CIA ALERT

My World Archives - Page 25 of 28 - CIA Live

September 13, 2018
isro.jpg
1min13580

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 12, 2018
lalbaug2018.jpg
1min3780

લાલબાગના રાજાનો ફસ્ર્ટ લુક 11મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે‍ પર્યાવરણની જાગૃતિ વિશેની સજાવટ કરવામાં આવી છે. રાજાની આસપાસ વન્ય પ્રાણીઓ અને વૃક્ષો દેખાશે. મૂર્તિની પાછળ LED દ્વારા દૃશ્યો બદલાતાં રહેશે.

RAJA KI SAWARI….First look of the ganesh idol, famously known as ‘Lalbaugh Ka Raja’ is revealed today at Lalbaugh in Mumbai on 11th Sept 2018. Pics by BIPIN KOKATE

ગુજરાતમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા, દગડુ શેઠ જેવા ગણેશજીના દર્શનાર્થે જાય છે. એવા લાખો શ્રદ્ધાળુઓ હોય છે જેમના મોબાઇલ ફોનના સ્ક્રીન પર આખું વર્ષ લાલબાગ ચા રાજા જ બિરાજમાન હોય છે. ગઇ તા.11મી સપ્ટેમ્બર 2018ના રોજ આવા લાખો લોકોની આતુરતાના અંત આવ્યો હતો કેમકે આ વર્ષના લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.

 

September 6, 2018
tgb2.jpg
1min4020

સુરત : ડુમસ રોડસ્થિત ટી.જી.બી.હૉટલખાતે કોંકણફૂડ સ્પેશ્યલ કૂકરી વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં કોંકણની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઇ હતી.

ટી.જી.બી.ના શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે ભારતના વિવિધ રાજ્યો અને રાજ્યમાં પણ વિવિધ ક્ષેત્રોનાફૂડમાં અનેક વિશેષતાઓ છે. ત્યારે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારનું ફૂડ પણ અને રેસીપી પણ ખૂબ જ  લલચાવનારી છે. ખાસ કરીને અહીંના લોકોનો મુખ્ય આહાર સી ફૂડ છે. પરંતુ સાથે-સાથે કડી-પત્તા, કાચાકેળા, કોકમ,મળી મરી જેવા પદાર્થો થકી સ્પાઇસ અને  સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે.ત્યારે સુરતનો સ્વાદપ્રિય જનતાને પણ કોંકણની આ વિશેષ વાનગીઓનો ખ્યાલ આવે તે માટે ટી.જી.બી.ના મેમ્બર્સ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમ્બર્સ ભાગ લીધો હતો.

-x-x-x-x-

September 6, 2018
SGFI-sketing-competition-winners-1280x853.jpeg
1min7710

શહેરના કતારગામ ખાતે આવેલા એસએમસી જરીવાલા કોમ્પ્લેક્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસજીએફઆઇ) દ્વારા તાજેતરમાં સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં લગભગ 20 શાળાઓના 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા અગ્રેસર શાંતિ એશિયાટિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર-11 ક્વાડ બોઇઝ કેટેગરીમાં ભાવાર્થ દેસાઇએ પ્રથમ ક્રમ તથા અન્ડર-11 ગર્લ્સ કેટેગરીમાં નેન્સી મિસ્ત્રીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે.આ વિદ્યાર્થીઓની વડોદરા ખાતે ચાલુ મહિને યોજાનારી રાજ્ય સ્તરિય કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.

September 5, 2018
Drrupal.jpg
1min5100

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.

September 3, 2018
grnathon.jpg
1min4930

ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓ વૃક્ષારોપણ સાથે આપ્યો પર્યાવરણ સંરક્ષણનોસંદેશ

  • તાપ્તી કિડ્સ, હાર્ટ્સ એટ વર્ક અને કિરિન્ગટોન ક્લબના સથીયારા પ્રયાસથી શહેરમાં પહેલી વખત થયું અનોખું આયોજન
  • ગ્રીનમેન તરીકે વિખ્યાત યુવા ઉદ્યમીવિરલ દેસાઈ હતા ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

