CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 94 of 126 - CIA Live

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7900
સાંકેતિક ફોટો, કેરોસીન વિતરણ ગુજરાત

APL કાર્ડધારકોને 1લી ઓગસ્ટથી કેરોસીન નહીં

જયેશ બ્રહ્મભટ્ટ

જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ગુજરાતમાં સરકાર દ્વારા રાહત દરનું કેરોસીન વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત સરકારની આ કેરોસીન વિતરણની પ્રથાથી લાખો નહીં કરોડો પરિવારોનું બે ટંકનું ભોજન રંધાતું હતું. ટૂંકમાં કહીએ તો રાંધણનો મુખ્ય પરિબળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું કેરોસીન હતું, હવે એ આખો યુગ આથમી જશે. તા.1લી ઓગસ્ટથી ગુજરાતમાં રેશનિંગ કાર્ડ થકી કેરોસીન વિતરણ બિલકુલ નહીંવત બની જશે. કેરોસીન યુગના અંતની સાથે જ કેરોસીનના કાળાબજારીયાઓના ધંધા પણ બંધ થઇ જશે. લાખો લોકોને જ્યારે કેરોસીન વિતરણ રાહત દરે કરવામાં આવતું હતું ત્યારે સ્વાભાવિક છે કે તેમાં પણ કટકીબાજોનું દૂષણ ફેલાય અને કરોડોનો ભ્રષ્ટાચારનું પ્રતિક ગુજરાતનું રાહત દરનું કેરોસીન બની ગયું હતું. આ બધું જ તા.1લી ઓગસ્ટથી સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં અગાઉ શહેરોમાં રેશનિંગનું રાહત દરનું કેરોસીન બંધ કરાયું હતું, હવે આવતીકાલ તા.1લી ઓગસ્ટ 2019થી ગામડાઓ સમેત તમામ સ્થળો કે જ્યાં એપીએલ કાર્ડ ધારકોને રાહતદરનું કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરવામાં આવશે.

શહેરોમાં રેશનિંગનું કેરોસીન બંધ કર્યા બાદ હવે ગામડાઓમાં પણ કેરોસીન વિતરણ બંધ કરાશે

એ.પી.એલ. એટલે કે એબોવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધરાવતા ગુજરાતના પરિવારોને તા.૧ ઓગસ્ટ 2019 થી રેશનિંગની દુકાનો પરથી વિતરી કરવામાં આવતું રાહત દરનું કેરોસિન આપવાનું બંધ કરવાના નિર્ણયનો અમલ શરૂ થઇ જશે. કેરોસીનના વિકલ્પ રૂપે સરકારે એલ.પી.જી. ગેસ બોટલ મેળવી લેવા માટે અગાઉ તમામ કાર્ડ ધારકોને સૂચના આપી દીધી હતી.

ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તા.1લી ઓગસ્ટ 2019થી તમામ એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ કરવામાં આવશે નહીં.જે બી.પી.એલ.અને એ.એ.વાય. કેરોસીન કાર્ડધારકોને ગેસ જોડાણ નથી મળ્યા તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ ચાલુ રહેશે.

ગુજરાતના નાગરીકોને કેરોસિનના બદલે સ્વચ્છ ઇંધણ મળે તે હેતુથી પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન ના ધરાવતાં હોય તેવા એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકો સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન મેળવી લે તે માટે ૧૦-૫-૨૦૧૮માં પરિપત્ર કરી નિર્ણય કરી તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ત્યારબાદ જીલ્લા મથકોમાં એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને કેરોસિન આપવાનું બંધ કરવા નિર્ણય કર્યો હતો.

July 31, 2019
sarurashtra-1280x720.jpg
1min10250
Symbolic Pic of Rain

સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રૂસણા જાણે છોડયા હતાં. સર્વત્ર એકથી આઠ ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ થતાં અપાર આનંદ છવાઇ ગયો છે. સોમવાર સાંજથી મેઘરાજાએ ઠેકઠેકાણે ધોધમાર સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન અને આજે મંગળવારે દિવસભર હેત અવિરત રહ્યું હતું. સિઝનનો સર્વત્ર વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે.

ધ્રોળની બાવની નદીમાં ઘોડાપુર : મચ્છુ-2 ડેમમાં બે ફૂટની આવક

ભારે વરસાદના કારણે ચેકડેમ તો છલકાયા હતાં. નવા નીરની આવક શરૂ થઇ હતી. મોટા ડેમોમાં પણ પાણી ઠલવવા શરૂ થઇ ગયા હતાં. આ વખતનો વરસાદ જરૂરિયાત સમયે જ વરસી જતાં કિસાનો કાચું સોનું વરસ્યાનો આનંદ વ્યક્ત કરે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

કાળુભાર નદીના બે ચેકડેમ છલકાયા: દામોદર કૂંડ છલકાયો: સોનરખ નદીમાં પૂર

મેઘરાજાની વિશેષ કૃપા જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હતી. જામનગરના ધ્રોળ તાલુકામાં સર્વત્ર આઠ ઇંચ જેવા વરસાદથી બાવની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરનાર ઉપરના પગથિયા ઉપરથી જાણે ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો હતાં. જંગલમાં તમામ ઝરણાં વહેતા થઇ ગયા છે. વનરાજી ખીલી ઉઠી છે.

