મુંબઇના ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરે 1.13 મિનીટના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી.
– જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.

– પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
– યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.
પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ

– એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
– જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
– મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
– અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.






















