દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.
ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.
RCEP સામેની સ્થાનિક ચળવળો રાષ્ટ્રીય સ્વરુપ પકડે એ પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ નામના 16 દેશો વચ્ચે થનારા સૂચિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સામે ભારતમાં ઉઠેલી ચળવળ રાષ્ટ્રીય સ્વરૂપ પકડે એ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ભારત RCEPમાં જોડાય તેવી કોઇ શક્યતા હાલ નથી. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં જોડાવા અંગેનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.
RCEP સામે સૂરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો ખાસ કરીને વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ વગેરેએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક સુનિયોજિત લડતના મંડાણ કર્યા હતા. સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે મુંબઇ, ભીવંડી, અમદાવાદ વગેરેના પણ કારખાનેદારો, વેપારીઓ જોડાયા હતા. એ રીતે દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન વગેરેથી પણ RCEP સામે મૂવમેન્ટ વેગ પકડી રહી હતી. આ સ્થાનિક ચળવળો મોટું સ્વરૂપ પકડે એ પહેલા જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને RCEP માં જોડાવા અંગે હાલ તો પૂર્ણ વિરામ લગાડી દીધું છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું તેમની સ્પીચમાં
* PM Modi: Our farmers, traders, professionals and industries have stakes in such decisions. Equally important are the workers and consumers, who make India a huge market and the third biggest economy in terms of purchasing power parity. When I measure the RCEP Agreement with respect to the interests of all Indians, I do not get a positive answer. Therefore, neither the Talisman of Gandhiji nor my own conscience permit me to join RCEP.
RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતને હાનિ પહોંચે તેવી કેટલીક જોગવાઇઓ સામે અગાઉ ભારતે સખત વિરોધ કર્યો હતો એ બાબતે હજુ સુધી કોઇપણ પ્રકારના સુધારાઓ સૂચવાયા નથી. થાઇલેન્ડ ખાતે એશિયાઇ દેશો વચ્ચેની બેઠકમાં વડાપ્રધાન શ્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની તરફેણમાં ભારત નથી.
હાલમાં જે પ્રકારે RCEP ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ફ્રેમ કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ ભારત તરફથી નેગોશીએટ કરી રહેલા એક્સપર્ટસે અનેક વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા છે. જેમાં એક મુદ્દો ઇમ્પોર્ટ ડ્યૂટીની મોટી આવક ભારતે ગુમાવવી પડે તેમ છે, વિશ્વ માટે ભારત એક મોટું બજાર છે, ભારતમાં ડીમાંડ પણ હોય તેવી ચીજવસ્તુઓના ખડકલા ભારતમાં થશે જે અનેક મુશ્કેલીજનક બની રહેશે. આ અંગે RCEP કોઇ રેમેડિયલ પ્રપોઝલ મૂવ કરવામાં આવી નથી.
RCEP અન્વયે થનારા કથિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં ભારત અન્ય દેશો માટે સૌથી મોટું માર્કેટ બનશે તેની સરખામણીમાં ભારતે એવી માગ કરી હતી કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે. ભારતની આ માગ પરત્વે પણ કોઇ પ્રતિસાદ RCEP દ્વારા પાઠવવામાં આવ્યો નથી.
ભારતની સરખામણીમાં RCEP માં જોડાઇ રહેલા અન્ય દેશો ખુબ નાના છે, વિસ્તાર, વસતિ, ઇકોનોમીની દ્રષ્ટીએ એ દેશો અને ભારતનું મૂલ્ય સરખું આંકવાની બાબતે પણ ભારતે મોટો વાંધો નોંધાવ્યો છે.
RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતના પડતર પ્રશ્નો સંદર્ભે કોઇ ઉકેલ જણાતો નથી
આ મુજબના મુદ્દાઓને પગલે RCEP માં જોડાવાની બાબતે હાલ તુરત તો પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે
The RCEP failed to addressed some of the core concerns raised by India, such as the threat of circumvention of Rules of Origin due to tariff differential, inclusion of fair agreement to address the issues of trade deficits and opening of services.
