જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ મીટર સુધી પહોંચી ગયું હતું આથી ડેમનું રૂટ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.
કપરાડામાં ધોધમાર વરસાદથી સીલધા હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા. તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
હાઇ ડ્રામા અને ધાંધલ-ધમાલ બાદ ગુરુવારે આખરે આરટીઆઇ (સુધારા) ખરડો રાજ્યસભામાં પસાર કરાયો હતો.
આરટીઆઇ (સુધારો) ખરડાને સંસદની ખાસ કમિટી પાસે વધુ વિશ્ર્લેષણ માટે મોકલવાની વાતે સરકાર અને કૉંગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ વચ્ચે હાઇ ડ્રામા ખેલાયો હતો અને વિરોધ પક્ષે ચાર વખત સભા ઍડજોર્ન કરવાની ફરજ પાડી હતી.
જોકે, કમિટી પાસે ખરડાને મોકલવાના મોશનની તરફેણમાં ૭૫ અને વિરોધમાં ૧૧૭ મત પડયા બાદ એ રદ કરાયો હતો.
બપોરે સત્રની શરૂઆત બાદ નાયબ ચેરમેન હરીવંશે રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહને રાઇટ ટુ ઇન્ફર્મેશન (સુધારા) ખરડો રજૂ કરવા જણાવ્યું હતું.
ઓછામાં ઓછા પાંચ સભ્યોએ આ ખરડાને ખાસ કમિટી પાસે મોકલવાની માગણી કરતી નોટિસ આપી હતી અને સિંહે ખરડો રજૂ કર્યા બાદ ચેરને આ મામલે ચર્ચા યોજીને ત્યાર બાદ ખરડાને કમિટી પાસે મોકલવો કે નહીં એ વિશે નક્કી કરવાની વિનંતી કરી હતી.
ખરડાને કમિટી પાસે મોકલવાનો મુદ્દો ચર્ચા થયા બાદ જ લેવાની માગણી સરકારે કરી હતી, પણ કૉંગ્રેસ, ડીએમકે, સીપીઆઇ, સીપીએમ, ટીએમસી અને આપના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને એને કારણે ચાર વખત સભા બરખાસ્ત કરવી પડી હતી.
વિરોધ પક્ષના સભ્યો ચર્ચા અગાઉ જ ખરડાને કમિટી પાસે મોકલવાની જીદે ચઢ્યા હતા.
દિવસમાં ચાર વખત ૧૦થી ૧૫ મિનિટ સુધી સભા બરખાસ્ત કર્યા બાદ ફરી જ્યારે સત્ર શરૂ કરાયું ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ કાગળના ડૂચા ફેંકવા માંડયા હતા. આ વખતે નાયબ ચેરમેને જણાવ્યું હતું કે આ તમારું અશિસ્ત ગણાય અને અહીં શાળાના વિદ્યાર્થીઓ હાજર છે, તો એમના મન પર તમારી કેવી છબિ પડશે એ વિચારો.
આ દરમિયાન નાયબ ચેરમેને ઘોંઘાટ કરી રહેલા સભ્યોને વારંવાર પોતાના સ્થાને જઇને બેસવાની વિનંતી કરી હતી.
દરમિયાન, એઆઇએડીએમકેના નવનીતક્રિશ્ર્નન, શિવસેનાના અનિલ દેસાઇ અને વાયએસઆરસીપીના વિ. વિજયાસાઇ રેડ્ડીએ એમનો પક્ષ આ ખરડાને ટેકો આપે છે.
ટીડીપીમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા સાંસદ સી. એમ. રમેશ સભ્યો પાસેથી મતની સ્લીપ ભેગી કરતા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો સખત વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષના એક બે સભ્યોએ રમેશના હાથમાંથી સ્લીપ છીનવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાયબ ચેરમેને રમેશને પોતાના સ્થાને બેસી જવા જણાવ્યું હતું.
કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે ૩૦૩ બેઠક કઇ રીતે જીત્યા એ આ પરથી સાબિત થાય છે. ટ્રેઝરી બેન્ચે એનો વળતો જવાબ આપ્યા બાદ આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતાઓ વૉકઆઉટ કરી ગયા હતા. વૉકઆઉટ બાદ મૌખિક મતદાન દ્વારા બહુમતિથી ખરડો પસાર કરાયો હતો.
