CIA ALERT

My World Archives - Page 13 of 28 - CIA Live

November 11, 2020
cia_society-1280x880.jpg
2min3200

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’ કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર અને તેની સહયોગી સંસ્થા કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ સોશલ સાઈંસેસે પોતાના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતના અથાક પ્રયાસોના કારણે આ વખતે પણ કોવિડ-19 મહામારીમાં પણ ઉમદા કાર્ય કર્યું..

કોવિડ-19ના પ્રકોપથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત લોકો સુધી પહોંચવામાં અને યોગ્ય સારવાર માટે શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. સાથે જ તેના પર સતત કામગીરી પણ ચાલી રહી છે. એ જગજાહેર છે કે કિટ ડીમ્ડ વિશ્વવિદ્યાલય એક પ્રસિદ્ધ સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પણ છે.

દેશના અનેક રાજ્યની સાથે સાથે 50 જેટલા દેશોના અંદાજે 30 હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે કિટની જ સહયોગી સંસ્થા કિશ 30 હજારથી વધુ આદિવાસી બાળકોને ભણાવે છે. જે દેશની એકમાત્ર આદિવાસી વિશ્વ વિદ્યાલય છે. આ બાળકોમાં માત્ર ઓડિશાના જ નહીં પરંતુ પાડોશી રાજ્ય છત્તીસગઢ,ઝારખંડ અને નોર્થ ઈસ્ટના બાળકોનો પણ સમાવેશ થાય છે.

કિશ સંસ્થાની ખાસિયત એ છે કે અહીં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. આ નિવાસી વિશ્વ વિદ્યાલય છે. કોરોનાના કારણે જ્યારે સંપૂર્ણ લોકડાઉનના એંધાણ જણાયા ત્યારે સંસ્થાપકે આ તમામ બાળકોને સુરક્ષિત રીતે પોત-પોતાના ઘરે પહોંચાડી દીધાં. આખાયે લોકડાઉન દરમિયાન આ તમામ બાળકોને ભણતરને કોઈપણ પ્રકારનું નુકસાન ન થયું, કારણ કે કિટ દેશની પહેલી એવી સંસ્થા છે જે પોતાના તમામ બાળકોને ઓનલાઈન ઘર બેઠા શિક્ષણ આપી રહી છે, જે અવિરત ચાલી રહ્યું છે. કંઈક આવી જ રીતે કિશ સંસ્થાના બાળકો માટે કલિંગ ટેલિવિઝનના માધ્યમથી ઈ-લર્નિંગ ક્લાસનું દરરોજ સંચાલન થાય છે.

બાળકો વોટ્સએપના માધ્યમથી સતત શિક્ષકોના સંપર્કમાં રહે છે. પોતાના પ્રોજેક્ટ ઉદય અંતર્ગત ઓડિશાના 6 સૌથી પછાત જિલ્લા રાયગડા,મલકાનગિરી,કંધમાલ,બલ્લાન્ગ્ગિર, કોરાપુટ અને ગજપતિ જિલ્લાના લોકોમાં કોરોના મહામારી અંગે જાગૃત અભિયાન ચલાવાયુ. જેમાં 2 ગજની દૂરી, માસ્ક પહેરવા, હંમેશા હાથ ધોવા અને પોતાની આસપાસ કાયમી સ્વચ્છતા જાળવી રાખવાની માહિતી અપાઈ. આ પરિયોજનામાં 500થી વધુ સ્વયંસેવકો આ જિલ્લાઓના 220થી વધુ ગામોમાં સ્વસ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. જો ઓડિશાની વાત કરવામાં આવે તો કોવિડ-19 વિરૂદ્ધ આ અભિયાનની આગેવાની કિટની જ એક મહત્વપૂર્ણ સહયોગી સંસ્થા કિમ્સ એટલે કે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઈંસ જે એક મેડિકલ કોલેજ છે. આ સંસ્થા ઓડિશા સરકારના સહયોગથી કોરોના દર્દીઓ માટે 50 ક્રિટિકલ કેયર બેડ્સ સહિત 500 બેડવાળું ભારતનું પહેલું આધુનિક સ્વયંચાલિત સુવિધા કેન્દ્ર સ્થાપિત કર્યું.

કિટ વિશ્વ વિદ્યાલયે ઓડિશાના કંધમાલ,બલાંગ્ગિર અને મયૂરભંજ જિલ્લામાં 200 બેડવાળી 3 વિશિષ્ટ હોસ્પિટલ સ્થાપિત કરી. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિ છતાં આટલા ઓછા સમયમાં સમર્પિત હોસ્પિટલના નિર્માણથી તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ પ્રશંસા પણ મળી છે. ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઔદ્યોગિક તાલિમ સંસ્થા સહિત ભારતના અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કિટ સ્કૂલ ઓફ બાયોટેક્નોલોજી અંતર્ગત કિટ સાથે એક ઘટક કિટ ટેકનોલોજી બિઝનેસ ઈનક્યૂબેટરને (KIIT-TBI) કોવિડ-19 સંકટ સાથે યુદ્ધ વિસ્તાર કેન્દ્ર કવચ માટે માન્યતા અપાઈ છે.

