વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા
રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.
આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.
આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.
હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.
27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.
ચીનમાં આતંક મચાવતા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170નો ભોગ લઈ લીધો છે. તો જેની દહેશત હતી એવો આ વાયરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.’ ચીનથી પાછા ફરેલા કેરળના છાત્રમાં કોરોના વાયરસના ચેપને સમર્થન અપાયું છે. બીજીબાજુ બંગાળમાં કોરોનાના સંદિગ્ધ લક્ષણો ધરાવતી થાઈલેન્ડની એક મહિલાનું મૃત્યુ થયું છે. તો મેલેશિયામાં ત્રિપુરાના એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થયું છે.
કેરળનો આ છાત્ર ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેની તબિયત સ્થિર છે અને તબીબો તેની સારવાર અત્યારે કરી રહ્યા છે.’ બીજીતરફ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓના મામલા સામે આવ્યા છે. અગાઉ,’ જયપુર, મુંબઈ અને બિહારના છપરામાં આ દર્દીના કેસ સામે આવ્યા હતા.
દિલ્હીની હોસ્પિટલ તેમજ એરપોર્ટ પર કોરોના વાયરસની પૂરી તપાસ કરવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ છે.
દરમ્યાન, ભારતમાંથી ચીન તરફ ઉડાન ભરનારી બે ભારતીય એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની મોટાભાગની ઉડાનો સ્થગિત કરવાની ઘોષણા કરી નાખી છે. ભારતે હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકો પાછા લાવવા માટે બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવાનો ચીનને અનુરોધ કર્યો છે.
ભારતની સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં પોતાના નાગરિકોને ચીનની યાત્રા હાલ પૂરતી ટાળવાની સલાહ આપી છે.
132ના મોત, 5974 કેસો : ઝડપથી પ્રસરી રહેલો રોગચાળો
ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસના પ્રકોપથી મરનારાની સંખ્યા વધીને 132 સુધી પહોંચી ગઇ છે. અહીના 30 રાજ્યોમાં કોરોનાવાયરથી સંક્રમિત 5974 જેટલા પોઝિટિ વ મામલાઓની પુષ્ટિ કરવામાં આવી છે.
આ સિવાય ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ આયોગ મુજબ કોરોનાવાયરસથી પીડિત 976 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને આગામી અઠવાડિયા સુધી આ ખતરનાક વાયરસના ભરડામાં સાત હજાર લોકો આવી શકવાની આશંકા છે.
સારવાર દરમિયાન સ્વસ્થ બનેલા 60 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ચીનના શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે વાયરસના પ્રકોપને કારણે શાળાઓ માટે 2020ના સ્પ્રિંગ સેમેસ્ટરને રદ કરવામાં આવ્યું છે.
ચીનના વુહાનમાંથી ભારતીયોને લાવવાની તૈયારીઓ
સરકારે સોમવારે ચીનની હુબેહી પ્રાંતના વુહાન શહેરમાંથી ભારતીયોને લાવવાની તૈયારી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ચીનમાં કોરોના વાઇરસથી ફાટી નીકળેલા રોગચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના વડપણ હેઠળની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય આ બાબતમાં ચીનના સત્તાવાળાઓની મદદ માગવા વિનંતી કરશે.
ચીનથી આવી રહેલા પ્રવાસીઓનો બંદરો પર સ્ક્રિનિંગ કરવાનું પણ શિપિંગ મંત્રાલય શરૂ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી વૈશ્ર્વિક જોખમ ઊભું થયું છે અને અગાઉ આપેલા સંદેશમાં સામાન્ય શબ્દ કહેવામાં આવ્યો હતો તે એક ભૂલ હતી.
દરમિયાન કોરોના વાઇરસ રોગચાળાથી મૃતકોની સંખ્યા ૮૦ થઇ હતી અને ૨,૭૪૪ દર્દી છે તેવી ચીનના સત્તાવાળાઓએ જાણ કરી હતી. ૪૬૧ દર્દીઓની હાલત ગંભીર છે તેવું નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું.
ચીનમાં પ્રવાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હોવાથી એશિયાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે ચીનના પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.
દરમિયાન કેન્દ્ર સરકારે નેપાળની ભારત સાથે સરહદ પર ચોકસાઇ વધારી દીધી છે. પ.બંગાળના પાણીટંકી અને ઉત્તરાખંડના ઝૂલાઘાટ અને જાવલીબીમાં ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નેપાળની સરહદ પર આવેલા પાંચ રાજ્ય યુપી, ઉત્તરાખંડ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમના ચીફ સેક્રેટરી અને પોલીસવાળા સાથે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પ્રિતી સુદાને વીડિયો કોન્ફરન્સ કરી હતી.
દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખી ચીનમાં અટવાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરવા વિનંતી કરી હતી. ચીને નવા વર્ષનું રજાનું વેકેશન શુક્રવારે પૂરું થતું હતું તે વધારીને રવિવાર સુધી કર્યું હતું. રજા પછી પણ શાળાઓ ખોલવાનું લંબાવવામાં આવ્યું હતું. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વુહાનમાં ગયા હતા અને રોગચાળાના નિયંત્રણ માટેના પગલાંની સમીક્ષા કરી હતી.
ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.
ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય
વિદ્યાર્થીઓ રહે છે.
We have opened a third
hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે
દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની
સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં
છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક
રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર
રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.
વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને
કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની
તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’
આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.
આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.
ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.
ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.
સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.