ડાયાબિટીઝની Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાની પેટન્ટની આડમાં ફક્ત ભારતમાંથી જ અબજો રૂપિયા ઉસેટનાર નોવાર્ટીસ કંપનીની મોનોપોલી (પેટન્ટ) આગામી ડિસેમ્બર 2019માં પૂરી થઇ રહી છે, આ ડેવલપમેન્ટની રાહ જોઇને બેઠેલી ભારત અને વિદેશની કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાનું જનરિક વર્ઝન લોંચ કરવા તત્પર છે અને તેનો સીધો જ લાભ ભારતના સવાસાત કરોડ જેટલા ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓને મળે તેમ છે.
diabetic medicines
ડિસેમ્બર 2019 પછી ભારતમાં ડાયાબિટીઝની દવાઓના ભાવમાં તોતિંગ ઘટાડો થશે.
ભારતના ફાર્મા માર્કેટમાં ડિસેમ્બર
2019થી જ ઓછી કિંમતવાળી દવા ડાયાબિટીઝની દવાઓ લોંચ થઇ જશે.
સમજો કેવી રીતે ઓછી થશે ડાયાબિટીઝની દવાની કિંમત?
Gliptins ડાયાબીટીસની દુનિયામાં નવી ઓરલ દવા છે. આ
દવા અસરકારક્તા અને ગુણવત્તામાં બેજોડ હોઇ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ દવા
વિશ્વભરમાં લોકપ્રિય બની ગઇ છે અને એક્સપર્ટસ માની રહ્યા છે કે Gliptins ડાયાબીટીસનું ફ્યુચર છે. હાલમાં ફાર્મા
બજારમાં Gliptins ત્રણ વર્જનમાં મળી રહી છે. જેમાં 1. Sitagliptin, 2. Vildagliptin 3. saxagliptin. આ પૈકી ભારતમાં નોવાર્ટીસ કંપની Vildagliptin
નામની દવાનો એક પ્રકારનો ઇજારો (પેટન્ટ) ધરાવે છે અને તેની મુદત આગામી ડિસેમ્બર
2019માં પૂરી થવા જઇ રહી છે. હાલમાં ફક્ત નોવાર્ટીસ કંપની જ આ દવા બનાવી રહી
હોવાથી કંપનીઓ ડાયાબિટીઝના દર્દીઓને ઉંચા ભાવે દવા વેચીને અબજો રૂપિયા કમાઇ રહી
છે. પરંતુ, ડિસેમ્બર 2019માં તેની પેટન્ટ પૂરી થતાં જ 15-20 ફાર્માસ્યુટીકલ્સ
કંપનીઓ Vildagliptin ની જનરિક દવાઓ લોંચ કરવા માટે પૂર્વતૈયારીઓ કરી ચૂકી છે અને એ
ભારતના બજારમાં મળતી થતાં જ ડાયાબિટીઝથી પીડાતા લોકોને દવાઓ સસ્તી મળવાની શરૂ થઇ
જશે.
Vildagliptin દવા નો માર્કેટ શેર 25 ટકા
ડાયાબીટીસના દર્દીઓને અપાતી Gliptins દવાનું 3500 કરોડનું માર્કેટ છે. તેમાં Vildagliptin
નો શેર 25 ટકા છે. ડોક્ટર્સ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમત ધરાવતી Teneligliptin દવા લખે છે. હવે Vildagliptinની પેટન્ટ પૂરી થયા બાદ આ દવા સાથે પણ
એવું જ થશે કે બીજી 20-25 કંપની આ દવા બનાવશે અને તેની કિંમત ઘટી
જશે.
હાલમાં ડાયાબિટીઝના દર્દીઓને એક દિવસની દવા પાછળ રૂ. 45 ખર્ચ થાય છે. એ હિસાબે ગણતરી કરીએ તો
વર્ષે 17 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે નોવાર્ટીસની પેટન્ટ રાઇટ ખતમ થઇ જશે
ત્યારે દૈનિક ખર્ચો રૂ.45થી ઘટીને રૂ.10-12 સુધી આવી જશે.
દવાનું જનરિક વર્ઝન લોન્ચ કર્યા બાદ
ડાયાબીટીસ થેરેપીનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જશે. ત્યાર પછી લાખો લોકો સસ્તા ભાવે આ દવા ખરીદી
શકશે.
ઝાયડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબોટ જેવી કંપનીઓ ડાયાબીટીસની નવી જનરિક દવા લોન્ચ કરવાની
તૈયારીમાં હોવાનું માર્કેટની હિલચાલ પરથી જણાય આવે છે.
સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું કે ૧૮ રાજ્યોએ પ્લાસ્ટિક કેરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અન્ય પાંચ રાજ્યોએ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળે આંશિક પ્રતિબંધ લાગુ કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ માટેનો એકશન પ્લાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપરત કર્યો છે, એમ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું.
પાંચ રાજ્યો આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરલ અને પશ્ર્ચિમ બંગાળમાં પ્લાસ્ટિક કેરી બેગ પર આંશિક પ્રતિબંધ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આસામ, બિહાર, ગોવા, મણીપુર, મેઘાલય, પુડુચેરી અને તેલંગણાએ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો નથી. ઓડિશાએ કોઈ વિગત મોકલી નથી.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ના અમલીકરણ વિશેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરવા ટ્રીબ્યૂનલે બોર્ડને કહ્યું છે. ૧૬ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશે પ્રતિબંધનો ભંગ કરનાર સામે પગલાં લીધાં છે. દસ રાજ્યોમાં કોઈ ભંગ થયો નથી. સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે કડક નિગરાની રાખવા ટ્રીબ્યૂનલે જણાવ્યું છે.
સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.
Sardar Sarovar
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.
ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.
બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.
ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના
વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની
સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં
આવી છે.
25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના
દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના
બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર
ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ
માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો
સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર
ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.
27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની
શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના
કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
માયાનગરી મુંબઇમાં ફરીથી દેમાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. મધરાતથી શરૂ થયેલો વરસાદ આજે બુધવારે સવારે પણ ચાલુ રહેતા નોકરી, ધંધાર્થે જનારા લોકો અટવાય પડ્યા હતા. મુંબઇની લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. ચોમેર ટ્રાફિક જામથી મુંબઇગરાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. જ્યારે સાયન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી –
ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો
જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી
લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું
હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર
ભાજપનો વિજય થયો છે.
ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.
જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો
પણ ભાજપે જીતી લીધી છે.
કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ
બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી
કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું
પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર
ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો
વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૪૯૯ બિલ્ડિંગોને સી-૧ કેટેગરીમાં નાખવામાં આવી છે. એનો અર્થ એવો થાય છે કે આ બધી જ બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી છે. આ જોખમી બિલ્ડિંગોમાંથી ફક્ત ૧૪ બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે અને ૭૦ બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી છે. બાકી બચેલી ૪૧૫ બિલ્ડિંગોમાં ૩૦,૦૦૦ જેટલા મુંબઈગરાઓ જાનને જોખમે રહે છે. ડોંગરીમાં બિલ્ડિંગ હોનારત થયા બાદ પણ આ લોકો હજી સુધી બિલ્ડિંગો ખાલી કરવા તૈયાર નથી.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આવી બિલ્ડિંગોને આવશ્યકતા મુજબ ખાલી કરાવીને તોડી પાડવાની હોય છે, પરંતુ જે ૪૧૫ બિલ્ડિંગો ખાલી કરાવવામાં નથી આવી એમાંથી કેટલીક બિલ્ડિંગોના રહેવાસીઓ કોર્ટમાં ગયા છે અને અનેક બિલ્ડિંગના રહેવાસીઓ જર્જરિત બિલ્ડિંગ છોડવા માગતા ન હોવાથી તેમને બળપૂર્વક બહાર કાઢવા માટે પોલીસની મદદ માગવામાં આવી છે, જે ન મળી હોવાથી તેને ખાલી કરાવી શકાઈ નથી.
બિલ્ડિંગમાં રહેવાનું જોખમી હોવા છતાં આવી બિલ્ડિંગોમાં રહેવાસીઓ કેમ રહે છે એ બાબતે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના રહેવાસીઓ સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો ન હોવાને કારણે બિલ્ડિંગો ખાલી કરતા નથી, કેમ કે એક વખત બિલ્ડિંગ ખાલી કરવામાં આવે પછી પાછું ઘર મળવાની કોઈ ગેરેન્ટી નથી હોતી. બીજી તરફ બિલ્ડિંગ ખાલી કરતી વખતે જે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવાસીઓને મોકલવામાં આવે છે ત્યાં પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે અને માનવી વસવાટ ન કરી શકે એવી સ્થિતિ હોવાથી લોકો બિલ્ડિંગો ખાલી કરતાં નથી.
