સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.
અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.
ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.
ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.
ગુજરાતમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનો હોબાળો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારી વીજ કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યા વગર જ ભરતી રદ કરવામાં આવી હોવાનો માત્ર એક મેસેજ આપતા ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્યગુજરાત વીજ કંપનીઓમાં કારકૂનોની ભરતી માટે ગત વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા, જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. ભરતી રદ્ના મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફીનું રિફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે આ કારણ આપ્યું છે. સરકારે ઈડબ્લ્યુએસના ક્વોટાના નિયમનું અમલીકરણ કરવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
સૂરત જેવા ટાયર ટૂ અને ટાયર થ્રી સિટીઝમાં ઓનલાઇન શોપિંગના વધેલા આંકડાઓએ શોપિંગ સાઇટ્સના સંચાલકોને ઉત્સાહમાં લાવી દીધા છે. ભારતના બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં લક્ઝરી ચીજવસ્તુઓના ફેક્ટરી સ્ટોર અને હાઇએન્ડ લક્ઝરી મોલ્સ ન હોવાથી આવી વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઇન ઓર્ડર્સ આપવાનું પ્રમાણ વધ્યું છે. નાનાં શહેરોના ગ્રાહકોએ તેમની લક્ઝરી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો હોવાથી Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી કેટલીક વેબસાઇટને લક્ઝરી આઇટમ માટે પ્રથમ શ્રેણીનાં શહેરો કરતાં નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં જોરદાર વૃદ્ધિ થઈ રહ્યાના રિપોર્ટસ પ્રકાશમાં આવ્યા છે.
Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી શોપિંગ સાઇટ્સ પરથી લોકો વધુ ખરીદી કરી રહ્યા છે
બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોના અનેક ગ્રાહકો ઓછી કિંમતની લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા હોવાથી Darveys, Luxepolis અને Elitify જેવી વેબસાઇટ માટે નવા માર્કેટ્સ ખૂલ્યાં છે.
ઓફલાઇન લક્ઝરી મલ્ટિ-બ્રાન્ડ રિટેલર ધી કલેક્ટિવનું 45-50 ટકા વેચાણ બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં થાય છે. ધી કલેક્ટિવની કુલ આવકમાંથી 9 ટકા આવક ઓનલાઇન લક્ઝરી વેચાણની હોય છે. હૈદરાબાદ, કાનપુર, ઔરંગાબાદ અને હરિયાણાના નર્વાના જેવાં શહેરોમાંથી ઓર્ડર્સ મળી રહ્યા છે.
Elitifyના સત્તાવાર સૂત્રો કહે છે કે ઇન્દોર, લુધિયાણા, જલંધર જેવા બીજી શ્રેણીનાં શહેરોમાંથી ઘણા ઓર્ડર્સ મળી રહ્યા છે. માર્કેટનું આ સેક્શન સૌથી ઝડપે વૃદ્ધિ કરી રહ્યું છે.
મોટા ભાગના ગ્રાહકો બાર્ગેન હંટિંગ માટે ઓનલાઇન તરફ વળ્યા છે. જેમ કે, 2019માં લક્ઝરી મોલના મેનેજર્સે ઓછું વેચાણ નોંધ્યું હતું જેની સામે લક્ઝરી ગૂડ્ઝ વેચતી વેબસાઇટ પર 20-50 ટકા ઓછી કિંમતે વસ્તુઓ મળતી હોવાથી તેમને મળતા ઓર્ડર્સની સંખ્યા વધી હતી.
Darveys.comને નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં 50 ટકાનો વધારો થયો છે જ્યારે દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં માત્ર 25 ટકા વૃદ્ધિ થઈ છે. Darveysના સ્થાપક ગ્રુપના જણાવ્યા અનુસાર ચોખ્ખા આંકડા જોવામાં આવે તો નાનાં શહેરોમાંથી વધારે ઓર્ડર્સ મળી રહ્યા છે.
