MBBS પછીના DNB કોર્સીસ માટે અલગથી CET (પરીક્ષા) નહીં લેવાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં મેડીકલ ગ્રેજ્યુએશન MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીની મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોઇ, અનેક સંસ્થાઓ ખાસ કરીને મોટી હોસ્પિટલ્સ દ્વારા તબીબોની કારકિર્દીમાં વેલ્યુ એડીશન થાય એ માટે ત્રણ વર્ષ સુધીની અવધિ ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે જેને ડીએનબી કોર્સ કહેવાય અને આ કોર્સીસનું સઘળું સંચાલન Diplomate National Board (DNB) દ્વારા કરવામાં આવે છે.
DNB post MBBS કોર્સમાં પ્રવેશ માટે દેશભરમાં સેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) લેવામાં આવતી હતી. પરંતુ, આ વખતથી એટલે કે 2020થી DNB સેટ પરીક્ષા સ્ક્રેપ કરવામાં આવી છે. હવે પછી DNB સેટ પરીક્ષા નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી છે.
દેશભરના તબીબો ખાસ કરીને મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા એમ.બી.બી.એસ. ઉમેદવારો જોગ જણાવવામાં આવ્યું છે કે જે તબીબો DNB સેટ આપવા માંગતા હોય તેમણે DNB સેટ હવે લેવાવાની નથી અને નીટ પી.જી. 2020નું એપ્લિકેશન ફોર્મ ભરવું. નીટ પીજી 2020ના સ્કોરના આધારે જ Diplomate National Board (DNB) હેઠળના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર થશે.
Diplomate National Board (DNB) પોસ્ટ એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-પીજી જ ફરજિયાત
નીટ પીજી-2020ની ઓનલાઇન એપ્લિકેશન તા. 21મી નવેમ્બર 2019 સુધી કરી શકાશે
તબીબો માટે સારા સમાચાર : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ
સૂરતના જાણીતા ઓપ્થેલમોલોજિસ્ટ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે MBBS પછીના DNB કોર્સીસ કરનારા કે કરવાની ઇચ્છા ધરાવતા તબીબો માટે ગુડ ન્યુઝ છે. પહેલા તો ગુડ ન્યુઝ એ છે કે એમ.બી.બી.એસ. ઉમેદવારોએ નીટ પીજી. અને ડી.એન.બી. સેટ બન્ને પરીક્ષાઓ આપવી પડતી હતી. હવે બન્ને કોર્સ માટે એક જ પરીક્ષા આપવી પડશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે MBBS પછીના DNB કોર્સ સફળતાપૂર્વક પાસ કરનારા તબીબોને અધ્યાપકની નોકરી માટે લાયક ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે.
શિવસેના સત્તા સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ ગયા બાદ રાજ્યપાલે ત્રીજા નંબરે રહેલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને મોડી રાતે આમંત્રણ આપ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત આપી હતી. ભાજપ બાદ સેના પણ સરકાર સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ જતા રાજ્યમાં રાજક્ીય કટોકટી કાયમ રહી હતી. એનસીપીનું સમર્થન હોવા છતાં કૉંગ્રેસનું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયેલી શિવસેનાનું તેમના પક્ષ પ્રમુખ બાળ ઠાકરેની ૧૭ નવેમ્બરના પુણ્યતિથિએ શિવસેનાના મુખ્ય પ્રધાન શપથ લે તેવું સપનું પડી ભાંગ્યું હતું. બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની સ્થાપના માટે કૉંગ્રેસ અને એનસીપીના વિધાનસભ્યોની સંયુક્ત બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે
દિવસ દરમિયાન શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની અનેક બેઠકો બાદ પણ સરકાર બનાવવાની મડાગાંઠ ઉકેલાઈ શકી નહોતી. સેના નિષ્ફળ ગયા બાદ એનસીપીને રાજ્યપાલનું આમંત્રણ મળ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત મળી હતી, તેથી આજે શું થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે આકો દિવસ હાઈ ડ્રામા સર્જાયો હતો. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાના કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. તો દિવસ દરમિયાન ર્કૉંંગ્રેસ, એનસીપી, શિવસેના અને ભાજપનો બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.
એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ તેમનું સમર્થન મળતા શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર ચર્ચા કરી હતી. કહેવાય છે કે ઉદ્ધવે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સમર્થન આપવા માટે બહુ મનાવાની કોશિશ કરી હતી. દિલ્હીમાં પણ કૉંગ્રેસની બેઠક પર બેઠક થઈ હતી. તો મુંબઈમાં એનસીપીની બેઠક થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થન આપવા માટે જયપુરમાં મોકલવામાં આવેલા મહારાષ્ટ્રના વિધાનસભ્યો સાથે પણ ચર્ચા કરી હતી.
આ દરમિયાન એનસીપીની મુંબઈમાં બેઠક પૂરી થયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરવાની પણ હતી. જોકે કૉંગ્રેસે પોતાનો નિર્ણય લંબાવી દેતા એનસીપીએ પણ પોતાની પત્રકાર પરિષદ રદ કરી હતી. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું હતું કે જયાં સુધી કૉંગ્રેસ પોતાની ભૂમિકા નક્કી નહીં કરે ત્યાં સુધી એનસીપી પણ પોતાની ભૂમિકા જાહેર નહીં કરે કહીને કૉંગ્રેસ અને એનસીપી એકમતે પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. કૉંગ્રેસની દિલ્હીમાં મોડી રાતે યોજાયેલી બેઠક પૂરી થઈ હતી. ત્રણ કલાકની બેઠક બાદ પણ કૉંગ્રેસ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે બાબતે કોઈ નિર્ણય લઈ શકી નહોતી.
આ દરમિયાન ૨૪ કલાકની મુદત પૂરી થાય તે પહેલા શિવસેના રાજ્યપાલને મળવા પહોંચી ગઈ હતી. એનસીપીનું સમર્થન હતું પણ કૉંગ્રેસે પત્ર મોકલ્યો હતો, પણ શિવસેનાએ સમર્થન આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. તેથી ભાજપ બાદ શિવસેનાને પણ નિરાશ થવું પડ્યું હતું.
——————————————–
રાજ્યપાલે સરકાર બનાવવા માટે એનસીપીને પણ આમંત્રણ આપ્યું હોવાની સત્તાવાર માહિતી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આપી હતી અને કૉંગ્રેસ સાથે સ્થિર સરકાર સ્થાપવા અંગે ચર્ચા પણ કરી હોવાનું જણાવ્યું હતું.
રાજભવનમાં એનસીપીનું પ્રતિનિધિત્વ અજીત પવાર કરશે. તેમની સાથે છગન ભુજબળ સહિત જયંત પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાજભવનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યપાલે અમને શું કામ આમંત્રિત કર્યા છે એ અંગે કશું ખબર નથી. અમે ફક્ત રાજ્યપાલના આદેશનું પાલન કરી રહ્યા છીએ, એવું પવારે કહ્યું હતું.
કૉંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ પુષ્ટી આપી કે એનસીપી અને કૉંગ્રેસનો સમર્થનનો પત્ર રાજ્યપાલને મળ્યો નથી.
કૉંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે એનસીપી અને શિવસેના સાથે ચર્ચા શરૂ છે.
શિવસેનાના નેતાઓએ મુલાકાત લીધા બાદ રાજભવને નિવેદન જારી કર્યું કે શિવસેના સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ તે સમર્થનનો પત્ર સોંપી શકી નહીં.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુને મીડિયાને જણાવ્યું કે એનસીપી સાથેની આગળની ચર્ચા મંગળવારે કરાશે.
૭.૪૦ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે સરકાર રચવાની હોવાથી અમે બે દિવસનો સમય માગ્યો હતો, પરંતુ રાજ્યપાલે અમને સમય ન આપ્યો.
