CIA ALERT

ઇન્ડીયા Archives - Page 171 of 183 - CIA Live

December 3, 2018
onion.jpg
1min3400

કાંદાના ઉત્પાદન માટે જાણીતા નાશિકમાં કિલો કાંદાનો ભાવ એક રૂપિયા ઉપજતા તેના વિરોધમાં તેની રકમ વડા પ્રધાનને મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિકમાં કાંદાની ખેતી કરતા ખેડૂતને ૭૫૦ કિલોના કાંદાના ઉત્પાદન માટે પ્રતિ કિલો કાંદાના ફ્કત રૂ. ૧.૪૦ મળ્યા હતા. દેશમાં ખેડૂતોની કથળતી હાલતને જોતા સરકારનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ ખેડૂતે તેણે કમાવેલા રૂ. ૧,૦૬૪ વડા પ્રધાનને મોકલ્યા હતા.

નિફાડ તહેસીલના સંજય સાઠેએ આ વર્ષે ૭૫૦ કિલો કાંદા ઉગાડ્યા હતા, પણ તેને નિફાડ હોલસેલ માર્કેટમાં ફક્ત એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેચવાની ઓફર મળી હતી. વાટાઘાટ કરતાં હોલસેલ માર્કેટના વેપારીઓ પ્રતિકિલો કાંદાના રૂ. ૧.૪૦ આપવા તૈયાર થયા હતા. ૭૫૦ કિલો કાંદાના સાઠેને ફક્ત રૂ. ૧,૦૬૪ મળ્યા હતા. ચાર મહિના કપરી મહેનત કર્યા બાદ ફ્કત રૂ. ૧,૦૬૪ની કમાણી થઇ હતી. સાઠેએ આ રકમ વડા પ્રધાનના ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે દાનમાં આપ્યા હતા. તનતોડ મહેનત કરીને દેશના નાગરિકોનું પેટ ભરતા ખેડૂતોને કષ્ટમાંથી ઉગારવા માટે સરકારે પગલાં ભરવા જોઇએ.

November 30, 2018
reservation.jpg
1min8030

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 30, 2018
maratha1.png
1min8390

સામાન્ય રીતે બહુ સમૃદ્ધ માનવામાં આવતા મરાઠા સમાજના 93 ટકા પરિવારની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોવાનું કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે. લગભગ 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે જીવે છે.

સ્ટેટ ઑબીસી કમિશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મરાઠા સમાજને શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે પછાત જણાવવામાં આવ્યો છે. રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ છે, જેમાંથી 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નભે છે. સરકારી નોકરીઓમાં તેમનું માત્ર છ ટકા પ્રતિનિધિત્વ છે અને તેમાં પણ ડી ક્લાસની નોકરીઓમાં વધારે જોવા મળે છે. જે મરાઠાઓ શહેર તરફ વળ્યા છે, તેમાંથી મોટા ભાગના માથાડી કામદાર કે ઘરકામમાં જોડાયેલા જોવા મળે છે. કમિશને 21 સ્થળે જાહેર સુનાવણી રાખી હતી.

 

  • રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ
  • 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે
  • 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર
  • સરકારી નોકરીઓમાં માત્ર છ ટકા પ્રતિનિધિત્વ
  • ડી ક્લાસની નોકરીઓમાં વધારે
  • 1,93,651 વ્યક્તિગત નિવેદન
  • 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન
  • 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ
  • 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં
  • આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા
  • 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા
  • 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના

1,93,651 વ્યક્તિગત નિવેદન, 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન, 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ કમિશનને આપવામાં આવ્યા હતા. મોટા ભાગના નિવેદનોએ મરાઠા સમાજને સ્વતંત્ર વર્ગમાં અનામત આપવા જણાવ્યું હતું જ્યારે 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં હતા. આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા છે, જેમાંથી સીધી ભરતી દ્વારા માત્ર આ પદ સુધી પહોંચેલા 0.27 ટકા જ છે. 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા હતા.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના હતા.

 

સૌથી અગત્યનો મુદ્દો મહારાષ્ટ્રના પોલિટીક્સમાં મરાઠાઓનું પ્રભુત્વ

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો

18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો મરાઠા સમાજના

1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા

288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો તે જણાવે છે કે રાજ્યમાં આ સમાજ કેટલો વગદાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો પસાર કરી દરેક પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમાજે પણ આને વધાવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી ઊંચો હાથ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનો જ રહેશે. રાજ્યની 13 કરોડ જનતામાંથી 30 ટકા મરાઠા સમાજ છે અને અત્યાર સુધીના 18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો આ સમાજે આપ્યા છે. 1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા રહી છે. રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત બાજી ફેરવી શકે છે. જોકે જેઓ મરાઠા ક્વૉટાની માગ કરતા હતા તેમનું કહેવાનું હતું કે મરાઠા સમાજનો બહુ નાનો વર્ગ છે જે વર્ચસ્વ અને સમૃદ્ધિ ધરાવે છે. મોટા ભાગનો સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત છે.

