CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 98 of 126 - CIA Live

July 4, 2019
rathyatra_2019.jpg
1min3540

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
mount-2.jpg
1min6130

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

July 3, 2019
spice_jet-1.jpg
1min2990

સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે મુંબઈ ઍરપોર્ટ ખાતે સ્પાઇસ જેટની જયપુરથી આવેલી ફલાઇટ લેન્ડ થતી વખતે રનવે પર ઑવરશૂટ થઇ હતી. જોકે, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

spice jet slips at mumbai માટે છબી પરિણામ

જયપુરથી મુંબઈની સ્પાઇસ જેટની ફલાઇટ એસજી૬૨૩૭ રાત્રે ૧૧.૪૫ વાગ્યે રનવે પર સ્કીડ થઇને ઑવરશૂટ થઇ ગઇ હતી. જોકે, ફલાઇટને લેન્ડ કરતી વખતે પાઇલટે દેખાડેલી સતર્કતાને કારણે ફલાઇટના તમામ ૧૬૭ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ હેમખેમ બચી ગયા હતા.

મુશળધાર વરસાદને કારણે ઍરપોર્ટ પર પાણી ભરાઇ ગયા હતા તેમ જ કાદવકીચડ થતા વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ ઘટનામાં કેટલાક પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હતી.

ઘટના બાદ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેમ છતાં ફલાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં ઘણો સમય લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને ઍરપોર્ટ પર લઇ જઇ ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમને સામાન બપોર પછી મળ્યો હતો.

વિમાનને બહાર કાઢવા ૧૫૦ મીટર લાંબો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને ફલાઇટને ખેંચીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. દુર્ઘટનાને પગલે ઍરપોર્ટ ખાતે સેક્ધડરી રનવે પરથી ફલાઇટ ઑપરેટ કરવામાં આવી હતી. તેમ જ અનેક ફલાઇટો અમદાવાદ અને બેગ્લુરુ ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી.

દુર્ઘટના બાદ સિયોલથી આવી રહેલી કોરિયન ઍર ફલાઇટ કેઇ૬૫૫ને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તે જ પ્રમાણે ફ્રેન્કફર્ટથી આવી રહેલી લફથાંસા ફલાઇટ એલએચ૭૫૬ અને બૅંગ્કોકથી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૩૩૧ને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. રનવે પરથી દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૩૭ ઍરક્રાફટને રનવે પરથી હટાવવાના પ્રયત્નો મોડી રાત સુધી ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે બાવન ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પંચાવન ફલાઇટ નજીકના અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદની સાથે તોફાની અને ત્રાંસા તેજ પવનને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થાય છેત્તેમ જ સંતુલન ખોરવાતા દુર્ઘટનાનો શિકાર બનવાની સંભાવના હોય છે.

July 3, 2019
maharashtra_map.jpg
1min3160
છેલ્લા 48 કલાકથી મહારાષ્ટ્રમાં વરસી રહેલા દેમાર વરસાદે સમગ્ર મહારાષ્ટ્રનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ભારે વરસાદને પગલે પૂના અને મુંબઇમાં દિવાલો તૂટી પડતા 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય મોટી હોનારતમાં મંગળવારે ભારે વરસાદ બાદ રાત્રે રત્નાગીરી ખાતે એક ડેમ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાવા પામી છે.
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર વેરણછેરણ સ્થિતિમાં આવી ગયું છે.
Tiware dam

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.

