CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 99 of 126 - CIA Live

June 29, 2019
rajkot_new-water.jpg
1min6850

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.

દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.

June 28, 2019
whatsapp.jpg
1min3070

વ્હોટ્સએપે તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપી હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. ગ્રાહકોની પ્રાઇવેસી સાથે કોઇ સમાધાન નહીં એવા સૂત્ર સાથે અગાઉ ભારત સરકારને ડેટા સંગ્રહની ચોખ્ખી ના પાડી દેનાર વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વ્હોટ્સ એપ એ ભારતમાં પેમેન્ટ બિઝનેસ માટે ડેટા સંગ્રહ કરવાની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ભઆરતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.

ફેસબૂકની માલિકીના મેસેજિંગ એપ દ્વારા હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને લોકો માટે સત્તાવાર રીતે ગમે ત્યારે લોંચ કરવામાં આવશે એમ મનાય છે. ભારતના બેન્કિંગ રેગ્યુલેટર માટે આ બાબત સિદ્ધિ સમાન છે કેમકે, તેમણે એ નિયમ બનાવ્યો છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતના યુઝર્સનો ટ્રાન્ઝેક્શન ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે, આ નિયમ વ્હોટ્સ એપ જેવી કંપનીના સંચાલકો પાસે પળાવ્યો છે.

એવું માનવામાં આવે છે કે વ્હોટ્સએપ આઇસીઆઇસીઆઇ બેન્કની સાથે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સર્વિસ ટૂંક સમયમાં લોંચ કરી શકે છે. એ પછી તબકકાવાર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સાથેની સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે પેમેન્ટ કંપનીઓએ સૌથી પહેલાં ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપવી પડશે અને ત્યાર બાદ સેન્ટ્રલ બેન્કને ઓડિટ રિપોર્ટ આપવો પડશે. 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઇએ એક નોટમાં જણાવ્યું હતું કે, “તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સે એ સુનિશ્ચિત કરવાનું છે કે પેમેન્ટ સિસ્ટમને લગતો તમામ ડેટા ભારતીય સિસ્ટમમાં જ સંગ્રહ કરવાનો રહેશે.”

આ ઓડિટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) દ્વારા નીમેલા ઓડિટર્સ દ્વારા થવો જોઈએ.

વ્હોટ્સએપે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ICICI સાથે ભાગીદારીમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બિટા સર્વિસ પૂરતો મર્યાદિત રખાયો હતો. ભારત બહાર પ્રોસેસ થતા તમામ ડોમેસ્ટિક ડેટાને 24 કલાકની અંદર ભારત લાવીને તેને લોકલ સ્તરે સ્ટોર કરવાનો રહેશે.ચાલુ વર્ષે ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને પણ ડેટા લોકલાઇઝેશનની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

June 28, 2019
trains.jpg
1min5220

27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે : 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છેજે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.

અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે

અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણેવારાણસીસાબરમતિજનસાધારણકોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.

જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે

ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.

અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ

અમદાવાદ-નાગપુરસંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે

અમદાવાદ-ઓખા થી 10 મિનિટ મોડી ઉપડશે

અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.

નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની થી 1:15 કલાકની બચત થઇ છે.

June 28, 2019
raining.jpg
1min2930

satellite

ગુજરાતમાં ચોમેર સારા વરસાદના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે ફરીથી નવી જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદના છૂટાછવાયા ઝાટપાઓને બાદ કરતા હજુ ચોમાસુ બેઠું એવો વરસાદ વર્તાયો નથી. સુરતીઓ પણ મેહુલિયો મન મૂકીને વરસાદ વરસે એની રાહ જોઇ રહ્યા છે.

આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 28 અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં આવેલા વડોદરા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 29 તારીખે પણ રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ વગેરે દક્ષિણ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, આણંદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

June 27, 2019
kailash.png
1min2480

તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફરી રહેલા 200 જેટલા ભારતીય યાત્રાળુઓ નેપાળના હુમલા જિલ્લામાં કથિત રીતે ખાનગી ટૂર ઑપરેટરના વાંકે ફસાયા હોવાનો દાવો યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

તિબેટના બુરાંગથી ભારત-ચીન સરહદ નજીક આવેલ હિલસા ટાઉનમાં ભારતીય યાત્રાળુઓ હાલ ફસાયા છે. અહીંથી તુરંત જ હેલિકોપ્ટર દ્વારા સિમિકોટ અને ત્યાંથી તેઓ નેપાલગંજ તરફ રવાના થવાના હતા, પણ જ્યારે તેઓ હિલસા પહોંચ્યા ત્યારે એમની પહેલાના યાત્રાળુઓને પણ રોકવામાં આવ્યા હતા અને આ કારણસર એમને પણ ત્યાં રોકાવાની ફરજ પાડવામાં આવી હતી. પંકજ ભટનાગર નામના એક યાત્રાળુએ જણાવ્યું હતું કે ટૂર ઓપરેટરે અમારી અગાઉના અનેક યાત્રાળુને ત્યાં રોકાવાની ફરજ પાડી હતી અને એ કારણે અમારે પણ ત્યાં રોકાવું પડયું હતું. તેઓ ત્રણ દિવસથી અહીં છે અને એમના ગયા બાદ અમને જવા મળશે.

