CIA ALERT

ઇન્ડીયા Archives - Page 181 of 183 - CIA Live

May 27, 2018
Delhi-Heat-2.jpg
1min10390

દિલ્હીમાં પારો ૪૫ ઊપર પહોંચતા શનિવાર આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતા બે દિવસ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઇ આસાર નથી અને તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ જ રહેશે. શનિવારે નોંધાયેલું ૪૫ ડિગ્રીનું તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે શનિવારનું તાપમાન પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધારે નોંધાયું હતું. આ અગાઉ ૨૬ મે, ૨૦૧૫ના દિવસે દિલ્હીમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનના પ્રમાણમાં ભેજ ઘટીને ૨૭ ડિગ્રી નોંધાયો હતો.

May 26, 2018
ark-deck-bar_625x300_1527268946821.jpg
1min11430

મુંબઈના સમુદ્રમાં ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાંએ શુક્રવારે જળસમાધિ લીધી હતી. જોકે ક્રૂઝ પરના તમામ કામદારોને બચાવી લેવામાં આવતાં જાનહાનિ ટળી હતી.

બાંદ્રા-વરલી સી લિંક પાસે એઆરકે ડેક બાર નામની ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાં શુક્રવારે બપોરે સમુદ્રમાં ડૂબી હતી. બપોરે બે વાગ્યાને સુમારે સમુદ્રનું પાણી ક્રૂઝમાં

ભરાયું હતું. હાઇટાઇડને કારણે બાંદ્રા જેટ્ટી ખાતે લાગેલું એન્કર છટકી ગયું હતું અને ક્રૂઝ સમુદ્રમાં જતી રહી હતી. પથ્થર સાથે અથડાતાં ક્રૂઝનો નીચેનો ભાગ તૂટ્યો હતો અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. ક્રૂઝમાં

પાણી ભરાઇ જવાને કારણે ક્રૂઝનો અડધો ભાગ નમી ગયો હતો.

ક્રૂઝના કેપ્ટન ઇરફાન ઇસ્માઇલ શિરગાંવકરે ક્રૂઝ પર હાજર ૧૩ કામદારને લાઇફ બોટની મદદથી કિનારે પહોંચાડ્યા હતા, જેને કારણે જાનહાનિ થઇ નહોતી. આ ઘટનાને પગલે મુંબઈ મેરિટાઇમ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

May 26, 2018
bombayrain.jpg
1min9950

ચોમાસું આ વર્ષે જલદી દાખલ થવાનું હોઈ કરોડો રૂપિયા ખર્ચીને પણ નાળાસફાઈના કામ સમાધાનકારક નહીં હોવાને કારણે આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબવાની ભારોભાર શક્યતા છે. સ્થાયી સમિતિની બેઠકમાં વિરોધપક્ષે નાળાસફાઈના કામ અંગે અસંતોષ વ્યકત કરી ચોમાસામાં પાણી ભરાશે એવા આરોપ કર્યા હતા ત્યારે આ આરોપનું ખંડન નહીં કરતા સુધરાઈ પ્રશાસને અપ્રત્યક્ષ રીતે માન્ય કર્યું હતું. એટલું જ નહીં પણ દાદર, હિંદમાતા પરિસરમાં આ વર્ષે પણ પાણી ભરાશે તેથી લોકોને ત્રાસ સહન કરવો પડશે એવી કબૂલાત પણ પાલિકાના અધિકારીઓએ કરી છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ મુંબઈ પાણીમાં ડૂબશે એમ મનાય રહ્યું છે.

નાળામાંથી કાઢવામાં આવેલો ગાળ મુંબઈની બહાર નાખવામાં આવતા હોવાનું પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં કાંજુરમાર્ગ અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તેને નાખવામાં આવતો હોવાનો આરોપ વિરોધપક્ષ નેતા રવિ રાજાએ કર્યો હતો. મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવુ આશ્ર્વાસન પણ તેમણે પ્રશાસન પાસેથી માગ્યું હતું.

