CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 68 of 126 - CIA Live

March 26, 2020
coronaindia-1-1280x1044.jpg
11min8890

India corona cases as on 29 March 11 am

Confirmed 979, Deaths 25, Recovered 87, Active 867

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP550
RAJASTHAN540
GUJARAT534
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K311
MADHYA PRADESH302
WEST BENGAL171
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
ODISHA30
HIMACHAL 31
GOA30
PUDUCHERRY10

ભારતમાં કેસોની સંખ્યા 979

શનિવારે એક દિવસમાં સમગ્ર દેશમાં કોવિડ-19ના કુલ 109 જેટલા નવા કેસ નોંધાય છે જે સાથે દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 974 પહોંચી ગઈ છે. જ્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા 918 કેસના આંકડાને કન્ફર્મ કરવામાં આવ્યો છે. જોકે આ બધા વચ્ચે એક સારી વાત છે કે દેશમાં ટોટલ નોંધાયેલા કેસના 10 ટકા જેટલાક દર્દીઓ એટલે કે 94 દર્દીઓ આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. શનિવારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાનો કુલ આંકડો 27 પર પહોંચી ગયો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં દિલ્હી, કેરળ, તેલંગણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત એકલા મહારાષ્ટ્રમાં 33 નવા કેસ નોંધાયા છે. જે કોઈપણ એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. જે સાથે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ 186 કોવિડ-19 કેસ ધરાવતું રાજ્ય બન્યું છે.

Reported on 28 March 11 am

ભારતમાં આરોગ્ય ખાતાએ શનિવાર સવારે 10 વાગ્યા સુધીના આંકડા સાથે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના 873 કેસ નોંધાયા છે અને આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭ જણના મૃત્યુ થયા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે આ માહિતી આપી હતી. શુક્રવારે દેશમાં કોરોનાના નવા ૭૫ કેસ નોંધાયા હતા તથા ૪ જણના મૃત્યુ થયા હોવાના અહેવાલ હતા.

મહારાષ્ટ્રમાં ચાર, ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં બે જણના મૃત્યુ થયા છે, જ્યારે એક-એક મૃત્યુ મધ્ય પ્રદેશ, તમિળનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં નોંધાયા છે.

ડેટા મુજબ દેશમાં કોવિડ-૧૯ના ૬૪૦ સક્રિય કેસ છે, જ્યારે ૬૬ જણને કોરોનાની બીમારીમાંથી મુક્તિ મળી છે.

દેશમાં કોવિડ-૧૯ના સામના માટે ૨૧ દિવસનું સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે જેનો આરંભ બુધવારે થયો હતો. તાળાબંધીના પહેલા દિવસે લોકોએ આવશ્યક ચીજવસ્તુઓ લેવા ભાગદોડ મચાવી હતી જેના કારણે દેશમાં ઘણા સ્થળે લૉકડાઉનના ભંગ થયા હોવાના સમાચારો હતા. જોકે, બીજા દિવસે અને ત્રીજા દિવસે લોકો આ મહામારીના સામના માટે પોતાના ઘરમાં ભરાઈને રહેવું જ પડશે એ વાસ્તવિકતાને અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વિદેશથી આવતા પ્રવાસીઓના નિરીક્ષણની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવામાં આવે: કેન્દ્ર

લોકડાઉન અગાઉ વિદેશમાંથી દેશમાં દાખલ થયેલા કુલ પ્રવાસીઓ અને કોરોનાનું નિરીક્ષણ થયું હોય એવા પ્રવાસીઓની સંખ્યામાં મોટો તફાવત છે. તેથી વિદેશી આવેલા પ્રવાસીઓની માહિતી મેળવવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ગૌબાએ જણાવ્યું છે કે વિદેશથી આવેલા કુલ પ્રવાસીઓ અને જેમના નિરીક્ષણ થયા છે તેમાં મોટો તફાવત છે. પ્રવાસીઓને મોનિટરિંગ કરવાની પ્રક્રિયામાં આવી ભૂલને કારણે કોરોના વાઇરસને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવી શકે છે.

નોંધનીય છે કે કોરોનાના ભયને પગલે દેશના તમામ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ૧૮મી જાન્યુઆરીથી પ્રવાસીઓના સ્ક્રિનિંગ થઇ રહ્યા છે. ત્યારથી લઇને ૨૩મી માર્ચ સુધીમાં ૧૫ લાખ લોકો વિદેશથી દેશમાં દાખલ થયા છે. આ તમામ લોકોનું મોનિટરિંગ કરવું આવશ્યક હોવાથી આ દિશામાં તાત્કાલીક પગલાં લેવાની સૂચના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે.

India Corona Tally on 28 March @ 12 p.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1805
KERALA1730
KARNATAKA552
RAJASTHAN480
TELANGANA480
UP450
GUJARAT453
DELHI391
TAMIL NADU381
PUNJAB381
HARYANA330
MADHYA PRADESH302
J&K181
WEST BENGAL151
ANDHRA PRADESH140
LADAKH130
BIHAR91
CHANDIGARH70
CHHATTISGARH60
UTTARAKHAND50
ODISHA30
HIMACHAL 31
GOA30
ANDAMAN 20

લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તામિળનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીને રોનાવાયરસના પ્રસારને રોકવા અને લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા સાથે જાહેર કરાયેલા ત્રણ અઠવાડિયાના રાષ્ટ્રીય લોકડાઉનને સખત રીતે લાગુ કરવા જણાવ્યું હતું.

ફોન પર થયેલી વાતચીતમાં મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કલમ ૧૪૪ અને સામાજિક અંતર જાળવવા સહિતના પ્રતિબંધિત આદેશોનો કડક અમલ થવો જોઈએ.