પૂર્વ અને પૂર્વોત્તરમાં આ કાર્યક્રમનો અમલ કરવા માટે KIIT-TBI સ્વયં જવાબદાર છે. કોવિડ-19 મહામારી ન માત્ર એક વૈશ્વિસ સ્વાસ્થ્ય સંકટ છે પરંતુ લાંબા સમય સુધી લોકડાઉન અને લાખો લોકોની આજીવિકાના કારણે આ એક ગંભીર માનવીય સંકટનો જન્મદાતા પણ છે. આ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના બાળકોને માનવતાની દ્રષ્ટિએ કિટ અને કિશ સંસ્થા દ્વારા મફતમાં શિક્ષણ અપાશે. આ સુવિધા બે શૈક્ષણિક વર્ષ 2020-2021 અને 2021-2022 માટે ઉપલબ્ધ થશે. મદદ માટે હાથ લંબાવતા આ સંસ્થા એવા લોકોને ઉપયોગી બની રહી છે જેઓ લોકડાઉન વધારવાના કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે..

કોરોના મહામારીના કારણે ઝૂંપડીઓમાં રહેતા વંચિત લોકો, ફસાયેલા શ્રમિકો અને કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અંદાજે 3 લાખથી વધુ લોકોને ખાદ્ય સામગ્રી અને આવશ્યક વસ્તુઓનું વિતરણ કરાયું..

સાથે જ અસ્થાયી રહેઠાણ પણ પૂરું પડાયું. લોકડાઉન દરમિયાન પોતાની મહેનત અને તત્પરતાના કારણે કિટ વિશ્વવિદ્યાલય રાજધાની ભુવનેશ્વર, પૂરી અને કટક જિલ્લામાં ડ્યૂટીમાં તૈનાત પોલીસકર્મીઓને ભોજન પહોંચાડવાની સફળ પહેલ કરી. ઓડિશા અને આસપાસના રાજ્યમાં ફસાયેલા સેંકડો શ્રમિકો અને કર્મિઓની સ્વદેશ પરત લાવવા માટે કિશ વિશ્વવિદ્યાલયે અમેરિકી દૂતાવાસ સાથે મળીને અત્યંત પ્રશંસનીય કામગીરી કરી. અન્ય સામુદાયિક ગતિવિધિઓ અંતર્ગત ઓડિશાના ચંદ્રગિરી વિસ્તારમાં તિબ્બતી લોકો અને જિરાંગમાં પદ્મસંભવ મઠમાં એક મહિનાનો અન્ન પૂરવઠો કરાયો હતો. સાથે જ ચંદ્રગિરીમાં બે વૃદ્ધાશ્રમ ગોદ લેવાની જોગવાઈ કરાઈ. હાલના દિવસોમાં કિસ વિશ્વ વિદ્યાલય જિરાંગમાં એક હોસ્પિટલનો સહયોગ કરી રહી છે. અને સ્વાસ્થ્યકર્મીઓને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઉપરાંત કિટ અને કિશ વિશ્વ વિદ્યાલય કંધમાલ જિલ્લાના 40થી વધુ અનાથાલય, વૃદ્ધાશ્રમ અને કુષ્ઠસેવા આશ્રમમાં રોકડ મદદ ઉપરાંત કરિયાણુ પૂરું પાડે છે. રાજધાની ભુવનેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં કિટ અને કિશ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની વહારે આવી તેઓને ભોજનની સામગ્રી ઉપરાંત જરૂરી ચીજ વસ્તુઓ આપે છે.

કિટ અને કિશ સંસ્થા દેશના જાણિતા ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીની મદદથી ઓડિશાના ભુવનેશ્વર અને રાયગઢા જિલ્લામાં કિન્નર સમુદાય માટે રાશન અને જરૂરી સામાનનું વિતરણ પણ કરે છે. કિટ અને કિશ વિશ્વવિદ્યાલય પરિસરની આસપાસના વિસ્તારમાં બંદર,પશુ-પંખી તથા પ્રાણીઓને બિસ્કિટ, ફળ, સબજી અને અન્ય ખાદ્ય સામગ્રી વહેંચવા માટે એક ટીમ બનાવી છે. જે દરરોજ પ્રાણીઓને ભોજન ખવડાવે છે. આ ટીમ પરિસરની આપસાસ જંગલની ઝાડીઓમાં રહેતા 140 જેટલા મોરની પણ સારસંભાળ કરે છે. પૂરી, ભુવનેશ્વર અને કટક જિલ્લામાં 10 ગૌશાળામાં આર્થિક સહાય પણ કરે છે..

