CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 82 of 126 - CIA Live

November 25, 2019
gst.jpg
1min3170

કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.

આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.

જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.

દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.

November 22, 2019
traffic_police_memo-1280x720.jpg
1min3600

ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે

નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.

આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.

ક્યાં કેટલી રકમના મેમો ફાટ્યા રકમ રૂ.માં

ચંદિગઢ’ 5,58 કરોડ
આસામ’ 12.45 લાખ
છત્તીસગઢ””””” 14.81 લાખ
ઉત્તરપ્રદેશ””””” 201.91 કરોડ
દિલ્હી”’ 34.15 કરોડ
રાજસ્થાન””””” 5.56 કરોડ
બિહાર”’ 78.37 કરોડ
પંજાબ”’ 85.64 લાખ
ઉત્તરાખંડ”””””’ 3.05 કરોડ
ગુજરાત’ 101.27 કરોડ
મહારાષ્ટ્ર’ 4.16 કરોડ
હરિયાણા 72.18 કરોડ

નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે.

રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો
કેરળ””’ 2.1 ટકા
યુપી””” 9.8 ટકા
બિહાર”’ 10.પ ટકા
ગુજરાત’ 13.8 ટકા
ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા
હરિયાણા 11.8 ટકા
પુડ્ડુચેરી 30.7 ટકા
ચંદિગઢ’ 7પ ટકા

November 22, 2019
fastag.png
1min3380

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાઓની ફાસ્ટેગ લેનમાંથી ટેગ વગર પસાર થનારા વાહનો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે તેવું નીતીન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું. ટોલ નાકા પર એક હાઈબ્રિડ લેન રહેશે જયાંથી ટેગ વગરના વાહનો રાબેતા મુજબનો ટોલ ભરી શકશે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.

ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.

November 21, 2019
census2011.jpg
1min3180

ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.

ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.

આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.

November 20, 2019
isro.jpg
1min3390

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.

૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.

November 19, 2019
Digital-Gujarat-1280x549.png
1min3230

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.

તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

જેમાં મખ્યત્વે

  • ડો. આંબેડકર આવાસ યોજના,
  • માનવ ગરિમા યોજના,
  • કુંવરબાઇનું મામેરું યોજના,
  • વિદેશ અભ્યાસ લોન,
  • કોમર્શિયલ પાયલોટ લોન,
  • પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
  • બસ પાસ યોજના,
  • સાધન સહાય યોજના,
  • સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે.
    ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.

શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

November 18, 2019
passport-police-verification.jpg
1min4910

પાસપોર્ટ : અરજદારના ઘરે જઇને પોલીસ વેરિફિકેશન કરવાનો નિયમ

પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે હવે નાગરિકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. જેમાં પોલીસકર્મીઓને અરજદારના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાની હોય છે. ત્યારે પોલીસકર્મીઓ અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવાના આદેશ આપ્યા હતા.

નિયમ વિરુદ્ધ લોકોને પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા હોવાની ફરિયાદો થતાં અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસ સ્ટેશનોને અરજદારના ઘરે જઈ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું માનવું છે કે, જો પોલીસ જ ઘરે જાય તો અરજદારના એડ્રેસનું રુબરુ વેરિફિકેશન ઉપરાંત તે ગુનાઈત પ્રવૃત્તિમાં રોકાયેલો છે કે કેમ તે ચકાસી શકાય.

ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

November 17, 2019
aadhar.png
1min4880

ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે. આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.

આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે. જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો. આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.

નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.

ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.

November 17, 2019
BIS_logo.jpg
1min4120

પીવાનું પાણી શુદ્ધ ન હોવાની આખા દેશમાંથી આવતી ફરિયાદોને ધ્યાનમાં લઇને ચારેય મેટ્રો અને ૧૭ રાજ્યની રાજધાનીના પીવાના પાણીની તપાસમાં મુંબઇના નળનું પાણી સૌથી શુદ્ધ, પણ ૧૭ રાજ્યની રાજધાની અને અન્ય મેટ્રો શહેરોનું પાણી પીવા માટે અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ સર્વેક્ષણ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ કર્યું હતું.

ગ્રાહકોની બાબતના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૦૦ ટકા ખરું ઉતર્યું હતું, પણ બાકીના ત્રણ મેટ્રો શહેર દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ એમાં નાપાસ થયાં હતાં. તેમાંય દિલ્હીનું પાણી અત્યંત અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૧૭ અન્ય રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ પર પીવાના પાણી માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (આઇએસ) – ૧૦૫૦૦:૨૧૨ પ્રમાણે તપાસ કરવામાં આવી હતી.

પાસવાને જણાવ્યું હતું કે ૨૦ રાજ્યની રાજધાનીમાંથી પાઇપ દ્વારા પહોંચાડાતા પીવાના પાણીના સેમ્પલ ભેગાં કરવામાં આવ્યા હતા. ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૧ માપદંડમાં ચોખ્ખું સાબિત થયું હતું, પણ અન્ય શહેરના પાણીમાં એક યા બીજા માપદંડ પ્રમાણે અયોગ્ય જણાયું હતું.

