CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 75 of 126 - CIA Live

February 4, 2020
aadhaar-pan-link.jpg
1min2960

આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.

૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.

ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.

February 3, 2020
CIA_Live_Logo_New2.jpg
4min9320

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ કહ્યું કે ચીનમાં નવા કોરોના વાયરસના પ્રકોપથી મૃત્યુ આંક વધીને 630 થઈ ગયો છે, કારણ કે ગુરુવારે વધુ 69 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, આ એક દિવસમાં થયેલા સૌથી વધુ મોતની સંખ્યા છે. જ્યારે કોરોના વાયરસની અસર કુલ 30000 કરતા વધુ લોકોને થઈ છે. બુધવારે વાયરસના કારણે 69 લોકોના મોત થયા છ અને આ મહામારીના નવા 2500 કેસોની પુષ્ટિ થઈ છે, તેમ દેશના સ્વાસ્થ્ય આયોગે જાહેરાત કરી છે.

મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે. બુધ અને ગુરુવારે ચીનમાં નવા સંદિગ્ધ 7500 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતન છે.

ચીનના સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે સાંજે એમ પણ કહ્યું કે કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના મનુષ્ય-થી-મનુષ્ય સુધી પ્રસરી રહ્યો છે. 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે.

6 February 2020

ચીનમાં કોરોના વાઈરસ : મરણાંક 576 થયો : 28 હજારથી વધુ કેસો

ચીનમાં કોરોના વાઈરસે અત્યાર સુધીમાં 576નો ભોગ લીધો છે. વાઈરસ ઈન્ફેક્શનના ૨8૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, એમ ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 1100 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 3800 દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૫ લાખ લોકો નિગરાની હેઠળ છે. ચીનની આસપાસના દેશોમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચીનના સત્તાવાળાઓએ આ વાઈરસનો મુકાબલો કરવા તીવ્ર પ્રયાસ શરૂ કર્યા છે. અલગ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં ઊભી કરી છે. અન્ય હૉસ્પિટલ પણ ટૂંકમાં ખૂલનાર છે. મિલિટરી મેડિકલ ટીમ દ્વારા સંચાલન થઈ રહ્યું છે.

આઠ વધુ મોબાઈલ કેબિન હૉસ્પિટલ ઊભી થનાર છે. આ વાઈરસ 27 દેશોમાં ફેલાયો છે. ભારતમાં ત્રણ કેસ જોવાયા છે તે તમામ કેરળના છે. ચીને આશા દર્શાવી છે કે ભારત કોઈ વેપાર અંકુશ મૂકશે નહીં. ચીનમાંના ભારતીયોની સુરક્ષા માટે સત્તાવાળાઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ચીનની ઈકોનોમીને કામચલાઉ અસર થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ વૈશ્ર્વિક હેલ્થ કટોકટી જાહેર કરેલી છે તેનાથી ગભરાટ નહીં ફેલાવવા ચીને વિનંતી કરી છે.

ચીન જવાબદાર દેશ છે તે ફક્ત તેમના દેશના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના નાગરિકોની સુરક્ષાના પગલાં લેશે. ભારત સાથેના તમામ કામકાજ-વેપાર ચાલુ રહે તેવી આશા દર્શાવાઈ હતી. ચીને અગાઉ સાર્સની કટોકટી વખતે સફળતાપૂર્વક સામનો કરીને ઉકેલ લાવ્યા હતા.

તા.4 ફેબ્રુઆરીનો અહેવાલ

તા.4 ફેબ્રુઆરી 2020ની સવારે કોરોના વાઇરસ અપડેટ અંગે ચીનની સત્તાવાર વેબસાઇટ પરથી લેવાયેલી માહિત અનુસાર કોરોના વાઇરસને પગલે અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસથી પ્રભાવિત નાગરીકોની સંખ્યાની સત્તાવાર વિગતો આ મુજબ છે.

  • Confirmed: 20,471 (+3,266)
  • Suspected: 23,214 (+1,656)
  • Recovered: 632 (+157)
  • Deaths: 425 (+64)

નવા જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં સોમવારે એક જ દિવસમાં વધુ 56 જણનાં મોત થતાં કુલ મરણાંક વધીને 421 પર પહોંચ્યો હોવા વચ્ચે આ વાઈરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હોવાની ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી.