કોવિડ-19 મહામારી વર્તમાન સમયમાં એક ગંભીર વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય સંકટ છે અને પડકારજનક છે. મહમારીએ અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. મોટા ભાગના દેશો આર્થિક મંદીમાં ઘેરાયા છે. મહામારી એક પ્રકારે માનવ કર વસૂલી રહી છે. કિટ અને કિશના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતનું કહેવું છે કે ‘કોરોના કાળમાં અમારો આ નાનકડો પ્રયાસ વિશાળ સમુદ્રમાં એક ટીપાં બરાબર છે, જ્યારે અમારો ઉદ્દેશ એ તમામ ચહેરાઓ પર મુસ્કાન લાવવાનો છે જ્યાં સુધી પહોંચી શકીએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે એકજૂથ બનીને આ ગંભીર મહામારીના સંકટને હટાવીશું’

November 11, 2020
CIA_Live_Logo_New2.jpg
5min358

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ડિગ્રી માટે નો ક્રેઝ વધી રહ્યો છે. હાલ માં બધી કોલેજ અને યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ માં જગ્યા નથી ત્યારે ભારતના જ ખર્ચે વિદેશમાં ભણવા ની તક આપતો AUPP Pathway ભણવા, કમાવાવ અને સ્થાઈ થવા માટે ખુબ જ લાભ કારક છે.

ધોરણ 12 સાયન્સ કોમર્સ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને હાલમાં કોમ્પ્યુટરની ખૂબ જ વધારે ડિમાન્ડ હોવાથી ભારતની બહાર ભણવા જવાની સરસ તક AUPP Pathway નો BIT ( Bachelor in Information Technology) પ્રોગ્રામ આપી રહ્યો છે જેમાં પ્રથમ વર્ષ ભારતમાં રહી ભણી શકાય અને અભ્યાસ ક્રમ નું બીજું અને ત્રીજું વર્ષ વર્લ્ડ ક્રમાંક 500 ની અંદર આવેલી Western Sydney University (WSU)  કરી શકાય અને ડિગ્રી Western Sydney University દ્વારા એનાયત કરવામાં મા આવશે.

જેથી કરોના ના કારણે સમય અને પૈસાની બચત થઈ શકે અને ડાયરેક્ટ Bachelor Degree કરવા જનારા વિદ્યાર્થીઓ ને મળતા તમામ લાભો જેવા કે વર્ક પરમિટ,TR, PR  ના લાભ સરખા હોવા થી તે પણ મેળવી શકાય તો એડમિશન મેળવવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક હોવાથી તાત્કાલિક AUPP સેન્ટર નો સંપર્ક કરવો.

Benifit of AUPP Bachelor Degree Pathway Programme 

Courses Available 

  • ✓ Bachelor in Leadership  Management 
  • ✓ Bachelor in IT (BIT) with many specialisation 
  • ✓ 1st year in Surat & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 
  • ✓ 1st International degree to 1st international Job
  • ✓ World recognize degree 
  • ✓ Bachelor Degree fromTop rank & Public University
  • ✓ Study-Save-Settle
  • ✓ 2 years work permit (TR)  in Australia & 3 years in NZ
  • ✓ Indian cost & Australian syllabus during 1st year
  • ✓ Zero cost and saving degree
  • ✓ Chance for 2019 & 20 pass out 
  • ✓ Group travelling 
  • ✓ Save time & money 
  • ✓ IELTS/PTE not required for 1st year

Note –

We have vocational courses leading to Bachelor Degree also and IELTS required is 5.5 band only

Please visit AUPP Surat Centre 

  • National Group,
  • 407-409, Aagam Emporio |
  • Nr.J H Ambani School BRTS bus stop |
  • University road |
  • Vesu, Surat
  • Mail- info@nationalgroupindia.org

આજે કમ્પ્યુટર ટેક્નોલોજીનું ફિલ્ડ એ વિશ્વવ્યાપી અને સાર્વત્રિક બની ચૂક્યું છે. મેડીકલ, એન્જિનિયરિંગ કે કોમર્સનો અભ્યાસ કરો, પહેલા બધા જ કોર્સમાં કમ્પ્યુટર ટ્રેનિંગ, આઇ.ટી. ટ્રેનિંગ આવશ્યક છે. અને કોવીડ-19 પેન્ડેમિક બાદ હવે શક્ય એટલી તમામ કાર્યવાહીઓ ઓનલાઇન થઇ રહી છે ત્યારે કમ્પ્યુટર ફિલ્ડમાં કરીયર બનાવવું એટલે ગ્લોબલ કરીયર સાથે નાતો જોડવા બરાબર છે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો ભારતમાં ભણવા માટે જે ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં વિદેશમાં ભણવાની તક મેળવી શકે છે.