ચોમાસું જલદી બેસવાનું હોવા છતાં મુંબઈના નાળાઓની સફાઈ હજી સુધી થઈ નથી. અનેક ઠેકાણે મોટા નાળામાંથી કચરો કાઢવામાં આવ્યો નથી. નાળાસફાઈના કામ છેલ્લા તબક્કામાં છે છતાં નાળાઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. તો ‘ઈ ’વોર્ડમાં બે દિવસ પહેલા જ નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હોવાનો આરોપ સમાજવાદી પાર્ટીના નેતાએ કર્યો હતો. એક તરફ વિરોધપક્ષ આક્રમક થઈ ગયો હતો ત્યારે અનેક ઉપાય યોજના અમલમાં લાવ્યા બાદ પણ આ વર્ષે પણ હિંદમાતા પાણીમાં ડૂબશે એવી કબૂલાત પ્રસાસને કરતા સત્તાધારી શિવસેનાને નીચાજોણું થયું હતું.

અગાઉ મુંબઈમાં થોડો પણ વરસાદ પડતો તો દાદર-હિંદમાતા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતા હતા. ગયા વર્ષે બ્રિટાનિયા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું હતું છતાં ત્યાં ગયા વર્ષે ચોમાસામાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. ગયા વર્ષ દરમિયાન પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. અંગ્રેજોના જમાનાની જમીનની નીચે આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં મોટા મોટા ઝાડના મૂળિયાને કારણે અડચણો આવી રહી છે અને તેના પર ઉપાયયોજના કરવામાં આવી રહી છે છતાં પાણી ભરાવાની શકયતા નકારી શકાય નહીં, તેથી હજી થોડો વખત લોકોને ત્રાસ સહન કરવો પડશે એવું સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ ખાતાના ચીફ ઍન્જિનિયર વિદ્યાધર ખંડકરે કહ્યું હતું નાળાસફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું હોવા છતાં નાળાની ઉપર તથા તેની આજુબાજુ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો દ્વારા ફરી નાળામાં કચરો ફેંકવામાં આવતો હોય છે.
ક્લીનઅપ માર્શલને નાળા પર નજર રાખવા બાબતે પાલિકા વિચાર કરી રહી છે. ઠેર ઠેર કચરો ફેંકનારા પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવેલ ક્લીનઅપ માર્શલ દ્વારા લોકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવતા હોવાના આરોપને કારણે પાલિકાની ક્લીનઅપ માર્શલની યોજના ભારે વિવાદાસ્પદ બની હતી. તેને પગલે થોડા સમય માટે આ યોજનાને બંધ કરવામાં આવ્યા બાદ ફરી ક્લીનઅપ માર્શલને તહેનાત કરવામાં આવ્યા હતા. હવે કચરો કરનારાને પકડવાની સાથે જ નાળામાં કચરો નાખનારા પર પણ નજર રાખવા ક્લીનઅપ માર્શલ બાબત પાલિકા વિચારાધીન હોવાનું કહેવાય છે.
ચોમાસા દરમિયાન મધ્ય રેલવેના સૌથી વધુ પાણી ભરાતા સ્ટેશન એટલે કે કુર્લા અને સાયન ખાતે વધારે ક્ષમતા ધરાવતા પાણી ફેંકનારા પંપ બેસાડવામાં આવશે, એવું મધ્ય રેલવેના સાધનોએ જણાવ્યું હતું.

દર વર્ષે લગભગ મધ્ય રેલવેના કુર્લા અને સાયન ખાતે ભારે વરસાદમાં ટ્રેકમાં પાણી ભરાતું હોય છે અને આ પાણી ટ્રેકમાંથી બહાર ફેંકવા માટે મધ્ય રેલવે દ્વારા પંપ બેસાડવામાં આવે છે. આ વર્ષે ૧૦૦૦ હૉર્સ પાવર (એચપી)ની ક્ષમતા ધરાવતા પંપ મધ્ય રેલવે દ્વારા બેસાડવામાં આવશે. જેથી ટ્રેકમાંથી પાણી ખૂબ જ ઝડપથી બહાર કાઢી શકાશે, એવું મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) એસ. કે. પંકજે જણાવ્યું હતું. ૧૦૦૦ એચપીના પંપ ઉપરાંત મધ્ય રેલવેની ૪૨ જગ્યા પર ૩૨ એચપીના પંપ બેસાડવામાં આવશે. આ ઉપરાંત સુધરાઈ દ્વારા પણ ૧૬ ઠેકાણે પંપ બેસાડવામાં આવશે. ગયા વર્ષે મધ્ય રેલવે દ્વારા ૧૨ એચપીના ૨૭ પંપ બેસાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા હવામાન ખાતા સાથે પણ સતત સંપર્કમાં રહીને ભારે વરસાદની માહિતી લેવામાં આવશે. આ વર્ષે રેલવે દ્વારા નાળા સફાઈ માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ ૮૦,૦૦૦ ક્યુબિક મીટરનો કચરો કાઢવામાં આવ્યો હતો, એવું પંકજે વધુમાં જણાવ્યું હતું.

