CIA ALERT

ઇન્ડીયા Archives - Page 172 of 183 - CIA Live

November 20, 2018
kejri.jpg
1min4620

(કેજરીવાલ પર મરચાની ભૂંકી નાંખનાર અનિલ કુમારની તસ્વીર)

નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણાં લાંબા સમય બાદ ફરી વિવાદમાં આવ્યા છે. આજરોજ તા.20મી નવેમ્બર 2018ને મંગળવારે બપોરે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની તેમની ચેમ્બરમાંથી લંચ માટે બહાર આવ્યા હતા ત્યારે અનિલ કુમાર નામના શખ્શે અરવિંદ કેજરીવાલના ચહેરા પર લાલ મરચાની ભૂકી નાંખીને હુમલો કર્યો હતો.

મરચાની ભૂંકીને લીધે અરવિંદ કેજરીવાલને થોડી તકલીફ થઇ હતી. જોકે, તેમના સિક્યુરિટી પર્સન્સએ તાબડતોબ તેમને કવર કરી લીધા હતા. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકનાર અનિલ કુમાર નામના શખ્સને ડિટેઇન કરી દીધા છે. હાલમાં અનિલ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલની પાર્ટી આપના પ્રવકત્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકવાની ઘટનાને દિલ્હી પોલીસની ગંભીર બેજવાબદારી અને સલામતિ વ્યવસ્થા પર મોટી ચૂક ગણાવી હતી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસના રાજમાં દિલ્હીના મુખ્મમંત્રી પર મરચાની ભૂકીથી હુમલો કરવાની ઘટના અત્યંત ગંભીર છે.

November 18, 2018
punjab-1.jpg
1min2970

આતંકી હુમલાની આશંકાને લઈ સમગ્ર પંજાબમાં હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે આજે સવારે પોણા અગિયારના સુમારે અમૃતસરના નિરંકારી ભવન ખાતે ચાલી રહેલા સત્સંગ દરમિયાન બાઇક પર આવેલા બે હુમલાખોરો એ એક ગ્રેનેડ ફેંકીને હુમલો કરી નાસી ગયા હતા. અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકાવાની ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ સત્સંગીઓના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કર્યું. મળતી માહિતી પ્રમાણે સવારે 11 વાગ્યાની આસપાસ બે બાઈક સવારો નિરંકારી ભવનમાં આવ્યા, જેમણે પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા.

હાલ ફોરેન્સિક ટીમ સહિત પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં વિદેશી કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાની સંભાવના સેવાય રહી છે. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. હુમલો કોણે કરાવ્યો, શા માટે થયો તેની કોઈ માહિતી હજી સામે નથી આવી.  પરંતુ કેટલાક દિવસોથી સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં એલર્ટ છે.

ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ કરનારા જાકિર મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઈનપુટ છે કે જાકિર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યાં હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યાં હતા.

November 17, 2018
tejash2.jpg
1min8650

વિશ્વમાં સૌથી મોટું અન્ વ્યાપક રેલવે નેટવર્ક ધરાવતા ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન કઇ છે ખબર છે તમને એના વિશે…નહીં ખબર હોય તો આ લેખ વાંચી જાવ…નોલેજમાં વધારો થશે એ ચોક્કસ છે.

૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડાવવાની અપાઈ પરવાનગી

tejas

મુંબઈ-ગોવા વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ નવેમ્બરથી રોહાથી મડગાંવ સેક્શનમાં ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાની પરવાનગી આપવામાં આવી હોવાથી હવે આ ટ્રેનના મુસાફરીના સમયમાં ૩૦ મિનિટ બચવાની સાથે આ ટ્રેન દેશની ફાસ્ટેસ્ટ ટ્રેન બની છે, જે આખા રૂટના મોટા ભાગના હિસ્સામાં ૧૨૦ કિલોમીટરની સ્પીડ પર દોડશે.

છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરમાળી સ્ટેશન વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડ લઈ શકે છે, પરંતુ અત્યારે એ શતાબ્દી એક્સપ્રેસ જેટલી એટલે કે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડે છે.

November 15, 2018
itr.jpg
1min9650

નૉટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા 80,000 કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.

પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા 80,00,000 લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નૉટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં કરવામાં આવેલી નૉટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.

જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ 52 ટકા હતું અને આડકતરા કરનું 48 ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જ્યારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય.

તમે જો એમ જાણવા માગતા હો કે નૉટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બૅંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.

નૉટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ 80 હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.

November 15, 2018
mumbai_city.jpg
1min4480

તા.14મી નવેમ્બર 2018ના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર સ્ટેટના ડેવલપમેન્ટ ક્ન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) અનુસાર મુંબઈ હવે વર્ટિકલી વિકાસ થવાની દિશામાં આગળ વધશે.

નવા વિકાસ નિયમો અન્વયે રોડ-રસ્તા પહોળા કરવા અને જાહેર સુવિધાઓ વિકસાવવા માટે જમીન સંપાદિત કરવામાં પણ સરળતા રહેશે. પહેલીવાર ડીસીપીઆરમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નવા બંધાતા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટની હોવી જોઈએ. આ નવો ડીસીપીઆર શહેરના તમામ નવા બંધાતા પ્રોજેક્ટને લાગુ પડશે. ડીપી શહેરની જમીનના ઉપયોગની રૂપરેખા દર્શાવે છે જ્યારે ડીસીપીઆર બાંધકામ અંગેની રૂપરેખા દર્શાવે છે. બે છ મીટરના રોડ વચ્ચે અગાઉ 32 મીટર ઊંચી ઈમારતની પરવાનગી હતી, જે હવે વધારીને 70 મીટર કરવામાં આવી છે. ઓછી ઊંચાઈના નિયમને લીધે બિલ્ડર લૉબી નારાજ હોવાનું સામે આવ્યું હતું. આમ થવાથી શહેરની ઈમારતો હજુ ઊંચી જશે. આ સાથે ડીસીપીઆરમાં જાહેર સુવિધા માટે પાંચ વર્ષમાં જે જમીન આપશે તેવા જમીનમાલિકોને એફએસઆઈમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી જમીનમાલિકો પણ ઉત્સાહમાં આવશે, તેવી ધારણા સરકારની છે. કમર્શિયલ બિલ્ડિંગને ઈમારતોને પાંચ સુધીની એફએસઆઈ મળશે, જેમાં તેમણે રેડીરેકનરના ભાવના 50 ટકા રકમ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, જે અગાઉ 80 ટકા હતી.

સરકારના આ નિર્ણયને એક તરફ બિલ્ડરો અને આર્કિટેક્ચરો વખાણ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મંદ પડી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે, નવી રોજગારી ઊભી થશે અને નવી રહેવાસી તેમ જ વ્યાવસાયિક ઈમારતો ઊભી થશે. તો બીજી બાજુ આ નિર્ણયને લીધે મુંબઈ શહેરના માળખા પર ભારે સર પડશે. શહેર આટલો વિકાસ કે બોજો જીલી શકે તેમ નથી. ઊંચી ઈમારતોને લીધે લોકોના જીવના જોખમની શક્યતાઓ પણ વધી જશે. જોકે સસ્તા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટ રાખવાની જોગવાઈને તમામે આવકારી છે. અગાઉ સરકાર દ્વારા પરવડે તેવા ઘર માટે કોઈ સાઈઝ નક્કી ન હતી. આથી 180થી 270 સ્કવેર ફૂટના ઘર બનતા હતા. એક નાના પરિવાર માટે પણ આ જગ્યા પૂરતી ન હતી અને લોકો નાનકડી ઓરડીમાં હવા-ઉજાસ વિના જીવન પસાર કરી દેતા હતા. 300 સ્કવેર ફૂટના નિર્ણયથી એસઆરએ, મ્હાડા જેવી સ્કીમનો લાભ લેનારા મધ્યમ અને નીમ્ન મધ્યમવર્ગને સારું ઘર મળી રહેશે.