મરાઠા સમાજના લગભગ 40 જેટલા યુવાને આત્મહત્યા કરી હતી.

સરકારે હાલમાં જાહેર કરેલા અનામતને પણ ઘણાં ચૂંટણી નજીક આવતા કરવામાં આવેલા નિર્ણય તરીકે લેખાવે છે. જો કાયદાને કોઈ પડકારશે અને તે કોર્ટમાં ઊભો રહી શકશે ત્યારે જ ખરેખર શ્રેય લઈ શકાય છે કે કેમ તે નક્કી થશે.

હાલમાં રાજકારણીઓ શ્રેય મેળવવા માટે પડાપડી કરે છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કૉંગ્રેસે સમાજ માટે અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ નિર્ણય માટે મરાઠા સમાજે કરેલા આંદોલનને પણ શ્રેય આપ્યો હતો. તેમના લાંબા સંઘર્ષના પરિણામસ્વરૂપે આ અનામત કરાવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે આંદોલનકારીઓની ભૂખ હડતાળ તોડાવી હતી. આ સાથે જેમના પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમના ગુના પરત લેવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી. એનસીપી નેતા ધનંજય મુંડેએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને મરાઠા સમાજની એકતા અને સંઘર્ષને લીધે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય પ્રધાનમંડળે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. ભાજપે તમામ પદાધિકારીઓને સરકારના આ નિર્ણયને વધાવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન ઑબીસી સંઘર્ષ સમન્વય સમિતિએ મરાઠા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. સરકારે ખાતરી આપી છે કે મરાઠા સમાજને આરક્ષણ આપતા અન્ય આરક્ષણને કોઈ નુકસાન નહીં પહોંચે, પરંતુ સમિતિનું માનવાનું છે કે આ શક્ય નથી અને સરકારનો આ નિર્ણય તેમના આરક્ષણને નુકસાન પહોંચાડશે. આ સાથે ભાજપે આવનારી ચૂંટણીમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે, તેમ પણ સમિતિના પ્રમુખ જે ડી તાંડેલે જણાવ્યું હતું. અન્ય એક ઑબીસી નેતાએ જણાવ્યું હતુ કે સરકારે જાતિ પ્રમાણે કોઈ ગણતરી કરી નથી, આથી મરાઠા સમાજ 30 ટકા છે, તે માનવું યોગ્ય કહેવાશે નહીં.

 

November 29, 2018
maratha.jpg
1min3980

ગુજરાતમાં પાટીદારો અનામત માટે છેલ્લા 4 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, અનામત માટેની લડત કરતા વધારે હવે પાટીદાર આંદોલન ભાજપા અને સરકાર વિરુદ્ધનું આંદોલન બની રહ્યું છે. બીજી તરફ, પાટીદાર આંદોલન જ્યારે પૂરજોશમાં હતું અે સમયે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો ગણગણાટ પણ સંભળાતો ન હતો, આ જે પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો અમલ તા.1લી ડિસેમ્બર 2108થી શરૂ કરવાના ચક્રો ગતિમાન છે.

આ મામલે અસ્સલ સુરતી ભાષામાં સવાલ કરીએ તો એમ પૂછાય કે ગુજરાતમાં પાટીદાર અનામતના મુદ્દે કોને ધંધો કરતા આવડ્યો નહીં ?, સરકાર કે પાટીદાર આંદોલનકારીઓને ?

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર લઇ આવી હતી અને તા.29મી નવેમ્બર 2018ના રોજ તેને વિધાનસભાએ મંજૂરી પણ આપી દીધી છે. વિધાનસભાના ઠરાવના આધારમાં ત્યાંના ઓબીસી કમિશનનો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે પ્રોપર વે માં દરેક પ્રોસિજર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સુરતી ભાષામાં કહીએ તો કોઇને પણ ધંધો કરતા આવડ્યો નહીં, ખાયા-પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે.

મહારાષ્ટ્ર સરકારે શિક્ષણ અને રોજગારી મામલે મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો જેને વિધાનસભામાં કોઇ ખાસ મુશ્કેલી વગર મંજૂર કરાયો છે. આ રિપોર્ટમાં આયોગના પ્રમુખની ભલામણો અને તેના પર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની પણ માહિતી અપાશે. સીએમ ફડણવીસે 1 ડિસેમ્બરથી મરાઠા અનામત લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારે શિવસેના અને ભાજપે વ્હિપ જાહેર કરી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા કહ્યું છે.

