CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 67 of 126 - CIA Live

April 9, 2020
CIA_Live_Logo_New2.jpg
1min10640

ઇમરજન્સીમાં મેડીકલ ફોર્સ મળે એ માટેની દીર્ઘદ્રષ્ટીપૂર્ણ રજૂઆતો સૂરતથી થઇ હતી

કેન્દ્ર સરકારે કોરોના યુદ્ધના સમયમાં ભારત દેશને એક મોટી મેડીકલ ફોર્સ મળે એ માટે સમયસરનું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. દેશભરમાં આવેલી મેડીકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા લગભગ 75 ટકા જેટલી પૂરી થઇ ચૂકી હતી. બાદમાં કોરોના અને લૉકડાઉન જેવી સ્થિતિને કારણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા અનિશ્ચિત બની હતી.

દરમિયાન કેન્દ્ર સરકારની સૂચનાથી નેશનલ બોર્ડ ફોર એક્ઝામિનેશન દ્વારા આજે પી.જી. મેડીકલ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સાથે એલોટમેન્ટ પણ જાહેર કરી દીધું છે. એવી પણ માહિતી મળી છે કે પી.જી. મેડીકલમાં જેમને બેઠક મળી છે એમને તા.20મી એપ્રિલ સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવાયું છે. સરકારે તા.20મી એપ્રિલ સુધીમાં પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચના આપી છે.

હાલમાં દેશમાં મેડીકલ ફોર્સની તાતી જરૂરીયાત વર્તાય રહી છે ત્યારે એવા અનેક તબીબોની સેવા આજના એલોટમેન્ટ પછી મળી જશે.

આજના આ ડેલવપમેન્ટમાં પી.જી. મેડીકલની 13237 સીટોનું એલોટમેન્ટ

દરમિયાન સૂરતના ખ્યાતનામ તબીબ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તત્કાલિન સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમે વિઝનરી એપ્રોચ સાથે સ્થાનિક સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રજૂઆતો કરીને પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા જે ઓનલાઇન છે એ સત્વરે પૂરી કરવામાં આવે તો કોરોના ઇમરજન્સીના સમયમાં દેશને મોટી મેડીકલ ફોર્સ મળી શકે.

સૂરતથી સાંસદ સી.આર. પાટીલ અને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા સંદર્ભે વડાપ્રધાન શ્રી મોદીને રજૂઆતો કરી હતી

April 8, 2020
saurashtra.png
1min2960

સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાંથી ૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો જ કર્યો નથી. પરંતુ આ જિલ્લાવાસીઓએ સાવચેતી, સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ જરૂરી છે. જો ક્યાંય ચૂક રહી જશે તો કોરોના આ જિલ્લાઓની બોર્ડર પણ પાર કરી અંદર આવી જશે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાએ હજુ સુધી પગપેસારો કર્યો નથી. જ્યારે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાને કારણે હજી સુધી કોઈનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોનાના એપી સેન્ટર ગણાતા ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને તેમા બે ના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનામુક્ત આ પાંચ જિલ્લામાં લોકોની સાવચેતી અને લોકડાઉનનું પાલન કર્યું તે મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જ પોલીસે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી હતી. હવે તો એક ગામથી બીજા ગામે પણ નથી જવા દેતા. જેને કારણે લોકોના સંપર્ક નથી થતા અને ચેઇન તૂટી છે. આથી લોકોએ પણ આમ જ પાલન કરવાનું છે જેથી કોરોનાથી દૂર રહી શકે અને આંતરરાજ્યની જેમ આંતર જિલ્લા બોર્ડર બંધ થતા લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગ્યો હતો. આથી કોરોનાનું સંક્રમણ થતું અટક્યું છે. લોકો હજુ આ જ સાવચેતી રાખે અને લોકડાઉનનું પાલન કરશે તો કોરોનાની ચેઇન તમારા જિલ્લાની બોર્ડરને સ્પર્શ પણ નહીં કરી શકે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરો અને પોલીસ, આરોગ્ય વિભાગને બનતો સહયોગ આપો.

April 8, 2020
slownet.jpg
1min3400

લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક

કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.

લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.

જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.

યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.

  • ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
  • કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
  • રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
  • જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
  • બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
  • શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
  • માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
  • મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
  • ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
  • કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
  • ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.

લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.

April 3, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min3390

હાલના દિવસોમાં રાજ્યમાં કોરોના કહેર વચ્ચે બેવડી સીઝનની અનૂભુતિ થઇ રહી છે. રાત્રે ઠંડી અને દિવસે મધ્યમ ગરમી અનુભવાતી હતી. પરંતુ, હવે બે દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.

હવામાન ખાતાના વર્તારા મુજબ આગામી બે દિવસમાં રાજ્યનો સરેરાશ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરશે. ગુજરાતમાં આગામી ૪ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે. ત્યારે સુરત, ભૂજમાં વાતાવરણમાં આગામી તારીખ ૭ એપ્રિલ તેમજ ૮ એપ્રિલમાં પલટો આવશે. અમદાવાદ, વડોદરા સહિતમાં દિવસે સામાન્ય ગરમી તેમજ સાંજ બાદ ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રકારની ડબલ ઋતુના કારણે રોગચાળાનો ખતરો વધવાનો ભય રહે છે.

April 1, 2020
chloroquine-corona.jpg
1min3740

કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.

અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.

આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

March 30, 2020
recovery.jpg
1min4630

કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા

વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.

Symbolic photo of recovery

દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.

  • અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
  • વિશ્વમાં કુલ 155,965
  • ભારતમાં કુલ 1000
  • ગુજરાતમાં કુલ 02

કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ

વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.

હાલના એક્ટીવ કેસ

હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

March 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6420

ગુજરાતમાં કોરોના રિકવરીનું ખાતું ખૂલ્યું

ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.

અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક

https://www.facebook.com/AhmedabadAMC/photos/a.254934717900092/2930996543627216/?type=3&theater

March 28, 2020
modigovt.jpg
1min5770

India’s Response : વાંચો ભારતે કોરોનાને અટકાવવા ભરેલા એકેએક પગલાંઓની તવારીખ

હાલમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાઇરસ સામે એક થઇને લડી રહી છે ત્યારે ભારતમાં કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકારની ટીકાઓ કરવાવાળા આ સમયમાં પણ ઓછા નથી. અહીં એ હકીકત દર્શાવી રહ્યા છે કે ભારત સરકારે છેક જાન્યુઆરીથી નોવેલ કોવીડ-19 વાઇરસને ભારતમાં અટકાવવા માટે પગલાંઓ ભરવાના શરૂ કરી દીધા હતા. જેમ જેમ સમય આવ્યો તેમ તેમ ભારતે આંતર રાષ્ટ્રીય સીમાઓ પર પ્રવેશ રિસ્ટ્રીક્ટ કર્યા હતા. વાંચો અહીં તારીખવાર ભારતે કોવીડ19ને અટકાવવા ભરેલા શ્રેણીબદ્ધ પગલાઓની તવારીખ

March 28, 2020
electricity-1280x720.jpg
1min3810

કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ પાંચ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો હતો તેમ જ માસિક ધોરણે પાવરનો વપરાશ ચાર મહિનાની નીચી સપાટીએ રહે તેમ સરકારી આંકડાકીય માહિતી પરથી જણાય છે.

પ્રાપ્ત સરકારી આંકડાકીય માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મંગળવાર મધરાતથી ૨૧ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી અને પચીસમી માર્ચના રોજ ઇલેક્ટ્રિસિટીનો દૈનિક વપરાશ સરેરાશ ૩.૪૫ અબજ યુનિટ સામે વીસ ટકા ઘટીને ૨.૭૮ અબજ યુનિટના સ્તરે રહ્યો હતો. જો આગામી દિવસોમાં આ જ સ્તરનું ઘટડા તરફી વલણ રહેશે તો વર્ષાનુ વર્ષ ધોરણે માર્ચ મહિનાની ઇલેક્ટ્રિસિટી માગમાં સૌથી વધુ ઝડપી ઘટાડો જોવા મળે એવી શક્યતા છે.

એકંદરે રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રિસિટીના વપરાશમાં ઘટાડો થયો હોવા છતાં અમુક રાજ્યના વપરાશમાં વધારો જોવા મળ્યો હોવાથી જે તે રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન અંગે શંકા સેવાઇ રહી છે. આમ છતાં, અધિકારીઓનું માનવું છે કે અમુક રાજ્યમાં તાપમાન વધુ હોવાથી ત્યાં વીજળીના વપરાશમાં વધારો થયો છે.

ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે છેલ્લાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થયો હોવાથી રહેણાક વિસ્તારમાં પાવરનો લોડ વધુ રહે છે. નોંધનીય બાબત એ છે કે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ ગીચ વસતિ ધરાવતું રાજ્ય છે અને ગત પચીસ માર્ચના રોજ રાજ્યનો ઇલેક્ટ્રિસિટી વપરાશ ૩.૪ ટકા વધ્યો હતો, જ્યારે તેના પાડોશી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૪૦ ટકાનો ઘટાડો થયો હતો.

March 27, 2020
sitaraman.jpg
1min5030

૩ કોરોના સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ૫૦ લાખના વીમાની જાહેરાત

૩ પીએફમાં ૧૨ ટકા રકમ કંપની અને ૧૨ ટકા રકમ કર્મચારી દ્વારા એડ થાય છે. આ રીતે ૨૪ ટકા રકમ સરકાર ભરશે. તેમાં ૪ લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓનેલ લાભ મળશે.

૩ સરકારે આ ઉપરાંત પણ અનેક જાહેરાતો કરી છે, જેમ કે ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે.

૩ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં ૮૦ કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

૩ કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને ૫ કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.

૩ એ જ સાથે ૧ કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.

૩ મનરેગામાં દૈનિક મજૂરી ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૦ રૂપિયા કરવામાં આવી છે. ૫ કરોડ પરિવારોને ફાયદો થશે.

૩ દેશના ૮.૬૯ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે

૩ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.

૩ વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના ૧૦૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે.

૩ ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.

૩ ૨૫ હજાર કરોડ ડોલરનું ફન્ડ એવા લોકો માટે છે જેમની નોકરી કોરોનાવાયરસના લીધે જતી રહી છે અથવા તો રોજગારી પ્રભાવિત થઇ છે. આવા લોકોને સરકાર સીધા ચેક મોકલશે.

૩ ૩૫ હજાર કરોડ ડોલર ઇમરજન્સી લોન ફન્ડ અમેરિકાની નાની કંપનીઓ માટે છે જેથી તેમનો વેપાર બંધ ન થાય

૩ ૨૫ હજાર કરોડ ડોલરનું ફન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્શ્યોરન્સ બેનિફિટ તરીકે જાહેર કરાશે

૩ ૫૦ હજાર કરોડ ડોલરનું ફન્ડ સંકટમાં આવેલી કંપનીઓને લોન તરીકે જાહેર કરવામાં આવશે