CIA ALERT

ઇન્ડીયા Archives - Page 146 of 183 - CIA Live

June 8, 2019
npa-1280x720.jpg
1min5390

સર્વોચ્ચ અદાલતે એપ્રિલમાં આરબીઆઇના એનપીએના ધારાધોરણો રદ્દ જાહેર કર્યા ત્યારપછી આજે શુક્રવારે, રિઝર્વ બેન્કે બેડ લોન્સ જાહેર કરવા માટેનું નવું કાર્યમાળખું જાહેર કર્યું છે., જેમાં અગાઉ ડિફોલ્ટર્સ જાહેર કરવા માટેની જે મુદ્દત એક દિવસની હતી તે વધારીને 30 દિવસની કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે બેડ લોનના ઉપાયરૂપે 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરેલા કડક નિયમનોને સર્વોચ્ચ અદાલતે બીજી એપ્રિલે રદ્ જાહેર કર્યા હતા, જેમાં આરબીઆઇએ એવો આદેશ આપ્યો હતો કે જો કંપની પુન:ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરે તો તેને ડિફોલ્ટર જાહેર કરી દેવી અને બેન્કઓ આ સંભવિત બેડ લોન માટે 180 દિવસની અંદર રેજોલ્યુશન શોધી કાઢવું અન્યથા મામલો બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવો.

નવા ધોરણો અગાઉના તમામ રેઝોલ્યુશન્સ પ્લાનનું તાત્કાલિક ધોરણે અમલ થાય એ પ્રમાણે સ્થાન લેશે, જેમાં ડિસ્ટ્રેસ એસેટ રિવાઇટલાઇઝિંગ ફ્રેેમવર્ક, કોપોૌ4રેટ ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ, લાંબા ગાળાના પ્રોજેક્ટમાટેની વર્તમાન લોન માટે ફ્લેક્સિબલ સ્ટ્રકચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ (એસડીઆર), એસડીઆરની બહાર માલિકીમાં ફેરફાર અને સ્ટ્રેસ્ડ એસેટ્સના ટકાુ સ્ટ્રકચરિંગ માટેની યોજના તથા જોઇન્ટસ લેન્ડર્સ ફોરમનો સમાવેશ થાય છે.

નવા પરિપત્રમાં બેડ લોનની વહેલી ઓળખ, રિપોર્ટીંગ માટેનું કાર્યમાળખું અને બેડ લોન્સ માટે સમયબદ્ધ રેજોલ્યુનની વિગતો આપવામાં આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે લેન્ડરે લોન અકાઉન્ટમાં સ્ટ્રેસ પારખીને ડિફોલ્ટની શંકા જાય તો આવી એસેટને સ્પોશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે વર્ગીકૃત કરવી. રિઝર્વ બેન્કની યોજના પ્રમાણે ડિફોલ્ટ થતાં પહેલા જ ધિરાણદાતાએ રિજોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લેવાની રહેશે.

કોઇપણ લેન્ડર, બેન્ક, એનબીએફસી કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટે ડિફોલ્ટર તરીકે કોિ બોરોઅરને જાહેર કર્યો હોય તે પછી ડિફોલ્ટના 30 દિવસની અંદર બોરોઅરની સમીક્ષા કરી લેવી. આ પછી જોઇન્ટ લેન્ડર ફોરમની રચના કરવી.

June 8, 2019
icc-vs-bcci.jpg
1min9680

મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની પોતાની પ્રથમ લીગ મૅચમાં આર્મીના ‘બલિદાન બેજ’ ચિહ્નવાળા વિકેટકિપિંગના લીલા રંગના ગ્લવ્ઝ પહેરીને રમ્યો એ મુદ્દે ભારતના ક્રિકેટ-વહીવટકારો અને ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે.

ધોની આ સ્પર્ધામાં હવે પછી આ નિશાનવાળા ગ્લવ્ઝ ન પહેરે એની તકેદારી રાખવાની જે વિનંતી આઇસીસીએ બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઇ)ને કરી એને ભારતની આ સર્વોચ્ચ ક્રિકેટસંસ્થાએ નકારી કાઢી છે અને ઊલટાનું એણે આઇસીસીને કહ્યું છે કે તમે ધોનીને આ ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી આપો.

કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે ભારપૂર્વક કહ્યું હતું કે આ કોઈ લશ્કરી ચિહ્ન નથી એટલે ધોની એ પહેેરવાનું ચાલુ રાખશે.

જોકે, આઇસીસી આવી કોઈ પરવાનગી આપે એવી શક્યતા નથી, કારણકે નિયમ એવો છે કે વિકેટકીપિંગ માટેના ગ્લવ્ઝ પર એક જ સ્પૉન્સરનો લોગો રાખવાની છૂટ છે. ધોનીના કિસ્સામાં તેના ગ્લવ્ઝ પર એસજી લોગો અગાઉથી જ છે અને જો તેને આર્મીના નિશાનવાળો લોગો રાખવાની છૂટ અપાય તો ક્રિકેટના સાધનો સાથેના સ્પૉન્સરશિપ કરારોનો ભંગ થયો કહેવાય.

વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે સાઉધમ્પ્ટન ખાતે ભારતની પહેલી મેચમાં ધોનીના લીલા રંગના વિકેટકિપિંગના ગ્લવ્ઝ પર આર્મીનું ચિહ્ન હતું કે જે લશ્કરના પ્રતીકને મળતું આવતું હતું. ‘બલિદાન બેજ’ તરીકે ઓળખાતું એ ચિહ્ન પૅરા કમાન્ડો જ વાપરી શકે છે. ભારતીય સેનાનું ખાસ મિશન પૂરું પાડનારી યુનિટ પૅરા સ્પેશિયલ ફોર્સ (પીએસએફ) તરીકે ઓળખાય છે અને એ આ ચિહ્નનો ઉપયોગ કરે છે. 2016ની સાલમાં પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પીએસએફના જવાનોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

આઈ. સી. સી.ના નિયમો પ્રમાણે ખેલાડીઓ ધંધાદારી, ધાર્મિક અથવા લશ્કરી પ્રતીક દર્શાવી શક્તા નથી અને રાયના કહેવા પ્રમાણે ધોનીના કિસ્સામાં કોઈ ધંધાદારી કે ધાર્મિક મુદ્દો નથી જેથી ધોનીએ કોઈ નિયમભંગ કર્યો નથી.

ધોની ટેરિટોરિયલ આર્મીની પેરેશૂટ રેજિમેન્ટમાં માનદ્ લેફટનન્ટ કર્નલ છે.

એવું જાણવા મળ્યું હતું કે બીસીસીઆઇની વિનંતીને પગલે હવે આઇસીસીની ક્રિકેટ ઑપરેશન્સ ટીમ તથા વર્લ્ડ કપની ઇવેન્ટ ટેક્નિકલ કમિટી વચ્ચે ચર્ચા થશે. યોગાનુયોગ, આ બન્ને કમિટીના અધ્યક્ષસ્થાને જ્યોફ ઍલરડાઇસ છે.

ધોનીના ગ્લવ્ઝ પરનું નિશાન લશ્કરનું પ્રતીક નથી એ બીસીસીઆઇએ સાબિત કરવું પડશે. જો ઇવેન્ટ ટેક્નિકલ કમિટી એ સાબિતીથી સંતુષ્ટ થશે તો ધોનીને ફરી એ ગ્લવ્ઝ પહેરવા દેવાશે.

June 7, 2019
Pashupatinath-Temple-Nepal-1280x853.jpg
1min7870

પાંચમી સદીના આ ટેમ્પલના ટ્રસ્ટ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 1.2 અબજ રૂપિયા રોકડા

નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્ક્યામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક 1962થી 2018 સુધીના 56 વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.

પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના 1.20 અબજ (120 કરોડ) રૂપિયા વિવિધ બૅન્કોમાં જમા કરાવેલા છે, જ્યારે આ ટ્રસ્ટ પાસે કુલ 3,667 રોપાનીસ (186 હેક્ટર) જમીન પણ છે.

સુપ્રીમ કોર્ટે 2009ની 24મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્ક્યામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.

પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી 1,161 રોપાનીસ (59 હેક્ટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ તથા ગૉલ્ફ કોર્સ માટે 99 વર્ષના પટ્ટે (વાર્ષિક 50 લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા 17 રોપાનીસ જમીન બૌદ્ધા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.

June 7, 2019
jagan1.jpg
1min5470

આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિવિધ કેસોમાં તપાસ તથા દરોડા હાથ ધરવા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને છૂટ આપતી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લેતો જે આદેશ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટીની સરકારે 8મી નવેમ્બર, 2018ના દિવસે ગવર્મેન્ટ ઑર્ડર (જીઓ)ના રૂપમાં બહાર પાડ્યો હતો એને વાય. એસ. જગન મોહન રેડ્ડીની નવી સરકારે ગુરુવારે રદ કરી નાખ્યો હતો.

દેશની સર્વોચ્ચ તપાસ-સંસ્થા સીબીઆઇ પોતાની કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરે છે.

આ ધારાની કલમ 6 હેઠળ રાજ્ય સરકાર સીબીઆઇને રાજ્યમાં પોતાની સત્તાના ઉપયોગ માટેની રાબેતામુજબ મંજૂરી આપતી હોય છે અને આંધ્ર પ્રદેશ સરકારે પણ સમયાંતરે આવી મંજૂરીઓ આપી હતી. જોકે, નાયડુએ ગયા વર્ષે માર્ચમાં જ્યારથી નરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળની એનડીએ સરકાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા ત્યારથી આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને લક્ષ્યાંક બનાવવા સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.

રાજ્યમાં એ સમયની શાસક તેલુગુ દેસમ પાર્ટીની નજીકની માલિકીના કેટલાક ધંધાકીય સંસ્થાનો પર આવકવેરા સત્તાધીશોએ પાડેલા દરોડાને પગલે નાયડુ રાતા-પીળા થઈ ગયા હતા. એને પગલે તેમણે જાહેરાત કરી હતી કે તેમની રાજ્ય સરકાર આ દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને સલામતીનું કવચ પૂરું નહીં પાડે.

