ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.
રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.
સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.
ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો
તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.
તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.
ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.
Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.
Rule Level : 335.00 ft.
Present Water Level : 311.06 ft.
Inflow: 387968 cusecs.
G.S. : 2700.89 MCM
Percentage filling: 36.43 %
Increase in qty: 1827.16
MCM (w.r.t to mini storage of this yr)
Hathnur Level: 209.53 mt.
Outflow: 18743.08 Cusecs
ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહતિ અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને પગલે તંત્ર ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં એડીઆરએફ અને પોલીસ તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદનાં પ્રહલાદનગર, એસજી હાઇવેમાં વરસાદ પડ્યો હતો.
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.
બુદ્ધિશાળી લોકો જે જંગ લડવાની ના પાડતા હતા, કેટલાક ટેક્સ એક્સપર્ટ સુરતના વિવીંગ કારખાનેદારોને મગજ વગરના સમજતા હતા એ સુરતના નાના કારખાનેદારોના બનેલા સંગઠન ફોગવાએ ભારતમાં જી.એસ.ટી. કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સામે સિમાચિન્હ રૂપી પહેલી કાનૂની જીત મેળવી છે. પ્રત્યેક લૂમ્સ દીઠ રૂ.7 હજાર જેવી રકમ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે વિવિંગ કારખાનેદારને પાછી મળશે.
Symbolic Photo Weaving Industry
ભારતમાં જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યો એ 1 જૂન 2016થી 31 જુલાઇ 2016 સુધી વીવીંગ કારખાનેદારોએ ભરેલો ટેક્સ રિફંડ કે ક્રેડિટ કરવા માટે જીએસટી કાઉન્સિલે નનૈયો ભણી દીધો હતો. દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત 24 લાખ જેટલા લૂમ્સ પેટે ભરવામાં આવેલી રૂ.700 કરોડ જેટલી રકમની ટેક્સ ક્રેડિટ લેપ્સ કરી દેવામાં આવી હતી.
સુરતથી મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ વકીલ પ્રકાશ શાહ સાથે વાતચીત માટે મુંબઇ ગયા હતા
સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતમાં કાર્યરત હોઇ, સુરતમાં ફોગવાએ 13 મહિનાની રૂ.700 કરોડ જેટલી ટેક્સ ક્રેડિટ પાછી મેળવવા માટે કાનૂની માર્ગે લડત આપવાનું નક્કી કર્યું અને સુરતથી ફોગવાના અગ્રણીઓ મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ મુંબઇ ખાતે ખાસ એક્સપર્ટ એડવોકેટ પીડીએસ લિગલના પ્રકાશ શાહને મળવા ગયા હતા.
મુંબઇના વકીલ પ્રકાશ શાહે 15 લાખ ફી માગી હતી, ફોગવાએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવી લીધા
સુરતના ફોગવાના નેજા હેઠળ રૂ.700 કરોડની ટેક્સ ક્રેડિટ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા મુંબઇના ખ્યાતનામ વકીલ પ્રકાશ શાહને રોકવામાં આવ્યા હતા. પ્રકાશ શાહે કુલ રૂ.15 લાખ ફી થશે એમ જણાવ્યું હતું, ફોગવાના અગ્રણીઓએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવ્યા હતા. અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ શરૂ થયો હતો.
બે મુદત બાદ જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને જ્યારે એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવાયું અને એ મુજબની કાર્યવાહી જીએસટી કાઉન્સિલે કરી, એ પછીની મુદતમાં ગુજરાત હાઇકોર્ટે વિવર્સને 13 મહિનાની ટેક્સ ક્રેડિટ પાછી આપવા સંદર્ભનો આદેશ જારી કર્યો.
કેન્દ્રના નાણાં ખાતું તો અગાઉ અનેક કેસ હારી ચૂક્યું હશે પરંતુ, જીએસટી કાઉન્સિલને પહેલી વખત કાનૂની પછડાટ મળી છે અને એ પણ સિમાચિન્હ રૂપી પછડાટ છે.
દેશમાં 24 લાખ જેટલા લૂમ્સ કાર્યરત છે અને તે મોટા ભાગે 12, 18, 24, 36, 48 જેટલી સંખ્યામાં લૂમ્સ ધારક નાના કારખાનેદારોની વ્યાખ્યામાં આવે છે. જીએસટીનો અમલ થયો ત્યારથી 13 મહિના આ કારખાનેદારોએ ભરેલા જીએસટીની બાકી નીકળતી રકમ ક્રેડિટ આપવા કે રિફંડ આપવાને બદલે સીધી જ લેપ્સ કરી દેવાની પેરવી ખરેખર અન્યાયી હતી, અને ટેક્સના જાણકારો, ચેમ્બરના કેટલાક ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટોને વિવર્સની આ લડાઇમાં રસ ન હતો. પણ છેલ્લે વિવિર્સનો વિજય થયો છે.
પ્રત્યેક લૂમ્સ દીઠ અંદાજે રૂ.7 હજારની ટેક્સ ક્રેડિટ મળશે અને તા.1 ઓગસ્ટ 2018થી ભરેલા જીએસટીમાં મળવાપાત્ર રકમ રિફંડ તરીકે મળશે.
