગ્યાએ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સારા પરિણામો આપે છે તેમજ ખુબજ ઓછા કટ સાથે તંદુરસ્ત સ્નાયુઓને સાચવવામાં આવે છે. આ સર્જરીમાં લોહીની જરૂરી પણ ઓછી રહે છે અને અત્યંત વૃદ્ધિ દર્દીઓ ઉપર પણ શુન્ય ઇન્ફેક્શન રેટ સાથે સર્જરી કરી શકાય છે. ખુબજ ઓછા સમયમાં દર્દી સામાન્ય અને પીડામુક્ત જીવન વિતાવતા થાય છે. આ સર્જરી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં ઓછી ખર્ચાળ છે. સ્પાઇનની સમસ્યાથી પીડીત દર્દીઓમાં ઝડપી રિકવરીને જોતાં મને ખુશી અનુભવાય છે. આ સુરતની પ્રથમ જટીલ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે.”
ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે કરાતી સર્જરીમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય, 15 દિવસના હોસ્પિટલ સ્ટે, 5 લોહીના 5 યુનિટ અને સંપૂર્ણ રિકવરી માટે એક વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તેનો ખર્ચ રૂ. 4થી5 લાખ, એક વર્ષ ફિઝિયોથેરાપી માટેનો અંદાજિત ખર્ચ રૂ. 75,000 જેટલો થવા પામે છે, એટલે કે સારવારનો કુલ ખર્ચ રૂ. 5થી6 લાખ થાય છે. જોકે, ડો. ખંડેલવાલ દ્વારા કરાયેલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં 5 દિવસના હોસ્પિટલ સ્ટેની જરૂર રહે છે અને દર્દી સર્જરીના એક દિવસમાં ચાલતો થઇ જાય છે તથા માત્ર એક યુનિટ લોહીની જરૂરિયાત રહે છે. મહત્વપૂર્ણ છે કે સર્જરીનો ખર્ચ પરંપરાગત સર્જરીની સરખામણીમાં એક તૃતયાંશ ઓછો છે.
શેલ્બી હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્પાઇનના દર્દીઓ અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઇને કોઇપણ પ્રકારના કોમ્પલિકેશન વિના ઝડપી રિકવર હાંસલ કરી શકે છે. સુરત ખાતે શેલ્બી હોસ્પિટલે મુંબઇમાંથી પણ સ્પાઇન સર્જરી કેસ મેળવ્યાં છે. હોસ્પિટલ પાસે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બ્રેઇન અને સ્પાઇન સર્જનની પ્રતિબદ્ધ ટીમ છે. અમે ખુબજ ઓછા સમયમાં 200થી વધુ સ્પાઇન સર્જરી કરી છે અને સફળતાનો દર પણ ઉંચો છે. અમારા પ્રયાસોથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થતાં જોઇ અમે ખુશી અનુભવીએ છીએ.”
























