અન્ય એક યાત્રાળુએ પણ ફરિયાદ કરી હતી કે યાત્રાળુઓની સંખ્યા પ્રમાણે અહીં વ્યવસ્થા નથી અને સતત પડી રહેલા વરસાદને લીધે એમાં વધારો થાય છે. ઓપરેટરો યોગ્ય જવાબ નથી આપતા. ભારતીય ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર સેવા હાલ બંધ હતી, પણ હવે હવામાન સુધરી રહ્યું હોવાથી હેલિકોપ્ટર સિમિકોટ મોકલવામાં આવી રહ્યા છે. જે લોકો હિલસામાં પહેલા આવ્યા હશે, એમને પહેલા સિમિકોટ મોકલવામાં આવશે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને બીમાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.

June 25, 2019
vidaadhar.jpg
1min10860

બૅંક ખાતા ખોલવા અને મોબાઈ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે ‘આધાર’નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ 2016માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડૅટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યક્તિની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, 60 કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક ‘વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર’ પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડૅટા રિપોઝિટરીમાં રહેલો ડૅટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડૅટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

June 23, 2019
rain.jpeg
1min3040

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર :

satellite

તોફાની વાયુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઈ જવાની ભીતી હતી પણ દેશના દક્ષિણ અને મધ્યભાગમાં સારો વરસાદ શરુ થઈ ગયો છે. બે દિવસ અગાઉ મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ પહોંચી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં પણ ઠેરઠેર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રસરથી વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.

હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા સૂચન કર્યું છે. ગુજરાતના દરિયા કિનારે આગામી 5 દિવસ સુધી કોઈ પ્રકારનો ખતરો ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે પણ આ સાથે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સાવધાની સાખવાની સલાહ આપવામાં આવી છે. આ દરિયામાં 25 અને 26 તારીખ દરમિયાન ખતરાની નિશાની ગણાવાઈ છે, અને આ સમય દરમિયાન દર્શાવેલા વિસ્તારમાં માછીમારોને ના જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

June 21, 2019
PM-Modi-Yoga-Ranchi.jpg
3min6210

પાંચમા વિશ્વ યોગ દિને પીએમ મોદીએ રાંચીમાં કર્યા યોગાસન

modi

આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.

વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

યોગને સમર્પણ, શિસ્તની ઉપમા આપતા પીએમે કહ્યું હતું કે તેનું પાલન જીવનભર કરવાનું હોય છે. યોગ ઉંમર, વર્ણ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીર-ગરીબ, પ્રાંત, સરહદના ભેદથી ઉપર છે. યોગ સૌનો છે, અને સૌ યોગના છે. પીએમે કહ્યું હતું કે, આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે, અને આપણે પણ યોગ સાથે જોડાયેલા રિસર્ચ પર ભાર મૂકવો પડશે. તેના માટે જરુરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને ન રાખીએ. પીએમે યોગના જ્ઞાનને પોતાના ફોનના સોફ્ટવેર તરીકે અપડેટ કરવા પણ લોકોને અપીલ કરી હતી.

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડાં તરફ લઈ જવાની છે, ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ હિસ્સો બનાવવો છે. કારણકે ગરીબ જ બીમારીને કારણે સૌથી વધુ કષ્ટ પામે છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં ઈલનેસથી બચવાની સાથે-સાથે વેલનેસ પર પણ આપણું ફોકસ હોવું જરુરી છે. આ જ શક્તિ આપણને યોગથી મળે છે. 92 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે

View image on Twitter

June 21, 2019
gst.jpg
1min3260

બોગસ ઈનવોઈસ રજૂ કરી જીએસટી રિફંડ માગનારા 5106 નિકાસકારોની સરકારે યાદી તૈયાર કરી છે અને તેમને રિફંડ આપવા અગાઉ વેરિફિકેશન કરવામાં આવશે તેવું સરકારે ગુરુવારે કહ્યું હતું. આ પ્રકારના રિફંડની રકમ 1000 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સ્ત્રોતોએ જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં કહ્યું છે કે વાસ્તવિક નિકાસકારોના રિફંડના દાવા સમયસર ચૂકવી દેવામાં આવશે. સીબીઆઈસીએ એક નિવેદનમાં કહ્યું કે, કુલ 1.42 લાખ નિકાસકારોમાંથી ફક્ત 5106 ‘જોખમી’ નિકાસકારો હોવાની જાણ થઈ છે, જે નિકાસકારોની કુલ સંખ્યાના ફક્ત 3.5 ટકા છે. આવા જોખમી નિકાસકારોની નિકાસ ચાલુ રાખવામાં આવશે, પણ તેમના ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચકાસણી કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.