ચીનના નેશનલ હૅલ્થ કમિશને સોમવારે જાહેર કરેલા તેનાં દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન દેશભરમાં કોરોના વાઈરસના નવા 3500 કન્ફર્મ કેસ તો ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેને પગલે આ વાઈરસની અસરમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હતો.

સોમવારે ચીનના દેશભરમાં કોરોના વાઈરસના નવા ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રવિવારે આ વાઈરસને કારણે નોંધાયેલા કુલ ૫૭ મોતમાંથી ૫૬ મોત આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર મનાતા હુબેઈ પ્રાન્તમાં નોંધાયા હતા.

સોમવારે ૧૮૬ દરદીની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી તો ૧૪૭ દરદીને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

પંચનાં જણાવ્યાનુસાર દેશભરમાં આ વાઈરસના ભોગ બનેલા ૨૨૯૬ દરદીની હાલત ગંભીર છે તો ૨૧૫૫૮ લોકોને આ વાઈરસની અસર થઈ હોવાની શંકા છે.

આ વાઈરસની અસર પામેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧,૮૯,૫૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૫૫ લોકોને રવિવારે તબીબી ચકાસણી બાદ રજા આપી દેવામાં આવી હતી તો ૧,૫૨,૭૦૦ લોકો હજુ પણ તબીબી દેખરેખ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના દર્દીઓ મળી રહ્યા હોઇ કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર ઘોષિત

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાયરસના કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.

કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાયરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.

સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે.

Dated 03/02/2020

362ના મોત : 17,386 દર્દીઓ : 27 દેશોમાં પહોંચ્યો વાઇરસ

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ હવે 27 દેશો સુધી વિસ્તરી ચૂક્યો છે. હજુ સુધી જેને ડામવા માટે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી એ કોરોના વાઇરસે તા.2 ફેબ્રુઆરી 2020ના રોજ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ચીનમાં 57 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 2800 જેટલા નવા કન્ફર્મ કેસો કોરોના વાઇરસના દર્દીઓના મળી આવ્યા છે.

તા.3 ફેબ્રુઆરી 2020ને સવારે 8.30 વાગ્યાની માહિતી અનુસાર કોરોના વાઇરસના કારણે કુલ 362 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં 361 અને ફિલિપાઇન્સમાં 1 દર્દીનું મોત કોરોના વાઇરસને કારણે નિપજ્યું છે.

ચીનમાં કોરોના વાઇરસના કુલ 17,205 કેસો નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસનો બીજો દર્દી

ભારતમાં ખતરનાક ચીની કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. કેરળમાં જ આ વાયરસનો બીજો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલાં ચીનથી પરત ફરેલી એક છાત્રમાં કોરોના વાયરસ હોવાના વાવડ મળ્યા હતા. થ્રિસૂર મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર જળવાઇ રહી છે.
ચીનની યાત્રા કરનાર કેરળના અન્ય એક વ્યક્તિમાં આ ચીની વાયરસનું સંક્રમણ એટલે કે ચેપ હોવાનું બહાર આવતાં ભારતમાં કોરોનાની બીમારીનો બીજો કેસ સામે આવ્યો છે.

બીજા દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે, જ્યાં તેનું ગહન પરીક્ષણ કરાઇ રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે અલપ્પુઝા મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ જારી છે. આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી તરફથી અહેવાલ આવવાની રાહ જોવાઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો પણ કેરળમાં જ જોવા મળ્યો છે. આ બીજા દર્દીની હાલત સ્થિર છે અને તેની સતત સારવાર થઇ રહી છે.

ભારતે રવિવારે ચીનમાંથી આવતા ચીની તેમજ અન્ય વિદેશી યાત્રીઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે 300થી વધુ લોકોના મોત, ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં આ ઘાતક વાયરસના ફેલાવાને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારતે આજે આ પગલું લીધું હતું. ભારતીય દૂતાવાસે એવી ઘોષણા કરી હતી કે, પ્રવર્તમાન કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે તત્કાલ પ્રભાવથી ઇ-વીઝા દ્વારા ભારત યાત્રા પર રેક લગાવાય છે.

