કયા સમાજે આજીવીકાનું સાધન પૂરું પાડ્યું
- ભરવાડ સમાજે પોતાના સમાજના યુવકોને 300 પીકઅપ વાન અને કારનું વિતરણ કર્યું.
- રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કર્યું
સમાજ યુવાનોનો રોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે હવે સમાજ આગળ આવી રહ્યો છે. તા.14મી ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં ભરવાડ અને રાજપૂત સમાજે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોટા ભાગે સમાજ પોતાના બેરોજગાર નવયુવાનોને યા તો સહાનુભૂતિ આપે છે યા તો થોડીઘણી આર્થિક મદદ કરી દે છે. પણ આનાથી બેરોજગાર યુવાનોની મુશ્કેલી પૂરી થતી નથી.
ગુજરાતના ભરવાડ અને રાજપુત યુવા સંગઠન દ્વારા પોતાના સમાજના યુવાનોના બેકારીના પ્રશ્નને દૂર કરવા માટે તેમને આજીવીકા સમાન કાર ભેટ આપી છે જેમાંથી જો લાભકર્તા યુવાન ધારે તો આખી જીંદગી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે.
ભરવાડ સમાજના એવા યુવાનોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમની પાસે રોજગારી નથી. ભરવાડ સમાજે યુવકોને 300 પીકઅપ વાન અને કારનું વિતરણ કર્યું. આવો જ કાર્યક્રમ રાજપૂત સમાજે પણ કર્યો. જેમાં રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કરવામાં આવ્યું.
ભરવાડ યુવા સંગઠના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના યુવાનોને 250 ઈકો અને 50 બોલેરો કાર આપવામાં આવી. સમાજના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સમાજના યુવાનોને રોજગારી મળે તે માટે કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
શું છે આયોજન
ભરવાડ સમાજના યુવાનોને 250 ઈકો કાર અપાશે.
50 બોલેરો કાર આપવામાં આવશે.
1500 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે.
રાજપૂત સમાજના યુવાનોને 50 બોલેરો કાર આપવામાં આવશે.
400 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે..
આ પહેલા 100 કારનું વિતરણ કરાયું હતું.
કોઇ સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનો માટે આ પ્રકારે આજીવીકાનું સાધન આપવાનો આ પ્રયોગ જો દરેક સમાજ અનુસરે તો ગુજરાતમાં મોટા ભાગે બેરોજગારીનો પ્રશ્ન હલ થઇ શકે.

