* Indian negotiators had also questioned the design of the trade agreement, which will see elimination of import duties on 80-90% of goods, along with easier services and investment rules. For India, the big concern was goods trade as domestic industry fears that lower customs duty will see a flood of imports, especially from China, with which India has a massive trade deficit.
* In its negotiations, the government had also raised the issue of unavailability of MFN (Most Favoured Nation) obligations, where it would be forced to give similar benefits to RCEP countries that it gave to others.
* India had raised a red flag over the move to use 2014 as the base year for tariff reduction. While RCEP negotiators wanted to sign the deal in 2020, the new tariff regime will kick in from 2022 and will see duties go back to 2014 levels.
* In his speech at the RCEP summit, PM Modi said, “The present form of the RCEP Agreement does not fully reflect the basic spirit and the agreed guiding principles of RCEP. It also does not address satisfactorily India’s outstanding issues and concerns In such a situation, it is not possible for India to join RCEP Agreement.
* Earlier, under the UPA government, India had opened 74% of its market to Asean countries but richer countries like Indonesia opened only 50% of their markets for India. It also agreed to explore an India-China FTA in 2007 and join RCEP negotiations with China in 2011-12. However, the impact of these decisions resulted in increased trade deficit with RCEP nations – from $7 billion in 2004 to $78 billion in 2014.
અયોધ્યા, શબરીમાલા, રાફેલ અને RTI પર સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વના ચુકાદાઓ
આગામી 10 દિવસમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હાથ ધરવામાં આવનારા 4 અત્યંત મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી શકે. કદાચ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાઓ પર અંતિમ ફેંસલાઓ ન પણ હોય તો પણ સમગ્ર ભારતમાં તેમના રુલિંગ, હિયરીંગ ચર્ચાનો મુદ્દો બનશે. આ 4 સંવેદનશીલ મુદ્દાઓ આ મુજબ છે.
અયોધ્યા ખાતે રામજન્મભૂમિના વિવાદમાં અંતિમ નિર્ણય આવી શકે
અયોધ્યા મામલે ચુકાદો જે 1858થી દેશના સામાજીક-ધાર્મિક મામલે મુખ્ય બિંદુ રહ્યો છે. જેના પર 1885થી કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસના લાંબા ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય નોંધાશે.
દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ ના વિવાદમાં
સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ અંગે મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અપીલ પર ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.
રાફેલ સોદામાં મોદી સરકાર સામે થયેલી રિટી પીટીશનો બાદ ક્લીન ચીટ આપવા સંદર્ભનો ચુકાદો આવી શકે
મોદી સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા યુદ્ધ વિમાનો રાફેલના સોદામાં કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચાર આચરવાથી લઇને રિલાયન્સના અનિલ અંબાણીની તરફદારી સુધીના અનેક આક્ષેપો થયા, રિટ પીટીશન્સ થઇ હતી. હવે આ કેસમાં કેન્દ્રની મોદી સરકારને ક્લિન ચીટ આપવાના સંદર્ભનો નિર્ણય પણ આગામી 10 દિવસમાં આવી શકે.
ચીફ જસ્ટીશને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ લાવવા સંદર્ભે
દેશમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અમલમાં આવ્યો છે. આ કાયદાથી કોઇ પર નથી પરંતુ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા કે જે અત્યાર સુધી આ કાયદાના દાયરામાં આવ્યા નથી, તેમને પણ આર.ટી.આઇ. હેઠળ લાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી છે. CJIને RTI અંતર્ગત લાવવાના મામલે પણ ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.
દેશમાં 2011-12થી 2017-18ના છ વર્ષમાં પહેલીવાર 90 લાખ જેટલી મોટી સંખ્યામાં નોકરીમાં ચિંતાજનક ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જારી કરાયેલાં એક સંશોધન હેવાલ મુજબ દર વર્ષે 26 લાખ નોકરીઓ ઘટે છે.