આ ફેસલો ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ યાત્રીઓ પર લાગુ થશે, જે ચીનમાં રહે છે. એ જ રીતે જે યાત્રીઓને અગાઉથી ઇ-વીઝા જારી કરી દેવાયા છે, તેમનાં પણ ઇ-વીઝા માન્ય નહીં રહે તેવું દૂતાવાસે સ્પષ્ટ કહ્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, જેમના માટે ભારતની યાત્રા અનિવાર્ય છે, તેવા યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા યાત્રીઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગઝોઉ સ્થિત મહાદૂતાવાસ તેમજ આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.

શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનનો દાવો કરતા ચીનમાં જ વાઇરસે પોલ ખોલી નાંખી

ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી.

આખા વિશ્વને માસ્ક વેચતા ચીને માસ્ક બીજા દેશો પાસેથી ખરીદવા પડ્યા

બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આખા વિશ્વમાં માસ્ક સપ્લાય કરતા ચીને માસ્ક વિદેશોમાંથી મંગાવવા પડ્યા છે.

ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.

February 3, 2020
chinese_tourists.jpg
1min2830

ચીનના કોરોના વાઇરસને પગલે વિશ્ર્વભરના દેશોએ ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીનના વુહાન પ્રાંતમાં શરૂ થયેલા કોરોના વાઇરસને પગલે અમેરિકાએ છેલ્લા ૧૪ દિવસમાં ચીનની યાત્રાએ ગયેલા લોકોના આગમન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાગરિકો જેમણે હાલમાં ચીનના હુવેઇ પ્રાંતની મુસાફરી કરી છે તેમના આગમન પર તેમનું સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂર પડે અલાયદા પણ રાખવામાં આવશે.

બંગલાદેશે ચીનના નાગરિકોના વિઝા-ઓન- અરાઇવલ હાલ પૂરતા બંધ કર્યા છે અને દેશમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ચીનના નાગરિકોની સેવા નહીં લેવા આદેશ આપવામાં આવ્યા છે. વૈશ્ર્વિક સ્વાસ્થ્ય કટોકટીને પગલે બંગલાદેશમાં રહેતા ચીનના લોકોને પણ આગામી મહિનામાં રજા નહીં લેવા અને ચીન નહીં જવા સૂચન કર્યું છે.

પોતાના દેશમાં કોરોના વાઇરસ ફેલાવાના ભયે ઇરાકે પણ ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. ઇરાકની ચીન માટેની કોઇ ડાઇરેક્ટ ફ્લાઇટ નથી, પરંતુ માતબર ઓઇલ ફિલ્ડ ધરાવતા દેશમાં ચીનના ઘણાં વ્યક્તિ અહીં કામ કરે છે. વર્ષોથી ચાલતા યુદ્ધ અને આંતરિક યાદવાસ્થળીને કારણે ઇરાકની જાહેર સ્વાસ્થ્ય યંત્રણા ખાડે

ગઇ છે.

ઇઝરાયલે પણ છેલ્લાં બે અઠવાડિયામાં ચીનના પ્રવાસે જઇ આવેલા વ્યક્તિના દેશમાં હવાઇ, રોડ અને જળ માર્ગે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઇન્ડોનેશિયાના લાયન ઍર ગ્રુપે તેની ચીનની ફ્લાઇટો બંધ કરી છે. લોકોને ચીનનો પ્રવાસ નહીં ખેડવા જણાવવામાં આવ્યું છે. ચીનથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં

આવ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસના પુષ્ટિ કરાયેલા કેસની સંખ્યા ૧૨ થઇ જતા ચીનના મુસાફરોનો પ્રવેશ નકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

February 2, 2020
airport.jpg
1min3600

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતા કહ્યું કે દેશમાં વર્ષ 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે દેશમાં પાંચ નવી સ્માર્ટ સિટી બનાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ નવા સ્માર્ટ સિટી પીપીપી મોડલના આધારે બનાવવામાં આવશે.

સીતારામને કહ્યું કે, ઉડાન (ફ્લાઇંગ દેશનો સામાન્ય નાગરિક) પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતને વધુ 100 એરપોર્ટ મળશે. આજે બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તે જ સમયે, તે વર્ષે ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ વે પણ શરૂ થશે. સીતારામને કહ્યું કે હાઈવેનો ઝડપી વિકાસ પણ કરવામાં આવશે.