આ સમસ્યાનો ઉપાય આખા દેશમાં પાઇપથી પહોંચાડાતા પીવાના પાણી માટે કડક નિયમ અને કાયદો બનાવવાનો છે. મંત્રાલયે આ મામલે રાજ્ય સરકારોને પત્ર લખીને જાણ કરી છે.

પાઇપના પાણી માટે હાલ ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ફરજિયાત ન હોવાથી એ માટે કોઇ સખત પગલાં લઇ શકાય એમ નથી.

૧૩ રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ આઇએસ પ્રમાણે અયોગ્ય ઠર્યા હતા.

શુદ્ધતાની દૃષ્ટિએ કયાં શહેરનો કેટલામો ક્રમ આવ્યો:

  • ૧. મુંબઇ.
  • ૨. હૈદરાબાદ.
  • ૩. ભુવનેશ્ર્વર.
  • ૪. રાંચી.
  • પ. રાયપૂર.
  • ૬. અમરાવતી.
  • ૭. શિમલા.
  • ૮. ચંડીગઢ.
  • ૯. ત્રિવેન્દ્રમ.
  • ૧૦. પટના.
  • ૧૧. ભોપાલ.
  • ૧૨. ગુવાહાટી.
  • ૧૩. બેંગલુરુ.
  • ૧૪. ગાંધીનગર.
  • ૧૫. લખનઊ.
  • ૧૬. જમ્મુ.
  • ૧૭. જયપુર.
  • ૧૮. દેહરાદુન.
  • ૧૯. ચેન્નઇ.
  • ૨૦. કોલકાતા.
  • ૨૧. દિલ્હી. 

November 15, 2019
CIA_BMC_pothole_chellenge.jpg
1min12820

મુંબઇ Pothole Challenge : ખાડા નહીં પૂરનાર અધિકારીના પગારમાંથી ઇનામ અપાય છે

Jayesh Brahmbhatt 98253 44944

પાલિકાને રસ્તાના ખાડા અંગેની ફરિયાદ કર્યા બાદ તેનું ૨૪ કલાકની અંદર સમારકામ ન થાય તો ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત બાદ મુંબઈગરાને ૫૦૦ રૂપિયા ઈનામની રકમ મળવાની શરૂઆત થઇ ચૂકી છે.

બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં આ વખતે વરસાદની સીઝન અને એ પછીના દિવસોમાં માર્ગો પર પડેલા ખાડાઓને કારણે અનેક રાહદારીઓ, વાહનચાલકોના મોત નિપજ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ હતો. માર્ગો પર ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પાલિકાએ પોથોલ ચેલેન્જ એક સપ્તાહની યોજના અમલમાં મૂકી હતી. જેમાં મુંબઇ મહાનગરપાલિકા વિસ્તારના કોઈપણ માર્ગ પર કોઇપણ વ્યક્તિ ખાડો જુએ તો તેણે મુંબઇ પાલિકાની પોથોલ ફિક્સીટ નામની એપ્લિકેશન પર તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે અને એ ખાડો 24 કલાકમાં ન પૂરાય તો ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રૂ.500નું ઇનામ આપવામાં આવે છે. એક સપ્તાહની ચેલેન્જ પૂરી થતા હવે ફોટો અપલોડ કરીને વિજેતા બનેલાઓને રૂ.500નું ઇનામ આપવાનું શરૂ કરાયું છે. ઇનામની રકમ મુંબઇ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીના ખીસ્સામાંથી એટલેકે પગારમાંથી કાપી લેવામાં આવી રહી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ ૧૦૦ જેટલા ફરિયાદીને ઈનામ આપવાની પ્રક્રિયા શરૂ છે, જે આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

પાલિકા પાસેથી ઇનામની રકમ મેળવનાર અંધેરીના રહેવાસીએ ટ્વિટ કર્યું હતું કે ‘પોથોલ ચેલેન્જ દરમિયાન સમયસર ખાડા ભરવામાં નિષ્ફળ રહેતા પાલિકા પાસેથી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આશા રાખું છું કે શહેરના રસ્તાઓને જાળવવામાં તેઓ વધુ સક્રિય બને. આગામી ચોમાસામાં ડિજિટલ માધ્યમથી ઈનામની રકમ ચૂકવામાં આવે તો સારું રહેશે’.

આ ટ્વિટર યુઝરે બીકેસી કામે જતી વખતે સહાર રોડ પર આવેલા ખાડા અંગે ફરિયાદ કરી હતી. તેણે કાર રોકીને ખાડાનો ફોટો લીધો અને તેને પાલિકાના ફિક્સઇટ ઍપ પર અપલોડ કર્યો. આ ખાડાને પૂરવાનું કામ પાલિકાએ કર્યું હતું, પરંતુ તે ૨૪ કલાકની અંદર થયું ન હોવાથી ૫૦૦ રૂપિયાનું ઇનામ અપાયું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી સાતમી નવેમ્બર સુધી એક અઠવાડિયાની પોથોલ ચેલેન્જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મુંબઈગરાને મોબાઇલ ઍપ હેઠળ ખાડા અંગેની ફરિયાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં આ ખાડાને પૂરવામાં ન આવે તો સંબંધિત ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ ઈનામની રકમ સંબંધિત પાલિકા અધિકારીને તેના ખિસ્સામાંથી ચૂકવવાની હતી.