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ નિવેદન જારી કર્યું કે કૉંગ્રેસ પ્રેસિડન્ટે શરદ પવાર સાથે ચર્ચા કરી છે. પક્ષ એનસીપી સાથે આ મુદ્દે વધુ ચર્ચા કરશે.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ મુદ્દે બે કલાકની ચર્ચા બાદ સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી કૉંગ્રેસના નેતાઓ એ.કે.એન્ટોની અને અહેમદ પટેલે વિદાય લીધી.
સૂત્રો અનુસાર એનસીપીએ માગણી કરી છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન પદ અજિત પવારને આપવામાં આવે.
વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શિવસેનાના પ્રતિનિધિઓ સાથે રાજભવન ખાતે પહોંચ્યા અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે ચર્ચા શરૂ થઇ.
શિવસેનાને સમર્થન આપાવાની વિચારણા હોવાથી કૉંગ્રેસ સમર્થનનો પત્ર આપશે એવા અહેવાલ આવ્યા.
૬.૦૫ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર હોવાથી કૉંગ્રેસ શિવસેનાને બહરાથી સમર્થન આપવાનું વિચારી રહી છે.
કૉંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્યો સાથે ફોન પર વાત કરી તેમ જ શરદ પવાર સાથે પણ ચર્ચા કરીને શિવસેનાને સમર્થન આપવાની ઇચ્છા દર્શાવી.
સૂત્રોના દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસના પ્રેસિડન્ટ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.
સૂત્રો અનુસાર સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી શિવસેના સાથે જોડાવવાના વિરોધમાં છે, જયારે મહારાષ્ટ્ર કૉંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના પક્ષને ટેકો આપવાના મૂડમાં છે.
નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન ખાતે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતૃત્ત્વ એ.કે.એન્ટોની અને અહમદ પટેલ સાથે ચર્ચાનો દોર શરૂ.
શિવસેનાના નેતા અરવિંદ સાવંતે આદિત્ય ઠાકરેની પ્રશંસા કરી.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરે શિવસેના પર ટીકા કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર ૫૬ બેઠકો જીતીને શિવસેના મુખ્ય પ્રધાન પદ ન મેળવી શકે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરેથી મળ્યા બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાની ચર્ચા અંગે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અમુક વિધાનસભ્યો, જે હાલમાં રાજસ્થાનમાં છે તેમણે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની બેઠક પૂર્ણ થઇ.
કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે પ્રધાનપદથી રાજીનામું આપ્યા બાદ બપોરે ૧.૩૩ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધી હતી. ચૂંટણી પૂર્વે કરેલા વાયદાઓથી બીજેપી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપન માટે ભાજપ-સેના વચ્ચે ૫૦-૫૦ ફોર્મ્યુલા નક્કી થયો હતો. તેથી હું દિલ્હીમાં કામ કરું એ યોગ્ય ન હોવાને કારણે મેં પ્રધાનપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે, એવું તેમણે જણાવ્યું હતું.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજસ્થાનના જયપુર રિસોર્ટથી દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.
દોઢ કલાકથી ચાલી રહેલી એનસીપીની બેઠક ખતમ થયા બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાની સરકાર બનાવવાની નીતિને સમર્થન આપશે.
સોનિયા ગાંધીના નિવાસસ્થાને રાજ્યના વરિષ્ઠ નેતાઓની બેઠક ખતમ થઇ. કૉંગ્રેસના ૪૦ વિધાનસભ્યોએ આ મુદ્દે સમર્થન આપ્યું હતું.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી અને શિવસેના સરકાર રચશે અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, એવું તેમણે બેઠકમાં કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે સત્તા સ્થાપી અને કોના સહકારથી સ્થાપી એ ભાજપ ભૂલી ગઇ છે, પણ કર્મ જુએ છે, એવું ટ્વિટ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું હતું.
કૉંગ્રેસ-એનસીપીનું સમર્થન મળી ગયું છે એ અમારું સરકાર રચવા તરફ પહેલું પગલું છે, એવું સંજય રાઉતે માતોશ્રી પહોંચીને પત્રકાર પરિષદને સંબોધીને ઘોષણા કરી હતી.