February 1, 2020
DICGC.jpg
1min3480

PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.

અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.

બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા હતા.

ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000 ડોલર્સ અને બ્રિટનમાં 111,143 ડોલર છે.

બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.

February 1, 2020
income_tax-1280x853.jpg
1min2900

બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.

નવી ટેક્સ સ્લેબ પ્રમાણે,
1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.

2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.

3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.

4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.

5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.

ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.

નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.

નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.

February 1, 2020
airlift1.jpg
1min2640

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની ચપેટમાં આવેલા ચીનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારે ચીનથી 324 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈ જેવા શહેરોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 259 લોકોના મોત થઈ ગયા છે અને 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કર્યો છે.

ચીનથી ભારતીયો પરત ફરે તે પહેલાથી જ ભારતીય સેના દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભારતીયોને લાવવા માટે ચીન ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવારે સાંજે લેન્ડ કરી ગયું હતું.

આઈટીબીપીએ પણ દિલ્હીમાં એવી વ્યવસ્થા કરી છે, જ્યાં 600 લોકોનો ઈલાજ, દેખભાળ માટે અલગ બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને નજર હેઠળ રખાશે. પહેલા યાત્રીઓની એરપોર્ટ પર તપાસ કરાશે, તે પછી તેમને માનેસર કેન્દ્ર લાવવામાં આવશે. જો કોઈ કોરોના વાયરસગ્રસ્ત હોવાની આશંકા હશે તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનાવેલા અલગ વોર્ટમાં શિફ્ટ કરવામાં આવશે.

હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. વુહાન આ હુબેઈની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે 2019-એનસીઓવી નામથી ઓળખાય છે. હુબેઈમાં લગભગ 700 ભારતીયો રહે છે. તેમાં મોટાભાગે મેડિકલના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર છે જે ભારતની યુનિવર્સિટીઓમાંથી ત્યાં અભ્યાસ માટે ગયા છે.

February 1, 2020
onion.jpg
1min3320

દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે.

મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે. રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તુર્ત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી રૂ. ૧૦ની કિલો લેખે ૨૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.

January 31, 2020
corona-1.jpg
2min5240

કોરોના કહેર : 231ના મોત : 9692 કેસ : 1600 ક્રિટીકલ : 22 દેશોમાં પહોંચી ચૂક્યો છે વાઇરસ

ચીનમાં 212 લોકોને મોતને ઘાટ ઉતારનાર સૌથી ખતરનાક મનાતા જીવલેણ કોરોના વાઇરસ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહેલી સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આખરે તા.30મી જાન્યુઆરીને ગુરુવારે કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામગીરી થઇ શકે એ માટે કોરોના વાઇરસને ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

https://twitter.cohttps://twitter.com/WHO/status/1222967082733559808

WHOના ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું કે, સૌથી મોટી ચિંતા તેવા દેશોમાં વાયરસને ફેલાતા રોકવાની છે જ્યાં સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થા ઓછી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ પ્રયાસ એ છે કે બીજા એવા દેશો જેઓ કોરોના વાયરસમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી, તેમની મદદ કરી શકાય.

ટેડ્રોસે જણાવ્યું કે, હાલ પૂરતું યાત્રા કરવા પર તેમજ વેપાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે, જો કે તેની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, ઘણા દેશો એવા છે જેણે પોતાના નાગરિકોને વુહાન જવા માટે ના પાડી છે. કેટલાક દેશોએ વુહાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ચીનની સાથે પોતાની પૂર્વીય બોર્ડરને પણ બંધ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 213એ થઇ, 9692 કરતાં વધુ લોકો પીડીત 15,000 દેખરેખ હેઠળ 1600 ક્રિટિકલ કેરમાં

9,692 cases confirmed and 213 dead and 15,000 are under observation. 1600+ under critical condition.

ભારતે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે રવાના કર્યું ખાસ પ્લેન

http://cialive.in/special-air-india-plane-ready-to-get-out-indians-trapped-in-wuhan/

January 31, 2020
budget.jpg
1min3100

સરકાર બજેટના એક દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.

આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.

ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે

હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.