વડા પ્રધાને રાજ્યના વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા કોરોનાવાયરસ નિવારક પગલાં વિશે મુખ્ય પ્રધાન પાસે જાણવાની માંગ કરી હતી. પલાનીસ્વામીએ કોરોનાવાઇરસ સામે રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવતા પગલાઓ વિશે મોદીને માહિતગાર કર્યા હતા એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

લોકહિતને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને કલમ ૧૪૪ હેઠળના પ્રતિબંધનાત્મક આદેશોનું કડક પાલન કરવા અને લોકોને સામાજિક અંતર જાળવવા આદેશ આપવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ. પલાનીસ્વામીએ જવાબ આપ્યો હતો કે આ તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો છે.

ગુરુવારે ૩૧ માર્ચ સુધી બંધની ઘોષણા કરનારી તામિળનાડુની રાજ્ય સરકારે વડા પ્રધાને જાહેર કરેલા રાષ્ટ્રીય લોકડાઉનને ધ્યાનમાં લઇ બંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવ્યો છે.

મહારાષ્ટ્રમાં સાંગલીના ઇસ્લામપુર ગામે એક જ પરિવારના 12 સભ્યો કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ ગઇ તા.23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પરત આવ્યા હતા.

ત્યાર બાદ બે દિવસ પૂર્વે તા.25 માર્ચ સુધી આ પરિવારના વધુ પાંચ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવાર,તા.26મી માર્ચે આ જ પરિવારના ત્રણ અન્ય સભ્યોને પણ ચેપ લાગ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આમ, એક જ પરિવારના કુલ 12 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 12 દર્દીઓમાંથી 11 સાંગલીના ઈસ્લામપુર ગામના જ છે જ્યારે એક કોલ્હાપુર જિલ્લાના પેઠવડગાંવની રહેવાસી છે. આ મહિલા દર્દી હજથી પરત આવેલા પોતાના સંબંધીને મળવા આવી હતી.

India Update on 27 March @ 11 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1370
MAHARASHTRA1304
KARNATAKA552
TELANGANA450
GUJARAT433
RAJASTHAN410
UP410
DELHI361
PUNJAB331
HARYANA300
TAMIL NADU291
MADHYA PRADESH201
LADAKH130
J&K131
ANDHRA PRADESH120
WEST BENGAL101
CHANDIGARH70
CHHATTISGARH60
BIHAR61
UTTARAKHAND50
HIMACHAL PRADESH31
GOA30
ODISHA20
PUDUCHERRY10

કોરોના સામે લડત: કેન્દ્ર સરકારે જાહેર કર્યું ₹૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ

કોરોના સામે લડત આપવાના એક પગલાં તરીકે કેન્દ્ર સરકારે કોરોના સામેની જંગમાં સાથ આપનારા માટે વીમા કવચ સહિત કુલ ₹ ૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ ૧.૭ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કોરોના સામેના જંગમાં દેશના આગળની હરોળના લડવૈયા આશા વર્કરો, સેનેટાઈઝ વર્કર્સ, પેરામેડિક્સ અને ડોક્ટર્સ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાના કર્મીઓ માટે ત્રણ મહિના માટે દરેકને ૫૦ લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સિતરમણે પત્રકાર પરિષદમાં કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે.

આ સ્વાસ્થ્ય કર્મચારીઓમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

એક મહત્વના નિર્ણય અનુસાર પ્રોવિડન્ટ ફન્ડ સ્કીમ રેગ્યુલેશનમાં અમેન્ડમેન્ટ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કર્મચારીઓ તેમના પીએફનું ૭૫ ટકા એડવાન્સમાં લઇ શકે છે. ૭૫ ટકા એડવાન્સ અથવા ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જે ઓછું હોય તે લઇ શકે છે.

આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં ૧૦૦થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર ૧૫ હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના ૫૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.

ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે. એ નોંધવું રહ્યું કે અમેરિકાએ બુધવારે ૨ લાખ કરોડ ડોલર (લગભગ ૧૫૧ લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

ડીલમાં એક ખાસ જોગવાઇ પણ છે. તેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પરિવારના કોઇ સભ્ય, કોંગ્રેસના કોઇ સભ્ય આ પેકેજની રકમમાંતી લોન કે કોઇ રોકાણ મેળવી નહીં શકે. આ જોગવાઇ ફન્ડનો ખોટો ઉપયોગ રોકવા માટે કરવામાં આવી છે.

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઇ પુરાવા મળ્યા નથી

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારસુધી દેશમાં કુલ 639 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 10ના મોત થયા છે. આ તારણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા લેવામાં આવેલા બે હજાર રેન્ડમ સેમ્પલના આધારે કાઢવામાં આવ્યું છે. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે તેના આધારે બુધવારે કહ્યું હતું કે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઈ પુરાવા નથી મળ્યા.

કોરોના વાયરસના ફેલાવાના ચાર સ્ટેજ હોય છે. જેમાં પહેલા સ્ટેજમાં તે વિદેશથી આવતા લોકો દ્વારા દેશમાં આવે છે. બીજો સ્ટેજ લોકલ ટ્રાન્સમિશનનો હોય છે, જેમાં લોકો વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે આ વાયરસના ભોગ બને છે. ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થાય છે. આ સ્ટેજમાં દર્દી વિદેશ ન ગયો હોય, પરંતુ સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે ચેપગ્રસ્ત બને છે. જ્યારે ચોથા તબક્કામાં તેને રોગચાળો જાહેર કરવામાં આવે છે. ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં આવી ચૂક્યો છે, પરંતુ તે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ્યો હોવાનો સરકાર સતત ઈનકાર કરી રહી છે.