AUPP Pathway Programme for 12th std

  • Bachelor in Leadership Management &
  • Bachelor in IT

1st year in India & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 1st International degree to 1st international Job

World recognize degree 

Bachelor Degree from Top rank & Public University

Federation University

  • Western Sydney University…
  • word rank in 500 Or
  • Low cost fees …
  • Study-Save-Settle
  • 2 years work permit (TR)  in Australia &
  • 3 years in NZ
  • Indian cost & Australian syllabus during 1st year
  • Zero cost and saving degree
  • Chance for 2019 & 20 pass out Group travelling Save time & money IELTS/PTE not required for 1st year

AUPP Surat, National Group,

407-409, Aagam Emporio |Nr.J Ambani School BRTS bus stop |University road|Vesu, Surat-395007

Contact- 93 77 88 00 93

November 8, 2020
kesubhai.jpg
3min9370

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતના રાજકીય તખ્તે સર્વોચ્ચ પદે રહીને સમાજ ઉત્થાન માટે જીવન સમર્પિત કરી દેનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સુરતના વરાછા રોડ, મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સર્વજ્ઞાતિ સમાજ પ્રેરિત 24 કલાકનો શ્રદ્ધાંજલિ સમારોહ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 ના ટકોરે શરૂ થયેલો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શનિવારે આખી રાત ધમધમતો રહ્યો. ગુજરાતના રાજકીય, સામાજિક, ધંધાકીય ક્ષેત્રના આગેવાનો એક પછી એક પોતાના કેશુબાપા સાથેના સંસ્મરણો વાગોળતા રહ્યા અને બીજી તરફ, રક્તદાન કરવા માટે સર્વજ્ઞાતિજનો સ્વયંભુ ઉમટી પડ્યા હતા.

કેશુબાપાના પરિવારજનો સાથે કાર્યક્રમ સંયોજક શ્રી કાનજીભાઇ ભાલાળા અને હરીભાઇ કથિરીયાની યાદગાર તસ્વીર

સુરત ખાતે શ્રી કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ, સુરત સંકલિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાની રાહબરી હેઠળ યોજાઇ રહ્યો છે અને કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઇને આજે સવારે 11 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે સ્વયંભુ લોકો કેશુબાપાને ભાવાંજલિ, શબ્દાંજલિ, રક્તાજંલિ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા હતા.

સેંકડો લોકો આખી રાત મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં કેશુબાપાના માનમાં બેસી રહ્યા, કેટલાકે શ્રમદાન કર્યું, કેટલાકે રક્તદાન કર્યું કેટલાકે મૌન રહીને પણ કેશુબાપાને ખરા અર્થમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને કરી રહ્યા છે.

તા.8મીએ બપોરે 12 વાગ્યા સુધીમાં 511 યુનિટ રક્ત એકત્રિત

કેશુબાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સમાંતર ચાલી રહેલા રક્તદાન શિબિરમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 511 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. વધુને વધુ લોકો રક્તદાન માટે સ્વયંભુ જોડાઇ રહ્યા છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો 24 કલાકનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

■ 24 કલાક રક્તદાન કેમ્પમાં રક્ત આપવા માટે સર્વજ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

■ 24 કલાક ભાવાંજલી કાર્યક્રમમાં ગુજરાતના જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોએ કેશુબાપાના સત્કાર્યોની સુવાસ શબ્દો દ્વારા મહેકાવી હતી

■ 24 કલાક લાઈવ, જુદી જુદી ગુજરાતી ચેનલો પર સમગ્ર કાર્યક્રમ લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે

■ 24 કલાક સ્વ.કેશુભાઈ પટેલના જાહેરજીવનનું તાદ્શ રજૂ કરતા ચિત્રો, પ્રસંગોની સરવાણી હજારો લોકોએ જોઇને કેશુબાપા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા

92 કિ.મી. દોડ લગાડીને યુવાને કેશુબાપાને અંજલી અર્પી

કેશુબાપાને 24 કલાક ભાવાંજલિ અર્પણ કરવાના અનોખા કાર્યક્રમના સંયોજક કાનજીભાઇ ભાલાળા

રિયલ ચેનલના ફેસબુક લાઇવ પર 15 હજારથી વધુ વિદેશી ગુજરાતીઓએ સુરતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ લાઇવ નિહાળ્યો

November 1, 2020
salam_surat-1280x910.jpg
3min23910

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે ચંદી પડવાના સુરતીઓના પોતિકા તહેવારે સુરતના અનાવિલ સમાજે એક પહેલ કરી છે અને આ પહેલને અમે www.cialive.in Digital Media એ નામ આપ્યું છે સોશ્યોનોમિક્સ.

સોસાયટી (સમાજ) અને ઇકોનોમિક્સ (અર્થતંત્ર)ને ભેળવીને તૈયાર કરાયેલો શબ્દ એટલે સોશ્યોનોમિક્સ.

સુરતના અનાવિલ સમાજે પોતાના સમાજ (સોસાયટી)ના પરિવારજનોને અર્થોપાર્જન માટે જે સપોર્ટ આપ્યો છે તેને સોશ્યોનોમિક્સ કહેવાય.