સંતોષ મેહરોત્રા અને જે.કે. પરિદાએ તૈયાર કરેલા હેવાલ મુજબ 2011-12માં દેશમાં 47.4 કરોડ નોકરી હતી જે 2017-18 સુધી ઘટીને 45.7 કરોડ પર પહોંચી ગઈ. અલબત્ત, આ હેવાલના તારણો લવીશ ભંડારી અને અમરેશ દુબે દ્વારા તૈયાર કરાયેલા હેવાલના તારણોથી અલગ છે. ભંડારી અને દુબેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, 2011-12માં 83.3 કરોડ નોકરી હતી જે 2017-18માં વધીને 45.7 કરોડ થઈ ગઈ.
મેહરોત્રા અને પરિદાનો અભ્યાસ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એન.એસ.એસ.ઓ.)ના 2004-05 થી 2011-12ના રોજગાર સર્વેક્ષણ અને પીરિયોડીક લેબર ફોર્સ સર્વેના 2017-18ના આંકડાના આધારે કરવામાં આવ્યો છે.
યાર્ડમાં રોજની ૨૦થી ૨૫ હજાર મગફળીની ગૂણીનું વેચાણ થાય છે. પડતર મગફળીના જથ્થાનું ક્રમશ: વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૮૫૦થી ૧૦૦૦ સુધી મળ્યા હતા. તેમ જ ૬૬ નંબર મગફળીના ભાવ ૧૩૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાઇ હતી.
દિવાળી બાદ મગફળીના ભાવમાં ૧૫થી ૨૦ રૂપિયાનો સુધારો થયો છે. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૧૦ થી ૧૨ મણની આવક થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૯૫૦થી ૧૧૨૦ રૂપિયા ભાવ રહ્યા હતા. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કુલ અઢી લાખ ગૂણીની આવકો થઇ છે. કમોસમી વરસાદને કારણે આવકો ઘટી છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ આવકો વધશે તેમ જ દિવાળી બાદ મગફળીના ભાવમાં વધારો થતા ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા જાગી છે.
લાભપાંચમથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઇ ચૂકી છે. રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ થઈ જાણ કરવામાં આવી છે. પહેલા દિવસે એક કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ટેકાનો ભાવ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૧ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઇ રહી છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળી ખરીદવામાં આવશે. કુલ ૮૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. હવાનું પ્રમાણ વધુ છે, ૩૫ કિલો ભરતી નથીના બહાના આપી હેરાન કરવામાં આવે છે. ધોરાજીમાં ૭૦૮૦ અને ઉપલેટામાં ૯૫૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૦ ખેડૂતોની મગફળી ખરીદવા આવે તો એક વર્ષે પણ ખરીદી ન થાય, યોગ્ય રીતે ખરીદી નહીં થાય તો કૉંગ્રેસ આંદોલન કરશે.
૧૯મી નવેમ્બર સુધીમાં ૨૩ એ ૩૨૦ નિયો વિમાનના પ્રાટ્ટ એન્ડ વ્હીટની (પીડબલ્યૂ) ઍન્જિન બદલવા ઉડ્ડયન ક્ષેત્રના નિયામક ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને નિર્દેશ આપ્યા હતા. કોઈપણ રીતે આગામી વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધીમાં ઈન્ડિગોના તમામ ૯૭ વિમાનમાં મોડીફાઈડ (સુધારેલા) પીડબલ્યૂ ઍન્જિન હોવા જોઈએ, તેવી પણ ડીજીસીએએ સૂચના આપી હતી. ડિરેકટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ)એ એક પ્રેસ નોટમાં કહ્યું કે ‘૨૩ વિમાનમાં ઓછામાં ઓછું એક એલપીટી (લૉ પ્રેસર ટર્બાઈન) ફિટ ન કરેલું હોય તો એક પણ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે નહીં.’
એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા
છેલ્લા એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા છે જેનાથી પરિણામ સ્વરૂપ ઉડ્ડયન સમયપત્રક ખોરવાઈ જતું હોય છે આની જાણ થયા પછી ડીજીસીએએ નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોલકાતાથી પુણે જતુ ઈન્ડિગો એ ૩૨૦ નિયો પ્લેનનું એક ઍન્જિન આકાશ મધ્યે ખોટકાઈ જતા વિમાનને કોલકાતા ઍરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું હતું. આ જ રીતે લાગલગાટ ૨૪થી ૨૬મી ઑક્ટોબરના ત્રણ દિવસ ત્રણ વિમાનના ઍન્જિનમાં ક્ષતિ ઊભી થવાના બનાવ નોંધાયા હતા.
ક્લાઉડી ક્લાઇમેટથી કંટાળ્યા, લોકો હરવા-ફરવાનો મૂડ બગડી ગયો
દિવાળી, નવા વર્ષ જેવા પર્વો વરસાદી માહોલ અને સતત ક્લાઉડી ક્લાઇમેટમાં ગુજાર્યા બાદ હવે લાભ પાચમ અને દિવાળી વેકેશનના છેલ્લા ફેઝમાં પણ સતત વાદળછાયું વાતાવરણ, ઝરમરીયા વરસાદી માહોલથી લોકો કંટાળી ચૂક્યા છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં આ માહોલ છે. શનિવારે સવારે સૂરતીઓ ઉઠ્યા ત્યારે એટલો વરસાદ હતો કે જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય. સતત ક્લાઉડી ક્લાઇમેટને કારણે સૂરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રવાસીઓ, મુંબઇગરા સમેતના લોકો કંટાળ્યા છે અને સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી રહ્યા છે કે હવે આ વરસાદ ક્યારે બંધ થશે
દિવાળી પછી લોકો હરવા ફરવાની મજા ઉઠાવતા હોય છે પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં પહેલા ક્યાર નામનું વાવાઝોડું અને હવે મહા નામનું વાવાઝોડું વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂસવાટા ભર્યા પવનનો માહોલ સર્જી રહ્યું હોઇ, હરવા ફરવાની મજા ફિક્કી પડી રહી છે.
ગુજરાત, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હજુ ચોમાસું પૂરું થયું જ નથી એ રીતે આ વર્ષે વરસાદથી રાહત મળવાના કોઈ ચિહ્નો હાલ તુરત દેખાતા નથી. પાછોતરા વરસાદે મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ‘ક્યાર’ વાવાઝોડું આવ્યું. અને મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અરબી સમુદ્રમાં ફરી ‘મહા’ વાવાઝોડું સર્જાયું છે અને આ વાવાઝોડું ૧થી ૮ નવેમ્બર સુધી સક્રિય રહેવાનું છે. શુક્રવાર તા.1લી નવેમ્બર 2019 પછી બપોર પછી રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. મોડી સાંજે મુંબઈમાં પણ વરસાદ ત્રાટક્યો હતો અને આને કારણે નાગરિકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમુદ્ર તોફાની હોવાથી માછીમારોને સમુદ્રમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાવાઝોડાની અસર આગામી સાત દિવસ સુધી મહારાષ્ટ્ર-ગુજરાત, કર્ણાટક અને ગોવા રાજ્યમાં અનુભવવા મળશે.
ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને ક્યાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. પાછોતરા વરસાદઅને ‘ક્યાર’ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના હજી સુધી પંચનામા થયા નથી, ત્યાં ફરી એક વખત ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. પુણે વેધશાળાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે પુણેમાં ૬ અને ૭ નવેમ્બરે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું ૪૦-૬૦ કિલોમીટરની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સમુદ્રમાં ૮-૧૨ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.
