CIA ALERT

ઇન્ડીયા Archives - Page 153 of 183 - CIA Live

April 30, 2019
rafale-fighter-1.jpg
1min4390

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

April 29, 2019
VOTING11.jpg
1min3290

આજે તારીખ 29 એપ્રિલના રોજ સોમવારે ભારતમાં હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ મતદાન બહું જ મંદ ગતિએ શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા બાદ મતદાનમાં થોડી સ્પીડ જોવા મળી હતી.

આજે બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની 6-6, મહારાષ્ટ્રની 17, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની 13-13 સીટો અને પશ્ચિમ બંગાળમાં 8 સીટો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે કુલ 42 સીટો પર પણ મતદાન ચાલી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં આજે દેશના 9 રાજ્યોની કુલ 71 સીટો પર યોજાઇ રહેલા મતદાનમાં  945 ઉમેદવારો નું રાજકીય ભાવી મતદારો નક્કી કરી રહ્યા છે.

સવારે 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી જારી રહેશે.

ચોથા તબક્કાના મતદાનમાં ઉત્તરપ્રદેશની કન્નૌજ, બિહારની બેગુસરાય અને મધ્યપ્રદેશની છિંદવાડાની સીટ પર લોકોની નજર રહેશે. રાજનૈતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાયની સીટ પર છે કે જ્યાં બીજેપી નેતા ગિરિરાજ સિંહની સામે સીપીઆઈના વિદ્યાર્થી નેતા રહી ચૂકેલા કન્હૈયા કુમાર મેદાનમાં છે.

April 29, 2019
fani.jpg
1min1079

દેશમાં એક તરફ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિક્રમી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વી રાજ્યોમાં આગામી બે દિવસમાં અતિશય વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભીષણ તોફાનમાં બદલાઈ શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતા મુજબ ચક્રવાત તમિલનાડુ નહીં પહોંચે, પરંતુ તેની અસરથી ઉત્તરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. આ પહેલા ચેન્નઈ સહિત ઉત્તર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના કરાઈ રહી હતી.

પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના

ચક્રવાતી તોફાન ફની આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાત તોફાન અને આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભયાનક તોફાન બની શકેછે. હવામાન વિભાગ મુજબ, પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર

ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકૃત માહિતી કહે છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના પડોશી વિસ્તારમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેની અસર નજીકના રાજ્યો પર પણ પડી શકે છે. બધા મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર કરાયું છે.

હવામાન વિભાગે કહ્યું કે ફની તમિલનાડુના તટને પાર કરવાની કોઈ સંભાવના નથી. બુલેટિનમાં કહેવાયું હતું કે રવિવારથી તમિલનાડુ, પોંડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી અને તેની આસપાસ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરીના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ પણ આપી છે.

April 28, 2019
voting.jpg
1min4220

લોકસભામાં રાજ્યની ૧૭ સીટમાંથી ૮ બીજેપી પાસે અને ૯ શિવસેના પાસે હતી : કૉન્ગ્રેસ-એનસીપી આ વખતે ગઢમાં ગાબડું પાડી શકશે?: ૩૨૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ૩.૧૧ કરોડ મતદારો

મુંબઈની ૬ સીટ સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન સોમવાર તા.29મી એપ્રિલના રોજ યોજાïવાનું છે. આશરે ૩.૧૧ કરોડ મતદાતાઓ તેમના મતનો ઉપયોગ કરીને આ ૧૭ બેઠકો પર ૩૨૩ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

મહારાષ્ટ્રમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન કરવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી જેમાં આ પહેલાં રાજ્યમાં ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન યોજાયું હતું, જ્યારે ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે ૩૩,૩૧૪ પોલિંગ-બૂથમાં મતદાન યોજાશે. ગઈ લોકસભાની ચૂંટણીમાં આ ૧૭ સીટો પર જીત હાંસલ કરનાર બીજેપી-શિવસેના યુતિ એનો ગઢ જાળવી શકશે કે નહીં એનો ફેંસલો મતદારો કરશે.

મુંબઈમાં આશરે એક કરોડ મતદાતાઓ ૬ સીટ પર લોકસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે જેમાં મુખ્યત્વે ત્રણ-ત્રણ સીટ પર બીજેપી-શિવસેના યુતિ અને પાંચ સીટ પર કૉન્ગ્રેસ અને એક સીટ પર એનસીપીના ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. ૧૭ સીટ પર કુલ ૩,૧૧,૯૨,૮૨૩ મતદારોમાંથી ૧,૬૬,૩૧,૭૦૭ પુરુષો અને ૧,૪૫,૫૯,૬૯૮ મહિલાઓ તેમ જ ૧૪૧૮ તૃતીયપંથી મતદારો છે.

