તા.6 મે એ રાત્રે 12 વાગ્યાથી અમલી બને એ રીતે તા. 15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ફક્ત દવા અને દૂધની જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કરિયાણા તથા શાકભાજી અને ફળની દુકાનો પણ બંધ રહેશે. લૉકડાઉનનો ચૂસ્ત પણે અમલ કરાવવા માટે મિલીટ્રીની બટાલિયન્સ ઉતારવામાં આવી છે.
બીજી તરફ, અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ દુકાનોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. કરિયાણાની અને શાકભાજીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને લાંબી લાઈનો લાગી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર અમદાવાદમાં થઈ છે. અમદાવાદમાં કોરોના કેસ અને તેનાથી થતો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેને જોતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. વિજય નેહરા ક્વોરેન્ટીન હોવાથી તેમના સ્થાને નવા મ્યુનિસિપલ કમીશનર બનેલા મુકેશ કુમારે એક બેઠક બાદ આ નિર્ણય લીધો છે.