ડીપીમાં 3,700 હેક્ટર જમીન, જે અગાઉ નૉ ડેવલપમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, તેને પણ ડેવલપમેન્ટ માટે ખુલ્લી મૂકવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એફએસઆઈ યોગ્ય પ્રિમિયમે આપવામાં આવશે, તો મકાનના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો આવનારા સમયમાં નોંધાશે.

November 10, 2018
raghu-1280x720.jpg
1min11640
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આજરોજ તા.10મી નવેમ્બરે અમેરિકાના કેર્લિફોનિયા ખાતે જાહેર સમારોહને સંબોધતા કહ્યું હતું કે નોટબંધી તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીધે વિતેલા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી.
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે એક સંબોધનમાં રાજને જણાવ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ થતા પૂર્વે ચાર વર્ષ (2012-2016) સુધી ભારતના આર્થિક વિકાસ દરની ગતિ ઝડપી રહી હતી.
ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે જણાવ્યું કે, નોટબંધી તેમજ જીએસટી એમ એક પછી એક બે આંચકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર એવા સમયે નીચો ગયો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો.
November 10, 2018
MALL.jpg
1min4170

ભારતની ટોચની ત્રણ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલે 2017-’18ના નાણાકીય વર્ષમાં આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હોવા છતાં જંગી ખોટ નોંધાવી હતી. આ કંપનીઓ ભારતીય ઇ-કોમર્સ બજારનો મોટો હિસ્સો કબ્જે કરવાના ધ્યેયના લીધે તેમના ખર્ચ પર અંકુશ રાખવાનો જરા પણ ઇરાદો ધરાવતી નથી.

ફ્લિપકાર્ટ (ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને હોલસેલ એકમ), એમેઝોન સેલર સર્વિસિસ અને પેટીએમ મોલની સંયુક્ત ખોટ 2016-’17ના ₹6,726.6 કરોડથી વધીને ₹11,295.5 કરોડ થઈ હતી, આમ તેણે 68 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો હતો.

ત્રણેય ઇ-કોમર્સ કંપનીઓએ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ ખોટ નોંધાવી હતી. પણ તેમની આવક કરતાં ખોટનો દર વધારે હતો. તેમની કુલ આવક 2016-’17ના ₹21,085.6 કરોડથી 44 ટકા વધીને 2017-’18માં ₹30,509.8 કરોડ થઈ હતી.

આ સેક્ટરનો ટ્રેક રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનું ઇ-કોમર્સ બજાર હજી પ્રાથમિક તબક્કામાં છે અને દરેક કંપની ઓનલાઇન શોપિંગની વધતી જતી વસતીમાં હિસ્સો મેળવવા ઇરાદો ધરાવે છે, જેની સંખ્યા હાલના 8 કરોડથી વધીને આગામી કેટલાંક વર્ષોમાં 20 કરોડે પહોંચે તેમ મનાય છે.

ભારતીય ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું જારી રાખશે, ઓમ્નીચેનલ વૃદ્ધિ જારી રાખશે, લોજિસ્ટિક્સ જારી રાખશે અને પ્રાઇવેટ લેબલ્સ વધુ ને વધુ ગ્રાહકો ઓનલાઇન મેળવશે તેમ મનાય છે. આ જોતાં લાગતું નથી કે ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓ આગામી કેટલાંક વર્ષો સુધી તેની ખોટ જારી રાખે.

November 9, 2018
dahnu.jpg
1min4540
  • શુક્રવારે સવારે 9 વાગ્યા બાદ ગતિ મર્યાદા સાથે ટ્રેન વ્યવહાર શરૂ થયો 
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગતાં લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અધિકારીએ જણાવ્યું સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણની પણ તપાસ થઈ રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના ગુરૂવારની રાત્રે લગભગ 11 વાગ્યે દહાણુ રોડ અને વનગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થઈ. તેઓએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

આગ પર મોડી રાત્રે લગભગ બે વાગ્યે કાબૂ મેળવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આગની ગરમીના કારણે ટ્રેકની ઉપર લાગેલાં વિજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરની ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી.

