CIA ALERT

ઇન્ડીયા Archives - Page 151 of 183 - CIA Live

May 16, 2019
sherpa_everest.jpeg
1min5390

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.

કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.

પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.

કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.

May 15, 2019
world_cup_logo.png
1min7490

ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યં હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.
આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.
May 15, 2019
monsoon.png
1min3810

ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.

May 12, 2019
cash.jpg
1min5190

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અત્યાર સુધી એટલે કે 6ઠ્ઠા તબક્કા અગાઉ સુધી રૂ. 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત દેશ જુદા જુદા રાજયોમાંથી ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

પાંચ વર્ષ અગાઉ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2014ની ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી અને તે પૈકીની મોટાભાગની રકમ આધારભૂત પુરાવાઓ રજૂ કરાતાં એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

2014માં ચૂંટણી સમયે અનેક કેસો કરવામાં આવ્યા હતા પરંતુ, એ પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી

 

 

 

May 12, 2019
voting.jpg
1min3470

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 11, 2019
jkhighway.jpg
1min6910

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.

કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 10, 2019
ayodhya.jpg
1min4310

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 10, 2019
cancel-1280x960.jpg
1min6440

ઘર ખરીદનારાઓએ ગયા નાણાકીય વર્ષમાં ફ્લેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસૂલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટની છૂટ પણ મળશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને રહેણાક એકમો પર પાંચ ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર એક ટકા જીએસટી પહેલી એપ્રિલ 2019થી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર વસૂલવાની છૂટ મળે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા આ પ્રકારની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોને આઇટીસી સાથે 12 ટકાનો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમા એફોર્ડેબલ હાઉસિંગ માટે આઇટીસી સાથે આઠ ટકા અથવા તો આઇટીસી વગર એક ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ખરીદનાર દ્વારા ડેવલપરને ક્રેડિટ નોંધ સેક્શન 34ની જોગવાઈ મુજબ ભાવફેરના સંદર્ભમાં કે બુક કરવામાં આવેલા ફ્લેટનો સોદો કેન્સલ થાય ત્યારે ઉપરોક્ત જોગવાઇઓ લાગુ પડશે.

ડેવલપર આ પ્રકારની ક્રેડિટ નોટની રકમ પર ચૂકવેલા વેરા અંગે ટેક્સ એડજસ્ટમેન્ટને પાત્ર બનશે. જેમકે કોઇ ડેવલપરે ₹1.20 લાખ પર 12 ટકાના દરે વેરો ચૂકવ્યો હોય અને તેની કુલ બૂકિંગ રકમ પહેલી એપ્રિલ 2019 પહેલા દસ લાખ રૂપિયા હોય તથા બુકિંગ પહેલી એપ્રિલ 2019 પૂર્વે કે પહેલાં રદ થાય તો તેને જીએસટીની ₹1.20 લાખની જવાબદારી સામે ટેક્સ એડ્જસ્ટમેન્ટનો અધિકાર મળશે.

એક્સપર્ટસ કહે છે કે ઉપરોક્ત ગાઇડલાઇન્સને કારણે ડેવલપરને કરબોજો ઘટાડવામાં મદદ મળશે, જે તેણે ઘણી વખત જૂનાં બૂકિંગ રદ થવાની સ્થિતિમાં વેઠવો પડે છે.

એક વખત રિયલ એસ્ટેટ ડેવલપર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર જૂની જીએસટી કર પદ્ધતિ પસંદ કરે અથવા તો નવી પસંદ કરે તે પણ તે જ્યુરિસડિક્શનલ કમિશનર પાસે મેન્યુઅલી કરાવી શકશે. જોકે તેને તેમાં સુધારો કરવાની છૂટ નહીં મળે.

ડેવલપરો સામાન્ય રીતે જેને ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) તરીકે જાણે છે તેમાં જમીનની ખરીદીના સંદર્ભમાં એફએક્યુએ જણાવ્યું હતું કે તેમાં પહેલી એપ્રિલ 2019 પછીના કરારો પર જીએસટી લાગુ નહીં પડે. જોકે, ટીડીઆર કરાર પહેલી એપ્રિલ 2019 પૂર્વે કરવામાં આવ્યો હોય તો ડેવલપર ચૂકવાયેલા જીએસટી પર ક્રેડિટ ક્લેમ ન કરી શકે. જીએસટી રેજિમમાં ટીડીઆર પર 18 ટકાના દરે વેરો લાગે છે.