તમિલનાડુમાં કોરોના વાયરસથી પ્રથમ મોત

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ભારતમાં પણ વધુ એક દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મદુરાઈના અન્નાનગરના 54 વર્ષીય શખ્સનું કોરોનાની સારવાર દરમિયાન બુધવારે મોત થયું. બુધવારે જ આ શખ્સને તેના પરિવારે કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. દફનક્રિયા વખતે મૃતકની પત્ની, દીકરો અને બે ભાઈઓ જ હાજર હતા. મહત્વનું છે કે, તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે મોતનો આ પ્રથમ કિસ્સો છે.

Corona Cases on 26 March 2020 at 11 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1243
KERALA1180
TELANGANA410
KARNATAKA411
RAJASTHAN380
GUJARAT381
UP370
DELHI351
PUNJAB331
HARYANA300
TAMIL NADU261
MADHYA PRADESH151
LADAKH130
J&K110
ANDHRA PRADESH110
WEST BENGAL91
CHANDIGARH70
UTTARAKHAND50
CHHATTISGARH30
HIMACHAL PRADESH31
BIHAR31
GOA30
ODISHA20
March 25, 2020
guj_gov_logo.png
1min2920

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અને દૈનિક ધોરણે કમાઈને ખાતા પરિવારોની ચિંતા કરતા સંવેદનશિલ સરકાર દ્વારા જેમની પાસે રાશનકાર્ડ છે તેવા મજૂરોને અને ગરીબ કુટુંબોને 1લી એપ્રિલે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, દાળ તેમજ મીઠું મફત આપવાનો નિર્ણય કરાયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

એપ્રિલમાં રેશનિંગની દુકાનોમાં આ 60 લાખ કુટુંબોને તમામ અનાજ તેમજ ખાવા-પિવાની વસ્તુઓનું એક મહિના સુધી મફતમાં વિતરણ કરાશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

આશરે 60 લાખ કુટુંબ, સવા ત્રણ કરોડ લોકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય કરાયો છે તેમ બેઠક બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. 21 દિવસ કામધંધા બંધ થવાથી નાના માણસો અને ગરીબ લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. આ સરકાર આવા લોકોની સમસ્યાને સમજે છે અને અન્ય સહાયતા આપવા પણ વિચારણા કરી રહી છે. જેમ જેમ સરકાર વિચારણા કરી રહી છે તેમ તેમ રાજ્યના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખશે અને ભવિષ્યમાં વધુ સહાયતા અંગે સમયાંતરે જાહેરાત કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

March 24, 2020
lockdown-1.jpg
2min17150

21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.

ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ

તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.

આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે

  • હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
  • કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
  • બેંકો, વીમા કંપનીઓ, બેંક એટીએમ
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા
  • હોમ ડિલીવરીમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, મેડીકલ સાધનો વગેરે ઇ કોમર્સ થકી
  • પેટ્રોલ પંપ્સ, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસ બોટલ્સ, સ્ટોરેજ આઉટલેટ્સ
  • સ્મશાન પ્રસંગે ફક્ત 20 લોકોને સાથે જવા દેવાની મંજૂરી
  • લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાયેલા લોકો માટે હોટેલ, મોટેલ, લોજ વગેરે
  • ટેલિકોમ્યુનિકેશન, આઇ.ટી., ઇન્ટરનેટ રિલેટેડ, બ્રોડકાસ્ટ તથા કેબલ સર્વિસ

will remain open

  • Hospitals and other related medical establishments
  • Shops, including ration shops, dealing with food, groceries, fruits and vegetables, dairy and milk booths
  • Banks, insurance offices and ATMs
  • Print and electronic media
  • Delivery of all essential goods including food, medicine, medical equipment through e-commerce
  • Petrol pumps, LPG, petroleum and gas retail and storage outlets.
  • In case of funerals, congregation of not more than 20 persons will be permitted.
  • Hotels, lodges, motels and homestays accommodating tourists and people stranded due to lockdown
  • Telecommunications, internet services, broadcasting and cable services, IT and IT-enabled services will have to work from home as far as possible.

March 24, 2020
modi-1280x720.jpg
1min3460

પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.

ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું  અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.    

આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.

March 24, 2020
lockdown.jpg
1min6870

સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.

કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.

કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.

March 24, 2020
mask.jpg
2min4790

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
5min5560

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 562 પોઝિટિવ કેસ થયા છે 40 દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં નોંધાતા કુલ આંક 10 યથાવત છે. દેશનાં કુલ મળીને 103 જિલ્લાઓમાં કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. આજથી 25 મી માર્ચ 2020થી ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામા આવ્યું છે

ભારતમાં સૌથી વધુ કેસ કેરળમાં 87 અને મહારાષ્ટ્રમાં 84 નોંધાયેલા છે. ત્યારબાદ કર્ણાટકમાં 37, રાજસ્થાનમાં 31, યુપીમાં 32 અને દિલ્હીમાં 30 સૌથી વધુ ધરાવતા કેસ છે.

ભારતમાં કોરોના કેસનું સ્ટેટસ તા.25મી માર્ચ 2020 સવારે 10 કલાકે

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

ગુજરાતની સ્થિતિ, ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો ભય, પખવાડિયું નિર્ણાયક

ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વિદેશ પ્રવાસની સાથો સાથ હવે આવા શંકાસ્પદોના સંપર્કમાં આવવાથી પણ પ્રસરવાની શરૂઆત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે આગામી એક પખવાડિયું નિર્ણાયક જાહેર કર્યું છે. વાયરસનો ચેપ હવે વાહકોમાંથી આગળ વધી રહ્યો હોવાના સંકેતો સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે વધારે સતર્ક બની કવોરન્ટાઈન અને શંકાસ્પદ દર્દીઓની સંભવિત સંખ્યા મુજબ આઈસોલેશન હોસ્પિટલોની તાબડતોબ તૈયારીઓ શરૂ કરી છે.