રૂ. ૬૦ લાખના ખર્ચે ‘ઉત્કૃષ્ટ’ પ્રોજેક્ટ હેઠળ મધ્ય રેલવે દ્વારા ડેક્કન ક્વીન, એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસને અપગ્રેડ કરવામાં આવશે. ડેક્કન ક્વીનનું અપગ્રેડેશન ઑગસ્ટ, ૨૦૧૮ અને એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસનું કામ ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે.

May 25, 2018
mudra.jpg
1min11160

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.

PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.

વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.

May 25, 2018
indianeco.jpg
1min10960

ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૧૭માં ૨.૬ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન બરાબર ૧૦૦૦ બિલ્યન) ડૉલરમાંથી વધીને ૨૦૨૫મા પાંચ ટ્રિલ્યન ડા÷લર થશે એવો આશાવાદ ગયે મહિને મળેલી વિશ્વબૅન્કની મીટિંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭થી ૨૦૧૪ના સાત વરસના ગાળામાં ભારતનું અર્થતંત્ર એક ટ્રિલ્યન ડૉલરમાંથી વધીને બે ટ્રિલ્યન ડૉલરનું થયું. વિકાસનો આ દસ ટકાનો વાર્ષિક દર જોતાં આવતાં આઠ વરસ (૨૦૧૮થી ૨૦૨૫)માં આર્થિક વિકાસનો વાર્ષિક દર ૪.૭ ટકાનો રહે તો પાંચ ટકાના ભાવવધારા સાથે ચાલુ ભાવે અર્થતંત્ર ૯.૭ ટકાના દરે વધતું રહેવું જોઈએ, પણ શરત એટલી કે આ વરસો દરમ્યાન રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ઘટાડો થવો ન જોઈએ. આમ થાય તો આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ફળે.

ભારતનું અર્થતંત્ર જે રીતે વિશ્વના અર્થતંત્ર પર આધાર રાખે છે એ જોતાં વિકાસના ૯.૭ ટકાના દરે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું થોડું મુશ્કેલ બની શકે. વિશ્વમાં વધવા માંડેલા વ્યાજના દર અને બૉન્ડ પરના યીલ્ડને કારણે વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમની દક્ષિણ કોરિયા અને ચીનની મુલાકાત પછી અને અમેરિકાની ગોઠવાઈ રહેલી મુલાકાતને કારણે એના પરમાણુશસ્ત્રોના ઉપયોગના વલણના અકલ્પનીય ફેરફારને લીધે વિશ્વની તણાવભરી ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ હળવી બની શકે એમાં ટ્રમ્પે ઉત્તર કોરિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય.

વડા પ્રધાન મોદીની ચીનની અનૌપચારિક મુલાકાત દરમ્યાન જિનપિંગ સાથે થયેલી વાતચીતના અંજામનો તાગ મેળવવો મુશ્કેલ છે. એમ છતાં ચીનની અમેરિકા સાથેની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે ચીનને ભારત જેવું વિશ્વનું સૌથી મોટું બજાર ગુમાવવું પરવડે એમ નથી.

અમેરિકાએ બહુ સ્પષ્ટ અને મક્કમ રીતે ચીનને અમેરિકા સાથેની એની ટ્રેડ સરપ્લસમાં તાત્કાલિક ધોરણે ૧૦૦ બિલ્યન ડૉલરનો અને ૨૦૨૦ સુધીમાં ૨૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો કરવાની તથા ચીન દ્વારા ૨૦૨૫ માટેના મેડ ઇન ચાઈના પ્લાન અન્વયે સ્થાનિક ઉદ્યોગોને અપાતી રોકડ સહાય (જેના દ્વારા ચીનની ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા વધે છે) બંધ કરવાની તાકીદ કરી છે. આ માટે ચીને અમેરિકાથી થતી આયાતો વધારવાની ઑફર કરી છે.