લક્ઝરી ચીજવસ્તુઓ વેચતી કંપની Luxepolis સૂત્રો જણાવે છે કે લગભગ 45 ટકા વેચાણ નાનાં શહેરોમાં થાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળતું વેચાણ 25 ટકા વધી ગયું હતું અને 2021 સુધીમાં તે 50 ટકા વધવાની ધારણા છે.
Darveysને મળતા કુલ ઓર્ડર્સમાં બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સનો હિસ્સો 2015માં માત્ર 20 ટકા હતો, જે વધીને 50 ટકા થયો છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત થઈ ત્યારથી પ્રથમ શ્રેણીનાં શહેરોમાંથી વેબસાઇટને મળતા ગ્રાહક દીઠ ઓર્ડર્સનું સરેરાશ કદ ₹36,000થી ઘટીને ₹26,000 થયું છે જેની સામે બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી થતો ગ્રાહક દીઠ સરેરાશ ખર્ચ ₹14,000થી વધીને ₹18,000 થયો છે.
Luxepolisના વિજયે ઉમેર્યું હતું કે, “ઉદ્યોગો અને ખેતી સાથે સંકળાયેલા સંપત્તિવાન લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદતા હોવાનું અત્યાર સુધીના વેચાણ પરથી જાણવા મળ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી IT, BPO, KPO, ઇ-કોમર્સ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના યુવા કર્મચારીઓ તરફથી પણ સારો ટ્રાફિક મળ્યો છે કારણ કે, આ સેક્ટરની કંપનીઓએ તેમની ઓફિસો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં શરૂ કરી છે.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન વધતા દિબ્રુગઢમાં સેના પણ બોલાવવામાં આવી છે અને ઘણી ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલાકના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે. બુધવારે પ્રદર્શનકારીઓએ રાજધાની દિસપુરમાં જનતા ભવન નજીક બસોમાં આગ ચાંપી દીધી હતી. અહેવાલ પ્રમાણે વિરોધ પ્રદર્શન હિંસક બનતા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને પ્રદેશના 10 જિલ્લામાં બુધવારે સાંજે સાત વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઈન્ટરનેટ સેવાઓ 12 ડિસેમ્બર સાંજે સાત વાગ્યા સુધી લખીમપુર, તિનસુકિયા, ઢેમાજી, દિબ્રુગઢ, ચરાયદેવ, શિવસાગર, જોરહાટ, ગોલઘાટ, કામરૂપ મેટ્રો અને કામરૂપ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.
રાજધાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી
પ્રદર્શનકારીઓને સચિવાલય તરફ આગળ વધતા જોયા બાદ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો
હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ
જીએસ રોડ પર રાખવામાં આવેલા બેરિકેડ્સ તોડી દીધા હતા અને તે જોતા પોલીસે લાઠીચાર્જ
પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપતિમાં છેલ્લા 9 માસ દરમિયાન પ્રતિમાસ 2620 કરોડ રૂપિયા ઉંચકાઈ હતી. ફોર્બ્સ મેગેઝિનનાં અહેવાલ અનુસાર માર્ચ 2019માં મુકેશની મિલકત પ0 બિલિયન ડોલર જેટલી હતી. એટલે કે 3.6પ6 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. 6 ડિસેમ્બર સુધીમાં તે વધીને પ9.9 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે તેની કુલ મિલકતમાં દર મહિને 1.2 અબજ ડોલરનો વધારો થયો. આ રકમને જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો પ્રતિમાસ તેની સંપતિમાં 2620 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અંબાણીની કુલ મિલકત છેલ્લા 9 વર્ષમાં બમણી થઈ ગઈ છે. માર્ચ 2010માં તેમની મિલકત 29 બિલિયન ડોલર હતી. ત્યારબાદ 2010થી 2014 વચ્ચે તેમાં ઘટાડો જોવા મળેલો અને તે ઘટીને 18.6 બિલિયન ડોલર સુધી ઘટી ગઈ હતી. જો કે પછી તેમાં સતત વધારો જ થયો છે અને અત્યારે તે પ0 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