સુરત :ગ્લોબલ વોર્મિંગની ચેતવણી વચ્ચે વિશ્વમાં સૌથી વધુ ભાર વૃક્ષારોપણપર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં પહેલી વખત સુરત ખાતે એવું આયોજન થયું છે કે જે વૃક્ષારોપણની પ્રવૃત્તિને માત્ર વેગજનહીં આપ્યું પણ આ કાર્ય માટે માઈલસ્ટોન સાબિતથયું છે.સુરતની તાપ્તી કિડ્સ દ્વારા હાર્ટ્સ એટ વર્કફાઉન્ડેશન અને કિરીન્ગટોન ક્લબના સહયોગથી સુરતના આંગણે “ગ્રીનાથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેના થકી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓએ ભાગ લઈ જેમ તેમની કોખમાં બાળક ઉછેરી રહ્યું છે એવી જ રીતે પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોના સંરક્ષણ માટેનો અનોખો સંદેશો આપ્યો હતો.આ માટે ગુજરાતમાં ગ્રીનમેન તરીકે વિખ્યાત અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા સુરતના યુવા ઉદ્યમી વિરલ દેસાઈને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  જાહેર કરાયા હતા.

આ અંગે તાપ્તી કિડ્સના પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પ્રદૂષણનું પ્રમાણ સતત વધતુ જઈ રહ્યુ છે અને વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં જળવાઇ રહે તે માટે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે અત્યાર સુધી 19000થી વધુ વૃક્ષોનું રોપણ કરી ચૂકેલા યુવા ઉદ્યમી વિરલદેસાઈની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી.આજરોજ સુરતના સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ગર્ભવતી મહિલાઓ સાથે માતા, પુત્રી કે પુત્ર ભાગ લીધો હતો. આ પ્રસંગે જેટલા લોકોએ ભાગ લીધો હતો, તેટલી સંખ્યામાં વૃક્ષોરોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ માટેનો છે ત્યારે ગર્ભવતી મહિલાઓ પોતાના કોખમાં ઉછરી રહેલા ગર્ભ માટે આગામી સમયમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવાની સાથે જ જે રીતે આપણે બાળકનો ઉછેર કરીએ છીએ એવી જ રીતે વૃક્ષોનો ઉછેર કરવાનો સંદેશો ફેલાવવાનો હતો. એટલું જ નહીં આ ઇવેન્ટમાં માતા-પુત્રી,કે પુત્ર ભાગ લીધો હતો. ત્યારે જે રીતે આપણેસંતાનોનો ઉછેર કરીએ છીએ અને ભવિષ્યમાં તે આપણી ટેપણ  બાળકી બનશે એવું માનીએ છીએ. એ જ રીતે વૃક્ષોનું રોપણ કરી તેમનો ઉછેર સંતાનોની જેમ કરીએ તો વૃક્ષો પણ માનવજીવન માટે આશીર્વાદ રૂપ સાબિત થશે .એ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો.

-x-x-x-x-

August 26, 2018
iift1-1280x850.jpg
1min10050

ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઈયરના૧૫૦ વિદ્યાર્થીઓ એવિવિધ સામાજિક સંદેશાઓ આપતી રાખડીઓબનાવી

સુરત : શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યુટ IIFT દ્વારા રક્ષાબંધનને લઈને રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્સ્ટિટયૂટના સંચાલક મુકેશ માહેશ્વરીએ જણાવ્યુ હતું કે કોમ્પિટિશનમાં ફર્સ્ટ અને સેકન્ડ ઈયરના ૧૫૦ વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.કોમ્પિટિશનનો વિષય સામાજિક જાગૃકતા રાખવામાં આવ્યો હતો જેને અનુરૂપ વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સંદેશાઓ આપતીઆકર્ષક રાખડીઓ બનાવી હતી. આ અવસરે મોડલ એન્ડ એફ એક્ટ્રેસખુશી શાહે જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

કોમ્પિટિશનના અંતે બંને વર્ષ માટે પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓનાં નામે જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ વર્ષમાં સેવગર્લ ચાઈલ્ડપર રાખડીબનાવનાર સુનંદા ગુપ્તા પ્રથમ,સેવનેચર, સ્વચ્છ ભારત પર આધારિત રાખડી બનાવનાર હિમાની બોરડદ્રિતિયઅનેસેવ વોટર થીમ પર રાખી બનાવનાર અંકિતા પટેલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે સેકન્ડ ઈયરના વિદ્યાર્થીઓમાં ગ્રોમોર ટ્રીથીમ પર રાખડી બનાવનાર ગાર્ગી શર્મા પ્રથમ, અગેનેસ્ટહેરેસમેંટપર રાખડી તૈયાર કરનાર મમતા સાવી બીજા અને સ્વચ્છ ભારત થીમ પર રાખડી બનાવનાર કલ્પનાની ત્રીજા સ્થાને રહી હતી.