કેન્દ્રીય પ્રધાન અને શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પ્રધાનપદ છોડવાનો નિર્ણય ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યો હતો.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયાના નિવાસસ્થાન દિલ્હીમાં સીડબલ્યૂસી (કૉંગ્રેસ વર્કિંગ કમિટી) માટે ગયા હતા. આ બેઠકમાં કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.
શરદ પવારે કૉંગ્રેસ સાથે રાજ્યની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા-વિચારણા કરી
સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપને કારણે મહારાષ્ટ્રને રાજકીય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપીને અમારી સાથે રહેવામાં કોઇ રસ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
૯.૦૦- કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે રાજ્યમાં ફરી એક વાર ચૂંટણી થાય તેવા અણસાર વ્યક્ત કર્યા હતા.
રામજન્મભૂમિ પર ‘સુપ્રીમ’ ચુકાદો આવે એ પહેલાની અપ ટુ ડેટ ઇન્ફર્મેશન
તા.9-11ની સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ 70 વર્ષથી ચાલી આવતા અયોધ્યા કેસ પર ચુકાદો સંભળાવે એની પૂર્વ સંધ્યાથી દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધા છે.
દેશના તમામ રાજ્યોમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં તા.11મી સુધી સ્કુલ કોલેજ બંધ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં તા.9મી નવેમ્બર 2019ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જાહેર કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન શ્રી મોદીએ 3 ટ્વીટ કરીને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચુકાદો સંભળાવશે
અયોધ્યા જમીન વિવાદના મામલે સુનાવણી કરનાર બંધારણીય બેચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય ચાર અન્ય જજ છે. જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી. વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે.
સોશ્યલ મિડીયા પર ચોમેર અયોધ્યા
Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat to address the media at 1 pm today, following Supreme Court judgment in #Ayodhya land case.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ શ્રી મોહન ભાગવત આજે તા.9મી નવેમ્બર 2019ના રોજ બપોરે 1 વાગ્યે પત્રકાર પરીષદ મારફતે દેશને સંદેશો આપશે. આજે તેઓ આર.એસ.એસ.ના મુખ્ય પદાધિકારીઓને પણ મળવાના છે.
History of the Case
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો – સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી.
૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી.
અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે તા.9મી નવેમ્બર 2019 સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ શ્રી ગોગોઈ સમેત 5 ન્યાયાધીશોની બનેલી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવે એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે તા.9મી નવેમ્બર 2019ની સવારે આપવાની હોવાથી તા.8મીને શુક્રવારની રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે એના માટે બંદોબસ્ત ગોઠવવા માંડી હતી.
બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.
અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ ઘટ્ટ બનતો ગયો હતો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો.
સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો.
શુક્રવાર તા.8મી નવેમ્બર 2019ની સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.
Land N.A.માં પેમેન્ટ પહેલા પ્રોવિઝનલ મંજૂરી પત્ર મળશે, ડેવલપરને ફાયદો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બિનખેતી (Land N.A.) ની કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિશે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઑનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઑનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઈનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં અરજદારને ઇન્ટિમેશન લેટરની સાથે એન. એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.
File Photo : A public meeting was held earlier this year regarding Land Reforms.
અરજદારનું વેરિફિકેશન ઓનલાઇન થવાથી બિનજરૂરી વિલંબ નહીં થાય
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજૂર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની રહે છે. આ ખરાઈ ઑફલાઇન થવાને કારણે તથા કોઈ કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં હવેથી ઑનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હકપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઑનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસૂલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઑનલાઇન ચકાસણી કરશે, જેથી ખેડૂત ખાતેદારની ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.
જમીન પર બેંક-મંડળીનો બોજો હશે તો તેના ઉલ્લેખ સાથે બિનખેતીની પરવાનગી અપાશે
મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે બિનખેતીની કાર્યપદ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા-લેવાના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તાપ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી. આ કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા અંગે વધુ માહિતી આપતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઈ અને માત્ર ઉપયોગનો હેતુ/સત્તા પ્રકાર જ બદલાતો હોઈ અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોઈ, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે.
