CIA ALERT

ઇન્ડીયા Archives - Page 152 of 183 - CIA Live

May 6, 2019
cbse1.jpg
1min2890

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.

આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

May 6, 2019
voting.jpg
1min3790

લોકસભાની ૫૧ બેઠક માટે પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે સવારે 7 વાગ્યાથી શરુ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ જગ્યાઓ પરથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયાના અહેવાલો મળ્યા છે.

આજે યોજાઇ રહેલા મતદાનમાં સ્ટાર ઉમેદવારોમાં રાહુલ ગાંધી, રાજનાથસિંહ, રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક માટે કુલ ૬૭૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મોટાભાગની બેઠકો હિંદી બોલતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે આમાંની મોટાભાગની બેઠકો જીતી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી માટે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની ચૂંટણી વખતે સૌનું ધ્યાન ખાસ તો ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કર પર રહેશે. પાંચમા તબક્કામાં

૫૧ બેઠકનું વિભાજન આ પ્રમાણે છે –

બિહાર (પાંચ બેઠક),

જમ્મુ અને કાશ્મીર (બે બેઠક),

ઝારખંડ (ચાર બેઠક),

મધ્ય પ્રદેશ (સાત બેઠક),

રાજસ્થાન (૧૨ બેઠક),

ઉત્તર પ્રદેશ (૧૪ બેઠક) અને

પશ્ચિમ બંગાળ (સાત બેઠક).

આ માટેની મતગણતરી ૨૩મી મેને દિવસે કરવામાં આવશે.

કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના સ્ટાર ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સખત ટક્કર આપવાનો અંદાજ તથા કૉંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે કપરા ચઢાણ હોવાનું, પણ રાયબરેલીમાં સરળતાથી જીત મેળવી શકવાનો અંદાજ જાહેર કરાયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ સામે સ્મૃતિએ લીધેલી ટક્કરમાં રાહુલની જીતનું માર્જિન માંડ એક લાખની આસપાસ પહોંચ્યું હતું. આ વખતે એમાં શો ફેરફાર થાય છે એ પર સૌની નજર રહેશે.

રાજસ્થાનની ૧૨ લોકસભા બેઠક માટે ૧૩૪ ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે.

ઝારખંડની લોકસભાની ચાર બેઠક માટે ૬૧ ઉમેદવારે નામ નોંધાવ્યા છે અને રાજ્યના ૬૫ લાખ મતદારો એમના ભાગ્યનો ફેંસલો સોમવારે કરશે.

બિહારની પાંચ લોકસભાની બેઠક માટે ૮૨ ઉમેદવારે નામ નોંધાવ્યા છે. આ પાંચમાંથી હાજીપુર અને સારનની બેઠક અનુક્રમે રામવિલાસ પાસવાન અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાય છે. આ પાંચ બેઠક માટે ૮૭.૫૦ લાખ મતદારો ૮૨ ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરશે.

May 6, 2019
NEET-1.png
1min4350

હમ્પી એક્સપ્રેસ મોડી પડવાથી અને અગાઉથી માહિતી આપ્યા વિના પરીક્ષા કેન્દ્ર બદલાઇ જવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘નીટ’ની પરીક્ષા આપવામાં અસફળ રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ આમતેમ નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

બેંગલુરુમાં ‘નીટ’ પરીક્ષામાં ફેલાયેલી અંધાધૂંધીની વચ્ચે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ વિદ્યાર્થી અને તેમના માતાપિતા સાથે જોડાયા હતા અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનું ચૂકી ગયા તેમની માટે સ્પેશિયલ પરીક્ષાનો બંદોબસ્ત કરવા માગણી કરી હતી.

ટ્વિટર પર મૂકેલા એક સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે હમ્પી એક્સપ્રેસ સાત કલાક મોડી પડવાથી ઉત્તર કર્ણાટકના સેંકડો વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયા હતા. કુમારસ્વામીએ વડા પ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયૂષ

ગોયલ અને માનવ સંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને મધ્યસ્થી કરવા અને જે વિદ્યાર્થીઓ ટ્રેન મોડી પડવાને કારણે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ પરીક્ષામાં બેસવા બીજી તક આપવા જણાવ્યું હતું.