બીજી તરફ છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત પોઝિટીવ દર્દીઓની સંખ્યા 29થી વધીને 35 સુધી પહોંચી ગઈ છે. જેમાં ગાંધીનગરમાં 2 દર્દી અને સુરતમાં 2 દર્દીનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Reported on 25 March 2020

દેશમાં 1,87,000 લોકો પર કોરોના સંક્રમણ સંદર્ભે 24×7 નજર રાખવામાં આવી રહી છે

ભારતમાં કોરોના સંક્રમણ અંગે કુલ 1,87,000 જેટલા લોકો પર દિવસ રાત વોચ રાખવામાં આવી રહી છે. આ લોકો એવા છે જેમના હજુ સુધી કોરોના પોઝીટીવ ડિટેક્ટ થયો નથી પરંતુ, આ વ્યક્તિઓમાં આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી શકે તેમ હોવાથી તેમને સતત વોચમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 4ના મોત, કુલ કેસ 101ને પાર

મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈમાં વધુ એક મોત થયું છે. UAEની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક 65 વર્ષના વૃદ્ધ 15મી માર્ચે પરત ફર્યા હતા. વિદેશથી અમદાવાદ આવીને મુંબઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ચોથું મોત, 101 કેસ પોઝીટીવ નોંધાયા

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 101 પાર થઈ ગઈ છે. રાજ્ય સરકારે તા.24મી માર્ચ 2020થી રાજ્યમાં કરફ્યૂ જાહેર કરી દીધો છે.

Union Health Minister Dr Harsh Vardhan :

National Centre for Disease Control has been keeping an eye on all potential Coronavirus patients. Today, more than 1,87,000 people in the country are being monitored by the way of community surveillance.

ભારતમાં 728 પૈકી 606 જિલ્લાઓમાં લૉકડાઉન

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 728 જિલ્લામાંથી 606 હાલ લોકડાઉન હેઠળ છે. તો કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જેમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના સૌથી ખરાબ કોરોનાગ્રસ્ત રાજ્ય કેરળમાં સીએમ વિજયને કેન્દ્ર સરકારના આદેશ મુજબ 10 જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યું હતું.

સોમવારે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ અને મણિપુર હતા. રવિવારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ચંદીગ., રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.

પંજાબમાં વિદેશથી 90,000 NRI પરત ફર્યા

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વચ્ચે પંજાબમાં વિદેશથી પરત ફરનાર 90 હજાર ભારતીય લોકોની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને લોકો વિશે જાણકારી આપતાં 150 કરોડ રૂપિયાના વિશેષ ફંડની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશોથી પરત આવેલા તમામ લોકોમાંથી કેટલાક કોરોનાથી સંક્રમિત હોઈ શકે થે અને જો એમ હશે તો પંજાબમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો જબરદસ્ત રીતે વધી શકે છે.

પંજાબ સરકારે હાલ રાજ્યના તમામ 22 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે, પરંતુ સરકાર માટે તે 90 હજાર લોકો ચિંતાનો વિષય બન્યા છે, જે દુનિયાભરમાં કેસ સામે આવ્યા બાદ પંજાબમાં પોતાના ઘરે પરત ફર્યા છે. પંજાબ સરકારના મંત્રી બલવીર સિંહ સંધૂએ આ તમામ વિષયમાં કેન્દ્ર સરકારને માહિતી આપતો એક પત્ર લખ્યો છે.

India Update on 24/03/2020 at 10 a.m.

Reported on 23/03/2020

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

March 20, 2020
maharashtra_map.jpg
1min4030

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.

શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.

દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ

દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.

March 20, 2020
Railways.png
35min15560

ભારતમાં કોરોના સંક્રમણને રોકવા માટે દેશના સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન માધ્યમ રેલવે દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાતમાં જણાવાયું છે કે આગામી તા.31 માર્ચ 2020 સુધી તમામ પ્રવાસી ટ્રેનનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબા અંતરની ટ્રેન, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેન ઉપરાંત પ્રીમિયમ ટ્રેનનો વ્યવહાર આગામી 31 માર્ચ રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રવિવારે કોરોનાથી પીડીત 2 દર્દીઓના મોત, એક મુંબઇ અને એક બિહાર પટણાના રહીશ

કોરોના વાયરસે ભારતમાં વધુ એકનો ભોગ લીધો છે. આ વખતે 38 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. આજ દિવસમાં ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના કોરોના પોઝિટિવ વાયરસના કારણે મોત થયું છે. આ સિવાય આજે મુંબઇમાં કોરોનાથી પોઝીટીવ હોય તેવા મુંબઇના એક બુઝુર્ગનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.

મુંબઈમાં 63 વર્ષની ઉંમરની વ્યક્તિનું મોત થયું છે તેઓ અગાઉથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા જેના કારણે તેમના પર કોરોના વાયરસની ગંભીર અસરો થઈ હતી. મૃત્યુ પામેલી વ્યક્તિને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જેના કારણે તેમની તબીયત વધારે ખરાબ થઈ હતી. મુંબઈન બે સિવાય દિલ્હી, કર્ણાટકા, પંજાબ અને બિહારમાં કોરોના વાયરસના કારણે 1-1 વ્યક્તિના મોત થયા છે.