અરબી સમુદ્ર પર ફરી TWIN (બે અલગ) વાવાઝોડા’નું સંકટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એવું નથી કે ફક્ત રૂપિયા જ આપણું જીવન બદલી શકે છે. આ વખતે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનું જીવન વાવાઝોડાઓએ બદલી નાંખ્યું છે. વરસાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વાવાઝોડાએ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતનું વાતાવરણ એવું બદલ્યું છે કે લોકોની દિવાળી બગડી, ખેડૂતોના પાક બગડ્યા હાલ ઠંડીની સિઝન બદલી અને સ્વાસ્થય પર તો ઘેરી અસર થઇ રહી છે. પહેલા વાયું આવ્યું, પછી હિક્કા, પછી ક્યાર પછી મહા અને હવે પવન નામનું વાવાઝોડું ગુજરાતમાં બિનમૌસમ બારીસ લાવી રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડા કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલા વાવાઝોડા કેન્દ્રિત થયા હતા પણ હવે વધુ બે વાવઝોડા ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જારી કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડા બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે
દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં હાલે કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઇ રહ્યું છે જે ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે
તેવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ -પશ્ર્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઉભું થવા પામ્યું છે અને આ બને હળવા દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરે પૂરી શક્યતા છે.
આ વાવાઝોડાં મોટેભાગે ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ, ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાની આગાહી સાથે જ કચ્છમાં પણ ગુરુવારે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. માવઠાં જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડા કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ વર્ષે છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાના હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયા છે જેમાંથી મોટાભાગના વાવાઝોડામાં પરિવર્તિત થયા છે.
The Arabian Sea witnesses a normal of one cyclone per year. The last time five tropical cyclones were witnessed in a year was in 1902. This year, very severe cyclonic storm Vayu was witnessed from June 10-17, very severe cyclonic storm Hikka from September 22-25, super cyclonic storm Kyarr between October 24 and November 2, extremely severe cyclonic storm Maha from October 30 to November 7, and presently Cyclone Pawan.
As compared, the Bay of Bengal has witnessed only three cyclones—Pabuk, Fani and Bulbul—against the normal of four per year.
થોડા દિવસોમાં Fastag ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ પર મળવા માંડશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ટોલ પ્લાઝા અને બેંકો મારફતે ફાસ્ટેગ વેચાણ વિતરણ ગોકળગાયની ગતિએ નોંધાતા કેન્દ્ર સરકારે ફાસ્ટેગ યોજનાનો અમલ 15 દિવસ પાછો ઠેલવવો પડ્યો છે. ભારતના વાહનોમાં ફાસ્ટેગ ઝડપથી લાગૂ થાય તે માટે સરકારે હવે પહેલી વખત કોઇ સરકારી પ્રોડેક્ટને પ્રાઇવેટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર લોંચ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ભારતીય લોકોમાં શોપિંગ સાઇટ્સ પરથી ચીજવસ્તુઓ મેળવવાના ક્રેઝને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. સરકારને આશા છે કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી શોપિંગ સાઇટ્સ પર ફાસ્ટેગ મળતા થશે એટલે ફાસ્ટેગના વેચાણ વિતરણમાં મોટા ઉછાળો નોંધાશે.
તા.1લી ડિસેમ્બર 2019થી ભારતમાં ફાસ્ટેગ સ્કીમ લાગૂ કરવામાં પીછેહઠ થવા પાછળનું કારણ એ જ બહાર આવ્યું છે કે કરોડ વાહનો સુધી હજુ ફાસ્ટેગ પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં ફાસ્ટેગના અમલમાં 15 દિવસની મુદત વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના એ પ્રયાસો છે કે ફાસ્ટેગને વધુ શુલભ બનાવવામાં આવશે અને એટલે જ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે પર ફાસ્ટેગ ઉપલબ્ધ બનશે. ભારતમાં એવું પહેલી વખત જોવાશે કે કોઇ સરકારી સ્કીમ પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર પણ ઉપલબ્ધ બનશે.
