CIA ALERT

ઇન્ડીયા Archives - Page 173 of 183 - CIA Live

November 1, 2018
No_smoking-1280x1280.png
1min13060
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

November 1, 2018
gold_mannn.jpg
1min9990

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

October 31, 2018
statue-of-unity.jpg
1min4340

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે, ત્યારે આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી. આ પ્રતિમા 182 મીટર ઉંચી. નિશ્ચિતપણે આ સ્થળ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સર્કિટમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે.

-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.

  • -લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.
  • -6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન પહોંચાડી નહીં શકે, તેટલી મજબૂત આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
  • -220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ પ્રતિમાને મળશે રક્ષણ
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • -25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે
  • -સરદાર સરોવર ડેમની સામે ભાગે જ તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે બોટ રાઇડિંગની સુવિધા પણ કરવામાં આવી છે.
  • -4800 કર્મચારીઓ અને 250 જેટલા એન્જીનિયરે રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
  • -પ્રવાસીઓ માટે ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
October 30, 2018
statue-of-unity.jpg
1min3010

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે.પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પી.એમ. નરેન્દ્ર મોદી  31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

આ છે વડાપ્રધાનનો કાર્યક્રમ

– તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે રાત્રે 9.30 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે.
– ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9 વાગ્યે કેવડિયા કોલોની પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો સમારોહ

– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે

October 29, 2018
gst.jpg
1min4600

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 27, 2018
rafale-fighter-1.jpg
1min3010

આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકાર પાસેથી ડીલના નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે થઈ તે અંગે વિસ્તૃત માહિતી માગી હતી, જેના અનુસંધાને આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં રાફેલ ડિલ સિક્રેટની સઘળી વિગતો સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી છે. સમગ્ર અહેવાલ રાફેલ ડીલની નિર્ણય પ્રક્રિયા કેવી રીતે થઈ તેના પર આધારિત છે. આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી થશે.

 

October 27, 2018
tarik.jpg
1min3850

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 26, 2018
rahul.jpg
1min3330

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)
October 24, 2018
ram_mandir.jpg
1min9740

ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો

  • VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
  • આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
  • આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
  •  29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે

આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.

દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

October 24, 2018
Alok_vs_ashtna.jpg
1min4700

ગુજરાત ફેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સામે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ લાંચની ફરિયાદ એક જ દિવસમાં નોંધીને તપાસનો દોર શરૂ કરતા ગુજરાતના આઈપીએસમાં ખળભળાટ મચી ગયો છે.

સરકાર વિરુદ્ધના આઈપીએસ અધિકારીઓ રાકેશ અસ્થાના ગુજરાતમાં જે જગ્યાએ ફરજ બજાવી હતી ત્યાં તેમની સામે થયેલી અરજીઓની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા અમદાવાદ સેક્ટર-2 અને સુરતમાં રાકેશ અસ્થાના ફરજ બજાવી હતી. દિલ્હી સીબીઆઈની ટીમ વડોદરામાં અને સુરતમાં રાકેશ અસ્થાના સાથે સંબંધ ધરાવનાર ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે ખુદ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીમાં પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી વડોદરાના આદેસરા ગ્રૂપના ત્યાંથી ઇન્કમટેક્ષ વિભાગને મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ સામે આવતા આલોક વર્માએ ઈડી અને ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી સ્ટ્રલીંગ ગ્રૂપના દરોડાની માહિતી મગાવી હતી. એટલું જ નહીં સીબીઆઈના સાદેસરા ગ્રૂપમાં ચાલતી તપાસ ઉપર સીબીઆઈના વડા ખાનગીમાં વોચ પણ રાખી હતી. બંને અધિકારીઓ વચ્ચે છેલ્લા આઠેક માસથી પત્રયુદ્ધ ચાલતું હતું. તેમ જ સીબીઆઈના બંને જણાની ફાઈલોની તપાસ પણ કરી રહ્યા હતા. સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની આગામી દિવસોમાં બદલી કરીને તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.