
સર્વોચ્ચ અદાલતે એપ્રિલમાં આરબીઆઇના એનપીએના ધારાધોરણો રદ્દ જાહેર કર્યા ત્યારપછી આજે શુક્રવારે, રિઝર્વ બેન્કે બેડ લોન્સ જાહેર કરવા માટેનું નવું કાર્યમાળખું જાહેર કર્યું છે., જેમાં અગાઉ ડિફોલ્ટર્સ જાહેર કરવા માટેની જે મુદ્દત એક દિવસની હતી તે વધારીને 30 દિવસની કરવામાં આવી છે.
રિઝર્વ બેન્કે બેડ લોનના ઉપાયરૂપે 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરેલા કડક નિયમનોને સર્વોચ્ચ અદાલતે બીજી એપ્રિલે રદ્ જાહેર કર્યા હતા, જેમાં આરબીઆઇએ એવો આદેશ આપ્યો હતો કે જો કંપની પુન:ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરે તો તેને ડિફોલ્ટર જાહેર કરી દેવી અને બેન્કઓ આ સંભવિત બેડ લોન માટે 180 દિવસની અંદર રેજોલ્યુશન શોધી કાઢવું અન્યથા મામલો બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવો.
નવા ધોરણો અગાઉના તમામ રેઝોલ્યુશન્સ પ્લાનનું તાત્કાલિક ધોરણે અમલ થાય એ પ્રમાણે સ્થાન લેશે, જેમાં ડિસ્ટ્રેસ એસેટ રિવાઇટલાઇઝિંગ ફ્રેેમવર્ક, કોપોૌ4રેટ ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ, લાંબા ગાળાના પ્રોજેક્ટમાટેની વર્તમાન લોન માટે ફ્લેક્સિબલ સ્ટ્રકચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ (એસડીઆર), એસડીઆરની બહાર માલિકીમાં ફેરફાર અને સ્ટ્રેસ્ડ એસેટ્સના ટકાુ સ્ટ્રકચરિંગ માટેની યોજના તથા જોઇન્ટસ લેન્ડર્સ ફોરમનો સમાવેશ થાય છે.
નવા પરિપત્રમાં બેડ લોનની વહેલી ઓળખ, રિપોર્ટીંગ માટેનું કાર્યમાળખું અને બેડ લોન્સ માટે સમયબદ્ધ રેજોલ્યુનની વિગતો આપવામાં આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે લેન્ડરે લોન અકાઉન્ટમાં સ્ટ્રેસ પારખીને ડિફોલ્ટની શંકા જાય તો આવી એસેટને સ્પોશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે વર્ગીકૃત કરવી. રિઝર્વ બેન્કની યોજના પ્રમાણે ડિફોલ્ટ થતાં પહેલા જ ધિરાણદાતાએ રિજોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લેવાની રહેશે.
કોઇપણ લેન્ડર, બેન્ક, એનબીએફસી કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટે ડિફોલ્ટર તરીકે કોિ બોરોઅરને જાહેર કર્યો હોય તે પછી ડિફોલ્ટના 30 દિવસની અંદર બોરોઅરની સમીક્ષા કરી લેવી. આ પછી જોઇન્ટ લેન્ડર ફોરમની રચના કરવી.















