ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિના જીવન પર એક ફિલ્મ બની રહી છે જેમાં તેમની જીવનસફર દર્શાવવામાં આવશે. મૂર્તિએ 40 વર્ષ અગાઉ આઇટી કંપની ઇન્ફોસિસ સ્થાપી હતી જેણે ભારતીય મધ્યમ વર્ગની એક આખી પેઢીને બદલી નાખી અને ભારતને પ્રતિષ્ઠા અપાવી હતી. ફિલ્મના લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અશ્વિની ઐયર-તિવારી અને નિતેશ તિવારીએ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે ફાઇનલ કરી છે. આ ફિલ્મ મૂર્તિની માતૃભાષા કન્નડ, તમિલ અને હિંદીમાં બનાવવામાં આવશે.
ઐયર-તિવારી એડ્વર્ટાઇઝિંગ ઉદ્યોગમાંથી ફિલ્મ નિર્માણ તરફ વળ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે મૂર્તિને મળ્યા ત્યારે તેમણે ફિલ્મની નિશ્ચિત ડેડલાઇનનો આગ્રહ કર્યો હતો. વિશ્વને આ ગાથાની જેટલી ઝડપથી ખબર પડે તેટલું સારું છે.”
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના વડા મૂર્તિએ જણાવ્યું કે, “હું બીજાના જીવન અને સિદ્ધિઓ પરની ફિલ્મો જોવાનું પસંદ કરું છું. મને એમ એસ ધોની પણ પસંદ પડી હતી. પરંતુ હું અમારા વિશે બની રહેલી ફિલ્મની વાત નહીં કરું. પરંતુ અમે નહીં છટકી શકીએ. તે જીવનની હકીકત છે.”
ફિલ્મ નિર્માતા હાલમાં મિત્રો અને પરિવાર પાસેથી મૂર્તિ વિશે વધારે વિગત એકત્ર કરી રહ્યા છે જેમાં તેમના પુત્ર રોહનનો પણ સમાવેશ થાય છે. ઐયર-તિવારીએ 2016માં કોમેડી ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’ બનાવી હતી. તેમણે કંગના રણૌતને લઈને ‘પંગા’ ફિલ્મ પણ બનાવી હતી જેમાં એક કબડ્ડી ચેમ્પિયનની વાત છે.
ફિલ્મનું કામચલાઉ નામ ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ઐયર તિવારીએ જણાવ્યું કે તેઓ સુધા મૂર્તિના ફેન છે. હાલમાં તેઓ સ્ક્રીપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે ફાઇનલ થઈ જાય ત્યાર પછી ફિલ્મના અભિનેતાઓ નક્કી કરવામાં આવશે. સુધા મૂર્તિ માટે પણ આ નવો અનુભવ નથી. તેમણે કન્નડ ફિલ્મો પ્રાર્થને, પ્રીથી ઇલાડા મેલે, ઉપ્પુમાં કામ કર્યું છે. જોકે, આ વખતે તેમની સ્ટોરી પર ફોકસ કરવામાં આવશે.
ઐયર-તિવારીએ કહ્યું કે, “આ ડોક્યુમેન્ટરી નહીં હોય, પરંતુ લાઇફ સ્ટોરી હશે. નારાયણ મૂર્તિને જે સન્માન મળ્યું છે તે સ્ટીવ જોબ્સને પણ નથી મળ્યું.” આ ફિલ્મમાં ઇન્ફોસિસની શરૂઆતથી અત્યાર સુધીની વાત આવરી લેવાશે.
સાઉથ કોરિયાની ‘પૅરેસાઇટ’ ફિલ્મ રવિવારે અહીં ૯૨મા ઍકેડેમી અવૉર્ડ્સના સમારંભમાં સર્વશ્રેષ્ઠ ઑસ્કર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
આ ઍકેડેમીના ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જેમાં બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મને જગવિખ્યાત ઑસ્કર અવૉર્ડ મળ્યો હોય અને એ ગૌરવ ‘પૅરેસાઇટ’ ફિલ્મને મળ્યું છે.
backstage during the 89th Annual Academy Awards at Hollywood & Highland Center on February 26, 2017 in Hollywood, California.
એક તરફ, ‘પૅરેસાઇટ’ની વિજેતા-ફિલ્મ તરીકેની જાહેરાત આશ્ર્ચર્યજનક હતી ત્યારે બીજી બાજુ, સૅમ મેન્ડીસની યુદ્ધ પર આધારિત ‘૧૯૧૭’ ફિલ્મે ઘણી મોટી ટ્રોફીઓ સાઉથ કોરિયાની વિજેતા ફિલ્મને ગુમાવવી પડી હતી.