મરાઠાઓને અનામતના ક્વોટા મામલે રાજ્ય પછાત વર્ગ આયોગનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની માગને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને અનામત આપવાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ આયોગની ભલામણો પર લેવાયેલા પગલાંનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર સમાજમાં તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યો તો સરકાર મરાઠાઓને અનામત આપવા પ્રતિબદ્ધ હોવાનું પણ કહ્યું.

November 28, 2018
income_tax.jpg
1min9140

ભારતની કુલ વસ્તી આશરે 135 કરોડની છે, જેની સામે 5.29 કરોડ કરદાતાઓ છે. એટલેકે, 3.90 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે

તેની સરખામણીએ ગુજરાતની 6.80 કરોડની વસ્તીમાંથી 68 લાખ કરદાતાઓ છે. એટલેકે રાજ્યની વસ્તીના 10 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. વર્ષ 2018-19 ના વર્ષમાં ગુજરાતીઓ રૂ. 55,571 કરોડ ઇન્કમટેક્સ ભરશે. જેની સામે કેન્દ્ર સરકાર ગુજરાતને માત્ર રૂ. 6,040 કરોડ રકમ ફાળવશે. સૌથી વધુ રકમ 35, 168 કરોડ રૂપિયા ઉત્તરપ્રદેશને ફાળવવામાં આવશે. વેજલપુરમાં આવેલા ઇન્કમ ટેક્સના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી), નવી દિલ્હીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે દેશભરમાં સૌથી વધારે કરદાતાઓ ગુજરાતમાં છે. કરદાતાઓ તેમના ટેક્સ રિટર્નમાં ચોખ્ખી આવક દર્શાવે તે જરૂરી છે. હવે કરદાતાઓનું રિટર્ન એસેસમેન્ટ 0.5 ટકા જેટલું નહિવત્ થઇ ગયું છે.

ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, હાલમાં અમે 70 દેશો સાથે સમજૂતી કરીને ત્યાં થતાં ઇન્વેસ્ટમેન્ટની માહિતીની આપ-લે કરવામાં આવશે. ગયા વર્ષે દેશમાં ઇન્કમટેક્સના 1.06 કરોડ કરદાતાઓ સામે ચાલુ વર્ષે 1.25 કરોડ નવા કરદાતા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 87 લાખ કરદાતાઓ ઉમેરાયા છે. ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ આઇટી કમિશનર અજયદાસ મહેરોત્રાએ જણાવ્યું કે, ગુજરાતના નાણાકીય વર્ષ 18-19માટે રૂ.55 હજાર કરોડનો ટાર્ગેટ અપાયો છે. જેની સામે 26 નવેમ્બર, 2018 સુધીમાં રૂ.25.58 કરોડનો ટાર્ગેટ પૂરો કર્યો છે.

November 27, 2018
ilfs.jpg
1min11470

ગુજરાત સરકારે એક અળવિતરો નિણર્ય કર્યો છે અને એ એ છે કે નાદારી નોંધાવનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ (IL&FS)નો 50 ટકા હિસ્સો ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટિ)માં ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણીએ મુંબઇની મુલાકાત દરમિયાન કરી હતી.

  • IL&FS ગિફ્ટસિટીમાં મેનેજમેન્ટના અધિકારો ધરાવતી હતી
  • ગુજરાત અરબન ડેવલપમેન્ટ કંપની અને IL&FS દ્વારા આ પ્રોજેકટને પ્રમોટ કરવામાં આવ્યો
  • ગિફ્ટ સિટીમાં પ્રોજેકટ હેઠળ 62 મિલયન સ્કેવર ફૂટમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ અને સોશિયલ રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે

તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઇ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં આ અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં વિલંબ ન થવો જોઇએ. ઉલ્લેખનીય છે કે IL&FS ગિફ્ટસિટીમાં મેનેજમેન્ટના અધિકારો ધરાવતી હતી. પરંતુ, કંપની સપ્ટેમ્બરમાં 9100 કરોડનું દેવું ભરી શકી નહીં અને સરવાળે 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે જોખમ સર્જાયું છે.

