જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રમોશન કર્યું

ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની એમ્બેસેડર અને જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ શહેરના વીઆર મોલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીની પ્રોડક્ટ રાઇસ સ્કિન અફેરનું પ્રમોશન કર્યું હતું. પ્રાચિન પદ્ધતિઓના આધાર અને કોરિયન આરએન્ડડીના સહયોગથી રાઇસે પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જે તમારી ત્વચાના ઉંડાણમાં જઇને તેને પુનર્જીવિત કરે છે અને તેને સુંદર અને મુલાયમ રાખે છે.

ચોખામાંથી પ્રાપ્ત કરાયેલા ઓઇલ રાઇસ બ્રાન ફેટી એસિડની ઉંચી માત્રા ધરાવે છે, જે તમારી ત્વચાને પરફેક્ટ મોઇશ્ચર પ્રદાન કરે છે. એન્ટીઓક્સિડન્ટ્સ, વીટામીન બી અને ઇ તથા અદ્ભુત કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટ્સ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે તેની સુરક્ષા પણ કરે છે. તમારી અપેક્ષા મૂજબ સુંદર અને આકર્ષક ત્વચા પ્રાપ્ત કરવા માટે કોસ્મેટિક્સ બનાવવા માટે રાઇસ કેન્દ્રિત છે.
ઉલ્લેખનીય છે કે રાઇસ કોસ્મેટિક્સ પેરાબીન, ફિનોક્સેથેનોલ, મિનરલ ઓઇલ, સોડિયમ લ્યુરેથ સલ્ફેટ, આર્ટિફિશિયલ ડાઇ, ટ્રાઇથેનોલામાઇન વગેરેથી મુક્ત છે અને કુદરતી ઘટકોથી તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સ ત્વચાની પૂરતી કાળજી રાખે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોડક્ટ કુદરતી તત્વો ધરાવવાની સાથે-સાથે કેમિકલ ફ્રી, લાંબા પરિણામો, ત્રણ લાઇટિંગ વ્હાઇટિંગ ઇફેક્ટ આપે છે તેમજ રાઇસ બ્રાનની સાથે-સાથે ફળો અને ફુલોના ઘટકો ત્વચાને મુલાયમ અને આકર્ષક બનાવે છે. આ પ્રસંગે બ્યુટી વર્લ્ડમાં કંપનીની કામગીરી તથા ભાવિ યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી હતી.


