મુંબઈમાં ‘કોરોના’ વાઈરસના ત્રણ શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે. જ્યારે પુણેમાં બે શંકાસ્પદ દર્દીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ કલ્યાણ અને નાલાસોપારાના રહેવાસીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ ચીનથી આવ્યા હતા અને હાલ તેમને પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું
હતું. ચીનમાં ‘કોરોના’ વાઈરસે માથું ઊંચક્યું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં સ્વતંત્ર વોર્ડ ચાલુ કર્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હોઈ ત્યાં જ તેમના પર સારવાર કરવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પદમજા કેસકરે જણાવ્યું હતું. ‘કોરોના’ વાઈરસના આતંકને કારણે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ૧,૭૮૯ જેટલા પ્રવાસીનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી જેઓ ચીનથી આવ્યા હતા તેમનામાં આ વાઈરસના લક્ષણો જણાયા હતા.
ડૉ. કેસકરે જણાવ્યા મુજબ ચીનથી મુંબઈ આવેલા ત્રણ શંકાસ્પદ દર્દીને ઉધરસ અને શરદીનો ત્રાસ થઈ રહ્યો હતો, તેથી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતરનારા પ્રવાસીઓમાં ‘કોરોના’ વાઈરસનાં અમુક લક્ષણો જણાઈ આવે તો તેમને તાત્કાલિક પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની સૂચના પાલિકા તરફથી ઍરપોર્ટ પ્રશાસનને આાપવામાં આવી હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી કસ્તુરબા હૉસ્પિટલમાં ‘કોરોના’ વાયરસ સંબંધિત દર્દીઓની વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન ‘કોરોના’ વાઈરસના ઈન્ફેક્શનના શંકાસ્પદ કોઈ દર્દી જણાયા હતા, પણ સ્ક્રિનિંગ દરમિયાન જ ત્રણ મુંબઈના અને ત્રણ પુણેના એમ છ દર્દીઓને મેડિકલ ઍક્ઝામિનેશનલ કરવા માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જેમાં ચાર લોકોમાં કોઈ ઈન્ફેકશન જણાયું નહોતું, તો બેને મામૂલી શરદી અને ઉધરસ હોવાથી તકેદારીના પગલારૂપે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય ખાતાના કહેવા મુજબ છેલ્લા ૧૪ દિવસમાં ચીનના વુહાન શહેરથી આવેલા કોઈ પ્રવાસી થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન પોઝિટિવ (‘કોરોના’ વાઈરસ) જણાયો નથી.
ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ ‘કોરોના’ વાઈરસનો દર્દી નોંધાયો હતો. ‘કોરોના’ વાઈરસનની ચપેટમાં આવી જવાને કારણે અત્યાર સુધી ૨૫નાં મોત થયા છે. આ વાઈરસનો ચેપ લાગ્યા બાદ ઉધરસ થવી, શ્ર્વાસ લેવામાં ત્રાસ થવા જેવાં લક્ષણો જણાતા હોવાનું વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઈઝેશને જણાવ્યું હતું.
‘કોરોના’ વાઈરસને પગલે પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં અલાયદો સ્વતંત્ર વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસનું ઈન્ફેકશન થયું હોવાની શંકા હોય તેવા દર્દીની તપાસ કરીને તેની સારવાર કરવામાં આવશે એવું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ડૉકટરોને ચીનથી આવનારા પ્રવાસીઓમાં જો ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક કસ્તુરબા હૉસ્પિટલ મોકલી દેવાની સૂચના પણ આપવામાં આવી છે.
પાલિકાએ તો ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દી માટે કસ્તુરબા હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી છે, પણ ચીનથી જો કોઈ પ્રવાસી મુંબઈ આવ્યો હોય અને તેનામાં ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તે માટે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરનારા ડૉકટરો તથા ખાનગી હૉસ્પિટલોનેે પણ ઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું.
ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કૉરોના વાઈરસને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા ચીને શનિવાર તા.25મી જાન્યુઆરી 202ના રોજ કહ્યું હતું કે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 વ્યક્તિનો ભોગ લેનારાં આ જીવલેણ વાઈરસનો ભોગ બનેલા દરદીઓ માટે શરૂ કરવામાં આવેલી ૧૦૦૦ પલંગ ધરાવતી હૉસ્પિટલમાં 1500 કરતા પણ વધુ દરદી ભરતી થયા હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. દરદીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે. ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે.
બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ ચીને જીવલેણ વાઈરસનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરની આસપાસના વધુ ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદતા કુલ ૧૩ શહેરના ૪.૧ કરોડ લોકો પર તેની અસર થઈ છે.
વાઈરસ સૌપ્રથમ જ્યાં જોવા મળ્યો હતો તે સેન્ટ્રલ હુબેઈ પ્રાન્તમાં આવેલા ઝિયાનિંગ, ઝિયાગાન, ઍન્શી અને ઝિજિયાન્ગ શહેરના અધિકારીઓએ કહ્યું હતું કે આ શહેરોમાં બસ અને રેલવે સહિતની તમામ પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે.
૮૦૦ કરતા પણ વધુ લોકોને ચેપ લગાડનાર નવા કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેમાં ઉપરોક્ત શહેરોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
હુબઈ પ્રાન્તની રાજધાની ગણાતા વૂહાન શહેરમાં સૌપ્રથમ આ વાઈરસ દેખાયો હતો.
આ શહેરની સીફૂડ અને ઍનિમલ માર્કેટ આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.
સાડાપાંચ લાખની વસતિ ધરાવતા ઝિજિયાન્ગમાં ફાર્માને બાદ કરતા તમામ બિઝનેસ તો આઠ લાખની વસતિ ધરાવતા ઍન્શીમાં મનોરંજનનાં તમામ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ
જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.
આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.
ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.
વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.
આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.
દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.
ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ
ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.
ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.
આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.
2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.
સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.
Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.
What is this virus?
It’s a new type of coronavirus that scientists have not seen before.
The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.
Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.
Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.
China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.
Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.
Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.
“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.