આ પ્રોજેકટ હેઠળ 62 મિલયન સ્કેવર ફૂટમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ અને સોશિયલ રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જે રાજધાની ગાંધીનગરની નજીક 359 હેકટરમાં ફેલાયેલું હશે. આ પ્રોજેકટ દેશના ફાઈનાન્શિયલ કેપિટલ મુંબઈને ટક્કર આપશે.  હાલ IL&FSના હિસ્સાની કિંમત નક્કી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે રાજય સરકારની કંપની ગુજરાત અરબન ડેવલપમેન્ટ કંપની અને IL&FS દ્વારા આ પ્રોજેકટને પ્રમોટ કરવામાં આવ્યો હતો, જેમાં બંનેનો હિસ્સો સમાન હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ સોમવારે વધુમાં જણાવ્યું હતું કે અમે ગિફટ સિટિમાં IL&FSનો હિસ્સો ખરીદવા અંગેનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. હાલ વિશ્વની મોટી બેન્કો અને ટોપ ફાઈનાન્શિયલ કંપનીઓએ તેમની ઓફિસ ગિફટ સિટિમાં શરૂ કરી છે. અમે દરેક ફાઈનાન્શિયલ કંપનીને ગિફ્ટ સિટિમાં તેનો બેઝ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ.

November 27, 2018
whatsapp.jpg
1min19290

મુંબઇમાં એક એવા વ્હોટ્સએપ ગ્રુપ એડમિનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એ વ્હોટ્સએપ ગ્રુપ એડમિને એક મહિલાનો ફોન નંબર ગ્રુપમાં સામેલ કર્યો હતો, આ ગ્રુપમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હતું.

મૂળ કોલકાત્તાના રહીશ 24 વર્ષિય મુસ્તાક અલી શેખ જે વ્યવસાયે સુથારી કામ કરે છે એ વ્હોટ્સએપ ગ્રુપનો એડમિન છે અને તેની સામે મુંબઇ પોલીસે આઈપીસીની મહિલા સન્માન વિરુદ્ધ વિપત્તીજનક વ્યવહાર તેમજ આઇ.ટી. એક્ટની કલમ 67 અને 67-એ અન્વયે ગુનો દાખલ કરીને તેને જેલ ભેગો કર્યો છે.

માટુંગા પોલિસે મુસ્તાક અલી શેખની ધરપકડ ગત 15મી નવેમ્બર 2018ના રોજ કરી હતી. મુસ્તાક અલી સામે ફરીયાદ કરનાર મારુતિ શેલ્કે નામની મહિલાએ પોતાની ફરીયાદમાં લખાવ્યું હતું કે તેનો મોબાઇલ નંબર ત્રિપલ એક્સ નામના એક વ્હોટ્સ એપ ગ્રુપમાં ગત સપ્ટેમ્બર 2017થી દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાને પહેલા અેવું લાગ્યું કે તેના કોઇક મિત્રએ જ મજાકના હેતુથી ત્રિપલ એક્સ નામના વ્હોટસ એપ ગ્રુપમાં તેણીનો નંબર દાખલ કર્યો હશે એટલે નજર અંદાજ કરી હતી એ બાબત. પણ દિવસ જતા ત્રિપલ એક્સ ગ્રુપમાં બિભત્સ વિડીયો, ફોટાએ તેમજ અશ્લીલ કન્ટેન્ટની ભરમાર પોસ્ટસ રોજેરોજ કરવામાં આવતી હતી. આથી મારુતિ શેલ્કેએ પોલીસને ફરીયાદ આપવી પડી હતી.

મારુતી શેલ્કેએ પોતાની ફરીયાદમાં જણાવ્યું કે ગ્રુપમાં 12 મેમ્બર્સ છે અને તેમાંથી કોઇને એ મહિલા ઓળખતી ન હતી. એટલું વાહિયાત કન્ટેન્ટ પોસ્ટ કરવામા આવતું હતું કે તેણીએ પોલીસ ફરીયાદ નોંધાવવી પડી હતી. પોલીસે મારુતિ શેલ્કેની ફરીયાદને આધારે પશ્ચિમ બંગાળનો નંબર જે મોબાઇલ કંપનીએ ઇશ્યુ કર્યો હતો તેની તપાસ કરતા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જણાવ્યું કે વ્હોટ્સ એપ ગ્રુપ એડમિન મુશ્તાક અલી શેખ ના નામે નંબર ઇશ્યુ છે અને એ પશ્ચિમ બંગાળ નહીં મુબઇમાં જ રહે છે અને ત્યાં જ મોબાઇલનો વપરાશ કરે છે. મુંબઇ પોલીસે મુશ્તાક અલી શેખની સાયન-ધારાવી એરિયામાંથી શોધી કાઢીને ધરપકડ કરી ત્યારે તેણે બચાવમાં કહ્યું કે મહિલા મારુતી શેલ્કેનો નંબર ભૂલથી એડ થઇ ગયો હશે, હકીકતમાં મુશ્તાક શેખને એમ હતું કે એ નંબર તેના સાળાનો છે. પોલીસે તેની વાત ગ્રાહ્ય ન રાખીને તેને કસ્ટડીમાં લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઇ પોલીસે મુશ્તાક શેખનો નંબર ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યો છે. આ કારણે ગ્રુપના અન્ય 11 મેમ્બર્સ પણ મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. પોલીસ તેમના નંબરની પણ તપાસ કરી રહી છે. મુશ્તાક અલી શેખ જો કસૂરવાર ઠરશે તો તેને પાંચ વર્ષની જેલની સજા અને રૂ.10 લાખનો દંડની સજા થાય તેવી શક્યતાઓ છે.