કઇ કઇ ટ્રેનોને અસર થઇ વાંચો

Due to fire incidence in goods train near Dahanu Road,

trains of 11095 Ahmedabad – Pune, 22475 Hisar-Coimbator,

12246 H. Nizamuddin – Pune & 22944 Indore-Pune of (JCO) 8/11/18 has been diverted via Bhestan & Jalgaon.

12298 Pune-Ahmedabad of that commenced on Nov 8 is diverted via Kalyan, Jalgaon & Surat.

69173 Virar- Dahanu Rd of Nov 8 and 69174 Dahanu Rd- Borivali operated on Nov 9 are cancelled.

59442 Ahmedabad- Mumbai Central will be Short Terminated at Vapi.

Similarly many other trains on Dahanu – Surat section have been cancelled.

Also the local trains are being operated till Boisar for the time being.

Work on Up line towards Churchgate is underway.

The section on DAHANU ROAD – VANGAON, UP LINE TRACK has been declared fit on the site at 08.50 am with speed restrictions of 50 KMPH.

The first train departed Dahanu road at 9.02 am.

 

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min7700

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 4, 2018
crpatil-1280x720.jpg
1min85390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિભા કહો કે કર્મ, ક્યારેએ સંતાયને રહેતું નથી અને કોઇ લાખ પ્રયત્નો કરે પણ કોઇ, કોઇનું કર્મ દબાવી શક્તું નથી. નવસારીના સાંસદ સી.આર. પાટીલ પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરી રહેલા અમલીકરણ અને એ પછી લાભકર્તાઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહર્ષ નોંધ લઇને દેશના અન્ય સાંસદોને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે.

(સાંસદ સી.આર. પાટીલ એ ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો કોઇ ટ્વીટ કરે તો એ હજારો લોકો માટે માર્મિક બની જતી હોય છે. પણ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારીના સાંસદ અને ગુજરાત બીજેપીના કદાવર નેતા શ્રી સી.આર. પાટીલની કામગીરીને રેફરન્સ આપતી બે ટ્વીટ કરી છે. સાંસદ શ્રી સી.આર. પાટીલએ પોતાના મત વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડ્યો અને પહોંચાડ્યા પછી લાભકર્તા પરિવારોના પ્રતિભાવોનો વિડીયો મૂક્યો હતો. આ વિડીયો પરથી જણાય આવે છે કે કેન્દ્રસરકારની સુખાકારી યોજનાઓ લાભકર્તા પરિવારો માટે કેટલી હદે ઉપયોગી નિવડે છે. પી.એમ. મોદીની આ ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ બીજી ટ્વીટ કરી અને એ પણ સી.આર. પાટીલની કામગીરીને બિરદાવતી ટ્વીટ હતી.

(સાંસદ સી.આર. પાટીલ એ આયુષ્યમાન યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

સી.આર. પાટીલએ કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારતનો બહોળો ફેલાવો પોતાના મતવિસ્તારમાં કર્યો છે અને તેનો લાભ લેનારા છેવાડાના પરિવારો એ આ યોજના બદલ કેન્દ્ર સરકાર, મોદી સરકારને અનેકાનેક આશીર્વાદ આપ્યા છે.

પી.એમ. મોદીએ ભાજપાના સાંસદો, નેતાઓ જોગ જણાવ્યું છે કે આ પ્રકારે કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને તેમનો પ્રતિસાદ લઇને અન્ય લોકો સુધી પહોંચાડવો જોઇએ. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળવાનો પણ અનુરોધ કર્યો છે.  કેન્દ્ર સરકારની કામગીરીનું ખરેખર આ જ તો મૂલ્યાંકન છે.