May 10, 2019
mahagathbandhan.jpg
1min3600

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે એવામાં જો ચૂંટણીના પરિણામો બાદ ભાજપને બહુમત માટે જરૂરી આંકડો ન મળે તો કેવી રીતે સરકાર બનાવવાનો દાવો રચી શકે આ માટે વિપક્ષી દળોએ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઘણા બધા વિપક્ષી દળો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. એવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ રહેલી મીટિંગ સૂચવે છે કે તેઓ એકબીજા સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

May 6, 2019
aksaytrititya.jpg
1min13310

તા.7મી મે 2019ને મંગળવારે ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસે 24 કલાક સારા મુર્હુત આવે છે એ અખાત્રીજ-અક્ષય તૃતીયાના દિવસને લગ્નાદિ કાર્યો માટે વિશેષ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.

 

તા.૭ મે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો આ દિવસે યોજાશે.

તેમાં પણ આ દિવસે ગોચરમાં મેષ રાશિમાં બુધાદિત્ય યોગ, ઉદિત લક્ષ્મી યોગ છે, જે થોડી મિનિટો માટે જ છે, પરંતુ સાંજે ૪.૨૭ મિનિટે રાજયોગનો પણ પ્રારંભ થાય છે.

તા.૭મી મેના રોજ ‘અક્ષય તૃતીયા’ની પુણ્ય અને પવિત્ર તિથિ આવે છે. અક્ષય તૃતીયાનાં દિવસે ગોચરમાં પણ કેટલાંક પવિત્ર અને શુભકર્તા યોગ થઈ રહ્યાં છે. જે અંતર્ગત સવારે ૬.૦૩થી ૬.૫૩ સુધી એટલે કે ૫૦ મિનિટ સુધી લક્ષ્મી યોગ છે અને મેષ રાશિમાં ઉચ્ચના સૂર્યની સાથે બુધ રહેતાં ‘બુધાદિત્ય યોગ’નો પણ સંયોગ થઈ રહ્યો છે.

તૃતીયા તિથિ, મંગળવાર અને સાંજે ૪.૨૭ મિનિટથી મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થતાં જ ‘રાજયોગ’નો પણ પ્રારંભ થાય છે, જે સોનામાં સુગંધની જેમ ઉમેરાય છે. એકંદરે, ઉપરોક્ત તમામ યોગો સાથેની આ અક્ષય તૃતીયા ખૂબ જ ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને આ દિવસ દાન-પુણ્ય, જપ-તપ અને લગ્નાદિ માંગલિક કાર્યો માટે પણ ઉત્તમ બની રહેશે.

સામાન્ય રીતે આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ, લગ્ન માટે તો ઉત્તમ છે જ. તે ઉપરાંત, આગામી સમયગાળામાં જેઓનાં લગ્ન થવાનાં છે, તેઓનાં માટે લગ્નસરાની ખરીદી, સોનું-ચાંદી વગેરે ખરીદી માટે પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને શુકન માટે પણ શ્રદ્ધાળુઓ આ દિવસે સોનાં-ચાંદીની ખરીદી કરે તો પણ તે ઉત્તમ ફળદાયી બની રહે છે.

સૂર્યોદયથી ૫૦ મિનિટ દરમિયાન લક્ષ્મી યોગ દરમિયાન ‘ઓમ્ હ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ મંત્રનો જાપ ઉત્તમ ફળદાયી બની રહેશે. જ્યારે સાંજે ૪.૨૭ બાદ થતો રાજયોગનો વિશિષ્ટ સંયોગ ઉત્તમ બળ પૂરું પાડનારો બની રહેશે.

વિદ્યાકીય સફળતા માટે તથા રાજકીય પ્રગતિ માટે જે વિશિષ્ટ કાર્ય કરવો હોય તેઓ માટે પણ આ અક્ષય-તૃતીયા ખૂબ જ શુભ ફળદાયી બની રહેશે. જેમકે, આ દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરીને, વિશિષ્ટ અર્ઘ્ય પ્રદાન કરીને વિદ્યાકીય કાર્ય અને રાજકીય કાર્યનો પ્રારંભ કરવો ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને ‘આદિત્યહૃદય સ્તોત્ર’નું પઠન પણ આ દિવસે કરી શકાય છે.