કેન્દ્ર સરકારે ફાસ્ટેગ માટે સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાથી આગામી પખવાડીયા કે મહિના દિવસમાં ફાસ્ટેગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ઉપલબ્ધ બનશે. હાલમાં ફાસ્ટેગ પબ્લિક, પ્રાઇવેટ બેંક્સ તેમજ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. પણ ઘણું ખરું જાન્યુઆરી 2020થી ફાસ્ટેગ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પણ સરળતાથી મળતા જોવા મળશે. ફાસ્ટેગ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ પર ઉપલબ્ધ બનશે. આ સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગની ઓનલાઇન ખરીદી સરળ બનશે.
ઇકોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગ મળી રહે એ માટે તા.29મી નવેમ્બર 2019ના રોજ શુક્રવારે આ માટેના બિડ ખોલવામાં આવ્યા હતા. ફાસ્ટેગ માટેના સર્વિસ પ્રોવાઇડરને અધિકૃત મેન્યુફેક્ચરર્સ નિયત કરવામાં આવ્યા છે. બિડના દસ્તાવેજમાં સર્વિસ પ્રોવાઇડરને કોઈ એક ગ્રાહક કે ગ્રાહકોના સમૂહને ફાસ્ટેગનું બલ્ક વેચાણ નહીં કરવાની તાકીદ કરાઈ છે.
જાન્યુઆરીથી ફાસ્ટેગ ત્રણેય ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદ કે પ્રશ્નોના ઓનલાઇન ઉકેલ માટે સિસ્ટમ બનાવાશે.
માત્ર ક્લાસ-4 વ્હિકલ (કાર, જિપ, વાન અને હળવા મોટર વ્હિકલ્સ) માલિકો જ ફાસ્ટેગ ઓનલાઇન ખરીદી શકશે. અત્યારે ફાસ્ટેગ Paytm પર ઉપલબ્ધ છે.
ગ્રાહકને ઓર્ડર મૂક્યા પછી સાત દિવસમાં ફાસ્ટેગ પહોંચાડવાના રહેશે. પેકેજમાં ફાસ્ટેગ ઉપરાંત, મૂળ ઇન્વોઇસ અને વાહન પર ફાસ્ટેગ કેવી રીતે ચોંટાડવું તેની સૂચના આપતું મેન્યુઅલ આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર સત્તાવાળાને વેચાણ અંગેનો દૈનિક અહેવાલ આપશે.
સરકારને આશા છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગનું વેચાણ શરૂ થયા પછી સેલ્સમાં મોટો ઉછાળો નોંધાશે. 21 નવેમ્બરથી ટેગના ખર્ચમાંથી મુક્તિની જાહેરાત પછી ફાસ્ટેગ લેનારાની સંખ્યામાં 130 ટકા ઉછાળો નોંધાયો હતો.
ફાસ્ટેગ 560 ટોલ પ્લાઝા પર સ્વીકારવામાં આવશે. દૈનિક ધોરણે પ્લાઝાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિવિધ બેન્કો દ્વારા ઇશ્યૂ થઈ રહેલા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા પ્રિ-પેઇડ વોલેટ સાથે લિંક્ડ કરાયા છે. આવા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ બનશે અને બેન્કના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી પણ તે ખરીદી શકાશે. બેન્ક-ન્યૂટ્રલ NHAI ફાસ્ટેગ વિવિધ પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ પાસેથી ખરીદી કરી શકશે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતાથી અંબાજી જતા માર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીમાં દાંતા માર્ગમાં મરામતની કામગીરી ચાલી રહી હોવાથી આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી જવા વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્રિશૂળિયા ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ગુજરાતની સર્વાંગી વૈશ્ર્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદૃઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતીની સ્થિતિની નોંધ દેશભરમાં લેવાય છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા બાદ વધુમાં કહ્યું હતું કે, ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમ જ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક અર્પણ થયા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.