તા.21મી માર્ચે ભારતમાં કોરોનાના 77 કેસો નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવાર તા.21મી માર્ચ 2020ના રોજ જ વિવિધ રાજ્યોમાં 77 નવા કેસ સામે આવતા કોરોનાના દર્દીઓનો આંકડો 327 પર પહોંચ્યો હતો. જેમાંથી 23 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા કેસોનો ગ્રાફ હવે ઝડપથી ઉપર જઈ રહ્યો છે. 3 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 6 કેસ હતા, જે 21 માર્ચ સુધી 327 પર પહોંચી ચૂક્યા છે. કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ તેનાથી થયેલા મૃત્યુનો આંકડો 4 પર મર્યાદિત રહેતા સરકારે હાશકારો અનુભવ્યો છે.

22મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 341 થઇ

ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.

હવેથી હોસ્પિટલમાં એડમિટ દરેક (SAR) સિરીયસ કેસોનું ટેસ્ટીંગ કરાશે

આ લિંક જ્યારે પણ ઓપન કરશો અપડેટેડ ન્યુઝ વાંચવા મળશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કોરોનાના ભારતમાં વધતા કેસોને કાબૂમાં લેવા તેમજ સત્વરે તેની જાણ થાય તે માટે કોરોના ટેસ્ટિંગની નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે નીચે મુજબ છે. સાર કોવીડ-19 એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા તમામે તમામ પેશન્ટ્સનું હવે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાથે જ દર્દીઓની સારવાર કરી રહેલા તમામ સ્ટાફ તેમજ પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા લોકોના દર 5માં દિવસે અને 14માં દિવસે કોરોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉપરોક્ત ઇમેજને સત્તાવાર રીતે ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://icmr.nic.in/sites/default/files/upload_documents/2020-03-20_covid19_test_v3.pdf

ભારતમાં 272 કેસ ગુજરાતમાં 08

India Status @ 1 p.m. on 21/03/2020

 રાજ્યપોઝિટિવ કેસડિસ્ચાર્જમૃત્યુ
1દિલ્હી1621
2હરિયાણા18
3કેરળ403
4રાજસ્થાન233
5તેલંગણા191
6ઉત્તર પ્રદેશ239
7લદ્દાખ10
8તામિલનાડુ31
9જમ્મુ-કાશ્મીર4
10પંજાબ61
11કર્ણાટક1511
12મહારાષ્ટ્ર62
13આંધ્રપ્રદેશ3
14ઉત્તરાખંડ3
15ઓડિશા2
16પ.બાંગાળ2
17છત્તિસગઢ1
18ગુજરાત9
19પુડ્ડુચેરી1
20ચંડીગઢ5
21મધ્યપ્રદેશ4
22હિમાચલ પ્રદેશ2

ભારતમાં તા.21મી માર્ચે સવારે 11 વાગ્યા સુધીમાં ભારત સરકારની સત્તાવાર સંસ્થા આઇ.સી.એમ.આર.ના જણાવ્યા અનુસાર કૉરોના વાઈરસના 272 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

ઉપરોક્ત ફોટોની સત્તાવાર લિંક માટે નીચેની લિંક ઓપન કરો

https://icmr.nic.in/sites/default/files/upload_documents/ICMR_website_update_21March_10AM_IST.pdf

બીજી તરફ દર્દીઓ ઉપરાંત તેમની સાથે સંસર્ગમાં આવેલા ૬૭૦૦ લોકો દેખરેખ હેઠળ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. આરોગ્ય ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારપૂર્વક કહ્યું હતું કે સામાજિક અંતર રાખવું એ જ કૉરોના વાઈરસ સામે લડવાનો પ્રાથમિક અને સૌથી કારગત માર્ગ છે.

રવિવારે જનતા કર્ફયુ 3500થી વધુ ટ્રેનો અને 1000 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર તા.22મી માર્ચ 2020ને રવિવારે 14 કલાક સુધીના જનતા માટે દેશના બે મોટા ટ્રાન્સપોર્ટ ફેક્ટર રેલવે અને સિવિલ એવિએશને મહત્વની જાહેરાત કરી છે. એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3500થી વધુ ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

હોસ્પિટલોને એલર્ટ મોડ પર રહેવા નિર્દેશ

કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરું કરી દીધું છે. શુક્રવારે સરકારે દેશની તમામ હોસ્પિટલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટને કેટલાક બેડ અલગ કરવા અને આઈસોલેશન સુવિધા દેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે આ એડવાઈઝરી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલ માટે જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં પૂરતી માત્રામાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાઈ ફ્લો ઓક્સિજન માસ્ક પણ તૈયાર રાખવામાં આવે અને કોવિડ-19 સાથે લડવા પૂરતી માત્રામાં સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે.

ગુજરાતમાં વડોદરામાં 1 પોઝીટીવ સાથે કેસોની સંખ્યા 8 પર પહોંચી

તા.21મીએ સવારે ગુજરાતના વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ફોરેનથી આવેલા એક નાગરીકનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કેસોની સંખ્યા 8 પર પહોંચી છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ તથા સુરતમાં 1-1 કેસો મળીને કુલ 8 કેસ થયા છે.

શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 

ટોલફ્રી 1075 નંબરનો ઉપયોગ કરો

કૉરોના વાઈરસ અંગે કોઈપણ પ્રકારની પુછપરછ કરવા ૧૦૭૫ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવાની લોકોને વિનંતી કરતા તેમણે કહ્યું હતું કે સરકાર સુરક્ષાનાં તમામ પગલાં લઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની હાકલ કરી છે. એક દિવસનો સહકાર કૉરોના વાઈરસના સંક્રમણની કડી તોડવામાં મદદ કરશે, એમ અગ્રવાલે કહ્યું હતું. જયપુરમાં શુક્રવારે મૃત્યુ પામેલા ઈટલીના નાગરિકની ભારતમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓમાં ગણતરી કરવામાં નહીં આવે એમ જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ચાર પર પહોંચ્યો છે.