૧૭મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. ૭૮ મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૭૮ મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે. (પીટીઆઇ)
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર વિશેનો ચુકાદો આવવાની તૈયારીમાં છે, ત્યારે વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ ૧૯૯૦ બાદ પહેલી વખત રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું છે.
વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે બધા જ મૂર્તિકારો પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. કોતરણીનું કામ થોભાવવાનો નિર્ણય વીએચપીના વરિષ્ઠ નેતાઓએ લીધો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠ ૧૭મી નવેમ્બરે ગોગોઇ નિવૃત્ત થાય એ અગાઉ અયોધ્યા મામલાનો નિર્ણય જાહેર કરવાની છે.
શર્માએ જણાવ્યું હતું કે અમે પથ્થરનું કોતરકામ બંધ કર્યું છે અને ફરીથી એ ક્યારે શરૂ કરવું એનો નિર્ણય રામ જન્મભૂમિ ન્યાસ લેશે.
અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વિવિધ પ્રવૃત્તિઓને લગતા બધા જ પ્રસ્તાવિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં વીએચપીએ ૧૯૯૦માં પથ્થરોની કોતરણીનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યારથી મૂર્તિકારો દ્વારા કોતરણીનું કામ સતત ચાલું રહ્યું હતું. આ પહેલી વખત કામ થોભાવવામાં આવ્યું છે.
વીએચપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થરની કોતરણી થઇ ગઇ છે, જે પ્રસ્તાવિત મંદિરનો પહેલો માળ બનાવવા માટે પર્યાપ્ત છે. બાકીનું મંદિર બાંધવા માટે ૧.૭૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થર કોતરવાના બાકી છે.
વીએચપીના કેન્દ્રીય ઉપ-પ્રમુખ ચંપત રાઇએ પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ ચુકાદો હિંદુ કે મુસ્લિમનો ન હોવો જોઇએ. આ સત્ય સ્વીકારવા વિશેનો છે. આ કારણસર વિજ્યોત્સવ ન મનાવતા કે અન્યોને ટોણાં ન મારતાં.
વકીલોની દલીલો અને જજોની ટિપ્પણી પરથી એવું લાગે છે કે ચુકાદો સત્યની તરફેણમાં આવશે અને એ સાંભળીને સમાજમાં ખુશીની લાગણી ફેલાશે. (પીટીઆઇ)
બેંગલુરુ: અયોધ્યાનો ચુકાદો આવે એ વખતે કોઇ અઘટિત ઘટના ન બને એ માટે બેંગલુરુની પોલીસે અગાઉથી સતર્કતાના પગલાં લીધા હોવાની માહિતી પોલીસ કમિશનર ભાસ્કર રાવે આપી હતી.
રાવે જણાવ્યું હતું કે એમણે સતર્કતાની દૃષ્ટિએ બધા જ પગલાં લીધાં છે. એમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં તેઓ ડીસીપી રેન્કના અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.
ચુકાદો આવશે ત્યારે બધા જ અધિકારીઓ હાજર રહેશે. અર્ધલશ્કરી દળ અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવશે.
ભાઇચારો વધારવાના હેતુથી લઘુમતી અને બહુમતી કોમના વિવિધ જૂથો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. તેઓ બધા જ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા માટે સહમત થયા છે.
રાવે જણાવ્યું હતું કે ચુકાદો જાહેર થયા બાદ તેઓ નિરાશા વ્યક્ત નહીં કરે કે ફટાકડાં ફોડીને અથવા એકબીજા પર રંગ ઉડાડીને આનંદ વ્યક્ત નહીં કરે. પોતાના વિચારો જાહેર કરવા કોઇ જાતનો સૂત્રોચ્ચાર પણ નહીં કરવામાં આવે.
અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે.
૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.
કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’
રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.
આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.
વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.