CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 66 of 126 - CIA Live

April 21, 2020
Rashtrapati_Bhavan.jpg
1min4320

નવી દિલ્હી ખાતે સૌથી પ્રોટેક્ટેડ ગણાતા ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક પરિવારની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે અફરાતફરી મચી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. ઘટનાને પગલે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  

April 19, 2020
unlogo.jpg
1min4350

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 19, 2020
whologo.jpg
2min3020

કોરોના મહામારીને લઇને પૂરી દુનિયામાં આતંક છવાયો છે. આવા સમયમાં ભય અને અફવાઓનું પ્રમાણ વધી જતું હોય છે. મને કોરોના હશે કે નહીં ત્યાંથી માંડીને જેમને કોરોના લાગુ પડ્યો છે તેમના નિકટના સ્વજનોને સતત એ વિચારો આવતા હોય છે કે અમારા સ્વજન સાજા થશે કે નહીં. જેની દવા હજું શોધાઇ નથી તે બીમારી ઘરના દ્વાર ખટખટાવી રહી હોય ત્યારે ભલભલા લોકો વહેમના વમળમાં ફસાઇ જતા હોય છે. આવા સમયમાં ભાતભાતના પ્રશ્ર્નો અને શંકા-કુશંકાઓ ઊઠે એ સ્વાભાવિક છે.

આવા સંજોગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટર મારફતે વિશ્ર્વના લાખો લોકોના પ્રશ્ર્નોનો અધિકૃત રીતે ઉત્તર આપે છે એ તમારે પણ જાણી લેવા જોઇએ. બની શકે કે નીચે આપેલ માહિતીમાં તમારા પણ કોઇ પ્રશ્ર્નનો ઉત્તર કે કોઇ શંકાનું સમાધાન મળી આવે.