July 2, 2019
india-1280x684.jpg
1min3290
‘એજબેસ્ટેનની પિચ અને નાની બાઉન્ડ્રી લાઇનને ધ્યાને રાખી ભારતની ઈલેવનમાં ભુવનેશ્વર અને રવિન્દ્રને તકની વકી
વિશ્વ કપ-2019માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલી હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા મંગળવારે બંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ પર વાપસી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું. બીજી તરફ બંગલાદેશે વિશ્વ કપમાં અત્યાર સુધી લડાયક દેખાવ કરીને તેની સેમિની આશા જીવંત રાખી છે. ભારત સામેની હારથી તેની આશા ધૂંધળી બની જશે. આથી બંગલાદેશ ભારત સામે મરણિયો જંગ ખેલશે તેમાં કોઇ શક નથી. મિડલ ઓર્ડરના નિષ્ફળતાથી ચિંતિત ભારતીય ટીમ બંગલાદેશ સામે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
એજબેસ્ટનને પિચ અને મેદાનની સ્થિતિ જોતા કેદાર જાધવ અને યજુર્વેન્દ્ર ચહલના સ્થાને ભુવનેશ્વ કુમાર અને રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતને નવી તૈયારીનો સમય મળ્યો નથી. ભારત હાલ 7 મેચના અંતે 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો બંગલાદેશના 7 મેચમાં 7 પોઇન્ટ છે અને છઠ્ઠા નંબર પર છે. આ મેચથી ભારતીય ટીમ ફરી તેની અસલ બ્લૂ જર્સીમાં જોવા મળશે.
એજબેસ્ટનનું મેદાન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેની એક તરફથી બાઉન્ડ્રી 60 મીટરથી ઓછી છે. જેનો ઇંગ્લેન્ડના જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસે ભારત સામે ભરપૂર લાભ લીધો હતો. આવી પરિસ્થિતિમાં તમિમ ઇકબાલ, શકિબ અલ હસન, મુશફકિર રહીમ, લીટન દાસ અને સૌમ્ય સરકાર જેવા સ્પિનર સામે સારું રમી જાણતા બેટધરો સામે ટીમ ઇન્ડિયા કાંડાથી બોલિંગ કરતા બે સ્પિનરને ઉતારવાનું જોખમ લેશે નહીં.
રિપોર્ટ અનુસાર ભુવનેશ્વર હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. આથી ભારત ટૂર્નામેન્ટમાં પહેલીવાર તેના ત્રણ મુખ્ય ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભુવીને બેટિંગથી નીચેના ક્રમનું બેટિંગ પણ મજબૂત બનશે.
બંગલાદેશની ટીમની સફળતા નંબર વન ઓલરાઉન્ડર શકિબ અલ હસનને લીધે આભારી છે. શકિબ બે સદી અને 10થી વધુ વિકેટ લઇને શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેને તમિમ, મુશફકીર અને મહમદુલ્લા જેવા ખેલાડીઓનો સારો સાથ મળી રહયો છે. બંગલાદેશની સૌથી મોટી ચિંતા સુકાની મશરેફ મુર્તઝાનું કંગાળ ફોર્મ છે. તે 6 મેચમાં ફકત 1 વિકેટ જ લઇ શકયો છે.
July 2, 2019
rain3-1.jpg
1min2990

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.

આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.

આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

July 2, 2019
narmada.jpg
1min3010

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.

July 1, 2019
cng.png
1min3690

રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.

‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.

નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.

અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.

July 1, 2019
mum-traffic_d.jpg
1min4440

છેલ્લા થોડા દિવસથી ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવાર તા.30મી જુન 2019ની રાતથી  રાતથી શરુ થયેલો મુશળધાર વરસાદ સોમવારે સવારે પણ અવિરત પણે ચાલુ રહેતા મુંબઇગરાઓ સપ્તાહના પહેલા જ દિવસે વરસાદથી બેહાલ બની ગયા હતા.

એક તરફ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો લેટ અને બીજી તરફ ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યાને કારણે કામધંધાર્થે જનારાઓની પરિસ્થિતિ સોમવારે સવારે વિકટ બની હતી.

ભારે વરસાદના કારણે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રસ્તા અને મુંબઈના રેલ માર્ગ પર પાણી ભરાવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની ગતી ધીમી પડી છે. મુંબઈને ત્રણેય લોકલ લાઈન પર પાણી ભરાતા મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર મોટાભાગની લોકલ ટ્રેન 30-40 મિનિટ જેટલી મોડી ચાલી રહી છે.