-x-x-x-x-

 

August 25, 2018
p3-1280x853.jpg
1min7370

Jayesh Brahmbhatt   98253 44944

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

શહેરના કાંઠા વિસ્તારમાં આવેલા કોળી પટેલ સમાજની બહુલ વસતિ ધરાવતા ગામડાઓમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ગઇ તા.15મી ઓગસ્ટ 2018ના રોજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટેનો એક ઉત્કૃષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી શાળાકીય, કોલેજ, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 65 ટકા કે તેનાથી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને સમાજના આગેવાનોના હસ્તે જાહેરમાં સન્માનિત કરીને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

તદુપરાંત જુદા જુદા ક્ષેત્રો જેવા કે સ્પોર્ટસ, વ્યાવસાયિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કોળી પટેલ સમાજના નવયુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટરે સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. આવા કાર્યક્રમોથી યુવાધન વધુ પ્રોત્સાહિત થાય છે. સમાજના યુવાનો પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કંઇક કરી બતાવે એ માટે તેમને પ્રોત્સાહિત કરવાની એક પણ તક અમે જતી કરવા માગતા નથી.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સામાજિક રીત રિવાજોમાં સુધારા, લગ્નોત્સુક યુવક યુવતિઓનો પરિચય સમારો તેમજ પુસ્તિકા વિમોચન વગેરે પ્રકારના કાર્યક્રમો કરીને સામાજિક ઉત્થાન માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

 

August 24, 2018
DSC_4413-1280x859.jpg
1min8010

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના રિલિઝ થયેલ પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-

August 23, 2018
tc1.jpg
1min4240

સોશિયલ મીડિયા દ્વારા તિરંગા ચેલેન્જમાં ભાગ લેનાર દેશભરના ઉત્સાહી 55 યુવાન સામાજિક કાર્યકર્તાઓને નોબલ એશિયન ઓફ ઘી યરપુરસ્કારથી સમ્માનવામાં આવ્યા

 

 

સુરત, તા. 17 – દેશભરના સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ફેસબૂક પર ‘તિરંગા ચેલેન્જ’ નામની ડિજિટલ ફ્રેમ હાલ ઓગસ્ટ મહિનામાં ખુબ જ વાયરલ થઈ છે. આ ફ્રેમ દ્વારા એક અવનવો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં એક છોડ વાવો અને અન્ય ત્રણ મિત્રોને છોડ વાવવા માટે ચેલેન્જ પડકારો. સુરતથી શરુ થયેલી આ મુહિમ જોતજોતામાં આખા ભારતમાં પ્રસરી ગઈ અને લોકોમાં છોડ વાવી અન્ય ત્રણ મિત્રોને ચેલેન્જ કરવાની જાણે હોડ લાગી ગઈ.

તિરંગા ચેલેન્જ દ્વારા દેશના ખૂણે-ખૂણાથી લોકો જોડાયા જેમાં વિવિધ બ્યુટી પેજન્ટ્સ જીતનાર મોડેલ્સ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તેમજ ડોક્ટરો પણ શામેલ છે. આ તમામ લોકો જેઓએ આ ડિજિટલ ફ્રેમનો ફેસબૂક પર ઉપયોગ કરી પોતપોતાના શહેરમાં હરિયાળી ક્રાંતિ માટે વિશેષ કામ કર્યું તેઓને 15મી ઓગસ્ટે સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે બોલાવી ‘નોબલ એશિયન ઓફ ઘી યર’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત સહિત લગભગ 29 શહેરના લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ ‘ગો ગ્રીન’ મુહિમને હજી વધુ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં શહેરના મેયર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ કોર્પોરેટર રૂપલબેન  શાહે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર ‘તિરંગા ચેલેન્જ’ની ડિજિટલ ફ્રેમ બનાવનાર ડો. વિમલ રાઠી અને અવેરનેસ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ફ્રેમની સફળતાથી તેઓ ખુશ છે પણ એનાથી વિશેષ આ ફ્રેમના કારણે દેશના વિવિધ શહેરોમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે તેનાથી તેઓને વધુ આનંદ છે.