સહાય અને સપોર્ટ બન્ને વચ્ચે દયા અને સેલ્ફ રિસ્પેક્ટ જેટલો મોટો ફર્ક હોય છે

સુરતના મજૂરાગેટ પર દયાળજી આશ્રમ સાથે સંકળાયેલા અનાવિલ સમાજની પ્રવર્તમાન ટીમે દિવાળીના તહેવારો દરમિયાન પોતાના જ્ઞાતિજનો ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ આપ્યું છે. તહેવારોમાં સૂકા નાસ્તા, મીઠાઇ, ગૃહ સુશોભન વગેરે ગૃહ બનાવટની ચીજવસ્તુઓનું નાના પાયે ટ્રેડિંગ કરતા અનાવિલ સમાજના પરિવારોને મજૂરાગેટ ખાતે સમાજની વાડીમાં જ સ્ટોલ ફાળવીને તેઓ ત્યાં દિવાળી સુધી પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તેવી અપટુ ડેટ વ્યવસ્થા ફ્રી ઓફ કોસ્ટ કરી આપી છે. એટલું નહીં પણ જ્ઞાતિજનોને આ ટ્રેડિંગ પ્લેશની મુલાકાત લેવા પણ અપીલ કરી છે એટલે કે તેનું માર્કેટિંગ પણ કરી આપ્યું છે. અને એટલે જ અમે અનાવિલ સમાજના આ સ્તૃત્ય પગલાને સોશ્યોનોમિક્સનું નામ આપી રહ્યા છીએ.

આ પહેલ કેમ પ્રેરક

  • જ્ઞાતિજનો જો હંગામી રીતે પણ જગ્યા ભાડે લેવા જાય તો સહેજેય 15 દિવસનું 10 હજાર ભાડું ચૂકવવું પડે. જ્ઞાતિજનોને વિનામૂલ્યે સ્ટોલ મળતા તેમને મોટી બચત થશે.
  • મજૂરાગેટ જેવા સેન્ટર ઓફ ધ સિટી વિસ્તારમાં વેપારની તક મળી
  • જ્ઞાતિજનો આ ટ્રેડ ફેરની મુલાકાત લેશે એટલે એક પ્રકારે માર્કેટિંગ પણ સમાજ દ્વારા કરાયું
  • જ્ઞાતિજનો તેમજ શહેરીજનોને એક સ્થળેથી દિવાળી માટેની ચીજવસ્તુઓની ઉપલબ્ધી
  • સમાજનું કાર્ય જ એ છે કે જ્ઞાતિજનોના વેલ્ફેર માટે સતત પ્રયત્નશીલ રહે, અહીં અનાવિલ સમાજે આ મૂળભૂત ખ્યાલને ચરિતાર્થ કર્યો છે.
તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

શહેરમાં એવા અનેક સમાજો છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે, સમાજો પાસે પ્રોપર્ટીઓ મોકાના સ્થળે આવેલી છે, આ સમાજમાં ગરીબ મધ્યવર્ગીય પરિવારો છે, તેમણે આ પ્રકારે પહેલ કરવી જોઇએ.

દયાળજી આશ્રમના ફેસબુક પર આજે તા.1લી નવેમ્બર 2020ના રોજ મૂકાયેલા પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોના મહામારી ના કપરા કાળ મા અનાવિલ સમાજના ગૃહ ઉદ્યોગ ચલાવતા અનાવિલો કે જેઓ દિવાળી નિમિતે સૂકા નાસ્તા નો તેમજ ગૃહ સુશોભન નો વ્યવસાય કરે છે તેઓને મદદરૂપ થવા ના આશયથી આપણી સંસ્થા ના કેમ્પસમાં સૂકા નાસ્તા અને ગૃહસુશોભનની વસ્તુઓના વેચાણ માટેની વ્યવસ્થાનો આરંભ આજ રોજ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી તેમજ હોદ્દેદાર અને કમિટી સભ્યો ની હાજરીમાં શુભારંભ કરાયો છે.

તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

Note : અનાવિલ સમાજના આ સ્તૃત્ય અને પ્રેરક કર્તવ્ય અંગે આ અહેવાલ પ્રકાશિત કરવા માટે અમને કોઇપણ વ્યક્તિ એ સંપર્ક કર્યો નથી. ફેસબુક પોસ્ટ પરથી અમે સ્વયં આ સ્ટોરી ડેવલપ કરીને અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે આ સ્ટોરીનું સોશ્યલ મિડીયા માર્કેટિંગ કરી રહ્યા છીએ.

October 29, 2020
cia_society-1280x880.jpg
1min3480

ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર અને ભાજપા સરકારના પહેલા મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના કિસાન નેતા શ્રી કેશુભાઇ પટેલના નિધન પર અત્યંત ઘેરો શોક વ્યક્ત કરતા સુરતના શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાએ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે એ કેશુબાપાની વસમી વિદાયથી સૌરાષ્ટ્ર પટેલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ – સુરતના પ્રેસિડેન્ટ શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું.