દક્ષિણની સાથે મધ્ય મુંબઈ, અને મુંબઈના જુદા જુદા પરા વિસ્તારોમાં મુલુંડ, ભાંડૂપ, કાંજુર માર્ગ, વિક્રોળી અને ઘાટકોપરમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેમજ માટુંગા, દાદર, વર્લી અને લાલબાગ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ કાલ રાતથી જ ચાલુ છે.

વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનની રફતાર ધીમી પડી રહી છે. સાથે જ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ઓવરહેટ વાયર તૂટી જ તા મરીન લાઈન્સથી ચર્ચગેટ જતી ટ્રેનો પર અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઓવર હેડ વાયર તૂટતા પશ્ચિમ રેલવેના વ્યવહારને પણ અસર થઈ છે. મુંબઈ ઉપનગર અને નવી મુંબઈ સહિત થાણે વિસ્તારમાં પણ વરસાદનું જોર હજુ ભારે હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સાથે જ હાર્બર લાઈન પર પણ ટ્રેન ધીમી ચાલી રહી છે.

ગુજરાત અને મુંબઈમાં વરસાદના કારણે મુંબઈ આવતી અને મુંબઈથી ઉપડતી ટ્રનો પર અસર પડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ અને પુણે વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જતા ત્યાંના વ્યવહાર પર અસર પડી છે.

પાલઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ટ્રેનો કેન્સલ કરવી પડી છે.

July 1, 2019
paytm.jpeg
1min14110

Jayesh Brahmbhatt 98253 44944

અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મ પરથી જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટસ માટે પેમેન્ટ કરતા ગ્રાહકો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પોતે ભોગવતી આવેલી પેટીએમ કંપની હવે આજથી જ એટલે કે તા.1લી જુલાઇ 2019થી પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરશે. એટલે કે હવેથી પેટીએમ મારફતે કોઇ વસ્તુ, પ્રોડક્ટ કે સેવા માટે પેમેંટ કરવા સાથે વધારાની રકમ ચાર્જ ગણો કે ટેક્સ એ ગ્રાહકોએ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શનની એક કોસ્ટ હોય છે, Paytm હવે આ કોસ્ટ ગ્રાહકો પાસે રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે આ વધારાના ચાર્જ સોમવારથી લાગુ પડશે.

સોફ્ટ બેન્ક અને અલીબાબા ગૃપ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળનવારી Paytm અત્યાર સુધી આ ચાર્જનો બોજો પોતે ઊઠાવી રહી હતી. પોતાના પ્લેટફોર્મથી થનારા પેમેન્ટ માટે તે એક્સ્ટ્રા રકમ ચાર્જ નહતી કરતી.

આજથી તા. 1 જુલાઈ 2019થી અમલમાં આવતા આ સંદર્ભના ડેવલપમેન્ટમાં Paytm મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું ભારણ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરૂ કરી દીધું છે.

એમ.ડી.આર. શું છે

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ જે તે બેન્ક અને કાર્ડ કંપનીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે MDR લે છે એના કહેવાય છે. પેટીએમ ન તો બેંક છે ન તો કાર્ડ કંપની, પેટીએમ ફક્ત પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે તેના દ્વારા પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ક્યાં તો બેંક ક્યાં તો કાર્ડ કંપનીનો સહારો મેળવવો પડે છે.

કેટલો ચાર્જ લાગશે

પેટીએમ દ્વારા હવેથી જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ડેબિટ કાર્ડથી 0.9 ટકા અને નેટ બેન્કિંગ તથા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ ચાર્જ ડિજિટલ પેમેન્ટના દરેક પ્રકાર પર લાગુ પડશે. જેમાં વોલેટ ટોપ અપ કરાવવાથી માંડીને યુટિલિટી બિલ અથવા સ્કૂલ ફી પેમેન્ટ કે પિક્ચરની ટિકિટ માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ સમેતની બાબતો આવરી લેવામાં આવી છે.