કૉરોના વાઈરસ સામે લડવાની રાજ્યની ક્ષમતા વધારવા કેન્દ્રીય ટુકડીને મોકલવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે કૉરોના વાઈરસને મામલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી.

લદાખમાં કૉરોનાના વધુ બે કેસ

લદાખમાં કૉરોનાના વધુ બે કેસ નોંધાવાની સાથે જ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૉરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૧૦ પર પહોંચ્યો હોવાનું વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું હતું.

કમિશનર સેક્રેટરી (આરોગ્ય) રિગઝિન સામ્ફલે કહ્યું હતું કે નવા બંને કેસ લેહના ચોશોટ ગામમાં નોંધાયા હતા.

કૉરોનાના નવા બે કેસ નોંધાયા બાદ તરત જ આરોગ્ય ખાતાના અધિકારીઓએ બંને દરદીને હૉસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં ખસેડ્યા હતા, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

શુક્રવારે કરવામાં આવેલા ૧૧ પરીક્ષણ સહિત વધુ પંચાવન દરદીના ટૅસ્ટ રિપોર્ટ દિલ્હીસ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

લદાખમાં કૉરોના વાઈરસના તમામ દરદીઓની હાલત સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું.

લેહમાં બૅંકની શાખા બંધ કરવાના સરકારના નિર્ણય અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા સલામતીનાં પગલાંનાં ભાગરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના અધિકારીનો એક પારિવારિક સભ્ય સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયાની સ્થાનિક શાખામાં કામ કરે છે. અગાઉ આ કર્મચારીનો કૉરોના ટૅસ્ટ નૅગેટિવ આવ્યો હોવા છતાં એ જ પરિવારના અન્ય એક સભ્યનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હોવાને કારણે અમે કર્મચારીના નમૂનાનું પરીક્ષણ ફરી કરવા મોકલ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

એક વખત નમૂનાના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયા બાદ બૅંક ફરી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

અગાઉ લદાખમાં સેનાના જવાન સહિત આઠ જણમાં કૉરોનાનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હતો જેને પગલે વહીવટકર્તાઓને પ્રતિબંધિત આદેશ તેમ જ ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તે માટે બંધારણની કલમ ૧૪૪ લાગુ કરવાની ફરજ પડી હતી.

લેહ જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી વિદેશી પર્યટકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય રાજ્યના શ્રમિકોના લેહમાં પ્રવેશ પર પણ ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પુત્રના પોઝિટિવ વાઈરસની વાત છુપાવનાર મહિલા રેલવે અધિકારીને સસ્પેન્ડ કરાયાં

કોરોના વાઈરસની સાઈડ ઈફેક્ટ અનેક થઈ છે. વાઈરસથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા નાગરિકો – પેસેન્જરનું હવાઈમથકે – બંદરોએ સ્ક્રિનિંગ કરાઈ છે છતાં અમુક પેસેન્જર છટકી જાય છે અથવા વિદેશથી આવ્યા છે તે છુપાવે છે.

સાઉથ-વેસ્ટર્ન રેલવેના એક અધિકારીને સરકારે સસ્પેન્ડ કર્યા છે, કારણ કે તેનો પુત્ર જર્મનીથી અહીં આવ્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિશે માતાએ વાત છુપાવી હતી અને રેલવેના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. રેલવેની મહિલા અધિકારીએ પુત્રની વાત છુપાવવાની સાથે તે અન્ય લોકોના સંપર્કમાં આવીને ઘણાની લાઈફ સામે જોખમ ઊભું કર્યું છે. બેંગલોર સ્ટેશન નજીકના રેલવે રેસ્ટ રૂમમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રેલવેમાં આસિસ્ટન્ટ પર્સોનલ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. તેનો ૨૫ વર્ષનો પુત્ર વાયા સ્પેન, જર્મની અને ત્યાંથી ભારત આવ્યો હતો. સ્પેનમાં વાઈરસની મોટી અસર થઈ છે. પુત્રને હોમ ક્વૉરોન્ટાઈનમાં રાખ્યા બાદ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી હતી.

જનતા કર્ફ્યુ: દેશમાં કોઈ પ્રવાસી ટ્રેન નહીં દોડે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાવીસ માર્ચે જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુ દરમિયાન શનિવારે રાતના ૧૨ વાગ્યાથી રવિવારે રાત્રે ૧૦ વાગ્યા વચ્ચે દેશમાં એકપણ પેસેન્જર ટ્રેન દોડાવવામાં નહીં આવે, એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

રવિવારે સવારે ચાર વાગ્યથી મૅલ અને ઍક્સ્પ્રેસ ટ્રેનસેવા પણ રોકી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પરાંની લોકલ ટ્રેનસેવાની સંખ્યામાં પણ અસાધારણ ઘટાડો કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કૉરોના વાઈરસના ભયને કારણે અને તેને વધારે ફેલાતો રોકવા પ્રવાસીઓ બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે રેલવેએ અત્યાર સુધીમાં ૨૪૫ ટ્રેન રદ કરી છે. સામાજિક અંતર જાળવી રાખવાની હાકલ કરતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે એમ કહીને બાવીસ માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાની જાહેરાત કરી હતી. આ કર્ફ્યુ દરમિયાન કોઈ નાગરિક ઘરની બહાર નહીં નીકળે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે માત્ર અત્યાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો જ ઘરની બહાર નીકળે.