ઘણા લોકોને સવાલ થાય છે કે 1400 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, એની પણ ગણતરી એવી છે કે વિવીંગ કારખાનેદારો જે ટેક્સ ક્રેડિટ માટે લડત ચલાવી રહ્યા હતા એ ટેક્સ તેમણે જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો હતો એ તા.1લી જુન 2017થી તા.31મી જુલાઇ 2018 સુધી ભરેલા જીએસટીની રકમ પૈકી મળવાપાત્ર પરત ક્રેડિટ કે રિફંડ પેટેની રકમ રૂ.700 કરોડ થાય છે. એ પછી તા.1લી ઓગસ્ટ 2018થી જીએસટી કાઉન્સિલે વિવીંગ ઇન્ડસ્ટ્રીને મળવાપાત્ર ટેક્સ રિફંડ આપવાનો સરક્યુલર જારી કર્યો હતો પરંતુ, વિવર્સે હજુ સુધી એ સ્વીકાર્યો નથી કે ક્લેઇમ કર્યો નથી. એટલે એના બીજા રૂ.700 કરોડ મળીને કુલ 1400 કરોડનો આંકડો બોલાય રહ્યો છે.
મહાનગર પાલિકાની આજે નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. મેયર પદે ધીરૂભાઈ ગોહેલ તથા ડે.મેયરપદે હિમાંશુ પંડયા. જ્યારે સ્ટેન્ડીગ ચેરમેન તરીકે રાકેશ ધૂલેશિયાની વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ અંગેની વાતો કરાઈ રહી છે. હાલ મહિલા સશકિતકરણ પખવાડિયાની પણ ઉજવણી થઈ રહી છે. પરંતુ જૂનાગઢ મનપામાં મહિલાઓને એકપણ હોદ્દા પર સ્થાન આપ્યુ નથી.’ કમિશનર તુષાર સુમેરાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે ડે.મેયર તરીકે હિમાંશુભાઈ પંડયાના નામની દરખાસ્ત થઈ હતી. જે સર્વાનુંમતે મંજૂર થઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોળિયા તેમજ દંડક તરીકે ધરમણ ડાંગરની વરણી થઈ હતી. જૂનાગઢ મનપામાં આ વખતે પ0 ટકા મહિલા અનામતનો અમલ થયો હતો અને પ0 ટકા મહિલાઓ ચૂંટાઈ છે. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ વાતો થાય છે. અને હાલ તો મહિલા સશકિત કરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. પરંતુ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના કોઈ પણ હોદ્દા પર મહિલાઓને સ્થાન આપ્યુ ન હતું. આ ઉપરાંત જે નામ ચર્ચામાં હતાં પરંતુ પદ પર નવા જ નામોની પસંદગી થતા આશ્ચર્ય છવાયું હતું. મેયરની વરણી બાદ એન.સી.પી.ના સભ્યો અદ્રેમાન પંજાએ મેયરને પત્ર આપ્યો હતો. જેની મેયરે નોંધ લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.
સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.
મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.
ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર
મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.
ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં પહોંચીને બુધવારે ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે આ વિવિધ પ્રકારની ફરજના હેતુસર બુધવારે સવારે જ કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની ૧૫મી ઑગસ્ટ સુધી વિક્ટર ફૉર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે.
ધોની મંગળવારે કાશ્મીર નહોતો પહોંચી શક્યો, પરંતુ તેણે દિલ્હી-સ્થિત સંબંધિત લશ્કરના સંચાલનમાં જાણ કરી દીધી હતી અને બુધવારે દિલ્હીથી કાશ્મીર પહોંચી ગયો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે
ધોની એક પખવાડિયું કાશ્મીરમાં રહેશે અને સામાન્ય રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે.
ભારતીય લશ્કરના માનદ્ લેફટનન્ટ કર્નલે કાશ્મીર ખીણપ્રદેશમાં
૨૦૧૨ની સાલમાં ધોનીએ કાશ્મીરમાં ભારતીય લશ્કર સાથે એક અઠવાડિયું માણ્યું હતું. ત્યારે ધોનીએ અલગ-અલગ સ્થળે જઈને સૈન્યના જવાનો તેમ જ અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું. ધોની ત્યારે ઉરી ક્ષેત્ર સહિત ઉત્તર કાશ્મીરમાં પાક સાથેની અંકુશ હરોળની નજીકના કેટલાક સ્થળે પણ ગયો હતો. ત્યાર પછી ૨૦૧૭માં પણ તે કાશ્મીર આવ્યો હતો અને ભારતીય લશ્કર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ધોની સામાન્ય લશ્કરી અધિકારીની જેમ કાશ્મીરમાં લગભગ ૧૫ દિવસ સુધી રહેશે એવું પહેલી વાર બની રહ્યું છે. તેને દક્ષિણ કાશ્મીરમાં કયા સ્થળે ચોકીપહેરા માટે મોકલવામાં આવ્યો છે એની જાણકારી નથી આપવામાં આવી.
શું ધોનીને કોઈ ખાસ વિસ્તારમાં કે જ્યાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં દેખરેખ માટે રાખવામાં આવશે કે કેમ? એવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે ‘એ હજી સુધી નક્કી નથી. જોકે, લશ્કરની ૧૦૬-ટીએ બટાલિયનમાં તે લેફ્ટનન્ટ કર્નલ તરીકે દાખલ થયો છે અને પોતાની જવાબદારીઓ અનુસાર ગતિવિધિમાં સામેલ થશે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.