CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 73 of 126 - CIA Live

February 18, 2020
rajyasabha.jpg
1min3190

આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.

જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.

રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત

ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.

રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે.

કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ

હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપા પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય મેળવવા 74 મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.

ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ

ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37 પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.

February 18, 2020
Bhavnath_Mahadev.jpg
1min3540

ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.

Bhavnath Mahadev Mandir

પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.

આ પ્રસંગે મહામંડળેશ્વર ભારતીબાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુ, જયશ્રીકાનંદગીરીજી, હરિગિરિજી, ઇન્દ્રભારતીજી, હરિહરાનંદજી, શેરનાથબાપુ, તનસુખગીરીજી, કમંડલકુંડનાં મહંત મુક્તાનંદજી સહિતનાં સાધુ-સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડો. પારઘી, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શશીકાંત ભીમાણી, આદ્યાશક્તિ મજમુદાર, ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશિયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતાં.

બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે.
મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.

18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.

મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.

આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.

February 17, 2020
coronavirus.jpg
2min5290

કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ

Reported on 17 February 2020 : 8.30 a.m.

Infection Summary as of 8 am IST on February 17th, 2020: –

  • 71,223 Confirmed Cases –
  • 1,770 Deaths –
  • 10,699 in Serious/Critical Condition –
  • 10,559 Recovered –
  • 29 Territories

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.

Reported on 16 Feb.

ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું

છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન

તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ

જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.

February 16, 2020
modi_varansi.jpg
1min3020

નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) પર ચાલી રહેલા રાજકયી ઘમસાણ તેમજ શાહીનબાગ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ નિર્ણય પર સંપૂર્ણ રીતે કાયમ રહેશે.

બીજી ટર્મમમાં વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ પીએમ મોદીએ રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની બીજી વખત મુલાકાત લીધી હતી. પોતાના સંસદીય ક્ષેત્રમાં 1,200 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, સીએએ અને આર્ટિકલ 370નો નિર્ણય જરૂરી હતો. અનેક દબાણ છતા અમે આ નિર્ણય કર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ નિર્ણય પર આગળ પણ મક્કમ રહીશું.

સીએએનો ઉલ્લેખ કરતો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘મહાકાલના આર્શીવાદથી અમે આ નિર્ણય લેવા સક્ષમ થયા, લાંબા સમયથી આ નિર્ણયો અટકેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે દબાણો વચ્ચે પણ આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આર્શીવાદથી લેવાયેલા આ નિર્ણયો પર આગળ પણ સરકાર કાયમ રહેશે.’ ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીનબાગની જેમ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

February 16, 2020
filmfare.jpeg
5min5250

અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.

એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.

The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer SinghAyushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.

ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ

Best Film
‘Gully Boy’

Best Director
Zoya Akhtar (‘Gully Boy’)

Best Film (Critics)
‘Article 15’ (Anubhav Sinha)
‘Sonchiriya’ (Abhishek Chaubey)

Best Actor In A Leading Role (Male)
Ranveer Singh (‘Gully Boy’)

Best Actor (Critics)
Ayushmann Khurrana (‘Article 15’)

Best Actor In A Leading Role (Female)
Alia Bhatt (‘Gully Boy’)

Best Actress (Critics)
Bhumi Pednekar (‘Saand Ki Aankh’)
Taapsee (‘Saand Ki Aankh’)

Best Actor In A Supporting Role (Female)
Amruta Subhash (‘Gully Boy’)

Best Actor In A Supporting Role (Male)
Siddhant Chaturvedi (‘Gully Boy’)

Best Music Album
‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari
‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva

Best Lyrics
Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’

Best Playback Singer (Male)
Arijit Singh…Kalank Nahi…’Kalank’

Best Playback Singer (Female)
Shilpa Rao…Ghungroo…’War’

Best Debut Director
Aditya Dhar – ‘Uri: The Surgical Strike’

Best Debut Actor
Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’

Best Debut Actress
Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’

Best Original Story
‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki

Best Screenplay
‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar

Best Dialogue
‘Gully Boy’- Vijay Maurya

Lifetime Achievement Award
Ramesh Sippy

Excellence In Cinema
Govinda

RD Burman Award For Upcoming Music Talent
Sashwat Sachdev- URI

February 16, 2020
adhar-pan-cardfeature.jpg
1min3620

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.

આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.

આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.

જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.

યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.

February 15, 2020
coronavirus.jpg
1min2990

સમગ્ર વિશ્વમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ડર વ્યાપેલો છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનનાં ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ચીનમાં રોગથી સંક્રમિત લોકોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે જોતા વાયરસથી સ્થિતિ વધુ ભયંકર બની શકે છે. કોરોનાની ઝપેટમાં વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસ્તી આવી શકે છે તેવો આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. ચીનમાં વાયરસનાં ફેલાવા પર નજર રાખી રહેલાં ઇરા લોંગીની નામનાં WHO સલાહકારે આ વાત જણાવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું વર્તમાન સમયમાં આ વાયરસથી આશરે 60,000થી વધુ લોકો સંક્રમિત હોઈ શકે છે.

ઇરા લોંગીનીએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ લોકડાઉન જાહેર કરાઈ દેવાયું છે તેમજ લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આમ છતાં જો વાયરસ તેની સરહદોની આસપાસનાં દેશોમાં ફેલાશે તો વાયરસ રોકવાની મહેનત પાણીમાં જશે તેમજ ચીનની નિષ્ફળતા છતી થઇ શકે છે. 

જાપાનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું 

ચીનમાં કોરોના વાયરસથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ તાજેતરના અહેવાલ અનુસાર જાપાનમાં પણ કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે. ચીનને હુબેઇ પ્રાંતમાં એક જ દિવસમાં આશરે 15,000 નવા કેસો અને 242 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જયારે સમગ્ર ચીનમાં કુલ 63,851 મૃત્યુ અને 1380 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 1716 જેટલા મેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસની અસર છે.અત્રે નોંધનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના વાયરસનું ઉદ્દભવસ્થાન ગણાઈ રહ્યું છે.

વુહાન સીફૂડ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાયો

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા પ્રાણીઓ શામેલ હતા. 

February 14, 2020
1min3630

કોરોના વાઇરસને લીધે ચીનના ૩૧ પ્રાંતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૨૫૪ વ્યક્તિનાં મોતના સમાચાર સાથે ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા અને આ સાથે આ રોગથી ગ્રસ્ત રોગીઓની સંખ્યા વધીને ૬૦,૦૦૦ પર પહોંચી હતી.

ડિસેમ્બરથી આ વાઇરસ વિશે માહિતી મળ્યા બાદ આ રોગના એપીસેન્ટર ગણાતા હુબેઇ પ્રાંતમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૪૨ દર્દીના મોત થયા હતા અને ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં રોગનો ઝડપી ફેલાવો દર્શાવે છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી અત્યાર સુધીના બે મહિનામાં આ રોગે કુલ ૧૩૬૭ વ્યક્તિના જીવ લીધા છે અને કુલ ૫૯૮૦૪ દર્દી આ રોગનો ભોગ બન્યા છે.

રોગને ઝડપથી કાબૂમાં લઇ શકાય એ માટે લૅબ ટેસ્ટની રાહ જોવાને બદલે હવે ડૉક્ટરો દર્દીને તપાસીને તુરંત નિદાન કરે એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં બુધવારના ૧૩,૩૩૨ સહિત કોરોના વાઇરસના ૧૪, ૮૪૦ નવા કેસ નોંધાયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવાર સુધીમાં આ વાઇરસે ૧૧૧૫ વ્યક્તિના જીવ લીધા હતા અને ૯૭ નવા કેસ નોંધાયા હતા, એમાંથી મોટા ભાગના કેસ સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતના હતા. આ સિવાય, રોગગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૪,૭૬૩ થઇ હતી.

વિદેશમાં ક્ધફર્મ્ડ કેસની સંખ્યા વધીને ૪૪૦ થઇ છે અને ફિલિપાઇન્સમાં એક દર્દીનું મરણ થયું હતું. જાપાનમાં સૌથી વધુ ૨૦૩ કેસ નોંધાયા છે અને એમાંથી મોટાભાગનાં ક્રૂઝશિપના પ્રવાસીઓ છે. આ શિપમાં બે ભારતીય નાગરિક પણ આ રોગનો ભોગ બન્યા છે.