Reported on 20 March 2020

વિશ્વમાં મૃત્યુઆંક 10,000 ને પાર : કેસોની સંખ્યા અઢીલાખ નજીક : વાંચો કયા દેશોમાં કેટલા કેસ? સંપૂર્ણ માહિતી

તા.20મી માર્ચે બપોરે 4 કલાકે કોરોના અપડેટની માહિતી મૂકતા જણાવી દઇએ કે આંતર રાષ્ટ્રીય સ્તરે હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા કમનસીબોની સંખ્યા 10,000ને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. કોરોનાનો જ્યાંથી ઉદભવ થયો એ ચીન કરતા પણ વધુ મોત ઇટલીમાં સામે આવ્યા છે. નીચે મુજબના અપડેટ્સ સમગ્ર વિશ્વની માહિતી સૂચવે છે.

તા.20મી માર્ચ 2020ને બપોરે 4 કલાકે

Corona virus Cases : 2,48,699

Deaths : 10,083

Recovered : 88,563

ACTIVE CASES 1,50,053

  • Currently Infected Patients 1,42,613 (95%) in Mild Condition
  • 7,440 (5%) Serious or Critical

98,646 Cases which had an outcome :

  • 88,563 (90%) Recovered / Discharged
  • 10,083 (10%) Deaths

Word Country wise data on 20/03/2020

     
Country,CasesDeathsRecoveredCases
China80,9673,24871,1506,569
Italy41,0353,4054,44033,190
Iran18,4071,2845,97911,144
Spain18,0778311,10716,139
Germany16,6264411516,467
USA14,36621712514,024
France10,9953721,2959,328
S. Korea8,652942,2336,325
Switzerland4,22243154,164
UK3,269144653,060
Netherlands2,4607622,382
Belgium2,257372042,016
Austria2,203692,188
Norway1,802711,794
Sweden1,45211161,425
Denmark1,226911,216
Malaysia1,030287941
Japan96333215715
Australia876746823
Canada8731211850
Portugal78644778
Czechia774 3771
Diamond Princess7127527178
Israel705 15690
Brazil64772638
Ireland55735549
Luxembourg48446474
Greece464619439
Qatar460 10450
Pakistan456313440
Finland400 10390
Indonesia3693217320
Poland368613349
Turkey3594 355
Singapore345 124221
Chile342  342
Iceland330 5325
Thailand322142279
Slovenia3191 318
Bahrain2841110173
Estonia283 1282
Romania277 25252
Saudi Arabia274 8266
Ecuador26041255
Egypt256742207
Hong Kong256498154
Peru23431230
Philippines230188204
India206520181
South Africa202  202
Russia19919189
Iraq1921349130
Mexico16414159
Lebanon16344155
Kuwait159 22137
San Marino144144126
UAE140 31109
Panama13711135
Armenia136 1135
Taiwan135228105
Argentina12833122
Colombia128 1127
Slovakia124  124
Serbia118 2116
Croatia11315107
Bulgaria1123 109
Latvia111 1110
Uruguay94  94
Algeria90103248
Costa Rica892 87
Vietnam87 1671
Hungary853775
Faeroe Islands80 278
Andorra74 173
Brunei73  73
Belarus69 1554
Jordan69 168
Bosnia and Herzegovina69 267
North Macedonia67 166
Cyprus67  67
Morocco663261
Sri Lanka65 362
Albania642 62
Tunisia541152
Malta53 251
Moldova491147
Kazakhstan49  49
Lithuania48 147
Oman48 1335
Palestine48 1731
Cambodia47 146
Guadeloupe45  45
Azerbaijan441736
Georgia43 142
Venezuela42  42
New Zealand39  39
Senegal36 234
Dominican Republic342 32
Burkina Faso331 32
Uzbekistan33  33
Martinique321 31
Liechtenstein28  28
Réunion28  28
Ukraine263122
Afghanistan24 123
Honduras24  24
Bangladesh201316
Cameroon20 218
DRC18  18
Macao17 107
Bolivia17  17
Cuba161 15
Jamaica161213
Ghana16  16
French Guiana15  15
Guam14  14
Maldives13  13
Montenegro13  13
Paraguay13  13
Nigeria12 111
Monaco11  11
Channel Islands11  11
French Polynesia11  11
Rwanda11  11
Gibraltar10 28
Guatemala91 8
Ivory Coast9 18
Ethiopia9  9
Togo9  9
Trinidad and Tobago9  9
Kenya7  7
Mauritius7  7
Equatorial Guinea6  6
Kyrgyzstan6  6
Mongolia6  6
Puerto Rico6  6
Seychelles6  6
Tanzania6  6
Guyana51 4
Aruba5 14
Barbados5  5
Mayotte4  4
Suriname4  4
Cayman Islands31 2
Curaçao31 2
Bahamas3  3
Congo3  3
Gabon3  3
Namibia3  3
St. Barth3  3
Saint Martin3  3
U.S. Virgin Islands3  3
Sudan21 1
Benin2  2
Bermuda2  2
Bhutan2  2
CAR2  2
Greenland2  2
Haiti2  2
Liberia2  2
Mauritania2  2
New Caledonia2  2
Saint Lucia2  2
Zambia2  2
Nepal1 10
Angola1  1
Antigua and Barbuda1  1
Cabo Verde1  1
Chad1  1
Djibouti1  1
El Salvador1  1
Fiji1  1
Gambia1  1
Guinea1  1
Vatican City1  1
Isle of Man1  1
Montserrat1  1
Nicaragua1  1
Niger1  1
St. Vincent Grenadines1  1
Sint Maarten1  1
Somalia1  1
Eswatini1  1
Total:248,69910,08388,563150,053