‘૧૯૧૭’ ફિલ્મ પ્રથમ વિશ્ર્વયુદ્ધ પર આધારિત છે અને એ કુલ ૧૦ પુરસ્કારો માટે નૉમિનેટ થઈ હતી. એમાં ખાસ કરીને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેકટર તથા બેસ્ટ ઑરિજિનલ સ્ક્રીનપ્લે અવૉર્ડનો સમાવેશ હતો. જોકે, ટેક્નિકલ ખૂબીઓ ધરાવતી આ ફિલ્મને છેવટે માત્ર બેસ્ટ સિનેમેટોગ્રાફી (રોજર ડીક્ધિસ), બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિગંની કૅટેગરીમાં જ પુરસ્કાર મળી શક્યા હતા. બાફ્તા તથા ગોલ્ડન ગ્લોબ્સ ખાતે આ વૉર-ફિલ્મ (‘૧૯૧૭’)ને બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેકટર નામના ટોચના બે પુરસ્કાર મળ્યા હતા.
જોકે, રવિવારે ‘પૅરેસાઇટ’ ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના મુખ્ય ત્રણ અવૉર્ડ મેળવીને અનેકને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા.
ઍકેડેમીના વોટર્સે ‘૧૯૧૭’ ઉપરાંત બીજી એક જાણીતી ફિલ્મને પણ હરીફાઈની બહાર કરી દીધી હતી. માર્ટિન સ્કોર્સેસેની એ ફિલ્મ હતી, ‘ધ આઇરિશમૅન’ જે ગુનાખોરી પર આધારિત હતી. રોબર્ટ દ નિરો, અલ પૅચિનો અને જૉ પેસ્કી જેવા પીઢ કલાકારોના સમાવેશવાળી આ ફિલ્મ ૧૦માંથી એકેય નૉમિનેશનમાં અવૉર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.
૧૬ કરોડ ડૉલર (અંદાજે ૧૧.૪૨ અબજ રૂપિયા)ના ખર્ચે બનેલી તેમ જ અમુક વિવાદોમાં સપડાયેલી ‘સ્કોર્સેસી’ ફિલ્મને કેટલાક અવૉર્ડ મળવાની ધારણા હતી, પરંતુ એને એક પણ ઑસ્કર અવૉર્ડ નહોતો મળી શક્યો.
‘લૅડી બર્ડ’ની જેમ ‘લિટલ વિમેન’ ફિલ્મને પણ એકેય મોટો પુરસ્કાર નહોતો મળી શક્યો.
બેસ્ટ ડિરેકટરના પુરસ્કાર માટે બીજી વાર જર્વીગને અવગણવા બદલ ઍકેડેમીની ભારે ટીકા થઈ હતી.
સ્ટુડિયો કૅટેગરીમાં અલ્ફૉન્સો ક્વારૉનના ‘રોમા’ને ત્રણ પુરસ્કારો અપાયા હતા જેને પરિણામે ‘નેટફ્લિક્સ’ને ગયા વર્ષ જેવી સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળતા જોવી પડી હતી.
એક બાજુ, ‘પૅરેસાઇટ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો ત્યાં બીજી તરફ, એ નૉન-ઇંગ્લિશ હોવાથી સબટાઇટલના વિઘ્નો હોવા છતાં બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ જીતનાર એ જ ફિલ્મના બૉન્ગ જૂન હોએ પુરસ્કાર સ્વીકારતી વખતે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું હતું, ‘થૅન્ક યુ, મારા માટે આ બહુ મોટું ગૌરવ છે. મારી પત્ની હંમેશાં મારા માટે પ્રેરણા બની રહી છે અને તેનો હું આભાર માનું છું. આ ફિલ્મને આ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડનારા જે ઍક્ટરો આજે અહીં મારી સાથે છે તેમનો પણ હું આભારી છું. અમારા દેશમાં અમે ક્યારેય અમારા દેશને રજૂ કરવાના હેતુથી સ્ક્રીપ્ટ નથી લખતા. સાઉથ કોરિયાને મળેલો આ સૌપ્રથમ ઑસ્કર અવૉર્ડ છે.’
‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’ ફિલ્મ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો પુરસ્કાર મેળવનાર ૫૬ વર્ષીય સુપરસ્ટાર બ્રૅડ પિટને ગયા વર્ષે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મેળવનાર અભિનેત્રી રેગિના કિંગે ટ્રોફી એનાયત કરી હતી. બ્રૅડ પિટે ‘અ લિટલ લવ’ સંદેશ સાથે હૉલીવૂડના સ્ટન્ટ કૉ-ઑર્ડિનેટરો તથા સ્ટન્ટ ક્રૂઝ (સ્ટાફ)નો આભાર માન્યો હતો તેમ જ સહ-અભિનેતા લીઓનાર્દો ડીકૅપ્રિયોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
બેસ્ટ ઍક્ટરની ટ્રોફી મેળવનાર ૪૫ વર્ષીય જૉકિન ફિનિક્સ (ફિલ્મ ‘જૉકર’)એ બાફ્તા, ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન ઍક્ટર્સ ગીલ્ડ અવૉર્ડ મેળવ્યા બાદ હવે સર્વોત્તમ ઑસ્કર અવૉર્ડ મેળવવાની ઇચ્છા રવિવારે પૂરી કરી હતી. લૉરા ડર્નને જાણે બર્થ-ડે ગિફ્ટના રૂપમાં ‘મૅરેજ સ્ટોરી’ ફિલ્મમાંના અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સોમવારે ૫૩ વર્ષની થઈ હતી. જોકે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ રેની ઝેલવેગરને ‘જુડી’ ફિલ્મમાંના અભિનય બદલ મળ્યો હતો. તેના માટે આ બીજો ઑસ્કર અવૉર્ડ છે. ૧૫ વર્ષ પહેલાં તે ‘કોલ્ડ માઉન્ટેઇન’ ફિલ્મમાંના રોલ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર જીતી હતી.
ચીનમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક 1000ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં 1011 લોકો આ વાયરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં થયેલા એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો 1013 સુધી પહોંચે છે.
ચીનની સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 42600 પર પહોંચી ગઈ છે. 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS)ના કારણે 774 લોકોના મોત નિપજ્યા હતા. જેની સરખામણીમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 908 થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. ઉપરાંત કોરાના વાયરસથી કુલ 42300 અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે.
Reported on 10 Febryary 2020
Coronavirus death toll rises to 908 in China There were 97 deaths and 3,062 new confirmed cases of the lethal infection on Sunday, China’s National Health Commission said. The number of infections in China reached 40,171, with nearly 6,500 of these being severe cases.
તા.10મી ફેબ્રુઆરીને સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને જારી કરેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે કોરોના પીડીત હોય તેવા વધુ 97 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 908 લોકોના મોત નિપજી ચૂક્યા છે. રવિવાર તા.9મી ફેબ્રુઆરીએ વધુ 3062 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ચીનમાં જ 40,171 હજારથી વધુ લોકો કોરોનાથી પીડીત છે. જેમાં 6500થી વધુ લોકોની તબિયત ગંભીર જણાય રહી છે.
Date 10 February
ચીનમાં મરણનો આંકડો વધીને ૮૧૩ થયો
ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો રોજ વધી રહ્યો છે. શનિવાર સુધીમાં ૮૧૩ વ્યક્તિનાં મોત થયાં છે અને ૩૭૦૦૦ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. ૨૫ દેશોને આ વાઈરસની અસર થઈ છે.
૨૦૦૨-૦૩માં સાર્સ વખતે જેટલાં મરણ થયાં હતાં તેના કરતાં વધુ મોત કોરોના વાઈરસથી થયાં છે. શનિવારે એક જ દિવસમાં ૮૯ મરણ થયાં હતાં, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. સાર્સ વખતે ૭૦૦ વ્યક્તિના મોત થયાં હતાં.
હુબેઈ પ્રાન્તમાં શનિવારે ૬૦૦ વ્યક્તિને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસેમ્બરમાં આ વાઈરસ પ્રથમવાર જોવામાં આવ્યા હતા. ૬૧૮૮ દર્દી હજુ ગંભીર સ્થિતિમાં છે.ચીન આસપાસના દેશોમાં આ વાઈરસ ફેલાયો છે. અમેરિકા, જાપાન સહિત દૂરના દેશોમાં પણ આ વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.
મોદીએ ચીનના પ્રમુખને પત્ર લખીને હૅલ્પ કરવાની તૈયારી દર્શાવી
ચીન જીવલેણ કોરોના વાઈરસને કારણે નિર્માણ પામેલી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી તમામ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ કોરાના વાઈરસને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં ચીનના લોકો અને પ્રમુખ શી જિનપિંગ પરત્વે એકતા વ્યક્ત કરી હતી.
કોરાના વાઈરસનું મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાન્ત હોવા છતાં આ વાઈરસ ચીનના લભગ તમામ પ્રાન્ત ઉપરાંત વિશ્ર્વના લગભગ પચીસ કરતા પણ વધુ દેશમાં ફેલાઈ ગયો હોવાને કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને તાકીદની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.