આમ ચારે બાજુથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીને છેલ્લાં ૧૭ વરસમાં પહેલી જ વાર ૨૦૧૮ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૨૮ બિલ્યન ડૉલર)નો અનુભવ કર્યો છે (છેલ્લે ૨૦૦૧ના એપ્રિલ-જૂન દરમ્યાન આવો અનુભવ કરેલો). છેલ્લાં સત્તર વરસથી વિશ્વના એક મોટા નિકાસકાર દેશ તરીકે સતત ટ્રેડ સરપ્લસ અને નેગેટિવ CAD દ્વારા ત્રણ ટિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ જમા કરનાર ચીન માટે આ હકીકત સ્વીકારવી અને વિદેશવેપારક્ષેત્રે આવી હાર પચાવવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં જિનપિંગ માટે ચીનમાં પોતાનું સ્થાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચીનના ભારત સહિત અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા અનિવાર્ય ગણાય. ભૂતકાળના અનુભવોને આધારે ચીનનો વિશ્વાસ કરવો અઘરું ગણાય એમ છતાં એની આવી નબળાઈઓનો અણધાર્યો લાભ ભારતને મળી શકે.

પાકિસ્તાનની શાંતિ અને સમૃદ્ધિ પાકિસ્તાનના લશ્કરના ભારતના લશ્કર સાથેના સુમેળભર્યા સંબંધો સિવાય શક્ય નથી એવું પાકિસ્તાનના લશ્કરી વડાનું વિધાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી આશા જન્માવે છે. આજે લશ્કરી અને સંરક્ષણ ખર્ચની બાબતમાં ભારતનો વિશ્વના ટોચના દેશોમાં અમેરિકા, રશિયા, ચીન અને સાઉદી અરેબિયા પછી પાંચમો નંબર છે. વિશ્વમાં પ્રવર્તતા ભૌગોલિક-રાજનીતિ વિષયક તણાવમાં સુધારો થવાની જન્મેલી આશાને લીધે આ ખર્ચ સીમિત બનવાની સંભાવના ખરી જે આપણા અર્થતંત્રના લાભમાં હશે. જોકે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો અને સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ કેવો વળાંક લે છે એના પર પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિનો મોટો આધાર છે. અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર મૂકવામાં આવેલા અંકુશો વધે તો પરિસ્થિતિ વણસી પણ શકે.

ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ૨૦૧૫માં કરવામાં આવેલા પરમાણુકરારની શરતો બદલવાની કે એ બહાના હેઠળ ઈરાન પર વેપાર પ્રતિબંધ લાદવાની ગુસ્તાખી કરશે તો એનાં માઠાં પરિણામ ભોગવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ તૈયાર રહેવું પડશે.

આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા એના પરમાણુપરીક્ષણ બંધ કરવા માટે તૈયાર ન પણ થાય. લિબિયા અને ઇરાકે પોતપોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ છોડી દીધા પછી એમના જે હાલહવાલ થયા એ પણ ઉત્તર કોરિયાને પરમાણુપરીક્ષણ બંધ કરવામાંથી અટકાવી શકે. આ સંજોગોમાં વિશ્વની ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ બગડે તો વિશ્વના અને ભારતના આર્થિક વિકાસ પર એના છાંટા ઊડ્યા વિના ન રહે.

બીજા શબ્દોમાં રૂપિયાનું છેલ્લાં સાત વરસ (૨૦૧૧-૨૦૧૭)માં થયું એટલું અવમૂલ્યન ૨૦૧૮થી ૨૦૨૫મા થાય તો ભારતે ચાલુ ભાવે હવે પછીનાં આઠ વરસમાં વિકાસનો વાર્ષિક દર ૧૫.૩ ટકા જેટલો વધારવો પડે અને તો જ આપણું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થઈ શકે. એટલે કે પાંચ ટકાના ભાવવધારા સાથે સ્થિર ભાવે આર્થિક વિકાસનો વાર્ષિક દર ૧૦ ટકાથી પણ વધુ રહેવો જોઈએ જે અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ.

૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી (૭ મે) ડૉલર સામે રૂપિયો ૪.૫ ટકા જેટલો ઘસાયો છે અને આમ રૂપિયાની કિંમત ૬૭ રૂપિયાથી પણ ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટી પર ઊતરી ગઈ છે. ક્રૂડના ભાવ નવેમ્બર-૨૦૧૪ પછીના સૌથી ઊંચા છે. અમેરિકા ઈરાન પર વેપાર વિષયક પ્રતિબંધ મૂકે એનાથી અને વેનેઝુએલાની આર્થિક કટોકટીથી પણ ક્રૂડની તેજી વણથંભી આગળ વધી શકે.

આર્જેન્ટિનાનો પિઝો ડૉલર સામે ગગડી ન જાય એટલે હાલમાં એની સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધારીને ૪૦ ટકા જેટલા કર્યા છે. ભારતને અને એનાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને આર્જેન્ટિના સાથે સરખાવીને ખતરાની ઘંટી વગાડવાનો આ પ્રયાસ નથી. આર્જેન્ટિનાના કડવા અનુભવે ઊભરતા અને વિકસતા દેશોએ સાવધ બની જવું જોઈએ. એમ છતાં સારી રીતે મૅનેજ કરતા ઊભરતા દેશો પર પણ આની ખરાબ અસર થોડેઘણે અંશે પડવાની જ.

ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો વિકાસના આપણા તબક્કે હોય એવા દેશો કરતાં ઘણાં મજબૂત છે. જુલાઈ-૨૦૧૩માં અમેરિકાએ નરમ મૉનિટરી પૉલિસી પાછી ખેંચી લેવાની શરૂઆત કરી ત્યાર કરતાં પણ ભારતની સ્થિતિ આજે મજબૂત છે.

GSTની મન્થ્લી સરેરાશ આવક ફિસ્કલ ૨૦૧૮ના લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સામે ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ મહિને પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને ૧.૦૩ લાખ કરોડની થઈ છે. ફિસ્કલ ૨૦૧૯નો ૧૨ લાખ કરોડ રૂપિયાનો GSTનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરે એવી સંભાવના છે. એ માટેનાં બે કારણો છે- (૧) ફિસ્કલ ૨૦૧૯માં આર્થિક વિકાસનો દર સાત ટકા ઉપર (ફિસ્કલ ૨૦૧૮મા સંભવિત ૬.૬ ટકા) રહેવાની ધારણા છે. (૨) GSTના સરળીકરણ સાથે વધુ ને વધુ ઉદ્યોગ-ધંધા GSTના દાયરામાં આવી શકે.

GST કાઉન્સિલની છેલ્લી મીટિંગના નિર્ણય પ્રમાણે GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને છ મહિના પછી દર મહિને એક જ રિટર્ન (હાલના રિટર્નને બદલે) ફાઇલ કરવાનું રહેશે. વેચાણકારે ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. GSTના અમલની શરૂઆતની મુશ્કેલીઓ દૂર થયા પછી GST દ્વારા કરવેરાની આવક અને આર્થિક વિકાસનો દર વધવાની સરકારને આશા છે.

મોટરકારના વેચાણમાં એપ્રિલ-૨૦૧૮માં ૧૨ ટકાનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડના વધારાનો એમાં મોટો ફાળો છે. સેવાક્ષેત્રનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. ઉત્પાદનક્ષેત્રનો PMI પણ એપ્રિલમાં સતત નવ મહિનાથી સુધરતો રહ્યો છે. પરિણામે સર્વિસ અને ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ હતો.

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં મૂડીબજારમાંથી લગભગ ૨૫૦૦ મિલ્યન ડૉલર પાછા ખેંચ્યા છે. આગલા મહિને વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડીબજારમાં ૪૫૦ મિલ્યન ડૉલરનું રોકાણ કરવામાં આવેલું.