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (વ્હૂ)ના નિષ્ણાતોની ૧૫ સભ્યની ટુકડી હાલ ચીનમાં સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી રહી છે.

February 13, 2020
maharashtra_map.jpg
1min3350

મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું રહેશે, અને શનિ-રવિ રજા રહેશે. આ નિર્ણયનો અમલ 29 ફેબ્રુઆરીથી શરુ થઈ જશે. સી.એમ. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કુલ થઈને 20 લાખ જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે, જ્યારે શનિ-રવિ કેન્દ્ર સરકારની ઓફિસો બંધ હોય છે.

ગુજરાત જેવા રાજ્યમાં બીજા અને ચોથા શનિવારે કર્મચારીઓને રજા હોય છે. મહારાષ્ટ્રએ કરેલી પહેલ બાદ હવે અન્ય રાજ્ય સરકારોના કર્મચારીઓમાં પણ શનિ-રવિ રજા આપવાનો ગણગણાટ શરુ થાય તો નવાઈ નહીં.

February 12, 2020
lrd.jpg
1min4220

LRD એટલે લોક રક્ષક દળ (પોલીસ જવાન)

એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકારે પુરી સંવેદનાથી નિર્ણય કરી વિવાદિત પરિપત્રને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. હવે નવા સુધારા સાથેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે.

પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ એસસી, એસટી, ઓબીસી દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા.અને’ મહિલાઓને સાંત્વના આપવામાં આવી હતી કે, 1-8-18નો જે પરિપત્ર છે તે રદ્દ કરવામાં આવ્યો છે’ પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓએ અસમંજસ વચ્ચે પારણા કરવાની મનાઇ કરી દીધી હતી.

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. એલઆરડી ભરતી મુદ્દે ઉભા થયેલા વિવાદને કારણે રાજ્યસરકારે 1-8-18નો પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુધારા સાથેનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેવી વાત સાથે સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા આંદોલન છાવણી ખાતે પહોચ્યા હતા.

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, રાજ્યકક્ષાના પ્રધાનો વચ્ચે મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિએ કીધુ હોય કે પરિપત્ર રદ્દ થશે તો તે થાય જ. સરકાર પર ભરોસો રાખવો જોઇએ.અહીં નોંધવું ઘટે કે, રાજ્યસરકાર દ્વારા ઓગસ્ટ 2018માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ 9713 જગ્યાની જાહેરાત થઇ હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ ખાલી રખાઇ હતી. જેની 6 જાન્યુઆરી 2019ના દિવસે પરીક્ષાનું આયોજન થયું હતું.

જો કે મેરિટમાં અનામત વર્ગની મહિલાઓ ઉચ્ચ મેરિટ ધરાવતી હોવા છતાં તેની બાદબાકી પરિપત્રના કારણે મેરિટમાંથી થઇ હતી. જેના કારણે એસસી, એસટી, ઓબીસી સમાજની મહિલાઓ 64 દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી હતી. દરમિયાન એલઆરડીની ભરતીમાં અનામત અનામત વર્ગને અન્યાયના મુદ્દે કોંગ્રેસે પણ ઝંપલાવતા સરકારે બજેટ સત્ર પહેલાં જ આ આંદોલનનો સુખદ ઉકેલ શોધવાની કવાયત હાથ ધરી હતી. ઓબીસી સમાજની યુવતીઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીઘી હતી અને 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની બાંયધરી આપી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ આ મામલે અગાઉ કહ્યુ હતુ કે, એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે.દરમિયાન કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચોટીલાના ઋત્વિક મકવાણા, દસાડાના નૌશાદ સોલંકી અને સિદ્ધપુરના ચંદનજી ઠાકોર આવતીકાલથી 72 કલાકના આમરણ ઉપવાસ પર ઉતરવાના હતા પરંતુ એ પહેલા જ સરકારે પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરી વિપક્ષની રણનીતિને નિષ્ફળ બનાવી દીધી છે.