આ વરસાદથી અત્યારે પાક, પાણી અને ઘાસચારાનું ચિત્ર બદલાઇ જશે તેવી સંપૂર્ણ આશા છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર આનંદદાયક વરસાદ હતો. સ્વરૂપ શાંત હતું અને તંત્ર પણ સજ્જ હતું એટલે જામનગર અને ધ્રોળ જેવા વિસ્તારમાં મુશળધાર વરસાદ છતાં કોઇ નુકસાની કે જાનહાની થઇ ન હતી.’

July 31, 2019
consumer-Protection.jpg
1min4920
Book about Consumer Protection and gavel in a court.

લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.

કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.

લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.

રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.

નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.

પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.

કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

July 30, 2019
gseb-1280x720.jpg
2min14350

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.

બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.

પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી

આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.

જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.

આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.

July 30, 2019
truecaller.png
2min4710

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Truecaller મોબાઇલ એપ જેવી એપ વાપરતા હોવ તો ચેતી જજો, આમેય Truecaller મોબાઇલ એપ ડાઉનલોડ થવાને કારણે તમારા મોબાઇલ ફોનનો ડેટા એક્સેસ કંપનીને મળી જાય છે પરંતુ, આજે Truecaller મોબાઇલ એપ યુઝર્સ સાથે જે થયું એ મોટા ખતરાની ઘંટડી સમાન હતું. આવો જાણો શું થયું હતું.

Truecaller મોબાઇલ એપના વપરાશકર્તા આજે સવારે અચાનક જ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા કેમકે Truecaller પરથી એક એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની યુપીઆઇ સર્વિસનું રજિસ્ટ્રેશન ઓટોમેટિકલી શરૂ થઇ જતું હતું. Truecaller યુઝર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના કસ્ટમર હોય કે ન હોય, આવી પ્રોસેસ શરૂ થ જતા યુઝર્સને એવી પણ શંકા ગઇ કે તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર તો નથી બની રહ્યા ને. બીજી તરફ Truecaller યુઝર્સ કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અકાઉન્ટ હોલ્ડર છે તેમની તો મુશ્કેલીનો પાર જ ન રહ્યો. કેમકે તેમણે કોઇપણ પ્રકારની સર્વિસ એક્ટિવેટ કરાવી ન હોવા છતાં આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન શરૂ થવા માંડતા અનેક લોકોએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

જેમનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં અકાઉન્ટ હોય અને જેમનું ન હોય બન્ને પ્રકારના ટ્રુ કોલર એપ યુઝર્સને આવો મેસેજ મળતા સ્વાભાવિક છેકે તમામને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની અનુભૂતિ થઇ હતી. કોઇપણ પ્રકારની કન્સેન્ટ વગર મોબાઇલમાં ઓટોમેટિકલી આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન કેવી રીતે સંભવ છે.

ભારતમાં આ પ્રકારે હજારો નહીં પણ લાખો Truecaller યુઝર્સ આજે તા.30મી જુલાઇ 2019ની સવારે આ પ્રકારની મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે Truecaller યુઝર્સને આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ સર્વિસ રજિસ્ટ્રેશનનો આવો મેસેજ એક વાઇરસને કારણે મળ્યો હતો. Truecaller કંપનીના સત્તાવાળાઓએ આવું થવા બદલ અને યુઝર્સને પડેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી.

Truecaller કંપનીએ આ પ્રકારે દિલગીરી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.

Official statement by Truecaller:

“We have discovered a bug in the latest update of Truecaller that affected the payments feature, which automatically triggered a registration post updating to the version. This was a bug and we have discontinued this version of the app so no other users will be affected. We’re sorry about this version not passing our quality standards. We’ve taken quick steps to fix the issue, and already rolled out a fix in a new version. For the users already affected, the new version with the fix will be available shortly, however, in the meanwhile they can choose to manually deregister through the overflow menu in the app.” In 2017, Truecaller had announced a partnership with ICICI Bank to allow users to instantly create UPI ID, send money to any UPI ID or a mobile number registered with the BHIM app. It also enables users to recharge their mobile number from within the Truecaller app itself. This partnership made TruecallerICICI Bank platform among one of India’s largest mobile payment platforms.

July 30, 2019
Pm-Modi_with_tiger.jpg
1min7980

‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે. 

‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું. 

વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. 

આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.

July 27, 2019
guj_gov_logo.png
1min14020

ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે.
‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે.
સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે.
કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે.
નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.

July 27, 2019
chikufarmbullet.jpg
1min8230

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.

બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.

સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય 

શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.

July 26, 2019
Whisky.jpg
1min7020

ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં. દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી જરુરી છે.

દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.

દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ તરફ વળે છે.

દારુબંધીના નિયમો હળવા કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો જોઈએ.

ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.

ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.

July 26, 2019
auranga-river.jpg
1min4490

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.