પ્રેસનોટ- શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.

October 29, 2020
cia_society-1280x880.jpg
2min6140

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની દવા નહીં હોવા છતાં જે લોકોએ સૌથી વધુ જીંદગીઓ બચાવી છે એવા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એટલે કે ડોક્ટર્સ. સુરતના ડોક્ટર્સ કોરોના સામેના અવિરત જંગમાંથી થોડો સમય કાઢીને નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે.

આપણે તબીબોને હંમેશા ધીરગંભીર, વ્યસ્ત અને કેઝ્યુઅલ વેયર્સમાં જ જોયા છે. શું તમે તમારી મેડીકલ ટ્રીટમેન્ટ કરતા તબીબોને ક્યારેય ગરબા રમતા જોયા છે, શું તમે ક્યારેય તમારા ડોક્ટરને નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસમાં જોયા છે. ગરબા રમતા આપણા ડોક્ટરને જોવા એ પણ લહાવો છે, સુરતના જુદા જુદા તબીબોના મંડળો એક થયા છે અને તેમણે નવરાત્રીનું આયોજન કર્યું છે અને એ પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એટલે કે ઝુમ અને સોશ્યલ મિડીયા પર.

સુરતના તબીબોએ આ રીતે કર્યું છે નવરાત્રીનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન

આઇ.એમ.એ. સુરતના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા અને ડો. હેતલ યાજ્ઞિકે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતના ડોક્ટર્સની નવરાત્રી ઈવેન્ટમાં બધા પાર્ટિસિપન્ટ્સ (તબીબો અને તેમના પરિવારજનો) પોતાના ઘરે ગરબા રમતા, રાસ રમતા કે નવરાત્રી રિલેટેડ અન્ય કોઇપણ એકશન, સ્ટાઇલ, ડ્રેસિંગ વગેરે તેમજ માતાજીની આરતીની વિડીયોગ્રાફી કરીને એ ડોક્ટર્સના એડમિન ગ્રુપમાં submit કરશે. ડોક્ટર્સ નવરાત્રીના આયોજકો બધા વિડીયો અને compile કરશે અને તેમાં ડો. મુકુલ ચોક્સીની રસપ્રદ કોમેન્ટ્રી સાથે ઝુમ એપ્લિકેસન પર દોઢથી બે કલાક માટે લાઈવ કરવામાં આવશે. અને આ ઇવેન્ટ આશરે ૪૦૦ થી ૫૦૦ ડોક્ટર જુમ એપ્લિકેશન પર નિહાળશે. દરેક પાર્ટિસિપન્ટ્સ ડોક્ટર્સ ફેમિલી મેમ્બરને ટોકન ગિફ્ટ આપવામાં આવશે અને વિજેતાઓને પણ પ્રાઇઝ આપવામાં આવશે. જોવા વાળા ડોક્ટર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આ ઇવેન્ટ ને નિહાળશે.

આપણે સૌ (બિનતબીબ) ફેસબુક પર તબીબોના ગરબાને લાઇવ માણી શકીશું

સુરતના ડોક્ટર્સની આખી ઇવેન્ટનું facebook લાઈવ પણ કરવામાં આવશે. જેની લિંક અહીં પ્રસ્તુત છે.

https://www.facebook.com/indianmedicalassociationsurat

કોરોના ના કપરા કાળમાં આવી રીતે ઇ નવરાત્રિનું પ્રથમવાર આયોજન કરીને IMA (Indian Medical Association) સુરત એ એક ઉચ્ચ કોટિનું ઉદાહરણ આપ્યું છે. સમાજમાં જાગૃતતા લાવી ને કોઈ બીજી વ્યક્તિ સંક્રમિત ન થાય અને નવરાત્રી ની મજા પણ લઈ શકે તેવી દિશા બતાવી છે એમ મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાગ્નિક એ જણાવ્યું હતું. સુરતવાસીઓને આ ઇવેન્ટ ને facebook લાઈવ પર જોવા માટે IMA સુરત આમંત્રિત કરે છે.