  • તમારે અને તમારા કુટુંબે આ ચેપથી બચવું હોય તો સમાંતરે સાબુથી હાથ ધોતા રહેવું જોઇએ. બે વ્યક્તિ વચ્ચે કમસેકમ ૧ મીટર અર્થાત્ ૩ ફૂટનું અંતર હોવું જરૂરી છે. પણ અફસોસની વાત તો એ છે કે આજે પણ લોકો બેન્કમાં કે કરિયાણાની દુકાનમાં જાય છે ત્યારે આ નિયમોનો સરેઆમ ભંગ કરે છે.
  • ઘણા યુવાનોના મનમાં એવી વાત ઘૂસી ગઇ છે કે આ બીમારી તો ફક્ત વૃદ્ધોને જ લાગુ પડે છે, પણ એ સરાસર જૂઠ છે. કોરોના, વૃદ્ધો કે પછી જે લોકો હૃદયની બીમારી, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓ હોય તેમને લાગુ પડવાની શક્યતા વધુ છે, પણ એથી કંઇ યુવાનોને માથે આ બીમારીનું જોખમ જરાય ઓછું નથી થતું. ઘણા યુવાનો કંઇ અર્જન્ટ કામ ન હોય તો પણ સ્કૂટર લઇને રસ્તા પર નીકળી પડતા હોય છે તેમણે ચેતી જવાની જરૂર છે. આ રોગના ભરડામાં આબાલવૃદ્ધ સહુ કોઇ ફસાઇ ચૂક્યા છે.
  • ઘણા લોકોને ચેપ લાગુ પડે, પણ કોરોનાના કોઇ લક્ષણો જેમ કે સૂકી ઉધરસ, ગળામાં ખર્રાશ, તાવ કે પછી શ્ર્વાસ લેવામાં તકલીફ પડે- આમાનું કાંઇ થતું નથી. એક સારા સમાચાર એ છે કે મોટા ભાગના કેસમાં એટલે કે ૮૦ ટકા લોકોમાં ચેપ લાગવા છતાંય તેઓ સાજા નરવા રહે છે અથવા ઝડપથી સાજા થઇ જાય છે. બની શકે કે તેમના શરીરની પ્રતિકારશક્તિ આ કોવિડ-૧૯ નામના વિષાણુઓને મારી નાખતી હોય. એટલે મનમાં ભય લાવ્યા વિના શરીરની પ્રતિકારશક્તિ વધે એવા પ્રયત્નો કરવા જોઇએ.
  • અમારા દેશમાં બહોળી સંખ્યામાં ટેસ્ટિંગની કિટ નથી કે પૂરતી દવાઓ નથી એવો ભય ન રાખવો કે ખોટો ઊહાપોહ ન કરવો. આ ઓર્ગેનાઇઝેશન દરેક જોઇતી દવાઓ અને સાધનોનું ઉત્પાદન દુનિયાની વિવિધ કંપનીઓ પાસે કરાવે છે અને સઘળા દેશોમાં યોગ્ય વિતરણ થાય તેનું ધ્યાન રાખે છે.
  • ઘણા લોકો કસરત કરવા અંગે પ્રશ્ર્નો પૂછે છે. તેમને સંસ્થા કહે છે કે, અમે આવી પ્રવૃત્તિ માટે પુખ્ત વયના લોકોએ અડધો અને બાળકોએ એક કલાક ફાળવવો એવી ભલામણ કરીએ છીએ. જો બહાર નીકળવા મળતું હોય તો ચાલવા કે દોડવાની કસરત કરવી જોઇએ. અન્યથા ઘરની અંદર જ કસરત કે પછી નૃત્ય,યોગ કે પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય.
  • જીવનાવશ્યક ચીજોની કોઇ કમી નથી. એ મળતી જ રહેવાની છે એટલે ધીરજ રાખવી. ખોટી ઉતાવળ કરવી નહીં. ઘરમાં માલસામાનનો અતિ સંગ્રહ કરવો નહીં. અન્યની જરૂરતો પર પણ ધ્યાન આપવું.
  • ઘણા લોકો એમ વિચારે છે કે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ આ બીમારી ઘટતી જશે. જોકે, તેના કોઇ પુરાવા મળ્યા નથી. વધુ ગરમી હોય તેવા દેશોમાં પણ આ બીમારી ફેલાતી જાય છે.
  • આ વિષાણુઓથી મુક્તિ મેળવવા કપડાને કોઇ વિશેષ રીતે ધોવાની જરૂર છે કે સાધારણ ધોલાઇથી કામ ચાલી શકે એવા પ્રશ્ર્નો પણ ઘણા લોકોના મનમાં ઘૂંટાતો હોય છે. તેમને એટલું જ કહેવાનું કે ઘરના ડિટર્જન્ટ કે સાબુ કપડાંની ધુલાઇ માટે પૂરતા છે. હા પાણી ગરમ હોય તે લાભકારક છે.
  • ઘણા લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે માસ્ક પહેરેલો હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કડકાઇથી ન પાળીએ તો ચાલે, પણ હૂ નામની સંસ્થા કહે છે કે માસ્ક પહેર્યો હોય છતાંય ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. અને હા, વારંવાર સાબુથી હાથ ધોવાનું પણ ભૂલશો નહીં.
  • આ ચેપવિરોધી રસી ક્યારે પ્રાપ્ત થશે એવા પ્રશ્ર્નનો પણ ઉત્તર આપતા હૂ કહે છે કે કેટલાક વર્ષ લાગી શકે. હા, આ વાઇરસ દેખાયા તેના બે મહિનાની અંદર જ તેની રસી બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
  • આવા સમયમાં માનસિક શાંતિ મળે તે માટે શું કરવું જોઇએ તે પ્રશ્ર્નનો ઉત્તર આપતા કહે છે કે સંગીત સાંભળવું કે પુસ્તકો વાંચવા જેવા રચનાત્મક કાર્યો કરવા. વારંવાર કોરોનો બીમારીને લગતા સમાચારો જોવા કે સાંભળવા નહીં.

આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. નિરાશાજનક સમાચારો સાંભળીને આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. ચિંતા કરવા માંડે છે. અંતરમાં ભય ઘૂસી જાય છે.

એક નિષ્ણાતે સાચું જ કહ્યું છે કે કોઇ બીમારી કરતાં એના ભયથી વધુ મોત થતાં હોય છે. માટે નિર્ભય બનો. સરકારી અને તબીબી માર્ગદર્શિકાનું પાલન કરો. સમયનો સદુપયોગ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં કરો.

April 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min3530

167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે

ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.

કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી

April 17, 2020
rbi.jpeg
1min2680

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી રવિકાંત દાસએ આજે તા.17મી એપ્રિલના રોજ મિડીયા બ્રિફિંગમાં ભારતના અર્થતંત્ર પર કોવીડ 19ની અસરો ઓછી વર્તાય એ માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી હતી. જે મુદ્દાસર નીચે મુજબ છે.

શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે 

બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે

રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી 30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા વધશે

2020 વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી ખરાબ રહેશે

IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે

જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે : દાસ

નીચા WPIથી અમે ખુશ નથી

લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે

સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે

TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000 કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI

SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત

50,000  કરોડ NABARD, SIDBI અને NHBને આપશે RBI

NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત

SIDBIને પણ 15,000 કરોડની સહાય, શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ કંપનીઓ માટે સહાય

દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા

April 16, 2020
coronaresearch-1280x720.jpg
1min11250

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

April 15, 2020
closed.png
2min3100
  • All domestic and international air travel of passengers except for security purposes
  • All passenger movement by trains, except for security purposes
  • Buses for public transport
  • Metro rail services
  • Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
  • All educational, training, coaching institutions etc. shall remain closed
  • All industrial and commercial activities other than those permitted
  • Hospitality services other than those specifically permitted
  • Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
  • All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
  • All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
  • All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
  • In case of funerals, congregation of more than twenty persons will not be permitted
April 15, 2020
jaanjahaan.jpg
3min14190

હોટસ્પોટ એરીયામાં લૉકડાઉન છૂટછાટો લાગૂ પડશે નહીં

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.

તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.

Activities permitted April 20 onwards

Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.

However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:

આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે

  • ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
  • મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
  • આયુષ સમેતની તમામ પ્રકારની મેડીકલ સર્વિસીઝ
  • ફાર્મ મશીનરી, સ્પેરપાર્ટસ, સપ્લાય ચેન, રિપેરિંગ, મશીનરી સંબંધિત કસ્ટમ હાયરિંગ સેન્ટર
  • દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, મેડીકલ ડીવાઇસ, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રકશન કામગીરી
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ તેના દ્વારા સંચાલિત નાણાકીય બજારો અને આનુષંગિક પ્રવૃતિઓ
  • હાઇવે ધાબા, ટ્રક રિપેરિંગ શોપ્સ, સરકારી પ્રવૃતિઓ માટેના કોલ સેન્ટર્સ
  • બાળકો, દિવ્યાંગો, માનસિક વિકલાંગો માટેની પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ
  • સોશ્યલ ડિસ્ટન્સીંગનો કડક અમલ સાથે મનરેગા યોજનાઓ
  • ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ તેમજ પોસ્ટલ સર્વિસીઝ, વીજ ઉત્પાદન એકમો વગેરે પબ્લિક યુટિલિટીઝ યુનિટ્સ,
  • મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન્સ, એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ, ટાઉનશીપ્સ

What allowed

  • Agricultural, horticultural, farming, procurement of agri products, ‘mandis’
  • Fishery, aquaculture and plantation activities
  • All health services (including AYUSH)
  • Shops of farm machinery, its spare parts, supply chain, repairs, ‘Custom Hiring Centres’ related to machinery
  • Manufacturing units of pharmaceuticals, medical devices, construction of medical infrastructure
  • Reserve Bank of India & RBI-regulated financial markets and entities
  • Highway ‘dhabas’, truck repairing shops, call centres for govt activities
  • Operation of homes for children/ disabled/ mentally challenged/ senior
  • MNREGA works will be allowed with strict implementation of social distancing
  • Public utilities like operations of oil and gas sector, postal services, power generation etc.
  • Manufacturing, industrial units with access control in SEZs, Export Oriented Units, industrial estates, townships
April 13, 2020
farmers.jpg
1min10810

દેશના વિવિધ વિસ્તારોમાં રવી પાકની લણણી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં ઘઉં, ચણા સહિતના અન્ય પાકની મોટાપાયે આવક શરૂ થશે પરંતુ લોકડાઉનના કારણે ખાનગી વાહન વ્યવહાર બંધ હોવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન પણ સ્થગિત થઇ ગયું છે.

વિવિધ માલને લોડ/અનલોડ કરવા માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રતિકૂળ સંયોગો ઉભા થયેલા છે. અત્રે એ ઉલ્લેેખનીય રહેશે કે આ વરસે ચોમાસુ સારૂ રહેતા તમામ સ્તરે પાકમાં વધારો થવાના ગણિત મંડાયેલા છે.

હાલની પ્રતિકૂળ સ્થિતિમાં પાકને ખેતરથી બજાર સુધી લાવવો એ ખૂબ અઘરી બાબત છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો અને કૃષિ મંડળીઓ દ્વારા જે તે રાજ્ય સરકાર સમક્ષ કૃષિ પાકના વહન માટે લોકડાઉનની અમલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે.

મધ્ય પ્રદેશના ખેડૂત સંગઠનો દ્વારા વિવિધ જણસોના ભાવમાં થયેલ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મધ્ય પ્રદેશના ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે અહીંના બજારો બંધ થયા તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ચણા અને મસ્ટર્ડ (રાઇ)ના ભાવ ટેકાના ભાવથી ૨૦ થી ૩૦ ટકા નીચા ચાલતા હતા.