મુંબઇ પોલીસે વ્હોટ્સ એપ ગ્રુપ વપરાશકારો તેમજ એડમિન્સને પણ ચેતવ્યા કે વ્હોટ્સ એપ ગ્રુપમાં કેવા પ્રકારની પોસ્ટસ મેમ્બર્સ કે ગ્રુપ દ્વારા મૂકવામાં આવે છે તેના પર સતત વોચ રાખવી જોઇએ અને જે લોકો અશ્લીલ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મૂકતા હોય તેમની સામે તરત જ રિપોર્ટ પોલીસમાં કરવો જોઇએ.

November 26, 2018
versov1.jpg
1min17680

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પર આવેલા વર્સોવા બ્રિજનું સમારકામ સોમવારથી એટલે કે આજથી એક મહિના સુધી ચાલશે. તેને કારણે ટ્રાફિક વિભાગ દ્વારા વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

થાણે ટ્રાફિક વિભાગથી મળેલી માહિતી અનુસાર વિકલ્પ તરીકે અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેને કારણે તેમનો પ્રવાસ ૨૫થી ૪૦ કિ.મી. વધી જશે. સામાન્ય રીતે વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા લોકો ઘોડબંદર અને વર્સોવા બ્રિજનો વપરાશ સૌથી વધુ કરતાં હોય છે. તેથી ખાસ કરીને મુંબઇ-અમદાવાદ રૂટ પર અવરજવર કરતાં લોકોના પ્રવાસ પર અસર થઇ શકે છે. મુંબઇથી જવા માટે જૂનો બ્રિજ અને આવવા માટે સૌથી વધુ નવા બ્રિજનો ઉપયોગ થતો હોય છે. નવા બ્રિજનું સમારકામ ૨૬મી નવેમ્બરથી ૨૫મી ડિસેમ્બર સુધી ચાલશે. તેથી પ્રવાસીઓને એક મહિના સુધી હાલાકીનો સામનો કરવો પડશે. ટ્રાફિક અધિકારીના જણાવ્યાનુસાર નાના વાહનો આસાનીથી આ બ્રિજ પર અવરજવર કરી શકશે.

આ બ્રિજના કામને કારણે મલાડમાં આવેલા ચિંચોટી વિસ્તાર, વિરારના શિરસાટ ફાટા અને મનોર માર્ગના વપરાશને કારણે ભિવંડી જંકશન પર ટ્રાફિકનું દબાણ વધશે.

November 24, 2018
ayodhyay3.jpg
1min6280

આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.

November 22, 2018
maharashtra_map.jpg
1min11990

વર્ષ 2013થી અત્યાર સુધીમાં મહારાટ્રમાંથી 2264 છોકરી અને મહિલા ગુમ થઈ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. 2013થી 2017 વચ્ચે કુલ 26,708 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 24,444 મળી ગઈ હતી. 2,264ની શોધ ચાલી રહી હોવાનું ગૃહ ખાતું પણ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું. આ ગુમ થયેલી મહિલાઓમાં 298 સગીરા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે મહિલાઓની ગુમ થવાની સંખ્યા વધી ગયેલી દેખાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સગીરના અપહરણના કેસ નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. 2013થી 18 વર્ષની વય નીચેની 5056 મહિલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી 4758 મહિલા મળી આવી હતી. 18 વર્ષ ઉપરની 21,652 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 19,686 મહિલા શોધી લેવામાં આવી હતી. દસ દેહવ્યાપારના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 53 પીડિતાને બચાવવામાં આવી હતી. આ સાથે કુલ 8518 કેસ બાળકોની સતામણીના નોંધવામાં આવ્યા હતા, જેમાં 8908 પીડિત બાળકને રક્ષણ આપવામાં આવ્યું હતું. મહિલાના ગુમ થયાના કેસમાં દેશભરમાં મહારાષ્ટ્ર બારમા સ્થાને છે.