દેશના મજબૂત મૅક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ અને વિશ્વનાં ભૌગોલિક-રાજકીય વિષયક પરિબળોમાં કોનો હાથ ઉપર રહે છે એના ઉપર દેશના આર્થિક વિકાસનો દર નિર્ભર છે, પણ એ વિશે અડસટ્ટો લગાવવો મુશ્કેલ ગણાય

May 25, 2018
kanpur.jpg
1min10300

ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સૌથી ખરાબ 10 રેલ્વે સ્ટેશનોમાં ઉત્તરપ્રદેશના ચાર સ્ટેશન સામેલ છે. ટોચના 10ની યાદીમાં કાનપુર સેન્ટ્રલ દેશનું સૌથી ખરાબ સ્ટેશન છે, જ્યારે પીએમ નેરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વરાણાસી ચોથા નંબર પર છે. લખનઉનું ચારબાગ આ લિસ્ટમાં 9મા નબર પર છે.
ભારતીય રેલવેએ 11 મી થી 17 મે વચ્ચે મુસાફરોની વાતચીતના આધાર પર સર્વે કર્યો. ત્યારબાદ આ સ્ટેશનોને રેટીંગ આપવામાં આવી. આ યાદી અનુસાર, ટોચના 10 સૌથી વધુ ખરાબ રેલવે સ્ટેશનમાં યુપીનું કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન દેશનું સૌથી વધારે ખરાબ રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત દેશમાંથી દસ સૌથી ખરાબ રેલવે સ્ટેશનોમાં મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમાં મુંબઈના કલ્યાણ ત્રીજુ, લોકમાન્ય ટિલક ટર્મિનલ પાંચમું અને થાણે આઠમું સૌથી ખરાબ સ્ટેશન છે.
સર્વે અનુસાર, કાનપુરમાં સૌથી વધુ 61.06 ટકા લોકોએ ખરાબ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પટના જંક્શનનો નંબર હતો, જે 60.16 ટકા લોકો અત્યંત ખરાબ હોવાનું જણાવ્યુ. યાદીમાં 56 ટકા મત સાથે વરાણસી ચોથા નંબર પર અને આ ઉપરાંત અલ્હાબાદ છઠ્ઠા, જૂની દિલ્હી સાતમાં, લખનઉ નવમાં અને ચંડીગઢ 10માં નંબર પર ખરાબ હોવાનું સામે આવ્યુ છે.
રેલવે અધિકારીઓના મતે આ સર્વે પાછળનો હેતુ લોકોની તકલીફને જોતા સ્ટેશન પરિસરને સૌથી સાફ બનાવવાનો છે. હાલ લોકો પાસેથી નિવેદન લઇને તેને સાફ-સુથરુ બનાવવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવશે.

May 25, 2018
adanai.jpg
1min10410

ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ

ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.

બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે

એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

 

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.

 

 

May 24, 2018
PRICE-PETROL.jpg
1min10590

પેટ્રોલ-ડીઝલના ભાવ દસ દિવસથી સતત વધી રહ્યા છે. રોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. બળતણના ભાવને અંકુશમાં રાખવા સાર્વત્રિક માગ થઈ છે. ઑઈલ કંપનીએ બળતણ પરની એક્સાઈઝ ડ્યૂટી વિશે સમીક્ષા કરવા સૂચન કર્યું હતું.

બળતણના ભાવ વિશે લાંબા ગાળાના ઉકેલની દિશામાં સરકાર કામ કરી રહી છે, એમ આઈટી અને કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેમણે નિવેદન કર્યું હતું. બળતણના ભાવ દર પખવાડિયે જાહેર થતા હતા. આ પદ્ધતિમાં ફેરફાર કરીને ગયા જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર થાય છે.

દસ દિવસમાં પેટ્રોલ લિટરે રૂ. ૨.૫૪ તથા ડીઝલ રૂ. ૨.૪૧ મોંઘું થયું છે. બળતણના ભાવમાં વારંવાર વધારો એ ચિંતાનો વિષય છે. સાથોસાથ ચર્ચા પણ માગી લે છે. સરકારે આ દિશામાં બેઠક હાથ ધરી છે.

ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવ ઊંચા જતા અત્રે અસર થઈ છે તે માટે તાત્કાલિક ચર્ચા હાથ ધરાઈ છે. એડ-હોક પગલાં લેવાને બદલે લાંબાગાળાના ઉકેલની દિશામાં પગલાં માટે સરકાર ઉત્સુક છે, એમ તેમણે કહ્યું હતું અને એ દિશામાં પ્રક્રિયા ચાલુ છે. પ્રધાને વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો.

એક્સાઈઝ ડ્યૂટીના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા ટૅક્સનો ઉપયોગ શિક્ષણ, હૉસ્પિટલ, ગામડાંમાં વીજળી, હાઈવે બાંધકામ સહિતના વિકાસના કામમાં વપરાય છે. બળતણ પર ટૅક્સ એ વિકાસના પ્રશ્ર્નો સાથે સંલગ્ન છે. હવે લાંબાગાળાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.

ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઑઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાતરફી હતા ત્યારે સરકારને લિટરે રૂ. ૧૫ની બચત થઈ હતી, પરંતુ સરકારે બળતણ પર વધારાનો રૂ. ૧૦નો બોજો નાખી દીધો હતો. જોકે, આ વિશે પ્રસાદે કોમેન્ટ કરવા ઈન્કાર કર્યો હતો.

May 24, 2018
millionares.jpg
1min10330

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
army_major_gogoi.jpg
1min10490

શ્રીનગરની એક હોટેલમાંથી મળેલા આર્મી મેજર ગોગોઈ અને મહિલાની પૂછપરછ

જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે શ્રીનગરની એક હોટેલમાંથી સેનાના એક અધિકારીની એક મહિલા સાથે ઝડપાયા બાદ પૂછપરછ કરી હતી. બંનેને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને સેનાના અધિકારીને સોંપી દેવાયા હતા.

પોલીસના પ્રમાણે, ‘એક પોલીસ ટુકડીને આ કેસ સોંપવામાં આવ્યો હતો અને ત્યારે જાણવા મળ્યું હતું કે એક મહિલા અને બડગામના રહેવાસી સમીર અહમદ નામની એક વ્યક્તિ હોટેલમાં કોઈને મળવા માગે છે પણ હોટેલના સ્ટાફે એ લોકોને મળવા દેવાનો ઈનકાર કર્યો હતો. સમીર સાથે એક યુવતી પણ હતી. જો કે હોટેલ સ્ટાફે તેમની ઓળખના પુરાવા માગ્યા ત્યારે વિવાદ થયો હતો. હોટેલ સ્ટાફે ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.  પોલીસ હોટેલ પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

પોલીસે કહ્યું હતું, ‘સમીર નામના શખ્સ સાથે આવેલી યુવતી સેનાના અધિકારીને મળવા ગઈ હતી. પોલીસે બંનેના નિવેદનો લીધા છે.’

ઉલ્લેખનીય છે કે હોટેલના રેકોર્ડ પ્રમાણે, હોટેલનો એક રૂમ લીતુલ ગોગોઈના નામે એક રાત અને બે મહેમાનો માટે બૂક કરવામાં આવ્યો હતો. હોટેલ માલિકે કહ્યું હતું કે હોટેલનો રૂમ બૂકિંગ.કોમ વેબસાઈટ પરથી ઓનલાઈન બૂક કરવામાં આ‌વ્યો હતો. પરંતુ અમે આર્મી અધિકારી ગોગોઈને તેમની સાથે સ્થાનિક યુવતી હોવાથી રૂમ આપવાનો ઈનકાર કરી દીધો હતો. હોટેલમાં સ્થાનિક યુવતીને લઈને જવાની મનાઈ છે.

આ આર્મી મેજરની ઓળખ ૨૦૧૭માં પથ્થરમારાની ઘટના દરમિયાન બડગામ જિલ્લામાં એક સ્થાનિક યુવક ફારૂક અહમદ દારને પોતાની જીપના બોનેટ પર બાંધનારા મેજર લીતુલ ગોગોઈ તરીકે થઈ છે. તેમણે દારને જીપના બોનેટ સાથે બાંધી દઈને ફેરવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે સવારે ૧૧ વાગ્યે હોટેલ ગ્રાન્ડ મમતામાંથી કોઈ વિવાદ અંગે અમને ફોન કરવામાં આવ્યો હતો.