આમ પણ નવા પાકની આવકો બજારમાં મોટાપાયે ઠલવાય તે સાથે જે તે જણસના ભાવ પણ ઘટતા હોય છે. તેથી આ મુદ્દાને લઇને મધ્ય પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધસોર્ટીયમ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસીએશને લણણીની આ સિઝનને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રોસરી ચેઇન્સ, ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વેપારીઓને સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા છૂટ આપવા રજૂઆત કરાઇ છે.

April 13, 2020
coronaindiarobo.jpg
1min3310

કોરોના વાઇરસને નાથવા માટે ભારતમાં સૅનિટાઇઝીંગ માટે ખાસ પ્રકારના ડ્રોન, આઇસોલેશન વૉર્ડ માટે દવાનો છંટકાવ કરવા અને ખોરાક તથા દવાઓ પહોંચાડવા માટે ખાસ રોબોટ્સ, ઓછી કિંમતના વૅન્ટિલેટર, દૂરથી દર્દીની તપાસ કરી શકાય એવા ખાસ પ્રકારના સ્ટેથૉસ્કોપ, ચલણી નૉટ, કરિયાણું અને અન્ય દરેક વસ્તુને સૅનિટાઇઝ કરવા માટે યુવી ટેક્નોલોજીયુક્ત ખાસ પ્રકારની પેટી વગેરે જેવી નવતર વસ્તુઓનો આવિષ્કાર કરવા જેવા કેટલાક સારા કામો પણ થઇ રહ્યા છે.

દેશમાં કોરોના વાઇરસ ફેલાવા સાથે લોકોએ પોતાની સર્જનાત્મકતાને દોડતી કરી છે. અન્ય જે નવતર વસ્તુઓની શોધ થઇ છે, એમાં હૉસ્પિટલમાં વાપરી શકાય એવું ખાસ ચેપ ન લાગે એવું ખાસ કાપડ, સસ્તા દરની કોરોના વાઇરસ કિટ, કોરોના વાઇરસગ્રસ્ત દર્દીને અલગ રાખવા માટે આઇસોલેશન પોડ, પરંપરાગત ઑક્સિજન માસ્કને બદલે વાપરી શકાય એવા બબલ હેલ્મેટ અને સામાજિક અંતર ઘટતા આપોઆપ ઍલાર્મ વાગે એવું પેન્ડન્ટનો સમાવેશ થાય છે.

આઇઆઇટી અને આઇઆઇએસસીએ ‘ગો કોરોના ગો’ અને કોન્ટેક્ટ શોધી કાઢવા માટે ‘સંપર્ક-ઓ-મીટર’ ઍપ્સ, કોરોના વાઇરસગ્રસ્ત રોગી સાથે સંપર્કમાં આવ્યા બાદ ભયની સ્થિતિની સમીક્ષા અને કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇનમાં ગયા બાદ એ નિયમનો ભંગ કર્યો હોય તો એને પ્રશાસન શોધી શકે એ માટેની ઍપ અને અન્ય કામ લાગે એવી મોબાઇલ ઍપ્સ તૈયાર કરી છે.

કોરોના વાઇરસની રસી વિકસાવવા માટે દેશની વીસથી વધુ ટેક્નિકલ અને સાયન્ટિફિક સંસ્થાઓ મથી રહી છે.

દેશની પ્રખ્યાત આઇઆઇટીઓમાં આ મહારોગનો સામનો કરવા માટે નવતર શોધ કરી શકાય એ માટે કોવિડ-૧૯ માટેના ખાસ રિસર્ચ સેન્ટર શરૂ કરાયા છે.

આઇઆઇટી, ગુવાહાટીએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે વિવિધ પ્રકારના ડ્રોન બનાવવામાં આગેવાની કરી છે. અહીંના એક જૂથે મોટા વિસ્તારને આવરીને ત્યાં દવાનો છંટકાવ થઇ શકે એવા ડ્રોન બનાવ્યા છે, તો બીજા જૂથે ઇન્ફ્રારેડ કૅમેરા ફિટ કરેલા ડ્રોન બનાવ્યા છે, જે દ્વારા મોટા પ્રમાણમાં લોકોના જૂથની માનવ સહાયતા વગર સ્ક્રીનિંગ થઇ શકે છે અને એમાંથી કોરોના-૧૯ની શંકાસ્પદ વ્યક્તિને અલગ તારવી શકાય છે. સુરક્ષા કર્મચારી દ્વારા લોકોના જૂથને ચોક્કસ નિર્દેશ આપી શકાય એ માટે આ ડ્રોનમાં લાઉડસ્પીકર પણ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય એક જૂથે એવા રોબોટ્સ બનાવ્યા છે કે જેનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીને દવાઓ અને ખોરાક આપવામાં તથા ત્યાંથી જંતુયુક્ત કચરો સાફ કરવામાં કરી શકાય એમ છે.