May 4, 2019
mumbai_monsoon.jpg
1min6160

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

May 3, 2019
fani1.jpg
1min3880

ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

May 2, 2019
cbse_logo.jpeg
2min7730

સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 સાયન્સ, કોમર્સ, હ્યુમેનિટીઝ તમામ પ્રવાહોની રાષ્ટ્રવ્યાપી અને આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવેલી પરીક્ષાનું પરીણામ આજરોજ તા.2 મે 2019ના રોજ ઘોષિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સીબીએસઇની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ ડાઉનલોડ કરી શકશે. સમગ્ર દેશના ઇતિહાસમાં સી.બી.એસ.ઇ. દ્વારા સૌથી વહેલું પરીણામ ઘોષિત કરવાનો પણ વિક્રમ આ સાથે જ રચાઇ જશે.

CBSE Class 12th Result 2019 releasing today

The Central Board of Secondary Education (CBSE) is going to announce the Class 12 results today (Thursday, May 02, 2019) on the official portal – cbse.nic.in. The CBSE Class 12 result 2019 will be declared at 12.15 PM today at a press conference scheduled to be held at the Conference Hall, 2nd Floor, CBSE, HQ, Preet Vihar, Delhi. The CBSE Board had conducted the annual examination for class 10 and class 12 in the month of February-March 2019.

A total of 31,14,821 candidates had registered for Class 10 and Class 12 board examination this year including 28 transgender. The exams were held at 4,974 centres across India and 78 centres abroad.
Where to check the CBSE Class 12th Board exam result 2019?

The results of CBSE Class 12 Arts, Science and Commerce students will be released on the official website of the Board – cbse.nic.in. The students who appeared for the class 12 exam 2019 can also check their result on other websites like – cbse.examresults.net, cbseresults.nic.in and results.gov.in.

The students who appeared for the CBSE Class 12 annual board examination 2019 can follow the steps given below to download the result
1) Open the results portal of the CBSE Board – cbseresults.nic.in
2) On the homepage, you will find a link – “CBSE Board Class 12 results 2019”, click on the link
3) It will redirect to the results page
4) Now, enter your roll number, select the stream and submit
5) Your result will be shown on the screen
6) Download it or take a print out of the same for further reference

 

May 2, 2019
gst.jpg
1min3010

ગત એપ્રિલ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની વસૂલી માર્ચ મહિનાના રૂ. 1.06 લાખ કરોડ સામે વધીને રૂ. 1.13 લાખ કરોડની વિક્રમ સપાટીએ રહી હોવાનું નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલ મહિનામાં જીએસટી પેટેની કુલ વસૂલી રૂ. 1,13,865 કરોડની સપાટીએ રહી હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. 21,163 કરોડની, સ્ટેટ જીએસટી પેટેની રૂ. 28,801 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ. 54,733 કરોડ અને રૂ. 9168 કરોડ સેસનો સમાવેશ થતો હતો. ગત 30 એપ્રિલ સુધીમાં વેચાણનાં રિટર્ન જીએસટીઆર3બી ફાઈલ કરનારની સંખ્યા 72.13 લાખની રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2019-20ના પહેલા અથવા તો એપ્રિલ મહિનામાં થયેલી જીએસટીની વસૂલી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. તેમ જ એપ્રિલ 2018ની સરખામણીમાં થયેલી રૂ. 1,03,459 કરોડની વસૂલી સામે 10.05 ટકાની આકર્ષક વૃદ્ધિ થઈ હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારે આઈજીએસટીનાં રેગ્યુલર સેટલમેન્ટમાંથી રૂ. 20,370 કરોડ સીજીએસટી પેટે અને રૂ. 15,975 કરોડ એસજીએસટી પેટે સેટલ કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે રહેલા બેલેન્સમાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની 50:50ની સરાસરીની જોગવાઈ અનુસાર સરકારે રૂ. 12,000 કરોડ પણ સેટલ કર્યા હતા.