દેશમાં લોકસભાની બેઠકોની રાજ્યવાર સંખ્યામાં ૮૦ બેઠકો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ અને ૪૮ બેઠકો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. અત્યાર સુધી પ્રથમ ત્રણ તબક્કામાં ૩૧ લોકસભાની સીટ પર મતદાન યોજાઈ ચૂક્યું છે, જ્યારે મુંબઈમાં ૬ સીટ પૈકી મુંબઈ નૉર્થ, મુંબઈ-નૉર્થ-વેસ્ટ, મુંબઈ-નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ-નૉર્થ-ઈસ્ટ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ તેમ જ મુંબઈ નજીકનાં શહેરો થાણે, કલ્યાણ અને નૉર્થ મહારાષ્ટ્રમાં નંદુરબાર, ધુળે, દિંડોશી અને નાશિક અને પુણે જિલ્લામાં માવળ અને શિરુર તથા અહમદનગર જિલ્લાના ર્શિડીમાં સોમવોર યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓને પ્રશાસન આખરી રૂપ આપી રહ્યું છે.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં રાજ્યની આ ૧૭ સીટ પર કેસરિયા બ્રિગેડની યુતિ બીજેપીએ ૮ અને શિવસેનાએ ૯ સીટ પર જીત હાંસલ કરી હતી એથી આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ-એનસીપી આઘાડી અને એને ટેકો આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આ ૧૭ સીટમાં ગાબડું પાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે, જ્યારે સામા પક્ષે કેસરિયા યુતિ અને એને ટેકો આપનાર આરપીઆઇ (આઠવલે) આ ૧૭ સીટ પર ફરી વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

April 27, 2019
bitcoinamrely.jpeg
1min3750

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 26, 2019
modi_roadshow.jpg
1min10120
6 કિલોમીટર લાંબા રોડ શોમાં જોડાયા ભાજપના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો : દશાશ્વમેઘ ઘાટે કરી
ગંગાઆરતી:’ આજે ઉમેદવારી નોંધાવશે
વારાણસીમાં રોડ શો પહેલા વડાપ્રધાન મોદીએ બાંદામાં એક રેલીને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડમાં મા ભારતીના ગૌરવ ગાનની જુની પરંપરા છે અને બુંદેલખંડમાં પહોંચીને એક વીર જવાનને નમન કરવાનો મોકો મળ્યો છે. જેઓ સ્વાગત માટે કતારમાં જોવા મળ્યા હતા. મોદીએ વિપક્ષને નિશાને લેતા કહ્યું હતું કે, ત્રણ તબક્કાના મતદાન બાદ વિપક્ષનો ચહેરો ઉતરી ગયો છે કારણ કે તેઓ પરિણામ જાણે છે. વધુમાં હિન્દી ફિલ્મ નિલ બટે સન્નાટાની તર્જ ઉપર મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં વિપક્ષી દળ ઝીરો બટે સન્નાટા રહેશે.’

વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજ્જારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડયા હતા. આ રોડ શોમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રોડ શો શરૂ કરતા પહેલા મોદીએ બીએચયુના સંસ્થાપક મદન મોહન માલવીયાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 6 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી હતી. જે શહેરના લંકા વિસ્તારથી મુદૌલિયા થઈને દશાશ્વમેઘ ઘાટ સુધી ચાલી હતી. ત્યાર બાદ દશાશ્વમેઘ ઘાટે મોદીને ગંગા આરતી કરી હતી.

આજે મોદીની ઉમેદવારી માટે એન.ડી.એ.ના મોટા માથાંઓ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન મોદીના રોડ શોને જોવા માટે વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેનું મોદીએ અભિવાદન ઝિલ્યું હતું. ભવ્ય રોડ શો બાદ મોદીએ દશાશ્વમેઘ ઘાટે ગંગા આરતી કરી હતી અને રાત્રીના વારાણસીની હોટલ ડી પેરિસમાં વારાણસીના જાણીતા ચહેરાઓ સાથે વાતચીત કરી હતી. રોડ શો બાદ આજે શુક્રવારે જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના સાથી પક્ષોના પ્રમુખ અને ભાજપના મંત્રીઓની હાજરી વચ્ચે વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર દાખલ કરશે. જેમાં વ્હેલી સવારે બુથ પ્રમુખો અને પક્ષના કાર્યકર્તાઓને સંબોધન બાદ સવારે 11 વાગ્યે ભગવાન કાળ ભૈરવની પૂજા કરશે.
April 26, 2019
nirav.jpeg
1min4230

પંજાબ નેશનલ બૅંક સાથે એક અબજ ડૉલરની છેતરપિંડી કરવામાં અને મની લૉન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ 48 વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે. નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ર્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા 29 માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

‘આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બૅંકને 1-2 અબજ યુએસ ડૉલરનું નુક્સાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,’ એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જ્યુડિશિયલ રિમાન્ડની 28 દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના ક્લાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિક્યોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેક્ટ્રોનિક ટૅગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો 2017માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે.

સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બૅંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર ઍરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઑફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જ્યારે નીરવ મોદી નવો બૅંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

April 25, 2019
bjp_vs_congress.jpg
1min2970

આ વખતે કોંગીના 423 સામે ભાજપના 437 ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર 44 સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.

કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે 423 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે 437 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબાદ પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જોવામાં આવે છે.’ જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં 1998-99માં કેદ્રમાં સત્તા મેળવી હતી પરંતુ 2014ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને 282 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે.

2014માં કોંગ્રેસને 44 સીટો મળી હતી પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે 464 ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 428 ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં ભાજપે 433 અને કોંગ્રેસે 440 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

April 25, 2019
cji.jpg
1min12180

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ જાતિય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની તપાસ પેનલમાં રહેવાનો જસ્ટિસ એન વી રમનાએ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની તપાસ પેનલમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

April 25, 2019
metoo-1.jpg
1min8600

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.