ભારતમાં 206 કેસ : 20 દર્દી સાજા થયા : ગુજરાતમાં 5 કેસ

તા.20મી માર્ચે બપોરે 11.30 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોની સત્તાવાર સંખ્યા 206ની થઇ છે. કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા ભારતમાં 181 હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

ઇટલીના ટુરીસ્ટ કોવીડ-19થી રિકવર થયા બાદ કાર્ડીયાક એરેસ્ટથી મોત ને ભેટ્યા હોવાની જયપુર SMS હોસ્પિટલની સ્પષ્ટતા

તા.20મી માર્ચ 2020ને સવારે જયપુરમાં ઇટલીના એક ટુરીસ્ટનું મોત નિપજ્યું હતું. પહેલા એવા ન્યુઝ સ્પ્રેડ થયા હતા કે ઇટલીના આ ટુરીસ્ટનું મોત કોવીડ19થી થયું હતું. બાદમાં હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીના ટુરીસ્ટ કાવીડ19માંથી રીકવર થઇ ગયા હતા અને તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હતું. આથી કોરોનાને કારણ તેમનું મોત નથી થયું હોવાની પુષ્ટી જયપુર સ્થિત હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.

Information Source : Click link given below

https://www.icmr.nic.in/sites/default/files/whats_new/ICMR_website_update_20March_10AM_IST.pdf

તા.20મી માર્ચે સવારે 11 કલાકે ભારતમાં રાજ્યવાર કોરોનાના કેસોની સંખ્યા

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA471
KERALA280
UP190
DELHI171
HARYANA170
TELANGANA160
KARNATAKA151
LADAKH100
RAJASTHAN70
J&K40
TAMIL NADU30
PUNJAB21
ANDHRA PRADESH20
GUJARAT20
UTTARAKHAND10
ODISHA10
WEST BENGAL10
PUDUCHERRY10
CHANDIGARH10
CHHATTISGARH10

અમદાવાદમાં 2 અને રાજકોટ, સુરત, વડોદરામાં 1-1 મળી કુલ 5 પોઝિટિવ કેસ

તા.20મી માર્ચે બપોરે 11.30 કલાકની માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઇ છે. રાજકોટ અને સુરતમાં તા.19મી માર્ચે એક એક કેસ પોઝીટીવ જાહેર થયા બાદ આજે તા.20મી માર્ચે સવારે અમદાવાદમાં 2 અને વડોદરામાં એક કેસ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં પણ કોરોના વાયરસ દાખલ થઈ ગયો છે. રાજ્યમાં 2 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા, સુરતની એક યુવતિ અને એક રાજકોટનો યુવક હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

સુરતમાં 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી વિદેશથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનો પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 35 વર્ષીય વ્યક્તિ સાઉદી અરબથી આવ્યો હતો અને તે યુવક તથા તેના પરિવારજનોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે.

March 20, 2020
coronavirus.jpg
1min3010

કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે તો બાકીના કર્મચારીઓને દરરોજ ઑફિસમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપ કર્મચારીઓને કામ માટે જુદા જુદા કલાકો ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ગ્રુપ બી અને ગ્રુપ સીના પચાસ ટકા કર્મચારીઓએ ઑફિસમાં દરરોજ હાજર રહેવું ને બાકીના પચાસ ટકા લોકોએ ઘરેથી કામ કરવું.

ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે અઠવાડિક ધોરણે વારાફરતી આ આદેશનો અમલ કરવાનું વિભાગીય વડાને જણાવી દેવામાં આવ્યું છે.

નવું સમયપત્રક બનાવતી વખતે પહેલા અઠવાડિયામાં ઑફિસની નજીકના વિસ્તારમાં રહેતા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવાની વિભાગીય વડાઓને સલાહ આપવામાં આવી છે.

આદેશમાં કરવામાં આવેલા સૂચન મુજબ કર્મચારીઓને ત્રણ જૂથમાં વિભાજિત કરી દેવા અને તેમનો ઑફિસનો સમય અનુક્રમે સવારે ૯:૦૦થી સાંજે ૫:૩૦, સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦ અને સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૩૦નો રાખવો. ઘરેથી કામ કરતી વ્યક્તિ સંપૂર્ણ સમય ટેલિફોન તેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે સતત ઉપલબ્ધ રહેવી જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં જો તેમને બોલાવવામાં આવે તો તેમણે ઑફિસે હાજર થવાનું રહેશે.

તાકીદની તેમ જ જરૂરી સેવામાં રોકાયેલા તેમ જ કૉરોના વાઈરસને ફેલાતો અટકાવવાના કામમાં રોકાયેલા કર્મચારીઓને આ નિયમ લાગુ નહીં પડે એમ બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્સ સર્વિસ તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍન્ટરપ્રાઈસ પણ નાણાંકીય સંસ્થાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓને આ પ્રકારની સૂચના આપી શકે છે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

ઑફિસના પરિસરમાં ઓછામાં ઓછા મુલાકાતીઓ આવે કે પ્રવેશ લે તેની ખાતરી કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. વિઝિટર્સ કે ટૅમ્પરરી પાસ જારી કરવાનું પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું છે.

અધિકારીની યોગ્ય પરવાનગી બાદ મુલાકાતીની યોગ્ય ચકાસણી કરીને જ સંબંધિત વ્યક્તિને મળવાની પરવાનગી આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.

તમામ સરકારી વિભાગોને થર્મલ સ્કૅનર ગોઠવી દેવા જણાવી દેવામાં આવ્યું છે. બની શકે ત્યાં સુધી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જ મીટિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.