જુદા જુદા તબીબી સંગઠનો સંયુક્ત રીતે નવરાત્રી ઉજવી રહ્યા છે

  • SMCA
  • IMA
  • APS
  • SPACT
  • SOGS
  • WDW IMA

આ તબીબો સમગ્ર ઇવેન્ટનું સંકલન કરી રહ્યા છે

  • ડો. અનિતા શાહ
  • ડો. સેજલ નાયક
  • ડો.મિનલ જરીવાલા
  • ડો.ફાલ્ગુની જરીવાલા
  • ડો. સોનલ ચાવડા
  • ડો. દિપાલી સોલંકી

ડોક્ટર્સ નવરાત્રીને આમણે તન, મન, ધનથી સપોર્ટ કર્યો છે

  • ડો. હિતેશ ચિત્રોડા (ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) અને
  • ડો. આલાપ મહેતા (એચ.આઇ.વી. એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ
October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min8870

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min3410

મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ 2020નું પરીણામ સુરત સમેત દક્ષિણ ગુજરાતના બાળકો માટે નવી ક્ષિતિજો વિસ્તારે એવું આવ્યું છે. સુરતના અનેક યુવાઓએ નીટ નેશનલ ટેસ્ટમાં ઉજળો દેખાવ કર્યો છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરત બ્રાન્ચ દ્વારા નીટ 2020માં ક્વોલિફાઇડ થયેલા તમામ યુવક-યુવતિઓને શુભેચ્છા સાથે તેમની આગળની પ્રવેશ કાર્યવાહીને અનુલક્ષીને જો કોઇ મૂઝવણ હોય તો તેના નિરાકરણ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.

આઇ.એમ.એ. સુરતના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો.રોનક નાગોરીયા તેમજ ડો.હેતલકુમાર યાજ્ઞિકની ટીમને મોબાઇલ કે ઇમેલ કરીને માર્ગદર્શન મેળવી શકાશે. આ પ્રકારની વ્યવસ્થા પહેલી વખત આઇ.એમ.એ. સુરત બ્રાન્ચે ભાવિ ડોક્ટરો માટે કરી છે. અત્યાર સુધી આઇ.એમ.એ. સુરત દ્વારા ભાવિ તબીબો માટે કોઇપણ પ્રકારનું કામ હાથ ધરાયું ન હતું. આઇ.એમ.એ. સુરતની નવી ટીમે ભાવિ તબીબો માટે હેલ્પલાઇન શરૂ કરીને એક આવકારદાયક કાર્ય હાથ ધર્યું છે.

  • નવી સિવિલ હોસ્પિટલના ડો. વિપુલ ચૌધરી
  • સ્મીમેર હોસ્પિટલના ડો. રજનિકાંત પટેલ ખાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડશે.
No description available.

પૃથ્વી પર ભગવાનનું બીજું સ્વરૂપ એટલે તબીબો, ડોક્ટર બનીને સુરતની સેવા કરજો : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની શુભેચ્છાઓ

આજે નીટ 2020માં ક્વોલિફાઇડ થઇને મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથીક અને આયુર્વેદિક જેવી કોલેજોમાં પ્રવેશ લઇને તબીબ થવા ઇચ્છતા દરેક યુવક યુવતિઓને શુભેચ્છા પાઠવતા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કોવીડ-19 પેન્ડેમિકની પરિસ્થિતિમાં તબીબોનું મૂલ્ય સમગ્ર વિશ્વને સમજાયું છે, તબીબોને પૃથ્વી પર ઇશ્રરનો બીજો ચહેરો માનવામાં આવે છે. તબીબો માનવીને નવજીવન બક્ષે છે ત્યારે ભાવિ તબીબોને અનેકાનેક શુભેછાઓ પાઠવતા આનંદ અનુભવીએ છીએ. તબીબ બન્યા પછી સુરતના લોકોની સેવામાં તન, મન, ધનથી સમર્પિત થઇ જાવ એવી શુભેચ્છાઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ પાઠવી છે.

October 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min8200

Jayesh Brahmbhatt 98253 44944

62 દિવસના લૉકડાઉનનો શું ઉપયોગ કર્યો એવો સવાલ જ્યારે સુરતના જાણીતા એજ્યુકેશનિસ્ટ જગદીશ ઇટાલિયા Jagdish Italiya ને કર્યો ત્યારે તેમણે એક રહસ્ય પરથી પડદો ઉંચકતા કહ્યું કે મારું મનગમતું કાર્ય ગાયન અને એ પણ ગુજરાતી ભજન પ્રભાતીયાને આધુનિક ક્લેવર આપવાનો વિચાર આવ્યો ને એ વિચાર આજે તા.9 ઓક્ટોબરે સાક્ષાત્કાર બન્યો છે.

તેમણે કહ્યું કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં જેટલું ઇન્ફ્લ્યુઅન્સ પ્રભાતીયા (ભજન)નું છે તેને હજુ સુધી કોઇ બીટ કરી શક્યું નથી અને હોપફુલી કરી શકશે પણ નહીં. એટલે મને પણ વિચાર આવ્યો કે હવે પછીની રચના પ્રભાતીયું હશે. આજે પણ ગુજરાતમાં સુરત હોય કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઇને કચ્છ સુધી સવારના પહોરમાં રેડીયો, મોબાઇલથી લઇને ઘરોના મ્યુઝિક પ્લેયર્સમાં પ્રભાતીયાનો રણકાર અચૂક સાંભળવા મળે.