પત્રમાં મોદીએ કોરોના વાઈરસને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા તમામ પ્રકારની સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મહામારીમાં જીવ ગુમાવનારાઓ પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાન્તમાંથી ૬૫૦ જેટલા ભારતીયને ખસેડવામાં સહાયરૂપ થવા બદલ મોદીએ જિનપિંગની પ્રશંસા કરી હતી. સલામતીનાં પગલાંરૂપ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા છે અને ચીનથી લાવવા લઈ જવામાં આવતા માલસામાન પર અંકુશ મૂક્યો છે. આ મહામારીની ચીનના અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસર પડશે એવી કબૂલાત કરતા તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિસ્થાપકતા વધી રહી છે અને મહામારીને કારણે નિર્માણ પામેલી આર્થિક પ્રવાહીતા સાથે કામ પાર પાડવા માટેના સાધનો અને સ્રોતો વિપુલ માત્રામાં તેમની પાસે હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.
૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.
News on 8 February
કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ
ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.
કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.
મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.
કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.
વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.
ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
દેશનાં સાત રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજની અનુમાનિત વસતી કરતાં વધારે આધારકાર્ડ ધારકો હોવાની માહિતી ગુરુવારે રાજ્યસભામાં આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સંજય ધોતરેએ જોકે, આ માટે મૃતક આધારકાર્ડ ધારક જવાબદાર ના હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અનુમાનિત વસતીગણતરીમાં મૃત્યુ પામેલા લોકોનો પણ હિસાબ રાખવામાં આવ્યો હતો. તેથી એમ કહી શકાય કે વસતીનો અંદાજ લગાવવામાં કોઇ ભૂલ થઇ હોઇ શકે છે.
એવું કોઇ રાજ્ય છે જેમાં રાજ્યની કુલ વસતી કરતાં આધારકાર્ડ ધારકોની સંખ્યા વધારે હોય એવા એક સ્પષ્ટ સવાલના જવાબમાં ધોતરેએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સાત રાજ્યમાં આમ થયું છે.
અન્ય એક સવાલના જવાબમાં ધોતરેએ જણાવ્યું હતું કે એમ-સીપ્ઝ યોજના હેઠળ સેમીકંડક્ટર એફએબી સ્થાપવા માટે કોઇ પ્રસ્તાવ તેમને મળ્યા નથી.
વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.
હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.
इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।
विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं
पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।
टैक्स स्लैब में हुए हैं बदलाव वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।
ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.
ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે.
575 લોકોનો ભોગ લઇ ચૂકેલા અને વિશ્વના 27 દેશોને ભરડામાં લેનાર કોરોના વાઇરસથી બચવા માટે હજુ સુધી કોઇ અસરકારક દવા વિકસાવી શકાઇ નથી પરંતુ, ચીનના ટેક્નોલોજીસ્ટસએ ભેગા મળીને એવી મોબાઇલ એપ્લિકેશન જરૂર વિકસાવી છે કે જે માહિતી આપે છે કે મોબાઇલ યુઝરની આસપાસ કોરોના વાઇરસગ્રસ્ત લોકો છે કે કેમ, કયા વિસ્તારમાં જવું ને કયા વિસ્તારમાં ન જવું. ત્યાં સુધી કોરોના વાઇરસને ટ્રેક કરે છે કે વાઇરસગ્રસ્ત એપ યુઝર નજીક હોય તો તેનું એક્ઝેટ લોકેશન પણ દર્શાવે છે.
ચીનના વુહાનથી 27 દેશો સુધી ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સ વિકસાવી છે.
ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.
ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.
બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.
બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.
બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.
મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.
ચીનના કોરોના વાઈરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ૪92 લોકોના મોત થયા છે, અનેક દેશોએ ચીનની હવાઈસેવા બંધ કરી છે. ચીનમાં રહેલા નાગરિકોને પાછા લઈ આવ્યા છે.
ઍર ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીથી દિલ્હી-હૉંગકૉંગ ફલાઈટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, એમ ઍર ઈન્ડિયાના ચેરમેન અને એમ. ડી. અશ્ર્વિની લોહાનીએ કહ્યું હતું. કોરોના વાઈરસ ઝડપથી આસપાસના દેશોમાં ફેલાયો છે.
દિલ્હી-હૉંગકૉંગની છેલ્લી ફલાઈટ એવન-૩૧૪ની ઉડાન બાદ ૮ ફેબ્રુઆરીથી બંધ થશે. અગાઉ ઈન્ડિગોએ ભારત-ચીન વચ્ચેની તમામ ત્રણ ફલાઈટ બંધ કરી હતી. કોલકાતા-ગુચાંગઝેની ફ્લાઇટ પણ બંધ કરી છે. ઍર ઈન્ડિયાએ દિલ્હી-શાંઘાઈ ફલાઈટ રદ કરી છે. દિલ્હી-હૉંગકૉંગ માર્ગની ફલાઈટમાં કાપ મુકાયો હતો. ૮ ફેબ્રુઆરીથી તમામ ફલાઈટ બંધ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.