એકંદરે એપ્રિલ મહિનામાં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેસૂલી આવક સીજીએસટીની રૂ. 47,533 કરોડની અને એસજીએસટીની રૂ. 50,776 કરોડની રહી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકાર સીજીએસટી પેટે રૂ. 6.10 લાખ કરોડ, 1.01 લાખ કરોડ કોમ્પેન્શેસન સેસ અને આઈજીએસટી પેટે રૂ. 50,000 કરોડની વસૂલીની ધારણા મૂકી છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018-19માં સીજીએસટી વસૂલી રૂ. 4.25 લાખ કરોડ રહી હતી, જ્યારે કોમ્પેન્સેસન સેસની વસૂલી રૂ. 97,000 કરોડ કરતાં વધુ રહી હતી. વધુમાં ગત મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ 2018-19ની સરેરાશ માસિક રૂ. 98,114 કરોડની સરખામણીમાં 16.05 ટકાની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

May 2, 2019
fani.jpg
1min2990

ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.

May 2, 2019
political_parties.jpg
1min4160

રાજકીય પક્ષો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચની જાહેરાત કરે તેને લગતી માર્ગદર્શિકાનો અમલ થાય તેની ખાતરી કરવાની તેમની સત્તા અંગે જાણકારી આપતું સોગંદનામું દાખલ કરવાનો દિલ્હી હાઈ કૉર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભામ્ભાનીએ સોગંદનામું રજૂ કરવાની ચૂંટણી પંચને છેલ્લી તક આપી હતી અને કહ્યું હતું કે જો ચૂંટણી પંચ એમ કરવામાં નિષ્ફળ જશે તો કૉર્ટ આદેશ બહાર પાડશે.

આ બાબત છેલ્લાં પાંચ વર્ષથી અનિર્ણિત પડી રહી હોવાની તેમ જ આ મામલે સોગંદનામું દાખલ કરવા ચૂંટણી પંચને ફેબ્રુઆરીમાં આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેમણે તેનો અમલ ન કર્યો હોવાની કૉર્ટે નોંધ લીધી હતી. અરજકર્તા એનજીઓ અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કૉર્ટમાં હાજર રહેલા ઍડવોકેટ અરવિંદ નિગમે દલીલ કરી હતી કે રાજકીય પક્ષો આવકવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતા, પરંતુ છૂટનો દાવો કરે છે માટે આ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

આ મામલે આગામી સુનાવણી માટે 16 જુલાઈ મુકરર કરવામાં આવી છે.

May 2, 2019
masood1.jpg
1min4260

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)એ બુધવારે (01/05/2019) પાકિસ્તાનમાંના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્ર્વિક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો. અગાઉ, ચીને મસૂદ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની (કાળી યાદીમાં મૂકવાની) દરખાસ્ત સામે પોતાના દ્વારા ટૅક્નિકલ કારણ આપીને ઊભું કરાયેલું વિધ્ન દૂર કરતા માર્ગ મોકળો થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક પ્રતિબંધ માટેની યાદીમાં મૂકવા માટેની કાર્યવાહીમાં ટેકો આપનારા દેશોના આભારી છીએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરતા હવે તેની અસ્કયામત સ્થગિત કરાશે અને તેના પર (અન્ય દેશમાં) મુસાફરી કરવા પર તેમ જ તેને શસ્ત્રો અને ભંડોળ આપવા પર પ્રતિબંધ મુકાશે. ફ્રાંસ, યુકે અને અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચીન આ દરખાસ્ત સામે ટૅક્નિકલ કારણ રજૂ કરીને અવારનવાર વિઘ્ન નાખતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિબંધ મૂકતી સમિતિના સભ્યો સર્વસંમતિથી નિર્ણય લે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પણ તાજેતરમાં બીજિંગ ખાતે જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુદ્દો સલાહમસલતથી જલદી ઉકેલીશું.

અગાઉ, ચીને જૈશે મહંમદના વડાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે છેલ્લે 13મી માર્ચે વિઘ્ન નાખ્યું હતું અને તે પસાર થતાં અટકાવી હતી.

મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ચોથી દરખાસ્ત 13મી માર્ચે રજૂ કરાઇ હતી. જૈશે મહંમદના વડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષથી પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે આવી એક દરખાસ્ત 2009માં જાતે રજૂ કરી હતી અને તે પછી 2016માં આવી વધુ એક દરખાસ્ત અમેરિકા, ફ્રાંસ અને યુકેના ટેકાથી રજૂ કરાઇ હતી.