ડાંગનું રામાયણ કનેકશન વિસ્તારે છે સુરતના Jagdish-Italiya

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે લોંગ રન સાઇકલિંગના નાતે અનેકો વખત સાઇકલ પર ડાંગ ખૂંદી વળ્યો છું. અદભૂત છે આપણું ડાંગ. આદિવાસી વિસ્તાર છલોછલ કુદરતી સોંદર્યથી ભરપૂર, લીલું છમ ડાંગ, પર્વતોની હારમાળા ધરાવતું ડાંગ. બસ વિચાર આવ્યો કે પ્રભાતીયાનું ફિલ્માંકન ડાંગમાં જ કરીશ અને ડાંગની જનતા પણ એ ફિલ્માંકનમાં હશે. બસ લૉકડાઉનમાં વિચાર વલોણું કર્યું અને જેવું અનલૉક શરૂ થયું, મેં મારી યોજના પર અમલ કર્યો.

અનલૉકની સાથે ડાંગમાં ‘રામસભા માં’ આલ્બમનું ફિલ્માંકન શરૂ કર્યું

  • Song : Ram Sabha Ma
  • Singer : Jagdish Italiya
  • Music recreation by : Hardik Tailor
  • Produced by : Ajita Italiya
  • Lyrics : traditional
  • Directed by : Dhruv Pandav – DP films

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે સમગ્ર ક્રુ એ અનલૉકની સાથે જ ડાંગમાં રામ સભા માં પ્રભાતિયા માટે ફિલ્માંકન શરૂ કર્યું અને જોતજોતામાં એવી મજા આવી કે કશુંક કર્યાનો અનેરો આનંદ ઠાંસી ઠાંસીને સ્વયંમાં ભરાતો અનુભવ્યો.

રામ સભામાં નામથી રચાયેલા મારા પ્રભાતીયા (ભજન)માં આધુનિક સંગીત સાથે ડાંગની આદિવાસી શૈલીની લાઇફ સ્ટાઇલ તેમજ ડાંગના કુદરતી સૌંદર્યને ફિલ્માવાયું છે. મને આશા છે કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને મારી આ ટ્યુન ગમશે.

આજે લોંચ થયું જગદીશ ઇટાલિયા Jagdish Italiya નું આલ્બમ રામસભા માં

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે આજરોજ તા.9મી ઓક્ટોબર 2020ને સાંજે 5ના અરસામાં તેમના નામથી શરૂ કરવામાં આવેલી https://www.youtube.com/channel/UC7StcMVhg2QCBemnGurG8mQ યુ ટ્યુબ ચેનલ પર રામ સભામાં ભજનને લોંચ કરવામાં આવ્યું હતું.

નિહાળો અને સાંભળો સુરતી સિંગર જગદીશ ઇટાલિયાનું આધુનિક ભજન રામસભા માં

October 3, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5260

IMA સુરતની નવી ટીમના કાર્યકાળમાં નવી ઓફીસ મળે એ માટે પરીણામલક્ષી કાર્યવાહી થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19 ગ્લોબલ પેન્ડેમિકની પરિસ્થિતિ વચ્ચે સુરતના લોકો અને સુરતના તબીબી જગત વચ્ચે સેવા સેતુ વિકસાવવાના મિશન સાથે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતમાં પ્રેસિડેન્ટ ડો. હીરલકુમાર શાહ અને સેક્રેટરી ડો. રોનક નાગોરીયાની ટીમે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. આગામી એક વર્ષ દરમિયાન IMA સુરત જુદા જુદા રચનાત્મક કાર્યક્રમો, સેમિનાર, નોલેજશેરીંગ તેમજ સુરતના લોકોને સીધી રીતે સ્પર્શે એવા કાર્યક્રમો તો આપશે જ પરંતુ, IMA સુરતને નવી ઓફિસ મળે દિશામાં પણ નક્કર પગલાં ભરવામાં આવશે એમ IMA સુરતના નવા પ્રેસિડેન્ટ ડો.હીરલ શાહ અને ડો. રોનક નાગોરીયાએ સીઆઇએ લાઇવ ડિજીટલ મિડીયાને જણાવ્યું હતું.

IMA સુરતની નવી ટીમની સમૂહ તસ્વીર

IMA સુરત નવી ટીમની નામાવલી

IMA સુરતના નવા પ્રેસિડેન્ટ ડો.હીરલ શાહ અને ડો. રોનક નાગોરીયાએ જણાવ્યું હતું કે હાલ કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં તબીબી જગતનું સામાજિક ઉત્તરદાયિત્વ ઘણું છે અને IMA સુરતના માધ્યમથી સુરતના લોકોને તબીબી જગતની સેવાઓનો લાભ મળે, માર્ગદર્શન સતત મળતું રહે તેવા કાર્યક્રમો વિચારવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આખા વર્ષના કાર્યક્રમોનું કેલેન્ડર જાહેર કરીને તેના પર કામગીરી શરૂ કરી દેવામાં આવશે.