મુંબઈ જેવા સમુદ્રકિનારાની નજીક આવેલાં શહેરોમાં બિલ્ડિંગની લાઈફ લાંબી નથી હોતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરેક બિલ્ડિંગની લાઈફ ૩૦ વર્ષની ગણવામાં આવે છે. ચોમાસાપૂર્વે ૩૦ વર્ષથી વધુ જૂની બધી જ બિલ્ડિંગની તપાસ કરવામાં આવે છે અને સર્વેક્ષણને આધારે તેમને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની અને અહેવાલ બીએમસીને રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જર્જરિત બિલ્ડિંગના લાઈટ અને પાણી કાપી નાખ્યા બાદ પોલીસને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે પત્ર લખવામાં આવે છે અને બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવે છે, એમ મુંબઈ સમાચારને જણાવતાં મુંબઈ મનપાના એક સિનિયર અધિકારીએ ઉમેર્યંુ હતું કે ઘણી વખત રહેવાસીઓ કોર્ટમાં જઈને સ્ટે લાવતા હોવાથી બિલ્ડિંગો ખાલી કરાવી શકાતી નથી. રિડેવલપમેન્ટમાં રહેલી શંકા બિલ્ડિંગ ખાલી ન કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચે રિડેવલપમેન્ટના કામમાં વિલંબ થતો હોવાથી આવી શંકા-કુશંકા રહેવાસીઓના મનમાં આવતી હોય છે.
બીજી તરફ મુંબઈમનપાના કમિશનરે કહ્યું હતું કે મ્હાડા જેવી સંસ્થાને સાથે લઈને મુંબઈની જર્જરિત ઈમારતોના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટેની યોજના ઘડી કાઢવામાં આવશે.
નિષ્ણાતોના મતે જર્જરિત બિલ્ડિંગોની સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે પણ નવો દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા છે. એડવોકેટ વિનોદ સંપટે મુંબઈ સમાચારને કહ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગની સમસ્યા માટે ભાડૂતો અને મકાનમાલિક બંને સરખા જવાબદાર છે. જો નિયમિત રીતે બિલ્ડિંગનું સમારકામ કરવા પર ધ્યાન આપવામાં આવે તો કોઈ બિલ્ડિંગ અચાનક તૂટી ન પડે. જેટલું ધ્યાન લોકો પોતાના ઘરની અંદરની જાળવણી માટે આપતાં હોય છે એટલું આખી બિલ્ડિંગની જાળવણી માટે આપે તો તેની લાઈફ ઘણી વધી શકે. બીજું લોકો એક વખત ઘર ખરીદે કે ભાડે રહેવા જાય કે એવું માની લે છે કે આખી જિંદગી માટે આ ઘર તેમનું થઈ ગયું છે. લોકોએ સમજવું જોઈએ કે બિલ્ડિંગની લાઈફ ૫૦ વર્ષથી વધુ નથી હોતી. સરકારે પણ એવો કાયદો કરવો ૫૦-૬૦ વર્ષ બાદ બિલ્ડિંગને તોડી પાડવી, જેથી આગામી સમયમાં મુંબઈમાં આવી હોનારતો ન થાય.
————————
૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે આવશે વટહુકમ?
મુંબઈમાં ગયા અઠવાડિયે ડોંગરીમાં એક બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અચાનક સેસ્ડ બિલ્ડિંગોની સમસ્યા બાબતે ગંભીર થઈ છે અને શહેરની ૧૪,૦૦૦ જેટલી સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે એક વટહુકમ કાઢવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આઠ સભ્યોની સમિતિએ શહેરની બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ અને ક્લસ્ટર ડેવલપમેન્ટ સંબંધી નિયમોનો અભ્યાસ કર્યો હતો અને રાજ્યની ૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય એના પરનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે અત્યારે સેલ્ફ રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું છે, પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળે તો આ મુદ્દે વટહુકમ કાઢીને બધી બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દેવાનો વિચાર ચાલી રહ્યો છે.
દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન
વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી
રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી
પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.
આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે
રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં
આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા
છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.
આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના
થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ
ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત
એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે.
દિલ્હીથી કટરા વચ્ચેનું
અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા
વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે.
કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે.
અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ
કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.