‘જોખમી’ ગણાતા નિકાસકારોએ મેળવેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની ચકાસણી કરવા સીબીઆઈસીએ કસ્ટમ્સ એન્ડ જીએસટીની ટીમને નિર્દેશ આપ્યા હતા.

આવા નિકાસકારોએ ભૂતકાળમાં મેળવેલા આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ જીએસટી) રિફંડની માહિતી સંબંધિત ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સને આપવા અને ‘જોખમી નિકાસકારો’ની ઓળખ કરવા સીબીઆઈસીએ સોમવારે ડિરેકટર જનરલ (સિસ્ટમ્સ)ને નિર્દેશ આપ્યા હતા. આવા જોખમી નિકાસકારો માટે ‘એલર્ટ’ દાખલ કરવા અને તેમના એક્સપોર્ટ ક્ધસાઈનમેન્ટની ફરજિયાત 100 ટકા (સંપૂર્ણ) તપાસ કરવા રિસ્ક મેનેજમેન્ટ સેન્ટર ફોર કસ્ટમ્સ (આરએમસીસી)ને નિર્દેશ આપવામાં આવ્યા હતા. સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે શિપિંગ બિલમાં જાહેર કરેલી ‘ફ્રેઈટ ઓન બોર્ડ’ (એફઓબી) વેલ્યૂ અને જીએસટી રિટર્નમાં દર્શાવેલી ટેક્સેબલ વેલ્યૂમાં મોટું અંતર હોય છે.’

જે કિસ્સાઓમાં કોઈ ગેરરીતિ કરવામાં નહીં આવી હોય અને ‘જીએસટી લૉ’ અનુસાર નિકાસકારે આઈટીસી મેળવી હોય તેવા કિસ્સાઓમાં ‘પોર્ટ ઓફ એક્સપોર્ટ’ના સંબંધિત કસ્ટમ ઓફિસર આઈજીએસટી રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકશે તેવું સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

જે કિસ્સામાં ગેરરીતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં કસ્ટમ ઓફિસરે રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ નહીં કરવી તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7160

જયેશ બ્રહ્મભટ્ટ

મોદી સરકારે સમગ્ર દેશમાં ઉજળીયાતો (બિન અનામત કેટેગરી)માં શિક્ષણ અને રોજગારમાં આખા દેશમાં 10 ટકા રિઝર્વેશન આપવાના કરેલા ઠરાવની પહેલી અસર ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યવાહી પર જોવા મળી છે. ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હાલ પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે મોક રાઉન્ડનું એડમિશન લિસ્ટ જાહેર કરાયું હતું.

ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન પ્રક્રિયામાં ઉજળીયાતો માટે 10 ટકા રિઝર્વેશન સુપરહીટ પુરવાર થયું છે અને ડિમાન્ડવાળી કોલેજોમાં ઓપન કેટેગરીમાં જે પ્રવેશ અટક્યા હતા અથવા જે લેવલ પર પાછલા વર્ષોમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ અટકતા હતા તેનાથી નોંધપાત્ર કહી શકાય એટલા ઓછા મેરીટે પણ ઉજળીયાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન સીટ પર પ્રવેશ મળ્યા છે.

દાખલા તરીકે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ગાંધીનગર ખાતે આવેલી પી.ડી.પી.યુ. (પંડીત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી) ખ્તાયનામ કહેવાય અને આઇ.આઇ.ટી. કે એન.આઇ.ટી.ને સમકક્ષ કહેવાય છે. આ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં પહેલો પ્રવેશ 1281 મેરીટ રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 4901 રેન્ક પર અટક્યો હતો. હવે ઉજળીયાતો માટેની જ ઇડબલ્યુએસ કેટેગરીમાં પહેલો પ્રવેશ 5282 રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 6098 રેન્ક પર અપાયો. આમ ઉજળીયાતો માટે જ્યાં 5200 રેન્ક પર પ્રવેશ અટકી જતા હતા ત્યાં છેક 6100 રેન્ક સુધી ઉજળીયાતોને પ્રવેશ મળી શક્યા હતા.

ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત મેડીકલમાં તો ઇડબલ્યુએસ કેટેગરી માટે ખાસ નવી બેઠકો વધારવામાં આવી રહી છે. આ સિવાયની બ્રાન્ચ કે અભ્યાસક્રમોમાં પણ ઓપન કેટેગરી (બિન અનામત) વર્ગને 10 ટકા રિઝર્વેશનથી ફાયદા પુરવાર થઇ રહ્યા છે.

આ પ્રકારે ડિગ્રી ઇજનેરીની દરેક કોલેજમાં ઉજળીયાતોને અનામત આપવા માટે ઉભી કરાયેલી ઇડબલ્યુએસ કેટેગરીથી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો જોવા મળ્યો છે.