June 7, 2019
monsoon.jpg
1min5800

અનુકૂળ વાતાવરણને કારણે આંદામાનમાંથી મંગળવારે શ્રીલંકામાં દાખલ થયેલું ચોમાસુ આગામી 48થી 72 કલાકમાં એટલે કે આઠમી જૂન સુધી કેરળમાં દાખલ થશે, એવી આગાહી હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય રીતે 25મી મે સુધી શ્રીલંકામાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તે અંદાજે આઠથી નવ દિવસ મોડું છે. કેરળમાં ચોમાસુ બેસવાના સંકેત મળ્યા ભલે હોય, પરંતુ હવામાનમાં થઇ રહેલા પરિવર્તનને કારણે કર્ણાટક સહિત આંધ્ર પ્રદેશમાં શરૂઆતમાં પૂરતો વરસાદ પડશે નહીં, આગામી 24 કલાકમાં વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં મૉન્સૂન પહેલા જ સારો વરસાદ પડી રહ્યો છે.

આ દરમિયાન કણકવલી શહેર તથા વાગદે વિસ્તારમાં સવારે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો જેને કારણે હાઇવે પર માટીનો ભરાવો થઇ ગયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હાઇવે નજીકનાં ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સત્તાવાળાઓ દ્વારા હાઇવે પર ચોમાસા પહેલાના દરેક કામ પૂરા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કૉન્ટ્રેક્ટરોની બેજવાબદારીને કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડી હતી.

સિંધુદુર્ગમાં પણ ગુરુવાર સવારથી જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. વીજળીના કડાકા, જોરદાર પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. અડધો કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સાવંતવાડી સહિત અન્ય વિસ્તારોમાં ગુરુવારે વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. મુંબઈ-ગોવા માર્ગ પર ગાળુ વિસ્તારમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં. વૃક્ષો તૂટી પડવાને કારણે સાવંતવાડીથી કુડાળ તરફ આવનારા-જનારા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો.

રાજ્ય માટેનો અંદાજ સાતમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાશે, જ્યારે અમુક ઠેકાણે ગરમી કાયમ રહેશે.

આઠમી અને નવમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાશે. મરાઠવાડા અને વિદર્ભના અમુક જગ્યાએ ગરમી રહેશે

June 6, 2019
guj_gov_logo.png
1min7070

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 6, 2019
sensex_down.jpg
1min2960

તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યાના નકારાત્મક પ્રત્યાઘાત શેરબજાર પર વર્તાયા હતા. બપોરે શેરબજારના ઇન્ડેક્ષ એવા ગગડ્યા હતા કે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. IT શેરોને બાદ કરતાં તમામ સ્કેટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

રિઝર્વ બેંકે ભરેલા પગલાં શેરબજારને અનુકૂળ રહ્યા નહીં અને ગુરુવાર તા.6 જુન 2019ના રોજ બપોરે શેરબજારમાં ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

RBIએ રેપો રેટમાં કરેલો 0.25 ટકાનો ઘટાડો અપૂરતો લાગતાં શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. રોકાણકારો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના વધુ એક ડિફોલ્ટને કારણે ભારે વ્યથિત થયા છે.

તા.6 જુન 2019ને ગુરુવારે બપોરે સવા બે વાગ્યે BSE સેન્સેક્સ 528.10 પોઈન્ટ્સ ગગડીને 39,555.44 પોઈન્ટ્સ નોંધાયો હતો. એવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 174.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11847.15 પોઈન્ટ્સની સપાટી સતત નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યો હતો. BSE મિ઼ડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.66 ટકા અને 1.53 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

June 6, 2019
rbi.jpeg
1min15680

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.

June 6, 2019
world-bank.jpg
1min3300

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.

ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.

વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

June 5, 2019
rain.jpeg
1min3390

ભારતીય વેધશાળાની આગાહી મુજબ દેશમાં ચોમાસું થોડું વિલંબિત થવાની સંભાવના છે. ચોમાસું હવે સાતમી જૂને બેસવાની સંભાવના છે. શનિવારે પ્રાઇવેટ વેધશાળા, સ્કાયમેટે પણ ચોમાસું શરૂ થવાની સંભવિત તારીખ 4 જૂનથી બદલીને 7 જૂન કરી હતી. ગયા મહિને વેધશાળાએ જણાવ્યું હતું કે કેરળમાં 6ઠ્ઠી જૂને ચોમાસું બેસવાની સંભાવના છે. જોકે, એ તારીખમાં ચાર દિવસનો ઘટાડો કે વધારો થવાની શક્યતા પણ બતાવાઈ હતી. ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષ વર્ધને થોડા દિવસ પહેલાં સંકેત આપ્યો હતોે કે કેરળમાં ચોમાસું છ કે સાતમી જૂને બેસશે.