MBBS માટે ખાસ: મેડીકલમાં માસ્ટર્સ માટે ભારતમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મેડીકલ ગ્રેજ્યુએશન એટલે કે એમ.બી.બી.એસ. થયા હોય અને એમ.ડી., એમ.એસ. કે અન્ય પી.જી. ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબો માટે નીટ પી.જી. 2020 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ તા.1લી નવેમ્બર 2019થી નીટ પી.જી. માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. તા.5મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
ક્યાં પ્રવેશ મળી શકે નીટ પી.જી.ના સ્કોરથી
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન The National Board of Examinations (NBE) દ્વારા લેવામાં આવતી નીટ પી.જી. 2020 પ્રવેશ પરીક્ષા માટેની ઇમ્પોર્ટન્ટ તારીખો આ મુજબ છે.
The National Board of Examinations (NBE) will commence the online application process for the National Eligibility cum Entrance Test-Post Graduate (NEET-PG) 2020 on its official website today i.e. November 1, 2019.
The candidates who seek admission to MD/ MS/ Post Graduate Diploma courses can apply online through the official website of NBE — nbe.edu.in.
Candidates can register online for NEET 2020 from 3.00 p.m. today. The information available on the official website reads “The Form will be available only between 01-11-2019 15 Hours 00 Minutes to 21-11-2019 23 Hours 55 Minutes”
Last Date of Application is 21/11/19
The last date to submit online applications for NEET PG 2020 is November 21, 2019. NBE has scheduled to conduct NEET PG 2020 as a Computer Based Test (CBT) on January 5, 2020. The result for the same would be announced by January 31, 2020.
Examination Fee Rs. 3,750 for GEN/OBC
The General /OBC candidates need to pay an examination fee of Rs 3750. The candidates belonging to ST/SC/PWD (PH) categories need to pay an examination fee of Rs 2750. It is to be noted that the fee for the examination has to be remitted through payment gateway, at the time of online submission of application form, using a debit card or credit card issued by banks in India or through internet banking.
નીટ પી.જી. 2020નું પ્રોસ્પેક્ટસ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો
ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ, બે વખત મૌકૂફ રહી ચૂક્યા છે નિયમો
દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકારે લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે ૩૧મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી.
સરકારે આપેલી છૂટ પૂરી થતાં આજરોજ તા.1લી નવેમ્બર 2019 ને લાભપાચમથી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.
સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરમાં ૬૦ પોઇન્ટ પર એન્ફોર્સમેન્ટ ટીમ મુકાશે. આ ટીમ લાઇસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ સહિતના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કરશે, આ સાથે જ નંબર પ્લેટ માં ફેરફાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
SBI (State Bank of India) બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો : ક્રમશ બધી બેંકો આવું કરશે
SBIએ 9મી ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે એક લાખ રૂપિયા સુધી ડિપોઝિટ પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ આજથી ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડ્યા છે. બેંકના આ નિયમને કારણે 42 કરોડ ગ્રાહકો પર સીધી અસર પડશે. એક લાખથી વધારે ડિપોઝિટ પર વ્યાજ દર (Deposit Interest Rate)ને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે.
ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય
દેશના લાખો વેપારીઓ માટે તા.1લી નવેમ્બર 2019થી પેમેન્ટના નિયમોમાં મહત્વના ફેરફાર કરાયા છે. નાણા મંત્રાલય પહેલી નવેમ્બર 2019થી પેમેન્ટ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત વેપારીઓએ હવેથી ડિજિટલ પેમેન્ટ (Digital Payment) લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત ગ્રાહક કે પરચૂરણ વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે નહીં.
મહારાષ્ટ્રમાં બધી બેંકોનો સમય એક સમાન, સવારે 9થી 4 સુધી કાર્યરત રહેશે મહારાષ્ટ્રની બેંકો
આજરોજ તા.1લી નવેમ્બર 2019થી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામેતમામ બેંકો માટે નવું ટાઇમ ટેબલ લાગૂ કરવામાં આવ્યું છે. આજથી મહારાષ્ટ્રમાં બેંકો એક જ નિર્ધારિત સમયે ખુલશે અને બંધ થશે. નવા ટાઇમ ટેબલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેંકો સવારે નવ વાગ્યે ખુલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. કેટલીક બેંકોનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.